Home Blog Page 1414

છત્રી-રેઇનકોટ રાખજો તૈયાર ! ગુજરાતના આ વિસ્તારોમાં સતત 4 દિવસ સુધી વરસાદ ખાબકશે, જુઓ આજે ક્યાં પડશે

0

Keep an umbrella-raincoat ready

  • હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે આજ રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદની જો વિગતે વાત કરીએ તો આજ રોજ રાજ્યમાં દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો આવતીકાલે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ખેડામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો :

અત્રે જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, તારાપુરમાં 1 ઇંચ વડિયામાં પોણો ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ, લિલિયામાં અડધો ઇંચ, હાંસોટમાં અડધો ઇંચ, બોટાદમાં અડધો ઇંચ અને વઢવાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, હવે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બોટાદના ગઢડા તાલુકામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું :

વધુમાં જણાવી દઇએ કે, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા લોકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. ધોરાજીમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ધોરાજી ઉપરાંત જેતપુર અને ઉપલેટામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ સાથે બોટાદના ગઢડા તાલુકામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ગઢડાના ઢસા, પાટણા અને ભંડારીયા સહિતના ગામડાઓમાં ભારે પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઢસાના કેટલાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વિદેશની ધરતી પર પડ્યો ગુજરાતીનો વટ ! પોતની કાર પર લખાવ્યું પોતાનાં ગામનું નામ 

Gujarati’s Vat fell on foreign soil

  • બનાસકાંઠાના ગુજરાતીએ વિદેશી ધરતી પર રહીને વતન પ્રેમ દર્શાવ્યો છે. કેલિફોર્નિયામાં રહેતા ડીસાના વતની એક ગુજરાતીએ પોતાની કાર પર DEESA નામની નંબર પ્લેટ બનાવી છે. આમ, એક ગુજરાતીએ વિદેશમાં રહીને વટ પાડ્યો છે. સુશીલ ઓઝાએ કેલિફોર્નિયામાં પણ ડીસા નામ ગુંજતું કર્યું છે.

બનાસકાંઠાના (Banaskantha) ગુજરાતીએ વિદેશી ધરતી પર રહીને વતન પ્રેમ દર્શાવ્યો છે. કેલિફોર્નિયામાં (California) રહેતા ડીસાના (Deesa) વતની એક ગુજરાતીએ પોતાની કાર પર DEESA નામની નંબર પ્લેટ બનાવી છે. આમ, એક ગુજરાતીએ વિદેશમાં રહીને વટ પાડ્યો છે. સુશીલ ઓઝાએ (Sushil Ojha) કેલિફોર્નિયામાં પણ ડીસા નામ ગુંજતું કર્યું છે.

કેલિફોર્નિયામાં રહેતા મૂળ બનાસકાંઠાના વતની સુશીલ બકુલભાઈ ઓઝા પોતાના ટેસ્લા કંપનીની કારમાં DEESA નામની નંબર પ્લેટ લગાવી છે. વતન પ્રેમી સુશીલ ઓઝાએ કેલિફોર્નિયામાં પણ ડીસાનુ નામ ગુંજતું કર્યું છે. ભારતમાં જેમ નંબરની પસંદગી કરવાનો નાગરિકોને ઓપ્શન મળે છે, તેવી જ રીતે અમેરિકામાં એક શબ્દ લખવાની છૂટ મળે છે. આ માટે અક્ષરની મર્યાદા 6 થી 7 અક્ષર હોય છે. જેથી મૂળ ડીસાના સુશીલ ઓઝાને પોતાની નવી કાર પર ડીસા શબ્દ લખાવવાની ઈચ્છા થઈ, જેથી તેઓ પોતાના વતનથી અળગા ન રહે.

આ વતન પ્રેમ વિશે સુશીલ ઓઝા જણાવે છે કે, મારું એક સપનું હતું કે હું એક દિવસ મારી કાર પર આ નામ લખાવું. તમે વતનથી દૂર જઈને ગમે તે કામ કરો છો, પરંતુ પોતાના વતન માટે હંમેશા વિચારતા રહો અને વતન ગર્વ અનુભવે તેવું કામ કરતા રહો.

