Home Blog Page 1323

લડી લેવાનાં મૂડમાં ! સમાધાનની ફોર્મ્યુલા ફેલ થતા ગુજરાતના તમામ આરોગ્ય કર્મચારીઓ ભાવનગર ખાતે એકઠા થશે

0

In the mood to fight! As the reconciliation

  • ભાવનગર ખાતે આવતીકાલે ગુજરાત રાજ્યના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ધરણા અને રેલી યોજશે.

ગુજરાતમાં (Gujarat) જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના વણ ઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે. અગાઉ તલાટીની (Talati) હડતાળ બાદ હવે ગુજરાતના તમામ આરોગ્ય વિભાગના (Department of Health) કર્મીઓ પોતાની માંગને લઇને ભાવનગર (Bhavnagar) ખાતે વિરોધ પ્રદર્શન (Protest) કરશે.જેમાં આશરે 16 હજાર કર્મચારીઓ રેલી જોડાઈ પોતાની માંગને બુલંદ કરશે.

માંગણીઓનો સરકારે અગાઉ સ્વીકાર કર્યો હોવા છતાં અમલ થયો નથી :

મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર માટે 1900નો ગ્રેડ પે વધારીને 2800 કરવો, પ્રાઇવેટ ટ્રાવેલિંગ એલાઉન્સ અને કોરોના સમયે કેર સેન્ટરમાં જે ફરજ બજાવી હતી તેનું મહેનતાણું અલગથી આપવું સહીતની માંગને લઈને આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે. મહત્વનું છે કે આ માગણીઓનો સરકારે અગાઉ સ્વીકાર કર્યો હોવા છતાં આજદિન સુધી અમલ થયો નથી.

11 વાગ્યે આરોગ્ય કર્મીઓ જવાહર મેદાન ખાતે ધરણા અને રેલી યોજશે :

ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીઓની પોતાની  માંગને લઈને એક મહિનાથી હડતાળ પર છે. અગાઉ સરકાર સાથે બેઠકમાં સમાધાનની ફોર્મ્યુલા ફેલ થઇ હતી.

મોતને આમંત્રણ : કેમ આમની સેફ્ટીની કોઈ પડી નથી, હવે કહો સીટ બેલ્ટ લગાવે | Gujarat Guardian

ત્યારબાદ હવે ગુજરાતના તમામ આરોગ્ય કર્મચારીઓ ભાવનગર ખાતે એકઠા થઇ રેલી રહિતના કાર્યક્રમો યોજશે. ભાવનગરમાં સવારે 11 વાગ્યે આરોગ્ય કર્મીઓ જવાહર મેદાન ખાતે ધરણા અને રેલી યોજશે.

શું છે માંગણી ?

  • ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઇ ચોથી વખત હડતાળ પર ઉતરશે.
  • 2017, 2019 અને 2021માં કર્મચારીઓ માંગણીઓને લઇ હડતાળ કરી હતી.
  • અગાઉ સરકારે માંગણીઓનું સમાધાન માટે આપ્યું હતું આશ્વાસન.
  • આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે રૂ.1900 થી વધારી રૂ.2800 કરવા માગ.
  • કોવિડ સમયમાં કામ કર્યું તે માટે ભથ્થુ આપવાની માગ .
  • ફેરણી ભથ્થુ (PTA) આપવાની કર્મચારીઓની માગ.

આ પણ વાંચો :-

વીજ-કોપર વાયર ચોરતી ગેંગ ઝડપાઈ, ગોડાઉનમાં ચોરેલો માલ જોઈ પોલીસને પણ લાગ્યો કરંટ, મોડસ ઓપરેન્ડી સામે આવી

Gang caught stealing electricity-copper wire

  • સુરત જિલ્લાની પલસાણા પોલીસે જી.ઈ.બીના વાયર ચોરતી ગેંગના બે અલગ કેસમાં સફળતા મેળવી 30,000 કિલો વીજવાયર સાથ 4 આરોપીઓને દબોચી લીધા હતા.

