Home Blog Page 1367

વરસાદનો બીજો રાઉન્ડ પુરો ! હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી વરસાદને લઈને કરી આગાહી

0

Another round of rain is over

  • ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. બીજી તરફ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.

રાજ્યમાં હાલ વરસાદી માહોલ (Rainy weather) ચાલી રહ્યો છે. ગુજરાતમાં બીજો રાઉન્ડનો ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. પરંતુ આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. તેમ છતાં ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી તો છે જ. આગામી 24 કલાકમાં બનાસકાંઠા (Banaskantha) અને સાબરકાંઠામાં (Sabarkantha) વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી બાજુ ગુજરાતમાં 66 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં વધુ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. બીજી તરફ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 27મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તે પાક્કું છે. પરંતુ એક અઠવાડિયા બાદ દેશમાં ફરીથી સોમાચું સક્રિય થશે અને બીજી ઓગસ્ટથી ચોથી ઓગસ્ટ સુધી ભારે વરસાદનો યોગ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં પણ વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.

અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો ?

ગુજરાત રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 69.22 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 117.16 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.77 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 60.38 ટકા, સૌરાષ્ટ્રમાં 61.32 ટકા અને દક્ષિમ ગુજરાતમાં 81.92 ટકા વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો :-

સરથાણાની ખાનગી હોસ્પિટલમાં પરિણીતાનું મોત ; ડોક્ટર પર લાગ્યો મોટો આક્ષેપ

0

Death of wife

  • જોકે પ્રિયંકાનું મોત તેને વધારે પડતું એનેસ્થેસિયા આપવાથી તથા તબીબો સહિત સ્ટાફ્ની બેદરકારીના કારણે થયું હોવાનો આરોપ પરિવારે કર્યો હતો.પરિવારના આક્ષેપોના આધારે સરથાણા પોલીસ દ્વારા મૃતક પ્રિયંકાનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે.

રાજ્યમાં એવા ઘણી ઘટનાઓ બનતી હોય છે, જેમાં બેદરકારીના કારણે દર્દીને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, ત્યારે સુરત શહેરના કાપોદ્રાની (Kapodra) મહિલાનું સરથાણાની ખાનગી હોસ્પિટલમાં (Private Hospital) એપેન્ડિક્સના ઓપરેશન (Operations of the appendix) બાદ તબિયત વધુ લથડતા મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં આ ઘટના બાદ વિવાદ વકર્યો હતો.

વિવાદને પગલે પતિ સહિત પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સહિત સ્ટાફની બેદરકારીના કારણે તેનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલો બિચકાતા પરિવારે પોલીસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું જણાવ્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં ઘેટી ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણધણ ઓનલાઇન માર્કેટિંગની ઓફ્સિ ચલાવે છે. તેમની પત્ની ૨૫ વર્ષીય પ્રિયંકાને એપેન્ડિક્સની તકલીફ હતી. જેથી તેણીનું સરથાણા જકાતનાકાની આનંદ સર્જિકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સોમવારે સવારના સમયે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં ઓપરેશન બાદ પ્રિયંકાની તબિયત લથડવા લાગતા તેનું મોત થયું હતું.

વધુમાં વિવેકના જણાવ્યા મુજબ પ્રિયંકાનું ઓપરેશન કર્યા બાદ કલાકો સુધી ભાનમાં આવી ન હતી. ત્યારબાદ ડોક્ટરને જાણ કરવામાં આવી હતી. ડોક્ટરે તપાસ કરતા પ્રિયંકાનું હૃદયના હુમલાને કારણે મોત થયું હોય તેવું લાગી રહ્યું છે.

જોકે પ્રિયંકાનું મોત તેને વધારે પડતું એનેસ્થેસિયા આપવાથી તથા તબીબો સહિત સ્ટાફ્ની બેદરકારીના કારણે થયું હોવાનો આરોપ પરિવારે કર્યો હતો.પરિવારના આક્ષેપોના આધારે સરથાણા પોલીસ દ્વારા મૃતક પ્રિયંકાનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે તથા સેમ્પલ લઈને લેબમાં મોકલી આપ્યા છે.

રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણવા મળશે. પોસ્ટમોર્ટમ થયા બાદ પણ મંગળવારે રાત સુધી મૃતક પ્રિયંકાના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો. તેઓએ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી બાદ જ મૃતદેહ સ્વીકારવાની માંગ કરી હતી.

