Home Blog Page 1403

મહારાષ્ટ્રના 15 બાગી ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y+ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી

0

provided Y + category

  • મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે 15 બાગી ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y+ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલી રહેલા રાજકીય ઘમાસાણ (Political turmoil) વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતના (Sanjay Raut) સુરમાં પલટો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એકનાથ શિંદે સામે નિવેદનો આપવામાં આવતા હતા પરંતુ હવે સંજય રાઉત દ્વારા બળવાખોરોને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે.

સંજય રાઉતે કહ્યું હતું કે ગુવાહાટીમાં ક્યાં સુધી સંતાઈ રહેશો. ચોપાટીમાં આવવું જ પડશે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે શિવસેનાના 15 બાગી ધારાસભ્યોને વાય પ્લસ (Y+) કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરી છે.

મોદી સરકારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવાની જાહેરાત કરી છે. ધારાસભ્યોની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનોની તૈનાતી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજકીય ખળભળાટ વચ્ચે ઉદ્ધવ અને શિંદે જૂથ પોતપોતાની રીતે તૈયારીઓમાં લાગ્યા છે.

એકનાથ શિંદેને શિવસેના ધારાસભ્ય દળના નેતાના પદેથી દૂર કરવાના મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરના નિર્ણય પર કાયદાકીય સલાહ લીધા બાદ એકનાથ શિંદેનું જૂથ કોર્ટના બારણે ટકોરા મારશે. શિંદે જૂથના કહેવા પ્રમાણે ડેપ્યુટી સ્પીકરની નોટિસનો જવાબ આપવા માટે બળવાખોર ધારાસભ્યોને ઓછામાં ઓછા 7 દિવસનો સમય આપવો જોઈતો હતો.

ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને અયોગ્યતા નોટિસ પાઠવી છે. આ ધારાસભ્યોએ આજે પોતાનો જવાબ આપવાનો રહેશે.

આ પણ વાંચો –

ગુજરાતના 50 તાલુકામાં વરસાદ : રાજકોટમાં વીજળી પડતા LIVE દ્રશ્યો કેમેરામાં કેદ, છૂટી જશે પરસેવો

0

Rain in 50 talukas of Gujarat

  • રાજકોટમાં એક કલાકમાં ધોધમાર 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે. શહેરના રૈયા રોડ, રેસકોર્સ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે.

રાજકોટ

શહેરમાં કાલે બપોરે વાતાવરણમાં (Atmosphere) પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના ગડગડાહટ (Lightning strikes) સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. વીજળીના કડાકાને ભડકાથી શહેરમાં વાતાવરણ ડરામણું બની ગયું હતું. ત્યારે સોશિયલ મીડિયામાં (Social media) હાલ વીજળીનો દિલધડક વીડિયો વાયરલ થયો છે. રાજકોટના હનુમાન મઢી ચોક નજીક લાઇવ વીજળી પડતી કેમેરામાં કેદ થઈ હતી.

રાજકોટમાં એક કલાકમાં ધોધમાર 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે. શહેરના રૈયા રોડ, રેસકોર્સ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે. લોકો વરસાદની મજા લેવા બહાર નીકળ્યા હતા. ભારે બફાર માંથી લોકોએ મુક્તિ મેળવી છે અને શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરના નાણાવટી ચોક અને રામાપીર ચોકડીએ રસ્તા પર એક-એક ફૂટ ભરાઇ ગયા હતા. આથી વાહનચાલકો પણ પરેશાન બન્યા હતા.

આજી-2 ડેમમાં નવા નીરની આવક થઇ છે, જેના કારણે આજી-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ આજી-2 ડેમના 3 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યાં છે. આજી-2 ડેમમાં 2034 ક્યુસેક પાણીના પ્રવાહની આવક થઇ રહી છે જેની સામે હાલમાં ડેમમાંથી 2034 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.

ગુજરાતના 50 તાલુકામાં વરસાદ :

અમદાવાદમાં હાલ ચારેબાજુ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે ગુજરાતના 50 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે વલસાડના ધરમપુરમાં 2 ઈંચ વરસાદ, તાપીના સોનગઢમાં પોણા 2 ઈંચ વરસાદ અને ફતેપુરા અને વઘઈમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો –

IRCTC આપી રહ્યું છે રામેશ્વરમ, કન્યાકુમારી સહિત આ સુંદર જગ્યાઓ ફરવાનો મોકો, જાણો સર્વિસ અને ખર્ચ વિશે

0

opportunity to visit

  • રેલ્વે તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યું છે. આ પેકેજમાં તમને સાઉથમાં ફરવાનો મોકો મળશે.

