Home Blog Page 1316

શું તમે ઓછા બજેટમાં ફરવા જવા ઈચ્છો છો તો, આ જગ્યાઓ છે તમારા માટે બેસ્ટ

0

If you want to travel on a low budget,

  • ઓછા બજેટમાં ફરવા જવું કોને ન ગમે? ખાસ કરીને જે લોકો હંમેશાં ટ્રાવેલિંગ કરતા હોય છે, તેમને તો ખાસ. તો ચાલો આજે જાણીએ ભારતમાં એવી કઈ-કઈ જગ્યાઓ છે.

જ્યાં ખૂબ જ ઓછા ખર્ચમાં પણ સરળતાથી ફરી શકાય છે. આ જગ્યાઓ પર તમે તમારી ઈચ્છા અનુસાર બજેટમાં ફરવા જવા માટે તૈયાર થઈ જાઓ.

આગરા :

દિલ્હીથી માંડ થોડા જ કલાકોના અંતરે છે આગરા. જો તમે પણ હજી સુધી તાજમહેલ જોયો ન હોય તો, એકવાર આગરા ચોક્કસથી જવું જોઈએ. દિલ્હીથી આગરા લગભગ 3-4 કલાકના અંતરે છે. 100 રૂપિયાની ટ્રેનની ટિકિટ લઈને તમે આરામથી આગરા પહોંચી શકો છો. આગરા ટ્રિપ તમે માત્ર એક દિવસમાં પણ પૂરી કરી શકો છો.

અમૃતસર :

અમૃતસર ફરવા માટેની સૌથી સસ્તી જગ્યાઓમાંની એક છે. અહીંના સુવર્ણ મંદિર અંગે તો તમે સાંભળ્યું જ હશે. ઉલ્લેખનિય છે કે, સુવર્ણ મંદિરની અંદર પણ તમને રહેવા અને ખાવાની વ્યવસ્થા આપવામાં આવે છે. એવામાં બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલ કરતા લોકો માટે અહીં ખર્ચ ઘટી જાય છે. અમૃતસરમાં સુવર્ણ મંદિર સિવાય પણ ઘણી જગ્યાઓ છે ફરવા માટે.

મથુરા :

જો તમે મથુરા જાઓ તો, મથુરાની સાથે-સાથે વૃંદાવન પણ ફરી શકો છો. આ દિલ્હીથી લગભગ ચાર કલાકના અંતરે છે. કૃષ્ણની નગરી મથુરા ખૂબ જ સુંદર છે. અહીં ફરવાનું પણ બહુ સસ્તું છે. અહીં ફરવા માટેની ઘણી જગ્યાઓ છે, અહીં રહેવાનું ભાડુ પણ લગભગ 400 રૂપિયા જ હોય છે અને જમવાનું પણ બહુ સસ્તું છે.

ઋષિકેશ :

જો તમને સોલો ટ્રિપ ગમતી હોય કે પછી મિત્રો સાથે ફરવાનું ગમતું હોય, તો ઋષિકેશ જવાનું ન ભૂલતા. દિલ્હીથી ખૂબજ નજીક છે ઋષિકેશ. અહીં કેમ્પિંગની સાથે-સાથે રિવર રાફ્ટિંગનો આનંદ પણ લઈ શકો છો. જો તમે અહીં તમારા મિત્રો સાથે જવા ઈચ્છતા હોવ તો, બહુ ઓછા ખર્ચે ફરીને પાછા આવી શકો છો.

અહીં ઘણી ધર્મશાળાઓની સાથે-સાથે હોટેલની સુવિધા પણ મળી રહેશે. રસ્તામાં જો કેમ્પિંગ કરવા ઈચ્છતા હોવ તો માત્ર 500 રૂપિયામાં કેમ્પિંગ પણ કરી શકો છો, જેમાં ભોજન રહેશે ફ્રી.

