Home Blog Page 1409

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર સંકટ, આ રહ્યું સુરત આવેલા નારાજ ધારાસભ્યોનું સંપૂર્ણ લિસ્ટ

0

Crisis on Uddhav government

  • મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાત આવી ગયા છે. તેની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે .

શિવસેનાના (Shiv Sena) નેતા સંજય રાઉતે (Sanjay Raute) નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં (Maharashtra) કોઈ રાજકીય ભૂકંપ નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં એકા એક રાજકીય ભૂકંપ આવી છે. શિવસેનાના સીનિયર નેતા અને મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) ઘણા ધારાસભ્યોને લઈને ગુજરાત આવી ગયા છે.

મહારાષ્ટ્રની મહાઅઘાડી સરકારમાં ભંગાણના એંઘાણ થયાં છે :

શિવસેના નેતા એકનાથ શિંદે અમૂક ધારાસભ્યો સાથે સુરતની હોટેલમાં આવ્યા છે. આ તમામ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારમાં કોઈ ભૂકંપ આવશે નહીં. કેટલાક ધારાસભ્યો સુરતમાં છે. જેનો અમે સંપર્ક કર્યો હતો. આ ધારાસભ્યો પરત આવવા માગે છે, પરંતુ તેમની ઘેરાબંધી કરવામાં આવી છે. સુરત ગયેલા તમામ ધારાસભ્યો નિષ્ઠાવાન છે.

એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ બધું બરાબર થઇ જશે – સંજય રાઉત 

શિવસેનાના ખરાબ સમયમાં પણ આ ધારાસભ્યો શિવસેના સાથે રહ્યા હતા. જેથી તમામ ધારાસભ્યો પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે, બધું બરાબર થઇ જશે. કારણ કે, મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે. શિંદે અમારાથી નારાજ નથી, તે અમારા ભાઈ છે. જેથી જે ખૂદને કિંગ મેકર સમજે છે, તે સફળ થશે નહીં.

કયા કયા ધારાસભ્યો સંપર્ક વિહોણા?

  1. એકનાથ શિંદે – કાોપરી
  2. અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ
  3. શંભૂરાજ દેસાઇ – સતારા
  4. સંદિપાન ભૂમરે – પૈઠણ – ઔરંગાબાદ
  5. ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ
  6. ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ
  7. નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા
  8. અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી
  9. વિશ્વનાથ ભોઇર – ~લ્યાણ પશ્ચિમ
  10. સંજય ગાયકવાડ – બુલઢાણા
  11. સંજય રામુલકર – મેહકર
  12. મહેશ સિંદે – કોરેગાંવ – સતારા
  13. શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર
  14. પ્રકાશ અબિટકર – રાધાપુરી – કાોલ્હાપૂર
  15. સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ
  16. જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ
  17. તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ
  18. સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ
  19. રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ
  20. બાલાજી કેકનિકર
  21. ગુલાબરાવ પાટીલ
  22. શંભુરાજ દેસાઈ
  23. ચિંતામણ વણગા
  24. અનિલ બાબર
  25. જ્ઞાનેશ્વર ચૌગુલે
  26. રાયમૂલકર
  27. લતા સોનવણ
  28. યામિની જાધવ
  29. કિશોર અપ્પા પાટીલ

IND vs SA : ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી 2 ખતરનાક બોલર મળ્યા, ભારતના નવા બુમરાહ-શમી હશે

0

Team India got 2 dangerous

  • India vs South Africa: દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ભારતના 2 સ્ટાર બોલરોએ શાનદાર રમત બતાવી. આ ખેલાડીઓના કારણે ટીમ ઈન્ડિયા જીતી.

ટીમ ઈન્ડિયાએ (Team India) સાઉથ આફ્રિકા (South Africa) સામેની સિરીઝમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. જ્યારે ભારતને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે પછી ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર વાપસી કરી અને આગામી બે મેચ જીતી લીધી. ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં 2 ખતરનાક બોલર મળ્યા છે. ભવિષ્યમાં આ બોલરો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનું સ્થાન લઈ શકે છે.

