Home Blog Page 1371

પુણે નજીક તાલીમાર્થી વિમાન ખેતરમાં ક્રેશ થયું, 22 વર્ષની મહિલા પાયલટ ઈજાગ્રસ્ત 

0

Trainee plane crashes

  • પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં સવારે 11.30 વાગ્યે એક તાલીમાર્થી વિમાન ખેતરમાં ક્રેશ થયું, 22 વર્ષની મહિલા પાયલટ ઘાયલ.

ભારતીય વાયુસેનાનું (Indian Air Force) એક ટ્રેનર એરક્રાફ્ટ મહારાષ્ટ્રના (Aircraft Maharashtra) પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કદબનબારી ખાતે ક્રેશ થયું છે. આ અકસ્માતમાં મહિલા પાઈલટને (A female pilot) સામાન્ય ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામીના (Technical fault) કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ મહિલા પાયલોટને સ્થાનિક લોકોની મદદથી સારવાર આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મહિલા પાઈલટને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

ટ્રેનર એરક્રાફ્ટ વિમાને બારામતીથી ઉડાન ભરી હતી :

આ વિમાને આજે સવારે બારામતીથી ઉડાન ભરી હતી. આ દરમ્યાન વિમાન ઈન્દાપુર તાલુકાના કડબનવાડી વિસ્તારમાં પહોંચતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે મળતી માહિતી મુજબ, પ્લેન કોઈ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા. અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત.

સદનસીબે પ્લેનમાં બેઠેલી મહિલા પાયલટનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનામાં પ્લેનને ઘણું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે પાયલટને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

બારામતીમાં પાયલોટને ટ્રેનિંગ અપાય છે  :

બારામતીમાં કાર્વર એવિએશન દ્વારા પાઈલટોને એરક્રાફ્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે. આજે સવારે એક ટ્રેઇની પાઇલટે બારામતીથી ઉડાન ભરી હતી, જેની ડ્રાઇવર મહિલા પાઇલટ હતો. વિમાન ઈન્દાપુર તાલુકાના કડબનવાડી વિસ્તારમાં લેન્ડ થયું હતું, પરંતુ કોઈ કારણસર પ્લેન અચાનક જમીનમાં અથડાયું હતું.

આ પણ વાંચો –

કેટરીના કેફ અને વિકી કૌશલને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે FIR નોંધી શરૂ કરી તપાસ

Katrina Kaif and Vicky Kaushal

  • કેટરિના કૈફ અને વિકી કૌશલને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિકીએ આ અંગે પોલીસમાં FIR નોંધાવી છે.

બોલિવૂડ એક્ટર (Bollywood actor) વિકી કૌશલ (Vicky Kaushal) અને તેની પત્ની અને અભિનેત્રી કેટરીના કૈફને (Katrina Kaif) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે વિકી કૌશલે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાચાર આવી રહ્યા છે કે આદિત્ય રાજપૂત (Aditya Rajput) નામનો વ્યક્તિ લાંબા સમયથી કેટરીનાને સોશિયલ મીડિયા (Social media) પર સ્ટોક કરી રહ્યો હતો અને વિકી કૌશલે તે વ્યક્તિને સમજાવવાની કોશિશ કરી હતી, તેમ છતાં તે આવું કરતો રહ્યો અને અંતે વિકી કૌશલને આ પગલું ભરવાની ફરજ પડી છે.

વિકીએ આ અંગે સાંતા ક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિનું નામ સોશિયલ મીડિયા પર છે, પરંતુ તે તેનું અસલી નામ છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આથી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આ કેસ નોંધ્યો છે.ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદથી સતત સેલિબ્રિટીઓને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તમારી હાલત પણ મુસેવાલા જેવી કરી દેવાશે .ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી.

મહત્વનું છે કે, મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર ગોલ્ડી બ્રારે લીધી હતી અને સલમાનના કેસમાં પણ મુંબઈ પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી અને તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, બાદમાં સત્ય બહાર આવ્યું કે ધમકી કોણે આપી હતી.

ઉલ્લેખની છે કે, કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક વર્ષ પણ થયું નથી. હાલમાં જ કેટરીનાએ લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો, જ્યાં વિકી કૌશલનો ભાઈ સની કૌશલ અને કેટરીનાના કેટલાક મિત્રો હાજર હતા. તેના જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી.