આમ, ગુજરાતીઓ ગમે ત્યાં રહે, તેઓ ન તો પોતાના મુલ્કને ભૂલે છે, અને જ્યાં વસે છે ત્યા પોતાના મુલ્કની યાદ જાળવી રાખે છે. જોકે, અગાઉ પણ વતન પ્રેમના અનેક ગાડીના નંબર પ્લેટના કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ પણ મુળ પાલનપુરના અને કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ડોક્ટર જુબેર સિંધી પણ પોતાની કાર પર પોતાના ગામનું નામ ‘CHITRSN’ લખાવ્યું હતું. તો સિક્સ સેન્સ ટેકનોલોજીથી ફેમસ થયેલા મૂળ પાલનપુરના પ્રવણ મિસ્ત્રીએ પણ પોતાની કારની નેમ પ્લેટ પર પાલનપુર લખાવ્યુ છે.

ના હોય ! રસ્તા પર ખોટી જગ્યાએ ઉભું રાખેલ વાહનનો ફોટો મોકલનારને સરકાર આપશે 500 રૂપિયાનું ઇનામ

0

The government will give

કેન્દ્રીય પરિવહન મંત્રી (Minister of Road Transport and Highways) નીતિન ગડકરી (Nitin Gadkari)એ આજે ​​કહ્યું કે કેન્દ્ર સરકાર એક કાયદો લાવવા જઈ રહી છે જે અંતર્ગત ખોટી જગ્યાએ (Wrong place) પાર્ક કરેલા વાહનનો ફોટો મોકલનારને 500 રૂપિયા આપવામાં આવશે. ગડકરીએ કહ્યું કે રસ્તાઓ પર દરેક જગ્યાએ વાહનો પાર્ક કરવામાં આવે છે. જેના કારણે ચાલવામાં તકલીફ થાય છે. ખાસ કરીને દિલ્હીમાં (Delhi) આ સમસ્યા વધુ છે.

નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક કાયદો લાવવા જઈ રહી છે.જે કોઈ પણ પોતાની કાર રસ્તા પર પાર્ક કરશે, જે મોબાઈલમાંથી ફોટો ક્લિક કરીને ફોટો મોકલશે, તો વાહન ચાલકને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને ફોટો ક્લિક કરીને મોકલનારને 500 રૂપિયા આપવામાં આવશે. જેથી પાર્કિંગની સમસ્યા દૂર થશે. ગડકરીએ કહ્યું કે લોકો ઘર મોટા બનાવે છે પરંતુ પાર્કિંગ નથી બનાવતા.

ગડકરીએ તેમના ઘરનું ઉદાહરણ આપ્યું કે નાગપુરમાં તેમના ઘરમાં રોટલી બનાવનાર પાસે પણ સેકન્ડ હેન્ડ કાર છે.અગાઉ અમેરિકામાં હતી, જ્યારે મહિલા સાફ કરવા આવતી ત્યારે તેની પાસે કાર હતી, તો અમે આશ્ચર્યજનક રીતે જોઈએ છીએ.

ભારતમાં એક પરિવારમાં ચાર લોકો અને છ વાહનો જોવા મળે છે. ગડકરીએ દિલ્હીનું ઉદાહરણ આપ્યું કે દિલ્હીવાસીઓ નસીબવાળા છે. કારણ કે અમે તેમની કારના પાર્કિંગ માટે રોડ બનાવ્યો છે. પાર્કિંગ કોઈ નથી કરતું, દરેક વ્યક્તિ પોતાની કાર રોડ પર પાર્ક કરે છે.

પોતાના ઘરનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું કે નાગપુરના ઘરમાં 12 વાહનો માટે પાર્કિંગ બનાવ્યું છે. હું રોડ પર કાર પાર્ક કરતો નથી.

