Home Blog Page 1399

23 વર્ષીય એથ્લીટે આપઘાત કર્યો, કહ્યું- મેં બળાત્કાર નથી કર્યો, ખોટો કેસ કરીને મને જેલમાં મોકલ્યો

0

jail on false charges

  • એથ્લીટે સ્યુસાઈડ નોટમાં કહ્યું – 19 મહિના જેલમાં રહીને મારી જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હવે મને સરકારી નોકરી પણ નહીં મળે.

ઉત્તરપ્રદેશના (uttar pradesh) મુજફ્ફરનગર (muzaffarnagar) જિલ્લામાં એક એથ્લીટે આપઘાત (athlete suicide)કરતા ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય રાહુલે ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રાહુલ ભૈસીમાં રાયપુર નગલી (Raipur Nagli) ગામમાં રહે છે. પોલીસે મૃતદેહને ઝાડ પરથી ઉતારતા તેના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી છે. પોલીસે આ સ્યુસાઈડ નોટ કબ્જામાં લઈને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. રાહુલ એક એથ્લીટ (Athlete) હતો, તેણે આટલી ઓછી ઉંમરમાં દેશ વિદેશમાં અનેક મેડલ જીત્યા છે.

તે દિલ્હીમાં રહીને ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહ્યો હતો. દિલ્હીમાં રહેતી એક યુવતીના પરિવારજનોએ રાહુલ પર ગંભીર આરોપ મુક્યા હતા. પરિવારજનોએ રાહુલ પર યુવતીને ભગાડી જવાનો અને તેના પર રેપ કરવાનો કેસ કર્યો હતો. આ મામલે દિલ્હી પોલીસ રાહુલને તેના ગામમાંથી ધરપકડ કરીને લઈ ગઈ હતી. રાહુલ 19 મહિના સુધી જેલમાં રહ્યો હતો અને એક મહિના પહેલા જ જામીન પર છુટીને આવ્યો હતો અને ખૂબ જ ડિપ્રેશનમાં હતો.

સ્યુસાઈડ નોટમાં જણાવી આપવીતી :

રાહુલે સ્યુસાઈડ નોટમા લખ્યું છે કે, મારી લાઈફ બેકાર થઈ ગઈ છે. જ્યારથી મારા પર ખોટો કેસ કરીને મને જેલમાં મોકલવામાં આવ્યો, ત્યારથી હું ખૂબ જ ડિપ્રેશનમાં છું. મેં કંઈ જ ખોટુ કર્યું નથી. તે યુવતી મારી મિત્ર જ હતી, તેણે મને જોબ માટે બોલાવ્યો હતો. તેમ છતાં યુવતીના માતા-પિતાએ મારા પર યુવતીને ભગાડી જવાનો અને રેપ કરવાનો આરોપ મુક્યો અને મને જેલમાં મોકલ્યો. 19 મહિના જેલમાં રહીને મારી જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હવે મને સરકારી નોકરી પણ નહીં મળે.

મારા પરિવારનો કોઈ દોષ નથી – એથ્લીટ

જેલમાં ગયા બાદ હું ખૂબ જ ડિપ્રેશનમાં છું આ કારણોસર આ પગલું ભરી રહ્યો છું. હું જે પણ કરું છું મારી મરજીથી કરી રહ્યો છું, આમાં મારા પરિવારનો કોઈ દોષ નથી. યુવતીના માતા પિતાને પૂછપરછ કરવામાં આવે. તેમણે પૈસા માટે મને ખોટી રીતે ફસાવ્યો. પપ્પા મને માફ કરી દેજો, મેં એક એથ્લીટ બનવાનું સપનું જોયું હતું, મેં મહેનત પણ ખૂબ કરી. દેશ વિદેશમાં અનેક મેડલ જીત્યા છે, પરંતુ મારી જિંદગી ખરાબ થઈ ગઈ. મેં તે યુવતી પર રેપ નથી કર્યો. યુવતીએ પણ કહ્યું હતું કે, તેની સાથે કંઈ જ ખોટું થયું નથી, તેમ છતાં મને ખોટી રીતે સજા આપવામાં આવી. આટલા મોટા કલંક સાથે હું નહીં જીવી શકું. તમામ લોકો મારા વિશે ખોટું વિચારી રહ્યા છે. હું કોઈની સાથે વાત કરી શકતો નથી. આ કારણોસર હું જીવન ટૂંકાવી રહ્યો છું. સોરી હું મારા પરિવારને ખૂબ જ પ્રેમ કરું છં.