આ પણ વાંચો –

ગુજરાતમાં વરસાદની સુનામી આવી, આગામી 48 કલાક ચેતીને રહેજો, આજથી વરસાદનું જોર વધશે

0

Tsunami of rain occurred in Gujarat

  • આગામી 48 કલાક ચેતીને રહેજો, રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે.3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી.

રાજ્યભરમાં વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે. ગુજરાતમાં જે રીતે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, તે જોતા આસપાસ નદીઓ વહેતી હોય તેવુ જ લાગે છે. ગુજરાતમાં વરસાદની સુનામી (Tsunami of rain) આવી છે એવો માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 229 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હજુ પણ 2 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ મેઘ મહેર થઈ છે. આજે 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

નર્મદા ડેમની સપાટી વધી :

ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.75 મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 125.79 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસના યુનિટ શરૂ કરાયા છે. મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પણ તમામ દરવાજા ખોલી દેવાયા છે.

ગરવો ગિરનાર સોળે કળાએ ખીલ્યો :

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગરવો ગિરનાર સોળે કળા ખીલ્યો. આરાધના અને આસ્થાનું કેન્દ્ર ગણાતો ગરવો ગઢ ગિરનાર વાદળો વચ્ચે વિહરતો જોવા મળ્યો છે. તો ગીર સોમનાથમાં વરસાદ થતા જમજીર ધોધ જીવંત થયો છે. જમજીર ધોધના આહલાદક દ્રશ્યો સામે આવતા મોટીસંખ્યામાં પર્યટકો પણ ઉમટ્યા છે. આ તરફ અરવલ્લીના ભિલોડામાં આવેલો સુનસર ધોધ પણ જીવંત થતાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ધરતીમાતા મંદિર પાસે આવેલો સુનસર ધોધ વહેતો થતા પ્રવાસીઓ ઉમટ્યા છે અને પ્રવાસી ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે.

48 કલાક ભારે વરસાદની આગાહી  :

હવામાન વિભાગે એલર્ટ કરી દીધા છે કે, રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

  • પાટણ, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી
  • જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી
  • દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ અને અમદાવાદમાં વરસાદની આગાહી

હવામાન ખાતાના અપડેટ અનુસાર, 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો –

દેશનાં યુવાનોને રડાવતી બેરોજગારી, ગત વર્ષ કરતાં ડબલથી વધારે લોકોએ કરાવી નોંધણી, આ રાજ્યમાં સૌથી વધુ બેરોજગારી

0

Unemployment makes the youth

  • દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થતાં બેરોજગારોનો આંક એક વર્ષમાં બમણો થયો, 2021-22માં 65.41 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી.

ભારતમાં બેરોજગારોની (the unemployed) સંખ્યાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થતાં બેરોજગારોનો આંક એક વર્ષમાં બમણો થયો છે. જેમાં ઝારખંડમાં (Jharkhand) સૌથી વધુ બેરોજગાર નોંધાયા છે. વર્ષ 2020-21માં 28.47 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી હતી તો 2021-22માં 65.41 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ (National Career Services Portal) પર નોંધણી કરાવી છે. આ સાથે એક ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે, 2021-22માં નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલુ કુલ બજેટ પણ વપરાયું નથી.

ભારતમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો :

દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં 28 લાખની સરખામણીએ વર્ષ 2021-22માં 65 લાખથી વધુ બેરોજગાર લોકોએ નોંધણી કરાવી છે. તાજેતરમાં લોકસભામાં સરકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2020-21માં, રોજગાર મેળવવા માંગતા કુલ 28.47 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી હતી. તે જ સમયે, આગામી વર્ષ 2021-22માં, રોજગાર શોધનારાઓની નોંધણીની સંખ્યા વધીને 65.41 લાખ થઈ ગઈ છે. તેમાંથી ઝારખંડમાં વર્ષ 2021-22માં સૌથી વધુ નોંધણી થઈ છે.

