Home Blog Page 1383

RJ કૃણાલના પિતાએ કર્યો આપઘાત, રેલવેટ્રેક પાસેથી મળ્યો મૃતદેહ

0

RJ Krunal’s father committed suicide

  • RJ Kunal : આરજે કૃણાલના પિતા પહેલા પહેલી પત્ની ભૂમિ દેસાઇએ પણ લગ્નના બે મહિના બાદ જ આપઘાત કરી લીધો હતો. પિતાના આપઘાતમાં સોલા પોલીસે (Sola Police) અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

શહેરના જાણીતા રેડિયો જોકી કૃણાલના (RJ Krunal) પિતા  ઇશ્વરભાઇ વાલાભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આપઘાત (RJ Krunal father suicide) કરીને જીવન ટૂંકાવી દીધું છે. એમની પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. ઇશ્વરભાઇની જનતા નગર રેલવે ક્રોસિંગ (Janta nagar Railway Crossing) પાસેથી મૃત હાલતમાં દેહ મળી આવ્યો હતો. સોલા પોલીસે (Sola Police) અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

સ્યૂસાઇડ નોટ મળી આવી :

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદને મિર્ચી મુર્ગા નામે હસાવનાર રેડિયો જોકી RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ વાલાભાઈ દેસાઈએ રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. તેમણે એક સ્યૂસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી લીધું છે. પિતાના આપઘાતના સમાચાર મળતા પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે.

ચર્ચાઓએ જોર પકડ્યું :

હાલ સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ સૂસાઈડ નોટ કબ્જે કરી છે. આત્મહત્યા અંગે કૃણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે.

પ્રથમ પત્નીએ લગ્નના બે મહિના બાદ કર્યો હતો આપઘાત :

નોંધનીય છે કે વર્ષ 2016ની 21 જાન્યુઆરીએ આરજે કૃણાલની પહેલી પત્ની ભૂમિ દેસાઈએ આનંદનગરના 100 ફૂટ રોડ ઉપર આવેલા સચિન ટાવરના એચ બ્લોકના દસમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. ભૂમિએ આપઘાત કરતાં પહેલાં તેના મિત્ર મિતેષ સોનીને SMS કર્યો હતો. BBAનો અભ્યાસ કરેલી અને ખાનગી કંપનીમાં મેનેજરના હોદ્દા ઉપર નોકરી કરી ચૂકેલી ભૂમિએ માત્ર બે મહિનાના લગ્નગાળામાં જ આત્મહત્યા કેમ કરી લીધી હતી.

પોલીસની તપાસમાં એવી વિગતો ખૂલી હતી કે, એક વર્ષ અગાઉ સંપર્કમાં આવ્યા પછી પ્રેમસંબંધ બંધાતાં પરિવારની સંમતિથી તા. 24-11-2015ના રોજ ભૂમિએ કૃણાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિનામાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતાં ભૂમિએ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો ખૂલી હતી.

આ પણ વાંચો –

નવસારીની 3 નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પૂરના પાણીએ આખેઆખા ગામ ડૂબાડ્યા

0

Navsari’s 3 rivers turn violent

  • નવસારીની કાવેરી, પૂર્ણા અને અંબિકામાં જળસ્તર વધતાં પૂરનો વધ્યો ખતરો… વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતાં બરુડિયાવડમાંથી 350થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર.

નવસારીમાં (Navsari) સાંબેલાધાર વરસી રહેલા વરસાદથી હવે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. કારણ છેલ્લા 4 દિવસોમાં નવસારી શહેરની લોકમાતા પૂર્ણા નદીમાં (Purna River) પુરની સ્થિતિ બનતા હજારો લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સતત ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરોમાં કેડસમાં દૂષિત પાણી હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. મૂશળધાર વરસાદમાં નવસારીની નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉદભવી છે. પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં ભરાયા પાણી છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે જવા અપીલ કરાઈ છે.

નદીની જળસપાટી વધતા નવસારીમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી 23 ફૂટે પહોંચતા એલર્ટ મૂકાયુ છે. કાવેરી અને અંબિકાની પણ એવી જ સ્થિતિ છે, બંનેની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અને લોકોને આશ્રય સ્થાનોએ જવા કલેક્ટરે અપીલ કરી છે. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે.

