Home Blog Page 1336

રાત્રે સૂઈ ગયા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહી ! હરિયાણામાં એક જ પરિવારના 6 લોકોના મોત થતાં ખળભળાટ

No one woke up in the morning after

  • અંબાલા જિલ્લાના એક ગામમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના 6 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા.

હરિયાણાના (Haryana) અંબાલા શહેરના એક ગામમાં એક જ પરિવારના 6 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સૂઈ ગયો હતો, જે સવારે પણ જાગ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જે સૌથી નાની દીકરીનો જન્મદિવસ (birthday) હતો.

ઓહ નો ! જમીનમાંથી પાણીની સાથે નીકળી રહી છે આગ, જબરદસ્ત છે આ વીડિયો | Gujarat Guardian

હરિયાણાના અંબાલા જિલ્લાના બલાના ગામમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના 6 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સૂઈ ગય બ સવાર ઉઠ્યો જ ન હતો.

મધ્યપ્રદેશમાં પણ બની હતી આવી ઘટના :

આવી જ એક ઘટના તાજેતરમાં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સામે આવી હતી. અહીં લોન આપતી એપની જાળમાં ફસાઈને એક આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. નોંધનીય છે કે ઓનલાઈન એપ દ્વારા લોનના નાકે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા અમિત યાદવના હસતા પરિવારને બરબાદ કરી નાખ્યો હતો.

આ પણ વાંચો :-

સોશિયલ મીડિયા યુઝ કરતી છોકરીઓ આ કિસ્સો જરૂરથી વાંચો, તમારી એક ભૂલ અને…

Girls using social media

  • મોબાઈલ અને આજના કહેવાતા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો કામ વગર માત્ર આંધળી રીતે મોજશોખ માટે ઉપયોગ કરવો ખરાબ પરિણામોને આમંત્રણ દેવા બરાબર છે.

સોશિયલ મીડિયામાં (Social media) અજાણ્યા વ્યકિતઓ સાથે વાતચીત અને મિત્રતા કેળવવાના કેવા ગંભીર પરિણામ આવી શકે તેનો પોરબંદરમાં (Porbandar) એક સગીરાને ખરાબ અનુભવ થતા મામલો હાલમાં પોલીસ સ્ટેશને (Police Station) પહોંચ્યા છે. ત્યારે ચાલો જોઈએ શું થયું છે સગીરી સાથે અને શું છે સમગ્ર મામલો…

મોબાઈલ અને ઈન્ટરનેટનો સદઉપયોગ કરવાના અનેક ફાયદાઓ છે. પરંતુ આજ મોબાઈલ અને આજના કહેવાતા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો કામ વગર માત્ર આંધળી રીતે મોજશોખ માટે ઉપયોગ કરવો ખરાબ પરિણામોને આમંત્રણ દેવા બરાબર છે.

આજના ઈન્ટરનેટના યુગમાં વિવિધ સોશિયલ મીડિયાનો ઉપયોગ અનેક લેભાગુ તત્વો તેમના ખરાબ મનસુબાઓને પાર પાડવા માટે પણ ઉપયોગ કરતા હોય છે.

પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામના ખીમા લખુ ગોઢાણીયા કે જે પોતે પરણીત છે. તેણે પોરબંદરમાં એક સગીરા સાથે ઈન્સ્ટાગ્રામમાં એક મહિના સુધી વાતચીત કર્યા બાદ તેને પોરબંદરના ખાખચોક વિસ્તારમાં આવેલ માનસરોવર હોટલમાં સગીરાને બોલાવ્યા બાદ સગીરા સાથે આરોપીએ બળજબરીથી બળાત્કાર કરતા સગીરાને આંતરીક ઈજાઓ પહોંચી હોવાથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બળાત્કારની તેમજ પોસ્કોની કલમ લગાવી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઓહ નો ! જમીનમાંથી પાણીની સાથે નીકળી રહી છે આગ, જબરદસ્ત છે આ વીડિયો | Gujarat Guardian

આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે પોરબંદર સિટી ડીવાયએસપીએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, હકીકતને ધ્યાને લઈ કમલાબાગ પોલીસે આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ કેસમાં હોટલ વિરુદ્ધ પણ કોઈપણ પ્રકારના પુરવા મળશે તો હોટલ વિરુદ્ધ પણ જરુરી કાર્યવાહી કરવામાં આવશે. તેમ તેઓએ જણાવ્યુ હતું.