સુરત ગ્રામ્ય (Surat Rural) વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એગ્રીકલચર (Agriculture) તેમજ ગ્રામ્ય વીજ લાઈનો પરથી વાયર ચોરીની (Wire theft) ઘટના ખુબ જ મોટા પ્રમાણમાં વધી ગઈ હતી. જેને લઈને ખેડૂતો અને વીજ વિભાગના (Electricity Department) કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા. જેને લઈ પોલીસ એક્શનમાં આવી હતી. જે વચ્ચે સુરત શહેર ડીસીબીએ બાતમીના આધારે કામરેજ પાસેથી ચાર આરોપીને ઝડપી પડ્યા હતા અને જિલ્લામાં નોંધાયેલા ગુનાને આધારે પલસાણા પોલીસને (Palsana Police) સોંપ્યા હતા.

વીજ લાઇન ફોલ્ટ કરી આરોપીઓ વાયર કાપી લેતા :

પલસાણા પોલીસે આરોપીનો કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરી હતી અને સઘન તપાસ બાદ પલસાણા પીએસઆઈ ચેતન ગઢવીને મળેલી બાતમી અને માહિતીના આધારે આરોપીના ગોડાઉન પર દરોડા પાડયા હતા અને પોલીસ પણ ગોડાઉન જોઈ ચોકી ગઈ હતી. પલસાણા પોલીસે ગોડાઉનમાંથી અધધ 60 લાખની કિંમતનો 30,000 કિલો વીજ લાઈનના વાયરનો જથ્થો મળી આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ દિવસ દરમ્યાન એકાંત વાળા વિસ્તારમાં રેકી કરતા અને અવાવરું જગ્યા કે ખેતર પસંદ કરતાં જ્યાં લોકોની અવરજવર નહિ હોય અને રાત્રે નક્કી કરેલી જગ્યાએ જય પહેલા ચાલુ વીજ લાઈન પર લંગર રાખી ફોલ્ટ કરી લાઈન બંધ કરી દેતા અને ત્યાર બાદ પ્લાસ્ટિકના કટર વડે વીજ વાયરો કાપી ટેમ્પમાં ભરી ફરાર થઇ જતાં હતા.

12 શખ્સોની ધરપકડ 7 ફરાર :

બીજી તરફ જિલ્લા પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઈને બાતમી મળી હતી કે ઉમરપાડા વિસ્તારમાં જીઇબીના ટ્રાન્સફોર્મર તોડી એમાંથી નીકળતા કોપર વાયરની ચોરી કરતી ગેંગ માંગરોળથી મોસાલી ચાર રસ્તા જતા માર્ગ પર ભેગી થવાની છે.

જેને આધારે પોલીસે વોચ ગોઠવી ગેંગને ઝડપી પાડી હતી પોલીસે ગેંગના 6 આરોપી તેમજ ચોરીના માલ લેનાર 6 વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. જ્યારે 7 જેટલા ગેંગના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આરોપીઓ પાસે થી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો :-

રૂપાણી હવે ગુજરાતમાં ચૂંટણી નહીં લડે ? હવે રાજકોટ પશ્ચિમ બેઠક પર નવા ઉમેદવારની શોધ

0

Rupani won’t contest elections in Gujarat

  • ભાજપ હાઇકમાન્ડે શુક્રવારના રોજ ગઇકાલે પૂર્વ CM વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢની જવાબદારી સોંપતા હવે રાજકોટ પશ્ચિમ બેઠક પર નવા ઉમેદવારની શોધખોળના સંકેત.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી પૂર્વે તમામ પક્ષોમાં કંઇક ને કંઇક નવાજૂની તો થતી રહેવાની. ત્યારે ચૂંટણી પૂર્વે રાજકોટ પ્રશ્ચિમ બેઠકને (Rajkot East Seat) લઇ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં હોવાના સંકેત મળી રહ્યાં છે.

ગઇકાલે ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની કરી હતી જાહેરાત :

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઇ :

મહત્વનું છે કે, ભાજપે ગઇકાલે રાજ્યોના નવા પ્રભારી નિયુક્ત કર્યા છે. જેમાં બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. નિતિન નવીન સહ પ્રભારી બનાવ્યા છે.

હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.

આ પણ વાંચો :-

ગુજરાતભરમાં કોંગ્રેસનું 4 કલાકનું બંધનું એલાન, સાંકેતિક બંધને લોકોનો મિશ્ર પ્રતિસાદ

0

Congress announces 4-hour bandh

  • રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગઈકાલથી આખું કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ કોંગ્રેસના તાલુકા અને જિલ્લાના આગેવાનો વેપારીઓની સાથે સંપર્કમાં છે.