ચાર દિવસથી પાણી ચઢે-ઉતરે છે :

ડાંગ અને સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદની સીધી અસરથી નદીઓના જળસ્તરમાં વધારો થાય છે અને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ભોવાવવું પડે છે. પૂર્ણા નદીમાં રાત્રે પાણી વધતા લોકોએ પોતાની ઘરવખરી તેમજ કિંમતી સુરક્ષિત સ્થળે લઈ જવા સાથે પોતાને પણ સલામત રાખવા પડે છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘણા રાતે ઘર નજીક જ બેસીને ઉજાગરો કરી રહ્યાં છે, જ્યારે સવારે પાણી ઉતરતા લોકો ઘરની સફાઈ કરીને થાકે છે.

જ્યારે ફરી રાતે વરસાદની ધમાકેદાર બેટીંગને કારણે રાત્રે ફરી સામાન ખસેડવો પડે છે અને ઉજાગરો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરોમાં કેડ સમા પાણી દૂષિત હોવાથી એમાં પલડવાને કારણે રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. જ્યારે પાણી ઓસરતા હવે પાણી ઓસર્યા બાદ સફાઇ વહેલી થાય એવી માંગ પણ અસરગ્રસ્તો કરી રહ્યા છે.

આ પણ વાંચો –

 

એક રિક્ષામાં સવાર હતા 27 લોકો, જોઈને હેરાન રહી ગઈ પોલીસ, જુઓ સંપૂર્ણ વીડિયો

0

27 people were riding in a rickshaw

  • ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં રોડ પર જઈ રહેલી એક ઓટો રિક્ષાને જ્યારે પોલીસે રોકી તો તેમાં સવાર લોકોને જોયા બાદ પોલીસ હેરાન રહી ગઈ.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ફતેહપુર જિલ્લામાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં રોડ પર જઈ રહેલી એક ઓટો રિક્ષાને (Auto rickshaw) જ્યારે પોલીસે રોકી તો તેમાં સવાર લોકોને જોયા બાદ પોલીસ હેરાન રહી ગઈ. ઓટો રિક્ષામાં ચાલક સિવાય 27 લોકો સવાર હતા. પોલીસે જ્યારે એક એક કરીને ગણતરી કરીને બધા લોકોને ઉતાર્યા તો આ સંખ્યા 27 થઈ. રિપોર્ટ્સ મુજબ, ઉત્તર પ્રદેશના ફતેહપુર (Fatehpur) જિલ્લાની બિન્દકી પોલીસ સ્ટેશન (Bindaki Police Station) વિસ્તારમાં કેટલાક લોકો એક ઓટો રિક્ષામાં સવાર હતા.

બિન્દકી વિસ્તારની લાલોલી ચોકડી પર પોલીસે જોયું કે, ઓટો રિક્ષા ડ્રાઈવર ખૂબ જ ઝડપથી રિક્ષા ચલાવી રહ્યો હતો. પોલીસે દોડીને રિક્ષાને રોકી લીધી. ત્યારબાદ પોલીસે એક એક કરીને બાળકો અને મોટા લોકોને બહાર કાઢ્યા. પોલીસે ગણતરી કરી તો 27 લોકો ઓટો રિક્ષામાંથી નીકળ્યા. પોલીસે આ બાબતે કાર્યવાહી કરતા ઓટો રિક્ષા સીઝ કરી દીધી છે. જ્યારે પોલીસ ઓટો રિક્ષામાંથી લોકોને ઉતારી રહી હતી, એ દરમિયાન કોઈને આ બાબતનો વીડિયો ઉતારી લીધો.

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે, આખરે એક ઓટો રિક્ષામાં 27 લોકોને કઈ રીતે બેસાડ્યા હશે? આ વીડિયો જોયા બાદ મોટા ભાગના લોકો એમ જ કહી રહ્યા છે કે તેનાથી ન માત્ર ગાડી ચલાવનારનો, પરંતુ તેમાં બેઠા બધા લોકોના જીવ જોખમમાં છે અને રોડ એક્સિડેન્ટ માટે એવી જ ભૂલો જવાબદાર હોય છે. આ હેરાન કરી દેનારો વીડિયોને ટ્વીટર પર આનંદ કાલરા નામના એક યુઝરે શેર કર્યો છે. જેને અત્યાર સુધી હજારો લાઇક્સ અને વ્યૂઝ મળી ચૂક્યા છે.