મોબાઈલની દુનિયામાં અને તેમા પણ સોશિયલ મીડિયામાં રચીપચી રહેતી યુવાપેઢી અને તેમના માતા-પિતા માટે પોરબંદરનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. પોતાની હવસ સંતોષવાની લાયમાં નરાધમ આરોપીએ આચરેલ બળાત્કારને કારણે હાલ તો આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીએ કરેલ અપરાધને કારણે જેલ પણ તેની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો :-

તુટી ચુક્યા છે 150 હાડકા, રેર બીમારી ધરાવતા સ્પર્શ શાહે 120 મિનિટ પગ ઉંચો રાખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

150 bones have been broken

  • સ્પર્શ શાહ જન્મ એસ્ટિયોજેનેસિસ ઇમ્પરાફેક્ટા રોગની સાથે થયું. આ બિમારી હાડકા ખૂબ જ નબળા હોય છે. સરળતાથી તુટી જાય છે.

મૂળ સુરતના હાલ અમેરિકા (America) રહેતા સ્પર્શ શાહને જન્મજાત હોસ્ટિયો જેનેસિસ ઈન પરફેક્ટા (Hostio genesis in perfecta) બિમારી છે. 25 ફ્રેક્ચર સાથે જન્મ થયા બાદ અત્યાર સુધીમાં 150 થી વધુ ફ્રેક્ચર થઈ ચૂક્યા છે. તેના શરીરમાં 8 સળિયા, 24 સ્ક્રૂ મૂકાયા છે. સ્પર્શે હાર માનવાની જગ્યાએ મોટિવેશનલ સ્પિચ (Motivational speech) આપવાની શરૂઆત કરી.

હાલ તેણે 120 મિનીટ સુધી પગ ઊંચો રાખીને ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે. હવે 29 મીએ ચેમ્બરના કન્વેન્શન હોલ ખાતે વિનામુલ્યે યોજાનારા કાર્યક્રમમાં સ્પર્શ પરર્ફોમ કરશે. સ્પર્શ 9 દેશમાં 300 થી વધારે કાર્યક્રમોમાં પરફોર્મ કરી ચૂક્યો છે. ગુગલ, ટેડેક્સ, હાઉડી મોદી કાર્યક્રમમાં પણ પરફોર્મ કરી ચૂક્યો છે. આ ઉપરાંત 9 થી વધારે કોમ્પિટીશન જીતી છે.

ઓહ નો ! જમીનમાંથી પાણીની સાથે નીકળી રહી છે આગ, જબરદસ્ત છે આ વીડિયો | Gujarat Guardian

અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા સ્પર્શ શાહ એક રેપર, ગાયક, ગીતકાર અને મોટિવેશનલ સ્પીકર છે. તેમનો જન્મ એસ્ટિયોજેનેસિસ ઇમ્પરાફેક્ટા રોગની સાથે થયું. આ બિમારી હાડકા ખૂબ જ નબળા હોય છે. સરળતાથી તુટી જાય છે. રિપોર્ટ અનુસાર શાહની ગત થોડા વર્ષોમાં 150 થી વદારે હાડકા તુટી ચૂક્યા છે. શાહ એમિનેમ (અમેરિકા રેપર) બનાવવાની ઇચ્છા ધરાવે છે અને એક અરબ લોકોની સામે પર્ફોમ કરવા માંગે છે.

દુર્લભ બીમારી સામે લડી રહેલા ભારતીય મુળનો આ કિશોર આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેનું કારણ તેની બિમારી નહી, પરંતુ પ્રતિભા છે. હંમેશા વ્હીલચેર પર રહેનાર સ્પર્શ શાહ ખાસ શક્તિઓ સાથે જન્મ્યો છે. માતાના ગર્ભમાં રહેવા દરમિયાન જ સ્પર્શ દુર્ળબ બીમારીઓનો શિકાર થઈ ગયો હતો અને તેના હાડકાઓ તુટી ગયા હતા. હંમેશા વ્હીલચેર પર રહેતો સ્પર્શ શાહ પોતાની સ્થિતિને પોતાની રચનાત્મકને આડે નથી આવવા દેતો.