આ ખેલાડી ભવિષ્યમાં બુમરાહ બની શકે છે :

જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં રમી રહ્યો ન હતો તેથી તેના સ્થાને ટીમમાં સામેલ હર્ષલ પટેલે શાનદાર રમત બતાવી. તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ભારત તરફથી હર્ષલ પટેલે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે 4 મેચમાં 7 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા સામેના પ્રદર્શનના આધારે જ તેને T20 વર્લ્ડ કપ માટે જગ્યા મળી શકે છે.

આ ખેલાડીએ પોતાની તાકાત દેખાડી :

મોહમ્મદ શમીની ગેરહાજરીમાં અવેશ ખાને પોતાની રમતથી બધાનું દિલ જીતી લીધું હતું. અવેશ ધીમા બોલ પર ખૂબ જ ઝડપથી વિકેટો લે છે. હવે ટી20 ક્રિકેટમાં ભારતને એવો બોલર મળ્યો છે જે પોતાના દમ પર મેચ જીતી શકે છે. અવેશ ખાન દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ત્રણ T20 મેચમાં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો, પરંતુ ચોથી મેચમાં તેણે ચાર ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

બુમરાહ-શમી બની શકે છે :

મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. તે જ સમયે, હર્ષલ-આવેશની જોડી પણ ભારતીય ટીમ માટે અજાયબીઓ કરતી જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયામાં ભારતીય ઝડપી બોલરોની ફોજ તૈયાર કરવામાં આવી છે. જે વિરોધી ટીમને ખતમ કરવાની શક્તિ ધરાવે છે.

અમદાવાદમાં રહેતી યુવતી અમેરિકામાં જજ બની ! આની પર હાથ રાખી લીધાં શપથ, જાણો કોણ છે આ યુવતી

Young woman living

વિદેશની ધરતી (Foreign land) પર ભારતની વધુ એક દીકરીએ ભારત દેશનું નામ રોશન કર્યું છે. જાનકી વિશ્વમોહન શર્મા જે ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) શ્રી રામ દરબાર પરિવારમાં જન્મેલી ભારતીય મહિલા છે.. જેણે અમેરિકામાં (America) સાતમાં ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ (Permanent Magistrate Judge) તરીકે શપથ લીધા છે. રામ ચરિત માનસ પર હાથ મૂકીને જાનકી શર્માએ શપથ લઈને અમેરિકામાં ભારત દેશનું નામ કર્યું છે. જાનકી શર્માનો અમદાવાદ સાથે પણ નાતો જોડાયેલો છે.

રામાયણ પ્રત્યે નાનપણથી લગાવ :

જાનકીના ભાઈએ કહ્યું શ્રી રામ દરબાર પરિવારમાં અમારો જન્મ થયો છે. મારા દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હોવાથી જાનકી નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટી થઈ છે. જાનકી 1993થી રામાયણના પાઠ કરે છે. રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ ઉપર હાથ રાખીને શપથ લીધા હતા.

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં વિત્યું બાળપણ :

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં જાનકીનું બાળપણ વિત્યું છે. અને મુઝફ્ફનગરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. પરંતુ 1995માં માતા-પિતા અને ભાઈ બહેન સાથે અમદાવાદ આવી ગયા હતા.અમદાવાદમાં જાનકીએ ધોરણ-8 થી ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો…અને 2001માં જાનકી અમેરિકા ગઈ હતી.અને સખત મહેનત બાદ જાનકી અમેરિકામાં જજ બની…

જાનકી શર્મા દેશની દીકરી :

રામાયણ ઉપર હાથ રાખીને જાનકી અમેરિકામાં શપથ લઈ રહી હતી તે સમયે ઘરમાં રામાયણનો અખંડ પાઠ ચાલતો હતો. જાનકીના ભાઈએ કહ્યું—અમારા પરિવારમાં તહેવાર જેવો માહોલ બની ગયો હતો. તેની આ સફળતા માત્ર અમારા માટે જ નહીં પરંતુ ગુજરાત અને દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. હવેથી  જાનકી  માત્ર અમારા પરિવારની દીકરી અને બહેન નહીં પરંતુ હવેથી એ દેશની દીકરી અને બહેન છે.

મોદી સરકારના 75 મંત્રીઓએ દેશના 75 વિવિધ ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્થળો પર યોગ કાર્યક્રમોમાં લીધો ભાગ , જુઓ યોગા કરતાં મંત્રીઓની તસ્વીરો 

75 ministers of Modi government

  • યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં ભારતમાં થઈ હતી અને ત્યારથી આ શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક અભ્યાસે આપણને સ્વસ્થ રાખવામાં તેમજ આપણા સર્વાંગી વિકાસમાં ઘણી મદદ કરી છે. જો તમે તમારા મન અને શરીરને શાંત રાખવા માંગો છો, તો તમારે યોગ માટે સમય કાઢવો જ પડશે.

