Home Blog Page 1365

મોંઘવારીની આગમાં શેકાતા લોકોને મળશે રાહત, સિલિન્ડરના ભાવમાં ઘટાડો

0

People burning in the fire

  • એલપીજી સિલિન્ડર ગ્રાહકોને થોડીક રાહત મળશે. આજે કંપનીઓએ સિલિન્ડરની કિંમતો જાહેર કરી છે.

મોંઘવારીનો (inflation) માર સહન કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એલપીજી સિલિન્ડર (LPG cylinder) ગ્રાહકોને થોડીક રાહત મળશે. આજે કંપનીઓએ સિલિન્ડરની કિંમતો જાહેર કરી છે. ઇન્ડિયન ઓઇલના સિલિન્ડર (indian oil cylinder)ના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કિંમત કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોના સિલિન્ડર પર ઘટાડવામાં આવી છે. જ્યારે 14 કિલોના ઘરેલૂ સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સિલિન્ડરના નવા ભાવ :

આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,012.50 રૂપિયાની જગ્યાએ 1976.50 રૂપિયા થઇ ગઇ છે. કંપનીઓએ કિંમતમાં 36 રૂપિયા સુધી ઘટાડો કર્યો છે. અગાઉ કોલકાતામાં તેનો ભાવ 2132 રૂપિયા હતો, જ્યારે નવી કિંમત 2095.50 રૂપિયા થઇ છે. મુંબઇમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1936.50 રૂપિયા અને ચેન્નઇમાં 2141 રૂપિયા થઇ ગઇ છે.

ઘરેલૂ સિલિન્ડરના ભાવ યથાવત :

ઘરેલૂ 14 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો કરાયો નથી. તેના રેટમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા અને ચેન્નઇમાં 1068.50 રૂપિયા અને મુંબઇમાં 1053 રૂપિયા છે. અત્યારે 6 જુલાઇના ભાવે સિલિન્ડર મળી રહ્યું છે. કંપનીઓએ 6 જુલાઇએ ભાવ વધારો કર્યો હતો.

આ પણ વાંચો :-

અડધી રાત્રે 3 સગી બહેનોએ ઝાડ પર લટકતી હતી, આખું ગામ શોકમાં ગરકાવ

In the middle of the night

  •  મધ્યપ્રદેશના ખંડવામાં ત્રણ બહેનોએ એક સાથે આત્મહત્યા કરી. પરિવારજનોનું કહેવું છે કે યુવતીઓ જાતે જ બજારમાંથી દોરડું લાવી હતી.

મધ્યપ્રદેશ (Madhya pradesh)ના ખંડવા (Khandva) માં ત્રણ સગી બહેનોએ ફાંસી લગાવી આત્મહત્યા (Mass suicide sister) કરી લીધી. જાવર પોલીસ સ્ટેશન વિસ્તારના કોટાઘાટ ગામમાં રહેતી ત્રણેય બહેનોના નામ સોનુ, સાવિત્રી અને લલિતા જણાવવામાં આવી રહ્યા છે. ઘટના અંગે જાવર પોલીસ સ્ટેશનના પ્રભારી શિવ રામ જાટે જણાવ્યું કે,રાત્રે ડાયલ 100ને માહિતી મળી હતી કે એક જ પરિવારની સગી બહેનોએ કોટાઘાટ ગામમાં એક ઝાડ પર ફાંસી લગાવી લીધી છે.

ઘટનાની જાણ થતાં જ જાવર પોલીસ સ્ટેશનની પોલીસ સાથે પીપલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં સુધીમાં પરિવારજનોએ ત્રણેય બહેનોના મૃતદેહને ઝાડ પરથી બહાર નીચે ઉતાર્યા હતા. જે બાદ પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.

પોલીસે તાપસ આદરી :

પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમનો આઠ ભાઈ-બહેનનો સંપૂર્ણ પરિવાર છે. બે બહેનો પરણેલી હતી. મૃતક ત્રણ બહેનોમાં સોનુ સૌથી મોટી હતી અને તે પણ મોટરસાઇકલ ચલાવતી હતી. મંગળવારે ત્રણેય બહેનો મોટરસાઈકલ પર બજારમાં ગઈ હતી અને બજારમાંથી નવો દોરી પણ ખરીધી હતી. જ્યારે પરિવારના સભ્યોએ આનું કારણ પૂછ્યું તો તેઓએ કારણ આપવાની ના પાડી. રાત્રે જમ્યા બાદ તમામ બહેનો સુઈ ગયા હતા.