કાળા માથાનો માનવી ધારે તે કરી શકે ! ગાયના છાણમાંથી આ બહેન બનાવે ઇકોફ્રેન્ડલી પેઇન્ટ

0

The black-headed man assumes he can

બે વર્ષ પહેલાં દુર્ગા નામની મહિલાએ છાણાંથી રંગ (The color from the chaff) બનાવ્યો છે. ગૌશાળા (Gaushala) અને પશુપાલકો (Pastoralists) પાસેથી ગાયના છાણ લાવીને તેમાંથી મકાન રંગવાનો રંગ બનાવે છે.

પેઇન્ટનો સારો અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ મળ્યો છે. ઓડિશાના બારગઢની રહેવાસી દુર્ગા પ્રિયદર્શિનીએ આ પદ્ધતિ અપનાવીને પેઇન્ટ બનાવવાનું કામ શરૂ કર્યું છે. તેણે પશુપાલન છોડી દીધું અને સંપૂર્ણપણે પેઇન્ટ બનાવવાના કામ કરવા લાગ્યા હતા.

છાણ ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે. હવે તેનો અનોખો ઉપયોગ શરૂ થયો છે. દુર્ગા પ્રિયદર્શિનીનો પોતાનો બિઝનેસ આઈડિયા છે. ઇન્ટરનેટ પર વીડિયો જોયા પછી રંગ બનાવવાનું નક્કી કર્યું હતું.

રંગ બનાવવાની રીત :

ગાયના છાણને પાણીમાં મિશ્રિત કરવામાં આવે છે, ત્યારબાદ તેને ટ્રિપલ ડિસ્ક રિફાઇનરીમાં મૂકીને ઘટ્ટ કરવામાં આવે છે. તેમાં કેલ્શિયમ ઘટક ઉમેરે છે. ઇમલ્સન અને ડિસ્ટેમ્પર બનાવવામાં આવે છે. આ પેઇન્ટના લગભગ 30 ટકામાં ગાયના છાણનો સમાવેશ થાય છે. પછી માત્ર કુદરતી રંગોને મૂળ રંગ સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ પેઇન્ટ સંપૂર્ણપણે કાર્બનિક છે.

ગાયના છાણના નેચરલ પેઇન્ટના માર્કેટિંગ માટે ઘણા પ્રયત્નો કર્યા, આમ લોકોમાં તેની માંગ નથી. ખાસ લોકો લઈ જાય છે. ઓડિશા સહિત છત્તીસગઢના કેટલાક શહેરોમાં માર્કેટિંગનું કામ પણ કરી રહી છે. કોલેજમાં હવે શિખવવા જાય છે.

NCERTનો મોટો નિર્ણય: ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષયને દૂર કરવામાં આવ્યો

0

Big decision of NCERT

  • NCERTએ ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા વિષયને દૂર કર્યો છે. સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (National Council of Educational Research and Training) એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં NCERTએ ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પાઠ્યસામગ્રીને હટાવી દેવાઇ છે. અત્યાર સુધી આ પાઠ્યસામગ્રી ધોરણ 12માં પોલિટિકલ સાયન્સ (Political Science) વિષયના પુસ્તકમાં પેજ 187થી 189 પર હતી. તેને લઇને ગુરુવારના રોજ NCERT દ્વારા એક નોંધ જાહેર કરવામાં આવી છે.

વાસ્તવમાં NCERTએ કોરોના મહામારીને ધ્યાને રાખતા પાઠ્યપુસ્તક યુક્તિકરણ યોજના અંતર્ગત ધોરણ 12માંના અભ્યાસક્રમમાં સંશોધન કરતી વેળાએ આ નિર્ણય લેવાયો છે. ગુજરાતના રમખાણોની સાથે-સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે.