રાહુલના પિતા મુકેશકુમારે જણાવ્યું કે, રાહુલ ખૂબ જ ડિપ્રેશનમાં હતો. યુવતીના માતા પિતા રાહુલને પૈસા માટે બ્લેકમેઈલ કરી રહ્યા હતા. તે એક મહિના પહેલા જ જામીન પર છુટીને ઘરે આવ્યો હતો. દિલ્હીમાં રહીને તે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો હતો. યુવતીના માતા પિતાએ FIR નોંધાવી હતી. સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, તે યુવતીના માતા પિતાને કારણે તે સ્યુસાઈડ કરી રહ્યો છે. તે લોકો પૈસાની માગણી કરી રહ્યા હતા. આ મામલે અગાઉ પણ 10 લાખ આપ્યા છે અને ખતૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંઘાવી છે.

આ મામલે મુજફ્ફરપુરના SP સિટી અર્પિત વિજયવર્ગીયએ જાણકારી આપી છે. SPએ જણાવ્યું કે, સોમવારે ખતૌલી વિસ્તારમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો –

Alt Newsના પત્રકાર ઝુબેરના ખાતામાં 3 મહિનામાં આવ્યાં 50 લાખ , પોલીસે રૂપિયા ક્યાંથી આવ્યાં તેની તપાસ શરૂ કરી 

0

Alt News reporter Zuber’s

  • Alt ન્યૂઝના પત્રકાર ઝુબેર : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર સેલ યુનિટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે. કયા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા હતા તે પોલીસ શોધી કાઢશે.

દિલ્હી

પત્રકાર અને ઓલ્ટ ન્યૂઝના (Journalist and Alt News) સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની (Mohammed Zuber) સોમવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. મોહમ્મદ ઝુબેર પર ધાર્મિક ભાવનાઓને (Religious spirit) ઠેસ પહોંચાડવાનો આરોપ છે. દરમિયાન ઝુબેર વિશે ખુલાસો થયો છે કે છેલ્લા 3 મહિનામાં તેના ખાતામાં 50 લાખથી વધુ રૂપિયા આવ્યા છે. પોલીસ આ વ્યવહારની તપાસ કરશે.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સાયબર સેલ યુનિટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ આ ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે. કયા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા હતા તે પોલીસ શોધી કાઢશે. સાથે જ એવી પણ માહિતી મળી છે કે ઝુબેરે ઘણું ડોનેશન મેળવ્યું છે, કોણે અને કયા હેતુ માટે આપ્યું તેની પણ તપાસ કરવામાં આવશે.

પોલીસ અધિકારીએ શું કહ્યું ?

આ મહિનાની શરૂઆતમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “ભારતીય દંડ સંહિતાની કલમ 153-એ (આઈપીસી) પત્રકાર ઝુબેર (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) વિરુદ્ધ અને 295-A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય) નોંધવામાં આવ્યા છે.

નોંધનીય છે કે પત્રકાર મોહમ્મદ ઝુબૈર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નુપુર શર્મા અને સાધુઓને ‘નફરત ફેલાવનારા’ કહ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓએ ઝુબેરની ધરપકડને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, જે પણ ભાજપની નફરત, ધર્માંધતા અને જુઠ્ઠાણાનો પર્દાફાશ કરે છે તે તેમના માટે ખતરો છે. સત્યના એક અવાજની ધરપકડ કરવાથી હજારો વધુ અવાજો ઊભા થશે. સત્ય હંમેશા જીતે છે…”

આ પણ વાંચો –

 

આજે જ ગોવા કે સુરત આવી શકે છે એકનાથ શિંદે, ઠાકરે-પવારની તાબડતોબ બેઠકો

0

Eknath Shinde, Thackeray-Pawar

  • સુત્રોના જણાવ્યા અનુસાર શિંદેના જૂથના બળવાખોર ધારાસભ્યોને આજે ગોવા કે સુરત લઈ જવાય તેવી શક્યતા છે. ત્યારબાદ તેઓને આવતીકાલે સીધા મુંબઈ લઈ જવાશે

મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ગરમાવાએ હવે નવો વળાંક લેતાની સાથે બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર શિંદેના જૂથના બળવાખોર ધારાસભ્યોને આજે ગોવા કે સુરત લઈ જવાય તેવી શક્યતા છે. ત્યારબાદ તેઓને આવતીકાલે સીધા મુંબઈ (Mumbai) લઈ જવાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ બળવાખોર નેતા એકનાથ શિંદે જણાવ્યું હતું કે, અમે ફ્લોર ટેસ્ટમાં (Floor test) હાજર રહીશું.

