આજે જ ગોવા કે સુરત આવી શકે છે એકનાથ શિંદે, ઠાકરે-પવારની તાબડતોબ બેઠકો

Share this story

Eknath Shinde, Thackeray-Pawar

  • સુત્રોના જણાવ્યા અનુસાર શિંદેના જૂથના બળવાખોર ધારાસભ્યોને આજે ગોવા કે સુરત લઈ જવાય તેવી શક્યતા છે. ત્યારબાદ તેઓને આવતીકાલે સીધા મુંબઈ લઈ જવાશે

મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ગરમાવાએ હવે નવો વળાંક લેતાની સાથે બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર શિંદેના જૂથના બળવાખોર ધારાસભ્યોને આજે ગોવા કે સુરત લઈ જવાય તેવી શક્યતા છે. ત્યારબાદ તેઓને આવતીકાલે સીધા મુંબઈ (Mumbai) લઈ જવાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ બળવાખોર નેતા એકનાથ શિંદે જણાવ્યું હતું કે, અમે ફ્લોર ટેસ્ટમાં (Floor test) હાજર રહીશું.

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવોએ હવે નવો વળાંક લીધો  :

રાજ્યપાલે આખરે આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ગઈકાલે માત્ર ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી હતી. ત્યારે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પૂર્ણ થશે.બીજી તરફ, એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં મુંબઈ પરત ફરી શકે છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે.

આજે શરદ પવારના ઘરે NCPની બેઠક :

તો આ તરફ  રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની નોટિસ બાદ મહારાષ્ટ્રમાં હલચલ વધી ગઈ છે. મહાવિકાસ આઘાડી સરકાર પર તોળાઈ રહેલા ખતરા વચ્ચે NCP નેતાઓ આજે સવારે 10 વાગ્યે શરદ પવારને મળશે.

NCPના ચાર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં :

મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મહાવિકાસ આઘાડી સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. NCPના ચાર ધારાસભ્યો છે જે આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં. જેમાં અજિત પવાર, છગન ભુજબળ કોવિડ સંક્રમિત છે. નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં બંધ છે. આ ચાર લોકો આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં હાજર રહી શકશે નહીં.

શિવસેના ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે :

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને ફ્લોર ટેસ્ટની વાત કરી છે. પરંતુ આ નિર્દેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.ઉદ્ધવ જૂથ માંગ કરશે કે ફ્લોર ટેસ્ટ પહેલા 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા સમાપ્ત કરવાનો મામલો પતાવવો જોઈએ. આ અંગેની આગામી સુનાવણી 12 જુલાઈએ થવાની છે.

આ પણ વાંચો –