વાસ્તવમાં NCERT એ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પાઠ્યપુસ્તક તર્કસંગત યોજના અંતર્ગત ધો. 12ના અભ્યાસક્રમમાં સુધારો કરીને આ નિર્ણય લીધો છે. આ સંદર્ભે ગુરુવારના રોજ NCERT દ્વારા એક નોંધ જાહેર કરવામાં આવી છે. જે મુજબ આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા CBSE ના 2022-23 શૈક્ષણિક અભ્યાસક્રમ હેઠળ પહેલેથી જ દૂર કરવામાં આવેલી સામગ્રી પણ અભ્યાસક્રમની બહાર રહેશે.

જુઓ શું હતું અભ્યાસક્રમ સામગ્રીમાં ?

NCERT દ્વારા 12માં પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં કરાયેલા સુધારા અંગેનો એક ખાનગી ન્યુઝપેપરે અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે અનુસાર, પાઠ્યસામગ્રીના આ ગુજરાતના રમખાણો એવું દર્શાવે છે કે સરકારી તંત્ર પણ કોમી લાગણી પ્રત્યે સંવેદનશીલ થઇ જાય છે. આ ઉદાહરણો ગુજરાતની જેમ આપણને રાજકીય હેતુઓ માટે ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરવામાં સામેલ જોખમો વિશે ચેતવણી આપે છે અને લોકશાહી રાજકારણ માટે ખતરો ઊભો કરે છે. એવું એક પેરેગ્રાફમાં કહેવાયું છે કે જેને હટાવી દેવાયો છે.

આ સાથે અભ્યાસક્રમમાંથી તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવેદનને પણ હટાવી દેવામાં આવ્યું છે. “મુખ્યમંત્રી (ગુજરાતના) ને એક સંદેશ છે કે તેઓએ ‘રાજધર્મ‘નું પાલન કરવું જોઈએ. એક શાસકે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે તેની પ્રજા વચ્ચે ભેદભાવ ન કરવો જોઈએ.”

આ વિષયને પણ હટાવવામાં આવ્યો :

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, NCERTએ ધોરણ 12માંના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી ગુજરાતના રમખાણો તેમજ અન્ય વિષયોને હટાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદાસ્પદ વિષયોનો પણ સમાવેશ કરાયો છે. પુસ્તકમાં “નક્સલી આંદોલન”ના ઇતિહાસના પેજની સંખ્યા 105 અને “ઇમરજન્સી દરમિયાન વિવાદ” પેજ સંખ્યા 113-117માં સામેલ હતાં.

NCERTએ પોતાની નોંધમાં કહ્યું કે, ‘કોરોના મહામારીને જોતા વિદ્યાર્થીઓ પર વિષયનો ભાર ઓછો કરવો જરૂરી છે. એ જ હેતુ માટે અપ્રસ્તુત વિષયોને દૂર કરવામાં આવ્યા. આ સિવાય  NCERTએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પણ આની પર ભાર મૂકે છે. આ પૃષ્ઠભૂમિમાં, NCERT એ તમામ વર્ગો માટે પાઠ્યપુસ્તકોને તર્કસંગત બનાવવાની કવાયત હાથ ધરી છે.’

છોલે ભટુરે ખાનારા સાવધાન! આવી ઘટના તમારી સાથે ન બને…

0

Beware of Chhole Bhature eaters

  • છોલે ભટુરેમાં ગરોળીઃ એક વ્યક્તિએ ચંદીગઢના એક ફૂડ આઉટલેટ પર છોલે-ભટુરેનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે તેણે અડધાથી વધુ ખોરાક ખાધો ત્યારે તેણે એક બેભાન ગરોળી જોઈ. તે

ચંદીગઢના (Chandigarh) એલાન્ટે મોલના સાગર રત્ન આઉટલેટમાં (Sagar Ratna outlet of Alante Mall) પીરસવામાં આવતા છોલે-ભટુરેની પ્લેટમાં એક ગરોળી (Lizard) મળી આવી હતી. ઘટના પછી, ખાદ્ય અને સલામતી અધિકારીઓની એક ટીમે સાગર રત્ન આઉટલેટની મુલાકાત લીધી અને ખાદ્યપદાર્થોમાંથી નમૂનાઓ એકત્રિત કર્યા. સંબંધિત અધિકારીઓએ કહ્યું કે સેમ્પલ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં (Sample Food Testing Laboratory) મોકલવામાં આવ્યા છે અને આગામી 15 દિવસમાં રિપોર્ટ આવશે.

