Home Blog Page 1373

દમણમાં એક નાનકડી ઓળખાણ યુવતીને ભારે પડી, જાણો ગેંગરેપ વિથ મર્ડરની ગુંથ્થી કેવી રીતે ઉકેલાઈ ?

0

A small acquaintance in Daman

  • સંઘ પ્રદેશ દમણ સમગ્ર દેશમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે. તો સાથે સાથે બિન ગુજરાતી લોકો માટે રોજગારી આપતો મુખ્ય પ્રદેશ પણ છે. આ પ્રદેશમાં આવેલી કંપનીઓમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં કામદાર રોજગારી મેળવી રહ્યા છે.

સંઘ પ્રદેશ દમણ (Union Territory of Daman) માસ ફરી એકવાર ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ ઘેલવાડ ગામે ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ બિહારની (Bihar) યુવતી સાથે બિન ગુજરાતી બે ઈસમો દ્વારા પાસવી બળાત્કાર (Rape) કરી યુવતીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. જોકે દમણ પોલીસે પણ ગણતરીના સમયમાં આ બે હેવાન ઈસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

સંઘ પ્રદેશ દમણ સમગ્ર દેશમાં પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે. તો સાથે સાથે બિન ગુજરાતી લોકો માટે રોજગારી આપતો મુખ્ય પ્રદેશ પણ છે. આ પ્રદેશમાં આવેલી કંપનીઓમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં કામદાર રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે બિહારની એક યુવતી છેલ્લા કેટલાક સમયથી દમણના ડાભેલ વિસ્તારમાં રહી રોજગારી મેળવી રહી હતી. ત્યારે ડાભેલ વિસ્તારમાં એક ઝાડી વિસ્તારમાં એક યુવતીનો મૃતદેહ મળવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

દમણની નાની પોલીસ પોલીસ સ્ટેશનને આ મામલે જાણકારી મળી હતી કે એક યુવતીનો મૃતદેહ ઝાડીઓમાં પડ્યો છે. આ મામલે દમણ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ત્યારે અર્થ નગ્ન હાલતમાં એક યુવતીઓનો મૃત્યુ મળી આવ્યો હતો. ઘટનાની ગંભીતાને લઈને દમણ પોલીસે આ યુવતીની ઓળખ શરૂ કરી હતી અને યુવતીનું મોતનું સાચું કારણ મેળવવા માટે યુવતીના પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક રીતે આ યુવતી સાથે દુષ્કર્મ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઇને દમણ પોલીસે વિવિધ ટીમો બનાવી દમણના ડાભેલ વિસ્તારમાં તજવીજ હાથ ધરી હતી. ડાભેલ વિસ્તારમાં આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે દમણ પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દમણ પોલીસે નીતિશ પાસવાન અને ગજેન્દ્ર નામના બે આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને ઈસમો પણ બિન ગુજરાતી છે અને ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે.

દમણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવતી મૂળ બિહારની છે. દમણ પોલીસે આ યુવતીની ઓળખ પ્રસ્થાપિત કરી નથી. આ યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. દમણ પોલીસની તપાસમાં આવ્યું છે કે આ બંને હેવાન ઈસમો દ્વારા જ યુવતી જ સાથે ગેંગરેપ કરી તેને મોતને ઘાટ નીપજાવી હતી. પોલીસ સ્ટેશન તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે આ યુવતી દમણના ઘેલવડ ગામે પોતાની એક મહિલા મિત્રને મળવા ગઈ હતી. પરંતુ જે તે વખતે આ મહિલાના રૂમ પર તાળું મારેલું હતું. તેથી તે તેના પાડોશી નિતેશના ઘરે ગઈ હતી. કારણ કે નિતેશની પત્ની આ યુવતી સાથે પરિચિત હતી.

જો કે, જે તે વખતે નીતિશની પત્ની હાજર ન હતી અને નીતિશ અને તેનો મિત્ર દારૂની પાર્ટી કરી રહ્યા હતા. ત્યારે આ પીડીતાને વાતોમાં ભેળવીને આ બંને ઈસમો દ્વારા યુવતીને તેના રૂમમાં લઈ જવામાં આવી હતી અને બંને હેવાનો દ્વારા દારૂના નશામાં આ યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ આ યુવતીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જોકે રાત્રે 1:00 વાગ્યાના સમય આ બંને હેવાનિ સમયે આ યુવતીના મૃતદેહને થોડી દુર એક ઝાડીઓ નાખી ફરાર થઈ ગયા હતા. દમણ પોલીસે પણ બાતમીદારો તેમજ અન્ય ઇન્ટેલન્જસી ની મદદ લઈને રેપ વિથ મર્ડરને આથી ઉકેલી નાખી છે.