બજેટ ફાળવણી કરતા ઓછો ખર્ચ કર્યો :

નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ દ્વારા સરકારનો ઉદ્દેશ્ય દેશના યુવાનોને વધુ સારી રોજગારીની તકો અને કારકિર્દી વિકાસ સહાયક સુવિધાઓ પ્રદાન કરવાનો છે. જોકે આ માટે બજેટમાં ફાળવવામાં આવેલી સમગ્ર રકમ ખર્ચવામાં આવતી નથી. નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ 2019-20નું બજેટ 50 કરોડ રૂપિયાનો અંદાજ હતો, પરંતુ ખર્ચ 63.93 કરોડ રૂપિયા હતો. જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં બજેટ અંદાજ 79.39 કરોડ રૂપિયા હતો, પરંતુ ખર્ચ માત્ર 43.80 કરોડ રૂપિયા હતો. પછીના વર્ષે, નાણાકીય વર્ષ 2021-22માં, બજેટ અંદાજ ઘટાડીને 57 કરોડ રૂપિયા કરવામાં આવ્યો અને તેમાંથી માત્ર 24.30 કરોડ રૂપિયા જ ખર્ચી શકાયા.

આ પણ વાંચો –

સુરતના વેડરોડ ખાતે હીરા દલાલના મકાનમાં ધોળાદિવસે લાખોનો મુદામાલ લઈને તસ્કારો રફુચકર

Smugglers raked in lakhs of rupees from a diamond broker’s house at Wedroad in Surat.

  • વેડરોડ ખાતે હિરા દલાલના મકાનમાં ધોળાદિવસે 6.18 લાખની ચોરી કરી તસ્કારો ફરાર. હિરા દલાલ પરિવાર સાથે સંબંધીના ઘરે જમનવાર માટે ગયા હતા

સુરત (Surat) વેડરોડ ખાતે રહેતા હિરા દલાલ (Diamond broker) તેમના પરિવાર સાથે બપોરે સંબંધીના ઘરે જમવા ગયા ત્યારે ધોળાદિવસે તસ્કરોએ તેમના મકાનને ટાર્ગેટ કરી 4 લાખ રોકડ અને દાગીના મળીને 6.18 લાખની ચોરી કરી નાસી ગયા હતા. પરિવાર સાંજે ઘરે આવ્યો ત્યારે ચોરીની જાણ થતા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.

વેડરોડ ખાતે જાનકી એપાર્ટમેન્ટ કુબેરપાર્ક સોસાયટીમાં રહેતા 36 વર્ષીય રાહુલભાઇ લક્ષ્મણભાઇ ડાંગર હીરા દલાલ છે. તેઓ મુળ રાજકોટ જિલ્લાના વતની છે. ગઈકાલે રાહુલભાઈના સાસુ, મોટી સાસુ, કાકી અને સાળો ઘરે આવ્યા હતા. રાહુલ અને મહેમાનોનું બપોરનું જમવાનું સિંગણપોર ખાતે ગીતાનગરમાં રહેતા એક સંબંધીના ઘરે રાખ્યું હતું. જેથી તે પરિવાર સાથે સવારથી સિંગણપોર સંબંધીના ઘરે ગયા હતા. દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનમાં આવીને મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. અને કબાટમાં રહેલા રોકડા 4 લાખ રૂપિયા અને 2.18 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળી 6.18 લાખની ચોરી કરી નાસી ગયા હતા.

સાંજે રાહુલભાઈ કામ માટે બહાર હોવાથી તેમનો પરિવાર ઘરે આવ્યો ત્યારે મુખ્ય દરવાજાનું લોક તુટેલું હતું. તેમને અંદર આવીને જોતા સામાન વેરવિખેર હતો. જેથી પરિવારે રાહુલભાઈને જાણ કરતા તે ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં કબાટમાં ચેક કરતા રોકડ અને દાગીના ગાયબ હતાં. જેથી તેમને ચોકબજાર પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –

નરેશ પટેલને લઈને કાદિર પીરઝાદાનું નિવેદન કોંગ્રેસને નુકસાન કરાવશે : કોંગ્રેસ નેતા મનહર પટેલ

0

Kadir Pirzada’s statement on Naresh

  • અમદાવાદમાં યોજાઇ કોંગ્રેસ પાટીદાર સંકલન સમિતિની બેઠક, સક્ષમ પાટીદારને કોંગ્રેસમાં સ્થાન મળે તે અંગે ચર્ચા કરવામાં આવી : મનહર પટેલ

કોંગ્રેસ (Congress) સાથે જોડાયેલા પાટીદાર અગ્રણીઓની (Patidar leaders) આજે અમદાવાદમાં બેઠક યોજાઇ હતી. ગુજરાતમાં કોગ્રેસના પાટીદાર સંકલન સમિતિની બેઠક છ મહિનામાં ત્રીજી વાર મળી છે. આ બેઠકમાં જિલ્લાના સિનિયર આગેવાન મળ્યા હતા. જેમાં કાદિર પીરઝાદાના (Kadir pirzada) ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ (Khodaldham President Naresh Patel) અંગેના નિવેદન મામલે ચર્ચા કરાઇ હતી. મનહર પટેલ આ નિવેદનને લઈને દિલ્લી હાઈકમાન્ડને (Delhi High Command) રજૂઆત કરવાની વાત જણાવી છે.