આ પણ વાંચો :-

શું તમારે આવે છે મસમોટું લાઈટ બિલ ? 24 કલાક ફ્રી વીજળી માટે સરકારની આ યોજનાનો લાભ લો

0

Do you get a huge light bill

  • આ સરકારી યોજના દ્વારા તમે 24 કલાક ફ્રી વીજળી મેળવી શકશો. 25 વર્ષ સુધી તમારે કોઈ બિલ પણ નહીં આવે. ફટાફટ ચેક કરો વિગતો….

ગરમીની ઋતુમાં સૌથી વધુ વીજળીના (Electricity) મસમોટા બિલ પરેશાની ઊભી કરતા હોય છે. લોકોના ખિસ્સા ખાલી થઈ જતા હોય છે. ઉપરથી પાવરકટની મગજમારી અલગ. આવામાં તમારે ગ્રીન એનર્જી તરફ આગળ વધવું જોઈએ. જેનાથી વીજળીકાપથી (power outage) તો રાહત મળશે જ આ સાથે મોંઘા બિલથી પણ છૂટકારો મળશે. આ માટે તમારે તમારા ઘરની છત પર સોલર પેનલ (Solar panel) લગાવવી પડશે. જેમાં સરકાર પણ તમારી મદદ  કરશે.

સરકાર કરશે આ રીતે મદદ

સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે અને તમારા ઘરની છત પર તેને લગાવીને તમે તમારી જરૂરિયાત મુજબ સરળતાથી વીજળી ઉત્પન્ન કરી શકો છો. સોલર પેનલ લગાવવામાં કેટલો આવે છે અને તેમાં તમને સરકાર તરફથી શું સબસિડી મળશે તે વિગતો જાણો…

કેટલી મોટી પેનલની જરૂર તે જાણવું જરૂરી :

સોલર પેનલ લગાવવા માટે સૌથી પહેલા તો તમને એ માહિતી હોવી જોઈએ કે તમારે કેટલી વીજળીની જરૂર છે અને તમારે કેટલી મોટી સોલર  પેનલ મૂકાવવી પડશે. જો તમારી રોજની વીજળીની જરૂરિયાત 6થી 8 યુનિટ હોય તો તે માટે 2 કિલોવોટની સોલર પેનલ મૂકાવવી પડશે. તેમાં તમને ચાર સોલર પેનલ મળશે. જેને એકસાથે ભેગી કરીને લગાવવી પડે છે.

કેટલો આવશે ખર્ચ અને સબસિડીની વિગતો :

2 કિલો વોટની સોલર પેનલ લગાવવા માટે લગભગ 1.2 લાખ રૂપિયા ખર્ચ કરવા પડે છે. પરંતુ જો તમે તમારા ઘર પર લગાવશો તો સરકાર તેના પર 40 ટકા સબસિડી આપશે. એટલે કે 2 કિલોવોટની સોલર પેનલ માટે તમારે માત્ર 72 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. સોલર પેનલની સરેરાશ લાઈફ લગભગ 25 વર્ષ હોય છે. એટલે કે એકવાર પૈસા ખર્ચ કરીને 25 વર્ષ સુધી તમે વીજળીના તોતિંગ બિલથી છૂટકારો મેળવી શકો છે.

સોલર પેનલ માટે કેવી રીતે કરશો અરજી :

સૂર્ય ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની Ministry of New & Renewable Energy તરફથી સોલર રૂફ ટોપ યોજના ચલાવવામાં આવે છે. સોલર પેનલ લગાવવા માટે સોલર રૂફ ટોપ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ https://solarrooftop.gov.in/  પર જાઓ અને અપ્લાય ફોર સોલર રૂફટોપ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. જ્યાં રાજ્ય મુજબ લિંક પર ક્લિક કરો. ત્યારબાદ એક ફોર્મ ખુલશે. જેમાં તમે તમામ ડિટેલ્સ ભરી દો. સોલર પેનલ લગાવ્યાના 30 દિવસની અંદર સરકાર તરફથી સબસિડીની રકમ તમારા એકાઉન્ટમાં જમા કરી દેવાશે.

