Home Blog Page 1376

સ્ટોક્સે 31 વર્ષની ઉંમરે શા માટે ODIમાંથી નિવૃત્તિ લેવી પડી ? આ ચોંકાવનારું કારણ સામે આવ્યું

0

Why Stokes had to retire

  • ઈંગ્લેન્ડના ધમાકેદાર બેટ્સમેન બેન સ્ટોક્સે 31 વર્ષની નાની વયે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના વિશે હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. બેન સ્ટોક્સે 2011માં આયર્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 105 ODIમાં 38.98ની એવરેજથી 2924 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડના (England) ધમાકેદાર બેટ્સમેન બેન સ્ટોક્સે (Batsman Ben Stokes) 31 વર્ષની નાની વયે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના વિશે હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈનનું (Former captain Naseer Hussain) માનવું છે કે ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિનું મુખ્ય કારણ શારીરિક થાક છે, કારણ કે ખૂબ જ બધા ફોર્મેટ ક્રિકેટ રમાઈ રહ્યું છે. 31 વર્ષીય સ્ટોક્સે આ સોમવારે જાહેરાત કરી હતી કે તે મંગળવારે ડરહામના ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં તેના હોમ ગ્રાઉન્ડ પર દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની મેચ બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.

સ્ટોક્સે 31 વર્ષની ઉંમરે શા માટે ODIમાંથી નિવૃત્તિ લેવી પડી ?

બેન સ્ટોક્સે 2011માં આયર્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 105 ODIમાં 38.98ની એવરેજથી 2924 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને 21 અડધી સદીનો સમાવેશ થાય છે. 42.39ની એવરેજથી 74 વિકેટ લીધી છે. તેણે ગત ઉનાળામાં પાકિસ્તાન સામે 3-0થી સિરીઝ જીતવા દરમિયાન ટીમનું નેતૃત્વ કર્યું હતું.

આ ચોંકાવનારું કારણ સામે આવ્યું :

ઓલરાઉન્ડર માત્ર પાંચ રન બનાવી શક્યો હતો અને મંગળવારે દક્ષિણ આફ્રિકા સામેની વિદાય વનડેમાં ઈંગ્લેન્ડની 62 રનથી હારમાં એક વિકેટ પણ લઈ શક્યો ન હતો. હુસૈને કહ્યું કે સ્ટોક્સનો 50 ઓવરમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય મુખ્યત્વે શારીરિક થાક છે. વિશ્વભરના ક્રિકેટરો માટે વર્કલોડ મેનેજમેન્ટ એક મુખ્ય મુદ્દો બની ગયો છે અને સ્ટોક્સે ટેસ્ટ ટીમને સતત ચાર જીત અપાવી હોવા છતાં તે પરેશાન દેખાય છે.

હુસૈને જણાવ્યું હતું કે T20 ક્રિકેટના આકર્ષક સ્વભાવ અને ટેસ્ટ ક્રિકેટના આકર્ષણને જોતાં, ખેલાડીઓ માત્ર બે ફોર્મેટમાં રમવા માંગે છે, તેમણે ઉમેર્યું હતું કે સ્ટોક્સનો વનડેને છોડવાનો નિર્ણય ક્રિકેટ પ્રશાસકો માટે સારો હોવો જોઈએ.

આ પણ વાંચો –

વર્ષે 18 લાખનો પગાર મેળવતા ક્લાસ-2 અધિકારીએ કઢાવ્યું ગરીબોને અપાતું આયુષ્માન કાર્ડ ! મફત સારવારનો લાભ પણ લીધો !

A Class-2 officer earning a salary

  • જાણકાર સૂત્રોનું માનીએ તો હિતેન્દ્ર ઝાંખરીયાનો પગાર અંદાજિત માસિક દોઢ લાખ છે. એટલે કે વાર્ષિક રૂપિયા 18 લાખ રૂપિયા સરકાર પાસેથી પગારના નામે હિતેન્દ્ર ઝાંખરીયા મેળવે છે.