છોલે-ભટુરામાં મૃત ગરોળી મળી :

આરોગ્ય વિભાગે મીડિયાને જણાવ્યું હતું કે, “માહિતી મળ્યા પછી તરત જ, ખાદ્ય અને સુરક્ષા અધિકારીઓની એક ટીમે સાગર રત્ન આઉટલેટની મુલાકાત લીધી હતી અને જે ખાદ્યપદાર્થોમાં ગરોળી મળી આવી હતી તેમાંથી નમૂના એકત્ર કર્યા હતા.” સેમ્પલ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને આગામી 15 દિવસમાં રિપોર્ટ આવશે. આ પછી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

જુઓ વિડિયો –

ટ્વિટર પર વીડિયો શેર કરીને ફરિયાદ કરી છે :

આ ઘટનાનો વીડિયો એક ટ્વિટર યુઝરે શેર કર્યો હતો જેણે દાવો કર્યો હતો કે ભટુરાની અંદર ગરોળી બેભાન અવસ્થામાં મળી આવી હતી. યૂઝરે ટ્વીટમાં લખ્યું, ‘14.6.22ના રોજ સાગર રતન, ફૂડ કોર્ટ, એલાન્ટે મોલ, ચંદીગઢમાં ખૂબ જ ભયાનક અનુભવ થયો. ભટુરેની અંદર એક મૃત ગરોળી મળી આવી હતી. @DgpChdPolice ને ફરિયાદ કરી છે, તેઓએ ખાદ્ય આરોગ્ય વિભાગ ચંદીગઢ દ્વારા નમૂના જપ્ત કર્યા છે. દરમિયાન, Elante ના પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે સ્વચ્છતા અને આશ્રયદાતાઓની સલામતી અત્યંત મહત્વની છે અને આવી ઘટનાઓ ટાળવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આશ્રયદાતાઓની સ્વચ્છતા અને સલામતી અત્યંત મહત્વની છે અને આવી ઘટનાઓ ટાળી શકાય તે માટે અમે તમામ જરૂરી પગલાં લઈશું અને ફૂડ કોર્ટમાં ફૂડ સેફ્ટી ઓડિટમાં અધિકારીઓને મદદ કરીશું.”

ગુજરાતમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ : ISIS સાથે સંપર્કમાં હતા ચાર વ્યક્તિ, ATSની તપાસમાં ખુલાસો

Terror module exposed in Gujarat

  • PM મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે તે પહેલા ગુજરાત ATS દ્વારા આતંકી મોડ્યુલને ઝડપી પાડવામાં આવ્યું છે.

આજે સાંજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ પ્રવાસમાં આવતીકાલે પ્રધાનમંત્રી વડોદરા જવાના છે. પ્રધાનમંત્રી વડોદરા પહોંચે તે પહેલા ગુજરાત ATS દ્વારા આતંકી મોડ્યુલને ઝડપી પાડવામાં આવ્યું છે.આ આતંકી મોડ્યુલને લઇ ATS દ્વારા રાજ્યમાં વડોદરાના 2, ગોધરાનો 1 અને અમદાવાદ દાણીલીમડાના 1 વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. વડોદરાથી ડૉ. સાદાબ અને સાબિહાની જ્યારે ગોધરાથી ઇશાક અને દાણીલીમડાથી પટણીની અટકાયત કરાઇ છે.આ તમામ લોકો ISISના હેન્ડલર્સના સંપર્કમાં હોવાની આશંકા છે.