આ પણ વાંચો –

૨૮ જુલાઈ ગુરૂવારના રોજ આ રાશિના જાતકોની તમામ અધુરી ઈચ્છાઓ પૂરી થશે, બસ આટલી વાતોનું ધ્યાન રાખજો

On Thursday 28th July Gujarat Guardian

મેષઃ
આત્મ‌ વિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસ ભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ
બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યા સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દી પણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકાશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઈ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારીરિક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

સત્તા પરિવર્તન બાદ હવે પરિવાર પર નજર ? ઠાકરે પરિવારની પુત્રવધૂ સીએમ શિંદેને મળી

0

After the change of power

  • આજે ઠાકરે પરિવારની પુત્રવધુએ મુખ્યમંત્રી શિંદે સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે એકનાથ શિંદેએ ઠાકરે જૂથથી અલગ થઈને નવી સરકાર બનાવી છે અને ભાજપનું સમર્થન લીધું છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) સત્તા પરિવર્તન થયા બાદ પણ રાજકીય સંગ્રામ સતત ચાલી રહ્યો છે. શિવસેનામાં પણ ભંગાણના સમાચાર સામે આવ્યા. તેવામાં હવે ઠાકરે પરિવારની (Thackeray family) પુત્રવધુએ નવા મુખ્યમંત્રી એકનાથ શિંહે સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે એકનાથ શિંદે (Eknath Shinde) જૂથે અલગ થઈને નવી સરકાર બનાવી છે અને ભાજપનું સમર્થન લીધુ છે. પહેલા ઠાકરે જૂથ ભાજપ વિરુદ્ધ સરકાર ચલાવી રહ્યું હતું અને બાદમાં શિંદેએ તેની સાથે મળીને નવી સરકાર બનાવી લીધી છે.

બળવાખોરની સાથે વહુ !

સ્મિતા ઠાકરેની શિંદે સાથે મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ખુબ ચર્ચાઓ થવા લાગી છે. પરંતુ આ વચ્ચે સ્મિતા ઠાકરેએ કહ્યું કે એકનાથ શિંદે જૂના શિવસૈનિક છે, તેથી મુખ્યમંત્રી બનવા પર આજે તેમને શુભેચ્છા આપવા આવી હતી.

સવાલોનો આપ્યો જવાબ :

ત્યારબાદ સ્મિતાને પૂછવામાં આવ્યું કે તમે ઠાકરે પરિવારના સભ્યો છે અને આજે જે રાતનીતિ ચાલી રહી છે, તેમાંથી તમે એકનાથ શિંદેને મળવા આવ્યા છો? તેના જવાબમાં સ્મિતા ઠાકરેએ કહ્યું કે હું તેમને પહેલાથી જાણુ છું. તે જે ખુરશી પર બેઠા છે તેનો હું આદર કરુ છું. તેમનું કામ પણ હું જાણુ છું અને શિવસેનામાં તેમણે કેટલું કામ કર્યું છે, તે પણ જાણુ છું. મેં પરિવાર નથી જોયો બસ તેમને શુભેચ્છા આપવા આવી છું.

ક્યા જૂથમાં છે સ્મિતા ઠાકરે ?

ત્યારબાદ જ્યારે સ્મિતા ઠાકરેને પૂછવામાં આવ્યું કે શિવસેનામાં ઠાકરે જૂથ અને શિંદે જૂથ થઈ ગયા છે, તેવામાં તે કોની સાથે છે? તો સ્મિતા ઠાકરેએ કહ્યું કે તે હવે રાજનીતિમાં નથી અને સમાજસેવા કરે છે.

શું છે ઠાકરે પરિવાર સાથે કનેક્શન ?

ઉલ્લેખનીય છે કે સ્મિતા ઠાકરે બાલ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરેની પહેલી પત્ની હતી અને તે એક સમયે બાલા સાહેબની ખુબ નજીક હતી. હવે તે અલગ રહે છે અને સક્રિય રાજનીતિમાં છે. સ્મિતા ઠાકરે હાલ ફિલ્મ પ્રોડક્શન કંપની ચલાવે છે.

આ પણ વાંચો :-

6 વર્ષ ડેટિંગ કર્યા પછી ટાઈગર શ્રોફ અને દિશા પટનીનું બ્રેકઅપ, વર્ષ પહેલાં સંબંધમાં આવી હતી ખટાશ

Tiger Shroff and Disha Patni break up

  • બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. કપલ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, બંનેનું બ્રેકઅપ આ વર્ષની શરૂઆતમાં થઈ ગયું હતું.