રાજકોટમાં એક સામાજિક કાર્યકરે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની (Superintendent of Nursing) પોલ ખોલતી અરજી શહેર પોલીસ કમિશનરને કરી છે. અરજીમાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે લાખો રૂપિયાનો પગાર લેતા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ (Ayushman Card) ઢાવી તબીબી સારવાર મેળવવામાં આવી છે. જે બાબતના પ્રૂફ સાથે કિશન રાઠોડ (Kishan Rathod) નામના વ્યક્તિએ પોલીસ કમિશનર (Rajkot police commissioner)ને ગુનો નોંધવા બાબતે અરજી કરી છે. જાણકાર સૂત્રોનું માનીએ તો હિતેન્દ્ર ઝાંખરીયાનો પગાર અંદાજિત માસિક દોઢ લાખ છે. એટલે કે વાર્ષિક રૂપિયા 18 લાખ રૂપિયા સરકાર પાસેથી પગારના નામે હિતેન્દ્ર ઝાંખરીયા મેળવે છે.

સમગ્ર મામલે વાતચીતમાં રાજ્ય સરકારના વર્ગ બેના અધિકારી હિતેન્દ્ર ઝાંખરીયા (Hitendra Zankharia)એ જણાવ્યું હતું કે, “કાર્ડ કઢાવવા માટે મેં કોઈ પણ જાતના બોગસ દસ્તાવેજ ઊભા નથી કર્યા. કિશન રાઠોડ તેનો પૂર્વ કર્મચારી છે, તેના તરફથી જે કોઈ પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. આરોગ્ય મિત્ર દ્વારા કોરોનાકાળ દરમિયાન જ્યારે આ યોજના અંતર્ગત કોરોના વોરિયર્સની આવક મર્યાદા ધ્યાને રાખ્યા વગર કાર્ડ આપવામાં આવી રહ્યું હતું, ત્યારે મેં આ કાર્ડ કઢાવ્યું છે.”

હિતેન્દ્ર ઝાંખરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, “જે તે સમયે કાર્ડ કઢાવવા માટે મેં મારું આધાર કાર્ડ આપ્યું હતું. આધાર કાર્ડમાં મારું પાન કાર્ડ પણ લિંક કરવામાં આવેલું છે. કાર્ડ અંતર્ગત મેં એક વખત મારા પત્નીની MIR સહિતની ટ્રીટમેન્ટ કરાવી છે.”

આ કેસમાં સમગ્ર મામલે દોષનો ટોપલો જે વિભાગ દ્વારા કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે તેમની ઉપર ઢોળતા હિતેન્દ્ર જાખરીયા નજરે પડ્યા હતા. જોકે, સૂત્રોનું માનીએ તો આ પ્રકારના કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજમાં આવકનો દાખલો મૂકવો ફરજિયાત છે. ત્યારે આગળ પોલીસ તપાસમાં સમગ્ર મામલે શું તથ્ય સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

જાણકાર સૂત્રોનું માનીએ તો હિતેન્દ્ર ઝાંખરીયાનો પગાર અંદાજિત માસિક દોઢ લાખ છે. એટલે કે વાર્ષિક રૂપિયા 18 લાખ રૂપિયા સરકાર પાસેથી પગારના નામે હિતેન્દ્ર ઝાંખરીયા મેળવે છે. તેમ છતાં જે યોજના સરકારે ગરીબ વર્ગ તેમજ મધ્યમવર્ગીઓ માટે અમલી બનાવી છે, તે યોજનાઓનો લાભ આ સરકારી બાબુ પોતાના પરિવારજનો માટે મેળવતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો –

 ગુજરાતમાં આ તારીખની વચ્ચે આ જિલ્લાઓમાં પડશે અત્યંત ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

0

Between this date in Gujarat

  •  22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Gujarat rainfall) વરસ્યો છે. હાલ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે (Meteorological department) રાજ્યમાં આગામી 22થી 24 તારીખ સુધી ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) આપી છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં પણ આગામી દિવસોમાં હળવાથી લઈને ભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે (20 જુલાઈ) અને આવતીકાલે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિ વધશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આગામી બે દિવસ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે. બે દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. 21મી જુલાઈથી વરસાદની પ્રવૃત્તિ વધશે. 22મી તારીખે ગુજરાત રિઝન અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે. 24મી તારીખે પણ આખા ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. 24 તારીખે કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.”