એ સિવાય ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે વીડિયો પર મજા લેતા કહ્યું કે, આ ઓટોને જિલ્લો જાહેર કરી દેવો જોઈએ. તો અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, ડ્રાઈવર પાસે મેનેજમેન્ટ શીખવા યોગ્ય છે, નોટ-મંજુરીથી વધારે લોકોને બેસાડવું નિયમ વિરુદ્ધ છે. ત્રીજા યુઝરે લખ્યું કે, આ ટેમ્પોવાળાને જેટલી યાતનાઓ આપવામાં આવે ઓછી છે કેમ કે, એક સાથે જ આટલા લોકોને મારવાનું કાવતરું રચ્યું. એક અન્ય યુઝરે લખ્યું કે, આપણે ભારતીય એડજસ્ટિંગ હોઈએ છીએ.

આ પણ વાંચો –

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ધસમસતા પ્રવાહને કારણે કરાયો બંધ, જુઓ તસવીરો

0

Ahmedabad-Mumbai National Highway

  •  આ સાથે સુરત-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજાની અવિરત બેટિંગ ચાલી રહી છે. ત્યારે નેશનવ હાઇવે નંબર 48 (Mumbai national highway 48) વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ આ રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહનો રસ્તા પર જ અટવાયા છે. દક્ષિણ ગુજરાતનાં (South Gujarat Rain) સુરત, વલસાડ, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં નદી-નાળા છલકાયા છે. સુરતની પૂર્ણા નદી (Purna river flood)ના પાણી મહુવા શહેરમાં (Mahua City) ઘૂસી ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીના પાણી શહેરમાં દાખલ થયા છે.

નવસારીમાં સતત વરસતા વરસાદને કારણે સંકટ વધી રહ્યુ છે. આ વિસ્તારની નદીઓ તોફાની બની છે. મુંબઇ- અમદાવાદ નેશનલ હાઇવે 48 બંધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં 40 હજાર લોકો અસરગ્રસ્ત છે જ્યારે 14 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. આ સાથે સુરત-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

 નવસારીમાં સતત વરસતા વરસાદને કારણે સંકટ વધી રહ્યુ છે. આ વિસ્તારની નદીઓ તોફાની બની છે. મુંબઇ- અમદાવાદ નેશનલ હાઇવે 48 બંધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં 40 હજાર લોકો અસરગ્રસ્ત છે જ્યારે 14 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. આ સાથે સુરત-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

નવસારીના નીચાણવાળા વિસ્તારના જૂનાથાણાનો નવો મહોલ્લો પાણીમાં ગરક થયો છે. પાલિકા તેમજ વહીવટી તંત્રએ તમામ લોકોને રાત્રિ દરમિયાન સલામ સ્થળે ખસેડ્યા છે. ચોથી વખત પૂર્ણાં નદીમાં પૂર આવતા અસરગ્રસ્તો ત્રાહિમામ થઈ ગયા છે.

શહેરમાં આવેલા રામજી મંદિરમાં 10 હજારથી વધુ લોકો માટે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુરુવારે વહેલી સવારથી જ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂટ પેકેટ પહોંચાડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

 <br />વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.<br />બીજી તરફ આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Gujarat rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં (Gujarat Monsoon) સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે, કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો.

બીજી તરફ આગામી પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Gujarat rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં (Gujarat Monsoon) સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે, કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો.

આ પણ વાંચો –

 

દેશમાં ચોથી લહેરની આહટ ! એક દિવસમાં આવ્યા આટલા કેસ; અહીં ફરીથી સ્કૂલો બંધ

The sound of the fourth wave

  • દેશમાં કોરોના વાયરસના કેસે ફરી એકવાર લોકોની ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કોવિડ કેસ નોંધાયા છે. કોવિડના વધતા કેસને જોતા એક રાજ્યમાં તો સ્કૂલોમાં રજાઓ આપી દેવામાં આવી છે.

દેશમાં કોરોના વાયરસની (Corona virus) રફતાર સતત તેજ થઈ રહી છે. કોવિડ 19 ના નવા કેસમાં 19 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 20,139 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 38 લોકોના મોત પણ થયા છે. આ સાથે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,36,076 થઈ ગઈ છે.