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટની (Disha Patni) 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. કપલ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, બંનેનું બ્રેકઅપ આ વર્ષની શરૂઆતમાં થઈ ગયું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા એક વર્ષથી બંનેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. ટાઈગર અને દિશાએ ક્યારે પણ ઓફિશિયલી પોતાના સંબંધોને (own relations) એક્સેપ્ટ નથી કર્યા પરંતુ બંને હંમેશાં એક સાથે જોવા મળતા હતા.

ટાઈગર અને દિશા હવે સાથે નથી :

સૂત્રોના અનુસાર, ટાઈગર અને દિશા હવે સાથે નથી. બંનેની વચ્ચે શું થયું એ તો સ્પષ્ટ નથી પરંતુ બંને હવે સિંગલ છે. રિપોર્ટ્સ પ્રમાણે, બંનેના સંબંધોમાં છેલ્લા 1 વર્ષથી તકરાર ચાલી રહી હતી. જો કે, થોડા દિવસ પહેલા જ તેમને આ સંબંધોને અંત લાવવાનો નિર્ણય કર્યો.

આ બ્રેકઅપથી ટાઈગરને કોઈ ફરક નથી પડ્યો :

ટાઈગરના એક મિત્રએ બ્રેકઅપની પુષ્ટિ કરતા કહ્યું, અમને બધાને આ વિશે થોડા અઠવાડિયા પહેલા જ ખબર પડી. તેને અત્યાર સુધી કોઈને પણ આ વિશે વાત નથી કરી. અત્યારે ટાઈગર પોતાના કામ પર ધ્યાન આપી રહ્યો છે અને લંડનમાં શૂટિંગ કરી રહ્યો છે. તેને દિશાની સાથે બ્રેકઅપથી કોઈ ફરક નથી પડ્યો. તે પહેલાની જેમ જ પોતાનું કામ કરી રહ્યો છે.

ટાઈગર અને દિશાના અપકમિંગ પ્રોજેક્ટ :

દિશા અપકમિંગ ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે, તેમજ ટાઈગરની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ‘ગણપત’ અને ‘બાગી-4’ માં જોવા મળશે. દિશા છેલ્લે ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માં જોવા મળી હતી. તેમજ ટાઈગર ‘હિરોપંતી 2’માં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

કેમિકલ કાંડમાં અજીબ ઘટના, ભાવનગરમાં દર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલ છોડી ભાગ્યા

In a strange incident

  •  ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી કથિત લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકો હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા છે. અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓ હોસ્પિટલમાંથી ચાલતી પકડી.

કેમિકલ કાંડથી (Chemical stain) ગુજરાતમાં મોતના આંકડા વધી રહ્યા છે. કેમિકલકાંડમાં એક બાદ એક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. ભાવનગરની (Bhavnagar) સર.ટી. હોસ્પિટલમાં વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે. ત્યારે ભાવનગર સિવિલમાં અજીબ ઘટના બની રહી છે. કેમિકલ કાંડમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવારમાં આવેલા 13 જેટલા દર્દીઓ પ્રાથમિક સારવાર (First aid) લીધા બાદ હોસ્પિટલમાંથી જતાં રહ્યા છે. સિવિલ સર્જને આ મામલે સ્વીકાર્યું કે 13 જેટલા દર્દીઓ હોસ્પિટલમાંથી ચાલુ સારવારે જતા રહ્યા છે.

કેમિકલ કાંડ બાદ બોટાદવાસીઓ માટે સૌથી નજીક એવી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 90 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 18 દર્દીના મોત થયા છે. અહીં આવેલા 100 દર્દીઓ પૈકી 10 દર્દીને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે. પરંતુ ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી કથિત લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકો હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા છે.

અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓ હોસ્પિટલમાંથી જતાં રહ્યા છે. પોલીસે અને ડોકટરોએ ના પાડી હોવા છતાં અધૂરી સારવાર લઈને દર્દીઓ ચાલ્યા ગયા છે. હોસ્પિટલ દ્વારા આ દર્દીઓના નામનું લિસ્ટ બનાવી તેઓને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.