વિશ્વભરમાં યોગનું (Yoga) મહત્વ અને જાગૃતિ વધારવા માટે દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) છે. આ અવસર પર ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે યોગાભ્યાસ કરી રહ્યા છે. માનવ જીવનમાં યોગના મહત્વને જોઈને વર્ષ 2015થી સમગ્ર વિશ્વમાં 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વર્ષના યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ‘ (Yoga For Humanity) છે. આ થીમને ધ્યાનમાં રાખીને આ વર્ષે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વિશેષ રીતે ઉજવી રહી છે. મોદી સરકારના 75 મંત્રીઓએ દેશના 75 વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસૂર પેલેસમાં યોગ કર્યા હતા. વળી, ગૃહમંત્રી અમિત શાહે નાસિકમાં પવિત્ર જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં યોગ કર્યા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે તમિલનાડુના કોઈમ્બતુરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યારે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર દિલ્હીના લોટસ ટેમ્પલમાં યોગ કર્યા.

રાજનાથ સિંહ (રક્ષામંત્રી)

Image

પિયુષ ગોયલ (કેન્દ્રીય મંત્રી)

Image

ડૉ.મનસુખ માંડવિયા (કેન્દ્રીય આરોગ્ય મંત્રી)

Image

એમ.એલ.ખટ્ટર ( હરિયાણા CM)

Image

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?
ઉલ્લેખનીય છે કે, તેની શરૂઆત વડાપ્રધાન મોદીએ વર્ષ 2014માં કરી હતી. વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદ 11મી ડિસેમ્બર 2014ના રોજ મંજૂરી આપવામાં આવી હતી કે હવેથી દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. જે પછી 21 જૂન 2015 ના રોજ પ્રથમવાર વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.

જુઓ દુનિયાના મહાન વ્યક્તિએ કેવી રીતે ‘યોગ’ દ્વારા છોડ્યા દારુ અને ડ્રગ્સ ?

See how the greatest

રસેલ બ્રાંડ (Russell Brand) એક પ્રામાણિક અને પ્રેરણાદાયી વ્યક્તિ તરીકે ઓળખાય છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ તે એસિડ, હેરોઈન, ડ્રગ્સ અને આલ્કોહોલ જેવી સમસ્યાઓથી ઘેરાયેલો હતો. પરંતુ જ્યારથી તે યોગમાં જોડાયો ત્યારથી તે સમજી ગયો કે તે તેના આત્મા અને હૃદયને ખોટી દિશામાં લઈ જઈ રહ્યો છે. રસેલ બ્રાંડ કહે છે કે – યોગાભ્યાસ દ્વારા, હું પ્રમાણિકતા માટે ઓળખાયો. દરેક ક્ષણે ભગવાનને મળવાથી, હું એક પ્રામાણિકતા અનુભવું છું જે મેં મારા જીવનમાં ક્યારેય અનુભવ્યું નથી.

રસેલે 23 ઓક્ટોબર 2010ના રોજ રાજસ્થાનના રણથંભોર ટાઈગર રિઝર્વમાં પ્રખ્યાત ગાયિકા કેટી પેરી સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમનું કહેવું છે કે હિંદુ ધર્મ માનવ આત્માને મુક્તિનો માર્ગ બતાવે છે. તમને જણાવી દઈએ કે રસેલ 14 વર્ષની ઉંમરે શાકાહારી બની ગયો હતો અને તે દરરોજ કલાકો સુધી ધ્યાન કરે છે અને મંદિરોમાં ભગવાન કૃષ્ણના ભજન ગાય છે. બ્રાન્ડે માંસાહારી ખોરાક પણ છોડી દીધો છે અને સંપૂર્ણપણે શાકાહારી થઈ ગયો છે.

સર્વગ્રાહી કોમેડિયન રસેલ બ્રાંડે યોગ કરીને પોતાની જાતને પુનઃશોધ કરી છે. યોગાએ અભિનેતાને ખોટા રસ્તેથી પાછો લાવ્યો છે. રસેલ ડ્રગ્સ અને એડિક્શન જેવી બાબતો માટે સમાચારમાં હતો. પણ ત્યારથી તેણે યોગનો માર્ગ પસંદ કર્યો. તે આ બધી ખોટી બાબતોથી દૂર થઈ ગયો.