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવોએ હવે નવો વળાંક લીધો  :

રાજ્યપાલે આખરે આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ગઈકાલે માત્ર ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી હતી. ત્યારે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પૂર્ણ થશે.બીજી તરફ, એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં મુંબઈ પરત ફરી શકે છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે.

આજે શરદ પવારના ઘરે NCPની બેઠક :

તો આ તરફ  રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની નોટિસ બાદ મહારાષ્ટ્રમાં હલચલ વધી ગઈ છે. મહાવિકાસ આઘાડી સરકાર પર તોળાઈ રહેલા ખતરા વચ્ચે NCP નેતાઓ આજે સવારે 10 વાગ્યે શરદ પવારને મળશે.

NCPના ચાર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં :

મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મહાવિકાસ આઘાડી સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. NCPના ચાર ધારાસભ્યો છે જે આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં. જેમાં અજિત પવાર, છગન ભુજબળ કોવિડ સંક્રમિત છે. નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં બંધ છે. આ ચાર લોકો આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં હાજર રહી શકશે નહીં.

શિવસેના ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે :

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને ફ્લોર ટેસ્ટની વાત કરી છે. પરંતુ આ નિર્દેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.ઉદ્ધવ જૂથ માંગ કરશે કે ફ્લોર ટેસ્ટ પહેલા 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા સમાપ્ત કરવાનો મામલો પતાવવો જોઈએ. આ અંગેની આગામી સુનાવણી 12 જુલાઈએ થવાની છે.

આ પણ વાંચો –

ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો ખાસ જાણી લેજો : ગુજરાતમાં 5 જુલાઈ સુધી 4 ટ્રેનો રદ્દ, 8ના રૂટમાં કાપ

0

If you want to travel by train

  • સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરનારા લોકોએ એક અઠવાડિયા સુધી વેઠવી પડશે હાલાકી, રાજકોટ-સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકની શરૂ થશે કામગીરી

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ રેલવેમાં મુસાફરી કરતા લોકોને એક અઠવાડિયા સુધી હાલાકી વેઠવાનો વારો આવશે કારણ સૌરાષ્ટ્ર તરફ જતી મહત્વની ચાર ટ્રેનો કેન્સલ (Four trains canceled) કરવામાં આવી છે. રાજકોટ- સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકના કામને કારણે ચાર ટ્રેન હાલ પુરતી રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટ – સુરેન્દ્રનગર સેકશનમાં (Rajkot – Surendranagar section) ખોરાણા રેલવે સ્ટેશન નજીક ડબલ ટ્રેકનાં કારણે ઈલેકટ્રોનિકસ ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના લીધે 28 જૂનથી  તા. 5 જુલાઈ સુધી સૌરાષ્ટ્રનાં રેલવે વ્યવહારને અસર થશે.

4 ટ્રેનો રદ : સૌરાષ્ટ્રના રેલ વ્યવહારને થશે અસર :

રાજકોટ ડિવિઝન હેઠળની ચાર ટ્રેનો આ સમયગાળા દરમિયાન રદ કરવામાં આવી છે જયારે  સોમનાથ એક્સપ્રેસ સહિત 8 ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે. જો કે અચાનક લેવાયેલા આ નિર્ણયને પગલે જે લોકોએ એડવાન્સ બુકિંગ કર્યુ હશે તેવા અનેક મુસાફરોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે.  કઇ ટ્રેન રદ કરવામાં આવી છે તે વિશે વાત કરતા  રાજકોટ રેલવેએ જણાવ્યું હતું કે  જામનગર – વડોદરા ઈન્ટરસિટી તા. 28 જુનથી તા. 4 જુલાઈ સુધી અને રાજકોટ – રીવા એકસપ્રેસ તા. 4 નાં રોજ રદ કરવામાં આવી છે બંને તરફથી આ ટ્રેન રદ કરાઈ છે.

