HomeGujaratહાથરસમાં હરિદ્વારથી આવી રહેલા કાંવડિયાઓને ડમ્પરે કચળ્યા, છનાં મોત

હાથરસમાં હરિદ્વારથી આવી રહેલા કાંવડિયાઓને ડમ્પરે કચળ્યા, છનાં મોત

Date:

Related stories

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...

80s Retro Photo Trend પાછળ છુપાયેલું મોટું જોખમ, AIમાં ફોટો આપતા પહેલા સાવધાન

સોશિયલ મીડિયાનો 80ના દાયકાનો રેટ્રો AI ટ્રેન્ડ તમને થોડી...
spot_img

Dumper crushes Kavandias

  • આ કાંવડિયા હરિદ્વારથી (haridwar)જળ ભરીને ગ્વાલિયર તરફ જઈ રહ્યા હતા તે સમયે ઝડપથી આવી રહેલા ડમ્પરે ટક્કર મારી.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હાથરસમાં શુક્રવારે મોડી રાત્રે ડમ્પરે કાંવડિયાને ખચડી (hathras road accident) નાખ્યા હતા. જેમાં 5 ના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ કાંવડિયા (kanwariyas) હરિદ્વારથી (haridwar)જળ ભરીને ગ્વાલિયર (Gwalior) તરફ જઈ રહ્યા હતા. તે સમયે ઝડપથી આવી રહેલા ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં 6 ના મોત થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ પોલીસે કરી લીધી છે.

પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે 7 કાંવડિયાઓને ઝપેટમાં લીધા હતા. જેમાં 5 ભક્તોના સ્થળ પર જ મોત થયા હતા. એક કાંવડિયાનું હોસ્પિટલમાં મોત થયું છે અને એક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આ ઘટના કોતવાલી સાદાબાદ બઢાર ચોક પર બની હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને લાશને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

આગરા ઝોનના એડીજી રાજીવ કૃષ્ણએ કહ્યું કે રાત્રે લગભગ સવા બે વાગ્યાની આસપાસ સાત કાંવડ શ્રદ્ધાળુઓને એક ડમ્પરે કચડ્યા હતા. જેમાં છના મોત થયા છે અને 1 ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત છે. આ પોતાના કાંવડ સાથે હરિદ્વારથી ગ્વાલિયર જઇ રહ્યા હતા. આગરા એડીજી, ડીઆઈજી સહિત બધા આલા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. કાંવડિયાઓનો અકસ્માત કરીને ડમ્પર ચાલર ફરાર થઇ ગયો છે. પોલીસ તેની શોધ કરી રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસમાં અકસ્માતની ઘટનામાં 6 કાંવડિયાઓના મોત પર શોક પ્રકટ કર્યો છે. મુખ્યમંત્રીએ દિવંગતોની આત્માની શાંતિની કામના કરતા શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

હાથરસ દુર્ઘટનામાં મૃતકોની યાદી :

1. જબર સિંહ, ઉંમર 28 વર્ષ

2. રનવીર સિંહ, 30 વર્ષ

3. મનોજ પાલ સિંહ, 30 વર્ષ

4. રમેશ પાલ, 30 વર્ષ

5. નરેશ પાલ, 45 વર્ષ

આ પણ વાંચો –

Subscribe

Latest stories

spot_img