જો તમે આવનારા દિવસોમાં ક્યાંય પણ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો રેલવે તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં તમને સાઉથમાં ફરવાનો મોકો મળશે. તમે મદુરાઈ, રામેશ્વરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ જેવા સુંદર સ્થળોએ ફરવાની મજા માણી શકો છો. જણાવી દઈએ આ પેકેજ 6 દિવસનું હશે. IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

IRCTCએ  કર્યું ટ્વિટ :

IRCTCએ તેના ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે દક્ષિણની મુસાફરીનો આનંદ માણો. IRCTC એર ટૂર પેકેજની સાથે તમે મદુરાઈ, ત્રિવેન્દ્રમ, વિશાખાપટ્ટનમ અને વધુ બધુ એક્સપ્લોર કરી શકો છો. આ પેકેજ 6 દિવસ અને 5 રાતનું હશે.

ચેક કરો પેકેજની ડિટેલ્સ :

  • પ્રસ્થાન તારીખ – 12 ઓગસ્ટ 2022
  • ફ્લાઇટ ક્યાંથી મેળવવી – વિશાખાપટ્ટનમ એરપોર્ટ
  • કેટલા દિવસનું હશે ટૂર – 6 દિવસ
  • ડેસ્ટિનેશન કવર્ડ – વિશાખાપટ્ટનમ, મદુરાઈ, રામેશ્વરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ
  • કેટલો ખર્ચ થશે – 32350 રૂપિયા પ્રતિ વ્યક્તિ
  • ક્લાસ – કંફર્ટ

કેટલો ખર્ચ થશે ?

પેકેજમાં ખર્ચની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ 43330 રૂપિયા ખર્ચ કરશો. આ ઉપરાંત ડબલ ઓક્યુપેન્સી માટે વ્યક્તિ દીઠ રૂ. 33770, ટ્રિપલ ઓક્યુપન્સી માટે રૂ. 32350 પ્રતિ વ્યક્તિ ખર્ચ થશે. આ સિવાય જો બાળકની ટિકિટની વાત કરીએ તો 2 થી 11 વર્ષ સુધીના ચાઈલ્ડ વિથ બેડ માટે પ્રતિ બાળક 28225 રૂપિયાનો ખર્ચ થશે. ત્યાં જ ચાઈલ્ડ વિધાઉટ બેડ પ્રતિ બાળક 24270 રૂપિયા લેવામાં આવશે.

આ નંબરો પર કરો સંપર્ક :

આ પેકેજ વિશે વધુ માહિતી માટે તમે સત્તાવાર લિંકની મુલાકાત લઈ શકો છો bit.ly/3b72hYp. અહીં તમને આ પેકેજ સંબંધિત તમામ માહિતી મળશે. આ સિવાય તમે ફોન નંબર 8287932318, 8287932227 પર પણ સંપર્ક કરી શકો છો.

પેકેજમાં શું મળશે :

  • આવવા જવા માટે એર ટિકિટ
  • એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા
  • 4 બ્રેકફાસ્ટ અને 5 ડિનર
  • આ ઉપરાંત ગમે ત્યાં જવા માટે એસી વાહનની સુવિધા પણ હશે.
  • ટ્રાવેલ ઈન્શ્યોરન્સ

આ પણ વાંચો –

27 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને ખોડીયાર માતાની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

June 27, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આર્થિક ક્ષેત્રે સફ‍ળતા મળતા. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યો માં પરસ્પર પ્રેમ જળવાશે.નોકરી ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારૂં રહેશે.

વૃષભઃ- કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજના પૂર્ણ વ્ય‌િકતત્વ રહેશે. ધગશ, ઉત્સાહ માં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યકિતઓને પ્રગતિ-સફળતા મળે.

મિથુનઃ- સ્વભાવ જીદ્દી થાય. આવક માં ધટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતી થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂં રહેશે. જીવનસાથી ની તબિયત સાચવવી.