પરંતુ રાત્રે ત્રણેય બહેનો પલંગ પર ન દેખાતા તેણીની માતાએ તેઓને શોધવા નીકળી તો ત્રણેય બહેનો ઘરના પાછળના ભાગે આવેલા લીમડાના ઝાડ પર લટકતી જોવા મળી હતી. આ પછી પરિવારના સભ્યો અવાજ કરવા લાગ્યા. ત્યાર પછી ગામ લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. ત્રણેય બહેનોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. હાલમાં જાવર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

ED એ શિવસેના સાંસદ સંજય રાઉતની મધરાતે ધરપકડ કરી, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

0

ED arrested Shiv Sena MP

  • ઈડીએ એક ચાલના પુર્નવિકાસમાં કથિત ગડબડીઓ સંલગ્ન મની લોન્ડરિંગના એક કેસમાં આખરે શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાઉત (60)ને દક્ષિણ મુંબઈા બલાર્ડ એસ્ટેટમાં ઈડીના મંડલ કાર્યાલયમાં છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવ્યા.

ઈડીએ એક ચાલના પુર્નવિકાસમાં કથિત ગડબડીઓ સંલગ્ન મની લોન્ડરિંગના (Money laundering) એક કેસમાં આખરે શિવસેના નેતા સંજય રાઉતની (Sanjay Raut) ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાઉતને દક્ષિણ મુંબઈ બલાર્ડ એસ્ટેટમાં ઈડીના મંડલ કાર્યાલયમાં (Mandal Office) છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવ્યા.

તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ :

અધિકારીઓએ દાવો કર્યો કે રાઉતને PMLA હેઠળ રવિવારે મોડી રાતે 12.05 વાગ્યે અટકાયતમાં લેવાયા. કારણ કે તેઓ તપાસમા સહયોગ નહતા કરતા. શિવસેનાના રાજ્યસભા સભ્ય રાઉતને આજે મુંબઈની એક વિશેષ PMLA કોર્ટમાં હાજર કરાશે. અહીં ઈડી તેમની કસ્ટડીની પણ માંગણી કરશે.

તપાસ એજન્સીની એક ટુકડી રવિવારે મુંબઈના ભાંડુપ વિસ્તારમાં રાઉતના ઘરે પહોંચી જ્યાં તેમણે સર્ચ અભિયાન ચલાવ્યું, રાઉતની પૂછપરછ કરી અને સાંજ સુધીમાં તેમને એજન્સીના સ્થાનિક  કાર્યાલયમાં પૂછપરછ માટે હાજર થવાનું સમન પાઠવ્યું.

સંજય રાઉતે શું કહ્યું ?

સંજય રાઉતે એક ખાનગી સમાચાર ચેનલને ફોન પર જણાવ્યું કે તેઓ ઈડીને પૂરેપૂરો સહયોગ કરી રહ્યા છે અને શિવસેનાને ખમત કરવા માટે સુનિયોજિત રાજકીય ષડયંત્ર આગળ તેઓ ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે ‘હું ડરેલો નથી…કાયદાને અસહયોગ કરવાનો સવાલ જ નથી, હું શિવસેના માટે પોતાની જાતને કુરબાન કરવા તૈયાર છું. ઈડીની ટીમ કોઈ પણ નોટિસ વગર સવાર સવારમાં આવી ગઈ, આ તથાકથિત કેસમાં મારી પાસેથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી.’

સંજય રાઉતે ફરીથી દોહરાવ્યું કે મહાવિકાસ આઘાડીની સરકાર (જે 29 જૂને પડી ગઈ)ને પાડવામાં મદદ કરવા માટે તેમના પર ભૂતકાળમાં દબાણ નાખવામાં આવી રહ્યું હતું અને તેમણે પોતાના વિરુદ્ધ ઈડીના આરોપને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે તેઓ કોઈની સામે ઝૂકશે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતાની લડત ચાલુ રાખશે.

