Home Blog Page 1369

 રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટને લઈને વિવાદ વધ્યો, આ NGOએ નોંધાવી પોલીસમાં ફરીયાદ

Controversy grew over Ranveer

  • ન્યૂડ ફોટોશૂટ કરાવવાના મામલે ભારતીય સંસ્કૃતિનો હવાલો આપતા એક NGOએ મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બોલીવૂડ એક્ટર (Bollywood actor) રણવીર સિંહે (Ranveer Singh) થોડા સમય પહેલાં જ એક ફોટોશૂટ કરાવ્યો છે. જેને સોશિયલ મીડિયામાં (Social media) પોસ્ટ કરતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યો છે. પેપર મેગેજીન માટે કરાવેલા આ ફોટોશૂટના કારણે રણવીર સિંહ વિરુદ્વ મુંબઈમાં (Mumbai) ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે મુંબઈ પોલીસમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર તેની ન્યુડ ફોટો દ્વારા “મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા” માટે FIR  નોંધવા માટે અરજી કરવામાં આવી હતી.

આ માહિતી અનુસાર, ફરિયાદી વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતા અને એડવોકેટ અખિલેશ ચૌબે છે. તેઓ એક બિન-સરકારી સંસ્થા (NGO)ના પદાધિકારી પણ છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, “અભિનેતાએ પોતાના આ ન્યૂડ ફોટોથી મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને તેમની નમ્રતાનું અપમાન કર્યું છે. ફરિયાદીએ અભિનેતા વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે.

અધિકારીએ કહ્યું, “અમને સોમવારે એક NGO સાથે સંકળાયેલ વ્યક્તિ તરફથી અરજી મળી છે, જોકે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. અમે પૂછપરછ કરી રહ્યા છીએ,”

આ પણ વાંચો :-

ઉંચું સેટિંગ લાગે છે ! ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે એલન મસ્કના અફેર અંગે જાણો અંદરની વાત

Looks like a high setting

  • એલન મસ્ક અને સર્ગેઈ બ્રિન ખૂબ જ નજીકના મિત્રો હતા. સિલિકોન વેલીમાં આવેલા બ્રિનનાં ઘરે મસ્કની અવરજવર વધુ હતી. આ દરમિયાન મસ્ક અને નિકોલ શનહાન એકબીજાની નજીક આવ્યા. રિપોર્ટ અનુસાર મસ્ક અન નિકોલનું અફેર ત્યારે શરૂ થયું જ્યારે મસ્કનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયુ હતું.

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન (Rich businessman) પોતાના કામ સિવાય પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં એલન મસ્કના (Elon Musk) સીક્રેટ અફેરનો ખુલાસો થયો છે. જાણવા મળ્યુ છે કે ટેસ્લાના CEO એલન મસ્ક ગૂગલના કો-ફાઉન્ડર (Co-founder of Google) સર્ગેઈ બ્રિનની (Sergey Brin) પત્ની નિકોલ શનહાન (Nicole Shanahan) સાથે રિલેશનમાં છે.

સર્ગેઈ બ્રિને નિકોલ શનહાન સાથે છૂટાછેડાની અરજી આપી :

તમને જણાવી દઈએ કે, ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિને થોડા સમય પહેલા જ પત્ની નિકોલ શનહાન પાસેથી છૂટાછેડા લેવાની અરજી આપી હતી. વોલ સ્ટ્રીટના અહેવાલ પરથી જાણવા મળ્યુ છે કે, સર્ગેઈ બ્રિનને જ્યારે પત્ની નિકોલનું અફેર એલન મસ્ક સાથે ચાલતું હોવાની જાણ થઈ ત્યારબાદ છૂટાછેડા માટે અરજી આપી હતી.

આ રીતે શરૂ થયુ મસ્ક અને શનહાન વચ્ચે અફેર :

એલન મસ્ક અને સર્ગેઈ બ્રિન ખૂબ જ નજીકના મિત્રો હતા. સિલિકોન વેલીમાં આવેલા બ્રિનનાં ઘરે મસ્કની અવરજવર વધુ હતી. આ દરમિયાન મસ્ક અને નિકોલ શનહાન એકબીજાની નજીક આવ્યા. રિપોર્ટ અનુસાર મસ્ક અન નિકોલનું અફેર ત્યારે શરૂ થયુ જ્યારે, મસ્કનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયુ હતું.