ગુજરાતભરમાં કોંગ્રેસ (Congress) દ્વારા આજે સાંકેતિક બંધનું (symbolic closure) એલાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના (unemployment and inflation) વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે લોકોને સવારે 8 થી 12 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતભરના અલગ-અલગ જિલ્લાઓમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વેપારીઓને (Merchant) મળીને બંધના એલાનને સમર્થન આપવા અપીલ કરાઈ હતી. ત્યારે કોંગ્રેસના સાંકેતિક બંધને લઇને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગઈકાલથી આખુ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ કોંગ્રેસના તાલુકા અને જિલ્લાના આગેવાનો વેપારીઓની સાથે સંપર્કમાં છે. એકેએક દુકાન પર જઈને વેપારીઓને બંધમાં જોડાવવા માટે વિનંતી કરી છે.

બંધમાં જોડાવવા માટે વેપારીઓ પાસેથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આખુ સંગઠન, સરકાર, સોપ ઇન્સ્પેક્ટર, નગર પાલિકાઓ અને કોર્પોરેશનમાં વેપારીઓને ધાક-ધમકી આપી રહ્યા છે. વેપારી એસોસિએશનોને બોલાવીને એકપણ દુકાન બંધ રહી તો જોવા જેવી થશે આવી ધમકીઓ આપી રહ્યા છે. ગઈકાલે હું 1 વાગ્યા સુધી સંપર્કમાં રહ્યો હતો.

કેટલાય કાર્યકરોને નજર કેદ કર્યા છે અને ડિટેન કર્યા છે. ધારાસભ્યોને પણ બહાર નીકળવા નથી દેતા. આવી બધી પરિસ્થિનો માહોલ હોવા છતાં ડરની રાજનિતી ભાજપ કરે છે પણ કોંગ્રેસના પહેલીવાર ઘણા સમય પછી વેપારીઓ સમર્થન આપી રહ્યા તેવું દેખાય છે.

વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું કે, છેલ્લા 2-3 વર્ષથી વેપાર-રોજગાર ખતમ થઈ ગયા છે. કોરોના, નોટબંધી, લોકડાઉન અને સરકારની નિતીઓને કારણે આ વેપાર-રોજગાર ખતમ થઈ ગયા છે. અને અમે જ્યારે ચર્ચા કરવા બેઠા ત્યારે આખા દિવસનું બંધ આપીએ પરંતુ એવા પણ સમાચારો અને વિગતો આવી કે રોજનું લાવીને રોજનું ખાવાવાળો એક મોટો વર્ગ છે.

લારી ગલ્લા, પાથરણાવાળા, ચાની લારી હોય, નાસ્તાની લારી હોય તેમને આખો દિવસ બંધ પોસાય એવું નથી. અને બંધ એ કોંગ્રેસ માટે નથી. બંધ એ રાજકારણ માટે નથી. નાના લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. એમના સમર્થનમાં બંધ કરવાની વાત કરી રહ્યા છીએ. લાગી ગલ્લા અને દુકાનદોરો હેરાન થઈ રહ્યા છે એમને સમર્થન કરવા માટે બંધ કરી રહ્યા છીએ.

અને પ્રજાને એને પોતાના જે મુદ્દા એ મુદ્દાઓને લઇને બંધનું એલાન આપ્યું છે અને સ્વેચ્છાએ જોડાઈ રહ્યા છે. સ્વૈચ્છીક બંધનો કાર્યક્રમ પૂરો થશે પછી અમારા જે આગામી કાર્યક્રમો આવી રહ્યા છે અને એ કાર્યક્રમોની અંદર કોંગ્રેસે આક્રામક થઈને જે કોઈપણ કામો કરવા પડશે તે કરીશું.

આ પણ વાંચો :-

રાજ્ય સરકારનું વધુ એક મોટું પગલું, બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત બનશે સૌથી મોટુ હબ

0

Another big step by the state government

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 10 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ જાહેર કરશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે અભિનેતા અજય દેવગણ ઉપસ્થિત રહેશે.

ગુજરાત ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ (Policy Driven State) તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ (Model State) સાબિત થયું છે. છેલ્લા 20 વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પુરું પાડવા માટે વિવિધ પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. આ દિશામાં વિકાસયાત્રા આગળ ધપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ (Bhupendrabhai) પટેલ તા. 10 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ જાહેર કરશે.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે અભિનેતા અજય દેવગણ ઉપસ્થિત રહેશે.

