Home Blog Page 1397

બંગાળી માછીમારને લાગી લોટરી, માત્ર એક જ માછલીએ બનાવ્યો લાખોપતિ

0

Bengali fisherman won the lottery

  • પશ્ચિમ બંગાળ (West Bengal)ના એક માછીમાર માટે ચોમાસામાં માછીમારી કરવી લોટરી સમાન સાબિત થઈ. માછીમારને 55 કિલો માછલી (55 kg Telia Fish)મળી, જે વેચીને માછીમાર (Fisherman)ને 13 લાખ રૂપિયા મળ્યા.

બંગાળ (Bengal)ના દિઘામાં રહેતા માછીમાર (Fisherman)ની રાતોરાત કિસ્મત બદલાઈ ગઈ. જેનુ કારણ છે એક માછલી. જી હા, એક માછલીએ માછીમારનું એકાએક જીવન બદલી નાખ્યુ. માછીમારને એક આવી માછલી (55 kg Telia Fish) મળી, જેને વેચીને તે લાખોપતિ (Millionaire) બન્યો છે, આ સમાચારે આસપાસના વિસ્તારોમાં સનસનાટી મચાવી દીધી. ત્યારથી ઘણા લોકો આવી અન્ય માછલીઓની આશામાં દરિયામાં બોટિંગ કરી રહ્યા છે. આ માછલી પશ્ચિમ બંગાળના (West Bengal) પૂર્વ મિદનાપુર વિસ્તારમાંથી મળી આવી હતી.

આપણે આવી ઘણી વાર્તાઓ સાંભળી અને જોઈ છે, જ્યાં સમુદ્રના ગર્ભમાંથી ખૂબ જ વિચિત્ર માછલીઓ બહાર આવે છે અને લોકોનું જીવન બદલી નાખે છે. મહાસાગરની દુનિયા અનેક પ્રકારની માછલીઓથી ભરેલી છે. આવી ઘણી માછલીઓ પણ સમુદ્રના ગર્ભમાં છુપાયેલી છે, જે ક્યારેય જોઈ કે સાંભળી નથી. પશ્ચિમ બંગાળના માછીમારોને આ વખતે જે માછલી મળી છે તે તેલિયા ભોલા પ્રજાતિની છે. માછલી વિશાળ હતી. તેનું વજન લગભગ 55 કિલો હતું. દિઘા મોહના માછલીની હરાજીમાં તે 26 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી.

ત્યાં અચાનક લોકોનું ટોળું ઉમટી પડ્યું :

પ્રવાસીઓમાં આટલી મોટી માછલી પકડવાના સમાચાર આવતા જ બધા તેને જોવા માટે એકઠા થઈ ગયા. આ એક માછલીને જોવા માટે ઓક્શન સેન્ટરમાં ભીડ ઉમટી પડી હતી. આ માછલીનું પરિવહન દક્ષિણ 24 પરગણાના રહેવાસી શિબાજી કબીરે કર્યું હતું. માછલી માટે બોલી લગાવવાની પ્રક્રિયા ત્રણ કલાક સુધી ચાલી હતી. જેમાં આખરે છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે માછલીનો સોદો થયો હતો.

અમૂલ્ય માછલી :

તેલિયા ભોળાની ઘણી માંગ છે. તેમાં ઘણા ફાયદાકારક ઘટકો છે અને તેનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. રિપોર્ટ્સ અનુસાર આ માછલી એક વિદેશી ફર્મે ખરીદી હતી. સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં એક વેપારીએ જણાવ્યું કે આ માછલીમાંથી બનેલી દવાઓ ઘણા લોકોના જીવ બચાવવા માટે ઉપયોગી છે. આ કારણે, વિદેશી કંપનીઓ તેમને ખરીદવામાં ખૂબ રસ લે છે. ખાસ કરીને આ માછલીનું સ્વિમ બ્લેડર. તે માછલીના પેટમાં હોય છે. તે માછલીનો સૌથી મોંઘો ભાગ માનવામાં આવે છે.

આ પણ વાંચો –

લગભગ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતાં સુરતમાં ગુનાખોરી રોકવા પો.કમિ. અજય તોમરની ‘જાદુઈ છડી’

  • વસ્તી અને વિસ્તારમાં અફાટ વધારો છતાં ગુનાખોરી ઉપર નિયંત્રણ પાછળ પોલીસદળની માનસિક સ્થિતિમાં બદલાવ કારણભૂત
 
  • નજીકના ભૂતકાળમાં મોર્નિંગ વોકથી શરૂ કરીને શાકભાજી માર્કેટ સુધી મહિલાઓ સલામત
    નહોતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે, કારણ ગુનેગારોને ભગાડવા પોલીસની હાજરી જ મહત્ત્વની
 
  • ઉપરી અધિકારીઓ બદલાયા પરંતુ પોલીસ જવાનો તો એના એજ છે છતાં પોલીસ દળના નૈતિક જુસ્સામાં બદલાવ લાવવામાં આવતાં પોલીસની સક્રિયતામાં નવું જોમ રેડાયું
 
  • અજય તોમરને એ પણ ખબર છે કે, નવાપુરા રાણાવાડ (ગોલવાડ)માં એક ચબુતરા નીચે લખ્યું છે કે, ‘‘અહિંયા બેસીને દારૂ પીવાની મનાઈ છે’’
 
