Home Blog Page 1322

બ્રહ્માસ્ત્ર પાછળ પાગલ થઈ પબ્લિક ! રાત્રે અઢી વાગ્યા સુધી ચાલી રહ્યા છે શો, સવારે વહેલા ઊઠીને લાઈનો લગાવી

Public went crazy behind Brahmastra

  • બ્રહ્માસ્ત્રને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ચાહકો ફિલ્મ જોવા માટે એટલા ઉત્સાહિત છે કે લોકોની માંગ પર થિયેટરોમાં સ્પેશ્યલ શો ચલાવવામાં આવી રહ્યા છે.

રણબીર કપૂર (Ranbir Kapoor), આલિયા ભટ્ટ, નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને મૌની રોય સ્ટારર ફિલ્મ (Starr film) લીઝ થતાની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ ને સોશ્યલ મીડિયામાં એક તરફ બોયકોટ કરવામાં આવી રહી હતી પણ રિલીઝ થતાની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ પૂરો થતાની સાથે જ બીજા ભાગ ‘બ્રહ્માસ્ત્ર 2 (Brahmastra 2) : દેવ’નું અનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે.

અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર એ પહેલા દિવસે લગભગ 36 કરોડનું કલેક્શન કર્યું હતું. આ આંકડો અહીં નથી અટકતો પણ બીજા દિવસે આનાથી પણ વધુ વધે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર બ્રહ્માસ્ત્ર એ બીજા દિવસે 41.25 થી 43.25 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર તમામ ભાષાઓમાં મળીને કુલ 79 કરોડની કમાણી કરી છે. ફિલ્મની કમાણીમાં બીજા દિવસે લગભગ 20 ટકાનો ઉછાળો દેખાયો હતો.

બ્રહ્માસ્ત્રના સ્પેશ્યલ શો :

બ્રહ્માસ્ત્રને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ચાહકો ફિલ્મ જોવા માટે એટલા ઉત્સાહિત છે કે લોકોની માંગ પર થિયેટરોમાં સ્પેશ્યલ શો ચલાવવામાં આવી રહ્યા છે. રિલીઝ પહેલા જ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર કમાણી શરૂ કરી દીધી હતી.

હાલ બ્રહ્માસ્ત્ર રિલીઝ થતાની સાથે જ તેના વિશે દર્શકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે લોકોની માંગ પર થિયેટરોમાં બ્રહ્માસ્ત્રના સ્પેશ્યલ શો રાખવામાં આવ્યા હતા.

આલિયા ભટ્ટની સોશિયલ મીડિયા પોસ્ટ :

હાલ જ આલિયા ભટ્ટે એક સ્ટોરી શેર કરી હતી જેમાં બ્રહ્માસ્ત્રનું પોસ્ટર શેર કરતા આલિયાએ જણાવ્યું હતું કે, લોકોની માંગ પર PVRમાં બે સ્પેશ્યલ શો રાખવામાં આવ્યા છે. પહેલો રાત્રે 2.30 વાગ્યે અને બીજો સવારે 5.45 વાગ્યે. આલિયાએ તેને ફિલ્મોનો જાદુ ગણાવ્યો હતો.

આ પણ વાંચો :-

જર્મનીમાં ગુજરાતી પરિવાર વિખેરાયો, કૂખે જન્મેલી બાળકીને મેળવવા પરિવારે કાયદાનો દરેક દરવાજો ખખડાવ્યો, પરંતુ…

Gujarati family disintegrated in Germany

  • ગુજરાતની દીકરી જર્મનીમાં ફસાઈ, જર્મનીમાં કૂખે જન્મેલી બાળકીને મેળવવા માટે પરિવારનો સંઘર્ષ, ભારત સરકાર પાસે મદદ માંગી.

ગુજરાતની એક 17 મહિનાની દીકરી જર્મનીમાં (Germany) ફસાઈ છે. પરિવાર પોતાની કૂખે જન્મેલી બાળકીને મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. મૂળ ગુજરાતની ધારા શાહની 17 મહિનાની દીકરી જર્મન પ્રોટેક્શન ઓથોરિટીએ (German Protection Authority) કબજો મેળવી લીધો છે. જેને પરત મેળવવા માટે ગુજરાતની (Gujarat) ધારા અને તેના પતિ 10 મહિનાથી દરબદરની ઠોકરો ખાઈ રહ્યા છે.