આ ટ્રેનોના રૂટ ટૂંકાવાયા :

આંશિક રદ કરવામાં આવેલી ટ્રેનમાં ઓખા – ભાવનગર, સોમનાથ – અમદાવાદ ઈન્ટરસિટી એકસપ્રૈસ ,  હાપા – મુંબઈ દુરન્તો એકસપ્રેસ, જામનગર – બાંદ્રા હમસફર એકસપ્રેસ બંને તરફની મળી આઠ ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓખા – વારાણસી તા. 30 મીએ રિશેડયુલ કરવામાં આવી છે. ત્રણ ટ્રેન મોડી પડશે તેમાં રિવા – રાજકોટ, તુતીકોરીન – ઓખા  વિવેક એકસપ્રેસ, હાપા – મડગાંવ અને ઓખા – પુરી અને ગોરખપુર – ઓખા, જામનગર – તિરૂનવેલી એકસપ્રેસ 20થી 40 મિનિટ મોડી પડશે.

આ પણ વાંચો –

29 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને ગણપતિજીની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

June 29, 2022, Horoscope Gujarat Guardian

મેષ :
આનંદ ઉત્સાહ પૂર્ણ ‌દિવસ આવકનું પાસુ મજબુત બનતું જણાય. આ‌‌ર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. માતૃસુખમાં વધારો થાય. ‌મિત્રોથી લાભ. પ‌રિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ :
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ‌ચિંતા રહે.

મિથુન :
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ ‌દિવસ. નાના ભાઈ બહેનોની પ્રગ‌તિ થતી જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્ર‌તિકારક શ‌ક્તિ ઘટે. થાક લાગે.

કર્ક :
‌મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્ય‌ક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પ‌ત્નિ સાથે સંબંધો ઉષ્મપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

સિંહ : 
આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના ‌મિત્રોને મળવાનું થાય. ‌મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. ‌વિદ્યાર્થી‌મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગ‌તિ, આવક વધશે.

કન્યા :
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્ય‌ક્તિને સફળતા મળે. માતા-‌પિતા તરફથી શાંત‌‌િ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યા‌‌ત્મ‌‌‌િક પ્રગત‌‌િ અનુભવાશે.

તુલા : 
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતું જમાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃશ્ચ‌‌‌‌િક :
ભાગ્યના બળે આવકમાં વૃદ્ધ‌‌િ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઈ બહેનથી ‌ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર, જંગમ મ‌‌િલકતથી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધન : 
માનસ‌‌‌‌િક અશાંત‌‌િ રહે. નકારાત્મક ‌વિચારો વધતા જણાય. શરદી, ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી ધંધામાં શાં‌તિથી ‌દિવસ પસાર કરવા. ભગવાન ‌શિવની ઉપાસનાથી લાભ થાય.

મકર :
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ, તથા ‌વિશાળ મન રહેશે. ભ‌ક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યો‌તિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું ‌‌‌નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધા‌ર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભ : 
જોમ-જુસ્સામાં વધારો થાય. ‌મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ‌ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.
:મીન :
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગત‌‌િથી આનંદ થાય. ‌વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ‌દિવસ. આદ્યા‌ત્મિક પ્રગતિ  થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. ‌મિત્રોનો સાથ. સહકાર મળતો જણાય.

આ પણ વાંચો –

છેક ગોવા ધક્કો ન ખાતા, ગુજરાતના આ દરિયા કાંઠે ગેલ કરતી ડોલ્ફિનનો VIDEO વાયરલ

0

VIDEO of a dolphin

  • ગુજરાત માહિતી ખાતા દ્વારા એક વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં ઓખાનાં દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિન જોવા મળી રહી છે. આ વીડીયો થોડી જ કલાકોમાં ઘણો વાયરલ થયો છે.

ગુજરાત

આપણું ગુજરાત ઘણાં ફરવાલાયક સ્થળો (Places to visit) માટે જાણીતું છે અને ખાસ કરીને ગુજરાતમાં ચારધામ નું એક ધામ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) પણ આવેલ છે. લોકો દૂર દૂરથી આપણા ગુજરાતના (Gujarat) દ્વારકાના બેઠેલ જગતના તાત એવા દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. એવામાં દ્વારકા પણ પર્યટકનું પસંદીતા સ્થળ બની રહ્યું છે. દ્વારકાની આસપાસ ઘણાં ફરવાલાયક સ્થળો છે જેમાંથી એક છે ઓખા પાસે આવેલ બેટ દ્વારકા (Bat Dwarka). બેટ દ્વારકા એક ટાપુ છે જ્યાં પંહોચવા માટે લોકોએ બોટમાં બેસીને જવું પડે છે અને તેની એક અલગ જ મજા છે.