કોઈપણ ગામ કે શહેરનો વિસ્તાર અને વસ્તી વધે એટલે સમાંતર ગુનાખોરી વધવાની, પરંતુ સુરત માટે કંઈ જ જુદુ જ ચિત્ર ઉપસી રહ્યું છે. સુરતનો વિસ્તાર અને વસ્તીમાં બેહદ વધારો થયો છે. લગભગ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતાં આ શહેરમાં ચમત્કારીક શાંતિ પ્રસરી રહી છે. સુરત ઔદ્યોગિક શહેર હોવા ઉપરાંત દેશભરના રાજ્યોના અર્ધશિ‌‌િક્ષત અને મજુર વર્ગની ખૂબ મોટી વસ્તીએ સુરતમાં સ્થળાંતર કર્યું છે. ડાયમંડ અને કાપડ, કેમિકલ્સ, એન્જિનિયરીંગ ઉદ્યોગથી ધમધમતા સુરત શહેરમાં સાવ અજાણ્યા માણસને પણ નોકરી મળી જાય છે. કારણ કે, આ એવા ઉદ્યોગો છે જેમાં મજુરી કામ મેળવવા ઉચ્ચ શિક્ષણની લાયકાતની જરૂર નથી. કોરોનાની મહામારી બાદ સુરતની વસ્તીમાં રાતોરાત ૧૦ લાખથી વધુ લોકોનો વધારો થયો હશે એમ કહી શકાય. કારણ ગુજરાતના ગ્રામિણ વિસ્તારના લોકો અને પરપ્રાંતિય લોકોનું રોજગારી માટે સુરત તરફ મોટાપાયે સ્થળાંતર થયું હતું અને થઈ રહ્યું છે.
પરંતુ આટલી મોટી વસ્તીનું સ્થળાંતર અને વિવિધ પ્રાંત, વિવિધ ભાષા અને વિવિધ વર્ગના લોકોનો સમૂહ છતાં ગંભીર ગુનાખોરીમાં ઘટાડો. આને ચમત્કાર જ કહેવો પડે. કોરોના પછીની સ્થિતિ અને ચારેતરફ મંદીનો માહોલ હોવાથી સ્વભાવિક આર્થિક ગુનાખોરી વકરવા સાથે ચીલઝડપના બનાવોની સંખ્યા વધી શકે. પરંતુ આમાનું સુરતમાં કંઈ જ થયું નથી. કોઈ એકલ દોકલ બનાવોને બાદ કરતાં શહેરનું જનજીવન નિર્ભય બનીને ધબકી રહ્યું છે. અહિંયા મધરાત્રે પણ બહેન, દિકરીઓ જાહેર માર્ગો ઉપર નીકળી શકે છે. દેશના અન્ય પ્રાંતોમાં બનતી કોમવાદની ઘટનાના સુરતના કોઈ ખૂંણામાંથી પ્રત્યાઘાત જોવા કે સાંભળવા મળતા નથી.
પાછલાં બે ત્રણ વર્ષને નજીકથી જોવામાં આવે તો આ એક હકીકત છે. કોરોનાની મહામારીનો સામનો કરવા અને એકબીજાને મદદ કરવામાં સુરતમાં વર્ગવાદના વાડા ભુલાઈ ગયા હતા અને કોરોનાની મહામારીમાંથી બહાર આવ્યા પછી આર્થિક મંદીના દોરમાં પણ સુરતના કોઈ ખૂંણામાં કોઈ ગંભીર ગુનાખોરીની બૂમ ઊઠી નથી.
કારણ સુરત શહેરનું પોલીસતંત્ર સતર્ક છે અને પોલીસ તંત્રને સતર્ક રાખવા માટે સુકાની મજબૂત છે. ઘણી વખત આપણી આસપાસ બનતી સકારાત્મક અને સુખદ ઘટનાઓ પાછળના કર્ણધારોની ભૂમિકા મહત્ત્વની હોય છે. પહેલી વાત તો એ છે કે, ૭૦ લાખની અફાટ વસ્તી. ઠેર ઠેર ઔદ્યોગિક વસાહતો, લાંબો દરિયા કિનારો અને નજીકમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. ખરેખર તો ગુનેગારો માટે મોકલુ મેદાન કહી શકાય અને છતાં ગુનેગારો અહિંયા ફરકવા સુદ્ધાની હિંમત કરતા નથી. વળી જે કોઈ એકલ દોકલ ઘટનાઓ બનવા પામે છે તેમાં પણ સોએ સો ટકા રિકવરી સાથે ગુના ઉકેલાય ગયા છે.
આજે અષાઢી બીજ, રથયાત્રા અને વરસાદી માહોલથી શહેરમાં ખુશનુમા વાતાવરણ છવાઈ ગયું હતું. સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર કંઈક જુદા જ મૂડમાં હતા. મૂળભૂત કવિ હૃદયના અજયકુમાર તોમર સાથે કોઈપણ પ્રકારના આયોજન વગર ભેટો થઈ ગયો હતો. પાછલા લગભગ ત્રણ વર્ષથી સુરતમાં ફરજ બજાવી રહેલા અજયકુમાર તોમર પોતે પણ કંઈક અંશે સુરતી બની ગયા છે. થોડી ઘણી વાતો વચ્ચે સુરત શહેરના રિવાજ, ભૂતકાળ, ભૂતપૂર્વ સનદી અધિકારીઓ અને પંચરંગી સુરત વિશેની વાતો નીકળી હતી.
આ બધાની વચ્ચે સુરતની કાયદો, વ્યવસ્થાના મુદ્દે પ્રશ્ન છેડતા અજયકુમાર તોમરની આંખોમાં ગૌરવ સાથે રોનક છવાઈ ગઈ હતી અને તેમણે માંડીને વાત કરતાં કહ્યું હતું કે, સુરતની ધરતી મૂળભૂત રીતે પ્રેમાળ છે. અહિંયા કોઈને ઈર્ષાભાવ નથી. દરેક શહેર, રાજ્ય અને દેશનો એક સ્વભાવ હોય છે. કોઈ ગામ કે શહેરનું વિસ્તરવુ એ સ્વભાવિક પ્રક્રિયા છે, પરંતુ આ વિસ્તરણની સાથે સમાંતર ઘસડાઈ આવતા તત્ત્વોને ઓળખીને દૂર કરવામાં આવે કે નિયંત્રિત કરવામાં આવે તો ચોક્કસ ગુનાખોરી રોકી શકાય. સુરતમાં દેશભરના રાજ્યોના લોકો વસવાટ કરે છે. બધા જ અહિંયા બે પૈસાની કમાણી કરવા માટે જ આવે છે, પરંતુ શ્રમજીવી સમૂહની સાથે ઘુસી આવતા તત્ત્વોને ઓળખી લેવામાં આવે તો ગુનાખોરી ઉપર માત્ર નિયંત્રણ જ નહીં, પરંતુ પૂર્ણવિરામ પણ મુકી શકાય.
પરંતુ આ બધુ કરતાં પહેલા પોલીસદળના નૈતિક જુસ્સામાં વધારો કરવો અનિવાર્ય છે. ભૂતકાળમાં ઘણાં પોલીસના જ લોકો ગુનેગારો સાથે મળેલા હોવાની ઘટનાઓ બનવા પામી હતી. દારૂ, જુગારના અડ્ડાવાળાઓ સાથે ઉઠક બેઠક અને ઘણી વખત અનૈતિક ધંધામાં સંડોવણીના આક્ષેપો થતા હતા. કારણ પોલીસદળને યોગ્ય દિશા આપવાનું કામ થતું નહોતું. પ્રત્યેક પોલીસ જવાનમાં કોઈકને કોઈક ખૂબી છુપાયેલી હોય છે. આ ખૂબીને ઓળખવામાં આવે તો ધાર્યા પરિણામો મેળવી શકાય.