કાયદાનો દરેક દરવાજો ખખડાવ્યો, પણ કોઈ મદદ મળી નથી. એક વાર દીકરીને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળ્યું, ને તેઓ હોસ્પિટલે લઈ ગયા તે જ ભૂલ કરી. બસ ત્યારથી આ દીકરી જર્મન ચાઈલ્ડ પ્રોટેક્શન ઓથોરિટીના કબજામાં છે. ત્યારથી આજ દિન સુધી તેમને દીકરી પરત મળી નથી.

હોસ્પિટલ સત્તાવાળાઓએ પહેલા તો નોર્મલ છે તેવું કહી ઈલાજની પણ ના પાડી. બીજી વાર દીકરીને લઈ ગયા તો હોસ્પિટલવાળાએ ચાઈલ્ડ પ્રોટેક્શન સત્તાવાળાઓને રિપોર્ટ કર્યો. બસ ત્યારથી આ દીકરી જર્મન ચાઈલ્ડ પ્રોટેક્શન ઓથોરિટીના કબજામાં છે.

હવે દીકરી માટે ગુજરાતી મા-બાપે ભારત સરકાર સમક્ષ મદદનો પોકાર કર્યો છે. દીકરીના માતાપિતા ભાવેશ શાહ અને ધારાબહેનને સરકારી અધિકારી સમક્ષ પોતાનો અભિપ્રાય મૂકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને જર્મન બોલતા નહોતું આવડતું.

જે ટ્રાન્સલેટર તે વખતે ઉપલબ્ધ હતો તે પણ પાકિસ્તાની હતો. જે ઉર્દુ જાણતો હતો અને તે ભાવેશ અને ધારા શાહ દ્વારા હિન્દીમાં કરવામાં આવેલી રજૂઆતને જર્મનમાં યોગ્ય રીતે ટ્રાન્સ્લેટ કરી શક્યો નહીં.

તો બીજી તરફ માતાપિતા સરકારની કસ્ટડીમાં રહેલી બાળકીને યોગ્ય શાકાહારી ખોરાક તેમજ માહોલ મળે તે માટે પણ તેઓ અરજ કરી રહ્યા છે. તેમણે એવી પણ રજૂઆત કરી છે કે તેઓ પેરેન્ટિંગ ટેસ્ટ ક્લિયર ના કરે ત્યાં સુધી બાળકીની કસ્ટડી કમસે કમ ભારતમાં રહેતા કોઈ જૈન પરિવારને સોંપવામાં આવે.

કારણકે પોતાના ધાર્મિક માહોલમાં, પરિવાર વચ્ચે અને માતૃભૂમિ પર મોટા થવું બાળકીનો અધિકાર છે. આ અંગે તેમણે ભારત સરકારના સામાજિક કલ્યાણ મંત્રાલયને પણ રજૂઆત કરી છે.

આ પણ વાંચો :-

કોરોના વેક્સિન બનાવનારી દેશની સૌથી મોટી કંપનીના ડાયરેક્ટર સાથે થઈ મોટી છેતરપીંડી

A big fraud happened with the director

  • અદાર પૂનાવાલા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે.

કોરોના વેક્સિન ‘કોવિશિલ્ડ‘ (Covishield) બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના (Serum Institute of India) ડિરેક્ટર સાથે 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીની ઘટના બની છે. મોટી આશ્ચર્યની વાત એ છે કે પોતાની સાથે છેતરપિંડી (Fraud) કરનાર ધુતારાએ અદાર પૂનાવાલા (Adar Poonawalla) હોવાનો ડોળ કરીને આ કૃત્ય કર્યું હતું.

અદાર પૂનાવાલા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું નામ કોરોના મહામારી દરમિયાન ખૂબ જ લોકપ્રિય બન્યું હતું, કારણ કે કંપનીએ વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં ઝડપથી કોરોના રસી પહોંચાડવા માટે ઘણું કામ કર્યું હતું.

આ ઘટનાને લઈને પોલીસે શંકાસ્પદ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે જણાવ્યું કે છેતરપિંડી કરનારે કંપનીના ડિરેક્ટર સતીશ દેશપાંડેને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો. તેણે પોતાની ઓળખ અદાર પૂનાવાલા તરીકે આપી અને સતીશ દેશપાંડેને રૂ. 1,01,01,554 રૂપિયાની છેતરપીંડી કરી હતી. સતીશ કંપનીના ટોચના અધિકારીઓમાંના એક છે.

