Thursday, May 22, 2025

રાત્રે સૂઈ ગયા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહી ! હરિયાણામાં એક જ પરિવારના 6 લોકોના મોત થતાં ખળભળાટ

2 Min Read

No one woke up in the morning after

  • અંબાલા જિલ્લાના એક ગામમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના 6 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા.

હરિયાણાના (Haryana) અંબાલા શહેરના એક ગામમાં એક જ પરિવારના 6 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સૂઈ ગયો હતો, જે સવારે પણ જાગ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જે સૌથી નાની દીકરીનો જન્મદિવસ (birthday) હતો.

ઓહ નો ! જમીનમાંથી પાણીની સાથે નીકળી રહી છે આગ, જબરદસ્ત છે આ વીડિયો | Gujarat Guardian

હરિયાણાના અંબાલા જિલ્લાના બલાના ગામમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના 6 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સૂઈ ગય બ સવાર ઉઠ્યો જ ન હતો.

મધ્યપ્રદેશમાં પણ બની હતી આવી ઘટના :

આવી જ એક ઘટના તાજેતરમાં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સામે આવી હતી. અહીં લોન આપતી એપની જાળમાં ફસાઈને એક આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. નોંધનીય છે કે ઓનલાઈન એપ દ્વારા લોનના નાકે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા અમિત યાદવના હસતા પરિવારને બરબાદ કરી નાખ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article