કેમિકલ કાંડ મુદ્દે ભાવનગર સર.ટી હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે, હાલ હોસ્પિટલમાં દર્દીઓની ડાયાલિસીસથી વધુ રિકવરી થાય છે. હાલ 54 દર્દીનું પ્રથમ ડાયાલિસીસ કરવામાં આવ્યું છે. 10 દર્દીનું સેકન્ડ ડાયાલિસીસ કરવામા આવ્યું છે. અમદાવાદ સિવિલની ટીમ 10 ડાયાલિસિસ મશીન સાથે સર.ટી હોસ્પિટલ આવી છે. હાલ 51 દર્દીઓ હોસ્પિટલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જેમાં એક જ દર્દી ક્રિટિકિલ હાલતમાં છે. તમામ મૃતકોના પીએમ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે. લેવામાં આવેલ સેમ્પલ રિપોર્ટ માટે તેમજ શરીરમાંથી કેમિકલ લેવામાં આવે છે અને તેના રિપોર્ટ એફએસએલમાં મોકલવામાં આવે છે, જેના રિપોર્ટ હજી આવવાના બાકી છે. હોસ્પિટલના તમામ તબીબી, મેડિકલ વિદ્યાર્થીઓ એક ટીમ બની કામ કર્યું છે.

આ પણ વાંચો :-

રોહિતના આવતાની સાથે જ ખુલશે આ વિસ્ફોટક બેટ્સમેનનું કિસ્મત, ધવનની કેપ્ટન્સીમાં નથી મળી તક

0

The fate of this explosive batsman

  • શિખર ધવનની કપ્તાનીમાં વિસ્ફોટક બેટ્સમેનને અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. ટી-20 સિરીઝમાં આ ખેલાડી રોહિતની પહેલી પસંદ બનવા જઈ રહ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે રમાનાર 5 મેચની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના (Rohit Sharma) હાથમાં હશે. હાલમાં શિખર ધવન (Shikhar Dhawan) વનડે સીરીઝમાં તેના સ્થાને ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. ધવનની કેપ્ટન્સીમાં ટીમનો એક વિસ્ફોટક બેટ્સમેન એક વખત પણ પ્લેઈંગ 11માં સામેલ થયો નથી. ટી-20 સિરીઝમાં આ ખેલાડી રોહિત શર્માની પહેલી પસંદ બનવા જઈ રહ્યો છે.

ધવનની કેપ્ટનશીપમાં તક મળી નથી :

વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી વનડે શ્રેણીની છેલ્લી મેચ 27 જુલાઈએ રમાશે. આ શ્રેણીમાં અત્યાર સુધી બે મેચ રમાઈ છે. પરંતુ કેપ્ટન શિખર ધવને સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી ન હતી. ઈશાન કિશન આ સિરીઝમાં ઓપનિંગ કરવાનો મોટો દાવેદાર હતો, પરંતુ તેના સ્થાને શુભમન ગિલને ટીમમાં ઓપનર તરીકે રમવાની તક આપવામાં આવી છે.

રોહિત શર્મા આવતાની સાથે જ સ્થાન મળે છે :

ઈશાન કિશન ODI શ્રેણી બાદ રમાયેલી T20 શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ છે. બીજી તરફ, શુભમન ગિલ અને શિખર ધવનને આ શ્રેણીમાં સ્થાન મળ્યું નથી. આવી સ્થિતિમાં ઈશાન કિશન આ સિરીઝમાં ઓપનર તરીકે રોહિત શર્માની પહેલી પસંદ બનવા જઈ રહ્યો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ પણ છે કે ઓપનર કેએલ રાહુલ આ સિરીઝની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ શકે છે. કેએલ રાહુલની ગેરહાજરીમાં ઇશાન કિશન રોહિત સાથે ઇનિંગની શરૂઆત કરતો જોવા મળશે.

ટીમ ઈન્ડિયા માટે સારો દેખાવ :

ઈશાન કિશનને હજુ સુધી ODI ક્રિકેટમાં વધારે તક મળી નથી. પરંતુ તેણે T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે સારો દેખાવ કર્યો છે. ઈશાન કિશને ભારત માટે અત્યાર સુધીમાં 3 વનડે અને 18 ટી20 મેચ રમી છે. આ 3 વનડેમાં તેણે 29.33ની એવરેજથી 82 રન બનાવ્યા છે, જેમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે. તે જ સમયે, 18 T20 મેચોમાં, તેના બેટએ 31.29 ની સરેરાશ અને 132.67 ની સ્ટ્રાઈક રેટથી 532 રન બનાવ્યા છે. ઇશાન કિશને ટી20માં 4 અર્ધસદી પણ ફટકારી છે.

