Home Blog Page 1403

India vs Ireland : ટીમ ઈન્ડિયામાં 2 વિકેટ કીપર બેટ્સમેનનો સમાવેશ, હાર્દિક પંડ્યા તેને પ્રથમ મેચમાં આપશે તક !

0

India vs Ireland

  • India vs Ireland: ટીમ ઈન્ડિયામાં આયર્લેન્ડ પ્રવાસ માટે બે સ્ટાર વિકેટકીપર સામેલ છે. કેપ્ટન હાર્દિક પંડ્યા આમાંથી એકને તક આપી શકે છે. આ ખેલાડીઓ માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી નાખે છે.

ટીમ ઈન્ડિયા (Team India) આયર્લેન્ડ પ્રવાસ પર બે T20 મેચોની શ્રેણી રમવાની છે. આ કારણે ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાના (Hardik Pandya) હાથમાં છે. આ પ્રવાસ T20 વર્લ્ડ કપની તૈયારીઓના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રવાસમાં ભારતીય ટીમમાં બે સ્ટાર વિકેટ કીપર (Two star wicket keeper) બેટ્સમેન સામેલ છે. આવી સ્થિતિમાં પ્રથમ ટી20 મેચમાં કેપ્ટન હાર્દિક હાર્દિક સ્ટાર ખેલાડીને તક આપી શકે છે.

આ બે વિકેટ કીપર ખેલાડીઓ ટીમમાં સામેલ છે :

આયર્લેન્ડ પ્રવાસ પર દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં શાનદાર રમત દેખાડનાર દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું છે. તે જ સમયે, પસંદગીકારોએ લાંબા સમય પછી સંજુ સેમસનને ટીમ ઈન્ડિયામાં પાછો મેળવ્યો છે. આ બંને ખેલાડીઓ મેચને બદલવાની ક્ષમતા ધરાવે છે. હાર્દિક પંડ્યા સુપરસ્ટાર દિનેશ કાર્તિકને વિકેટકીપિંગની જવાબદારી સોંપી શકે છે. સાથે જ સંજુ સેમસનને મિડલ ઓર્ડરમાં ઉતારવામાં આવી શકે છે.

37 વર્ષનું પુનરાગમન :

જ્યારે બધા દિનેશ કાર્તિકની કારકિર્દી ખતમ થવાનું વિચારી રહ્યા હતા. ત્યારબાદ કાર્તિકે IPL 2022માં RCB ટીમ માટે તોફાની રમત બતાવીને બધાનું દિલ જીતી લીધું. તેણે RCB માટે 16 મેચમાં 330 રન બનાવ્યા હતા. તે ટીમ માટે ફિનિશર તરીકે ઉભરી આવ્યો હતો. આ કારણે તેને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં તક મળી.

ટીમ ઈન્ડિયા માટે બન્યો ફિનિશર :

દિનેશ કાર્તિકે ચોથી T20 મેચમાં 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યું કે દિનેશ કાર્તિક ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બની શકે છે. કાર્તિકની વિકેટકીપિંગ કુશળતા પણ અદભૂત છે. આવી સ્થિતિમાં તે આયર્લેન્ડ પ્રવાસ પર વિકેટકીપર તરીકે જોવા મળી શકે છે.

ફાઈનલમાં રાજસ્થાન પહોંચી હતી :

પસંદગીકારોએ સંજુ સેમસનને એટલી તક આપી ન હતી જેટલી તેઓએ રિષભ પંત અને ઈશાન કિશનને આપી હતી. સંજુએ હંમેશા પોતાની પ્રતિભાના જોરે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે. IPL 2022માં સંજુ સેમસને શાનદાર રમત બતાવી. તેણે IPL 2022ની 17 મેચમાં 458 રન બનાવ્યા હતા. સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સે ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. આવી સ્થિતિમાં તે ત્રીજા નંબર પર રમવાનો મોટો દાવેદાર છે.

યુવા ખેલાડીઓને તક મળી :

ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ આયર્લેન્ડ પ્રવાસ પર ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં ઉમરાન મલિક અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. આ સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી શાનદાર રમત દેખાડનાર રાહુલ ત્રિપાઠીને તક મળી છે.