અફેર બાદ બ્રિને છૂટાછેડા માટે અરજી આપી :

સર્ગેઈએ આ વર્ષે જાન્યુઆરીમાં પત્ની નિકોલ શનહાન સાથે મતભેદ હોવાનો હવાલો આપીને છૂટાછેડા માટે અરજી કરી હતી. મસ્ક અને બ્રિનનાં કોમન ફ્રેન્ડ પાસેથી જાણવા મળ્યુ છે કે, બ્રિનને જ્યારે પત્નીના અફેરની જાણ થઈ ત્યારપછી છૂટાછેડા માટે અરજી કરી હતી. જોકે, બ્રિનનાં વકીલે આ વાત અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

મસ્ક તરફથી સામે આવી પ્રતિક્રિયા :

નિકોલ શનહાન સાથે અફેરની ચાલી રહેલી ચર્ચાઓ પર એલન મસ્કે આપી પ્રતિક્રિયા. તમામ પ્રકારની વાતો અફવા હોવાની કરી વાત. સાથે જ જણાવ્યું કે, ‘સર્ગેઈ બ્રિનનાં ઘરે એકાદ-બે વાર મુલાકાત થઈ છે. સર્ગેઈ અને હું સારા મિત્રો છે. ગઈકાલે જ એક પાર્ટીમાં અમારી મુલાકાત થઈ હતી. નિકોલ સાથે 3 વર્ષમાં માંડ એક-બેવાર મુલાકાત થઈ હશે.’

સર્ગેઈ બ્રિને કરી હતી એલનની મદદ :

રિપોર્ટ અનુસાર એલન મસ્ક અને સર્ગેઈ બ્રિન વર્ષો જૂના મિત્રો હતા અને 2008માં બંને આર્થિક સંકટમાં ફસાયેલા હતા. આ દરમિયાન સર્ગેઈ બ્રિને મદદ કરીને મિત્રની ટેસ્લા કંપનીને દેવાળિયું ફૂંકતા બચાવી હતી.

આ પણ વાંચો :-

ક્યાં ખોવાઈ ગયા CID ના સીનિયર ઈન્સ્પેક્ટર અભિજીત ? જાણો અત્યારે શું છે હાલત

Where is CID Senior Inspector

  • કેટલાક કલાકાર માત્ર એક્ટિંગ જ નથી કરતા પરંતુ પોતાની અદભૂત એક્ટિંગને કારણે લોકોના દિલો પર રાજ કરે છે. આવું જ એક કિરદાર એટલે CID સીરિયલના સીનિયર ઈન્સ્પેક્ટર અભિજિત.

CID દેશમાં સૌથી લાંબો સમય ચાલેલા શોમાંથી એક છે. જેમાં ઈન્સ્પેક્ટર અભિજીતની (Inspector Abhijit) ભૂમિકા આદિત્ય શ્રીવાસ્તવ (Aditya Srivastava) નિભાવી રહ્યા છે. 59 વર્ષના આદિત્ય શ્રીવાસ્તવ વિશે કેટલીક વાતો તમે નહીં જાણતા હો. હાલ તેઓ શું કરે છે ? શું કામ કરે છે ?

ક્યાં ગુમ છે આદિત્ય શ્રીવાસ્તવ ?

આદિત્ય શ્રીવાસ્તવને તેમના સાચા નામથી કદાચ કોઈ ઓળખતું નહીં હોય, પરંતુ બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો ઈન્સ્પેક્ટર અભિજીત તરીકે તમને વધારે ઓળખે છે. સોની ટીવીના શો CIDમાં તેમણે માત્ર ઈન્સ્પેક્ટરની ભૂમિકા જ ભજવી ન હતી, પરંતુ લોકોના દિલો પર આ પાત્રથી રાજ પણ કર્યું છે. કદાચ આ જ કારણ છે કે લોકો આજે પણ તેમને CIDના ઇન્સ્પેક્ટર તરીકે જ યાદ કરે છે. CIDનો પહેલો એપિસોડ 1998માં અને છેલ્લો 2018માં પ્રસારિત થયો હતો.