મનહર પટેલે કાદીર પીરજાદાએ નરેશ પટેલ મુદ્દે કરેલી ટીપ્પણી પર નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજના આગેવાનોએ વિચાર વિમર્શ કરી રઘુ શર્મા થકી એઆઈસીસી સમક્ષ વિચાર મુકશે. નરેશભાઇ રાજકારણમાં જોડાવા માંગતા હતા, ત્યારે તે કોઇ પણ પક્ષમાં જાય તે માટે કોંગ્રેસ રાજી હતી. કાદીર પીરઝાદાના નિવેદન અંગે રઘુ શર્માને રજુઆત કરાશે. ત્યારબાદ એઆઈસીસી આ મુદ્દે જે નિર્ણય કરશે એ શિરોમાન્ય રહેશે. પક્ષમાં પાટીદાર સમાજના સક્ષમ લોકોને સ્થાન મળે તે જરૂરી છે.

કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના પાટીદાર સંકલન સમિતિની બેઠકમાં ગુજરાતમાં પાટીદારોને જોડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કાર્યકારી અધ્યક્ષ કદિર પીરઝાદાનું નરેશ પટેલને લઈને આપેલું નિવેદન કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે. ટકાવારીમાં સમાજને વહેંચવો તે કોંગ્રેસના સંસ્કાર નથી. રાહુલ ગાંધીએ દેશ જોડોની વાત કરી હતી.

તેમજ પાટીદાર સમાજના સર્વે સમાજના સારા પાસાને સહર્ષ સ્વીકારવાની હિંમત રાખવાની વાત જણાવી હતી. તેઓનું નિવેદન તેમાનામાંથી કંઈક શિખવાની તૈયારી ધરાવે છે, અને ગુજરાતના સર્વ જ્ઞાતિ-જાતિ અને ધર્મના લોકો સાથે પોતાની જાતને પ્રવાહી કરીને કામ કરવાની ભાવના ધરાવે છે, જેનો સર્વ સમાજ પણ ગર્વ કરે છે.

કોંગ્રેસ પાટીદાર સંકલન સમિતિની બેઠકમાં હાજર પાટીદાર આગેવાનો :

1. મનહર પટેલ
2. રમેશ દૂધવાળા
3. નીતિન પટેલ (નારણપુરા)
4. ડો.જીતુ પટેલ
5. નિકુંજ બલ્લર
6. ગીતા પટેલ (ગાંધીનગર)
7. પંકજ પટેલ
8. જયપ્રકાશ પટેલ (મહેસાણા)
9. મનુ પટેલ (સુરેન્દ્રનગર)
10. હિમાંશુ પટેલ (અડાલજ)

શું બોલ્યા હતા કાદિર પીરજાદા ?

કાદિર પીરજાદાએ કહ્યું હતું કે, 11 ટકા માટે તમે હાર્દિક અને નરેશ પટેલની પાછળ પાછળ ભાગતા હતા. તમે એ ભૂલી ગયા છો કે આ લોકો (લઘુમતી) કોંગ્રેસની સરકાર બનાવતા હતા. અમે જગદીશ ઠાકોરને પહેલાથી કહેતા હતા કે, અમારા છે તેની તાકાતથી 120 સુધી પહોંચવાની કોશિશ કરો અને મને જોડો. અમને ભૂલી જશો તો શું થશે, અમને પ્રતિનિધિત્વ નહીં આપો તો શું થશે. ખુદ હી કો કર બુલંદ ઇતના, કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રજા કયા હે? ફરીયાદ કરવાનું છોડી દો.

આ પણ વાંચો –

ટીમ ઈન્ડિયામાં શરૂ થયા આ ઘાતક ખેલાડીના સારા દિવસો, વેસ્ટ ઈન્ડિઝ માટે દુઃસ્વપ્ન બની ગયા

0

The lethal player’s good

  • ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામે ફટાકડાની ઈનિંગ્સ રમી હતી. તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે.