આ પણ વાંચો –

ખાખીને સેલ્યુટ ! એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી યુવાનનું હાર્ટ પંપીગ કરી બચાવ્યો જીવ,

0

Khaki salute

  • સુરત પોલીસનો માનવતાભર્યો ચહેરો, સુરત પોલીસની મદદથી યુવાનનો બચ્યો જીવ, રસ્તો ક્રોસ કરતી વખતે ઇજાગ્રસ્ત થતા પોલીસ દોડતી આવી ગઇ મદદે

સેવા, સુરક્ષા અને શાંતિ જાળવવાનું કાર્ય કરવું પોલીસની (Police) ફરજ છે. પોલીસ હંમેશા પોતાની ફરજોને લઇને કાર્યશીલ રહે છે. પરંતુ હા માનવતા ક્યારેય ભુલતા નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પરંતુ માનવતારૂપી ફરજ નિભાવવાનું ક્યારેય ન ચૂકે. પછી તે કોરોનાની મહામારી હોય કે પછી સામાન્ય માણસની મુશ્કેલી. આપણે કોરોનાકાળમાં (Coronal period) પોલીસનો માનવતા ભર્યો ચહેરો જોયો જ છે. ભર ઉનાળો હોય કે કકડતી ઠંડી પોલીસ હંમેશા ખડેપગે રહે છે. ત્યારે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો જ્યાં ખાખી વર્દીને સલામ કરવાનું મન થાય.

એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી પોલીસે કર્યુ હાર્ટપંપિંગ :

બન્યું એવું કે સુરતમાં રસ્તો ક્રોસ કરતી વખતે એક યુવાન પડી જતા ઇજાગ્રસ્ત થઇ ગયો.  જોત જોતામાં યુવાનને બચાવવા લોકો ભેગા થઇ ગયા. નજીક ઉભેલો લોકરક્ષક દળનો જવાન પણ તુરંત જ દોડી આવ્યો. યુવકની સ્થિતિ જોઇને તેણે યુવકને  સાઇ઼ડમાં લઇ જઇને હાર્ટ પંપિંગ કરવાનું શરૂ કર્યું.  એમ્બ્યુલન્સને પણ કોલ કર્યો અને જ્યાં સુધી એમબ્યુલન્સ આવી નહી ત્યા સુધી પોલીસ જવાને તે યુવકનું હાર્ટ પંપિંગ કર્યુ.

પોલીસે બચાવ્યો યુવકનો જીવ :

પોલીસ જવાનની આ કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. લોકો આ કામગીરી બદલ પ્રશંસા કરી રહ્યા છે. યુવાનને સમયસર હોસ્પિટલ ખસેડાતા હાલ તેની તબિયત સ્થિર છે. ત્યારે અહીં ખાસ પોલીસ જવાનનો આભાર માનવો રહ્યો. તેમની સમયસૂચકતા અને મદદને કારણે યુવકનો જીવ બચી ગયો.

આ પણ વાંચો –

ગુજરાતમાં તક્ષશિલા જેવી ઘટના થતાં-થતાં બચી, 3 કૉન્સ્ટેબલોએ વિદ્યાર્થીઓને કૂદવાથી રોક્યા

0

Survivors like Takshashila

  • વડોદરામાં ફોનિક્સ સ્કૂલમાં લાગી આગ, શાળામાં ફાયર સેફ્ટીની સુવિધા હતી કે નહી તે એક સવાલ, તમામ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કઢાયા

વડોદરા, 24 જૂન 2022  શુક્રવાર .

ગુજરાતની (Gujarat) શાળાઓમાં ફાયર સેફ્ટીની (Fire Safety) સુવિધાને લઇને અવારનવાર ટકોર કરવામાં આવે છે. શાળામાં ફાયર સેફ્ટીના સાધનો હોવા અનિવાર્ય છે. આ અંગે જે તે શહેરનું તંત્ર કાળજી રાખે તે આવશ્યક થઇ પડે છે. પરંતુ હજી પણ એવી ઘણી શાળા છે જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણે છે. કારણ કે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા નથી. ઠેર ઠેર સ્કૂલના નામે શરૂ થયેલી શિક્ષણની હાટડીઓમાં ફાયર સેફ્ટીને પ્રાધાન્ય આપવામાં આવતું નથી પરિણામે અગ્નિકાંડ (Fire) જેવી ઘટનાઓ બને છે. સુરતની ચકચારી ઘટના તક્ષશિલા અગ્નિકાંડ ભૂલાય એમ જ નથી ત્યારે વડોદરાની એક શાળામાં તક્ષશિલા જેવી જ ઘટના બનતા બનતા રહી ગઇ.