21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે દેશભરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. શરીરને સ્વસ્થ અને રોગોથી મુક્ત રાખવા માટે નિયમિત રીતે યોગાસન કરવાથી ઘણો ફાયદો થાય છે. યોગથી અત્યાર સુધીમાં અનેક લોકોના જીવનમાં સુધારો થયો છે. જે લોકો પોતાના જીવનથી નિરાશ હતા. તેમના માટે પણ યોગ વરદાન સમાન સાબિત થયો છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની તૈયારી, શિવસેનાના 12 ધારાસભ્યો પહોંચ્યા ગુજરાત, ઉદ્ધવે બોલાવી ઈમરજન્સી બેઠક

0

Preparations for political

  • ગઈકાલે વિધાન પરિષદની ચૂંટણીમાં જંગી ક્રોસ વોટિંગ થયું હતું. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ મહા વિકાસ આઘાડી (MVA)ને ફરી એક ઝટકો લાગ્યો છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર રાજકીય ઉથલપાથલના (Political upheaval) સંકેત દેખાઈ રહ્યા છે. સોમવારે એમએલસી ચૂંટણીમાં, ભાજપે શિવસેનાના (Shiv Sena) નેતૃત્વવાળા એમવીએ ગઠબંધનને ફરી એક ઝટકો આપ્યો અને મંગળવારે શિવસેનાના 10-12 ધારાસભ્યો ગુજરાત (Gujarat) પહોંચ્યા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રમવાની તૈયારી ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ કહે છે કે શિવસેનાના 10-12 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે સુરતની હોટલમાં છે. ગઈકાલે વિધાન પરિષદની ચૂંટણીમાં જંગી ક્રોસ વોટિંગ થયું હતું. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ મહા વિકાસ આઘાડી (MVA)ને ફરી એક ઝટકો લાગ્યો છે. જ્યારે ભાજપે એકલા પાંચ બેઠકો જીતી હતી, શિવસેના અને એનસીપીએ બે-બે બેઠકો જીતી હતી.

જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ રાજ્યસભાની ચૂંટણી પછી સતત બીજી વખત એમવીએના આંચકાથી ચિંતિત છે. તેમણે આજે બેઠક બોલાવી છે. ક્રોસ વોટિંગનો ડર વધી ગયો છે કારણ કે શિવસેનાને તેના 55 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને સમર્થન હોવા છતાં માત્ર 52 મત મળ્યા છે.

સુરતની હોટલ ધ ગ્રાન્ડ ભગવતીમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સામે આવ્યું

સુરતની હોટલ ધ ગ્રાન્ડ ભગવતીમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હોટલના 100 મીટર દૂરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં બાલા સાહેબ નેશનલ મેમોરિયલના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીના કાર્યક્રમની એક કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શિંદેનું નામ ન હોતું.

મહત્વનું છે કે, થોડાં દિવસો પહેલાં રાજ્યસભાની ચૂંટણી હતી તેમાં ભાજપ પોતાની રાજ્યસભાની સીટ ન હોવા છતાં તે મહાવિકાસ અઘાડી જે સરકાર છે તેને પછાડીને પોતાની સીટો રાજ્યસભામાં લાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ દાવા કર્યા છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ગમે ત્યારે પડી શકે છે. મહાવિકાસ અઘાડી સરકારના જો 14 જેટલાં ધારાસભ્યો જો સરકારનો સાથ છોડે તો સરકાર પડવાની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઇ રહી છે.

દુષ્કર્મના ઈરાદે આવેલા છ નરાધમોને છોકરીએ એકલા હાથે પાડી દીધા- બધાને એટલા ધોયા કે… -જુઓ LIVE વિડીયો

Lying with evil intent

ખૂબ જ શરમજનક બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં લાખો મહિલાઓ અને છોકરીઓ (Women and girl) દરરોજ જાતીય સતામણીનો ભોગ બને છે. આ જ કારણ છે કે છોકરીઓ હવે હવસખોરો (Havaskhoro) અને ગુંડાઓ સામે લડવા માટે સ્વ-રક્ષણ (Self-defense)ના ક્લાસ લઈ રહી છે. છોકરીઓ હવે પહેલા કરતા વધુ નીડર અને હોશિયાર બની રહી છે.