આજે સુરત પોલીસદળના જવાનોના ચારિત્ર્યનો ચોતરફો વિકાસ કરવામાં આવે છે. તેમનામાં છુપાયેલી શક્તિ, આવડતનો તેમને અહેસાસ કરાવવા સાથે પ્રજાના રક્ષણની જવાબદારી પ્રત્યે સજાગ કરવામાં આવવાથી ગુનાખોરી ઉપર નિયંત્રણ અને કોઈ ગુનો બન્યો હોય તો તત્કાળ ડિટેન્શન એટલે કે ગુનો અને ગુનેગારોને શોધી કાઢવામાં અપે‌િક્ષત સફળતા મળી રહી છે. વહેલી સવારે લોકોના મોર્નિંગ વોકના સ્થળથી શરૂ કરીને મધરાત્રે પણ પોલીસની જાહેરમાં હાજરી જોવા મળે છે.
આ ઉપરાંત પોલીસ દળને માનસિક અને શારીરિક તંદુરસ્ત રાખવાની દિશામાં કરાયેલા પ્રયાસો અપે‌િક્ષત પરિણામો આપનારા નીવડી રહ્યાં છે. પોલીસ જવાનોમાં ચિત્તા જેવી સ્ફૂર્તિ જોવા મળે છે.
અજય તોમરના કહેવા મુજબ ગુનાખોરી રોકવાનું કામ જાદુઈ છડી જેવું નથી, પરંતુ પોલીસના સનિષ્‍ઠ અને સંગઠિત પ્રયાસો હોય તો ગુનાખોરી ઉપર ચોક્કસ નિયંત્રણ લાવી શકાય. ધાડ, લૂંટ જેવી ગુનાખોરી આયોજનપૂર્વક આચરવામાં આવતી હોય છે. પરંતુ પોલીસ સતર્ક હોય અને બાતમીદારોનું સબળ નેટવર્ક હોય તો આવા ગંભીર ગુનાઓને અંજામ આપતા પહેલા રોકી શકાય છે.
પોલીસની સતર્કતાનું ઉદાહરણ આપતાં પો.કમિ. અજયકુમાર તોમરે કહ્યું હતું કે, તાજેતરમાં રાંદેર વિસ્તારના એક વકીલના ઘરમાં બનેલી ચોરીની ઘટનાના બીજા જ દિવસે સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચે આખી ટોળકીનો પર્દાફાશ કરી નાંખ્યો અને નવસારી સહિત અન્ય સ્થળોએ ગુનેગારોએ આચરેલી ગુનાખોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
રાહદારીઓ, પ્રવાસીઓ, મહિલાઓને રંઝાડતા ચીલઝડપ જેવી ગુનાખોરી રોકવા જાહેર સ્થળો ઉપર પોલીસની હાજરી જ પુરતી છે. જે કામ સુરત પોલીસના જવાનો કરી રહ્યાં છે. ફળશ્રૃતિરૂપે ચીલઝડપના ગુનાઓ ઉપર અપે‌િક્ષત નિયંત્રણ આવવાથી લોકોને શાંતિ સાથે સલામતિનો અહેસાસ થવા ઉપરાંત પોલીસ પ્રત્યેના વિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે.
પાછલા ત્રણ વર્ષની ગુનાખોરીની વિગતો ઉપર નજર દોડાવવામાં આવે તો અને ગુનાખોરી ઉપર નિયંત્રણ લાવવામાં સુરત પોલીસ ગૌરવ લઈ શકાય એટલી હદે સફળ પુરવાર થઈ છે અને ગુનાઓ ઉકેલવામાં ૮૩ ટકા સુધી સફળ પુરવાર થઈ છે!
હત્યા, ઘાડ, લૂંટ, ઘરફોડ ચોરી અને ચોરી જેવી ઘટનાઓમાં ૮૩ ટકા જેટલા ગુનાઓ ઉકેલી નાંખવા સાથે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની કામગીરી સુરત પોલીસે કરી હોવાથી શહેરમાં ગુનાખોરી ઉપર આપોઆપ નિયંત્રણ આવે એ સ્વભાવિક છે. માત્ર ગુના ઉકેલવાથી અટકી નહીં જતા કોર્ટ કેસ ઝડપથી ચલાવડાવીને ગુનેગારોને સજા કરાવવામાં પણ સુરત પોલીસ સફળ રહી છે.
ખરેખર જોવા જઈએ તો સુરતના પો.કમિ. અજયકુમાર તોમરે આધુનિક સાધનોનો ઉપયોગ કરવા સાથે પોલીસદળનો નૈતિક જુસ્સો બહાર લાવીને સુરતના લોકોને સલામતિ બક્ષવામાં ‘જાદુઈ છડી’ જેવું કામ કર્યું છે. પાછલાં દિવસો ઉપર નજર ફેરવવામાં આવે તો ચીલઝડપ, છેડતી, જાહેરમાં હંગામો કે મારામારીની ઘટના બની હોવાનું જાણવા નહીં મળે. અન્યથા ઘરની બહાર નીકળતી ગૃહિણીને ચીલઝડપ બાજોથી સાવધ રહેવા ટકોર કરવી પડી હતી.
ચીલઝડપની ઘટનાઓ ઉપર નિયંત્રણ આવવા પાછળ જાહેર સ્થળોએ પોલીસની હાજરી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નજીકના ભૂતકાળમાં મોર્નિંગ વોકમાં નીકળતી મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠતા હતા. પરંતુ વર્તમાન સ્થિતિ જુદી જ છે. કારણ કે લોકો મોર્નિંગ વોકમાં નીકળે ત્યાર પહેલા પોલીસની હાજરી જોતા ગુનેગારો ગુનાખોરી આચરવાની હિંમત કરતા નથી.
સુરત પોલીસની બદલાયેલી સુરત પાછળ પો.કમિ. અજય તોમરની મનોવૈજ્ઞા‌નિક રીતે કામ કરવાની પદ્ધતિ કારગત સાબિત થઈ રહી છે. અન્યથા પોલીસ દળમાં કોઈ મોટા બદલાવ આવ્યા નથી અને તેમ છતાં પોલીસ દળની સો ટકા અસરકારકતાની ઘટના સુરત પોલીસ માટે ચોક્કસ ગૌરવપ્રદ ગણી શકાય.
પો.કમિ. અજયકુમાર તોમરનું સૌથી મહત્ત્વનું જમા પાસુ એ છે કે, તેઓ કોઈપણ સમયે અને શહેરના કોઈપણ ખૂંણામાં લટાર મારતા જોવા મળશે. ક્યારેક સાયકલ ઉપર તો ક્યારેક મોટરસાયકલ ઉપર તો ક્યારેક જાતે ડ્રાઈવ કરીને કારમાં ફરતા જોવા મળશે અને તેમની આ ‘ટેવ’ને કારણે પણ પોલીસ દળમાં સતત જાગૃતિ જોવા મળે છે. કેટલીક વખત તો રાત્રે ગુડનાઈટ કહીને બંગલે પહોંચી ગયેલા પો.કમિ. અજય તોમર મન થાય તો મોટરસાયકલ લઈને પણ નીકળી પડે છે.
અને છેલ્લે અજયકુમાર તોમરને એ પણ ખબર છે કે, સુરતના નવાપુરા ગોલવાડ તરીકે જાણિતા વિસ્તારમાં એક ચબુતરા નીચે લખ્યું છે કે, ‘ચબુતરા નીચે બેસીને દારૂ પીવાની મનાઈ છે..!’
આ પણ વાંચો –