ફોનિક્સ સ્કૂલમાં આગ લાગતા દોડધામ :

વડોદરાની ફોનિક્સ સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. શાળામાં એકાએક શોટ સર્કિટને કારણે આગ લાગતા વિદ્યાર્થીઓ બેગ લઇને ભાગ્યા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. આગને કાબૂમાં લઇને ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

16 દિવસની દીકરીને માના ખોળામાં સળગાવી દેવાઈ : ગોધરા કાંડ પર અમિત શાહે કર્યા મોટા ખુલાસા

0

16-day-old daughter burnt

  • SC એ PM મોદીને 2002 રમખાણોમાં કલીનચીટ મળવાનો મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

નવી દિલ્હી , 25 જૂન 2022 , શનિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ શનિવારે ન્યૂઝ એજન્સી એનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોને પોતાની પ્રતિક્રિઆપતાં જણાવ્યું હતું કે, પીએમ મોદી પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા સાબિત થયા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) કહ્યું હતું કે, 2002 રમખાણોને લઈને ખૂબ મોટા સ્તરે PM મોદી પર આરોપો લગાવાયા હતો અને ખૂબ પ્રચાર કરાયો હતો. 18-19 વર્ષની લડાઈ, દેશના આવા મહાન નેતાએ એક પણ શબ્દ બોલ્યા વિના ભગવાન શંકરની (Lord Shankar) જેમ ઝેરની ગળામાં લઈને તમામ દુ:ખો સામે લડતા રહ્યા અને આજે જ્યારે સત્ય સોનાની જેમ ઝળકી રહ્યું છે. હવે આનંદ આવી રહ્યો છે

PM મોદીને દુ:ખ સહન કરતા મે ઘણા નજીકથી જોયા છે – શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત રમખાણોને રાજકીય ચશ્માથી જોવાયા છે. PM મોદીએ બંધારણનું સન્માન કર્યુ છે. મેં મોદીજીને નજીકથી આ પીડાઓનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી.બધું સત્ય હોવા છતાં પણ અમે  કંઈ કહીશું નહીં.રમખાણોના મામલે મારી પણ પૂછપરછ થઈ હતી. અમિતશાહે વિપક્ષોના આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, અમે દેશભરમાંથી કાર્યકર્તાઓને બોલાવી પ્રદર્શન નહોતા કર્યા .જે લોકોએ મોદીજી પર આરોપ લગાવ્યા છે. તેઓની અંતરઆત્મા છે.તો તેમણે મોદીજીને અને બીજેપીના નેતાઓ પાસે માફી માંગવી જોઈએ.

જે દિવસે ગુજરાત બંધનું એલાન કરાયું હતું તે જ દિવસે અમે સેના બોલાવી લીધી હતી – શાહ

2002 ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહના ખુલાસા આપતાં જણાવ્યું હતું કે, જે દિવસે ગુજરાત બંધનું એલાન કરાયું હતું તે જ દિવસે અમે સેના બોલાવી લીધી હતી. જનતાએ ક્યારેય આરોપોને સ્વીકાર્યા નથી, અમે ક્યારેય ચૂંટણી હાર્યા નથી, હવે તો સુપ્રીમ કોર્ટે પણ આ માન્યું છે. તમેણે ઉમેર્યું હતું કે, તે સમયે એવી વાતો ફેલાવવામાં આવી કે ફાયરિંગ માત્ર મુસ્લિમો માર્યા ગયા, પણ હવે કોર્ટે સ્વીકાર્યું છે કે આવું નથી થયું તમણે વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા પણ તે સમયે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ ઘટનાની ટીકા પણ ન કરી તેમણે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડને કેન્દ્ર સરકારે મદદ કરી હતી.

આ પણ વાંચો –

રાહુલ, સોનિયા સામેની તપાસથી હોબાળો શા માટે? નરેન્દ્ર મોદીએ પણ તપાસનો સામનો કર્યો હતો

ગુજરાતના કોમી રમખાણો સંદર્ભે નરેન્દ્ર મોદીને ૬૦થી વધુ તપાસપંચો, સરકારી, બિનસરકારી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત તપાસ એજન્સીએ પણ કિલનચીટ આપી હતી ઉપરાંત સુપ્રીમે વધુ એક અરજી ફગાવી દઈને નરેન્દ્ર મોદીને વધુ એક વખત કિલનચીટ આપી
 
એક રાજ્યના મુખ્યમંત્રીને તપાસ એજન્સી સામે ઊભા રહેવું પડે એ નાની ઘટના નથી અને છતા નરેન્દ્ર મોદી આવી ઘટનાઓમાંથી પસાર  થયા હતા
 
રાહુલ અને સોનિયા ગાંધી સામે માત્ર કહેવાતી આર્થિક ગેરરીતિની શંકા છે છતાં ડર શા માટે?, જાહેર જીવનમા આવી ઘટનાઓ બનતી જ રહેવાની, અમેરિકા સહિત વિશ્વના નેતાઓ સામે તપાસ અને આક્ષેપ થતા રહ્યા છે
 