ભારતીય ટીમે (Indian team) વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે સતત 12મી વનડે શ્રેણી જીતી છે. ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનો શાનદાર રમત બતાવી રહ્યા છે. ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ઘણો મહત્ત્વનો છે. આ પ્રવાસમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન (Wicketkeeper batsman) સંજુ સેમસન (Sanju Samson) શાનદાર રમત બતાવી રહ્યો છે. તેના બેટમાંથી ઘણા રન નીકળી રહ્યા છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે તોફાની ઈનિંગ રમી છે.

આ ખેલાડી માટે સારા દિવસો શરૂ થયા :

સંજુ સેમસન વેસ્ટ ઈન્ડિઝ સામે સંપૂર્ણ લયમાં દેખાયો અને તેણે મેદાનની દરેક બાજુએ પ્રહારો કર્યા. સંજુ સેમસને 54 બોલમાં 51 રન બનાવ્યા હતા. સંજુ હંમેશા તેની જ્વલંત બેટિંગ માટે જાણીતો છે. સેમસન અને શ્રેયસે ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવી, જેના કારણે બાદમાંનું દબાણ ઓછું થયું અને ભારતીય ટીમે આસાનીથી મેચ જીતી લીધી.

સંજુ શાનદાર ફોર્મમાં :

સંજુ સેમસન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આ સાથે જ તેણે આયર્લેન્ડ પ્રવાસ પર પ્રથમ ટી20 ક્રિકેટ ફિફ્ટી બનાવી છે. સંજુ સેમસનનું પ્રદર્શન દરેક મેચ સાથે સુધરી રહ્યું છે. તે ટીમ ઈન્ડિયા માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. સંજુ સેમસનની વિકેટકીપિંગ કુશળતા પણ અદભૂત છે. તેણે મોહમ્મદ સિરાજની બોલ પર ઘણા શાનદાર કેચ લીધા.

IPLમાં બતાવી તાકાત :

IPL 2022માં સંજુ સેમસને ખૂબ જ સારી રમત દેખાડી હતી. તેની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં પહોંચી શકી હતી. તેણે IPL 2022ની 17 મેચમાં 489 રન બનાવ્યા હતા. તેની ખતરનાક રમત જોઈને પસંદગીકારોએ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા આપી. કેરળનો આ 27 વર્ષીય ખેલાડી ટીમ ઈન્ડિયામાં ઘણો સારો સમય પસાર કરી રહ્યો છે.

આ પણ વાંચો –

ગુજરાતી દંપતીના ઝઘડાનો વીડિયો વાયરલ : ‘ચાલ સાથે મરીએ…’ કહીને પતિ-પત્ની જાહેરમાં બાખડ્યા 

0

Video of Gujarati couple

  • આ ઘટના એટલી રસપ્રદ બની રહી કે લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો

પતિ પત્નીના (husband wife) ઝઘડા રસ્તા પર આવી જતા આપણે અનેકવાર જોયા છે. તેના વીડિયો પણ ઝડપભેર વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો જામનગર (Jamnagar) શહેરથી સામે આવ્યો છે. જેમાં જાહેરમાં પતિ પત્ની બાખડી પડ્યા હતા. આ ઝઘડાએ અંતે એવુ સ્વરૂપ લીધુ કે, પત્નીએ છેલ્લાં કહ્યુ કે, આલ આપણે બંને સાથે આત્મહત્યા કરીએ…

જામનગર શહેરામં વિભાજી સ્કૂલ અપના બજાર પાસે એક પતિ પત્ની વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો. ધીરે ધીરે આ ઝઘડાએ એવુ મોટુ સ્વરૂપ લીધું કે, ટોળા ભેગા થઈ ગયા હતા. લોકો રીતસરના પતિ પત્નીના ઝઘડાને નિહાળવા ઉભા રહી ગયા હતા. પતિ ત્યાં હોવાથી અચાનક વિફરેલી પત્ની ત્યાં આવી ચઢી હતી. જેના બાદ પત્નીએ પતિનો કાઠલો પકડીને તેને સંભળાવ્યુ હતું કે, તું બીજીને રાખીને બેઠો છો, તારી બહેન દવા પી ગઈ તેમાં મારો શું વાંક, તારી માએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે, કચ કચ કરી મારી જિંદગી બગાડી નાખી છે, હું મરીશ તો તને પણ સાથે લઈ જઈશ ચાલ આપણે બંને આત્મહત્યા કરી લઈએ .