હાલે આ બંને ઇસમોને દમણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. દમણ કોર્ટ દ્વારા આ બંનેને 25 જુલાઈ સુધીના રિમાન્ડ પણ આપવામાં આવેલા છે. આમ એક નાનકડી ઓળખાણ આ યુવતીને ભારે પડી હતી. નજીક ઓળખાણના કારણે આ બંને ઈસમો સાથે નાની અમથી વાતચીત કરવા તેમની રૂમ પાસે ગયેલી આ યુવતીને આ બંને ઈસમોએ દબોચી લીધી હતી અને દારૂના નશામાં બંને સાથે ગેંગરેપ આચરી તેની હત્યા કરી નાખી છે.

હાલ દમણ પોલીસે આ બંને આરોપીના 25 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે, ત્યારે બિહારથી રોજગારી મેળવવા આવેલ આ યુવતીને નાનકડી ઓળખાણ ભારે પડી છે. જોકે દમણ પોલીસે સમયસર આ રેપ વિથ મર્ડરની ગુંથી ઉકેલી યુવતીના હત્યાનો કોયડો ઉકેલી નાખ્યો છે.

આ પણ વાંચો –

ડિંડોલી પોલીસની નાક નીચે કોફી કાફેની આડમાં ધમધમતું હતું કપલ બોક્સ, ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી 2ને ઝડપ્યા

Couple box was thriving

  • સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ક્રાઇમ બ્રાંચે ડિંડોલી વિસ્તારમાં કાફેની આડમાં સરાજાહેર ચાલી રહેલા આ કપલ બોક્સ પર દરોડા પાડયા.

સુરતમાં (Surat) ફરી એક વાર કાફેમાં પ્રેમી પંખીડાઓને (love birds) પ્રાઈવસી આપવામાં આવતી હોવાની આંશકાને લઈને પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં (Dindoli area) કોફી કાફેના આડમાં ગેરકાયદે ચાલી રહેલા કપલ બોક્સ પર ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) દરોડા પાડયા છે. ગ્રીષ્મા હત્યા કેસ બાદ સુરત CPએ પોલીસને કપલ બોકસ પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. તો પણ ડિંડોલી પોલીસની નાક નીચે કપલ બોક્સ ધમધમી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ક્રાઇમ બ્રાંચે દરોડા પાડયા છે.

મહત્વનું છે કે સુરતમાં ધમધમતા કપલ બોક્સ પોલીસ માટે મોટો પડકાર છે. અરિહંત પ્લાઝામાં કોફી કાફેનું બોર્ડ મારી કપલ બોક્સ ચલાવવામાં આવતું હતું. અહી કલાકોના કલાકો સુધી યુવક યુવતીઓ પૈસા આપી બોકસનો ગોરખધંધા માટે ઉપયોગ કરતાં હતા. આ ફૂલિફાલેલા કપલબોક્સમાં સોફા, ગાદલા, તકિયા, ફેનની વ્યવસ્થા આપવામાં આવે છે તેમજ સુવિધા અનુસાર  લગભગ 1 કલાકનું 150 થી 600 રૂપિયા ભાડું  વસૂલવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી કપલ બોક્સને શીલ મારી દીધું છે. કાર્યવાહી કરી બે યુવકોની ધરપકડ કરી છે. મુખ્ય સંચાલક હાલ ફરાર  હોવાની માહિતી મળી રહી છે.

સ્થાનિક લોકો પણ શહેર વચ્ચે ચાલી રહેલા આ કપલ બોક્સની પરેશાન હતા પણ ડીંડોલી પોલીસ તેના પર કોઈ એક્શન લેતી ન હતી. આથી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આ રેડ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કપલબોક્ષના કારણે યૌનશોષણની ઘટનાઓ વધી રહી છે. સુરતમાં  ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલ પણ કપલબોક્ષ ચલાવતો હતો.

આ પણ વાંચો –

ઋષિ સુનકનું PM બનવાનું સપનું તૂટી શકે છે, જાણો કારણ…

0

Rishi Sunak’s dream of becoming

  •  લિઝ ટ્રસ 24% પોઈન્ટ્સથી આગળ છે. તેઓ 2 દિવસ પહેલા 20 પોઈન્ટ્સથી આગળ હતા.