આ અગાઉ ઈડીએ કાર્યવાહી કરતા રવિવારે સવારે રાઉતના ભાંડુપ આવાસ, મૈત્રી પર રેડ પાડી અને 9 કલાકથી વધુ સમય સુધી સર્ચ અભિયાન ચાલ્યું. રાઉતને બે સમન મોકલ્યા બાદ ઈડીની ટીમ તેમના ઘરે પહોંચી. રાઉતે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો કારણ કે તેઓ સંસદ સંલગ્ન કાર્યોમાં વ્યસ્ત હતા. ઈડીનું આ પગલું શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતા સંબંધિત સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીના એક દિવસ પહેલા લેવાયું છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો, રસગુલ્લાના બોક્ષમાં દારૂ

The new alchemy of liquor

  • તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે રસગુલ્લાના ડબ્બા હતા અને જે તપાસ કરતા 15 નંગ મળી આવેલ અને તેની તપાસ કરતા 45 હજારથી વધુનો દારૂ મળી આવ્યો હતો.

અમદાવાદ (Ahmedabad) માં બોટાદના કેમિકલ (Botad ChemicalKand) કાંડ બાદ દારૂની હેરાફેરી અને દારૂના વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેવામાં અમદાવાદમાં એક નવી મોડસ ઓપરેન્ડીથી દારૂનું વેચાણ (Sale of liquor) કરતા હોવાનુ સામે આવ્યું છે. મહત્વનું છે કે દારૂની સાથે એક કિશોરને પકડી પાડવામાં આવ્યો છે પરંતુ તેની પાછળ કોઈ અન્ય વ્યક્તિ સામેલ હોવાનુ સામે આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે કાગડાપીઠ પોલીસને માહિતી મળી હતી કે, ગીતામંદિર પાસે આવેલ વાસુદેવ ધનજીની ચાલીમાં રેહતા સાહિલ વાઘેલા જે દારૂ મંગાવીને કાંકરિયા રોડ પર આવેલ કર્ણમુક્તેશ્વર એપાર્ટમેન્ટમાં રાખેલ છે અને જે માહિતીના આધારે તપાસ કરતા ત્યાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવેલ અને સાથે એક કિશોર જે કાયદાના સંઘર્ષમાં આવી ગયો હતો.

તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે રસગુલ્લાના ડબ્બા હતા અને જે તપાસ કરતા 15 નંગ મળી આવેલ અને તેની તપાસ કરતા 45 હજારથી વધુનો દારૂ મળી આવ્યો હતો. સાથોસાથ પોલીસ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સામે ગુનો દાખલ કરેલ છે અને આ લોકો સાથે અન્ય કોણ સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વની વાત એ છે કે જે રીતે બોટાદમાં કેમિકલ કાંડ બન્યું છે તેને લઈ રાજ્યમાં પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યા એ ડ્રોન અને અન્ય રીતે પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેમાં અનેક લોકોને પકડવામાં પણ આવ્યા છે ત્યારે હાલ પણ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :

વેઈટલિફ્ટિંગમાં અચિંતા શેઉલીએ પણ જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યો છઠ્ઠો મેડલ

0

Achinta Shewli also won

  • કોમનવેલ્થ ગેમ્સ 2022ના ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું. ભારતે રવિવારે બે ગોલ્ડ મેડલ જીત્યા જે વેઈટલિફ્ટિંગમાંથી આવ્યા. આ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. મેડલમાં વેઈટ લિફ્ટિંગના ખેલાડીઓએ રંગ રાખ્યો. અત્યાર સુધીના બધા મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ત્રીજા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ મળ્યા.

કોમનવેલ્થ ગેમ્સ 2022ના (Commonwealth Games 2022) ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું. ભારતે રવિવારે બે ગોલ્ડ મેડલ જીત્યા જે વેઈટલિફ્ટિંગમાંથી (Weightlifting) આવ્યા. આ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમ (Indian Women’s Team) પાકિસ્તાન સામે શાનદાર રીતે જીતી અને બોક્સર નિકહત ઝીરીને (Boxer Nikhat Ziri) પોતાના અભિયાનની ભવ્ય રીતે શરૂઆત કરી. પણ મેડલમાં વેઈટ લિફ્ટિંગના ખેલાડીઓએ રંગ રાખ્યો. અત્યાર સુધીના બધા મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ત્રીજા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ મળ્યા.