કર્કઃ- દિવસ દરમ્યાન શારિરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્ય ના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહઃ- નાણાંકીય બાબતોથી લાભ સંભવે કુટુંભમાં સુખ શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ રસાયણ ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મન દુઃખન થાય. એ સાચવવું.

ન્યાઃ- આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઇ બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યના શરૂઆત શક્ય બને. નોકરી માં બઢતી તથા ધંધામાં પ્રગ‌િત થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ- બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી ધંધા માં પરિસ્થિતિ સ‌ુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણો નું શુભ ફળ મળતુ જણાય. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ ફળદાયી નિવડે.

વૃશ્ચિકઃ- દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મ‍ળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક. સુસ્તી નો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ- ગઇ કાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહ નો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્ય નું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ- આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારો માં શુદ્ધતા રહે. પરિવાર ના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ- દિવસ દરમ્યાન શકિત સ્ફુર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંભના સભ્યો સાથે વિશ્વાસ નું વાતાવરણ સર્જાય. મવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોથી આવક વધતી જણાય. શરદી – ખાંસી  નો ઉપદ્રવ રહે.

મીનઃ- માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. મવુુ વાહન ની ખરીદી શક્ય બને. સ્ત્રી વર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિ ને ગળાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો –

IND vs IRE T20 : ભારત માટે આ ઓપનિંગ જોડી સાબિત થઈ શકે છે ટ્રમ્પ કાર્ડ, રુતુરાજ ગાયકવાડની જગ્યા ખતરામાં 

0

IND vs IRE T20: Trump card

  • ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 26 અને 28 જૂને બે T20 મેચોની શ્રેણી રમશે. આ શ્રેણી માટે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે અને વીવીએસ લક્ષ્મણ કોચ છે.

આયર્લેન્ડ :

ભારતીય ટીમ 26 અને 28 જૂને ડબલિનમાં આયર્લેન્ડ (Ireland) સામે બે મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. આ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની અંતિમ-11માં શું હશે તે જોવું રસપ્રદ રહેશે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં, રૂતુરાજ ગાયકવાડ (Ruturaj Gaekwad) પાંચેય મેચોમાં ઇશાન કિશન સાથે ઇનિંગ્સની શરૂઆત કરતો જોવા મળ્યો હતો. માત્ર એક મેચમાં તેણે વિશાખાપટ્ટનમમાં (Visakhapatnam) 54 રન બનાવ્યા હતા. તે સિવાય તે ચારેય ઇનિંગ્સમાં કંઇ ખાસ કરી શક્યો નહોતો.

ઋષભ પંત, શ્રેયસ અય્યરને આયર્લેન્ડ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ સૂર્યકુમાર યાદવની ઈજા બાદ ટીમમાં એન્ટ્રી થઈ ગઈ છે. તેથી મિડલ ઓર્ડરની જવાબદારી સુકાની હાર્દિક અને અનુભવી દિનેશ કાર્તિકની સાથે સૂર્યા પર રહેશે. આ સિવાય સંજુ સેમસનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ટીમમાં પણ રમવાનો છે. પરંતુ જો ઓપનિંગ જોડીની વાત કરીએ તો આ સિરીઝમાં પહેલીવાર ભારતીય ટીમે IPLના સ્ટાર ખેલાડીને તક આપી છે.

નવી ઓપનિંગ જોડી મચાવી શકે છે ધમાલ :

જો આ નવી ઓપનિંગ જોડીની વાત કરીએ તો આ ટીમ ઈન્ડિયાને લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન આપશે. અમે વાત કરી રહ્યા છીએ ટીમ ઈન્ડિયાના નવા સ્ટાર રાહુલ ત્રિપાઠીની. રાહુલ અને ઈશાનની આ જોડી આગામી T20માં ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. રાહુલ ત્રિપાઠી પહેલા જ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઈનિંગની શરૂઆત કરતા જોવા મળી ચૂક્યા છે. આ સાથે રુતુરાજને અગાઉની શ્રેણીની તમામ મેચોમાં પણ તક મળી છે. આવી સ્થિતિમાં અમે આ નવી જોડીને મેદાન પર જોઈ શકીએ છીએ.

ઉમરાન અને અર્શદીપને તકની આશા !