આદિત્ય શ્રીવાસ્તવ –

આદિત્ય એટલે કે અભિજિત માત્ર ટેલિવિઝન કલાકાર જ નથી, પરંતુ તેમણે બોલિવૂડ અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. યુપીના પ્રયાગરાજમાં 1968માં જન્મેલા આદિત્યએ ઈન્ડસ્ટ્રીમાં ઘણી લાંબી સફર કાપી છે. પરંતુ તેમને અસલી ઓળખ CID સીરિયલથી જ મળી હતી. CIDના પત્યા પછી, આદિત્ય 2021માં તાપસી પન્નુની ફિલ્મ હસીન દિલરૂબામાં કિશોર રાવતની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. તો  આદિત્યના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે બોલે ચૂડિયાં ફિલ્મમાં પણ જોવા મળશે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી આદિત્ય શ્રીવાસ્તવ –

આજના આધુનિક યુગમાં દરેક નાના-મોટા કલાકાર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ જોવા મળે છે. ત્યાં આદિત્ય શ્રીવાસ્તવે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરી નથી. અને તેના કારણે તેમના લેટેસ્ટ પ્રોજેક્ટ વિશે પણ કોઈ માહિતી સામે આવતી નથી. ગયા વર્ષે જુલાઈમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે CIDની બીજી સીઝનનો ઉલ્લેખ ચોક્કસ કર્યો હતો, પરંતુ તે પછી શો વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી.

CID સ્ટારકાસ્ટ સાથે આદિત્ય શ્રીવાસ્તવ

આદિત્યએ બેન્ડિટ ક્વીન, સત્ય, દિલ સે, સાથિયા, લક્ષ્ય, બ્લેક ફ્રાઈડે, ગુલાલ અને મોહનદાસ જેવી ફિલ્મોમાં તેમની અભિનય કુશળતા બતાવી છે. CID ઉપરાંત તેમણે રાત હોને કો હૈ, અદાલત, રિશ્તે, સ્ટાર સેઇલર, 9 મલબાર હિલ, યે શાદી કેનોટ હેપન, વ્યોમકેશ બક્ષી અને કવિ કાલિદાસ જેવા શોમાં પણ કામ કર્યું છે. પરંતુ વાત ફરી ફરીને CIDમાં જે કામ કર્યું  તેના પર જ આવે છે. આ કામને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આદિત્ય જલ્દી જ ચાહકોની ઈચ્છાઓ પૂરી કરશે અને ટીવી પર કમબેક કરીને બધાને મોટું સરપ્રાઈઝ આપશે.

આ પણ વાંચો :-

 

વસતી ગણતરી બંધ રાખવાનો કેન્દ્રનો નિર્ણય, જાતિ આધારિત ડેટા પણ બહાર નહીં પડે, જાણો કારણ

0

Center’s decision to stop census

  • કેન્દ્ર સરકારે 2021ની વસતી ગણતરીને હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે અને આ સંબંધમાં લોકસભાને જાણ કરાઈ છે.

2021ની વસતી ગણતરી (Census) અને તે સંબંધિત તમામ કામ સરકારે મોકૂફ કરી દીધા છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે (Minister of State for Home Nithyananda Raye) લોકસભામાં જવાબ આપ્યો હતો. નિત્યાનંદ રાવે જણાવ્યું કે કોરોના મહામારીને કારણે 2021ની વસતી ગણતરી અને તે સંબંધિત તમામ કામ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે વસતી ગણતરી માટે ફરી વાર નિર્ણય લેવામાં આવશે.

વસતી ગણતરી બંધ કરવાનો નિર્ણય લેવાયો :

સરકારે કોરોના મહામારીને કારણે વસતી ગણતરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જાતિ આધારિત ડેટા રિલિઝ નહીં થાય :

કેન્દ્રીય મંત્રી રાયે લોકસભામાં જણાવ્યું કે જાતિ આધારિત ડેટા બહાર પાડવાની સરકારની કોઈ ઈચ્છા નથી. મંત્રીએ કહ્યું કે સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે હાલના તબક્કે જાતિ આધારિત ડેટા બહાર પાડવાની કોઈ દરખાસ્ત નથી.