એક દિવસમાં 20 હજારને પાર કોરોના કેસ :

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં કોવિડ 19 ના 20,139 નવા કેસ સામે આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 4,36,89,989 થઈ છે. ત્યારે મૃતકોની સંખ્યા 5,25,557 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડથી 16,482 લોકો રિકવર થયા છે. દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા વધીને 4,30,28,356 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં આવ્યા 2575 નવા કેસ :

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બુધવારના કોરોના વાયરસના સંક્રમિત 2575 વધુ દર્દીઓ મળી આવ્યા તથા 10 સંક્રમિતોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 80,10,223 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખઅયા 1,48,001 થઈ ગઈ છે.

દિલ્હીમાં આ છે કોરોના સ્થિતિ :

ત્યારે રાજધાની દિલ્હીમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 490 નવા કેસ સામે આવ્યા છે જ્યારે ત્રણ દર્દીઓના સંક્રમણથી મોત થયા છે. સંક્રમણ દર 3.16 ટકા નોંદાયો છે. નવા કેસ સામે આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણના કેસ વધીને 19,41,905 થઈ ગયા. ત્યારે મૃતકોની સંખ્યા 26,288 થઈ ગઈ છે.

મણિપુરમાં બંધ કરી સ્કૂલો :

કોરોનાના વધતા કેસે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. મણિપુર સરકારે રાજ્યમાં તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી આગામી સપ્તાહ સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સત્તાવાર આદેશ મંગળવારના જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો –

50 હજારની ચોરીની શંકામાં ભાડુઆતને માર્યો માર, પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યું……

0

Killed the tenant

  • આઝાદનગર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવક ઘણા વર્ષોથી નિઝામ ખાનના ઘરમાં રહેતો હતો. આ દરમિયાન મકાન માલિકના ઘરે 50 હજાર રૂપિયાની ચોરી થઈ હતી.

આપણે જાણીએ છીએ કે મકાન માલિક (Landlord) અને ભાડુઆતને એકબીજા સાથે અવારનવાર ઝઘડા (Landlord -Tenant quarrel) થતાં હોય છે. તેમજ આ બાબત સામાન્ય થઈ ગઈ છે. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક મકાન માલિકે તેના ભાડુઆતને નિર્દયી રીતે માર માર્યાની ઘટના સામે આવી છે. 50 હજાર રૂપિયા ચોરી કર્યાની શંકામાં મકાન માલિકે પોતાના મિત્રો સાથે મળીને ભાડુઆતને બંધક બનાવીને માર માર્યો હતો. એટલું જ નહીં ચારેય આરોપીઓએ ભાડુઆતના પ્રાઇવેટ પાર્ટમાં (Private Part) પેટ્રોલ રેડી દીધું હતું. જે બાદ ભાડુઆતને નજીકની ખાનગી હોસ્પિટલમાં (Private hospital) સારવાર અર્થે ખસેડાયો હતો. તો બીજી તરફ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસે ગંભીર કલમો અંતર્ગત ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ રેડી દીધું :

જણાવી દઈએ કે, આ ઘટના તેજાજી નગર થાના વિસ્તારમાં બની છે. આઝાદનગર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવક ઘણા વર્ષોથી નિઝામ ખાનના ઘરમાં રહેતો હતો. આ દરમિયાન મકાન માલિકના ઘરે 50 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. નિઝામને સૌથી પહેલા ભાડુઆત પર શંકા થતાં, તે તેના ભાડુઆતને પતાવીને પોતાના સાલા સદ્દામના ઘરે લઇ ગયો હતો. જ્યાં પીડિતને બંધક બનાવીને મકાન માલિકે તેના અન્ય સાથીઓ સાથે મળીને તેને માર માર્યો હતો. આરોપ છે કે ત્યાં ભાડુઆતના પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ રેડી દીધુ હતું.

જે બાદ પીડિતે તેજાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે ગંભીર કલમો નોંધીને કેસ દાખલ કર્યો હતો અને ચાર આરોપી નિઝામ ખાન, સદ્દામ, સલમાન અને આદિલને પોલીસે પકડી લીધા હતા. જે બાદ હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓએ ઉપ-પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, તે પહેલાં જ પોલીસે આરોપીઓને પકડી લીધા હતા.