સ્પર્શ શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાઉડી મોદી ઈવેન્ટમાં તેણે વ્હીલચેર પર બેસીને રાષ્ટ્રગીત લલકાર્યુ હતું. સ્પર્શ શાહ કોણ બનેગા કરોડપતિની ગ્રાન્ડ ફિનાલેમાં પણ પોતાનું પર્ફોમન્સ આપી ચુક્યા છે.

સ્પર્શ શાહે માત્ર સાડા છ વર્ષના આયુષમાંપોતાની પહેલી સ્પીચ આપી હતી. સ્પર્શ શાહનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી બ્રિટલ બોન રેપર પણ બની ચુકી છે, જે માર્ચ 2018માં રિલીઝ થઇ હતી.  3

આ પણ વાંચો :-  

આજનું રાશિફળ :- 26 ઓગસ્ટ 2022, જાણો તમારા માટે કેવો રહેશે આજનો આ દિવસ…

Today’s Horoscope:- 26 August 2022 Gujarat Guardian

મેષઃ માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. ધંધાકીયક્ષેત્રે નવું સાહસ શક્ય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારક પુરવાર થાય.

વૃષભઃ દિવસ દરમ્યાન પરિવારમાં આનંદીત વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મિથુનઃ આથિક ક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઇ બહેનની ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ.

કર્કઃ માનસિક ચંચળતા વધે. દિવસ દરમ્યાન પ્રફુલ્લીત રહી શકાય. જીવનસાથી સાથે મધુરતા વર્તાય. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. આરોગ્યનો સાથ મળશે.

સિંહઃ માનસિક રીતે ચિંતાના વાદળો ઘેરાતા જણાય. આવક અંગે સામાન્ય દિવસ. પરિવારના સ્ત્રી વર્ગ માટે સાવધાની જરૂરી. માનસિક રોગોની સમસ્યા ઉદભવે અથવા એમાં વધારો થાય. શરદી-ખાંસી તાવથી સાચવવું.

કન્યાઃ દિવસ દરમ્યાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. મિત્રોના સાથ સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય.

તુલાઃ ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો લઇ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો દિવસ. નોકરીમાં શાંતિ તથા આનંદ જળવાય. ટારગેટ પૂરા થતા આવક. આનંદમાં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ આદ્યાત્મિકતામાં વૃધ્ધિ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતાં આવક જળવાય. આરોગ્ય સારૂં રહેશે. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ તથા કાપડ, અનાજના ધંધામાં લાભ.

ધનઃ થોડી માનસિક અસ્વસ્થતા સતાવે. વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. મગજની ઇજાથી સાવધ રહેવું દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

મકરઃ તર્ક શક્તિમાં વધારો થાય. દયાની ભાવના વધે. જ્યોતિષિ, બેંકર, મશીનરી ક્ષેત્રે લાભ. કમર, કરોડરજ્જુ, દાંતના રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરી-ધંધામાં સાવધાની જરૂરી.

કુંભઃ નિર્ણય શક્તિમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે જોખમ લેવાનું ટાળવું. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદની શક્યતા છે.

મીનઃ સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનના વણ ઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વધે. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક ઉભી કરી શકાય. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

પોર્નોગ્રાફી સાથે મારે કંઇ લેવાદેવા નથી, હું તમામ ટ્રાયલ માટે તૈયાર છું પણ મારા વિરુદ્ધનો કેસ દૂર કરો : રાજ કુન્દ્રા

I have nothing to do with

  • બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને વર્ષ 2021માં પોર્નોગ્રાફી કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને હવે તેઓ ખુદને આ કેસમાં નિર્દોષ જણાવતા કોર્ટ તરફ વળ્યા છે .

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં (Actress Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રાને વર્ષ 2021માં પોર્નોગ્રાફી કેસમાં (Pornography Case) અરેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, લગભગ 2 મહિના જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા. હવે આ કેસમાં તેમણે ફરી એકવાર અદાલતનો દરવાજો ખખડાવ્યો છે.

રાજ કુન્દ્રા આ કેસથી છુટકારો મેળવવા માંગે છે. જેણે કારણે તેમણે કોર્ટનો રસ્તો પકડ્યો છે. હાલમાં જ રાજે કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમણે ખુદને નિર્દોષ જણાવ્યા હતા.