અગાઉ પણ વસ્તી ગણતરી અભિયાન મોકૂફ રખાયું હતું :

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે અગાઉ પણ વસતી ગણતરી બંધ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગયા વર્ષે 7 ડિસેમ્બરે સંસદમાં માહિતી આપી હતી કે કોવિડ -19 રોગચાળાને કારણે વસ્તી ગણતરી 2021 અને વસ્તી ગણતરી સંબંધિત પ્રવૃત્તિઓ મુલતવી રાખવામાં આવી છે. ત્યારે સરકારે કહ્યું હતું કે આગામી વસ્તી ગણતરી, જેમાં વસ્તીવિષયક અને વિવિધ સામાજિક-આર્થિક માપદંડો જેવા કે શિક્ષણ, એસસી/એસટી, ધર્મ, ભાષા, લગ્ન, પ્રજનનક્ષમતા, વિકલાંગતા, વ્યવસાય અને વ્યક્તિઓના સ્થળાંતર પર ડેટા એકત્રિત કરવામાં આવે છે, તે પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે.

આ પણ વાંચો :-

એક ચોર હો તો ઐસા ભી ! આખા સુરતને માથે લેનાર શખ્સ પાસેથી કેવી રીતે 18 ગુનાનો ભેદ ખૂલ્યો ?

If you are a thief, so is Aisa

  • સાજીદ હાઈપ્રોફાઈ જીવનશૈલી જીવવા માટે સુરત શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળ, બાગ બગીચા તેમજ જાહેર જગ્યાઓ પર ફરી તકનો લાભ લઈ વાહનો ચોરી કરતો હતો. ચોરેલા વાહનો અલગ અલગ અવાવરૂ જગ્યાઓ પર સંતાડી રાખી અનુકુળ સમયે વાહનોને ગુજરાત તેમજ ગુજરાત બહાર વેચાણ કરતો હતો.

દેશ -વિદેશમાં ફરવા જવાની ઈચ્છાઓ અને મોજશોખ (fun) પુરા કરવા માટે અનેક લોકો શોર્ટકટ તરકીબો આપનાવી  ગુનાખોરીના રવાડે ચઢતાં હોય છે. ત્યારે સુરત પોલીસે એક એવા વાહનચોરને (Car thief) પકડી પાડ્યો છે. જેની પાસેથી 19 બાઇક કબજે કરી 18 ગુનોઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

મદદનીશ પોલીસ કમિશ્નર ઝેડ આર દેસાઇએ જણાવ્યું હતું કે વાહનચોરી, મોબાઇલ ચોરી, ધરફોડ ચોરી, જુગાર પ્રોહીબિશન તથા શરીર સંબંધી વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર દ્વારા સુચના અપાઈ હતી. ત્યારે રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી એક આરોપી જે વાહન ચોરીના કેસમાં ફરી રહ્યો છે તે સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ પસાર થવાનો છે. તેની પાસે આધાર પુરાવા વગરની સફેદ કલરની મોપેડ છે. જેને તે વેચાણ કરવા માટે સુરત રાંદેર ઉગત બોટનિકલ ગાર્ડનની સામેથી નીકળશે.

બાતમીના આધારે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેને 18 અનડીટેકટ ગુનાઓની કબૂલાત કરી હતી. સાથે જ અલગ અલગ કુલ્લે 19 મોટરસાયકલ અને મોપેડ મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ સુરતના મોમનાવાડ ખાડી, ગોપીપુરાનો અને મૂળ નિઝામપુર મહારાષ્ટ્રનો રહેવાસી છે.

સાજીદ હાઈપ્રોફાઈ જીવનશૈલી જીવવા માટે સુરત શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળ, બાગ બગીચા તેમજ જાહેર જગ્યાઓ પર ફરી તકનો લાભ લઈ વાહનો ચોરી કરતો હતો. ચોરેલા વાહનો અલગ અલગ અવાવરૂ જગ્યાઓ પર સંતાડી રાખી અનુકુળ સમયે વાહનોને ગુજરાત તેમજ ગુજરાત બહાર વેચાણ કરતો હતો. વાહન ચોરી કરી તેને વેચી મોટા પ્રમાણમાં રૂપિયા મેળવી દેશ-વિદેશમાં ફરવાની ઈચ્છા રાખતો હતો.

આ પણ વાંચો –

ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો : સૂત્રો

0

Champion javelin thrower Neeraj Chopra

  • ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. વાસ્તવમાં નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

ચેમ્પિયન જેવલિન થ્રોઅર (Champion javelin thrower) નીરજ ચોપરા મંગળવારે હેમસ્ટ્રિંગના તાણને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો હતો. હકીકતમાં નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની (Neeraj World Athletics Championship) ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ જ ઈજાના કારણે નીરજને આ મોટી ટુર્નામેન્ટમાંથી (tournament) બહાર થવું પડ્યું છે.  સૂત્રના જણાવ્યા અનુસાર, નીરજને જંઘામૂળમાં ઈજા થઈ હતી. જોકે નીરજને આશા હતી કે તે કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ભાગ લેશે, પરંતુ ઈજાના કારણે તેને કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થવું પડ્યું હતું.