 
૨૬ માર્ચ ૨૦૧૦ના એ દિવસે ગુજરાતભરમાં સન્‍નાટો હતો, દેશના અન્ય રાજ્યોની નજર પણ ગુજરાત ઉપર હતી, પ્રચાર માધ્યમોમાં પણ નરેન્દ્ર મોદી છવાયેલા હતા. એક એક પળની ઘટનાથી વાકેફ થવા લોકો કાન સરવા કરીને બેઠા હતા. કારણ કે, ગુજરાતના કોમી રમખાણોની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ‘સીટ’ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂછપરછ કરી રહી હતી.
જે રીતે સમાચારો વહી રહ્યા હતા એ જોતા ‘સીટ’ નરેન્દ્ર મોદીને ચોક્કસ દોષિત ઠેરવશે એવું લાગતું હતું. ઘણાં લોકો તો ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હશે? તેની ગણતરીઓ મુકી રહ્યાં હતા. ‘સીટ’ના અધિકારીઓએ સતત બે દિવસ ગુજરાતના મુખ્યમંત્રીની આકરી પૂછપરછ કરી પરંતુ પરિણામ કંઈ જ મળ્યું નહીં. મોદી વિરોધી છાવણીમાં પક્ષના અને વિપક્ષનાં લોકો હાથ મસળીને ઊભા રહી ગયા.
મામલો ગુજરાતના કોમી રમખાણોનો હતો અને કોમી રમખાણોની ઘટનામાં કોઈ રાજ્યના મુખ્યમંત્રીને સરકારી તપાસ એજન્સીનો સામનો કરવો પડ્યો હોવાની કદાચ આ પહેલી ઘટના હતી. આ અગાઉ બિહારના મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ સામે ઘાસચારા કૌભાંડનો પુરાવા આધારિત કેસ હતો અને લાલુને કોર્ટના કઠેરામાં દોષિત ઠેરવવા ઉપરાંત સજા પણ કરવામાં આવી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ કોમી રમખાણ કરાવ્યાના કોઈ સજ્જડ પુરાવા નહોતા, છતાં તેમની સામે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ સરકારના સલાહકારો ખોટા હતા અથવા તો કોંગ્રેસ નેતાગીરીએ કોઈની સલાહ લીધી નહોતી. અન્યથા એક રાજ્યના મુખ્યમંત્રીને આરોપીના પીંજરામાં ઊભા કરવાની ભૂલ કરી ન હોત.
ગુજરાતમાં અનેક સ્થળોએ કોમી રમખાણો થયા હતા. આ રમખાણોમાં ખરેખર કેટલાં લોકો હોમાઈ ગયા હતા તેનો કદાચ આજે પણ સાચો અંદાજ નહીં હોય. કોમી રમખાણોની અનેક ઘટનાઓ પૈકીની અમદાવાદની એક ઘટનામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત ૬૩ લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. ઘટના અત્યંત હૃદયદ્રાવક હતી. લોકોને ઘરમાં કેદ કરીને સળગાવી દેવાયા હતા. આ ઘટના માનવતાના નામે કલંક હતી. કોઈ પણ ઘટનાની ન્યાયિક તપાસ થવી જ જોઈએ, પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને તપાસ કરવામાં આવે તો અપે‌‌િક્ષત પરિણામો મળતા નથી.
અમદાવાદના જુહાપુરાની ઘટનામાં એક નહીં ૬૩ લોકો બેમોત માર્યા ગયા હતા. પરંતુ આ ઘટનાના મૂળમાં ખરેખર કોણ જવાબદાર હતું તે હજુ સુધી સો ટકા પ્રમાણભૂત થયું નથી. ઘટનાની તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ‘સીટ’એ તપાસનો દોર શરૂ કર્યો અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બબ્બે દિવસ પૂછપરછ કરવામાં આવતાં જાત જાતની અટકળો શરૂ થઈ ગઈ હતી. આમ પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતમાં ભાજપની સરકાર હતી એટલે લોકોએ તર્કનો મારો ચલાવ્યો હતો. પરંતુ કોઈપણ લોકો અપે‌િક્ષત ઈચ્છા કે ધારણા સુધી પહોંચી શક્યા નહોતા.