ચાર આરોપીની ધરપકડ :

આ મામલે ઈન્દોરના એસીપી મોતીઉર રહમાને જણાવ્યું કે, મારપીટનો કેસ દાખલ કરીને ચાર આરોપીઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ ઈંદોરના પોલીસ કમિશ્નર હરિનારાયણ ચારી મિશ્રાએ જણાવ્યું કે, અમને ફરિયાદી તરફથી ફરિયાદ મળી હતી. આ કેસને અમે ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો –

 

 

અમદાવાદમાં આજે શાળાઓ બંધ રહેશે કે ચાલુ ? DEOએ લીધો મોટો નિર્ણય 

0

Will schools be closed

  • અમદાવાદમાં વરસાદે ફરી એન્ટ્રી લેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવામાં બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે બાબતે DEOએ મોટો નિર્ણય કર્યો.

અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં મેઘરાજા મહેરબાન (Megharaja Meherban) થાય બાદ અનેક મુશ્કેલી સર્જાઇ છે. આ તરફ હવે અમદાવાદની શાળાઓ ચાલુ રહેશે કે બંધ ? તેને લઈ DEOએ મોટો નિર્ણય લીધો છે. DEO દ્વારા શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો છે. DEOએ દરેક શાળાના આચાર્યને વિવેક બુદ્ધિથી નિર્ણય કરવા સુચન કર્યું છે. જેને લઈ હવે જે વિસ્તારોમાં વધુ વરસાદ હશે ત્યાં શાળાના આચાર્ય શાળા બંધ રાખી શકે છે.

શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો :

અમદાવાદમાં વરસાદે ફરી એન્ટ્રી લેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવામાં બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે બાબતે DEOએ મોટો નિર્ણય કર્યો છે. DEOએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો છે. ફરી શરૂ થયેલા વરસાદને કારણે DEOએ શાળાઓને સુચના આપી હતી. આ સાથે દરેક શાળાના આચાર્યને વિવેક બુદ્ધિથી નિર્ણય કરવા સુચન આપ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ :

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, ગીર ગઢડામાં 4.5 ઈંચ, સૂત્રાપાડામાં 4.5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ, ડેડિયાપાડામાં 4.5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોધાયો હતો.

આ પણ વાંચો –

 

ગુજરાતના કયા IAS અધિકારીની મોડી રાત્રે CBIની ટીમે ધરપકડ કરી, જાણો વિગતે

Which IAS officer from Gujarat

  • IAS અધિકારી કે.રાજેશ પર કલેક્ટર પદેથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના IAS અધિકારી કે.રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે. સામાન્ય વહિવટ વિભાગમાં સંયુકત સચિવ છે.

ગુજરાતના IAS બેડામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના IAS અધિકારી કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. લાંબી તપાસ બાદ આખરે કે. રાજેશની CBIની ટીમે ધરપકડ કરવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, IAS અધિકારી કે.રાજેશ પર કલેક્ટર પદેથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના IAS અધિકારી કે.રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે. સામાન્ય વહિવટ વિભાગમાં સંયુકત સચિવ છે. પરંતુ હાલ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

મહત્વનું છે કે, IAS અધિકારી કે.રાજેશની પુછપરછ માટે તેમને CBIની ઓફિસો બોલાવ્યા હતા. પરંતુ કે.રાજેશ તપાસમાં સહકાર નહિ આપતા CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

IAS ઓફિસર સામેના આરોપો :

IAS (ગુજરાત કેડર 2011)

– કે રાજેશે કથિત રીતે લાંચ સ્વીકારી હતી
– શસ્ત્ર લાઇસન્સ ઈસ્યૂ કરવા માટે
– અયોગ્ય લાભાર્થીઓને સરકારી જમીન આપવા માટે
– ગેરકાયદેસર/અધિક્રમણવાળી જમીન ગેરકાયદેસર લાભાર્થીઓને નિયમિત કરવા માટે
– અન્ય લોકો સાથે મિલીભગતથી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વન વિભાગની મંજુરી વિના સૌર ઊર્જા ઉત્પાદન માટે આરક્ષિત જંગલની જમીન ભાડે આપી

કે રાજેશે 271 જેટલા શસ્ત્ર લાયસન્સ ઈસ્યૂ કર્યા હતા જેમાંથી 39 SP દ્વારા નકારાત્મક ભલામણો છતાં ઈસ્યૂ કરવામાં આવ્યા હતા, જે લાંચ ચૂકવવામાં આવી હોવાના ફરિયાદીઓના આક્ષેપો થયા છે.