વાસ્તવમાં, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 88.13 મીટર ફેંકતી વખતે નીરજને જાંઘમાં ઈજા થઈ હતી. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ જણાવ્યું હતું કે ચોપરાનું સોમવારે યુએસમાં એમઆરઆઈ કરવામાં આવ્યું હતું અને તેમને એક મહિનાના આરામની સલાહ આપવામાં આવી છે. “ભારતીય બરછી ફેંકનાર નીરજ ચોપરાએ આજે ​​સવારે યુએસથી ફોન પર મારી સાથે વાત કરી અને ફિટનેસની ચિંતાઓને કારણે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે અસમર્થતા વ્યક્ત કરી.

મહેતાએ જણાવ્યું હતું કે, “યુજેનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધા પછી, ચોપરાએ સોમવારે એમઆરઆઈ કરાવ્યું હતું અને તેની તબીબી ટીમે તેને એક મહિનાનો આરામ કરવાની સલાહ આપી છે.”
બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં 5 ઓગસ્ટે ભાલા ફેંકની શરૂઆત થવાની હતી. તેની ફાઈનલ 7 ઓગસ્ટે યોજાશે.

ક્વોલિફાઈંગ રાઉન્ડ મેન્સ જેવલિન થ્રોમાં 5મી ઓગસ્ટે રમાશે જ્યારે ફાઈનલ 7મી ઓગસ્ટે રમાશે. પરંતુ નીરજના એક્ઝિટ થતાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવવાની આશા ધૂંધળી જણાઈ રહી છે.

તાજેતરમાં રમાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ લખ્યો હતો. તે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ બન્યો હતો.

આ પણ વાંચો :-

બરવાળા લઠ્ઠાકાંડમાં જે મહિલા ASI ની સંડોવણી ખૂલી તેની બદલીના આદેશ છૂટ્યા  

The transfer orders of the woman

  • મહિલા ASI આસમીબાનુ ઝડકીલાની હેડ ક્વાર્ટરમાં બદલી કરાઈ છે. મહિલા ASI ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં તેની લઠ્ઠાકાંડના હપ્તામાં સંડોવણી ખૂલી.

બરવાળાના રોજીદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં (Lattakand) 31 લોકોના મોત બાદ પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ પહેલુ એક્શન લીધુ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં (Viral audio clip) જે મહિલા એએસઆઈનો રોલ સામે આવ્યો છે તેની બદલી કરવાના આદેશ છૂટ્યા છે. મહિલા ASI આસમીબાનુ ઝડકીલાની હેડ ક્વાર્ટરમાં (Head Quarters) બદલી કરાઈ છે. મહિલા ASI ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં તેની લઠ્ઠાકાંડના હપ્તામાં સંડોવણી ખૂલી છે.

શું હતો આસમીબાનુ ઝડકીલાનો રોલ  :

લઠ્ઠાકાંડ વચ્ચે હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ સાથે હપ્તાના સેટિંગની ઓડિયોમાં વાતચીત સ્પષ્ટ સાંભળવા મળી રહી છે. બરવાળા પોલીસ સ્ટેશનના ASI ની ઓડિયો ક્લીપ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જેમાં બરવાળા ASI અને હોમગાર્ડ જવાન સાથેની વાતચીત છે. મહત્વનું છે કે વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં બરવાળાના મહિલા ASI આસમીબાનુ ઝડકીલા અને હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે બુટલેગર હપ્તાને લઈ સેટિંગની વાતચીત કરી રહ્યો છે.

જેમાં બૂટલેગર મહિલા ASI સાથે ચોકડી ગામના બુટલેગર મેહુલનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે. તો બીજી ક્લીપમાં હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી અને બુટલેગરની ચર્ચા છે. જેમાં મેડમ એટલે કે આસમીબાનુ ઝડકીલાને આપવાનો થતો હપ્તો ક્યાં લેવા આવશો, તે અંગે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હાલ કથિત લઠ્ઠાંકાંડ વચ્ચે બુટલેગર સાથે સેટિંગની ઓડિયો ક્લીપ ટોક ઓપ ધ ટાઉન બની છે.