22 જુલાઈ : આ દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

23 જુલાઈ : આ દિવસે કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ પાણી રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૧૯,૮૩૯ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૭.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યમાં ૩૦ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

આ પણ વાંચો –

 

ગુજરાતમાં પણ હરિયાણાવાળી, ટ્રેલરે કોન્સ્ટેબલને કચડ્યો, પોલીસકર્મીનું મોત

0

Haryanawali also in Gujarat, constable crushed by trailer, policeman killed

  • દેશમાં પોલીસકર્મીઓને કચડી નાખવાની ત્રીજી ઘટના સામે આવી છે. તાજેતરમાં હરિયાણા, ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પોલીસકર્મી પર વાહન ચલાવી કચડી નાખવામાં આવ્યો છે. જે પ્રકારે હરિયાણામાં ડીસીપીને જે પ્રમાણે કચડી નાખવામાં આવ્યા હતા તે પ્રમાણેની ઘટના ગુજરાતના બોરસદમાંથી સામે આવી છે.

દેશમાં પોલીસકર્મીઓને (policeman) કચડી નાખવાની ત્રીજી ઘટના સામે આવી છે. તાજેતરમાં હરિયાણા (Haryana), ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પોલીસકર્મી (A policeman in Gujarat) પર વાહન ચલાવી કચડી નાખવામાં આવ્યો છે. જે પ્રકારે હરિયાણામાં ડીસીપીને જે પ્રમાણે કચડી નાખવામાં આવ્યા હતા તે પ્રમાણેની ઘટના ગુજરાતના બોરસદમાંથી સામે આવી છે. આ પ્રકારની ઘટના જોતાં લાગી રહ્યું છે કે ગુજરાતમાં ટ્રક ચાલકો (Truck drivers) બેખૌફ બની ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના બોરસદમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રેલરને રોકવા જતાં પોલીસકર્મી પર ટ્રેલર ફેરવી કચડી નાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું.

રાંચીમાં મહિલા પોલીસકર્મીની હત્યા :

ઝારખંડના પાટનગર રાંચીમાં એક મહિલા પોલીસકર્મીની ગાડીથી કચડીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના રાંચીના તુપુદાના પોલીસ મથક હદના હુલહૂંડુની છે. જે સમયે આ ઘટના ઘટી ત્યારે મહિલા સબ ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનો વાહન ચેકિંગ કરી રહી હતી. અચાનક ત્યારે જ અપરાધીઓએ તેમને પિકઅપ વેનથી કચડી નાખ્યા. જેમાં તેમનું મોત નિપજ્યું હતું.

સંધ્યા ટોપનો 2018 બેચના અધિકારી હતા. આ ઘટના આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસની છે. એસઆઈની હત્યાની સૂચના મળ્યા બાદ પોલીસ મથક પ્રભારી સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘટનાને અંજામ આપ્યા બાદ અપરાધી વાહન લઈને ફરાર થઈ ગયા. જો કે આરોપી હાલ પોલીસની પકડમાં આવી ગયો છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ફંફોળી રહી છે. ઘટનાની જાણકારી આપતા રાંચીના એસએસપીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને વાહન પણ જપ્ત કરાયું છે.