એપલ-સેમસંગ વચ્ચે યુદ્ધ ! કહ્યું- ‘સેમસંગ આઇફોનની નકલ કરે છે…’ આ નિવેદને હંગામો મચાવ્યો

War between Apple and Samsung

એપલે સેમસંગ પર આવો આરોપ લગાવ્યો, જેના કારણે હંગામો મચી ગયો. એપલના અધિકારીઓએ સેમસંગના સ્માર્ટફોનને iPhoneની નકલ ગણાવ્યા છે. આવો જાણીએ સેમસંગ માટે અધિકારીએ બીજું શું કહ્યું…

એપલ ( Apple) અને સેમસંગ (Samsung) વચ્ચે યુદ્ધ છેડાયું છે. Appleના એક એક્ઝિક્યુટિવે સેમસંગ પર આરોપ લગાવ્યો છે, જેણે હંગામો મચાવ્યો છે. અધિકારીએ સેમસંગના સ્માર્ટફોનને iPhoneની નકલ ગણાવ્યા છે. આ સમાચાર વોલ સ્ટ્રીટ જર્નલના જોઆના સ્ટર્ન તરફથી આવ્યા છે, જેમણે એક નવી ડોક્યુમેન્ટરી શેર કરી છે. આ દસ્તાવેજી આઇફોનની 15મી વર્ષગાંઠ પહેલા આવે છે અને ક્યુપર્ટિનો-આધારિત વિશાળ આઇફોનના ઉત્ક્રાંતિ વિશે વાત કરે છે.