તાજેતરમાં, રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ ઘડી છે. આ માટે ફિલ્મ અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

આ પોલિસીનો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે, જે રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપી વર્ષ 2015 માં સૌ પ્રથમવાર પ્રવાસન પોલિસીની જાહેરાત કરી હતી, ત્યારબાદ હોમ સ્ટે પોલિસી અને હેરિટેજ પોલિસી પણ રાજ્ય સરકારે જાહેર કરી છે.

ગુજરાતમાં પર્વતમાળાથી માંડીને દરિયાકિનારા સુધીના આકર્ષક સ્થળો, ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળોથી લઇને મોર્ડન ગિફ્ટ સિટી, હેરિટેજ બિલ્ડીંગોથી લઇને આધુનિક બસ સ્ટેશન્સ અને બંદરો તેમજ કચ્છના સફેદ રણથી લઇને ગીરના જંગલો અને કેટલાંય અન્ય પ્રવાસન આકર્ષણો રહેલાં છે.

આ બધાં પ્રવાસન આકર્ષણો તમામ મુલાકાતીઓને અનન્ય અને યાદગાર પ્રવાસનો અનુભવ પ્રદાન કરે છે, જે ફિલ્મ શૂટિંગ પ્રવાસન દ્રષ્ટિકોણથી ગુજરાતને સૌથી વધુ ઇચ્છનીય સ્થળ બનાવવામાં મદદરૂપ છે.

રાજ્યની સૌપ્રથમ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ એ ફિલ્મો દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના પ્રવાસન સ્થળોને એક્સપ્લોર કરવા માટે ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા તરફ રાજ્ય દ્વારા લેવાયેલું એક મુખ્ય પગલું છે. આ યોજના સિનેમેટિક પ્રવૃત્તિઓ માટે આકર્ષક પ્રોત્સાહનો આપે છે જે સિનેમેટિક ટુરિઝમમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. આ પોલિસી રાજ્યની જનતા માટે આર્થિક તકો ઉભી કરવામાં અને પ્રાદેશિક, બોલીવુડ, હોલીવુડ, ટીવી અને ઓટીટી ઉદ્યોગ સહિતના ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાતને પસંદગીનું પ્રવાસન સ્થળ બનાવવામાં યોગદાન આપશે.

ગુજરાત હંમેશા ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મ મેકર્સની પ્રાયોરિટી લિસ્ટમાં રહ્યું છે. પ્રવાસન સ્થળોનું વૈવિધ્ય, ઉચ્ચ સ્તરનીઆવાસીય અને અન્ય સુવિધાઓ, સુવિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બહેતર કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશન સાથે સરકારનો સહયોગ એગુજરાતને શૂટિંગ હબ તરીકે પસંદ કરવા માટેના મુખ્ય કારણો છે. ‘રામલીલા’, ‘કાઈપો છે’, ‘પીકુ’, ‘ડી-ડે’, ‘2 સ્ટેટ્સ’, ‘મોહેંજો દરો’ અને ‘લગાન’થી માંડીને ઓસ્કાર-નોમિનેટેડ ફિલ્મો સહિત ઘણી જાણીતી અને મોટા બજેટની ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતું.

ગુજરાતના પ્રવાસન વિભાગે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ અને ડિજિટાઈઝેશન માટે વિવિધ પહેલો હાથ ધરી છે, જેમ કે હેરિટેજ પ્રોપર્ટીના વિકાસ અને પ્રવાસનના સર્વાંગી વિકાસમાં ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વાર હેરિટેજ પ્રવાસન નીતિ 2020-25 અને નવી પ્રવાસન નીતિ 2021-25 ની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હવે તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ડિજીટાઇઝ કરવામાં આવી છે, જેના કારણે માનવ હસ્તક્ષેપ ઓછો થઈ ગયો છે. આ નીતિઓનો ઉદ્દેશવિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને અનન્ય પ્રવાસન અનુભવ પ્રદાન કરવાનો છે.