ગયા વર્ષે થઈ હતી ધરપકડ :

ગયા વર્ષે જુલાઇમાં રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછ બાદ તેમને અરેસ્ટ કરીને જેલ મોકલાયા હતાઆ. જણાવી ડીએ કે અદાલતમાં અત્યાર સુધી એ સાબિત નથી થઈ શક્યું કે તેઓ આ આખા મામલામાં દોશી છે કે નહીં. આ જ આધાર પર તેમણે સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

આ ફરિયાદમાં રાજ કુન્દ્રા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે પોર્નોગ્રાફી કેસ સાથે તેમનો કોઈપણ સંબંધ નથી. દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમની સામે અત્યાર સુધી કેસમાં કોઈ પ્રૂફ મળ્યા નથી. રાજે શરૂઆતથી જ આ મામલામાં ખુદને નિર્દોષ જણાવ્યા છે.

ફરી કોર્ટનાં રસ્તે વળ્યા રાજ કુન્દ્રા :

સપ્ટેમ્બર 2021માં જેલથી બહાર આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે વગર કારણે તેમને આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ આ પ્રકારે કોઈપણ વસ્તુમાં સામેલ નથી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ન તો પોર્ન ફિલ્મો બનાવે છે કે ન તેઓ તેનું વિતરણ કરે છે.

આ પણ વાંચો :-

25 ઓગસ્ટ સોના-ચાંદીના ભાવમાં થયો ફેરફાર… – જાણો એક ક્લિકમાં

25 August Gold-Silver price change

  • સોનાના ભાવ દરરોજ ઉતાર ચડાવ જોવા મળતા હોય છે. ત્યારે આજે 25 ઓગસ્ટે દેશમાં સોનાની કિંમતમાં વધારો નોંધાયો છે. દેશમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 47,250 છે.

ગઈકાલે તેની કિંમત 47,000 રૂપિયા હતી. એટલે કે 250 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળો. તે જ સમયે, લખનૌમાં તેની કિંમત 47,400 રૂપિયા છે, જે આવતીકાલે 47,150 રૂપિયા કહેવાઈ રહી છે.

24 કેરેટ સોનાની કિંમત :

દેશમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત આજે 51,550 રૂપિયા છે. આગલા દિવસે તેની કિંમત રૂ. 51,230 હતી. એટલે કે 320 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળો નોંધાયો છે. લખનૌમાં આજનો દર 51,710 છે, જે ગઈકાલે 51,440 રૂપિયા હતો. માહિતી માટે, અમે તમને જણાવીએ કે ઉપરોક્ત સોનાના દરો સૂચક છે અને તેમાં GST, TCS અને અન્ય શુલ્ક શામેલ નથી. ચોક્કસ દરો માટે તમારા સ્થાનિક ઝવેરીનો સંપર્ક કરો.

ચાંદીના ભાવમાં વધારો :

ચાંદીના દરની વાત કરીએ તો લખનૌમાં પણ ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ 55,000 છે. આ કિંમત ગઈકાલે 54,900 હતી. એટલે કે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 100 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.

સોનાની શુદ્ધતા કેવી રીતે જાણી શકાય:

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

જાણો 22 અને 24 કેરેટ વચ્ચેનો તફાવત :

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ કોલ દ્વારા કિંમત જાણો :

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રિટેલ રેટ જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. ટુંક સમયમાં એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થશે. આ સિવાય, તમે સતત અપડેટ વિશે માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

હોલમાર્કને ધ્યાનમાં રાખો :

સોનું ખરીદતી વખતે લોકોએ તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખવી જોઈએ. ગ્રાહકોએ હોલમાર્ક માર્ક જોયા પછી જ ખરીદી કરવી જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

આ પણ વાંચો :-

 

દાંતના દુખાવાથી પરેશાન છો ? ભૂલથી પણ આ વસ્તુનું સેવન કરશો નહી

Are you bothered by toothache

  • આજકાલ મોટાભાગના લોકો દાંતના દુખાવાથી પરેશાન રહે છે. પરંતુ જો તમારા દાંતમાં સડો કે પોલાણ હોય તો પણ દાંતમાં દુખાવો થાય છે. તો આ વસ્તુઓનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ.