હાલ બેટ દ્વારકા ત્યાં ફરવા આવેલ પર્યટકોનું પસંદીતા સ્થળ બની રહ્યું છે. કારણકે ત્યાં મંદિરની સાથે સાથે કુદરતની પણ મજા લોકો સારી રીતે માણી શકે છે. ત્યાં આવેલ દરિયો અને દરિયાઈ જીવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હાલ જ ગુજરાત માહિતી ખાતા દ્વારા એક વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં ઓખાનાં દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિન જોવા મળી રહી છે. આ વીડીયો થોડી જ કલાકોમાં ઘણો વાયરલ થયો છે અને લોકો આ વીડીયોને ઘણો પસંદ કરી રહ્યાં છે. જો કે ઓખાના મધદરિયે આવા નજારા ઘણી વખત જોવા મળ્યાં છે. અવારનવાર ઓખાના આ દરિયે ડોલ્ફિન જોવા મળે છે. લાગે છે ડોલ્ફિન જેવાં ઘણાં બીજા દરિયાઈ જીવને ઓખાનો દરિયા કિનારા પરનું વાતાવરણ માફક આવી રહ્યું છે.

લોકો ડોલ્ફિનને દરિયામાં રમતા જોવા માટે ઘણાં પૈસા ખર્ચીને બીજા દેશોમાં જતા હોય છે એવામાં આપણા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓખાના દરિયા કિનારા પાસે વારંવાર ડોલ્ફિન જોવા મળે છે. આ વાયરલ વીડીયો બેટ દ્વારકા પાસે આવેલ હનુમાન દાંડીથી એક કિલોમીટ દૂર એક ટાપુ પરનો છે જ્યાં સમુદ્રમાં ડોલ્ફિન મજાથી હિલ્લોળા લેતી નજર આવી હતી.

ડોલ્ફિન વિશે તમને થોડું જણાવી દઈએ કે ડોલ્ફિનને એકલું રહેવું પસંદ નથી એ હંમેશા સમૂહમાં રહે છે અને એ સમૂહમાં કુલ 10 થી 12 ડોલ્ફિન હોય છે. ડોલ્ફિન 10-15  મિનિટ સુધી જ પાણીની અંદર રહે છે પણ પાણીની અંદર શ્વાસ લઇ શકતી નથી એટલા માટે જ તેને સતત પાણીની બહાર આવીને શ્વાસ લેવો પડે છે.

આ પણ વાંચો –

લગ્ને લગ્ને કુંવારો : 32 વર્ષની વયે એક-બે નહીં 12 લગ્નો કર્યા, પત્નીઓ પાસે કરાવતો હતો ગંદુ કામ

Bachelor of marriage

  • તેણે 12 લગ્નો કર્યા હતા અને એક પત્નીને બીજી પત્નીની ખબર ન પડે તેવી વ્યવસ્થા પણ કરી હતી.

બિહાર

32 વર્ષની વયે 12 વખત લગ્ન ! વાંચીને અશક્ય લાગે ને? પણ આ હકીકત છે. બિહારના (bihar)એક શખ્સે આવું કૃત્ય કર્યું છે. તેણે 32 વર્ષની વયે એક બે નહીં પણ 12 લગ્નો (Marriage) કર્યા છે અને આજે પણ તે પોતાની જાતને કુંવારો (Bachelor) ગણાવે છે ! આ કિસ્સો બિહારના કિશનગંજ પૂર્ણિયાનો (Kishanganj Purnia) છે. જ્યાં શમશાદ ઉર્ફે મુન્નવર નામના શખ્સે અનેક લગ્નો કર્યા હતા અને હજુ પણ પોતાને કુંવારો હોવાનું જણાવી વધુ એક લગ્ન કરવાની ફિરાકમાં હતો. જોકે, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ તેણે કરેલા કુકર્મો પરથી પડદો ઉઠ્યો છે.

સગીરાને ફસાવી અપહરણ કર્યું :

શમશાદ હવસખોર હોવાનું બહાર આવ્યું છે. તેણે 12 લગ્નો કર્યા હતા અને એક પત્નીને બીજી પત્નીની ખબર ન પડે તેવી વ્યવસ્થા પણ કરી હતી. 12-12 લગ્નો કરીને પણ હવસ શાંત ન થતા તેણે સગીર બાળાને નિશાન બનાવી હતી અને લગ્ન કરવાના ઇરાદે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પૂર્ણિયા જિલ્લાના અનગઢ પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ થઈ હતી. તપાસમાં ખબર પડી કે, આરોપી કોચાધામન પોલીસ સ્ટેશન વિસ્તારના અનારકલીનો રહેવાસી છે. આ કેસમાં કિશનગંજ પોલીસની મદદ પણ લેવામાં આવી હતી.