દક્ષિણ આફ્રિકા શ્રેણીની પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા બેકફૂટ પર હતી. તે સ્થિતિમાં, કેપ્ટન પંત અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. શ્રેણીમાં 0-2થી પાછળ રહ્યા બાદ ભારતે શ્રેણી 2-2થી બરાબર કરી હતી. પાંચેય મેચમાં ટીમ સમાન પ્લેઇંગ 11 સાથે મેદાનમાં ઉતરી હતી. તે સ્થિતિમાં ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ ભારત માટે પ્રથમ વખત રમવાની આશા રાખીને બેન્ચ પર બેઠા હતા. પરંતુ આ વખતે આયર્લેન્ડ સામે આ ખેલાડીઓનો પણ વારો આવવાની આશા છે. જોવાનું એ રહેશે કે વીવીએસ લક્ષ્મણ અને હાર્દિક પંડ્યાની આ જોડી કયા 11 ખેલાડીઓ પર દાવ લગાવે છે.

આયર્લેન્ડ શ્રેણી માટે ભારતીય ટીમ :

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટમેન), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આર બિશ્નોઈ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

આ પણ વાંચો –

26 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને કષ્ટભંજન દેવની અસીમ કૃપાથી દરેક દુઃખ-દર્દ થશે દુર

June 26, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને.સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધા માં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ- નવા કપડા ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગ‌િ‌ત. આર્થિક સ્થિરતા મળે. ધંધા- રોજગારમં પ્રગતિ થાય. અભિયાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમં ધટાડો જણાય.

મિથુનઃ- આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજાર રાકાણ ટાળવું. કોર્ટ-કચેરી સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ- દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ ‍વધતું જણાશે. ભાઇ-બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂં સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહઃ- અભિમાન માં વધારો થાય. સિઘ્ધાંતવાદી વલણ રહે. ભાઇ – બહેન પરિવારના સભ્યો તરફથી ઓઆનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યકિતથી સાચવવું.

કન્યાઃ- દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો હને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ- સફળતા માટે સંધર્ષ કરવો બનશે. લાંચ રીશવત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળુ રહે. પાચન શકિત મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ- વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફય‌ુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન ધમંડ વધે. સ્ત્રી વર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ- મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવાર માં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ- દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતો થી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમ સંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ- નિર્ણય શકિત વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું.અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ- પરિવાર સાથે જલસો. મન ની ઉચ્ચ કોટીની ભવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રી રોગથી સાચવવું. આકસ્મિક ધનલાભ નો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો –

દયાબેન બનવાના સમાચાર પર રાખી ટંડને મૌન તોડ્યું, કહ્યું- મને બોલવાની ફરજ પડી..

Rakhi Tand broke

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણીના સ્થાન વિશે દરરોજ નવા સમાચાર સાંભળવા મળે છે. છેલ્લા ઘણા દિવસોથી એવા સમાચાર હતા કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશાની જગ્યાએ રાખી ટંડન જોવા મળશે.

નાના પડદાની જાણીતી અભિનેત્રી રાખી ટંડન (Actress Rakhi Tandon) છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. ખરેખર અભિનેત્રી વિશે એવા અહેવાલ છે કે તે ટૂંક સમયમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta ka Ulta Chashma)માં દિશા વાકાનીને (Direction Wakani) રિપ્લેસ કરવા જઈ રહી છે. ચાહકો લાંબા સમયથી દિશાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે લાગે છે કે પુનરાગમન કરવું મુશ્કેલ છે. મેકર્સ ઘણા સમયથી દિશા વાકાણીની જગ્યાએ અભિનેત્રીની શોધમાં હતા.

પરંતુ હજુ સુધી મેકર્સ તેની જગ્યા કોણ લેશે તે કોઈ અભિનેત્રીને ફાઈનલ કરી શક્યા નથી. આવી સ્થિતિમાં દિશાના સ્થાને રાખીનું નામ લેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો રાખી ટંડન દયાબેનનું પાત્ર ભજવતી જોવા મળશે. જો કે જ્યારે આ બાબતે રાખી સાથે વાત કરવામાં આવી તો તેનો જવાબ અલગ જ હતો.