કોણ છે IAS રાજેશ કાંકીપતિ ?

તમને જણાવી દઈએ કે સીબીઆઈના દરોડાનો સામનો કરી રહેલા આઈએએસ અધિકારીઓ મૂળ આંધ્રપ્રદેશના છે. ગુજરાત કેડરમાં 2011 IAS અધિકારીઓ છે. હાલમાં તેઓ સામાન્ય વહીવટ વિભાગના એનઆરઆઈ અને એઆરટી વિભાગના સંયુક્ત સચિવ છે.

કે. રાજેશે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2010 માં 103 રેન્ક હાંસલ કર્યો. 2013 માં જૂનાગઢમાં મદદનીશ કલેક્ટર તરીકે સેવા આપી. પછી સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર, સુરતમાં જ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું. તેઓ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે.

આ પણ વાંચો –

૧૪ જુલાઈ ૨૦૨૨ ગુરુવાર : આ રાશિના જાતકોને આજે મળી શકે છે આવકના નવા માર્ગ

Thursday, July 14, 2022 Gujarat Guardian

મેષઃ
આર્થિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્‍ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભઃ
દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્‍ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુનઃ
જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજ શોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પિતાની તબિયત સાચવવી.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.

સિંહઃ
સંતાનની પ્રગતિથી હર્ષ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ
જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.

તુલાઃ
કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ
બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્ર ફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધનઃ
આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.

મકરઃ
વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય જ્યોતિષનો શોખ રહે. ડૉક્ટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ
ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઈ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો –

રાખી સાવંતને આવ્યો ગુસ્સો, પાવડો લઈને રસ્તા પર કોની પાછળ પડી ?

Rakhi got angry with Sawant

  • એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાખી સાવંત ગુસ્સામાં રસ્તા પર દોડતી જોવા મળી રહી છે. એટલું જ નહીં તેના હાથમાં પાવડો પણ છે.

ડ્રામા ક્વીન રાખી સાવંત (Drama Queen Rakhi Sawant) તેના ચાહકોનું દિલ કેવી રીતે જીતવું તે જાણે છે, તેથી તે દરરોજ તેના ચાહકોનું મનોરંજન કરવા માટે નવા રસ્તાઓ શોધે છે. ક્યારેક પોતાના ડ્રેસથી તો ક્યારેક પોતાના શબ્દોથી રાખી દરરોજ હેડલાઈન્સમાં રહે છે. પરંતુ હંમેશા મસ્તી કરતી રાખી સાવંતનો એક વીડિયો વાયરલ (Video viral) થઈ રહ્યો છે જેમાં તે ગુસ્સામાં રસ્તા પર દોડતી જોવા મળી રહી છે.

હાથમાં પાવડો લઈને રિક્ષાની પાછળ પડી :

રાખી સાવંતનો આ વીડિયો જોઈને તેના ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. કારણ કે આ વીડિયોમાં તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે. તેના હાથમાં એક પાવડો છે, જેને લઈને રાખી ગુસ્સાથી રિક્ષાની પાછળ દોડી રહી છે. પરંતુ તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે આખરે રાખી સાવંત પોતાની નારાજગી વ્યક્ત કરી રહી છે.

રાખી વરસાદની પરિસ્થિતિથી નાખુશ :

તમને જણાવી દઈએ કે રાખી કોઈ વ્યક્તિથી નહીં પરંતુ મુંબઈમાં અતિશય વરસાદના કારણે ગુસ્સે છે. આ વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો તૂટી ગયા છે, તો ઘણી જગ્યાએ ગંદકી ફેલાઈ છે. આવી સ્થિતિમાં, જ્યારે રાખીએ તેના જીમની બહાર કંઈક આવું જ જોયું તો તે ગુસ્સે થઈ ગઈ અને આ બધું તેના તરફથી જોવા મળ્યું નહીં. હાથમાં પાવડો લઈને તે અહીં-તહી જોવા લાગી. જ્યારે લોકો તેને જોવા માટે રોકાયા ત્યારે રાખીનો ગુસ્સો વધી ગયો. જે બાદ તે ગુસ્સામાં રિક્ષા પાછળ દોડી હતી.

આ પણ વાંચો –