આજકાલ મોટાભાગના લોકો દાંતના દુખાવાથી (Toothache) પરેશાન રહે છે. પરંતુ જો તમારા દાંતમાં સડો કે પોલાણ હોય તો પણ દાંતમાં દુખાવો થાય છે. સાથે જ અચાનક દાઢના કારણે તમારા દાંતમાં દુખાવો થઈ શકે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ. તમને દાંતનો દુખાવો થાય ત્યારે તમારે કઈ વસ્તુઓનું સેવન (Consuming things) ન કરવું જોઈએ? આવો જાણીએ.

દાંતના દુખાવામાં પણ આ વસ્તુઓનું સેવન ન કરો –

મીઠી વસ્તુઓ :

દાંતના દુખાવા દરમિયાન મીઠી વસ્તુઓથી બચવું જોઈએ. આવામાં તમારે મીઠાઈ, ટોફી, ચોકલેટ વગેરેનું સેવન ન કરવું જોઈએ. કારણ કે રિફાઇન્ડ શુગર તમારા દાંતની પીડા વધારી શકે છે.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

સ્ટાર્ચવાળા ફૂડ્સ :

જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો તમારે સ્ટાર્ચી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેનું સેવન કરવાથી દાંતનો દુખાવો વધી શકે છે. આ સાથે તમારે મરચાં અને વધારે પડતા મીઠાની વસ્તુઓ ન ખાવી જોઈએ.

સોફ્ટ ડ્રિંક :

જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો તમારે સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે તેમાં હાજર સોડા અને સાઇટ્રિક એસિડ તમારા દાંતનો દુખાવો વધારી શકે છે.

આલ્કોહોલ :

આલ્કોહોલનું સેવન કરવાથી મોં સુકાઇ જાય છે. સુકા મોંનો અર્થ એ છે કે મોંમાં લાળ ઓછી હોય છે. આવી સ્થિતિમાં, ખોરાક દાંતમાં ચોંટી જશે, જે તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

આ પણ વાંચો :-

પંજાબમાં PM મોદીની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક મુદ્દે ખૂલ્યું સસ્પેન્સ, કમિટીએ જુઓ કોણે ઠેરવ્યા જવાબદાર

0

Suspense opened

  • જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, સુપ્રીમ કોર્ટે કમિટિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો અને કહ્યું સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ.

PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીએ (Justice Indu Malhotra Committee) પંજાબના કેટલાક અધિકારી અને પોલીસ અધિકારીઓને પીએમની સુરક્ષામાં ક્ષતિઓ માટે જવાબદાર ઠેરવ્યા છે.

આ દરમ્યાન સુપ્રીમ કોર્ટની (Supreme Court) પાંચ સભ્યોની સમિતિએ અહેવાલ વાંચ્યો કે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ફિરોઝપુર એસએસપી (Ferozepur Ssp) કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે.

તેઓ પૂરતા ફોર્સ ઉપલબ્ધ હોવા છતાં સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા. તેમને 2 કલાક પહેલા જાણ કરવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે રસ્તે પ્રવેશ કરશે. CJIએ કહ્યું કે અમે રિપોર્ટ સરકારને મોકલી રહ્યા છીએ. સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ.

જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની આગેવાની હેઠળની સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો છે. કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીની સુરક્ષાને લઈને બેદરકારીના આ સમગ્ર મામલામાં પંજાબ પોલીસના અધિકારીઓની બેદરકારી જોવા મળી છે.

નોંધનીય છે કે, PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે 13 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની નિમણૂક કરી હતી. સુપ્રીમ કોર્ટે (SC) પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિઓની કાર્યવાહી પર રોક લગાવીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત તમામ દસ્તાવેજો પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

જોકે હવે આ વિશેષ સમિતિએ ફિરોઝપુરના એસએસપીને પણ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર ઠેરવ્યા છે. રિપોર્ટની માહિતીને પોતાના સંજ્ઞાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટે આગળની કાર્યવાહી માટે રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં પણ ઓપરેશન લોટસ ? આપના અનેક ધારાસભ્યો આઉટ ઓફ કવરેજ !