અચિંતા શેઉલીએ અપાવ્યો ગોલ્ડ :

મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા બાદ અચિંતા શેઉલીએ પણ વેઈટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો (Achinta Sheuli Won Gold). જ્યારે સંકેત મહાદેવ સરગર અને બિંદિયારાની દેવીએ ભારતને વેઈટલિફ્ટિંગમાં સિલ્વર અપાવેલો છે. આ ઉપરાંત ગુરુરાજા પુજારીએ 61 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતાડ્યો. હાલ ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા નંબરે છે.

આ અગાઉ ગઈ કાલે મીરાબાઈ ચાનુ બાદ જેરેમી લાલરિનુંગાએ 67 કિલો કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. જેરેમીએ સ્નેચમાં રેકોર્ડ 140 કિલોનું વજન ઉપાડ્યું. જ્યારે ક્લીન અને જર્કમાં 160 કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યા. જેરેમીએ કુલ 300 કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અચિંતા શેઉલીએ 73 કિલોની કેટેગરીમાં રેકોર્ડ 313 કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

આ પણ વાંચો :-

સાવધાન ! માતાજી બનીને તમારા ઘરે ના પહોંચે આ મહિલા, ટોળકી તૈયાર જ બેઠી છે હશે તે પણ જશે

Caution! Don’t come to your

  • પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકી છેલ્લા ઘણાં સમયથી સક્રિય છે. પકડાયેલા આરોપી પૈકી મહિલા આરોપી લતા પોતે માતાજી હોવાનો ઠોંગ કરતી હતી. જ્યારે ટેક્સી ડ્રાઇવર આકાશ શર્મા સિવાયના પાંચ શખ્સો શિકારની શોધમાં ફરતા હતા.

એવી કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે. કંઇક આવું જ થયું છે રાજકોટમાં (Rajkot) જ્યાં એક કા ડબલ આપવાની લાલચમાં લોકોને છેતરતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) પર્દાફાશ કર્યો છે. ધાર્મિક વિધિના (ritual) બહાને ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપતી આ ટોળકીએ રાજકોટના એક વ્યક્તિ સાથે 11 લાખ રૂપિયાની છેતરપિંડી (Fraud) કરી હતી જેની ફરિયાદના આધારે પોલીસે આ ટોળકીને પકડી પાડી છે.

રાજકોટના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ પોતાની સાથે 11 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભોગ બનનાર વ્યક્તિએ એક ટોળકી દ્વારા ડબલ રૂપિયા આપવાની લાલચ આપીને ઘરે આવીને ધાર્મિક વિધિના નામે રૂપિયા લઇને રફુચક્કર થઇ ગયા હોવાની પોલીસને જાણ કરી હતી.

પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આ ટોળકીની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે આજી ડેમ ચોકડી નજીકથી એક કારમાં સવાર આ ત્રણ શખ્સોને ધાર્મિક વિધિનો સામાન 11 લાખ રૂપિયા રોકડા પકડી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં આ ત્રણેય શખ્સોના નામ લતા ઉર્ફે માતાજી જીતયા, ઇમ્તિયાઝ સિંધી, આકાશ શર્મા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય શખ્સો તેના અન્ય સાથી સલીમ, શાન્તુજી ઠાકોર, ભરત અને જીવાભા સાથે મળીને ધાર્મિક વિધિની આળમાં બમણાં રૂપિયા કરવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હોવાની કબુલાત આપી હતી.

કઇ રીતે આચરતા છેતરપિંડી ?

પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકી છેલ્લા ઘણાં સમયથી સક્રિય છે. પકડાયેલા આરોપી પૈકી મહિલા આરોપી લતા પોતે માતાજી હોવાનો ઠોંગ કરતી હતી. જ્યારે ટેક્સી ડ્રાઇવર આકાશ શર્મા સિવાયના પાંચ શખ્સો શિકારની શોધમાં ફરતા હતા. જો કોઇ શિકાર તેના સકંજામાં આવી જાય તો તેના રૂપિયા ડબલ થઇ જશે તેવી લાલચ આપતા હતા. આ ટોળકી પહેલા ગ્રાહકને શોધતી હતી બાદમાં આ ટોળકી માતાજી પાસે મુલાકાત કરાવતી હતી અને માતાજી કહેશે તે પ્રમાણે વિધી કરવી પડશે તેવું કહીને તેના ઘરે લઇ જતી હતી.