મહારાષ્ટ્રના પુણેમાં બૂંદ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રતાપ માનકરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના આ સપ્તાહે બુધવાર અને ગુરુવારની વચ્ચે બની હતી.

પોલીસે છેતરપિંડી અને છેતરપિંડી સાથે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની ઉપરોક્ત કલમો હેઠળ પણ ગુનો નોંધ્યો છે. કેસની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો :-

11 સપ્ટેમ્બર 2022, રાશિફળ : ખોડિયાર આ રાશિના લોકો પર થશે પ્રસન્ન, દાદાની કૃપાથી દરેક કષ્ટો થશે દુર

11 September 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. ધંધાકીય ક્ષેત્રે વધુ મહેનત કરવા છતાં ધારેલી આવક મળવામાં પરેશાની થાય. માતાની તબિયત સાચવવી. વાહન ચલાવતી વખતે સાવધાની જરૂરી. ચામડીના રોગોથી સાચવવું.

વૃષભઃ
આવકનું પ્રમાણ જળવાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ. મિત્રોનો સાથ સહકાર. મિલન-મુલાકાત શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું જાણવાના યોગ બને છે.

મિથુનઃ
નોકરીમાં બઢતીના યોગ છે. કાર્ય સફળતા મળતી જણાય. ધંધાકીય ક્ષેત્રે લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. એકાઉન્ટસ એડવોકેટ તથા હોટેલના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશેષ સફળતા મળે.

કર્કઃ
ભાગ્યનો સાથ મળતાં તમામ કાર્યો આસાનીથી પૂરા થતા જણાય. વિદેશ સંબંધી કાર્યો પૂરા થતા જણાય. ધાર્મિક-યાત્રા પ્રવાસ શક્ય બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય.

સિંહઃ
આઠમો ચંદ્ર તબિયત અંગે ચિંતા ઉપજાવે. શરદી-ખાંસી, તાવથી પરેશાની રહે. મન ઉપર તણાવ રહે. ડીપ્રેશનના દર્દીઓ માટે વિશેષ સાવધાની જરૂરી. આવકનું પ્રમાણ સામાન્ય રહે.

કન્યાઃ
ગૃહસ્થ જીવનમાં આનંદ વર્તાય. જીવન સાથી સાથે આત્મીયતા વધે. પ્રેમી પાત્રનું મિલન મુલાકાત શક્ય બને. માનસિક આનંદમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. આવક જળવાય.

તુલાઃ
પેટની સમસ્યા સતાવે. લીવર સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. લાંચ-રૂશ્વત લેવાનું ટાળવું. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ થાય. મુસાફરી દરમિયાન સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ
સંતાન સુખમાં વધારો થાય. સંતાન આપનું કહ્યું માને. વિદ્યાર્થીવર્ગ માટે સારો દિવસ છે. લક્ષ્મીની કૃપાદૃષ્ટિ મળતી જણાય. મિત્રવર્તુળમાં વધારો થાય. પરિવારના સભ્યોની થોડી ચિંતા રહે. આરોગ્ય જળવાય.

ધનઃ
જાહેર જીવનમાં અગ્રેસર થવાય. સામાજીક સંસ્થામાં હોદ્દો પ્રાપ્‍ત થવાની શક્યતા છે. ભાગ્યનો સંદર સાથ મળતો જણાય. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થાય. આ‍કનું પ્રમાણ વધે. બહેનોને સ્ત્રીરોગોથી સાવધાની જરૂરી.

મકરઃ
મનોબળ વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદમાં વધારો થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. મશીનરી તથા સ્ત્રી શણગારને લગતા ધંધામાં વિશેષ સફળતા. આંખની કાળજી રાખવી.

કુંભઃ
આવકનું પ્રમાણ વધે. બેંક બેલેન્સમાં વધારો શક્ય બને. વિચારો ઉપર કાબુ રાખવો. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. ડીપ્રેશનથી પીડાતા વ્યક્તિઓ માટે વિશેષ સાવધાની જરૂરી. મગજ-માથાની ઈજા પ્રત્યે બેદરકાર ન રહેવું.