આ સૂચિત યોજના રાજ્યમાં હાથ ધરાયેલા નીચે મુજબના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે :

1)    ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ :

a.    ફિલ્મ સિટી
b.    ફિલ્મ અને ટીવી સ્ટુડિયો
c.    ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ
d.    પોસ્ટપ્રોડક્શન સુવિધાઓ

2)  ફિલ્મ મેકિંગ પ્રોજેક્ટ્સ :

a.    ફિલ્મ શૂટિંગ
b.    ટીવી અને વેબ સીરીઝ
c.    ડોક્યુમેન્ટરી
d.    બ્રાન્ડ એફિલિયેશન

3)  બિગ બજેટ મુવીઝ અને મેગા ફિલ્મ ઇવેન્ટ્સ :

a.    બિગ બજેટ મુવીઝ
b.    રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેગા ફિલ્મ અને મ્યૂઝિક ઇવેન્ટ્સ અને ફિલ્મ એવોર્ડ્સ

રાજ્યમાં ફિલ્મ મેકર્સને આવકારવા માટે આ પોલિસી ફિલ્મ મેકર્સને વિવિધ સુવિધાઓ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેમકે, રાજ્યમાં સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ કરવું, TCGL (ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.)ની હોટલોમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવું અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ પ્રદાન કરવો વગેરે.

એકોમોડેશન (આવાસની સુવિધા) બુકિંગ માટે સહયોગ :

TCGLની પ્રોપ્ટીઓમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ
ફિલ્મના નિર્માણ માટે સિક્યોરિટી પ્રદાન કરવી
આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ સાથે લાયાઝનિંગ
જાણીતા ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઇડરો સાથે જોડાણ
રાજ્યના સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ
ફીડબેક સિસ્ટમ મારફતે સતત એન્ગેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત

આ પણ વાંચો :-

10 સપ્ટેમ્બર શનિવારના રોજ આ રાશિના જાતકોને આજે કામકાજમાં સફળતા મળશે

On Saturday, September 10, the natives

મેષઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જુની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભઃ
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુનઃ
વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ
સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણી વિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહઃ
નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળ‍વાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

કન્યાઃ
મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોન કાળજી રાખવી.

ધનઃ
માનસિસક પ્રસન્‍નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્ર સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભઃ
દિવસ દરમિયાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોની કામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો. ઉલટી-ઉબકાની સમસ્યા રહે.

મીનઃ
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારું રહેશે.

09 સપ્ટેમ્બર 2022 રાશિભવિષ્ય  : જાણો 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

09 September 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આજે‌ દિવસ દરમિયાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતી થતી જણાય.

વૃષભઃ
આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જૂના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ
આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્કઃ
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જૂના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ
આવકમાં પ્ર‌ગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ
પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેક્ટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્ની સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિકઃ
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા વાદ-વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતી ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જૂની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ
આર્થિક પાસુ મજબૂત થતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ
ભાગ્ય બળવાાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય, પરિણામે દિવસ દરમિયાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ
આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

મોબાઈલને બાજુમાં લઈને સૂતા લોકો કરી રહ્યા છે બહુ મોટી ભૂલ, સાઈડ ઈફેક્ટ જાણીને આંખો પહોળી થઈ જશે

People sleeping with their mobiles

  • મોબાઈલ માથાની નજીક રાખવો ઘાતક સાબિત થઈ શકે છે. તેનાથી નિકળતા રેડિએશનના કારણે લાંબા સમય સુધી સેલ ફોનને માથાની નજીક રાખવાથી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આપણામાંથી ઘણા લોકો એવા છે જેમને સુતી વખતે પણ મોબાઈલ ફોનને (Mobile phone) દૂર રાખવાનું પસંદ નથી. લોકો મોબાઈલને કાં તો તકિયાની નીચે અથવા પલંગની નજીક રાખે છે. આવું કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમાંથી સૌથી સામાન્ય કારણ ઈન્ટરનેટ બ્રાઉઝ (Browse the Internet) કરતી વખતે સુઈ જવું છે.

પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારૂ સ્વાસ્થ્યને બગાડવાનું કામ કરી રહ્યું છે. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, 65% પુખ્ત વયના લોકો અને 90% કિશોરો તેમના ફોન ચાલુ રાખીને સુવે છે.

સવારે થાક અને ખરાબ મૂડનું કારણ છે સ્માર્ટફોન :

પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે થાકેલા અને ખરાબ મૂડમાં જાગી જાઓ છો, તો તેની પાછળનું કારણ તમારો સ્માર્ટફોન છે.