અલબત દેશમાં અને વિદેશમાં નરેન્દ્ર મોદી માટે જાત જાતની અટકળો વહેતી થઈ હતી, પરંતુ લાંબી તપાસમાં તપાસ એજન્સી એક પણ પુરાવો કે આરોપ મુકી શકી નહોતી.
નરેન્દ્ર મોદીને અગાઉ વારંવાર કિલનચીટ મળી ચૂકી હોવા છતા સુપ્રીમકોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમકોર્ટે ઝાકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી અને કોર્ટે એવી ટીપ્પણી કરી હતી કે પાછલા ૧૬ વર્ષથી માત્ર આ વિષયને જીવતો રાખવા આવી અરજીઓ કરવામાં આવે છે ખરેખર તેનો હેતુ સ્પષ્ટ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે ૬૦થી વધુ તપાસપંચો, સરકારી અને બિનસરકારી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુંક્ત કરાયેલી સ્પેશ્યલ ‌ઇન્સ્વેટીંગેશન એજન્સી ‘સીટ’ની તપાસમાં પણ નરેન્દ્ર મોદીને કિલનચિટ આપવામાં આવી હતી.
સુપ્રીમકોર્ટે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોર્ટની પ્રક્રિયાનો દુરઉપયોગ કરનારાઓ તમામ કોર્ટના કઠેડામાં હોવા જોઇએ.
સુપ્રીમ કોર્ટનો આજનો ચુકાદો આયોજન પૂર્વક નહોતો પરંતુ ‘નેશનલ હેરલ્ડ’ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કરવામાં આવી રહેલી પુછપરછના સમયે જ આવતા કોંગ્રેસ અને મોદી વિરોધીઓ માટે લપડાક બરાબર ગણી શકાય.
એ વાત અલગ છે કે, ત્યાર પછીના વર્ષોમાં દિલ્હીમાં પણ રાજકીય સમીકરણો બદલાયા હતા, પરંતુ પાછલાં કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા રાહુલ અને સોનિયા ગાંધી સામે ‘નેશનલ હેરાલ્ડ’ નામના અખબારની મિલકતોનાં પ્રકરણમાં ચાલી રહેલી ઈડીની તપાસનું શું પરિણામ આવશે એ આજે કહેવું વહેલુ ગણાશે. કારણ કે, મામલો વર્ષો જુનો છે. વળી આખી ઘટનામાં કંઈ થયું હશે તો પણ આર્થિક ગેરરીતિ થઈ હશે. ફોજદારી ધારાનો ભંગ કરાયો હશે કે કેમ એ હવે પછીની તપાસનો દોર કહી શકે.
પરંતુ બંધ થઈ ગયેલા ‘નેશનલ હેરાલ્ડ’ના નામે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે તપાસનો દોર અને તપાસ એજન્સી ‘ઈડી’ સમક્ષ હાજર કરવાની ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય છે. ઘણાં લોકો આ ઘટના રાજકીય નજરથી મુલવી રહ્યાં છે, તો ઘણાં લોકો માટે ઈડીની ઈન્કવાયરી એક પ્રક્રિયાનો ભાગ છે. કારણ કે, આખી ઘટનામાં ખરેખર શું થયું હતું તેનાથી લોકો અજાણ છે.
ગુજરાતનાં રમખાણો અને ગુજરાતના જે તે સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂછપરછને આ ઘટના સાથે કોઈ નિસ્બત નથી પરંતુ જાહેર અને રાજકીય જીવનમાં સત્તા સ્થાને બેઠેલી વ્યક્તિની કોઈ સરકારી એજન્સી પૂછપરછ કરે ત્યારે સ્વભાવિક અપમાનનો ભાવ પેદા થાય.
હાલમાં કોંગ્રેસના નેતાઓ પણ આવી જ ભાવનામાંથી પસાર થતા હશે, પરંતુ સમયની સાથે સાથે ઘણું બધુ ભુલાઈ જતુ હોય છે. આ ઘટના પણ આવતીકાલે ભુલાઈ જશે, પરંતુ રાજકીય શતરંજમાં આવતીકાલે બીજો નવો દાવ રમવામા નહીં આવે એવું કોઈ જ કહી શકાય તેમ નથી.
આ પણ વાંચો –