આ પણ વાંચો :-

હવે વોટ નહીં આપનાર વ્યક્તિના ખાતામાંથી કપાશે 350 રૂપિયા, જાણો શું છે વાસ્તવિકતા ?

0

Now 350 rupees will be deducted from the account of the person who does not vote, know

  • સોશિયલ મીડિયાના યુગમાં કોઈપણ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે.

નવાઈની વાત એ છે કે લોકો કોઈપણ સનસનાટીભરી માહિતીને (Sensational information) તપાસ્યા વિના શેર કરે છે. જેના કારણે અફવાઓ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેનો શિકાર પણ બની રહ્યા છે.

આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ મતદાતા લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તો ચૂંટણી પંચ તેના બેંક ખાતામાંથી પૈસા કાપી લેશે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાયા બાદ PIB ફેક્ટ ચેકની ટીમે આ દાવાની તપાસ કરી છે.

શું દાવો કરવામાં આવે છે ?

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર ન્યુઝ પેપરનું એક કટિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખ્યું છે કે ‘જો તમે વોટ નહીં આપો તો બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે. એવું પણ લખવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે પહેલાથી જ તેની મંજૂરી લઈ લીધી છે.

વાયરલ થઈ રહેલા કચિંગમાં લખવામાં આવ્યુ છે કે- ‘આ વખતે લોકસભાની ચુંટણીમાં વોટ નહીં આપવા જવું મોંઘુ પડી જશે. ચુંટણી પંચે મતદાનથી બચવાવાળા લોકો પર કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે.

દાવાની તપાસ કરી :

વાયરલ દાવાની તપાસ કર્યા બાદ PIB ફેક્ટ ચેકે તેનું સત્ય જણાવ્યું છે. પીઆઈબીએ આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. ભારતની ચૂંટણીપંચ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. PIBએ લોકોને એવા ભ્રામક સમાચાર શેર ન કરવા જ્ણાવ્યું છે.

ચૂંટણી પંચે પણ ટ્વિટ કરીને તેને નકલી ગણાવ્યું છે. ચૂંટણી પંચના પ્રવક્તાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું છે કે, “અમારા ધ્યાને આવ્યું છે કે નીચેના ફેક ન્યૂઝને કેટલાક વોટ્સએપ ગ્રુપ્સ અને સોશિયલ મીડિયા પર ફરીથી શેર કરવામાં આવી રહ્યા છે”. વર્ષ 2019માં પણ આવા ફેક ન્યૂઝ શેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

આધારમાં ટૂંક સમયમાં થઈ શકે છે આ મોટો ફેરફાર, દર 10 વર્ષે કરવું પડશે આ કામ

0

This big change in Aadhaar may happen soon

  • આધાર જારી કરતી સંસ્થા UIDAI આધારમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે.

UIDAI કહે છે કે તે લોકોને દર 10 વર્ષે સ્વૈચ્છિક રીતે તેમનો બાયોમેટ્રિક ડેટા અપડેટ (Biometric data update) કરવા પ્રોત્સાહિત કરશે. હાલમાં, 5 અને 15 વર્ષ પછીના બાળકોની બાયોમેટ્રિક્સ (Biometrics) વિગતો અપડેટ કરવી ફરજિયાત છે.

યુઆઈડીએઆઈના એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે લોકોને તેમના બાયોમેટ્રિક્સ, વસ્તી વિષયક ડેટા વગેરેને 10 વર્ષમાં એકવાર અપડેટ કરવા માટે કહેવામાં આવશે.

આ લોકોને આધાર અપડેટ કરવા માટે પ્રેરિત કરશે. 70 વર્ષની ઉંમર પછી તેની જરૂર રહેશે નહીં. દરેક વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ મેઘાલય, નાગાલેન્ડ અને લદ્દાખ સિવાય દેશમાં લગભગ તમામ પુખ્ત વયના લોકોની નોંધણી કરી છે.

NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ)ના મુદ્દાને કારણે મેઘાલયમાં નામાંકન મોડું શરૂ થયું. જ્યારે નાગાલેન્ડ અને લદ્દાખના કેટલાક અંતરિયાળ વિસ્તારોને આવરી લેવાના બાકી છે. ઘરે બેઠા સુવિધાઓ ઉપલબ્ધ થશે.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

UIDAI પાસે 50,000 થી વધુ નોંધણી કેન્દ્રો છે. ટૂંક સમયમાં આ કાર્યક્રમ હેઠળ 1.5 લાખ પોસ્ટમેન ઉમેરવાની તૈયારીઓ ચાલી રહી છે. શરૂઆતમાં આ પોસ્ટમેન આધાર કાર્ડ ધારકોના મોબાઈલ નંબર અને સરનામા અપડેટ કરશે. આનાથી લોકો ઘર બેઠા આધાર નોંધણી જેવી સુવિધાઓ મેળવી શકશે.

યુઆઈડીએઆઈ રાજ્યો દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યું છે. આ છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે. આ ભંડોળના લીકેજને રોકવામાં અને જાહેર નાણાં બચાવવામાં મદદ કરશે. ઉડ્ડયન મંત્રાલયની ‘ડિજિયાત્રા’ યોજનાને પણ મુસાફરોના વેરિફિકેશન માટે આધાર સાથે લિંક કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ફરી મોટી ચૂક, કાફલાની વચ્ચે નેતાએ ઊભી રાખી કાર, જુઓ કેવી હાલત થઈ નેતાની…

0

Another big lapse in the security of Home Minister

  • તેલંગાણા મુક્તિ દિવસ પર હૈદરાબાદ પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સુરક્ષામાં ચૂકનો આરોપ લાગ્યો છે.

મુંબઈની (Mumbai) જેમ જ હૈદરાબાદમાં (Hyderabad) પણ અમિત શાહની (Amit Shah) સુરક્ષામાં ચૂક થઇ હતી. કાફલાની વચ્ચે ગોસુલા શ્રીનિવાસ (Gosula Srinivas) નામનો એક વ્યક્તિએ કાફલામાં કાર ઘુસાડી હતી. પોલીસે કારનો કાચ તોડીને કાર હટાવી લીધી હતી.

ગોસુલા શ્રીનિવાસ ટીઆરએસ નેતા હોવાનું કહેવાય છે. તે કહે છે કે કાર અચાનક અટકી ગઈ હતી. હું ટેન્શનમાં હતો. હું તેમની (પોલીસ અધિકારીઓ) સાથે વાત કરીશ. તેઓએ કારમાં તોડફોડ કરી હતી.

ટીઆરએસ નેતા :

ગોસુલા શ્રીનિવાસે હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહના કાફલાની સામે પોતાની કાર પાર્ક કરી હતી. સુરક્ષા, ગૃહમંત્રીની સુરક્ષામાં લાગેલા કમાન્ડોએ તેમને કાર હટાવવા માટે કહ્યું અને બાદમાં જ્યારે તેમણે ગાડી ન હટાવી તો ગાડીના કાચ તોડીને હટાવી દેવામાં આવ્યા. કાર ચાલક કહે છે કે તેની કોઈ ભૂલ નથી. તે બિનજરૂરી રીતે તણાવમાં હતા.

આ પહેલા પણ ચૂક થઇ હતી :

આ પહેલા સોમવારે મુંબઈમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. મુંબઈમાં એક વ્યક્તિ કલાકો સુધી ગૃહમંત્રી અમિત શાહની આસપાસ ફરતો રહ્યો. તેમણે પોતાને આંધ્રપ્રદેશના સાંસદના પીએ તરીકે રજૂ કર્યા હતા. જેને પગલે મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના હેમંત પવારની ધરપકડ કરી હતી.