બ્રિટનના (Britain) વિદેશ પ્રધાન લિઝ ટ્રુસે (Foreign Minister Liz Truss) બ્રિટનના આગામી વડા પ્રધાન બનવાની રેસમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ બ્રિટિશ પ્રધાન ઋષિ સુનક (Former British Minister Rishi Sunak) કરતાં 28 મતોની લીડ મેળવી છે. ડેટા એનાલિસિસ કંપની ‘YouGov’ના લેટેસ્ટ સર્વેમાંથી આ માહિતી મળી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ બોરિસ જોનસનને (Boris Johnson) બદલવાની રેસમાં સુનક અને ટ્રસ બંનેને પાર્ટીની નેતૃત્વ સ્પર્ધાના અંતિમ તબક્કામાં મોકલવા માટે મત આપ્યો. બ્રિટનના વડાપ્રધાન બનવા માટે ઋષિ સુનકના માર્ગમાં તેમની સંપત્તિ પણ આડે આવી રહી છે.

જેના કારણે તેમને મહામારી બાદ આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકો સાથે જોડાવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુકેના મીડિયામાં તેમની સંપત્તિ અને પૃષ્ઠભૂમિની ચર્ચા થઈ રહી છે. ચેનલ 4 પર એક કાર્યક્રમમાં ઋષિ સુનકની સંપત્તિ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બીજી તરફ, YouGov સર્વે મુજબ, 4 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ચાલનારા મતદાનમાં પાર્ટીના સભ્યો દ્વારા હવે તેમાંથી એકને આગામી વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવશે.

YouGov એક પ્રમુખ બ્રિટિશ આતંરરાષ્ટ્રીય ઈન્ટરનેટ આધારિત બાજાર અનુસંધાન અને ડેટા વિશ્લેષણ કંપની છે. આ સપ્તાહની શરૂઆતના આંકડાઓથી જાણવા મળે છે કે, 46 વર્ષીય ટ્રસના 42 વર્ષીય પૂર્વ ચાન્સલર કરતા લગભગ 19 પોઈન્ટની લીડ ધરાવે છે.

બુધવારે અને ગુરૂવારે કન્ઝર્વેટિવ પાર્ટીના 730 સભ્યોના સર્વે પ્રમાણે 62% સદસ્યોએ કહ્યું કે, તેઓ ટ્રસને મત આપશે અને 38%એ સુનકની પસંદગી કરી. તેમાં એ લોકો સામેલ નથી જેમણે કહ્યું કે, તેઓ મત નહીં આપશે અથવા તેઓ નથી જાણતા.

લિઝ ટ્રસ 24% પોઈન્ટ્સથી આગળ છે. તેઓ 2 દિવસ પહેલા 20 પોઈન્ટ્સથી આગળ હતા. બ્રેક્ઝિટ માટે મત આપનારા પુરુષો અને સ્ત્રીઓમાં દરેક વય જૂથમાં ટ્રસે સુનકને પાછળ છોડી દીધા છે.

જોકે, સુનક સંસદીય દળના પ્રિય રહ્યા છે. તેમણે ટોરી (કન્ઝર્વેટિવ પાર્ટી)ના સાંસદોમાં ટ્રુસના 113ના મુકાબલે 137 મતોથી જીત મેળવી હતી.

આ પણ વાંચો –

હાથરસમાં હરિદ્વારથી આવી રહેલા કાંવડિયાઓને ડમ્પરે કચળ્યા, છનાં મોત

0

Dumper crushes Kavandias

  • આ કાંવડિયા હરિદ્વારથી (haridwar)જળ ભરીને ગ્વાલિયર તરફ જઈ રહ્યા હતા તે સમયે ઝડપથી આવી રહેલા ડમ્પરે ટક્કર મારી.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હાથરસમાં શુક્રવારે મોડી રાત્રે ડમ્પરે કાંવડિયાને ખચડી (hathras road accident) નાખ્યા હતા. જેમાં 5 ના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ કાંવડિયા (kanwariyas) હરિદ્વારથી (haridwar)જળ ભરીને ગ્વાલિયર (Gwalior) તરફ જઈ રહ્યા હતા. તે સમયે ઝડપથી આવી રહેલા ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં 6 ના મોત થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ પોલીસે કરી લીધી છે.

પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે 7 કાંવડિયાઓને ઝપેટમાં લીધા હતા. જેમાં 5 ભક્તોના સ્થળ પર જ મોત થયા હતા. એક કાંવડિયાનું હોસ્પિટલમાં મોત થયું છે અને એક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આ ઘટના કોતવાલી સાદાબાદ બઢાર ચોક પર બની હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને લાશને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

આગરા ઝોનના એડીજી રાજીવ કૃષ્ણએ કહ્યું કે રાત્રે લગભગ સવા બે વાગ્યાની આસપાસ સાત કાંવડ શ્રદ્ધાળુઓને એક ડમ્પરે કચડ્યા હતા. જેમાં છના મોત થયા છે અને 1 ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત છે. આ પોતાના કાંવડ સાથે હરિદ્વારથી ગ્વાલિયર જઇ રહ્યા હતા. આગરા એડીજી, ડીઆઈજી સહિત બધા આલા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. કાંવડિયાઓનો અકસ્માત કરીને ડમ્પર ચાલર ફરાર થઇ ગયો છે. પોલીસ તેની શોધ કરી રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસમાં અકસ્માતની ઘટનામાં 6 કાંવડિયાઓના મોત પર શોક પ્રકટ કર્યો છે. મુખ્યમંત્રીએ દિવંગતોની આત્માની શાંતિની કામના કરતા શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

હાથરસ દુર્ઘટનામાં મૃતકોની યાદી :

1. જબર સિંહ, ઉંમર 28 વર્ષ

2. રનવીર સિંહ, 30 વર્ષ

3. મનોજ પાલ સિંહ, 30 વર્ષ

4. રમેશ પાલ, 30 વર્ષ

5. નરેશ પાલ, 45 વર્ષ

આ પણ વાંચો –

સંસદમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારંભ, સાંસદો મળીને આપશે ભેટ

0

Farewell ceremony

  • આજે સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારોહ રોજાશે.સાંજે 5 વાગ્યે સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં PM મોદી સહિતનાં દિગ્ગજો આપશે હાજરી.

આજે સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો (President Ram Nath Kovind) વિદાય સમારોહ રોજાશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારંભ આજે સાંજે 5 વાગ્યે સંસદ ભવનનાં (Parliament House) સેન્ટ્રલ હોલમાં યોજાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ હાજર રહેશે.

સાથે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ સદનનાં તમામ સાંસદો સાથે હાજર રહેશે. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રાષ્ટ્રપતિ કોવિંદ માટે વિદાયનું ભાષણ આપશે. અને રાષ્ટ્રપતિ સંસદ સભ્યો તરફથી એક પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક સ્મૃતિ ચિહ્ન અને સંસદ સભ્યો દ્વારા લખવામાં આવેલી એક હસ્તાક્ષર પુસ્તિકા કે જેમાં તમામની સહી કરેલી હશે તે પણ ભેટ આપવામાં આવશે. આ પુસ્તિકા અગાઉ 18 જુલાઇથી 21 જુલાઇ સુધી સંસદ ભવનના હોલમાં રાખવામાં આવેલી હતી.

સંસદ ભવનમાં વિદાય સમારંભ :

દેશનાં વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 21 જુલાઇએ પૂરો થાય છે. જેના માટે તેમણે જનપથ રોડ પર એક બંગલાને ફાળવવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્ત થયા બાદ કોવિંદ નવી દિલ્હી સ્થિત 12 જનપથનાં એક બંગલામાં શિફ્ટ થશે. આ જ બંગલામાં ઘણા દાયકાઓથી પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન રહેતાં હતા.

પ્રધાનમંત્રી દ્વારા ડિનર :

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં વિદાય માટે એક સ્પેશ્યલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોનાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.

વિદાય ભોજનના આ સમારંભનું આયોજન દિલ્હીની અશોકા હોટલમાં કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી અનેક આદિવાસી નેતાઓ પણ પહોંચ્યા હતા. તો સાથે અનેક પદ્મ પુરસ્કાર વિજેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –

વધુ એક મંત્રીના સહયોગીના ઘરે ઈડીના દરોડા, થયા નોટોના ઢગલા; કરોડો રૂપિયા જપ્ત

0

ED raids house of another minister

  • ઈડીએ કહ્યું કે, અર્પિતા મુખર્જીની જગ્યા પરથી 20 થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેનો ઉદેશ્ય અને ઉપયોગ વિશે જાણકારી મેળવામાં આવી રહી છે. નિવદેનમાં કહ્યું કે ઇડીએ ચેટર્જી ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ સી અધિકારી, ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્યના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં (West Bengal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારના શિક્ષણ ભરતી કૌભાંડમાં (Education recruitment scam) રાજ્યના મંત્રી પાર્થ ચેટર્જીના (Partha Chatterjee) એક નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના સ્થાનો પર દરોડા પાડી 20 કરોડ રૂપિયાની રોડક જપ્ત કરી છે. ઇડીને આ રકમના એસએસસી કૌભાંડ સાથે જોડાયેલી હોવાની આશંકા છે. દરોડા દરમિયાન 500 અને બે હજારની નોટના ઢગલા થઈ ગયા અને નોટ ગણવા માટે મશિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ ટીમે બેંક અધિકારીઓની મદદ પણ લીધી જેથી રકમની યોગ્ય ગણતરી કરવામાં આવી શકે.

બંગાળના 2 મંત્રીઓને ત્યાં દરોડા :

ઈડીએ કહ્યું કે, અર્પિતા મુખર્જીની જગ્યા પરથી 20 થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેનો ઉદેશ્ય અને ઉપોયગ વિશે જાણકારી મેળવામાં આવી રહી છે. નિવદેનમાં કહ્યું કે ઇડીએ ચેટર્જી ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ સી અધિકારી, ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્યના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા. ઇડીના અધિકારીઓની એક ટીમે શિક્ષક ભરતી કૌભાંડની તપાસ મામલે શુક્રવારના પશ્ચિમ બંગાળના બે મંત્રીઓ પાર્થ ચેટર્જી અને પરેશ અધિકારીના ઘરો પર દરોડા પાડ્યા હતા.

એજન્સીના એક સૂત્રએ જણાવ્યું કે, ઇડીના ઓછામાં ઓછા સાતથી આઠ અધિકારી લગભગ સવારે આઠ વાગે ચટર્જીના આવાસ નકતલા પહોંચ્યા અને બપોર 11 વાગ્યા સુધી દરોડા ચાલ્યા. આ દરમિયાન સીઆરપીએફના કર્મચારી બહાર તૈનાત રહ્યા. સૂત્રોએ જણાવ્યું કે એજન્સીના અધિકારીઓની અન્ય એક ટીમ કૂચબિહાર જિલ્લાના મેખલીગંજમાં અધિકારીના ઘરે પહોંચી અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી.

શિક્ષક ભરતીમાં થયું મોટું કૌભાંડ :

ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ શહેરના જાદવપુર વિસ્તારમાં સ્થિત પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના પૂર્વ અધ્યક્ષ માણિક ભટાચાર્યના આવાસ પર પણ દરોડા પાડ્યા. સીબીઆઇ હાઈ કોર્ટના આદેશ પર પશ્ચિમ બંગાળ શાળા સેવા પંચની ભલામણો પર સરકાર તરફથી પ્રાયોજિત તેમજ સહાયતા પ્રાપ્ત સ્કૂલોના ગ્રુપ ‘સી’ અને ‘ડી’ સ્ટાફ અને શિક્ષકોની ભરતીમાં અનિયમિતતાઓની તપાસ કરી રહી છે.

ત્યારે ઇડી આ મામલે સંબંધિત કથિક મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યું છે. હજુ ઉદ્યોગ તેમજ વાણિજ્ય મંત્રી પદ પર કાબિઝ ચેટર્જી તે સમય શિક્ષણ મંત્રી હતા, જ્યારે આ કથિક કૌભાંડ થયું હતું. સીબીઆઇ બે વખત તેમની પૂછપરછ કરી ચૂકી છે. પહેલી વખત પૂછપરછ 25 એપ્રિલ, જ્યારે બીજી વખત 18 મેના કરવામાં આવી હતી. સીબીઆઇ પશ્ચિમ બંગાળના શિક્ષણ રાજ્ય મંત્રી અધિકારીની પણ પૂછપરછ કરી ચૂકી છે. આ ઉપરાંત તેમની પૂત્રી સ્કૂલ શિક્ષકની તેમની નોકરી ગુમાવી ચૂકી છે. અધિકારીએ કહ્યું કે, તે ફોન પર તેના પરિવાર સાથે વાત કરી શકતી નથી.