મેવાતમાં DSP ને માફિયાએ ડમ્પરથી કચડી નાખ્યા :

હરિયાણાના મેવાતમાં ખનન માફિયાઓએ એક ડીએસપીની હત્યા કરી નાખી છે. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ગેરકાયદેસર ખનન કાર્યવાહી દરમિયાન માફિયાઓએ ડમ્પર ડેપ્યુટી એસપી પર ચડાવી દીધુ હતું. આ ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ડેપ્યુટી એસપી ઉપર ડમ્પર ચડાવી દીધુ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. નૂંહના તવાડુના ડેપ્યુટી એસપી પદ પર સુરેન્દ્ર સિંહ તૈનાત હતા. એવું કહેવાય છે કે સુરેન્દ્ર સિંહે પથ્થર ભરેલા એક ડમ્પરને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે જ ડ્રાઈવરે ડમ્પર તેમના પર ચડાવી દીધુ. અત્રે જણાવવાનું કે ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ આ વર્ષે રિટાયર થવાના હતા. પચગાંવના પહાડી વિસ્તારમાં ડેપ્યુટી એસપીનો મૃતદેહ મળ્યો છે.

આ પણ વાંચો –

 

‘ડોન કા ઇન્તેજાર…’ જાણો કોણ છે કુખ્યાત ગેંગસ્ટર ? જેની ગુજરાત ATS એ કરી ધરપકડ

0

Know who is the notorious gangster of

  • ગુજરાત ATS ની ટીમને માહિતી મળી હતી કે, રાજસ્થાનનો ગેંગસ્ટર અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવનાર છે. જે બાતમીના આધારે ગુજરાત ATS ની ટીમે છટકું ગોઠવી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસિંહ શેતાનસિંહ બિકાને ઝડપી લીધો હતો.

ભારતના ગુજરાત, રાજસ્થાન, કેરળ સહિતના અનેક રાજ્યોમાં હત્યા, લૂંટ, ધાડ, ખંડણી સહિત અનેક ગુનાઓ આચરેલ રાજસ્થાનના ગેંગસ્ટરની (Gangsters of Rajasthan) ગુજરાત ATS એ ધરપકડ કરી. કોણ છે આ ગેંગ અને આ ગેંગસ્ટર? શું છે ગેંગસ્ટરની ક્રાઇમ કુંડળી? આવો જોઈએ અહેવાલમાં…

ગુજરાત ATS ની ટીમને માહિતી મળી હતી કે, રાજસ્થાનનો ગેંગસ્ટર અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવનાર છે. જે બાતમીના આધારે ગુજરાત ATS ની ટીમે છટકું ગોઠવી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસિંહ શેતાનસિંહ બિકાને ઝડપી લીધો હતો. ગેંગસ્ટર અરવિંદસિંહ બીકા કઈક કરે એ પહેલા જ ગુજરાત ATS ની ટીમે ઘૂંટણિયે પાડી દીધો હતો.

રાજસ્થાનનો આ કુખ્યાત ગુનેગાર એક નહિ બે નહિ પરંતુ 35 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. જેમાં મુખ્ય હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ચોરી, ખંડણી, જેલ તોડીને ભાગી જવું, પોલીસ જાપ્તામાંથી ફરાર થવું, પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરવું, પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરી પોતાના સાગરીતને ભગાવવા જેવા 35 ગંભીર ગુનાઓ આચરેલ છે.

ગુજરાત ATS ની ટીમે આ ગેંગસ્ટરને ઝડપ્યો ત્યારે ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. જેમાં બે પિસ્તોલ, એક દેશી તમંચો અને પાંચ જીવતા કારતૂસ મળી આવતા ATS એ અરવિંદસિંહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

જાણો ગેંગસ્ટર અરવિંદસિંહ બિકાની ક્રાઈમ કુંડળી :