જ્યાં જે તે વ્યક્તિને વિધી માટે બે મીટર સફેદ કાપડ, બે થી ત્રણ કિલો ગુલાબના ફુલ, અગરબતી, અઢીસો ગ્રામ ચવાણું, અઢીસો ગ્રામ પેંડા, બે પાણીની બોટલ, એક સીગારેટના પેકેટ, તૈયાર રાખવાનું કહેતા હતા. બાદમાં નક્કી થયા મુજબ જે તે વ્યક્તિના ઘરે આનંદ શર્માની ટેક્સીમાં માતાજી જતા હતા. ત્યાં પહોંચીને ઘરમાં વચ્ચે સફેદ કપડું રાખીને પહેલા તેમાં ગુલાબના ફુલો પાથરતા હતા અને પછી અગરબતી કરતા હતા અને જેટલા રૂપિયા ડબલ કરવા હોય તે ત્યાં મૂકીને તેને ચાંદલો કરતા હતા. પછી જે તે વ્યક્તિને એક વાસણ લાવવાનું કહીને થોડા સમય માટે બહાર જવાનું કહેતા હતા.

પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકીએ અત્યાર સુધીમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અંકલેશ્વર, થરાદ અને સુરતના વરાછા વિસ્તારમાં આ રીતે ૫૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે. જ્યારે ચાર સ્થળોએ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. આ તમામ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.

હાલમાં પોલીસ આ ટોળકીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી રહી છે અને આ ટોળકીએ સૌરાષ્ટ્રમાં અન્ય કોને કોને શિકાર બનાવ્યા તે દિશામાં પુછપરછ કરી રહી છે. જ્યારે આ ગેંગના બાકીના ફરાર શખ્સોની પણ શોધખોળ કરી રહી છે. આપ પણ થઇ જજો સાવધાન અને રહેજો ખબરદાર શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચમાં ક્યાંક આવી ટોળકીના શિકાર ન બની જતા.

આ પણ વાંચો :

ઈડીએ સંજય રાઉતના ઘરેથી જપ્ત કર્યા 11.50 લાખ રૂપિયા, જાણો તમામ વિગત

0

ED seized Rs 11.50 lakh

  • ઈડીએ આજે સવારે શિવસેના નેતા સંજય રાઉતના મુંબઈ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. ઈડીને રાઉતના ઘરેથી 11.5 લાખ રૂપિયા મળ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના અધિકારીઓએ રવિવારે મુંબઈમાં (Mumbai) પાત્રા ચાલ ભૂમિ કૌભાંડ (Patra Chal Bhoomi scam) મામલામાં શિવસેના નેતા સંજય રાઉતના (Sanjay Raut) આવાસ પર દરોડા પાડી તેમને કસ્ટડીમાં લીધા છે. સંજય રાઉતના ઘરેથી ઈડીને 11.5 લાખ રૂપિયા મળ્યા છે. ઈડી શિવસેના (Shiv Sena) નેતા સંજય રાઉત પાસે તે પૈસાની જાણકારી માંગી રહી છે કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. ઈડીના એક મોટા અધિકારીએ (senior officer) જણાવ્યું કે સંજય રાઉત તે પૈસા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપી શક્યા નહીં, ત્યારબાદ પૈસાને સીઝ કરવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે.

પરંતુ આ વચ્ચે સંજય રાઉતના વકીલે દાવો કર્યો કે તેમને ઈડીએ કસ્ટડીમાં લીધા નથી. સંજય રાઉતના વકીલે કહ્યું કે ઈડીને કેટલાક દસ્તાવેજ જોતા હતા અને અમને ફ્રેશ સમન્સ આપવામાં આવ્યું. તેને લઈને સંજય રાઉત નિવેદન નોંધાવવા ઈડીની ઓફિસે ગયા છે. ઈડીના અધિકારી સવારે સાત કલાકે સંજય રાઉતના મુંબઈ સ્થિત આવાસ પર પહોંચ્યા હતા. આશરે 9 કલાક સુધી સંજય રાઉતની પૂછપરછ કર્યા બાદ ઇડી અધિકારી તેને સાથે લઈ ગયા હતા.