તમે સાંભળ્યું જ હશે કે સૂતા પહેલા બ્લુ-લાઇટ સ્ક્રીનનો ઉપયોગ કરવાથી તમારી ઊંઘમાં ખરાબ થઈ શકે છે. પરંતુ તેમાં બીજુ પણ ઘણુ બધુ છે. ચાલો જાણીએ કે તમારો ફોન કેવી રીતે સાયલન્ટ કિલર બનીને તમારું સ્વાસ્થ્ય બગાડવાનું કામ કરી રહ્યો છે.

ફોન સાથે રાખીને સુવુ બની શકે ખતરનાક  :

મોબાઈલ ફોન હાનિકારક રેડિયેશન ફેંકે છે. જે તમારા મગજને નુકસાન પહોંચાડે છે. જેના કારણે તમે માથાનો દુખાવો, મસલ્સમાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અનુભવ કરી શકો છો.

ફોન રેડિએશનના આ છે નુકસાન :

મોબાઇલ ફોનનું રેડિયેશન ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે જોડાયેલું છે. આ ઉપરાંત, તમારા સેલ ફોનમાંથી નીકળતો વાદળી પ્રકાશ ઉંઘ ઉત્પન્ન કરતા હોર્મોનના ઉત્પાદનને પણ અસર કરી શકે છે, જેને મેલાટોનિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે  બોડી ક્લોકને પણ નુકસાન કરે છે. જેના કારણે સુવામાં મુશ્કેલી પડી શકે છે.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

શું કહે છે WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ફોનથી નિકળતા આરએપ રેડિએશનને ગ્લિયોમા, એક પ્રકારના મગરના કેન્સરને વધારતા જોખમના આધાર પર મનુષ્યો માટે કાર્સિનોજેનિકના રૂપમાં વર્ગીકૃત કર્યું છે.

સુતી વખતે કેટલો દૂર હોવો જોઈએ ફોન ? 

જેમ જેમ તમે ફોનને દૂર કરો છો રેડિયો ફ્રિકવન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડની તાકાત જે ફોન સાથે જોડાયેલી છે તે ઘણી ઓછી થઈ જાય છે. કોઈ ચોક્કસ અંતરનું સ્કેલ આપવામાં આવ્યું નથી, પરંતુ ગંભીર પરિણામો ટાળવા માટે તેને ઓછામાં ઓછા ત્રણ ફૂટ રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

ઉર્વશીએ પાકિસ્તાની ખેલાડી સાથેનો રોમેટિક વીડિયો કર્યો શેર, ઈન્ડિયન ફેન્સ તો બરોબરના ભડક્યાં

Urvashi shared a romantic video

  • ઉર્વશી રૌતેલા અને પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહનો એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનાં ચાલતા ઉર્વશી ટ્રોલ પણ થઈ રહી છે.

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ગત અમુક દિવસોથી સતત ચર્ચાઓમાં રહેલી છે. આવામાં એકવાર ફરી ઉર્વશી ચર્ચામાં આવી ગઈ છે અને આ વખતે કારણ પાકિસ્તાની ક્રિકેટર (Pakistani cricketer) નસીમ શાહ (Naseem Shah) છે.

ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Instagram story) પર એક રોમેન્ટિક એડિટેડ વીડિયો શેર કર્યો હતો. જેમાંઆ તે પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે જોવા મળી રહી હતી અને આ કારણે તે ટ્રોલ થઈ રાઈ છે.

શું છે ઉર્વશીનો વીડિયો ?

ઉર્વશીએ જે વીડિયો પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો, તે કોઇ સોશિયલ મીડિયા યુઝરે બનાવ્યો હતો. આ વીડિયો એડિટેડ હતો, જેમાં આપહેલા જ્યાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ જોવા મળે છે તો પછી ઉર્વશીનાં અમુક કેન્ડીડ સ્માઇલ કરતાં સિન્સ પણ છે.

Trolled! Urvashi Rautela shares 'romantic' edited reel with Pakistani  cricketer Naseem Shah, netizens say 'Aaj pata chala hamare Naseem ko kiski  nazar lagi hai' | Hindi Movie News - Bollywood - Times of India

વીડિયોને એ પ્રકારે એડિટ કરવામાં આવ્યો છે કે લાગી રહ્યું છે કે ઉર્વશી અને નસીમ એકબીજાને જોઈને  સ્માઇલ આપી રહ્યા છે. જ્યારે વીડિયો સાથે બેકગ્રાઉન્ડમાં કોઈ તુજકો નાં મુજસે ચૂરા લે સોંગ વાગી રહ્યું છે.