IPLમાં ગુજરાતને ચેમ્પિયન બનાવનારને ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળતા ભાવુક થયો

0

Gujarat the champion

  • પ્રથમ સિઝનમાં જ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવનાર રાહુલ ટીઓટિયાને આયર્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમમાં તક આપવામાં આવી ન હતી.આ રીતે સાઇડલાઇન થવાથી તેવટિયા નિરાશ છે.

BCCI એ આયર્લેન્ડ (Ireland) સામેની બે મેચની T20I શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય બોર્ડના પસંદગીકારોએ IPLમાં ગુજરાત ટાઈટન્સને (Gujarat Titans) ચેમ્પિયન બનાવનાર કેપ્ટન હાર્દિક પંડ્યાને આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવ્યો હતો. રાહુલ ત્રિપાઠીને (Rahul Tripathi) પણ આયર્લેન્ડના પ્રવાસે જનારી 17 સભ્યોની ટીમમાં તક મળી હતી, સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસને પણ વાપસી કરી હતી, પરંતુ પ્રથમ સિઝનમાં જ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવનાર રાહુલ તેવટિયાની (Rahul Tewatia) પસંદગી કરવામાં આવી ન હતી. તેવટિયા પસંદગીકારો દ્વારા આ રીતે સાઇડલાઇન થવાથી નિરાશ છે.

ટીમ ઈન્ડિયામાં પસંદ ન થવાથી તેવટિયાનું દર્દ બહાર આવ્યું હતું :

તેવટિયાએ ટ્વિટર પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું. તેણે અંગ્રેજીના માત્ર બે શબ્દોમાં પોતાની વ્યથા વ્યક્ત કરી છે. તેવટિયાએ ટ્વિટર પર લખ્યું, ‘અપેક્ષા હર્ટ્સ’ એટલે કે ‘અપેક્ષા હર્ટ્સ’. IPL 2022માં ગુજરાત માટે ફિનિશર તરીકે તેવટિયાએ વિસ્ફોટક પ્રદર્શન કર્યું હતું. તેણે 16 મેચમાં 147.62ની સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા. પંજાબ કિંગ્સ સામેની મેચમાં તેવટિયાએ છેલ્લા બે બોલમાં બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. સિઝનની બે મેચમાં આ ડાબા હાથના બેટ્સમેને એકલા હાથે ગુજરાતને પરાજય અપાવ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં તક ન મળવાની નિરાશા સમજી શકાય તેવી છે.

ટીમ ઈન્ડિયા આયર્લેન્ડના પ્રવાસે છે :

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટ), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આર બિશ્નોઈ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

હરિયાણા : ડેરા સચ્ચાનાં પ્રમુખ રામ રહીમને મળ્યાં પેરોલ, 1 મહિના માટે જેલની બહાર રહેશે ; જાણો ક્યાં રહેશે  

0

Ram Rahim President of Dera Sacha

  • રામ રહીમ શુક્રવારે સવારે જેલમાંથી બહાર આવ્યો હતો અને ભારે સુરક્ષા વચ્ચે તેને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પેરોલના સમયગાળા દરમિયાન તે યુપીના બાગપત આશ્રમમાં રહેશે. આ પેરોલનો સમયગાળો એક મહિનાનો રહેશે.

હરિયાણાના (Haryana) ડેરા સચ્ચા સૌદાના (Dera true deals) વડા રામ રહીમને (Ram Rahim) પેરોલ આપવામાં આવ્યો છે. રોહતકની સુનારિયા જેલમાં (Sunaria Jail) બંધ ગુરમીત રામ રહીમને જેલ વિભાગ દ્વારા પેરોલ આપવામાં આવ્યો છે. શુક્રવારે સવારે રામ રહીમને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો છે અને ભારે સુરક્ષા વચ્ચે રામ રહીમને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પેરોલના (Parole) સમયગાળા દરમિયાન તે યુપીના બાગપત આશ્રમમાં રહેશે. આ આશ્રમ બાગપતના (Baghpat) બરનાવા ગામમાં આવેલો છે અને રામ રહીમનો કેમ્પ હશે. હરિયાણા સરકાર દ્વારા રામ રહીમને એક મહિના માટે પેરોલ આપવામાં આવ્યો છે.