આ પણ વાંચો –

 

૨૩ જુલાઈ શનિવાર રોજ આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર – જાણો શું કહે છે આજનું રાશિફળ

People of this zodiac sign

મેષઃ- આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલું કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ- નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા-રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ- આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ- દિવસ દરમિયાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ-બહેન-પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ- અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈ-બહેન-પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ- દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ- સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચનશક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધામાં ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ- વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિeત રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ- મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ- દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ- નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઈ જાય.

મીનઃ- પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આ‌કસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો –

ગુજરાત પોલીસની મહત્વની સેવા બનશે ઓનલાઇન, જાણો વાહન કે મોબાઇલ ચોરીમાં e-FIR સેવા કેવી રીતે કામ કરશે ?

0

An important service of Gujarat

  • આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય.

મોબાઈલ જેવી ચોરીમાં હવે સામાન્ય નાગરિકોએ પોલીસ સ્ટેશન (Police station)ના ધક્કા ખાવા પડશે નહીં. કારણ કે ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યના નાગરિકોને વાહન ચોરી (Vehicle theft complaint) અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ (Mobile theft complaint) નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે.

આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને રાજ્યના ગૃહમંત્રી તરીકે અમિત શાહ હતા ત્યારે તેઓએ એક સ્વપ્ન જોયું હતુ કે, ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સક્ષમ બને. તે જ આશયથી આશયથી રાજ્યમાં પોલીસની કામગીરીઓને ઓનલાઈન કરવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.

હર્ષ સંઘવીએ FIR સેવાઓની વિગતો આપતાં કહ્યું હતું  કે, FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરિયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે, જેથી ફરિયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે. આ રીતે e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકોને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવાની જરૂર નહીં રહે.

e-FIR પ્રથા કેવી રીતે કામ કરશે ?

● e-FIRની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIRની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.

● ફરિયાદીએ સિટિઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.

● બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.

● પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

● તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતાં સૌપ્રથમ આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે.

● ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.

● સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો 72 કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીઓને કરવામાં આવશે.

● આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો e-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનિંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

● આ ઉપરાંત e-FIR અંગે 120૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો –

Virat Kohli : ભજન-કિર્તનમાં પહોંચ્યો વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા સાથેની તસવીર સામે આવી

0

Virat Kohli arrives at Bhajan-Kirtan

  • વિરાટ કોહલી આ દિવસોમાં ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા અઢી વર્ષથી તે સદી ફટકારી શક્યો નથી. વિરાટ કોહલીનો આ ખરાબ સમય ઈંગ્લેન્ડમાં પણ તેનો પીછો છોડતો નથી. આ જ કારણ છે કે હવે વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા હાલ ભગવાનની શરણમાં પહોંચી ગયા છે.

તમને જણાવી દઇએ કે વિરાટ કોહલી (Virat Kohli) હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં તેની સાથે પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ છે. બંને લંડનમાં ભજન-કિર્તનના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં પહોંચેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીરો પણ સામે આવી છે.

લંડનમાં યોજાયેલ ભજન-કીર્તન કાર્યક્રમમાં પત્ની અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી પણ પહોંચ્યો. આ ભજન-કીર્તનનું આયોજન અમેરિકાના પ્રખ્યાત ગાયક કૃષ્ણ દાસ (Krushna Das) દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ ભક્તિ ગીતો માટે જાણીતા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ તેમના કીર્તનમાં હાજરી આપવા આવ્યા હતા. કૃષ્ણ દાસના શિષ્યોમાંથી એક હનુમાન દાસે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહ્યા છે.

વિરાટ કોહલી 2.5 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી :

હનુમાન દાસની આ પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ભજન-કીર્તનના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ લંડનમાં યુનિયન ચેપલ ખાતે યોજાયો હતો. આ ભજન-કીર્તનનું 14 અને 15 જુલાઈ એમ બે દિવસનું આયોજન થયું હતું.

ક્રિકેટમાં અડધી સદીની વાત કરીએ તો વિરાટ કોહલીએ છેલ્લી અડધી સદી 18 ફેબ્રુઆરી 2022ના રોજ બનાવી હતી. ત્યાર બાદ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે જ ટી20 મેચમાં અડધી સદી ફટકારી હતી. સંયોગની વાત છે કે આ મેચ પણ કોલકાતામાં જ થઈ હતી. ત્યારથી વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં પચાસ રન પણ ફટકારી શક્યો નથી.