આમ આત્મહત્યાની વાત સાંભળતા જ ટોળામાં ગણગણાટ શરૂ થયો હતો. જોકે, આ મામલે પતિ ચૂપ રહ્યો હતો. અંતે સ્થાનિક લોકોએ પોલીસને બોલાવી હતી, અને પોલીસે આવીને પતિ પત્ની બંનેને સમજાવ્યા હતા. આખરે ચર્ચા બાદ પતિ પત્નીને ત્યાંથી રવાના કરાયા હતા. જોકે, આ ઘટના એટલી રસપ્રદ બની રહી કે લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો –

 

 દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, દેશને મળશે સૌથી યુવા રાષ્ટ્રપતિ

0

Draupadi Murmu will take oath

  • દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેનારા 10મા રાષ્ટ્રપતિ હશે. વર્ષ 1977થી રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેતા આવ્યા છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950ના રોજ શપથ લીધા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણને 13મે 1962ના રોજ શપથ લીધા હતા. બે રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહેમદ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. કારણ કે તેમનું કાર્યકાળ દરમિયાન નિધન થઈ ગયું.

દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu) આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. સવારે 10.15 વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ચીફ જસ્ટિસ એન વી રમના (Chief Justice NV Ramana) તેમને શપથ લેવડાવશે. આ દરમિયાન 21 તોપની સલામી અપાશે. શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિનું સંબોધન પણ હશે. દ્રૌપદી મુર્મૂ દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે.

આ મહાનુભવો થપથગ્રહણ સમારોહમાં સામેલ થશે :

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા સભાપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલ, મુખ્યમંત્રી, સંસદ સભ્ય, અને સૈન્ય અધિકારીઓ સમારોહમાં સામેલ થશે. સંસદના કેન્દ્રીય કક્ષમાં સમારોહના સમાપન બાદ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે. અહીં તેમને એક ઈન્ટર સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તથા હાલમાં જ જેમનો કાર્યકાળ પૂરો થયો તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું શિષ્ટાચાર સન્માન કરવામાં આવશે.

સૌથી યુવા રાષ્ટ્રપતિ :

અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં મુર્મૂએ વિપક્ષના જોઈન્ટ ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને જીત મેળવી છે. તેઓ આઝાદી બાદ પેદા થનાર પહેલા અને ટોપ પર પહોંચનારા સૌથી યુવા વયના રાષ્ટ્રપતિ છે.

સંથાલી સાડીની ખાસિયત :

દ્રૌપદી મુર્મૂ પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. શપથ ગ્રહણ સમારોહમાં તેઓ પરંપરાગત સંથાલી સાડી પહેરી શકે છે. સાડી તેમના ભાભી કુકરી ટુડુ લઈને આવ્યા છે. સુકરી તેમના પતિ તારિણીસેન સાથે સમારોહમાં સામેલ થશે. સંથાલી સાડી પૂર્વ ભારતમાં ખાસ અવસરો પર સંથાલ સમુદાયની મહિલાઓ પહેરે છે. આ સાડીઓને એક છેડે કેટલાક ધારીઓનું કામ હોય છે.

25મી જુલાઈએ શપથ લેનારા 10મા રાષ્ટ્રપતિ :

દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેનારા 10મા રાષ્ટ્રપતિ હશે. વર્ષ 1977થી રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેતા આવ્યા છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950ના રોજ શપથ લીધા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણને 13મે 1962ના રોજ શપથ લીધા હતા. બે રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહેમદ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. કારણ કે તેમનું કાર્યકાળ દરમિયાન નિધન થઈ ગયું.

છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ 25 જુલાઈ 1977ના રોજ શપથ લીધા. ત્યારથી 25 જુલાઈએ જ્ઞાની જેલસિંહ, આર વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ, પ્રણવ મુખરજી, અને રામનાથ કોવિંદે આ તારીખે શપથ લીધા હતા.

આ પણ વાંચો –

પાવાગઢની એવી બે જગ્યા જે Google Mapમાં પણ નહીં મળે, ચોમાસામાં જોવા મળે છે અદ્ભુત નજારો

0

Two such places of Pavagadh

  • પાવાગઢમાં આવેલ મહાકાળી માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે.