મીનઃ
આજે સફળતા આપના કદમ ચુમતી જણાશે. આવકમાં વધારો થતો અનુભવાશે. દૃઢ મનોબળની પ્રાપ્તિ થશે. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલતા જણાશે. સંતાનની તબિયતની કાળજી રાખવી. દાંતના દુઃખાવાથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

ચીઝ ખાવાથી નુકસાન નહીં પણ થશે અઢળક ફાયદાઓ, જાણો કેવી રીતે કરવું સેવન

Eating cheese will not harm but

  • ચીઝનાં સેવનથી પણ સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. જાણો આ માટે ક્યા પ્રકારે ચીઝનું સેવન કરવું જોઈએ.

દૂધ અને તેનાથી બનતી વસ્તુઓને (Thing) મોટેભાગે લેવાની સલાહ આપવામાં આવે છે, કેમકે મિલ્ક એક કમ્પ્લીટ ફૂડ છે અને તેમાં ઘણા પ્રકારના પોષકતત્વો (Nutrients) મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયાદાકારક છે. આવું જ એક મિલ્ક બેસ્ક પ્રોડક્ટ છે, જેને ચીઝ (Cheese) કહેવામાં આવે છે.

મોતને આમંત્રણ : કેમ આમની સેફ્ટીની કોઈ પડી નથી, હવે કહો સીટ બેલ્ટ લગાવે | Gujarat Guardian

હાલમાં ચીઝને સેન્ડવીચ, પાસ્તા, પીઝા અને બર્ગરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા લોકો ચીઝને નુકસાનકર્તા પણ  માને છે, પણ આ સ્વાસ્થ્ય માટે લાભકારી પણ બની શકે છે કેમકે તેમાં કેલ્શિયમ અને પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે. સાથે જ તેમાં કાર્બોહાઈડ્રેટ પણ ઓછું હોય છે.

ચીઝ ખાવાના ફાયદા :

ઘણા લોકો એવા હોય છે. જેમને કાર્બોહાઈડ્રેટનું ઓછું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે, તેમના માટે ચીઝ ખાવું ફાયદાકારક રહે છે. ભારતના ફેમસ ન્યૂટ્રીશન નીખીલ વત્સે જણાવ્યું છે કે ચીઝ ખાવાથી આપના હાડકા મજબૂત રહે છે.

ક્યા પ્રકારે ચીઝનું સેવન કરવું જોઈએ :

આમ તો ચીઝ ઘણા પ્રકારે લઇ શકાય છે પણ તમે બેલેન્સ ડાયેટનાં રૂપમાં તેનું સેવન કરો તો વધારે ફાયદાકારક રહેશે. આ માટે યોગ્ય માત્રામાં ક્રો અને માઈક્રો ન્યુટ્રીએન્ટનું હોવું જરૂરી છે. આવો જાણીએ કેવી રીતે કરવું ચીઝનું સેવન.

1. જો તમને રેગ્યુલર સલાડ ખાવાનો શોખ છે, તો તેમાં તમે ચીઝ ભેળવીને સ્વાદ વધારી શકો છો. આ માટે તમે ટામેટા, કાંદા, મૂળાને ક્યૂબનાં શેપમાં કાપી લો અને પછી તેમાં ચીઝ મિક્સ કરી દો.

2. તમે ઘણી વાર પ્રોટીન મેળવવા માટે ઈંડાનું સેવન કરો છો, તો તેમાં તમે ચીઝને મિક્સ કરી શકો છો. આમ હેલ્ધી બ્રેકફાસ્ટ તૈયાર થઇ જશે, જેથી શરીરને પોષણ અને જીભને સ્વાદ પણ મળશે.

3. આપણે મોટેભાગે નાસ્તામાં અલગ અલગ પ્રકારના પરાઠાનું સેવન કરીએ છીએ, હવે તેમાં ચીઝ લગાવીને ટેસ્ટ કરો, આશા છે કે તમને એ પસંદ પડશે.

4. સવારના નાસ્તામાં સેન્ડવીચ ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, તેમાં ચીઝ લગાવીને સ્વાદ ઘણો વધારી શકાય છે અને તે દેખાવમાં પણ સુંદર લાગે છે.