0

Operation Lotus in Delhi too

  • આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે તેમના ધારાસભ્યો બીજેપી પર ખરીદવા માટે પ્રલોભન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

દિલ્હીમાં (Delhi) પણ રાજકીય ઉથલ-પાથલના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં ઓપરેશન લોટસની (Operation Lotus) સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના (AAM AADMI PARTY) અનેક ધારાસભ્યો આઉટ ઓફ કવરેજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

આ બેઠક સવારે 11 વાગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (CM Arvind Kejriwal) નિવાસ સ્થાન પર થઈ હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે તેમના ધારાસભ્યો બીજેપી પર ખરીદવા માટે પ્રલોભન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

આપના ધારાસભ્યોએ શું લગાવ્યા આરોપ :

આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યોએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે બીજેપીએ તેમને 20-20 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. તેમનું કહેવું હતું કે તેમને કહેવામાં આવ્યું છે કે જો બીજેપીમાં ના આવ્યા તો મનીષ સિસોદીયાની જેમ સીબીઆઈ અને ઇડીના નકલી કેસ કરવામાં આવશે.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહનું કહેવું છે કે આપના ધારાસભ્ય અજય દત્ત, સંજીવ ઝા, સોમનાથ ભારતી અને કુલદીપ કુમારનો બીજેપી નેતાઓએ સંપર્ક સાધ્યો હતો.

આ દરમિયાન પાર્ટી સૂત્રોએ કહ્યું કે પાર્ટી નેતૃત્વનો પોતાના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક થઇ શક્યો નથી. તેમને ડર સતાવી રહ્યો છે કે બીજેપી તેમના કેટલાક ધારાસભ્યોને તોડી ના દે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કુલ 62 ધારાસભ્યો છે. જેમાં અત્યાર સુધી 27 ધારાસભ્યો પહોંચ્યા હોવાના સમાચાર છે.

આ પણ વાંચો :-

હાઈકોર્ટે AMC ના કાન આમળીને કહ્યું, 72 કલાકમાં અમદાવાદમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરો નહિતર

0

HC asks AMC to remove

  • અમદાવાદની જનતાને 72 કલાકમાં રખડતાં ઢોરથી મુક્તિ આપવા ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ… AMCના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું- હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.

સ્માર્ટ સિટી અમદાવાદ (Smart City Ahmedabad) રખડતા ઢોરનો અડ્ડો બનતા હવે હાઈકોર્ટે પણ લાલ આંખ કરી છે. હાઈકોર્ટે 72 કલાકમાં અમદાવાદમાં રખડતાં ઢોરનો (Stray cattle) આતંક દૂર કરવા AMC ને આદેશ કર્યો છે. હાઈકોર્ટે AMC પૂછ્યું કે, શું અત્યારે રસ્તા પર એક પણ રખડતું ઢોર નથી. કેમ તંત્ર ઢોરને નથી પકડતું. આજથી સતત 3 દિવસ સુધી પેટ્રોલિંગ (Patrolling) કરી ઢોરનો આતંક દૂર કરવા આદેશ કર્યો છે.

સાથે જ રખડતાં ઢોર અંગે 2 અધિકારીઓની નિમણૂંક કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, રસ્તે રખડતાં ઢોર પર વિશેષ ધ્યાન આપવામાં આવે. પેટ્રોલિંગ શિફ્ટ વધારવા અને જરૂરી પગલાં લેવામાં આવે. સાથે રખડતાં ઢોર અંગે રિપોર્ટ તૈયાર કરવા ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીને સૂચના પણ આપી છે.

અમદાવાદની જનતાને 72 કલાકમાં રખડતાં ઢોરથી મુક્તિ આપવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. રખડતાં ઢોરને કારણે થતાં અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે આ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફટકાર લગાવી હતી. AMC ના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

સુનાવણીમાં ખંડપીઠે સરકારને ટકોર કરી હતી. જેમાં એએમસીને કહેવાયું હતું કે, સોમવાર સુધીમાં આ સમસ્યા પર અંકુશ માટે પ્રસ્તાવ નહિ લાવો તો અમે કડકમાં કડક આદેશો જારી કરીશું. આ પરિસ્થિતિ ચેતવણીરૂપ છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે આવતીકાલથી રસ્તા પર ઢોરને લીધે કોઈને અકસ્માત કે મોત નીપજવું ન જોઈએ.

સરકારના આદેશથી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થશે ?

ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ કે રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે.

પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલુ જ નહિ, ઢોરવાડા સુધી રખડતા ઢોરને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.

આ પણ વાંચો :-