25 જુન 2022, રાશિફળ : આ રાશિના જાતકો પર રામદેવપીર વરસાવશે કૃપાવર્ષા, દરેક મનોકામના થશે પૂરી

June 25, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આવક વધતાં આનંદની અનૂભુતી વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજીરમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી ધંધામં રાહત રહેશે.

વૃષભઃ- દિવસ દરમ્યાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ- આકસ્મિક ખર્ચ આવી પડે. માનસીક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂં મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ- નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રો ને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ- નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.

કન્યાઃ- ધરમાં આદ્યાત્મિક વાતાવરણ બને . પૂજન અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મી ની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ- ધનહાનિ નો યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારો માં સાવઘાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ- ભાગીદારી તથા પત્નિસુખ માં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.
ધનઃ- દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવક નું પાતું સરભર તતું જણાય. પરિવારના સભ્યો સાથે સંધર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ- દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહ નું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વઘતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાન ની અણધારેલી પ્રગતિ થી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ, હાડકા નબળા થતા જણાય.

કુંભઃ- સાહસ કરવાની ભવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ- પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો –

Urinary Diseases : શું તમારા પેશાબમાં પણ આવે છે ફીણ ? આવા ચિહ્નો દેખાય તો તુરંત ચેતી જજો

Urinary Diseases

  • વારંવાર પેશાબ જવું પડતું હોય, પેશાબમાં બળતરા થતી હોય, પેશાબનો રંગ બદલાઈ જતો હોય, પેશાબમાં ફીણ આવતું હોય કે પછી પેશાબ અટકી અટકીને આવતો હોય આ તમામ લક્ષણો ગંભીર બીમારીના સંકેત આપે છે. તુંરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

પેશાબ સંબંધિત સમસ્યાઓ : પેશાબમાં ફીણ દેખાવુ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ કેટલીકવાર તે ગંભીર રોગ સૂચવી શકે છે. તો ચાલો જાણીએ પેશાબમાં ફીણ કેમ બને છે અને તેના શું કારણો હોઈ શકે છે. પેશાબનો રંગ આછો અથવા ઘેરો પીળો હોય છે. આ રંગ તમારા આહાર અથવા કોઈપણ રોગ અથવા કેટલીક દવાઓના સેવનને કારણે થઈ શકે છે. ઘણી વખત કેટલાક લોકોના પેશાબમાં ફીણ પણ જોવા મળે છે. આની પાછળનાં કારણો ઘણા હોઈ શકે છે. જ્યારે પેશાબમાં ફીણ દેખાય છે, ત્યારે તેને ક્લાઉડી અથવા ફીણવાળું પેશાબ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે પેશાબમાં ફીણ દેખાય તેને મૂત્રાશય ફુલ થવાનો સંકેત હોય છે. આ સ્થિતિમાં, પેશાબ તમારા મૂત્રાશય પર પુશ કરે છે. પરંતુ તેની પાછળ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે પેશાબમાં ફીણ દેખાવાનો અર્થ શું થાય છે અને આવું થાય ત્યારે તમારે શું કરવું જોઈએ.

પેશાબમાં ફીણ દેખાવાની સાથે આ લક્ષણો જોવા મળે છે :

પેશાબ ફુલ ફોર્સમાં આવવાનાં કારણે ફીણ આવે છે. પરંતુ જો તમારા પેશાબમાં ફીણ ખૂબ દેખાવા લાગે છે અને સમયની સાથે તેનુ પ્રમાણ વધતું જાય છે, તો તે કોઈ રોગની નિશાની હોઈ શકે છે. તેથી જો તમને પણ તમારા પેશાબમાં ફીણ દેખાય છે, તો તેની સાથે અન્ય કેટલાક લક્ષણો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આ લક્ષણો તમને ગંભીર બીમારીનું સૂચન કરે છે. જેની તમે સમયસર સારવાર કરાવી શકો.

હાથ, પગ, ચહેરા અને પેટમાં સોજો આવવો, તે કિડનીના નુકસાનની નિશાની હોઈ શકે છે :

– થાક
– ભૂખ ન લાગવી
– ઉબકા
– ઉલટી થવી
– ઊંઘમાં તકલીફ
– ઓછો પેશાબ આવવો
– ક્લાઉડી પેશાબ
– ઘેરા રંગનો પેશાબ

ફીણવાળા પેશાબના કારણો :

જ્યારે તમે પેશાબને લાંબા સમય સુધી રોકી રાખો અને પછી અચાનક તેને પેશાબ કરો છો, ત્યારે વધુ ફોર્સનાં કારણે, પેશાબમાં ફીણ આવે છે. પરંતુ આ ફીણ થોડા સમયમાં ક્લીયર થઈ જાય છે. કેટલીકવાર ફીણની રચના પેશાબમાં પ્રોટીનની વધુ માત્રા સૂચવે છે. પેશાબમાં હાજર આ પ્રોટીન હવાના સંપર્કમાં આવે ત્યારે ફીણ બનાવે છે.

પેશાબમાં ફીણ બનવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે :

ડિહાઈડ્રેશન : જ્યારે કોઈ વ્યક્તિ ડિહાઈડ્રેશન થઈ જાય છે ત્યારે તેના પેશાબનો રંગ ખૂબ જ ઘાટો અને જાડો દેખાય છે. પાણીનું સેવન ઓછુ કરવાના કારણે પ્રોટિન યુરિનમાં ડાઈલ્યૂટ નથી થઈ શકતું. પ્રોટીનમાં એવી પ્રોપર્ટીઝ હોય છે, જેના કારણે યૂરિન પાસ થતા સમયે તેમાં ફીણ બને છે. કોઈ વ્યક્તિના હાઈડ્રેટ રહ્યા બાદ પણ પેશાબમાં ફીણ દેખાય છે, તો તે કિડની રોગનું લક્ષણ હોઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ પેશાબમાં સતત ફીણ દેખાય તો તે પ્રોટીન્યૂરિયા સૂચવે છે. જે કિડની રોગનું પ્રારંભિક લક્ષણ છે.