યૂપી લઈ જઈ દેહવ્યાપાર માટે વેચી દેતો :

આ દરમિયાન તેની ધરપકડ થતા પોલીસ સમક્ષ તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ બાબતે એસડીપીઓ અનવર જાવેદે જણાવ્યું હતું કે, શમશાદ આશિક મિજાજનો છે અને તે સરળતાથી યુવતીઓને પોતાની જાળમાં ફસાવી દે છે. ત્યારબાદ લગ્ન કરીને અંતે તેમને યૂપી લઈ જતો હતો અને દેહવ્યાપાર માટે વેચી દેતો હતો. આ રીતે દરેક પત્નીનો સોદો કર્યા બાદ તે અલગ-અલગ વિસ્તારોમાં નવી પત્ની શોધતો હતો.

સાઇકો ટાઇપનો માણસ છે શમશાદ : પોલીસ

આ કેસમાં આરોપીને જેલ હવાલે કરી દેવાયો છે અને આટઆટલા લગ્ન કર્યા હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. આ કેસ અંગે અનગઢના એસએચઓ પૃથ્વી પાસવાને જણાવ્યું કે, 27 નવેમ્બર 2015ના રોજ અનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક યુવતી ગુમ થઇ હતી. સગીરાના પિતાએ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. જેમાં તેણે મહંમદ શમશાદ પર તેની સગીર પુત્રીનું અપહરણ કરી લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં તે ત્યારથી ફરાર હતો, પરંતુ બહાદુરગંજ પોલીસની મદદથી અનગઢ પોલીસે કિશનગંજ જિલ્લામાંથી તેની ધરપકડ કરી હતી.

અનગઢ પોલીસ સ્ટેશનના એસઆઈ શંકર સુમને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં છ મહિલાઓ સાથે લગ્ન કર્યા હોવાની સાબિતી મળી છે. એક મહિલા અનંતનાગ પોલીસ સ્ટેશન વિસ્તારની અને પાંચ કિશનગંજ જિલ્લાની છે. પોલીસના જણાવ્યા અનુસાર 32 વર્ષીય શમશાદ સાઇકો ટાઇપનો માણસ છે. તે યુવતીઓને પ્રેમમાં ફસાવી લગ્ન કરતો હતો.

આ પણ વાંચો –

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ , જાણો શું છે મામલો 

 નવી દિલ્હી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના (Congress President Sonia Gandhi) અંગત સચિવ પીપી માધવન (Personal Secretary PP Madhavan) પર 26 વર્ષીય મહિલાએ દુષ્કર્મનો (Mischief) આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદ પર 25 જૂને કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ઉત્તર નગર પોલીસ સ્ટેશનમાં (Uttar Nagar Police Station) મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે માધવને નોકરી અને લગ્નની લાલચ આપી હતી. હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. પીડિતાના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરી 2022એ આરોપીએ પીડિતાને ઈન્ટરવ્યુ માટે સુંદર નગર સ્થિત એક મકાનમાં બોલાવી. આરોપ છે કે પીડિતાની સાથે ઘણીવાર દુષ્કર્મ કરવામાં આવ્યુ.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન સામે દુષ્કર્મનો આરોપ લગાવનારી પીડિતાએ કહ્યુ છે કે આરોપીએ તેનાથી સત્ય છુપાવ્યુ. માધવનના ફોન કોલથી જ તેને તે પરિણીત હોવાની જાણકારી મળી. પીપી માધવને પહેલા પોતાને છુટાછેટા લીધા હોવાનું જ્ણાવ્યું હતું.

તપાસ દરમિયાન પીડિતાએ પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યુ છે કે પીપી માધવને તેની સાથે લગ્ન કરવાનુ વચન આપ્યું હતું.  તેમણે પોતે છુટાછેટા લીધેલા હોવાનું જ્ણાવ્યું હતું. એક દિવસ પીપી માધવન પીડિતા સાથે ફોન પર વાત કરી રહ્યા હતા તો અચાનક તેમણે કહ્યુ કે તેમની પત્નીને પીડિતા વિશે જાણ થઈ ગઈ છે. પત્નીથી આ વાત છુપાવવા માટે તેઓ હવે ફોનમાં તેનુ નામ બદલીને લખશે, જેથી તેમના આ સંબંધનો ખુલાસો પત્નીની સામે ના થાય. જોકે આ ઘટના બાદથી પીડિતાએ માધવનનો વિરોધ કરવાનુ શરૂ કરી દીધું હતું.