આ પહેલા હરિયાણા સરકારે ફેબ્રુઆરીમાં રામ રહીમને 21 દિવસની પેરોલ મંજૂર કરી હતી. આ દરમિયાન સરકારે રામ રહીમને Z+ સુરક્ષા પૂરી પાડી હતી એમ કહીને કે તેમના જીવને ખતરો છે. ફર્લો દરમિયાન, રામ રહીમ મોટાભાગનો સમય તેમના ગુરુગ્રામ આશ્રમમાં રહ્યો હતો.

રામ રહીમને 25 ઓગસ્ટ 2017ના રોજ સ્પેશિયલ CBI કોર્ટે બે સાધ્વીઓના યૌન ઉત્પીડનના કેસમાં સજા સંભળાવી હતી. પંચકુલામાં હિંસા બાદ રામ રહીમને સુનારિયા જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારથી તે જેલમાં છે. આ પછી તેને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં પણ સજા સંભળાવવામાં આવી હતી.

રામ રહીમ ઘણી વખત જેલમાંથી બહાર આવ્યો હતો :

તમને જણાવી દઈએ કે રામ રહીમ અત્યાર સુધી ઘણી વખત જેલમાંથી બહાર આવી ચૂક્યો છે. ગયા વર્ષે 12 મે 2021ના રોજ ડેરા પ્રમુખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન રામ રહીમને 48 કલાક માટે પેરોલ મળ્યો હતો. તેણે ગુરુગ્રામમાં તેની બીમાર માતાની મુલાકાત લીધી હતી. આ પછી, 3 જૂન 2021 ના ​​રોજ, ફરીથી તપાસ માટે PGIMS લાવવામાં આવ્યું. 6 જૂને પણ તેને સારવાર માટે ગુરુગ્રામની મેદાંતા મેડિસિટીમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન : શાહબાઝ-ઈમરાન કરતાં પણ તેમની પત્નીઓ અમીર, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

His wives are richer than Shahbaz

  • ઈમરાન ખાન (Imran) બાદ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના (Nawaz Sharif) ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્નીઓ પાસે પોતપોતાના પતિ કરતા વધુ સંપત્તિ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ પાસે જેટલી સંપત્તિ છે તેના કરતા તેની પત્ની પાસે વધુ સંપત્તિ છે.

11 એપ્રિલ 2022ના રોજ, શાહબાઝ શરીફ (shahbaz sharif) પાકિસ્તાન (Pakistan) ના 23મા વડાપ્રધાન (Prime Minister of Pakistan) બન્યા. તેઓ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની પાસે 10 કરોડ 42 લાખ 10 હજાર રૂપિયાની સંપત્તિ છે. તેમના પર 14 કરોડ 17 લાખ 80 હજાર રૂપિયાની સંપત્તિ છે.

 ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (imran khan) પાસે છ મિલકતો છે, જેમાં સૌથી મુખ્ય 300 કનાલી વિસ્તારમાં બનેલ વિલા 'બનીગાલા' છે. આ સિવાય તેમની પાસે વારસામાં મળેલી મિલકત પણ છે, જેમાં લાહોરના જમાન પાર્કમાં એક ઘર, બિન-ખેતીની જમીન અને લગભગ 600 એકર ખેતીની જમીનનો સમાવેશ થાય છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પાસે બે લાખ રૂપિયાની કિંમતના ચાર બકરા છે. તેની પ્રથમ પત્ની જેમિમા છે, જેની સાથે તેમણે છૂટાછેડા લીધા છે. (ફોટો ક્રેડિટ્સ - રોઇટર્સ)