આ પણ વાંચો :-

 

 મંત્રી પાર્થ ચેટર્જીએ 2 મહિલાઓના ઘરને બનાવી દીધા હતા ‘મિની બેંક’

0

Minister Partha Chatterjee

  • એસએસસીની પરીક્ષાઓ ઉપરાંત ટ્રાન્સફર, કોલેજીસને માન્યતા અપાવવી સહિતની ગતિવિધિઓ દ્વારા તે રોકડ મળતી હતી.

પશ્ચિમ બંગાળના (West Bengal) મંત્રી પાર્થ ચેટર્જીની (Partha Chatterjee) શિક્ષકોની ભરતીના કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે. ઈડીના દરોડામાં પાર્થ ચેટરજીની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીના (Arpita Mukherjee) ફ્લેટ પરથી કથિતરૂપે મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે. ત્યારે શિક્ષક ભરતી કૌભાંડ મામલે ચર્ચામાં આવેલી અર્પિતા મુખર્જીએ પુછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.

અર્પિતાના કહેવા પ્રમાણે તમામ રોકડ પેક કરીને એક જ રૂમમાં રાખવામાં આવતી હતી. પાર્થ ચેટર્જી અને તેમના માણસો જ તે રૂમમાં પ્રવેશ કરી શકતા હતા. પાર્થ ચેટર્જી દર અઠવાડિયે અથવા તો 10 દિવસે એક વખત ત્યાં આવતા હતા.

પાર્થે મારા ઘરનો મિની બેંક તરીકે ઉપયોગ કર્યો : અર્પિતા

અર્પિતાના કહેવા પ્રમાણે પાર્થ ચેટર્જી તેના અને અન્ય એક મહિલાના ઘરનો મિની બેંક તરીકે ઉપયોગ કરતા હતા. તે મહિલા પણ પાર્થની સારી મિત્ર છે. જોકે પાર્થે આજ સુધી કેટલા રૂપિયા છે તે અંગે કશું પણ નહોતું કહ્યું.

કઈ રીતે થઈ પાર્થ સાથે મુલાકાત :

પશ્ચિમ બંગાળની એક અભિનેત્રીએ જ અર્પિતાની પાર્થ સાથે મુલાકાત કરાવી હતી. તેણી 2016થી પાર્થની મિત્ર હતી પરંતુ આ પ્રકારની ખોટી ગતિવિધિઓની શરૂઆત 2 વર્ષ પહેલા જ થઈ હતી. એસએસસીની પરીક્ષાઓ ઉપરાંત ટ્રાન્સફર, કોલેજીસને માન્યતા અપાવવી સહિતની ગતિવિધિઓ દ્વારા તે રોકડ મળતી હતી.

હંમેશા પાર્થના માણસો પૈસા લાવતા :

અર્પિતાએ જણાવ્યું કે, પૈસા હંમેશા પાર્થના માણસો જ લઈને આવતા હતા, પાર્થ નહોતો લાવતો. આ તરફ ઈડીને પાર્થના ઘરેથી 2012ની ટીઈટી પરીક્ષાના પણ દસ્તાવેજો મળ્યા છે. અર્પિતાએ પણ અનેક સંપત્તિઓ અંગે ખુલાસો કર્યો છે. તેણીએ એક બ્રોકર તથા એક દિગ્ગજ કારોબારીનો ઉલ્લેખ કર્યો છે અને ઈડીએ તેમના ત્યાં પણ દરોડો પાડ્યો છે.

જાણો અર્પિતા મુખર્જી વિશે :

વર્ષ 2008થી 2014 દરમિયાન બંગાળી તથા ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહેલી અર્પિતા મુખર્જીએ મોડેલિંગ પણ કરેલું છે. મનોરંજન ઉદ્યોગમાં સીમિત સફળતા છતાં પણ તેણી પાસે દક્ષિણ કોલકાતાના જોકા વિસ્તારમાં એક શાનદાર એપાર્ટમેન્ટ છે. ઈડીના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે તેણી નિયમિતરૂપે શહેરના હુક્કાબારમાં જતી હતી તથા બેંગકોક અને સિંગાપુર વગેરેની મુસાફરી કરતી હતી.

આ પણ વાંચો :-