1 – વર્ષ 2016 માં રાજસ્થાનમાં પોલીસ પર ફાયરિંગ કરી પોતાના સાગરીતને ભગાડ્યો હતો.
2 – રાજસ્થાનના સિરોહીના શિવગંજ વિસ્તારમાં યુવક પર ફાયરિંગ કર્યું હતું.
3 – 2016 માં અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લુંટ ચલાવી હતી.
4 – 2017 માં બનાસકાંઠાના ધાનેરામાં બેંક લૂંટ કરી હતી.
5 – 2017 માં ડીસા જેલ તોડી ફરાર થયો હતો.
6 – 2018 માં પ્રાંતિજમાં તમાચો બતાવી લૂંટ ચલાવી.
8 – 2018 માં પાટણમાં ચાણસ્મામાં આંગડિયા પેઢીમાં કર્મીને હથિયાર બતાવી લૂંટ ચલાવી.
8 – બનાસકાંઠામાં પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી હતી.
9 – બનાસકાંઠામાં દૂધ મંડળીમાં કર્મી પાસેથી 18 લાખની લૂંટ ચલાવી હતી.

ઝડપાયેલ ગેંગસ્ટર પોતાની ગેંગમાં ૨૦ જેટલા સક્રિય સાગરીતો રાખે છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં આ ગેંગસ્ટરનું શું કામ આવવાનું થયું ? કોને મળવાનો હતો ? અમદાવાદમાં કોના સંપર્કમાં છે? આ તમામ સવાલોના જવાબ ગુજરાત ATS શોધી રહી છે.

આ પણ વાંચો –

દક્ષિણ ગુજરાતના 2 ફેમસ બીચ લોકો માટે બંધ કરાયા, વરસાદના એલર્ટ બાદ પગલા

0

2 famous beaches

  • સુરતમાં ડુમ્મસ અને સુવાલીનો દરિયો લોકો માટે બંધ. ભારે વરસાદની આગાહીને પગલે દરિયા પર જવા માટે પ્રતિબંધ. દરિયાની પાસે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો.

ભારે વરસાદ (heavy rain) અને તેજ પવનને પગલે સુરતમાં બે ફેમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા છે. સુરતના ડુમ્મસ અને સુવાલીનો (Dummus and Suvali) દરિયો લોકો માટે બંધ કરાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે દરિયા પર જવા માટે પ્રતિબંધ મૂકાયો છે. તેમજ સહેલાણીઓ દરિયા પાસે પહોંચી ન જાય તે માટે પોલીસનો બંદોબસ્ત (Police arrangement) પણ ગોઠવાયો છે.

હાલ સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 40 થી 50 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જેન પગલે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સુરતનો ડુમસ બીચ અને હજીરાનો સુવાલી બીચ મુસાફરો માટે બંધ કરાયો છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું, કોઝવે પાણીમાં ગરકાવ :

તો બીજી તરફ, ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં સતત પાણી છોડવામા આવી રહ્યુ છે. જેથી નદીમાં પાણીની આવક વધતા તાપી નદીનું જળસ્તર વધ્યુ છે. જેને પગલે કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. કોઝવે પાણીમાં જવાથી માંડવી અને બારડોલી તાલુકા વચ્ચેનો સીધો સંપર્ક તૂટ્યો છે. હરિપુરા અને કોસાડી ગામ વચ્ચેનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. કોઝવેની બંને તરફ પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને મોટો ચકરાવો લઈને ફરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમમાંથી 1.88 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચો –

 

20 જુલાઈ બુધવારના રોજ ગણેશજીની કૃપાથી આ રાશિના જાતકોના અધૂરા કામ પૂર્ણ થશે- જાણો આજનું રાશિફળ

On Wednesday, July 20  Gujarat Guardian

મેષ :
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ :
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુન :
મનોબળ મજબૂત બને. કેલા કાર્ય સફળ થતા જણાય. આ‌ર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક :
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

‌સિંહ :
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારું.

કન્યા :
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા :
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચ‌‌‌‌િક :
મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉદ્રવ થાય.

ધન :
દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.

મકર :
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઈ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ :
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન :
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરિયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો –

ગુજરાતીઓ ચેતી જજો ! રાજ્યના 27 જિલ્લાઓમાં એક્ટિવ છે કોરોના 

Gujaratis beware

  • રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે.