ટ્રોલ થઈ રહી છે ઉર્વશી રૌતેલા

સોશિયલ મીડિયા પર જેવી આ રિલ શેર કરવામાં આવી, ત્યાર બાદથી જ ઉર્વશી ટ્રોલ થવા લાગી છે. ઉર્વશી રૌતેલાની તસવીરો અને વિડિયોઝ વાયરલ થવા લાગ્યા છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં સીટ બેલ્ટ વિના જતાં લોકોની કારને પોલીસે ઊભી તો રાખી પણ દંડ ન લીધો, 3 દિવસ ચાલશે મેગાડ્રાઈવ

0

Police stopped people’s cars without seat belts

  • આજથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટની મેગા ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ દિવસ સુધી લોકોને સીટ બેલ્ટ પહેરવા સમજાવવામાં આવશે.

કેન્દ્ર સરકારે મંગળવારના રોજ કારમાં બેઠેલ દરેક વ્યક્તિ માટે સીટ બેલ્ટ (Seat belt) બાંધવો ફરજિયાત કરી દીધો છે. જો કોઇ સીટ બેલ્ટ વિના પકડાશે તો તુરંત તેનું ચલણ કપાશે (Currency will be deducted). એટલે કે તેને દંડ ભરવો પડશે.

ત્યારે હવે અમદાવાદમાં પણ આજથી 3 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સીટ બેલ્ટ ડ્રાઇવ શરૂ થઈ છે. પોલીસ દ્વારા લોકોની કારને રોકીને સીટ બેલ્ટ પહેરવા સમજાવવામાં આવી રહ્યા છે. આ ડ્રાઈવ ત્રણ દિવસ સુધી ચાલશે.

લોકોમાં જાગૃતિ આવે તે મુખ્ય હેતુ :

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આ સીટ બેલ્ટ ડ્રાઈવમાં કારમાં પાછલી સીટમાં બેઠલા લોકોને સીટ બેલ્ટ બાંધવા માટે જાગૃત કરી રહ્યા છે. આ ડ્રાઈવનો હેતું કારમાં સવાર તમામ લોકોમાં સીટ બેલ્ટ પહેરવાને લઈને જાગૃતિ આવે તે માટેનો છે. અમદાવાદ પોલીસની આ કામગીરીને શહેરીજનોએ બિરદાવી છે.

હવેથી કારમાં બેઠેલા તમામ લોકોએ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત :

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારના રોજ મીડિયા ઇવેન્ટને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ‘હવેથી કારમાં બેઠેલા તમામ લોકોએ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો પડશે. સાયરસ મિસ્ત્રીના મોત બાદ કેન્દ્ર સરકારે બેકસીટ યાત્રીઓની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો હતો.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

એટલે કે હવેથી કારમાં પાછળની સીટ માટે પણ સીટ બેલ્ટ જરૂરી છે. મીડિયા કાર્યક્રમને સંબોધિત કરતા તેઓએ કહ્યું હતું કે, “એક કાર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના મોતના કારણે અમે આ નિર્ણય લીધો છે કે વાહનોમાં પાછળની સીટ માટે પણ સીટ બેલ્ટ બીપ સિસ્ટમ હશે.’

વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, ‘સરકાર વ્હિકલ નિર્માતાઓ માટે પાછળની સીટો માટે પણ સીટ બેલ્ટ એલાર્મ સિસ્ટમ મૂકવી ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે. હાલમાં તમામ વાહન ઉત્પાદકો માટે માત્ર આગળની સીટના મુસાફરો માટે જ સીટ બેલ્ટ રિમાઇન્ડર આપવાનું ફરજિયાત છે.’

આ મુદ્દે નીતિન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નિયમનો ભંગ કરનારાઓ અને આ નિયમનો ભંગ કરનારાઓને દંડની સજા કરવામાં આવશે. સીટ બેલ્ટ ન હોવા બદલ ચલણ (શિક્ષાત્મક દંડ) ને મંજૂરી આપવામાં આવશે. આ આદેશનો અમલ 3 દિવસની અંદર કરાવવામાં આવશે.

આ પણ વાંચો :-