આ પણ વાંચો :-

અંબાજીમાં માઇ ભક્તોએ ખુલ્લા હાથે દાન કરતા ભંડારો છલકાયો, પાંચ દિવસમાં આટલા કરોડનું દાન મળ્યું

0

In Ambaji, Mai devotees donated with

  • 51 શક્તિપીઠ પૈકીના એક અને જગવિખ્યાત બનેલા અંબાજી મહાકુંભમાં લાખો યાત્રિકોએ મા અંબેના ભંડારા અને દાનપેટીઓમાં ખુલ્લા હાથે દાન કરતા દાનપેટીઓ છલકાઈ છે.

51 શક્તિપીઠ (51 Shaktipeeth) પૈકીના એક અને જગવિખ્યાત બનેલા અંબાજી મહાકુંભમાં (Ambaji Mahakumbh) લાખો યાત્રિકોએ મા અંબેના ભંડારા અને દાનપેટીઓમાં (Donation boxes) ખુલ્લા હાથે દાન કરતા દાનપેટીઓ છલકાઈ છે. અત્યાર સુધીના આંકડાઓ જોઈએ તો અંબાજીમાં (Ambaji) અંદાજિત 4 કરોડ 41 લાખથી વધુની રકમથી ભંડારો છલકાયો.

5 દિવસમાં 20 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા :

છેલ્લા પાંચ દિવસમાં 20 લાખ કરતા વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

મોતને આમંત્રણ : કેમ આમની સેફ્ટીની કોઈ પડી નથી, હવે કહો સીટ બેલ્ટ લગાવે | Gujarat Guardian

આમ અંબાજીમાં આવતા ભક્તોના દાનથી મંદિરનો ભંડારો છલકાયો. જેની ગણતરી ખાસ મોનીટરીંગ અધિકારીઓ અને સીસીટીવી કેમેરા સામે કરાય છે. જેમાં અંબાજી મંદિર ટ્રસ્ટ કર્મચારીઓ અને અન્યો જોડાય છે.

10, 20, 500, 2000ની નોટોના અલગ-અલગ બંડલ બનાવાયા :

દાનપેટીમાં આવેલી રકમને 10,20 અને 50 તેમજ 100 અને 500 તેમજ 2000ની નોટોને અલગ તારવી તેના બંડલ બનાવાયા છે. જેનો ગણતરી રેકોર્ડ નિત્ય અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને વહીવટદારને માહિતી સાથે રજુ કરાય છે.

વિદેશથી પણ આવ્યા માઇ ભક્તો :

નોંધનીય છે કે, પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. આ મેળાનું સમગ્ર દેશમાં મોટું મહત્વ હોવાથી આસ્થા સાથે જોડાયેલ અને વિદેશમાં વસતા અનેક યાત્રિકો, આ મહાકુંભમાં ભાગ લેવા ખાસ વિદેશથી અહીં અંબાજી દર્શને પહોંચ્યા હતા.

મા અંબા પ્રત્યેની સંવેદનાઓ અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. હાલના આ મહાકુંભમાં એક અંદાજ મુજબ 30 લાખ યાત્રિકો પૂનમ સુધીમાં મા અંબાના ધામમાં ચાલતા અને વિવિધ સંઘો લઇ ધ્વજારોહણ કરે છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પૂર્વે કોંગ્રેસ બાદ હવે ભાજપના પાટીદાર નેતાઓ મેદાને, નરેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે બેઠક

0

After the pre-election Congress

  • ગુજરાતમાં હવે નજીકના દિવસોમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજ્યમાં ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો તેમજ વિવિધ સમાજના કેટલાક આગેવાનો સંપૂર્ણ એક્ટિવ થઇ ગયા છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાં (Saurashtra) પાટીદાર આગેવાનો દ્વારા સામાજિક અને રાજકીય શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. રાજકોટના ગોંડલ (Gondal) ખાતે આજે ‘યુદ્ધ એજ કલ્યાણ‘ ગ્રુપ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના (Naresh Patel) અધ્યક્ષસ્થાને આ સમારોહ યોજાશે. ત્યારે કહી શકાય કે કોંગ્રેસ બાદ હવે ભાજપના પાટીદાર નેતાઓની (Patidar leaders) આજે બેઠક યોજાશે.

જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ હાજર રહેશે. તદુપરાંત ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ આ સંમેલનમાં જોડાશે. એ સિવાય PAAS નેતા અલ્પેશ કથીરિયા સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓની પણ હાજરી જોવા મળશે.