અભિનેત્રી રાખી ટંડને આ અહેવાલોને રદિયો આપ્યો છે કે તે આ શોમાં દયાબેનનું પાત્ર ભજવવાની છે. રાખીએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે ઘણા સમયથી ઓનલાઈન પોતાનું નામ શોધી રહી છે. જો આજ સુધી આ અફવા બંધ નથી થઈ તો મારે બોલવું પડશે.

રાખી ટંડને હમ પાંચમાં સ્વીટી માથુરની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ઘણી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. જેમાં દેખ ભાઈ દેખ, બની અપની બાત, તહકીકત, હીના, ગીત, મધુબાલા, નાગિન 4 અને બીજી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. તે બિગ બોસની બીજી સિઝનમાં પણ સ્પર્ધક રહી ચૂકી છે. એટલું જ નહીં, અભિનેત્રી ક્રિશ 3, મની હૈ તો હની હૈ, ગોલમાલ રિટર્ન્સ અને થેંક યુ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

આ પણ વાંચો –

પારડી પાસે ટ્રકચાલકે જોરદાર ટક્કર મારતા માજી આર્મી મેન થયા શહીદ – ‘ઓમ શાંતિ’

0

Ex-Army man martyred

પારડી (Pardi) ચંદ્રપુર (Chandrapur) પાસે હાઇવે પર ટ્રકે અડફેટે લેતા ઘવાયેલા ચીખલી (Chikhli)ના આર્મી મેનનું વલસાડ (Valsad) કસ્તુરબા હોસ્પિટલ (Kasturba Hospital)માં લાંબી સારવાર પછી મોત નિપજ્યું હતું.

ચીખલી તાલુકાના મિયાઝરી ગોલવડ ફળીયામાં રહેતા BSF આર્મીમાં રીટાયર્ડ થઈ દમણની એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહેલા ગુલાબ સોનુભાઈ ગાયકવાડ ઉ.વ. 52 ગત 15 જૂનના રોજ ચીખલીથી દમણ નોકરીએ જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેમની બાઈકને પારડી ચંદ્રપુર હાઇવે પર પાછળથી ટ્રક નંબર GJ-15- T-1840 ના ચાલકે જોરદાર ટક્કર મારતા બાઈક ટ્રક નીચે આવી ગઈ હતી અને ગુલાબ ભાઇને ગંભીર ઇજા થવાને કારને તેમને સારવાર અર્થે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન 8 દિવસની સારવાર પછી આર્મી મેનનું મોત નિપજ્યુ હતું. રિટાયર્ડ આર્મી મેનના મોતથી પરિવાર તેમજ સગાસંબધીમાં શોકની લાગણી ફરી વળી હતી. હાલ પારડી પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આર્મી મેનનું ટ્રક અડફેટે મોત થતા પરિવાર સહીત ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી

આ પણ વાંચો –

પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં લાગી આગ, આગ લાગતાં લોકોનાં જીવ મુકાયા જોખમમાં 

0

Parimal Garden puts

  • પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં લાગી આગ, જીવ બચાવવા લોકો ધાબે ચઢ્યા

અમદાવાદ

અમદાવાદમાં (Ahmedabad) વધુ એક આગના બનાવ બન્યો છે. પરિમલ ગાર્ડન નજીક દેવ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો છે. કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલી ખાનગી ઓફિસમાં (Private office) આગનો બનાવ બન્યો હતો. ઓફિસના સર્વર રૂમમાં (Server room) આગ હતી. આગની જ્વાળાઓ એટલી ફેલાઈ હતી, કે કોમ્પ્લેક્સમાં આવેલી એપલ હોસ્પિટલમાં ધુમાડો પ્રસરી ગયો હતો. આગ લાગતા જ જીવ બચાવવો લોકો કોમ્પ્લેક્સના ધાબે ચઢી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આગના કોલની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. દેવ કોમ્પ્લેક્સમાંના હોસ્પિટલની સામે ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી હતી. આજ કોમ્પલેક્સમાં હોસ્પિટલ સહિત અન્ય એકમો પણ આવેલા હોવાથી બધા જીવ બચાવવા ભાગ્યા હતા. આગમાં ધુમાડાના ગોટ ગોટા કોમ્પલેક્સની અંદરથી નીકળતા જોવા મળ્યા હતા. જોકે, ખાનગી ઓફિસની આગનો ધુમાડો પાસેની એપલ હોસ્પિટલમાઁ ફરી વળ્યો હતો. જેથી દુકાન પાસેની એપલ હોસ્પિટલમાંથી નવજાત બાળકોને તાત્કાલિક રેસ્ક્યૂ કરાયા હતા.