તેમની પાસે ગૃહ મંત્રાલયનું ઓળખપત્ર હતું. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમના નિવાસસ્થાનની બહાર પણ જોવા મળ્યા હતા. આરોપી હેમંત પવારને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

આ પણ વાંચો :-

જેઠાલાલની ‘બબીતા’ કોરિયન બ્યુટી લુકમાં જોવા મળી, ઈન્ટરનેટ પર નવો લુક વાયરલ

Jethalal’s ‘Babita’ seen in Korean beauty look

  • ટીવીનો પોપ્યુલર સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજ કરી રહ્યો છે. સમયની સાથે શોની સ્ટાર કાસ્ટમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

ટીવીનો પોપ્યુલર સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજ કરી રહ્યો છે. સમયની સાથે શોની સ્ટાર કાસ્ટમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

શોના તમામ પાત્રો દર્શકોના દિલમાં વસી ગયા છે. હવે આ શોની ‘બબીતાજી’ (Babitaji) એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) પણ સતત ચર્ચામાં રહે છે.

મુનમુન દત્તા એક વખત ફરીથી પોતાની નવી હેરસ્ટાઈલના કારણે ચર્ચામાં આવી છે. હકીકતમાં મુનમુન દત્તાએ હાલમાં પોતાના હેર કટ કરાવ્યા છે. આ સ્ટાઈલને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. મુનમુન દત્તાના ફેન સોશિયલ મીડિયા પર તેના નવા લુકના વખાણ કરી રહ્યા છે.

ઈન્ટરનેટ પર નવો લુક વાયરલ :

નવા હેરકટિંગની સાથે મુનમુન કોરિયન બ્યુટી બની ગઈ છે. હકીકતમાં મુનમુન અત્યારે કોરિયન સિરિયલની દીવાની છે. તે પોતાના ખાલી સમયમાં મુનમુન કોરિયન સિરિયલ જોતી હોય છે.

તે જોઈ મુનમુન પોતાનો લુક પણ કોરિયન બ્યુટી રાખવા માટે પ્રેરિત થઈ છે. મુનમુને પોતાનો નવો લુક તેની ફેવરેટ એક્ટ્રેસ ડાયના ગોમ્ઝ અને શિન હા-રીના લુકથી પ્રેરિત થઈ હેર કટિંગ કરાવ્યા છે.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

મુનમુને ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા લુકનો ફોટો પોસ્ટ કરતા લખ્યું, એક નાનકડો ફેરફાર, હું મારા અંદર છુપાયેલી શિન હા-રી અને વેલેરિયાને જોઈ રહી છું.

નવા હેરકટ… ડ્રામા બિઝનેસ પ્રપોઝલની કિમ સી-જિયોન્ગ અને ડાયના ગોમ્જ, વેલેરિયાથી પ્રેરિત છે. આ શોએ મને દીવાની બનાવી દીધી છે. તેનાથી પ્રેરિત થઈ મેં મારો નવો લુક ચેન્જ કર્યો છે.

ઓરેન્જ ટીશર્ટમાં મુનમુન બની કોરિયન બ્યુટી :

મુનમુન દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ ફોટમાં મુનમુન ઓરેન્જ કલરની ટીશર્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેમજ મુનમુન દત્તાના આ ફોટોઝ પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. મુનમુનના આ ફોટોને 1 લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે.

એટલું જ નહીં ફેન્સ મુનમુનના આ ફોટો પર મજેદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ઘણા ફેન્સે તેના આ ફોટો પર હાર્ટ ઈમોજી કમેન્ટ કરી રહ્યા છે. તેમજ ઘણા લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા ક્વીન છે મુનમુન :

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મુનમુના ઈન્સ્ટાગ્રામ પર 7.5 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. મુનમુન પણ પોતાના ફેન્સની સાથે ફોટો શેર કરતી રહે છે. મુનમુન દત્તા શરૂઆતથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી છે.

મુનમુને હમ સબ બારાતી ટીવી સિરિયલથી નાના પડદા પર એન્ટ્રી કરી હતી. તેના પછી મુનમુન ઘણા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તેના પાત્રના લાખો દિવાના છે.