લગ્નનું કહેતા ધમકી આપી :

પીડિતાને જ્યારે માધવન પરિણીત હોવાની જાણ થઈ તો તે પરેશાન થઈ ગઈ. બાદમાં તેણે નક્કી કર્યુ કે માધવને તેને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ છે તો તે લગ્ન કરવા દબાણ કરશે. પીડિતાએ લગ્ન કરવા દબાણ કર્યુ અને ફોન પર વાત કરવાનુ અને મેસેજ કરવાનુ બંધ કરી દીધુ તો માધવન ગુસ્સે થઈ ગયા. પીડિતાનો આરોપ છે કે બાદમાં ગુસ્સામાં માધવને એક શખ્સને પીડિતાના ઘરે મોકલ્યો અને તેને ધમકી આપી કે જો તે વાત નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવતા એ પણ કહ્યુ કે માધવને તેને એક નેતા સાથે સંબંધ બનાવવાનુ પણ કહ્યુ હતુ, જેની તેણે ના પાડી હતી.

પીડિતાનુ કહેવુ છે કે તે ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં સવારે 10 વાગે ફરિયાદ કરવા પહોંચી. આખો દિવસ અધિકારીઓની અવર જવર રહી. મોડી રાતે તેમની ફરિયાદ નોંધવામાં આવી. પીડિતાના જણાવ્યા અનુસાર તેને રાતે 3.30 વાગ્યા સુધી સ્ટેશનમાં રોકવામાં આવી.

મારા વિરુદ્ધ આરોપ પાયાવિહોણા – માધવન :

માધવને પોતાની ઉપર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે રાજકીય બદલાના કારણે તેમની છબીને ખરાબ કરવા માટે તેમની પર આરોપ લગાવાયા છે. અમુક મીડિયા રિપોર્ટના માધ્યમથી તેમને જાણ થઈ છે કે ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ યૌન શોષણનો કેસ નોંધાયો છે. તેઓ 25 જૂને ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં રજૂ થયા હતા અને ઘટનાનુ સ્પષ્ટીકરણ આપ્યુ હતુ. જે બાદ તેમને જવા માટે કહેવામાં આવ્યુ હતુ. મારી પાસે પૂરતા પુરાવા છે કે મારા વિરુદ્ધ કેસ રાજકીય બદલાના કારણે નોંધવામાં આવ્યો છે. આ મને બદનામ કરવાનુ ષડયંત્ર છે.

આ પણ વાંચો –

રોહિતને T20ની કેપ્ટનશીપમાંથી મળી શકે છે રજા ! આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન !

0

Rohit can get leave

  • રોહિત શર્મા ટીમ ઈન્ડિયા : ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા પર કામનો બોજ ઘટાડવાની યોજના બનાવી રહી છે. તેને T20 ક્રિકેટની કેપ્ટનશીપથી હટાવી શકાય છે.:

નવી દિલ્હી

રોહિત શર્મા (Rohit Sharma) હાલ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન (Captain of Team India) છે. વિરાટ કોહલીની જગ્યાએ તેને ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માને ટૂંક સમયમાં T20 ક્રિકેટની કેપ્ટન્સીથી હટાવી શકાય છે. પસંદગીકારોએ નવા કેપ્ટન માટે એક ખેલાડીની પણ પસંદગી કરી છે.

રોહિતને T20ની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવશે :

હાલમાં જ ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે રોહિત શર્માને ટી20 ટીમની કેપ્ટન્સીમાંથી આરામ આપવામાં આવી શકે છે. પસંદગીકારોએ તેની વાત સાંભળી છે. રોહિતના વર્કલોડને ઘટાડવા માટે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર આ મોટો નિર્ણય લઈ શકે છે. રોહિત શર્મા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, પરંતુ કોરોનાના કારણે તે પ્રવાસની પ્રથમ મેચ રમી શકશે કે કેમ, તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

આ ખેલાડી નવો કેપ્ટન બની શકે છે :

ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ હાર્દિક પંડ્યાને T20 ક્રિકેટનો કેપ્ટન બનાવવાનું મન બનાવી લીધું છે. હાર્દિક પંડ્યા હાલમાં આયર્લેન્ડ પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. પસંદગી સમિતિના એક સભ્યએ ઈનસાઈડસ્પોર્ટને જણાવ્યું, “અમે રોહિત શર્માને બદલવાની કોઈ ઉતાવળમાં નથી. પરંતુ તેની સાથે સાથે તેના વર્કલોડને મેનેજ કરવું મહત્વપૂર્ણ છે. તેથી જ હાર્દિક અમારી યોજનામાં છે કારણ કે ભવિષ્યમાં ઘણા ટૂંકા પ્રવાસો હશે અને તે અત્યારે ટેસ્ટ પ્લાનમાં નથી.