ઉલ્લેખનીય છે કે, એમોઝ નામની કંપનીમાંથી મિથેનોલ કેમિકલ મોકલાયું હતું. અમદાવાદના પીપળજ ખાતે એમોઝ કંપની આવેલી છે. એમોઝ કંપનીમાંથી જ મિથેનોલ કેમિકલ મોકલાયું હતું. જેમાં રાજુ નામના શખ્સે મિથેનોલ કેમિકલ મોકલ્યું હોવાનો ખુલાસો થયો છે. રાજુએ ત્રણ બેરલ મિથેનોલ કેમિકલ મોકલ્યું હતું. ડભોઇ ગામમાં પિન્ટુ અને સંજયે મિથેનોલના ત્રણ બેરલ ઉતાર્યા હતા.

દારૂ વેચવામાં મહિલા પણ સામેલ :

બરવાળાના કથિત લઠ્ઠાકાંડમાં પોલીસે બુટલેગરોને રાઉન્ડ અપ કર્યા છે. આ ઝોરી દારૂ વેચવામાં પુરુષો સાથે મહિલાઓ પર સામેલ છે. ધરપકડ કરાયેલ તમામ બુટલેગરો પર 302 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે બોટાદ એસપી પત્રકાર પરિષદ કરશે. બાવળા પોલીસે લઠ્ઠાકાંડમાં પોલીસ ફરિયાદ નોંધી છે. 13 લોકો સામે બાવળા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાઈ છે. જેમાં વધુ લોકોના પણ નામ સામેલ થઈ શકે છે.

આ પણ વાંચો :-

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ‘કોમનવેલ્થ ગેમ્સ 2022’ માટે બર્મિંગહામ જવા રવાના, BCCIએ વીડિયો શેર કર્યો

0

Indian women’s cricket team

  •   સ્મૃતિ મંધાના ટીમની વાઈસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે.

હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (India Women Cricket Team) કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માટે રવિવારે (24 જુલાઈ) બર્મિંગહામ જવા રવાના થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ટીમ બેંગ્લોરથી રવાના થઈ છે. કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ ઉત્સાહમાં જોવા મળી રહ્યી છે અને ટીમ ગોલ્ડ (Team Gold) કબજે કરવાનો વિશ્વાસ ધરાવે છે.

ભારતીય બોર્ડે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, આજે સવારે બેંગ્લોરથી બર્મિંગહામ જવા રવાના થયેલી ‘ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન’. સ્મૃતિ મંધાના ટીમની વાઈસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે. ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત 29 જુલાઈના રોજ વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય પાકિસ્તાન અને બાર્બાડોસની ટીમો છે.

ફાઈનલ મેચ 7 ઓગસ્ટે રમાશે :

ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો છે. ટૂર્નામેન્ટની તમામ 16 મેચ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મલ્ટી-સ્પોર્ટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ 29 જુલાઈથી શરૂ થશે જ્યારે ફાઈનલ અને ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચ 7 ઓગસ્ટે રમાશે. એક દિવસમાં બે મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે રમાશે જ્યારે બીજી મેચ રાત્રે 10:30 કલાકે રમાશે.

CWG 2022 માટે 15 સભ્યોની ભારતીય મહિલા ટીમ :

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, એસ મેઘના, તાનિયા ભાટિયા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, રાધા યાદવ, હરલીન દેઓલ, સ્નેહ રાધા.

આ પણ વાંચો –

દારૂ નહિ મોતનો સામાન હતો, લઠ્ઠાકાંડમાં મૃતકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું

Alcohol was not the substance

  • ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા અને મિથેનોલ સપ્લાય કરનાર આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ હતું.

બરવાળાના લઠ્ઠાકાંડ (Lathtakand of Barwala) મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જે મિથેનોલ કેમિકલ (Methanol Chemical) 24 લોકોના મોતનો સામાન બન્યો તે ખરીદવામાં નહિ, પણ ચોરવામાં આવ્યુ હતું. ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) કસ્ટડીમાં આવેલા આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જયેશ 200 લીટર કેમિકલના 60,000 આપ્યા હતા.

તો બીજી તરફ, લઠ્ઠાકાંડ મામલે મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરી છે. તાત્કાલિક ધોરણે તપાસ તથા રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ અસર ગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને સૂચના અપાઈ છે.

મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું :

ગુજરાત પોલીસનો દાવો કે માર્યા ગયેલા લોકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું. સંજય પિન્ટુ અને તેના સાગરીતો દારૂની કોથળીઓના બદલામાં સીધું જ કેમિકલ લોકોને વેચી દીધુ હોવાનું સામે આવ્યુ છે. જે તેમના મોતનું કારણ બન્યુ હતું. આમ, મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું. દારૂની કોથળીના બદલામાં આરોપીઓ કેમિકલ વેચતા હતા. સંજય, પિન્ટુ અને તેના સાગરીતોએ લોકોને દારૂના બદલામાં કેમિકલ વેંચ્યુ હતું. આ સાથે જ મુખ્ય આરોપી જયેશે કેમિકલ ચોર્યુ હોવાનો ખુલાસો પોલીસ પુછપરછમાં કર્યો છે.

જયેશે મિથનોલ કન્ટેનરમાંથી ચોર્યું હતું :

અત્યાર સુધીમાં આરોપીઓ દ્વારા કુલ 600 લીટર સપ્લાય કરવામાં આવ્યું છે, જેમાંથી SIT ની ટીમે 450 લીટર મિથેનોલ કેમિકલ કબ્જે કરી લીધું છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા અને મિથેનોલ સપ્લાય કરનાર આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ છે. જયેશે 200 લીટર કેમિકલના રૂપિયા 60,000 આપ્યા હતા.

દારૂ વેચવામાં મહિલા પણ સામેલ :

બરવાળાના કથિત લઠ્ઠાકાંડમાં પોલીસે બુટલેગરોને રાઉન્ડ અપ કર્યા છે. આ ઝોરી દારૂ વેચવામાં પુરુષો સાથે મહિલાઓ પર સામેલ છે. ધરપકડ કરાયેલ તમામ બુટલેગરો પર 302 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે બોટાદ એસપી પત્રકાર પરિષદ કરશે.

ઝેરી દારૂ પીનારી એક મહિલા પણ સારવારમાં :

અમદાવાદ-બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં 24 લોકોનાં મોત થયા છે. ઝેરી દારૂ પીવાને લીધે કુલ 24 મૃત્યુ અને 37 હોસ્પિટલમાં હજી સારવાર હેઠળ છે. આ તમામ અલગ અલગ ગામના છે. રોજીદના 6 લોકોનાં અને અણિયાળીના 3 લોકોનાં મૃત્યુ થયા. આકરુના 3 અને ચંદરવા ગામના 2 લોકોનાં ઝેરી દારૂથી મૃત્યુ થયા. ઉંચડી ગામના 2 લોકોનાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયાં. તો ભાવનગરની હોસ્પિટલમાં 1 મહિલા પણ ગંભીર હાલતમાં દાખલ છે. આમ, કુલ 37 દર્દીઓ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદ લાવવામાં આવ્યા દર્દી :

બરવાળા લઠ્ઠાકાંડના કેટલાક દર્દીઓને હવે સારવાર માટે અમદાવાદ લાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ 12 જેટલા દર્દીઓને દાખલ કરાયા છે. હાલ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ગઈકાલ રાતથી દર્દીઓ એક બાદ એક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

સરદાર સરોવર ડેમની જળ સપાટી 126 મીટરે પહોંચી, નર્મદામાં પાણી છોડાતા નદી બે કાંઠે

0

The water level of Sardar Sarova

  • સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એક સપ્તાહથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી.

નર્મદા (Narmada) જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળ સપાટી આજે તા. 25 જુલાઇ, ૨૦૨૨ ને સોમવારના રોજ બપોરે 02:00 કલાકે 126.66 મીટરે નોંધાયેલ છે અને દર કલાકે 10 થી 12 સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે. જ્યારે ડેમમાં 1.30 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે.

આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 6101.32 મિલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. છેલ્લા એક સપ્તાહથી હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું હોવાની જાણકારી સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરફથી પ્રાપ્ત થઇ છે.

સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એક સપ્તાહથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી. હાલમાં છેલ્લા દસેક દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે.

જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂાપિયા 4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળું એક કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં 0.5 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ દરરોજ સરેરાશ રૂા. 10 લાખની કિંમતનુ 0.5 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ 3,500 ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

આ પણ વાંચો :-