ઇન્ટરવ્યુમાં રાખી આ વાત :

ડોક્યુમેન્ટરીમાં એપલના માર્કેટિંગ ચીફ ગ્રેગ જોસવિક, આઇફોનના સહ-નિર્માતા ટોની ફેડેલ અને આઇફોન વપરાશકર્તાઓના પરિવારનો વીડિયો ઇન્ટરવ્યુ પણ દર્શાવવામાં આવ્યો છે. ઇન્ટરવ્યુના ભાગ સંક્ષિપ્તમાં એપલ, મોટા ડિસ્પ્લે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પહેલા લગભગ એક વર્ષનો ઉલ્લેખ કરે છે.

ગ્રેગ જોસવિકે સેમસંગ પર નકલ કરવાનો આરોપ મૂક્યો છે :

ગ્રેગ જોસવૈકને પણ પૂછવામાં આવ્યું હતું કે બજારમાં સેમસંગ અને અન્ય એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઉત્પાદકોની અસર વિશે તેઓ કેવું અનુભવે છે. આના માટે, જોસવૈકે કહ્યું કે તે “નારાજ” છે અને તેના પર એપલની ટેક્નોલોજીની નબળી નકલ કરવાનો આરોપ મૂક્યો છે. તેણે કહ્યું- ‘અસ્વસ્થ હતો કારણ કે, જેમ તમે જાણો છો, તેઓએ અમારી ટેક્નોલોજી તોડી નાખી. તેઓએ અમે બનાવેલી નવીનતાઓ લીધી અને તેની ખરાબ નકલ બનાવી અને તેની આસપાસ એક મોટી સ્ક્રીન લગાવી.’

2013 માં, દક્ષિણ કોરિયન બ્રાન્ડે તેની ફ્લેગશિપ Galaxy S4 લોન્ચ કરી હતી જેમાં 5-ઇંચની ડિસ્પ્લે હતી. તે જ સમયે, iPhone 5 હરીફ હતો અને તેની સરખામણીમાં માત્ર 4-ઇંચની ડિસ્પ્લે હતી. નજીકના ભવિષ્યમાં, મોટા ડિસ્પ્લેવાળા iPhones બજારમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, એપલે પેટન્ટના ઉલ્લંઘન માટે સેમસંગ સામે દાવો માંડ્યો હતો, જે બાદના ફોન પર આધારિત સ્માર્ટફોનની ગેલેક્સી શ્રેણી માટે આઇફોનની ડિઝાઇનની નકલ કરી હતી.

આ પણ વાંચો –

અડધી રાતે ઘટ્યા ગેસનાં બાટલાના ભાવ, નવો ભાવ જોઈને ખુશ થઈ જશો

0

Gas bottle prices dropped

  • આજથી એલપીજી સિલિન્ડરના ભાવ 198 રૂપિયા ઘટી ગયા છે, પરંતુ કિંમતોમાં ઘટાડો માત્ર કમર્શિયલ ગેસના બોટલમાં કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજીના ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી… તો જાણી લો નવો ભાવ

એલપીજી સિલેન્ડર (LPG cylinder) આજથી 198 રૂપિયા સસ્તુ થઈ ગયો છે. પરંતુ ભાવમાં ઘટાડો માત્ર કમર્શિયલ સિલિન્ડર (Commercial cylinder) પર જ કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. મધ્ય રાત્રિએ આજના નવા ભાવ જાહેર થઈ ગયા છે. ચાર મહાનગરમાં એલપીજીના કમર્શિયલ સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો ઈન્ડેન કંપનીનું (Inden Company) સિલિન્ડર આજથી દિલ્હીમાં 198 રૂપિયા સસ્તુ થઈ ગયુ છે. કોલકાત્તામાં 182 રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં 190.52 રૂપિયા, જ્યારે કે ચેન્નાઈમાં તેમાં 187 રૂપિયાનો ઘટાડો થયો છે.

પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને નવો ભાવ જાહેર કર્યો છે. જ્યારે કે ઘરેલ એલપીજી સિલિન્ડરમાં હાલ ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. તેઓને પહેલાની જ જેમ જ રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, 14.2 કિલોવાળા ઘરેલુ સિલેન્ડર ન તો સસ્તો થયો છે, ન તો મોંઘો થયો છે. આજે પણ પણ 19 મેના જૂના ભાવ પર જ મળી રહ્યો છે.

મે મહિનામાં વધ્યા હતા કમર્શિયલ એલપીજીના ભાવ :

ઉલ્લેખનીય છે કે, જૂનમાં ઈન્ડેનનો કમર્શિયલ સિલિન્ડર 135 રૂપિયા સસ્તો થયો હતો. જ્યારે કે મે મહિનામાં ગેસના બોટલના ભાવ વધતા ગ્રાહકોને બે વાર ઝટકો લાગ્યો હતો. ગેસનો બોટલનો ભાવ મહિનામાં પહેલીવાર 7 મેના રોજ 50 રૂપિયા વધારવામાં આવ્યો હતો અને 19 મેના રોજ ગેસનો બોટલના ભાવમાં વધારો થયો હતો.

એક વર્ષમાં કેટલો મોંઘો થયો એલપીજી :

દેશની રાજધાની દિલ્હીમાં ગત એક વર્ષથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 834.50 રૂપિયાથી વધીને 1003 રૂપિયા પહોંચી ગયો છે. 19 મે, 2022 ના રોજ અંતે 14.2 કિલો ઘરેલુ એલપીજી સિલિન્ટરનો રેટ 4 રૂપિયા વધારવામાં આવ્યો હતો. આ પહેલા 7 મેના રોજ ભાવ 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. 22 માર્ચ, 2022 ના રોજ 949.50 રૂપિયાની સરખામણીમાં 7 મેના રોજ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો હતો.