સેહવાગે આપ્યું મોટું નિવેદન : 

સેહવાગે ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીના સત્તાવાર પ્રસારણકર્તા સોની સ્પોર્ટ્સ દ્વારા આયોજિત એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “T20માં નવા કેપ્ટન સાથે, રોહિત બ્રેક લઈ શકશે અને ટેસ્ટ અને ODI માટે ફ્રેશ થઈ શકશે. આનાથી તે વર્કલોડને મેનેજ કરી શકશે અને માનસિક થાકનો વધુ સારી રીતે સામનો કરી શકશે. ખાસ કરીને તેની ઉંમરને ધ્યાનમાં રાખીને.

આ પણ વાંચો –

રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઘેટાં બકરાની જેમ ભરેલા 46 લોકોના મૃતદેહ મળી આવતા મચ્યો હડકંપ

The bodies of 46 people packed

  • અમેરિકાના ટેક્સાસના સૈન એન્ટોનિયોમાં મૃતદેહ ભરેલો એક ટ્રક મળ્યો છે. આ ટ્રેક્ટર-ટ્રેલરમાં ઓછામાં ઓછા 46 લોકોના મૃતદેહ મળ્યા છે. આ ઘટના પર પોલીસે હજુ કોઈ ટિપ્પણી કરી નથી.

અમેરિકા

એક ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવતા અમેરિકા (America)માં ખળભળાટ મચી ગયો છે. આ તમામ સ્થળાંતરિત લોકો જણાવવામાં આવી રહ્યા છે. ઘટના અમેરિકાના ટેક્સાસ (Texas) શહેરની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકની અંદરથી 46 લોકોના મૃતદેહ (Corpses) મળી આવ્યા હતા જ્યારે અન્ય 16 લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેક્ટર-ટ્રેલર ટેક્સાસના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત સાન એન્ટોનિયોના નિર્જન (The desolation of San Antonio) રસ્તા પરથી મળી આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે આ લોકો મેક્સિકોની બાજુથી અમેરિકામાં ઘૂસ્યા હતા. સરહદ પારના આવા પ્રયાસોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ આવો કિસ્સો ક્યારેય સામે આવ્યો નથી. તે ટ્રક અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ટ્રકનો ગેટ થોડો ખુલ્લો હતો. તેમાંથી એક મૃતદેહ ટ્રેલરની બહાર પડેલો હતો.

હોસ્પિટલમાં દાખલ 16 લોકોમાં 12 પુખ્ત વયના અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. દર્દીઓના શરીર જાણે ગરમીથી સળગી રહ્યા હતા અને તેમના શરીરમાં પાણીની કમી સ્પષ્ટ દેખાતી હતી. હાલ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ તસ્કરીનો મામલો છે કે નહીં.

પરંતુ સૈન એન્ટોનિયોની પોલીસે હજુ તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. KSAT ના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં પોલીસની ગાડીઓ અને એન્બ્યુલન્સ એક મોટા ટ્રકની ચારેતરફ દેખાઈ રહી છે. આ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો મામલો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ ટ્રક મળ્યો છે તે અમેરિકા અને મેક્સિકો સરહદ 250 કિલોમીટર છે.

સિટી કાઉન્સિલના પ્રમુખ એડ્રિયાના રોચા ગાર્સિયા પ્રમાણે ટ્રકમાં મૃત મળેલા લોકો પ્રવાસી છે. તેમણે જણાવ્યું કે સૈન એન્ટોનિયો પોલીસ પ્રમુખે તેમને આ વાતની જાણકારી આપી છે. સીએનએન પ્રમાણે રોચા ગાર્સિયા સૈન એન્ટોનિયાના ડિસ્ટ્રિક્ટ-4નું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોમવારે રાત્રે જણાવ્યું કે 16 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ત્રણ પ્રવાસીઓને મેથોડિસ્ટ મેટ્રોપોલિયન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.

આ પણ વાંચો –