HomeNationalઅરે બાપ રે ! રીઝર્વ બેન્કેમાં પડેલા બેકાર કરોડો રૂપિયાનાં માલિકને શોધવાનું...

અરે બાપ રે ! રીઝર્વ બેન્કેમાં પડેલા બેકાર કરોડો રૂપિયાનાં માલિકને શોધવાનું શરૂ કર્યું

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

Oh my God ! Reserve Bank has

  • દેશની બેન્કોમાં 48,000 કરોડ દાવા વિનાના પડ્યા છે. એક જ વર્ષમાં બેન્કોના ખાતામાં દાવા વિનાની રકમમાં 9 હજાર કરોડ રૂપિયાનો વધારો. ગુજરાત સહિત આ આઠ રાજ્યોની બેન્કોમાં સૌથી વધુ દાવા વિનાના રૂપિયા.

દેશની અલગ-અલગ બેંકોમાં (Banks) 48 હજાર કરોડથી વધુ રૂપિયા બેકાર પડ્યા છે. એટલે કે આ રૂપિયાનો (Rupees) કોઈ દાવેદાર નથી. દેશના આઠ રાજ્યોમાં (States) સૌથી વધુ દાવા વગરના નાણાં જમા થયા છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ મામલે એક અભિયાન શરૂ કરી રહી છે, જેથી ખાતાધારકોને (Account Holders) શોધી શકાય. દર વર્ષે દાવા વગરની રકમ વધી રહી છે.

પીટીઆઈના રિપોર્ટ અનુસાર, વિવિધ બેંકોમાં જમા કરાયેલી આ દાવા વગરની રકમ દર વર્ષે વધી રહી છે. ગયા નાણાકીય વર્ષમાં (Financial Year) આ આંકડો રૂ. 39,264 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2022માં વધીને રૂ. 48,262 કરોડ થયો છે. તેની ઝુંબેશ હેઠળ, આરબીઆઈ તે આઠ રાજ્યો પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે, જ્યાં બેંકોમાં મહત્તમ નાણાં જમા થાય છે.

આરબીઆઈના રડાર પર આ આઠ રાજ્યો કેન્દ્રીય બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, મોટા ભાગના દાવા વગરના નાણાં તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર અને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સ્થિત બેંકોમાં છે. નોંધનીય છે કે આ રાજ્યોમાં પ્રાદેશિક ભાષાઓ સિવાય આરબીઆઈનું અભિયાન હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ છે.

દાવા વગરની થાપણો અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત નિયમો વિશે વાત કરતા , આરબીઆઈએ આદેશ આપ્યો હતો કે છેલ્લા 10 વર્ષથી કોઈ દાવેદાર હાજર ન હોય તેવા ખાતાઓની યાદી તૈયાર કરવામાં આવે. તમામ બેંકોએ તેમની વેબસાઈટ પર આ યાદી અપલોડ કરવી જોઈએ. તેમાં ખાતાધારકોના નામ અને સરનામા પણ સામેલ હોવા જોઈએ.

અભિયાન ચલાવવાનો હેતુ આ અભિયાનનો હેતુ પણ આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે અમારો ઉદ્દેશ દેશભરની બેંકોમાં જમા કરવામાં આવેલી આવી દાવા વગરની રકમના થાપણદારો અથવા મૃત થાપણદારોના નોમિની/કાનૂની વારસદારોને ઓળખવામાં અને દાવો કરવામાં મદદ કરવાનો છે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img