ડાયાબિટીસ :

શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાને કારણે એલ્બુમિન પણ હાઈ લેવલમાં કિડનીમાં પસાર થાય છે. જેના કારણે પેશાબ ફીણવાળો દેખાય છે. આ લક્ષણો ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં પણ જોવા મળે છે.

– ઝાંખી દ્રષ્ટિ
– મોંઢુ સુકાવુ
– સતત તરસ લાગવી
– વારંવાર પેશાબ થવો
– ભૂખ લાગવી
– ત્વચામાં ખંજવાળ થવી

જો તમને પેશાબમાં ફીણ દેખાય તો શું કરવું :

આ માટે તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડૉક્ટર તમારી પેશાબની તપાસ કરશે. જેમાં તમારા પેશાબમાં હાજર પ્રોટીનની માત્રા જોવા મળે છે. આ સિવાય ડોકટરો પેશાબમાં હાજર પ્રોટીનને ક્રિએટિનીન સાથે પણ સરખાવે છે. પેશાબમાં પ્રોટીન ક્રિએટિનીન કરતાં વધુ હોય તો કિડનીની બિમારી સૂચવે છે.

આ પણ વાંચો –

આ 2 મોટી સરકારી બેંકો વેચવાની તૈયારીમાં ! સરકારે કરી છે ખાસ તૈયારી, શું આમાં તમારું ખાતું નથી ?

0

These 2 big government banks

  • બેંક ખાનગીકરણ: નાણામંત્રીએ ફેબ્રુઆરી 2022 માં બજેટ રજૂઆત દરમિયાન બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણની દરખાસ્ત કરી હતી. જો કે આ અંગે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સરકાર ફરી એકવાર જાહેર ક્ષેત્રની બે મોટી બેંકોના ખાનગીકરણ (Privatization of two big banks) તરફ આગળ વધી રહી છે. હવે હું આ બાબતે મારો રસ્તો સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેને ધ્યાનમાં રાખીને આગામી મહિને શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં (Monsoon session) બેંકિંગ કાયદા સંશોધન બિલ (Banking Law Amendment Bill) લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેના આવ્યા બાદ બેંકોના ખાનગીકરણનું કામ ઝડપથી આગળ વધશે.

સત્તાવાર રીતે જાહેરાત કરી નથી :

નાણા પ્રધાને ફેબ્રુઆરી 2022 માં બજેટ રજૂઆત દરમિયાન બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણની દરખાસ્ત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હિસ્સો 51 થી ઘટાડીને 26 ટકા કરવામાં આવશે :

સરકાર આ બંનેમાં તેનો 51 ટકા હિસ્સો ઘટાડીને 26 ટકા કરવા વિચારી રહી છે. જ્યારે બેંકિંગ લો એમેન્ડમેન્ટ બિલ પસાર થશે ત્યારે જ આ અંગે આગળ વધશે. જોકે, સમયાંતરે સરકારી કર્મચારીઓએ પણ ખાનગીકરણનો વિરોધ કર્યો છે.

સરકારની તૈયારી લગભગ પૂર્ણ :

બે સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે બેંકોના ખાનગીકરણ સાથે જોડાયેલી માહિતી આપી હતી. સૂત્રોનું કહેવું છે કે સરકારનું લક્ષ્ય સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછી એક બેંકનું ખાનગીકરણ પૂર્ણ કરવાનું છે.

વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરવામાં આવશે :

ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, નીતિ આયોગે ખાનગીકરણ માટે બે PSU બેંકોને પણ શોર્ટલિસ્ટ કરી છે. સતત વિરોધ છતાં સરકારે ખાનગીકરણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. નાણામંત્રીએ ચાલુ નાણાકીય વર્ષમાં વીમા કંપનીના ખાનગીકરણની પણ વાત કરી હતી.

આ પણ વાંચો –

અમિત શાહ ફરીવાર ગુજરાત પ્રવાસે ! 25 જૂનના રોજ કેવડિયાના આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

0

Amit Shah on Gujarat tour

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25 જૂનના રોજ કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠકમાં સામેલ થશે.

નર્મદા , 24 જૂન ૨૦૨૨ , શુક્રવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ફરીવાર ગુજરાત (Gujarat) પ્રવાસે આવશે. 25 જૂનના રોજ કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની (Central Disaster Management Department) બેઠક મળશે. જેમાં અમિત શાહ હાજરી આપશે. આથી અમિત શાહ આજે રાત્રે 10 કલાકે વડોદરા પહોચશે. વડોદરાના (Vadodara) સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ 25 જૂને કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ખાસ બેઠકમાં હાજરી આપવા કેવડિયા જશે.