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (imran khan) પાસે છ મિલકતો છે, જેમાં સૌથી મુખ્ય 300 કનાલી વિસ્તારમાં બનેલ વિલા ‘બનીગાલા’ છે. આ સિવાય તેમની પાસે વારસામાં મળેલી મિલકત પણ છે, જેમાં લાહોરના જમાન પાર્કમાં એક ઘર, બિન-ખેતીની જમીન અને લગભગ 600 એકર ખેતીની જમીનનો સમાવેશ થાય છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પાસે બે લાખ રૂપિયાની કિંમતના ચાર બકરા છે. તેની પ્રથમ પત્ની જેમિમા છે, જેની સાથે તેમણે છૂટાછેડા લીધા છે.

 30 જૂન, 2020 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) સમક્ષ ફાઇલ કરવામાં આવેલી મિલકતની વિગતો અનુસાર, નુસરત શાહબાઝ તેમના પતિ વડાપ્રધાન શાહબાઝ શરીફ કરતાં વધુ અમીર છે અને તેમની પાસે 23 કરોડ 2 લાખ 90 હજાર રૂપિયાની સંપત્તિ છે. લાહોર અને હજારા ડિવિઝનમાં તેમની પાસે નવ કૃષિ મિલકતો અને એક-એક મકાન છે.

30 જૂન, 2020 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) સમક્ષ ફાઇલ કરવામાં આવેલી મિલકતની વિગતો અનુસાર, નુસરત શાહબાઝ તેમના પતિ વડાપ્રધાન શાહબાઝ શરીફ કરતાં વધુ અમીર છે અને તેમની પાસે 23 કરોડ 2 લાખ 90 હજાર રૂપિયાની સંપત્તિ છે. લાહોર અને હજારા ડિવિઝનમાં તેમની પાસે નવ કૃષિ મિલકતો અને એક-એક મકાન છે.

 ઈમરાન ખાન પાસે ન તો કોઈ વાહન છે કે ન તો પાકિસ્તાનની બહાર કોઈ મિલકત છે. પાકિસ્તાની વિદેશી ચલણ ખાતામાં USD 329,196 અને 518 પાઉન્ડ સ્ટર્લિંગ ઉપરાંત બેંક ખાતાઓમાં 60 મિલિયનથી વધુ રૂપિયા છે. પરંતુ ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી પાસે 14 કરોડ 11 લાખ 10 હજાર રૂપિયાની સંપત્તિ છે. તેની પાસે બનીગાલામાં એક ઘર અને એક વાહન સહિત ચાર પ્રોપર્ટી છે.

ઈમરાન ખાન પાસે ન તો કોઈ વાહન છે કે ન તો પાકિસ્તાનની બહાર કોઈ મિલકત છે. પાકિસ્તાની વિદેશી ચલણ ખાતામાં USD 329,196 અને 518 પાઉન્ડ સ્ટર્લિંગ ઉપરાંત બેંક ખાતાઓમાં 60 મિલિયનથી વધુ રૂપિયા છે. પરંતુ ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી પાસે 14 કરોડ 11 લાખ 10 હજાર રૂપિયાની સંપત્તિ છે. તેની પાસે બનીગાલામાં એક ઘર અને એક વાહન સહિત ચાર પ્રોપર્ટી છે.

 પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની બીજી પત્નીનું નામ તેહમિના દુરાની છે. તેહમિના પાસે પણ ઘણી સંપત્તિ છે. તેઓ ખૂબ લક્ઝરી લાઈફ સાથે જીવે છે. જો કે રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા સમયથી તેમની પાસે પાકિસ્તાનમાં માત્ર 57 લાખની સંપત્તિ છે. (Twitter)

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની બીજી પત્નીનું નામ તેહમિના દુરાની છે. તેહમિના પાસે પણ ઘણી સંપત્તિ છે. તેઓ ખૂબ લક્ઝરી લાઈફ સાથે જીવે છે. જો કે રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા સમયથી તેમની પાસે પાકિસ્તાનમાં માત્ર 57 લાખની સંપત્તિ છે.