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર આગેવાનો પણ મેદાને :

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ઘડી રહ્યાં છે. એવામાં કોંગ્રેસની ચૂંટણી રણનીતિ હવે વધારે તેજ બની છે. ત્યારે ગઇકાલે ખોડલધામ ખાતે પાટીદારો સાથે કોંગ્રેસની પણ બેઠક યોજાઇ હતી.

ગઇકાલે ખોડલધામ ખાતે યોજાઇ હતી પાટીદારો સાથે કોંગ્રેસની બેઠક :

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ગઇકાલે ખોડલધામ ખાતે નરેશ પટેલ સહિત પાટીદાર આગેવાનો સાથે કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા મનહર પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર આગેવાનો મેદાનમાં :

બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, ‘આજે ખોડલધામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ખોડલધામ સંસ્થાના સ્થાપક અને પટેલ સમાજના મોભી નરેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

મોતને આમંત્રણ : કેમ આમની સેફ્ટીની કોઈ પડી નથી, હવે કહો સીટ બેલ્ટ લગાવે | Gujarat Guardian

ગુજરાતમાં આવનારા દિવસોમાં એક પરિવર્તનનો માહોલ બને અને સરકારની અંદર અમારો હિસ્સો બને અને ગુજરાતની સેવા કરવાની મોકો મળે. તે ભાવના સાથે અમે નરેશભાઈની મુલાકાત લીધી.’

આ પણ વાંચો :-

આમને તો જેલમાં નાંખી દેવા જોઈએ : Brahmastra પર બરાબરની ભડકી કંગના રનૌત, જાણો શું બોલી

They should be put in jail

  • કંગના રનૌતે ‘બ્રહ્માસ્ત્ર’ના મેકર અયાન મુખર્જી પર પણ કટાક્ષ કરીને એ લોકો પર પણ નિશાનું સાધ્યું હતું જેને ફિલ્મ બ્રહ્માસ્ત્ર ગમી છે.

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે (Bollywood actress Kangana Ranaut) તેના બેબાક અંદાજ અને વિવાદિત નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે એવામાં કંગનાએ ફરી એકવાર આલિયા ભટ્ટની (Alia Bhatt) ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર‘ પર કટાક્ષ કર્યો છે. આ ફિલ્મને લઈને કંગનાએ તેના સોશિયલ મીડિયા (Social media) પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

કંગના રનૌતે ‘બ્રહ્માસ્ત્ર’ના મેકર અયાન મુખર્જી પર પણ કટાક્ષ કરીને એ લોકો પર પણ નિશાનું સાધ્યું હતું જેને ફિલ્મ બ્રહ્માસ્ત્ર ગમી છે.

ફિલ્મ પર ભડકી કંગના :

કંગના રનૌતે એક સાથે કરણ જોહર અને આલિયા ભટ્ટ-રણબીર કપૂર પર કટાક્ષ કર્યો હતો. જ્યારે ફિલ્મ માટે દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિક્સ પ્રતિસાદ મળ્યો છે ત્યારે કંગનાએ ફિલ્મ નિર્માતા પર ‘ખોટું’ વહેંચવાનો આરોપ લગાવ્યો છે. કંગનાએ કહ્યું હતું કે ‘બોલિવૂડમાં એક એવો વર્ગ છે જે પોતાની ફિલ્મના પ્રમોશન માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.’

નેગેટિવ રિવ્યુનો સ્ક્રીનશોટ : 

‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે મૌની રોય, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ છે. કંગનાએ ફિલ્મના નેગેટિવ રિવ્યુનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું હતું કે, ‘જ્યારે તમે  ‘ખોટું’ વહેંચવાનો પ્રયાસ કરો છો ત્યારે આવું થાય છે. કરણ જોહર લોકોને દરેક શોમાં આલિયા ભટ્ટ અને રણબીરને બેસ્ટ એક્ટર અને અયાન મુખર્જીને જીનિયસ કહેવા લોકોને મજબૂર કરે છે.’

ફોક્સ સ્ટુડિયોએ પોતાને વહેંચવું પડ્યું :

કંગના એ આગળ લખ્યું હતું કે, ‘આનાથી શું સાબિત થાય છે કે 600 કરોડ એ ફિલ્મ માટે જેના દિગ્દર્શકે જીવનમાં એક પણ સારી ફિલ્મ નથી બનાવી. ભારતમાં ફોક્સ સ્ટુડિયોને આ ફિલ્મ પર પૈસા રોકવા માટે પોતાને વહેંચવા પડ્યા અને હજુ કેટલા કેટલા સ્ટુડિયો આ જોકરને કારણે બંધ થશે?’