26મી એ રાત્રે અમદાવાદના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે :

મહત્વનું છે કે, કેવડિયા ખાતે બે વિભાગીય બેઠકમાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે. 26મી એ રાત્રે અમદાવાદ પહોંચી ગૃહમંત્રી તેમના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત સૌથી મહત્વની માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ. પરંતુ એ પહેલાં તમામ પક્ષના લોકોએ પ્રચાર પ્રસારના પડઘમ શરૂ કરી દીધા છે.

કેવડિયામાં કેન્દ્રીય રમતગમત વિભાગની 2 દિવસીય કોન્ફરન્સ :

આજ રોજ કેવડિયામાં નર્મદા ટેન્ટ સિટી-2 ખાતે કેન્દ્રીય રમતગમત વિભાગની 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કરાવ્યો છે. જેમાં રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ દેશના અલગ-અલગ રાજ્યોના રમતગમત મંત્રીઓની ઉપસ્થિતમાં દેશમાં રમાતી રમતો, અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટી, નવા ડેવલોપમેન્ટ બાબતે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો –

Penalty Fee : 1 જુલાઈ પહેલા કરી લો આ કામ નહીં તો ભરવો પડશે 1000 નો દંડ

0

Penalty Fee

  • જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે, તો તેવા લોકોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જો 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે તો આ કામ માત્ર 500 રૂપિયામાં થઈ જશે.

આગામી 1 જુલાઈથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેમાંનો એક નિયમ PANને આધાર સાથે લિંક કરવાનો છે. જો તમે હજી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તો ડબલ પેનલ્ટી ચૂકવતા પહેલા હવે તમારી પાસે એક છેલ્લી તક છે. જો તમે આ તક ગુમાવશો, તો તમારે ડબલ પેનલ્ટી ચૂકવવી પડશે.

ભરવો પડશે આટલો દંડ :

જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે, તો તેવા લોકોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જો 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે તો આ કામ માત્ર 500 રૂપિયામાં થઈ જશે. જેથી ડબલ દંડ ભરવા કરતાં 30 જૂન પહેલાં આ કામ પૂર્ણ કરી લેવું વધુ સારું છે.

લિંક કરવું જરૂરી :

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ પાન-આધારને લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2023 સુધી લંબાવી છે, પરંતુ જેમણે હજી સુધી લિંક કર્યું નથી, તેઓએ પેનલ્ટી ચૂકવવી પડશે. હાલ દંડ તરીકે 500 રૂપિયાની રકમ લેવામાં આવી રહી છે. પરંતુ જો 30 જૂન, 2022 પછી આધાર-પાન લિંક કરવામાં આવે છે, તો દંડની રકમ 1000 રૂપિયા હશે.

PAN Card-Aadhaar Cardને આ રીતે કરો લિંક :

  • આવકવેરા ઈ-ફાઈલિંગના અધિકૃત પોર્ટલ www.incometax.gov.inની મુલાકાત લો.
  • જો તમે અગાઉ તમારા યુઝર આઈડી તરીકે તમારા PANનો ઉપયોગ કર્યો નથી અને પાસવર્ડ સેટ નથી કર્યો, તો તેના પર રજીસ્ટ્રેશન કરો. તમારા લોગીન ઓળખપત્રોનો ઉપયોગ કરીને આવકવેરા પોર્ટલ પર લોગીન કરો.
  • તમને એક પોપઅપ સ્ક્રીન દેખાશે. જો તેમ ન થાય, તો મેન્યુ બારમાંથી પ્રોફાઇલ સેટિંગ્સ પર જાઓ અને ‘લિંક આધાર’ વિકલ્પ પસંદ કરો.
  • હવે એક નવી સ્ક્રીન ખુલશે. નવી સ્ક્રીનમાં આપેલ બોક્સમાં PAN નંબર, આધાર વિગતો, તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • ડિટેલ્સ ચકાસ્યા બાદ, ‘I agree to validate my Aadhaar details’ ઓપ્શન પર ક્લિક કરો. પછી ‘Continue’ વિકલ્પ પસંદ કરો.
  • હવે તમને તમારા રજીસ્ટર્ડ નંબર પર એક OTP મળશે, જેને સ્ક્રીન પર બોક્સમાં દાખલ કરો અને Validate પર ક્લિક કરો. પેનલ્ટી ચૂકવ્યા બાદ હવે તમારું આધાર-પાન લિંક થઈ જશે.
  • પાન કાર્ડ, PAN Card, આધાર કાર્ડ Aadhaar Card, PAN Card-Aadhaar Card Link પાનકાર્ડ-આધાર કાર્ડ લિંક, Income tax ઈન્ક્મટેક્સ

આ પણ વાંચો –