એવામાં આ દિવસોમાં એક છોકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં સુમસાન રસ્તા પર ચાલી રહેલી એક છોકરી પર દુષ્કર્મ આચરવા આવેલા છ છોકરાઓને સેકન્ડોમાં ઠાર કરી નાખે છે. આ વિડિયો ખરેખર ખુબ અદ્ભુત છે. કારણ કે છોકરીએ જે રીતે બદમાશોને પાઠ ભણાવ્યો, તેઓ તેને જીંદગીભર યાદ રહેશે. આટલું જ નહીં ‘માર્શલ આર્ટ’નો ઉપયોગ કરીને યુવતીએ દરેક નરાધમને એટલા માર્યા કે તમામને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નિર્જન રસ્તા પર એકલી છોકરીને જોઈને છ છોકરાઓએ તેને ઘેરી લીધી. અને પછી તેને પરેશાન કરવાનું શરૂ કર્યું. પરંતુ આ પછી આ છોકરી એવું ઉગ્ર સ્વરૂપ બતાવે છે કે છોકરાઓને છઠ્ઠીનું દૂધ યાદ આવી જાય છે. તમે જોઈ શકો છો કે છોકરી તેમને ફ્લાયકિક વડે સેકન્ડોમાં જમીન પર પછાડે છે અને કેટલાક માર્શલ આર્ટ મૂવ કરે છે. છોકરી એક પછી એક બધા છોકરાઓને કિક-બોક્સિંગ કરી જમીન પર પછાડી દે છે.

PhonePe બાદ Paytmથી મોબાઈલનું રિચાર્જ કરવું મોંઘું થયું , વસૂલવામાં આવશે આટલો ચાર્જ

0

After PhonePe

  • હવે મોબાઈલ વોલેટ Paytm મોબાઈલ રિચાર્જ પર સરચાર્જ વસૂલ કરી રહ્યું છે. આ સરચાર્જ પેટીએમ વોલેટ બેલેન્સ અથવા યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) અથવા બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ મોડ્સ જેવા તમામ ચુકવણી મોડ્સ પર વસૂલવામાં આવે છે.

ડિજિટલ વોલેટ પેમેન્ટ (Digital wallet payment) લોકોને ઘણી સગવડો પૂરી પાડે છે. પરંતુ હવે ડિજિટલ પેમેન્ટ કંપની Paytm એ યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. જો તમે તમારા Paytm એકાઉન્ટ દ્વારા કોઈપણ મોબાઈલ રિચાર્જ કરો છો તો તમારે સરચાર્જ ચૂકવવો પડશે. વાસ્તવમાં હવે મોબાઈલ વોલેટ Paytm મોબાઈલ રિચાર્જ પર સરચાર્જ વસૂલ કરી રહ્યું છે. આ સરચાર્જ પેટીએમ વોલેટ બેલેન્સ (Wallet balance) અથવા યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) અથવા બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ મોડ્સ જેવા તમામ ચુકવણી મોડ્સ પર વસૂલવામાં આવે છે. જે 1 થી 6 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

PhonePe એ પહેલાથી જ Paytm થી મોબાઈલ રિચાર્જ પર સરચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. જે યુઝર પાસેથી Paytm હાલમાં સરચાર્જ વસૂલ કરી રહ્યું છે તે ગ્રાહકોને રિચાર્જ કરતી વખતે સરચાર્જના રૂપમાં સૂચના આપી રહી છે. તે જ સમયે ટ્વિટર પર ઘણા Paytm વપરાશકર્તાઓ દાવો કરે છે કે ડિજિટલ વૉલેટ ચુકવણીએ સુવિધા ફી તરીકે સરચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. મહેરબાની કરીને નોંધ કરો કે આ સરચાર્જ રૂ. 100 થી ઉપરના તમામ વ્યવહારો પર લાગુ થાય છે.