મોતને આમંત્રણ : કેમ આમની સેફ્ટીની કોઈ પડી નથી, હવે કહો સીટ બેલ્ટ લગાવે | Gujarat Guardian

કંગના આટલે જ નહતી અટકી પણ તેને આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન પર પણ કટાક્ષ કર્યો હતો અને ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝના થોડા મહિના પહેલા માતા-પિતા બનવાની જાહેરાત વિશે વાત કરી હતી.

આ સાથે જ KRKની ધરપકડ, મીડિયાને નિયંત્રિત કરવું, રિવ્યુ ખરીદ્યા, ટિકિટો ખરીદી આવી ઘણી વાત વિશે લખ્યું હતું સાથે જ ધાર્મિક મુદ્દાને લઈને પણ કંગનાએ લખ્યું હતું અને krk ને નહીં પણ જે લોકો અયાન મુખર્જીને જિનિયસ કહે છે તેને જેલમાં નાખવા જોઈએ. અંતમાં કંગનાએ લખ્યું હતું કે ‘તેઓ બધી બેઈમાની કરી શકે છે પણ સારી ઈમાનદાર ફિલ્મ બનાવી શકતા નથી.’

આ પણ વાંચો :-

 

ઓનલાઈન ફ્રોડનો શિકાર થવા પર શું કરવું જોઈએ ? ક્યાં ફરિયાદ કરવી જોઈએ ? જુઓ હેલ્પલાઈન સહિતની તમામ વિગતો

What to do if you are a victim of online fraud

  • એક તરફ ટેક્નોલોજીના કારણે આપણું જીવન સરળ બન્યું છે, તો બીજી તરફ તેના પગલે કેટલુંક નુકસાન પણ સહન કરવું પડે છે. ડિજિટલાઈઝેશનના આ સમયમાં દરેક ચીજ આપણાથી માત્ર એક ક્લિક જ દૂર છે.

એક તરફ ટેક્નોલોજીના (Technology) કારણે આપણું જીવન સરળ બન્યું છે, તો બીજી તરફ તેના પગલે કેટલુંક નુકસાન પણ સહન કરવું પડે છે. ડિજિટલાઈઝેશનના (Digitalization) આ સમયમાં દરેક ચીજ આપણાથી માત્ર એક ક્લિક જ દૂર છે. આ બધાની સાથે ઓનલાઈન પેમેન્ટ (Online payment) પણ વધ્યા છે. ઓનલાઈન પેમેન્ટની સુવિધાથી આપણને ફિઝિકલી રૂપિયાની ચિંતા રહેતી નથી અને વ્યવહારમાં સરળતા રહે છે.

જોકે આ વ્યવહારમાં છેતરપિંડીની થવાની પણ શક્યતા છે. ઓનલાઈન ઠગાઈના સામાચારો લગભગ રોજ આપણે સાંભળતા હોઈએ છીએ. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે જો તમે ક્યારેક ઓનલાઈન ઠગાઈના શિકાર બનો તો તમારે શું કરવું જોઈએ.

છેતરપિંડીનો ભોગ બનવાથી બચવા માટે સતત સાવધાની રાખવી જરૂરી :

જો તમે સાવચેતી નહિ રાખો તો કોઈ પણ તમારા પાસવર્ડને ચોરીને તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે. કોઈ ફિશિંગ દ્વારા પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. સાઈબર ઠગ મોટાભાગે કોઈ ઓફર વિશે જણાવીને, ક્યારેક તમારા એકાઉન્ટમાં નંબર અપડેટ કર કરવાને લઈને કે પછી બીજા કોઈ બહાને ઠગાઈ કરે છે.

મોતને આમંત્રણ : કેમ આમની સેફ્ટીની કોઈ પડી નથી, હવે કહો સીટ બેલ્ટ લગાવે | Gujarat Guardian

મોટાભાગના લોકોને આ અંગે માહિતી હોતી નથી, આ કારણે તે સરળતાથી ઠગાઈનો ભોગ બને છે. આ કારણે તમારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.