પહેલા પણ થઈ હતી પૂછપરછ :

ઈડીએ આ વર્ષે 28 જૂને સંજય રાઉતને 1034 કરોડ રૂપિયાના પાત્રા ચોલ ભૂમિ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસના સંબંધમાં સમન્સ પાઠવ્યું હતું. સંજય રાઉતની એક જુલાઈએ ઈડીએ પૂછપરછ કરી હતી. ત્યારબાદ વધુ બે વખત તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સંજય રાઉતે તપાસમાં સામેલ હોવાનો ઇનકાર કરતા સંસદના ચોમાસુ સત્રનું કારણ દર્શાવ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં ઈડીએ આ મામલાની તપાસ હેઠળ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત અને તે બે સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિને અસ્થાયી રૂપથી ટાંચમાં લીધી હતી.

શું છે સમગ્ર મામલો ?

સંજય રાઉતની પત્ની વર્ષા અને સ્વપ્નાની પાસે અલીબાગમાં એક જમીન હતી જેને તેના સંયુક્ત નામથી ખરીદવામાં આવી હતી. ઈડીને શંકા છે કે સ્વપ્ના પાટકરના અલગ રહેતા પતિ સુજીત પાટકર દ્વારા ધરપકડ કરાયેલા કારોબારી પ્રવીણ રાઉતે પાત્રા ચોલ કૌભાંડથી ડાયવર્ડ કરાયેલા પૈસાથી જમીન ખરીદી હતી. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે.

શું છે ઈડીનો આરોપ ?

એપ્રિલમાં ઈડીએ સંજય રાઉતની પત્ની વર્ષાની માલિકીવાળા મુંબઈમાં એક ફ્લેટ અને અલીબાગ ભૂમિને અટેચ કરી હતી. ઈડીએ આરોપ લગાવ્યો કે આ સંપત્તિઓને પ્રવીણ રાઉત દ્વારા ડાયવર્ટ કરાયેલા પૈસાથી ખરીદી હતી. તો સ્વપ્ના પાટકરના પરિસરોમાં હાલના સર્ચ દરમિયાન ઈડીને અલીબાગની જમીનના દસ્તાવેજ મળ્યા હતા. આ પહેલા ઈડીને આપેલા પોતાના નિવેદનમાં સ્વપ્નાએ જણાવ્યું કે તેના નામનો ઉપયોગ જમીન ખરીદવામાં કરવામાં આવ્યો હતો. પરંતુ તેના પર તેનો કોઈ માલિકી અધિકાર નથી અને ભૂમિ પાર્સલની માલિકી સંજય રાઉતના સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ કૌભાંડ 1 હજાર કરોડથી વધુનું છે.

આ પણ વાંચો :

૦૧ ઓગસ્ટ ૨૦૨૨ રાશિફળ : 251 વર્ષ બાદ આ 6 રાશિના લોકો પર કૃપા વર્ષાવશે મહાદેવ – થશે ધનનો વરસાદ

0

01 August 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભઃ
સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દ‌ૃષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમિયાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાયિ વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાંનિધ્ય માણવાનો યોગ બને છે. શેરબજાર, કેમિસ્ટ, એડવોકેટ, તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યારબાદ આવક વધે. એંજીનીયરિંગ, ખાણ, પથ્થર, મીઠાઈના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઈ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્‍ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિકઃ
નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ
પરોપકારની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રિય થઈ શકાય. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનો આનંદ લઈ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી-ખાંસી, તાવથી પરેશાની રહે. નાણાં પછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

૩૧ જુલાઈ ૨૦૨૨, આજનું રાશિફળ : માં ખોડલની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

૩૧ જુલાઈ ૨૦૨૨, આજનું રાશિફળ : માં ખોડલની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

મેષઃ
મનોબળ વધતું જણાય. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સંતાનની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આવકનું પ્રમાણ ઘટે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. પોતાનું આરોગ્ય સાચવવું.

વૃષભઃ
સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ટ્રાવેલીંગ, ઠંડાપીણાના ધંધામાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મિથુનઃ
પરિવારમાં પ્રેમ જળવાય. કુટુંબના સભ્યોના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. આવકનું પ્રમાણ જળવાય. બપોર બાદ સ્થાવર-જંગમ મિલકતથી લાભ. અગત્યના ધંધાકીય નિર્ણયો બપોર પછી લેવા હિતાવહ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ પેદા થાય. આર્થિક દ‌ૃષ્ટિએ તથા પારિવારિક રીતે દિવસ દરમિયાન આનંદ. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ શક્ય બને.