Paytm તેની આવક વધારવા માટે યુઝર્સ પાસેથી સરચાર્જ વસૂલ કરી રહી છે. 2019 માં, Paytm એ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી કે તે UPI અને વૉલેટ સહિત કોઈપણ પ્રકારની ચુકવણી પર ગ્રાહકો પાસેથી કોઈપણ સુવિધા અથવા ટ્રાન્ઝેક્શન ફી વસૂલશે નહીં. Paytm ની જેમ PhonePeએ ઓક્ટોબરમાં સરચાર્જ વસૂલવાનું શરૂ કર્યું. જોકે, PhonePe અને Paytm બંને તરફથી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે તેઓ કયા કારણોસર સરચાર્જ વસૂલ કરી રહ્યાં છે.

21 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને ભોળાનાથની કૃપાથી ધંધામાં મળશે પ્રગતિ, દરેક મનોકામના થશે પૂરી

June 21, 2022, horoscope Gujarat Guardian

મેષઃ- નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણાય. ભાગ્ય સારૂં છે. માતૃપક્ષથી લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ- કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ- દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યને આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ- માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થી મિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ- ધંધામાંથી આવક વધતાં આનંદની અનુભૂતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ- વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ- સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતાં જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકુળતા જણાય. ધાર્મિક આયોજનોમાં પસાર થાય. દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ- નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના-ભાઇ બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ- દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવા-અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવન સાથીનો સહકાર મળે.

મકરઃ- દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ- ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના-ભાઇ બહેનને વાઇરલ ઇન્ફેક્શનથી સાચવવું. દેવું કરવાથી દૂર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ- જુના ગુરૂ-શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુ રોગોથી પરેશાની વધે.

અગ્નિવીરોની ભરતી માટે આર્મીએ બહાર પાડ્યું નોટિફિકેશન, જાણો ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન

0

Army issues notification

Agniveer Recruitment : અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ભારતીય સેનાએ આજે એક મહત્વનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના (Agneepath Yojana) હેઠળ અગ્નિવીરોની (Firefighters) ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જે હેઠળ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન (Online registration) કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ 2022થી શરૂ થશે.

બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં યોગ્યતા શરતો, ભરતી પ્રક્રિયા, વેતન અને ભથ્થાથી લઈને સેવાના નિયમો અંગેની વિગતો છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે joinindianarmy.nic.in પર જવું પડશે. જુલાઈથી સેનાની અલગ અલગ ભરતી શાખાઓ પોત પોતાની રીતે નોટિફિકેશન્સ બહાર પાડશે. રેગ્યુલર કેડેટ અંગે નોટિફિકેશનમાં કહેવાયું છે કે ચાર વર્ષ બાદ પસંદગી પામેલા અગ્નિવીરને આગામી 15 વર્ષ માટે સેનામાં સામેલ કરાશે. આર્મીમાં પણ અગ્નિવીરોને વર્ષમાં 30 રજાઓ મળશે. અગ્નિવીરોને કોઈ મોંઘવારી ભથ્થું કે મિલેટ્રી સર્વિસ પે મળશે નહીં.

એરફોર્સ અને નેવીમાં ભરતીનું શું છે સ્ટેટસ ?

રવિવારે ત્રણેય સેનાઓએ અગ્નિપથ યોજના હેઠળ ભરતીઓમાં તેજી લાવવાની વાત કરી હતી. વાયુસેનાએ કહ્યું કે અગ્નિવીરો માટે રજિસ્ટ્રશન પ્રક્રિયા 24 જૂનથી શરૂ થઈ જશે. તે ઓનલાઈન રહેશે. 24 જુલાઈથી ફેઝ વન ઓનલાઈન એક્ઝામ થશે. પહેલી બેચની ટ્રેનિંગ 30 ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની યોજના છે. નેવીએ કહ્યું કે ભરતી પ્રક્રિયા પર સમગ્ર કામ થઈ ગયું છે. 25 જૂન સુધીમાં જાહેરાત બહાર પડશે. 21 નવેમ્બરના રોજ પહેલી અગ્નિવીરોની બેચ ટ્રેનિંગ સેન્ટર પર પહોંચવાની શરૂ થઈ જશે. મહિલા અગ્નિવીર પણ સામેલ થશે.

સમય પહેલા સેવામુક્ત નહીં :

સેવાનો સમયગાળો પૂરો થયા પહેલા સેવામુક્ત થવાની ‘અગ્નિવીર’ની ભલામણ સ્વીકાર કરાશે નહીં. માત્ર અસાધારણ સંજોગોમાં જ તેની મંજૂરી હશે. સક્ષમ અધિકારીની ભલામણ બાદ જ આમ થઈ શકશે.