ગુજરાતમાં (Gujarat) ફરવાલાયક સ્થળો તો ઘણા છે અને હાલ પ્રવાસીઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાતનાં અલગ અલગ સ્થળોની (different places) અલગ અલગ સુંદરતા અને મહત્વ છે. ધાર્મિક રીતે અઢળક મંદિરો અને ફરવા માટે મનમોહી લે એવા કુદરતી દ્રશ્યોથી ભરપૂર ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદનું આગમન (Arrival of rain) થાય એટલે કેટલાક વિસ્તારો અને જગ્યા સ્વર્ગથી ઓછી નથી દેખાતી.

એવું જ એક છે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે અને આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શન કરવા માટે આવી પંહોચે છે, એક ધાર્મિક માન્યતા અનુસાર પાવાગઢના આ મંદિરનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે. પર્વત પર આવેલા પાવાગઢમાં આવેલ મહાકાળી માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે.

પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે જે ચોમાસામાં કોઈ સ્વર્ગથી ઓછુ નથી દેખાતું. ચાંપાનેર સુધી પંહોચવા માટે જંગલો વચ્ચે બનાવેલ રસ્તામાંથી થઈને જવું પડે છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અત્યારે ત્યાં ફરવાની મજા જ કંઇક અલગ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે 3 જુલાઈ, 2004ના રોજ ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજ્જો પણ આપ્યો હતો. જંગલોની વચ્ચે બે એવા વૉટરફોલ આવેલા છે જ્યાં પ્રકૃતિ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને આહ્લાદક નજારો જોવા મળે છે. આ જગ્યા પર ટ્રેક કરીને પહોંચવું પડે છે અને રસ્તો પણ જંગલોમાંથી પસાર થાય છે.

હાથણી માતા વોટરર્ફ્લો :

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અભ્યારણની સાવ નજીક આવેલ છે આ હાથણી માતા વૉટરફોલ.આ જગ્યાની ખાસિયત એ છે કે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અંહિયા ડુંગરો પરથી પાણીનો કુદરતી ધોધ વહે છે.  પંચમહાલ જિલ્લામાં આવેલ આ હાથણી માતાનો આ ધોધ જાંબુઘોડાથી 16 કિમી દૂર સરસવા ગામ પાસે આવેલ છે. પંચમહાલના મુખ્ય શહેર ગોધરાથી આ ધોધ લગભગ 56 કિલોમીટર દૂર આવેલ છે.

ખુણિયા મહાદેવ :

ચોમાસાની આ ઋતુ દરમિયાન પાવાગઢના ડુંગર પરથી ઘણાં ધોધ નીકળે છે અને એમાંથી એક ખુબ જ સુંદર અને લોકોની નજરમાં ખુબ ઓછો આવેલ ધોધ ખુણિયા મહાદેવનાં મંદિર પાસે આવેલ છે. હાલોલ થી પાવાગઢ પહોંચતાનાં રસ્તા વચ્ચે ખુણિયા મહાદેવનું મંદિર આવેલ છે. જે જંગલ વિસ્તારમાં આવેલ છે અને ત્યાં ફક્ત જંગલો વચ્ચેથી ચાલીને જ પહોંચી શકાય છે. આ મંદિરની પાસે જ એક ધોધ આવેલ છે જેને ખુણિયા ધોધ તરીકે ઓળખવામાં આવે છે. એ ધોધમાં નાહવા જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને મંદિરની બહાર જ એક સુચના લખવામાં આવી છે.

સાત કમાન :

પાવાગઢ ડુંગર આવેલા માંચીથી તળેટી તરફ  જતા એક કિલોમીટર દૂર આવેલા સાત કમાન આવેલ છે. આ સદ્દન શાહ અને બુધિયા દરવાજા વચ્ચે નીચલી ટેકરીના કિનારે આવેલું છે. સાત કામન એટલે સાત કમાનો. જો કે, ત્યાં માત્ર 6 કમાનો છે જે હાલમાં અસ્તિત્વમાં છે. સાત કમાનથી આસપાસના વિસ્તારનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે અને ખાસ કરીને ચોમાસામાં અહીંનાં નજારાની વાત જ કંઇક અલગ છે.

આ પણ વાંચો –