આ પણ વાંચો –

02 જુલાઈ 2022, રાશિફળ : લક્ષ્મી માતાની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

02 July 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આવક વધતાં આનંદની અનૂભુતી વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજીરમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી ધંધામં રાહત રહેશે.

વૃષભઃ- દિવસ દરમ્યાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ- આકસ્મિક ખર્ચ આવી પડે. માનસીક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂં મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ- નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રો ને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ- નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.

કન્યાઃ- ધરમાં આદ્યાત્મિક વાતાવરણ બને . પૂજન અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મી ની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ- ધનહાનિ નો યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારો માં સાવઘાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ- ભાગીદારી તથા પત્નિસુખ માં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ- દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવક નું પાતું સરભર તતું જણાય. પરિવારના સભ્યો સાથે સંધર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ- દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહ નું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વઘતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાન ની અણધારેલી પ્રગતિ થી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ, હાડકા નબળા થતા જણાય.

કુંભઃ- સાહસ કરવાની ભવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ- પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો –

સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની ઝાટકણી કાઢીને કહ્યું, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગો નહીતર…

0

The Supreme Court slapped Nupur Sharma

  • રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા કુમારની બેરહેમીથી હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે. NIA ની તપાસમાં માલૂમ પડ્યુ કે, મોહંમદ રિયાઝ અને ગૌસ મોહંમદ આ હત્યાકાંડમા એકલા જ સામે ન હતા, પરંતુ તેમનુ એક ગ્રૂપ છે. જેમાં ડઝનેક લોકો સામેલ છે. તો બીજી તરફ, સુપ્રિમ કોર્ટે આ નુપુર શર્માના નિવેદન મામલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યુ કે, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગે નુપુર શર્મા

મોહંમદ પયંગબરની (Mohammad Payangbar) વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ (Nupur Sharma) સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ (Former BJP spokesperson Nupur Sharma) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે, તેમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ પણ કેસ નોંધાયા છે. તે તમામને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટીવી પર આવીને તેઓ દેશની જનતાથી માફી માંગે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. મોહંમદ પયંગબરને લઈને કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર કડક વલણ દાખવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે.

તેના માટે તેઓએ માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યુ કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માની વિરુદ્ધ દિલ્હી, કોલકાત્તા, બિહારથી લઈને પુણે સુધી અલગ અલગ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો –

ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર આ ખેલાડી કેમેરા સાથે ઊતરશે મેદાનમાં, ભારત-ઈંગ્લેન્ડ મેચમાં જોવા મળશે અનોખા દ્રશ્યો 

0

For the first time in Test cricke

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં એક નવો કરિશ્મા થવા જઈ રહ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડના ઓલી પોપ કેમેરા સાથે મેદાનમાં ઉતરવાના છે.

જે આજ સુધી ટેસ્ટ ક્રિકેટમાં (Test cricket) બન્યું નથી. હવે તે ભારત અને ઈંગ્લેન્ડ (India and England) વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ઉતરશે. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ ખેલાડી કેમેરા (Player camera) સાથે મેદાનમાં ઉતરશે. જેના કારણે ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ખેલાડી મેદાનમાં કેમેરા સાથે આવશે :

ઈંગ્લેન્ડના ઓલી પોપ જ્યારે ભારત સામેની ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરશે ત્યારે તેની હેલ્મેટમાં કેમેરા ફીટ હશે. તે ફિલ્ડિંગ દરમિયાન આ કેમેરા લગાવી શકશે. ઓલી પોપના હેલ્મેટમાં લગાવવામાં આવેલો આ કેમેરો સીધો જ બ્રોડકાસ્ટર સાથે જોડાયેલ હશે, જેથી દર્શકો મેદાન પરની એક્શનને ખૂબ જ સરળતાથી જોઈ શકશે. તે જ સમયે, ICC અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ માટે માન્યતા આપી છે.

અવાજ કેમેરામાં રેકોર્ડ થશે નહીં :

ઓલી પોપના હેલ્મેટમાં લાગેલો આ કેમેરો મેદાન પર કોઈનો અવાજ રેકોર્ડ કરી શકતો નથી. જોકે અવાજ માટે સ્ટમ્પ માઈકનો ઉપયોગ પહેલાથી જ થાય છે. હવે મેદાન પર લાગેલા કેમેરાના કારણે દર્શકોને એક નવું અને અદ્ભુત સાહસ જોવા મળશે. આવા પ્રયોગને ટેસ્ટ ક્રિકેટમાં પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહ્યું છે.

પહેલા ઉપયોગ કરવામાં આવ્યો છે :

સ્કાય સ્પોર્ટ્સે ધ હન્ડ્રેડ 2021 દરમિયાન મેચમાં આ પ્રકારની મેચનો ઉપયોગ કર્યો છે. આ મેચમાં દર્શકોને એવું લાગ્યું કે જાણે તેઓ મેદાન પર જઈને મેચ ખૂબ નજીકથી જોઈ રહ્યા હોય. છેલ્લા એક વર્ષથી ભારત અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટની રાહ જોવાઈ રહી છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની ઈજાના કારણે જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ વાઇસ કેપ્ટનની જવાબદારી રિષભ પંતને સોંપવામાં આવી છે. ઈંગ્લેન્ડે ભારત સામે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દીધી છે.

ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11 :

એલેક્સ લીસ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), સેમ બિલિંગ્સ (ડબલ્યુકે), મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, જેમ્સ એન્ડરસન.

આ પણ વાંચો –

યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, મળવા ન આવતાં આપી ધમકી

0

The youth made a vide

  • આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ સગીરાની નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત

સુરત (Surat Crime)ના અઠવા પોલીસ સ્ટેશન (Athva Police) વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ (Rape) બાંધ્યા હતા. જોકે આ પ્રેમસંબંધ (Love Affaire) દરમિયાન યુવકે યુવતીને અંગતપળોના વીડિયો (Video) પણ કેમેરામાં કેદ કર્યા હતા અને યુવતીને અવારનવાર ફરવા લઈ જઈ દુષ્કર્મ (Surat Rape) આચર્યુ હતું.

જોકે યુવતી ફરવા જવાની ના પાડતા તેના વીડિયો વાયરલ કરવાની ધમકી યુવક વારંવાર આપતો હતો અને તેની સગાઈ તોડવાની વાત પણ કહેતો હતો. સાથે જ યુવતીને મારી નાખવાની ધમકી આપી યુવકે યુવતીની સગાઈ તોડી નાખતા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી..

સુરતમાં સતત મહિલા અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તેમાં પણ બાળકી સાથે સગીરા પર દુષ્કર્મની ઘટનામાં સતત સામે આવી રહી છે. તેવામાં વધુ એક ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી ચોગાન શેરી ખાતે રહેતા જાસીમ સલીમ શેખના એ એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપીને જાસીમ શેખ સગીરાને અવારનવાર ફરવા લઈ જતો હતો અને દુષ્કર્મ પણ આચર્યું હતું.

આ સાથે જ સગીરાની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા ધમકી આપતા કહેતો હતો કે, તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા લગ્ન જ્યાં નક્કી થયા છે. ત્યાં હું જાણકરી તારા લગ્ન થવા નહી દઈશ. જાસીમ શેખ સગીરાને ધમકી આપતો કે તું મારી સાથે નહીં આવે તો તારા માતા-પિતાને જાનથી મારી નાંખીશ. આરોપીએ સગીરાને મરજી વિરુદ્ધ ડુમસ ફરવા લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી ડુમસ ખાતે વીડિયો ક્લિપ બનાવી લીધી હતી.

વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ સગીરાની નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –

ગધેડીના દૂધમાંથી બને છે દુનિયાનું સૌથી મોંઘું ચીઝ, કિંમત જાણીને આંખો ફાટી જશે

0

the most expensive cheese

  • વિશ્વનું સૌથી મોંઘું ચીઝ કહેવાતું આ ચીઝ સોનારની કોઈપણ દુકાનમાં વેચી શકાય છે, પણ આ ચીઝ આટલું મોંઘું કેમ ? આમાં ખાસ શું છે ?

બોલિવૂડની ફિલ્મ ‘3 ઈડિયટ્સ‘ના (3 idiots) એક રાજુ રસ્તોગીની (Raju Rastogini) માતાએ એકવાર સમજદારીપૂર્વક કહ્યું હતું કે આજકાલ પનીર એટલું મોંઘું થઈ રહ્યું છે કે તેને સોનારની દુકાનમાં વેચવું જોઈએ. વિશ્વનું સૌથી મોંઘું ચીઝ (Expensive cheese) કહેવાતું આ ચીઝ સોનારની કોઈપણ દુકાનમાં વેચી શકાય છે, પરંતુ આ ચીઝ આટલું મોંઘું કેમ? આમાં ખાસ શું છે ? લક્ઝરી પનીરની કિંમત આશરે 800 થી 1000 યુરો (લગભગ 82,000 રૂપિયાથી થોડી વધારે) પ્રતિ કિલો છે. તે વિશ્વના સૌથી મોંઘા ચીઝમાંનું એક માનવામાં આવે છે.

અહીં ગધેડીના દૂધનું પનીર કેમ મોંઘું છે ?

ડેઈલી મેલના એક અહેવાલ અનુસાર, આ પનીર ગધેડીના દૂધમાંથી બનાવવામાં આવે છે અને તે સફેદ રંગનું હોય છે. જો કે તે સ્પેનિશ પનીર જેવું બનેલું હોવાનું જણાય છે, પરંતુ તેનો સ્વાદ તેનાથી તદ્દન અલગ છે. બ્રિટિશ સુપરમાર્કેટ્સમાં સ્પેનિશ ચીઝ માન્ચેગો ખૂબ સસ્તું છે અને સ્પેનિશ ચીઝ £13 પ્રતિ કિલો (અંદાજે રૂ. 1245 પ્રતિ કિલો)માં ઉપલબ્ધ છે. ગધેડા પનીરને પુલે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિશે જણાવી દઈએ કે સર્બિયાના ઝાસાવિકામાં ગધેડીના દૂધમાંથી ચીઝ બનાવવામાં આવે છે.

એક કિલો ચીઝ કેટલા લિટર દૂધમાં બને છે ?

એવું કહેવાય છે કે એક કિલો કીમતી ચીઝ બનાવવા માટે લગભગ 25 લીટર તાજા ગધેડીના દૂધની જરૂર પડે છે. અહીંનું ફાર્મ બોટલ્ડ ગધેડાનું દૂધ પણ બનાવે છે, જે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાનું સૌંદર્ય રહસ્ય હોવાનું કહેવાય છે. ઇજિપ્તની પ્રખ્યાત રાણી વિશે એવું પણ કહેવાય છે કે તે દરરોજ ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી.

