HomeGujaratનેપાળમાં જળપ્રલયથી હાહાકાર: 175નાં મોત, 28 દેશોના 476 લોકો લાપતા

નેપાળમાં જળપ્રલયથી હાહાકાર: 175નાં મોત, 28 દેશોના 476 લોકો લાપતા

Date:

Related stories

27 ઓગસ્ટ 2026 રાશિફળ: કોને મળશે ધનલાભ અને કોના અટકેલા કામ થશે પૂર્ણ ?

આજનો દિવસ ૧૨ રાશિઓ માટે અલગ-અલગ સંભાવનાઓ લઈને આવ્યો...

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...
spot_img

નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભયાનક પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. પૂર અને ભુસ્ખલનના કારણે અનેક ગામો તબાહ થઈ ગયા છે, જ્યારે અનેક લોકોના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

નેપાળ એમ્બેસી અનુસાર અત્યાર સુધી 175 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 28 દેશોના કુલ 476 લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. પૂર એટલું વિનાશક હતું કે અનેક પુલ તૂટી ગયા, ઘરો અને રસ્તાઓને નુકસાન થયું તથા અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પણ પ્રભાવિત થયા છે.

આ વિનાશની સૌથી વધુ અસર રસુવા અને ધાદિંગ જિલ્લામાં જોવા મળી છે. આ ઉપરાંત નુવાકોટ, ચિતવન અને નવાલપરાસી ઈસ્ટ સહિતના વિસ્તારો પણ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે.

આ મુશ્કેલ ઘડીમાં ભારતે નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારત તરફથી રાહત સામગ્રી, દવાઓ અને ખાદ્ય પેકેટ્સ મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ બચાવ અને રાહત કામગીરીમાં પણ મદદ કરવામાં આવી રહી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને પૂરથી થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે સંકટની આ ઘડીમાં ભારત નેપાળની સાથે મજબૂતીથી ઊભું છે અને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવા તૈયાર છે. બંને દેશોની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી છે.

Subscribe

Latest stories

spot_img