સિંહઃ
સ્વભાવમાં નમ્રતા વર્તાય. વિજાયિ વ્યક્તિ તરફ આકર્ષણ વધે. કુદરતનું સાંનિધ્ય માણવાનો યોગ બને છે. શેરબજાર, કેમિસ્ટ, એડવોકેટ, તેમજ સેનેટરીને લગતા ધંધામાં વિશેષ લાભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કન્યાઃ
સ્વતંત્ર મિજાજ રહે. અનિયમિતતા તથા ભોજનમાં બેદરકારી વર્તાય. બપોર સુધી આવક સામાન્ય ત્યારબાદ આવક વધે. એંજીનીયરિંગ, ખાણ, પથ્થર, મીઠાઈના ધંધામાં લાભ મળતો જણાય. આંખની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આરોગ્ય સાચવવું. અગત્યના નિર્ણયો બપોર સુધીમાં લઈ લેવા. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્‍ઠા વધે. ભાગ્યનો સાથ મળે.

વૃશ્ચિકઃ
નોકરી-ધંધામાં પ્રગતિ થતા આવકમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય નવા મિત્રો બનતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ટાળવા. ચામડીના રોગો તથા સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

ધનઃ
પરોપકારની ભાવના પેદા થાય. જાહેર જીવનમાં સક્રિય થઈ શકાય. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનો આનંદ લઈ શકાય. નકારાત્મક વિચારો ટાળવા.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માન-સન્માનને હાનિ પહોંચે એવા પ્રસંગનું નિર્માણ થાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
વૈવાહિક જીવનમાં આનંદ વર્તાય. નાણાંનો બગાડ અટકાવવો. કરેલા રોકાણો સફળ થતા જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. શરદી-ખાંસી, તાવથી પરેશાની રહે. નાણાં પછીના આપવા કે લેવા નહીં.

મીનઃ
મનોબળ મજબૂત બને. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. માથાના દુઃખાવા તથા હાડકાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :

અર્પિતા મુખર્જીની 4 લક્ઝરી ગાડીઓ ગાયબ, મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા હોવાની આશંકા, ED તપાસમાં લાગી

0

Arpita Mukherjee’s 4 luxury cars missing

  • આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 49 કરોડ રોકડ રિકવર કર્યા છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે.

શિક્ષક ભરતી કૌભાંડમાં (Teacher recruitment scam)આરોપી પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની (Parth Chatterjee) ખાસ વ્યક્તિ અર્પિતા મુખર્જીની (Arpita Mukherjee)મુશ્કેલી વધી રહી છે. તાજા રિપોર્ટ પ્રમાણે ડાયમંડ સિટી ફ્લેટ કોમ્પલેક્સથી અર્પિતાની ચાર લક્ઝરી ગાડીઓ (A luxury car) ગાયબ છે. મીડિયા રિપોર્ટ્સમાં ઇડીના સૂત્રોના હવાલાથી બતાવવામાં આવી રહ્યું છે કે આ કારમાં કેશ ભરેલી છે.

ઇડી (Enforcement Directorate) આ આખાએ મામલે સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. જોકે આ દરમિયાન ઇડીએ અર્પિતાની એક મર્સિડીઝ કારને જપ્ત કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે ડાયમંડ સિટીથી જે કાર ગાયબ થઇ છે તેમાંથી બે કાર અર્પિતા મુખર્જીના નામે છે.

આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 49 કરોડ રોકડ રિકવર કર્યા છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે. વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા દરોડામાં અર્પિતાના ઘરેથી 20થી વધુ ફોન અને ઘણી કંપનીઓના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ઇડીએ અર્પિતાના એક ફ્લેટથી લગભગ 28 કરોડ અને પછી અન્ય એક ફ્લેટમાંથી 21 કરોડ રોકડા મળી આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી કથિત સ્કૂલ ભરતી કૌભાંડમાં અર્પિતાની ધરપકડ કરી ચુકી છે.

સરકારી સ્કૂલો અને સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં થયેલા કથિત શિક્ષક ભરતી કૌભાંડ સમયે પાર્થ ચેટર્જી પાસે શિક્ષા વિભાગનો પ્રભાર હતો. આ પછી તેમની પાસેથી આ પ્રભાર લઇ લેવામાં આવ્યો હતો.

કોલકાતાની એક વિશેષ અદાલતે પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને 3 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમજ દર 48 કલાકે મેડિકલ ચેકઅપનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-