ડાયાબિટીસના દર્દીઓએ ટામેટા ખાવા જોઈએ કે નહીં ? જાણો શરીરને ફાયદો કરે છે કે નુકસાન

Share this story

Patients with diabetes

  • ડાયાબિટીસમાં આપણે દરેક વસ્તુ ધ્યાનથી ખાવી જોઈએ. બીજી તરફ ટામેટા એક એવું શાક છે કે સુગરના દર્દીઓ તેને ખાવા અંગે હંમેશા કન્ફ્યુઝ રહે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે તમારે ટામેટાં ખાવા જોઈએ કે નહીં.

ડાયાબિટીસમાં (Diabetes) આપણે બધું જ સાવચેત રહીને ખાવું જોઈએ. કારણ કે કંઈપણ વિચાર્યા વગર ખાવાથી શરીરમાં બ્લડ સુગર વધી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓની (Patients with diabetes) સામે હંમેશા એક પ્રશ્ન રહે છે કે શું ખાવું જોઈએ અને શું નહીં ?

સાથે જ ટામેટા એક એવું શાક છે કે શુગરના દર્દીઓ તેને ખાવા અંગે હંમેશા કન્ફ્યુઝ રહે છે. તેમને લાગે છે કે ટામેટા ખાવાથી બ્લડ શુગર ક્યાંક વધી ન જાય. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીં અમે તમને જણાવીશું કે ડાયાબિટીસના દર્દીએ ટામેટાંનું સેવન કેવી રીતે કરવું જોઈએ? ચાલો જાણીએ.

ડાયાબિટીસમાં ટામેટા ખાવા જોઈએ કે નહીં :

ટામેટામાં બીટા-કેરોટીન, પોટેશિયમ, વિટામિન સી અને અન્ય વિટામિન્સ હોય છે. જે ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે. આ સિવાય દરરોજ 200 ગ્રામ કાચા ટામેટાનું સેવન કરવાથી તમારું હાઈ બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

ડાયાબિટીસમાં ટામેટાં ખાવાના ફાયદા :

વિટામિન Cથી ભરપુર : 

ટામેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે શરીરને ચેપી રોગોથી બચાવે છે. આ સિવાય વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેની સાથે તે ડાયાબિટીસના દર્દીઓને ઘણા ચેપથી બચાવે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ દરરોજ ટામેટાનું સેવન કરી શકે છે.

પોટેશિયમથી ભરપૂર :

ટામેટામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે રક્તકણોને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ છે. જો તમે દરરોજ ટામેટાનું સેવન કરો છો તો તે તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

વજન સંતુલિત રાખવામાં મદદરૂપ  :

ટામેટામાં કેલરી પણ ઓછી હોય છે જે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓને તેમના વજનને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે તમારા આહારમાં ટામેટાનો સમાવેશ કરી શકો છો આ કરવાથી તમે તમારું વજન નિયંત્રણમાં રાખી શકો છો.