પ્રાથમિક સ્તરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ તારણ છે. હોસ્પિટલમાંથી તમામ નવજાત બાળકોને તાત્કાલિક અસરથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજા સ્થળે શિફ્ટ કરાયા હતા.

આ પણ વાંચો –

એક નાનકડી સર્જરીનાં કારણે દેશની સૌથી સુંદર યુવતીએ ગુમાવ્યો જીવ, હકીકત જાણીને ચોંકી જશો

You will be shocked

  • ગ્લેસી કોરિયાનું એપ્રિલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના 5 દિવસ બાદ વધુ બ્લીડિંગ અને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તે 2 મહિના સુધી કોમામાં જતી રહી હતી.

ટોન્સિલ્સને (Tonsils) હળવાશથી લેવું જીવલેણ સાબિત શકે છે અને થોડી પણ બેદરકારી તમારો જીવ લઈ શકે છે. આ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 20 જૂન, 2022 ના રોજ એક્સ મિસ બ્રાઝિલ ગ્લેસી કોરીઆનું અવસાન થયું હતું. ટોન્સિલ ઓપરેશન (Tonsil operation) પછી અતિશય રક્તસ્રાવ અને કાર્ડિયાક અરેસ્ટને (Bleeding and cardiac arrest) કારણે ગ્લેસી કોરીયાનું મોત નીપજ્યું હતું. દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના મકાઇના રહેવાસી ગ્લેસી કોરિયાને ઓપરેશનના 5 દિવસ બાદ વધુ બ્લીડિંગ અને હાર્ટ એટેક (Heart attack) આવ્યો હતો. ત્યાર બાદ તે કોમામાં જતી રહી હતી. બે મહિનાથી વધુ સમય કોમામાં રહ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.

પોસ્ટમોર્ટમ પછી મોતનું કારણ જાણી શકાશે :

ગ્લેસી કોરિયાએ એપ્રિલમાં એક ઓપરેશન કરાવ્યું હતું. ગ્લેસીના પરિવારને ઓળખતા પાદરી જેક અબ્રુએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેના સંબંધીઓનું માનવું છે કે તેના ટોન્સિલ્સના ઓપરેશન દરમિયાન ડોક્ટરોની ભૂલ થઇ હતી. આ કારણે તેની તબિયત લથડી હતી અને ગ્લેસીના મોત બાદ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેકેની ફોરેન્સિક મેડિસિન ઇન્સ્ટિટ્યૂટમાં મોકલી આપ્યો છે. હવે તે રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે.

સુંદરતા અને સહાનુભૂતિ માટે હમેશા યાદ કરવામાં આવશે :

ગ્લેસી એક સોશિયલ મીડિયા સ્ટાર હતી અને ઇન્સ્ટાગ્રામ પર તેના 57,000થી વધુ ફોલોઅર્સ હતા. ગ્લેસીએ 2018 માં મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સ બ્રાઝિલ અને મિસ કોસ્ટા દો સોલનો તાજ જીત્યો હતો. ગ્લીસીના મૃત્યુ પછી, મિસ બ્રાઝિલના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે: “ગ્લેસીને તેની સુંદરતા, હાસ્ય અને સહાનુભૂતિ માટે હંમેશા યાદ કરવામાં આવશે.”

લોકોએ સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો :

મંગળવારે ગ્લેસી કોરિયાને પરિવાર અને મિત્રો દ્વારા દફનવિધિ કરવામાં આવી હતી. ગ્લેસીના ફોલોઅર્સે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેંકડો શોક સંદેશાઓ મુક્યા  છે. તેના સોશિયલ મીડિયા પેજ પરની છેલ્લી પોસ્ટમાં હસતી ગ્લેસી કોરિયાનો ફોટો જોવા મળે છે. જેમાં તેઓએ ઈસુ ખ્રિસ્તને ગળે લગાવ્યા છે. કેપ્શનમાં તેણે લખ્યું, “મેં સારી લડત આપી છે, મેં રેસ પૂરી કરી છે, મેં વિશ્વાસ જાળવી રાખ્યો છે.”

આ પણ વાંચો –