રાજ્યમાં આજે કોરોના કેસમાં (Corona case) ઘટાડો નોંધાયો છે. તેને અર્થ એમ નથી કે કોરોનાનો ખતરો (Corona threat) ઘટી ગયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 500 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 596 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 604 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રહાતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.74 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 203 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 47, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, ભાવનગર કોર્પોરેશનમાં 13, રાજકોટ કોર્પોરેશનમાં 12 અને જામનગર કોર્પોરેશનમાં 2 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 39, બનાસકાંઠામાં 37, કચ્છમાં 32, ગાંધીનગરમાં 21, સુરત 16, આણંદમાં 12, વલસાડમાં 10, મોરબીમાં 8, વડોદરામાં 7, અમરેલીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 6, નવસારીમાં 6, અમદાવાદમાં 5, રાજકોટમાં 5, સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 4, પંચમહાલમાં 4 પોરબંદરમાં 4, ભરૂચમાં 3, ગીર સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3, ખેડામાં 2, પાટણમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.

જુઓ વિડીયો :- અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 69,904 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 788 ને રસીનો પ્રથમ અને 1,355 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 202 ને રસીનો પ્રથમ અને 884 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7,818 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1,113 ને રસીનો પ્રથમ અને 2,289 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 55,455 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,25,67,196 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

 

ગોંડલમાં જુગારધામ પર રેડ, ન.પાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર-પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ જુગાર રમતા ઝડપાયા

0

Red, N.P. ex-vice president’s

  • પોલીસે ચોક્કસ બાતમી આધારે ગોંડલના ભોજપરા વિસ્તારમાં રેડ કરતાં ન.પાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહિતના જુગારીઓને ઝડપી પાડયા છે.

ગોંડલમાં (Gondal) જુગારધામમાં (Gambling den) પોલીસે રેડ કરતાં ગોંડલ નગરપાલિકાના (Gondal Municipality) પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ સહિતના ઇસમો ઝડપાયા છે. ઈગતો મુજબ પોલીસે ચોક્કસ બાતમી આધારે ગોંડલના ભોજપરા વિસ્તારમાં રેડ કરી હતી. જોકે પોલીસને જોઈ જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ પોલીસ કાર્યવાહી દરમ્યાન જુગાર રમત ઇસમોને ઝડપી પાડયા છે.

ગોંડલના ભોજપરા વિસ્તારમાં પોલીસની રેડ :

રાજકોટના ગોંડલમાં પોલીસે ચોક્કસ બાતમી આધારે રેડ કરી જુગારીઓને ઝડપી પાડયા છે. જેમાં રાજકારણીઓના સંબંધીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે રેડ દરમ્યાન ગોંડલ નગરપાલિકાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર સુનિલ કોટડિયા જુગાર રમતા ઝડપી પાડ્યો છે. આ સાથે પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ કેવિન રૈયાણી પણ જુગાર રમતા ઝડપાયો છે.

જુઓ વિડીયો :- અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

તાજેતરમાં આણંદમાં કોંગ્રેસના કાઉન્સિલર જુગાર રમતા ઝડપાયા :

આ તરફ 16 જુલાઇના રોજ આણંદ નગરપાલિકાના વૉર્ડ નંબર-3ના કાઉન્સિલર જુગાર રમતા ઝડપાતા હડકંપ મચી ગયો હતો. કોંગ્રેસ કાઉન્સિલર રજ્જાક જુગાર રમતા ઝડપાયા હતા. વિગતો મુજબ કાઉન્સિલર અને અન્ય 5 લોકો નાપાડ વાંટા ગામે જુગાર રમતા હતા. આ દરમ્યાન આણંદ ગ્રામ્ય પોલીસે જુગારધામ પર રેડ કરી હતી. જ્યાં રેડ દરમ્યાન કાઉન્સિલર રજ્જાક જુગાર સહિત 6 જુગારી રંગહથે ઝડપાઇ ગયા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –

 

૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ : ગુજરાતના ૬ શહેરોમાં રમાશે ૩૬ રમતો જાણો ક્યાં શહેરમાંથી થશે ભવ્ય શુભારંભ અને સમાપન સમારોહ..