આ પણ વાંચો –

લુલુ મોલ બાદ હવે પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર પઢવામાં આવી નમાઝ, બાળકો પણ સામેલ, જાણો સમગ્ર મામલો

0

After Lulu Mall, Namaz was offered

  • સાર્વજનિક સ્થળોએ પ્રાર્થનાની વાત છે કે તે શાંત થવાનું નામ નથી લઈ રહી. અગાઉ કેટલાક લોકોએ લખનૌના લુલુ મોલમાં નમાઝ અદા કરીને દેશભરમાં વિવાદ સર્જ્યો હતો, હવે યુપીમાંથી વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક લોકો પ્રયાગરાજ જંક્શન પર નમાઝ અદા કરતા જોવા મળે છે.

સાર્વજનિક સ્થળોએ (public places) પ્રાર્થનાની વાત છે કે તે શાંત થવાનું નામ નથી લઈ રહી. આ પહેલા લખનૌના લુલુ મોલમાં (Lulu Mall) કેટલાક લોકોએ નમાઝ અદા કરીને સમગ્ર રાજ્યમાં વિવાદ સર્જ્યો હતો. હવે યુપીમાંથી જ એક અન્ય વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકો પ્રયાગરાજ જંક્શન (Prayagraj Junction) પર નમાઝ અદા કરતા જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ લોકોએ પ્રયાગરાજ રેલવે સ્ટેશનના (Prayagraj Railway Station) પ્લેટફોર્મ નંબર એક પર બનેલા વેઇટિંગ રૂમમાં નમાઝ અદા કરી હતી. નમાઝ દરમિયાન કોઈએ વીડિયો બનાવ્યો છે અને હવે તે સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ ગયો છે.

શું છે સમગ્ર મામલો ?

વાસ્તવમાં, બચપન બચાવો આંદોલન સંસ્થાએ આરપીએફ પ્રયાગરાજને માહિતી આપી હતી કે ન્યૂ જલપાઈગુડીથી જતી મહાનંદા એક્સપ્રેસમાં કેટલાક સગીર બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે અને એવી શંકા છે કે તેમની માનવ તસ્કરી થઈ રહી છે. માહિતી મળતાની સાથે જ આરપીએફએ 15 સગીર બાળકો સહિત 6 વધુ લોકોને ટ્રેનમાંથી ઉતાર્યા અને પૂછપરછ માટે લઈ ગયા. આ દરમિયાન તેને પ્લેટફોર્મ નંબર એકના વેઈટિંગ રૂમમાં રાખવામાં આવ્યો હતો. જો કે, સાંજે 7 વાગ્યાની આસપાસ, તેઓએ તે જ પબ્લિક વેઇટિંગ રૂમમાં નમાઝ અદા કરવાનું શરૂ કર્યું.

જુઓ સંપુર્ણ વિડિયો :-  સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

હદ તો ત્યારે થઈ જ્યારે ત્યાં ઉભેલા સુરક્ષાકર્મીઓ જ્યારે મદરેસાના શિક્ષક અબ્દુલ રબ અને તેના સાથીઓને જાહેર સ્થળે નમાજ અદા કરતા જોયા ત્યારે તેઓ મૂક પ્રેક્ષક બનીને રહ્યા. નમાજ દરમિયાન જીઆરપી અને આરપીએફના જવાનો અને ઈન્સ્પેક્ટર ત્યાં હાજર હતા અને તેઓએ તેમને રોક્યા નહીં.

બાળકોને ખબર નથી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે ?

જ્યારે બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ ડો.અખિલેશ મિશ્રા અને સભ્ય આકાંક્ષા સોનકરે સમગ્ર મામલાની પૂછપરછ કરી અને બાળકો ક્યાં જઈ રહ્યા છે તે જાણવા માંગ્યું તો બાળકો પાસે કોઈ ચોક્કસ જવાબ નહોતો. મદરસા શિક્ષક અબ્દુલ રબ સાથે કુલ 15 સગીર બાળકો હતા, જેમને સુલતાનપુર ઘોષના જામિયા દરે અકરમ મોહમ્મદપુર ગૌંટી મદરેસામાં લઈ જવામાં આવી રહ્યા છે. જો કે, આ 15માંથી 6 એવા બાળકો છે જેમને મજૂરી માટે દિલ્હી લઈ જવામાં આવી રહ્યા હતા. આ બાળકોમાં મોટાભાગના બિહારના છે. જેમની ઉંમર 8 થી 11 વર્ષની આસપાસ છે.

આ પણ વાંચો –