ગધેડીનું ચીઝ વિશ્વના સૌથી મોંઘા ખોરાકમાંથી એક છે :

અન્ય મોંઘી વસ્તુઓમાં સ્વીડિશ મૌસ ચીઝનો સમાવેશ થાય છે જેની કિંમત આશરે £630 પ્રતિ કિલોગ્રામ છે. Caciocavallo Podolico એ એક દુર્લભ ઇટાલિયન જાતિની ગાયના દૂધમાંથી ઉત્પાદિત ચીઝ છે જે માત્ર મે અને જૂન દરમિયાન દૂધ ઉત્પન્ન કરે છે.

આ પણ વાંચો –

 

 ઉદયપુર હત્યા કેસમાં વધુ એક ખુલાસાથી હડકંપ, કાવતરા પાછળ 2 નહીં પરંતુ આટલા લોકોની હતી સંડોવણી

One more revelation in Udaipur

  • કન્હૈયાની હત્યા પાછળ તેમનો હેતુ માત્ર આતંક ફેલાવવાનો હતો. કન્હૈયા ઉપરાંત તેના નિશાના પર નીતિન જૈન નામનો અન્ય એક વ્યક્તિ પણ હતો.

કન્હૈયા લાલ હત્યા કેસમાં (Kanhaiya Lal murder case) તપાસને આગળ વધારતા NIAની ટીમ શુક્રવારે જયપુરની વિશેષ NIA કોર્ટમાં આરોપીઓના વોરંટ માટે અરજી દાખલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યામાં મોહમ્મદ રિયાઝ (Mohammed Riaz) અને ગૌસ મોહમ્મદ (Gauss Mohammed) એકલા નહોતા, પરંતુ તેમનું એક ગ્રુપ છે જેમાં એક ડઝનથી વધુ લોકો છે. એમના ગ્રુપમાં પાકિસ્તાનના (Pakistan) કેટલાક લોકો એવા પણ છે જેમના ઘણા આતંકવાદી જૂથો સાથે સંબંધ છે.

લાઇવ હત્યા કરવી હતી :

કન્હૈયાની હત્યા પાછળનો તેમનો હેતુ માત્ર ગભરાટ ફેલાવવાનો હતો. કન્હૈયા ઉપરાંત તેના નિશાના પર નીતિન જૈન નામનો અન્ય એક વ્યક્તિ પણ હતો. હકીકતમાં આ લોકોએ પોલીસને જણાવ્યું હતું કે મોહમ્મદ પૈગંબર પર ટિપ્પણી બાદ તેમનો હેતુ કન્હૈયા લાલની લાઇવ હત્યા કરવાનો હતો જેથી તેના કૃત્યથી એક સમુદાયમાં ગભરાટ પેદા થાય અને તે બંને તેમના ધર્મના હીરો બની જાય.

અવારનવાર ISIS સાથે સંપર્ક :

લાંબા સમયથી ષડયંત્ર રચી રહેલા આ લોકો સોશિયલ મીડિયામાં હિન્દુ-મુસ્લિમ વિવાદના સમાચારો વિશે ગ્રુપમાં લાંબા સમયથી વાતો કરતા હતા. લાંબા સમયથી તેઓ કંઈક મોટું કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેઓ ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવા માટે ISISને પોતાનો રોલ મોડેલ માનતા હતા. બંને આરોપીઓ અવારનવાર ISIS અને તાલિબાનના વીડિયો જોતા હતા.

આતંક ફેલાવવા હત્યા કરી :

તે બંને હિન્દુઓને કાફિર માને છે અને તેમણે આ કામ હિન્દુઓમાં આતંક ફેલાવવાના ઇરાદાથી કર્યું હતું. નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ જ્યારે દેશના ઘણા ભાગોમાં પથ્થરબાજી થઈ તો તેમને લાગ્યું કે તેમના મઝહબના હીરો બનવાની આ સૌથી સારી તક છે. નૂપુર શર્માની પોસ્ટ પર કન્હૈયા લાલની પ્રતિક્રિયા બાદ તેમણે કન્હૈયાને સૌથી સરળ ટાર્ગેટ માન્યો હતો.

ઘણા બીજા પણ નિશાના પર હતા :

તેમના નિશાના પર ઘણા મોટા લોકો પણ હતા, પરંતુ તેઓ તેમની પહોંચથી ઘણા દૂર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કસ્ટડીમાં જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જે કર્યું તેનો તેને કોઇ અફસોસ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી 2014 માં 45 દિવસ માટે ટ્રેનમાં પાકિસ્તાન ગયો હતો જ્યાં તે મોટાભાગે એવા લોકોના સંપર્કમાં હતો જેઓ એક યા બીજી રીતે વિવિધ આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા હતા.

બન્ને સ્લીપર સેલની જેમ કામ કરતા હતા :

પાકિસ્તાનના આકાઓના આદેશ પર બંને છેલ્લા ઘણા વર્ષોથી રાજસ્થાનમાં રહીને સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ અલગ-અલગ એપ દ્વારા પોતાના મેન્ટર્સનો સંપર્ક કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું કે, નૂપુર શર્માના નિવેદન બાદ આ ષડયંત્ર તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓએ ઉદેપુરના સિપાટિયા વિસ્તારની વેલ્ડીંગ ફેકટરીમાં હથિયારો બનાવ્યા હતા અને હત્યા કર્યા બાદ ફેકટરી માલિકની ઓફિસમાં વીડિયો બનાવ્યો હતો.

આ પણ વાંચો –