0

36th National Sports Festival

  • 36મો રાષ્ટ્રીય રમતોત્સવ (National Sports Festival) આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં આયોજિત કરવામાં આવશે.

રમતોત્સવમાં (Sports festival) સમગ્ર દેશમાંથી 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાત સરકારે (Gujarat Govt) તેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રાજ્યના 6 શહેરો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં 36 રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

રાષ્ટ્રીય ગેમ્સનો ભવ્ય ઉદધાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. અમદાવાદમાં કુલ 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ યોજાશે. સાથે જ ગાંધીનગરમાં 3 સ્થળોએ રમતો, રાજકોટમાં 3 સ્થળોએ 2, ભાવનગરમાં એકજ સ્થળે 3, વડોદરામાં એક સ્થળે 4 જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે. રમતોત્સવનું સમાપન સમારોહ સુરતમાં કરવામાં આવશે.

ખેલાડીઓ માટે ઉચ્ચ ગુણવત્તાના ટ્રેનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને 3,4 અને 5 સ્ટાર હોટેલમાં રોકાણ, તેમજ ગુણવત્તાયુક્ત ભોજનનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત પ્રથમ વખત રાષ્ટ્રીય રમતોત્સવની યજમાની કરી રહ્યું છે ત્યારે નેશનલ ફેડરેશનના અધિકારીઓએ અગાઉ તમામ શહેરો અને તેમાં ઉપલબ્ધ વિવિધ સ્પોર્ટ્સ ફેસેલીટીની સમીક્ષા કરી હતી અને ગુજરાતની તૈયારી માટે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો.

જુઓ વિડીયો :- અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું

દેશ જ્યારે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી થઈ રહ્યો છે ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ એવા ગુજરાતમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન એવા ખેલમહાકુંભ અંતર્ગત 55 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. વાઈબ્રન્ટ ગુજરાત જેવા મેગા ઈવેન્ટનો પણ ગુજરાતને 9 વર્ષનો બહોળો અનુભવ રહેલો છે.

ગુજરાત તમામ એરપોર્ટ અને રેલવે સ્ટેશનના નેટવર્કથી દેશના તમામ મોટા શહેર સાથે જોડાયેલું છે જેથી પરિવહન ક્ષેત્રે પણ તમામ સુવિધાઓ આવનાર ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મહાત્મા મંદિર, આઈ.આઈ.ટી ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સીટી ખાતે વિશ્વ કક્ષાની ઈન્ડોર – આઉટડોર સ્પોર્ટસ્ ઈવેન્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આવનારા સમયમાં ભારત જ્યારે ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાની પર નજર માંડીને બેઠું છે ત્યારે ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની સાથે આ પ્રકારની વૈશ્વિક સ્પર્ધાઓ માટે પોતાની તૈયારીઓનો પણ પરિચય કરાવશે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે “ગુજરાત સરકાર રમતગમત ક્ષેત્રે યુવાનોને પૂરતી તકો અને સર્વોત્તમ સુવિધાઓ આપવા માટે સંક્લ્પબદ્ધ છે. ગુજરાતમાં વિશ્વસ્તરના સ્ટેડિયમ, સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ રમતો માટે તાલીમ કેન્દ્રો ઉપલબ્ધ છે. ખેલ મહાકુંભથી રાજ્યને ભાવિ રમતવીરો મળી રહ્યા છે,એમના માટે પણ નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન એક મોટી તક સ્વરૂપે છે. નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત માટે એક ગૌરવની બાબત છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. નેશનલ ગેમ્સ ૨૦૨૨ ઐતિહાસિક બનશે.”

આ પણ વાંચો –