તેની ફરિયાદ ક્યાં કરવી જોઈએ ?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાઈબર ક્રાઈમ કે ઓનલાઈન ઠગાઈની ઘટનાઓને રોકવા અને તેની ફરિયાદને નોંધાવવા માટે એક નેશનલ હેલ્પલાઈન નંબર (155260) બહાર પાડ્યો છે. તમે છેતરપિંડીની ફરિયાદ આ નંબર પર નોંધાવી શકો છો. જો તમે કોઈ આવા અપરાધનો શિકાર બનો છો તો સૌથી પહેલા આ નંબર પર કોલ કરો. આ સિવાય તમે ગૃહ મંત્રાલયના સાઈબર પોર્ટલ https://cybercrime.gov.in/ પર પણ તેની ફરિયાદ કરી શકો છો .

જેટલી ઝડપથી ફરિયાદ કરશો એટલું સારું રહેશે  :

જ્યારે પણ તમારી સાથે આવી ઘટનાઓ બને છે તો તેના શરૂઆતના બે-ત્રણ કલાક ખૂબ જ મહત્વના હોય છે. એવામાં તમે જેટલી ઝડપથી ફરિયાદ સાઈબર ટીમને કરશો, એટલા જ ઝડપથી એક્શન લેવાશે. તેના પગલે તમારા પૈસા પરત આવવાની શક્યતા વધી જશે.

કઈ રીતે કામ કરે છે હેલ્પલાઈન :

તમે જેવા કોઈ ઓનલાઈન ફ્રોડની જાણ કરો છો, તેવી જ સાઈબર ટીમ એલર્ટ થઈ જાય છે. સૌથી પહેલા તે તમારી સલંગ્ન બેન્કનો સંપર્ક કરે છે અને તમારા એકાઉન્ટમાંથી જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તેને હોલ્ડ કરે છે. તેના પગલે જે વ્યક્તિએ તમારી સાથે છેતરપિંડી કરી છે, તે વ્યક્તિ તે પૈસાનો ઉપયોગ કરી શકશે નહિ. તે પૈસા ઉપાડી શકશે નહિ. આ સિવાય તે કોઈ જ એકાઉન્ટમાં પૈસાને ટ્રાન્સફર પણ કરી શકશે નહિ.

આ પણ વાંચો :-

સાવધાન રહેજો ! આણંદમાં મીની વાવાઝોડું ત્રાટક્યું, 50થી વધુ વિઘા જમીનમાં લાખોનું નુકસાન

0

Be careful! Mini storm hits Anand

  • ભારે પવન સાથે મીની વાવાઝોડું ફુંકાતા અગાસ અને આસપાસનાં ગામોનાં સીમ વિસ્તારમાં કેળાનાં થડ કેળાની કાંસકીઓ સાથે ભાગીને ભોંય ભેગા થઈ જતા ખેડુતોને ભારે નુકશાન થયું છે.

જિલ્લામાં ગઈકાલે ભારે પવન (Strong wind) સાથે મીની વાવાઝોડુ (A mini storm) ફુંકાતા અગાસ ગામની સીમ વિસ્તારમાં કેળાનાં થડ (Banana trunks) પડી જતા ખેડુતોને ભારે નુકશાન થયું છે,અંદાજે 50 વિધાથી વધુ જમીનમાં કેળાનાં કાંસકી સાથેનાં થડ ભોંય ભેગા થઈ ગયા છે.

ભારે પવન સાથે મીની વાવાઝોડું ફુંકાતા અગાસ અને આસપાસનાં ગામોનાં સીમ વિસ્તારમાં કેળાનાં થડ કેળાની કાંસકીઓ સાથે ભાગીને ભોંય ભેગા થઈ જતા ખેડુતોને ભારે નુકશાન થયું છે.

મોતને આમંત્રણ : કેમ આમની સેફ્ટીની કોઈ પડી નથી, હવે કહો સીટ બેલ્ટ લગાવે | Gujarat Guardian

ખેતરોમાં કેળાનો પાક તૈયાર થઈ ગયો છે અને તૈયાર કેળાની લુમો કાપવાની તૈયારી હતી ત્યારે જ ફુંકાયેલા ઝડપી પવનનાં કારણે કેળાનાં થડ ધરાસાઈ જતા ખેડુતોને ભારે નુકશાન થતા ખેડુતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. રાજય સરકાર નુકશાનીનો સર્વે કરી ખેડુતોને આર્થિક સહાય આપે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-