HomeNationalનેપાળના કાઠમાંડુમાં પાણીપુરીના વેચાણ પર રોક, આ બીમારીના કારણે સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક

નેપાળના કાઠમાંડુમાં પાણીપુરીના વેચાણ પર રોક, આ બીમારીના કારણે સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Ban on sale of Panipuri in Kathmandu

  • નેપાળના કાઠમાંડૂમાં હાલ ઘણી નવી બીમારીઓ દસ્તક આપી રહી છે. બીમારીને જોતા વિસ્તારમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

નેપાળ

નગર પોલીસ પ્રમુખ સીતારામ હચેથુએ જણાવ્યા અનુસાર, શહેરમાં ભીડ-ભાડ વાળા વિસ્તાર અને કોરિડોરમાં ક્ષેત્રમાં પાણીપુરીના વેચાણ પર રોક લગાવવા માટે આંતરિક તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઘાટીમાં કોલેરાનો ખતરો વધી રહ્યો છે.

સાત કેસ સામે આવ્યા :

સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાઠમંડૂમાં વધુ સાત લોકો કોલેરા સંક્રમિત હોવાની સાથે અત્યાર સુધી કોલેરાના રોગિઓની કુલ સંખ્યા 12 સુધી પહોંચી ગઈ છે. મહામારી વિજ્ઞાન અને રોગ નિયંત્રણ વિભાગના નિર્દેશક ચુમાનલાલ દાસના જણાવ્યા અનુસાર, કાઠમાંડૂ મહાનગરમાં કોલેરાના પાંચ કેસની ઓળખ કરવામાં આવી છે અને ચંદ્રગિરી નગર પાલિકા અને બુધનિલકાંઠા નગર પાલિકામાં એક એક કેસ આવ્યા છે.

સંક્રમિતોની સારવાર ટેકૂ સ્થિત સુકરરાજ ટ્રોપિકલ એન્ડ ઈન્ફેક્શિય ડિઝીઝ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. તે પહેલા રાજધાનીના અલગ અલગ વિસ્તારમાં કોલેરાના પાંચ કેસ મળ્યા હતા. સંક્રમિતોમાં બેને પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે.

આ પણ વાંચો –

 

Subscribe

Latest stories

spot_img