આ પણ વાંચો :-

લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવા મહત્વનો નિર્ણય : જાણો ક્યાં 4 ઓવરબ્રિજને કરાશે સિક્સ લેન

0

Important decision to free people from traffic problems

  • આજે વડોદરાની કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઇ. જેમાં ટ્રાફિકની સમસ્યાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો.

વડોદરાની (Vadodara) કલેક્ટર કચેરી ખાતેની ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની બેઠકમાં આજે એવો નિર્ણય લેવાયો કે, વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે (Vadodara-Bharuch National Highway) પરના 4 ઓવર બ્રિજને 6 લેન કરાશે.

બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘વડોદરાથી ભરૂચ જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ (National Highway) ઉપર આવતા 4 ઓવર બ્રિજને છ માર્ગીય કરવા દરખાસ્ત થઇ ગઇ છે.’

નીતિન ગડકરીએ આ મામલે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો :

તમને જણાવી દઇએ કે, બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય ધોરી માર્ગમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર અને બામણ ગામના પુલ હાલમાં ફોરલેન હોવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.

આથી તેઓએ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને વડોદરાથી ભરૂચ માર્ગ પરના ચાર ઓવર બ્રિજના કારણે થતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેઓએ આ બાબતે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.’

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

સાંસદ રંજનબેને જણાવ્યું કે, ‘મહત્વનું છે કે, આ ચારેય ઓવરબ્રિજને સિક્સ લેન કરવા માટે ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણ (NHAI) ની કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને દિલ્હી મોકલવામાં આવી હતી. જેને ઝડપથી મંજૂરી મળી જાય એવી અપેક્ષા છે.’ ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આ બેઠકમાં સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના ત્વરિત અમલીકરણ ઉપરાંત સારી ગુણવત્તાયુક્ત કાર્યો થાય અને લોકોની જરૂરિયાત મુજબ થાય એ વિષય ઉપર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, ધારાસભ્ય જીતુ સુખડિયા, જસપાલસિંહ પઢિયાર અક્ષય પટેલ, શૈલેષ મહેતા ઉપરાંત અધિક કલેક્ટર ગોપલ બામણિયા તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો :-

રવીન્દ્ર જાડેજાએ પગમાં પ્લાસ્ટર સાથે શેર કરી તસવીર તો લોકો થઈ ગયા ઈમોશનલ, કહ્યું ક્યારે કમબેક કરશો બાપુ ? જુઓ તસ્વીર

0

Ravindra Jadeja shared a picture with plaster

  • રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. હજુ તેમની મેદાન પર વાપસીની તારીખ સામે આવી નથી.

ભારતીય ઓલરાઉન્ડર રવીંદ્ર જાડેજાનાં (Ravindra Jadeja) ફેન્સ માટે સારા સમાચાર છે. તેઓ રિકવર થવા લાગ્યા છે. જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા (Social media) એકાઉન્ટ દ્વારા એક તસવીર શેર કરી છે.

જેમાં તેઓ Crutchesનાં સહારે ઉભેલા જોવા મળે છે. જાડેજા ઇજાને કારણે ટી20 વર્લ્ડ કપમાં ટીમમાં સામેલ થયા નથી. તેઓ એશિયા કપમાં શરૂઆતની બે મેચ રમ્યા બાદ ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા હતા.

Crutchesનાં સહારે ઉભેલા જોવા મળ્યા રવીન્દ્ર જાડેજા :

ટીમ ઈન્ડિયાના સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં તેઓ Crutchesનાં સહારે ઉભેલા જોવા મળે છે.

એવું લાગી રહ્યું છે કે તેઓ તેમના રાજકોટવાળા ઘરમાં છે. તેમના પગમાં પ્લાસ્ટર પણ છે. તેમણે આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘One Step at a Time’.

વાપસીની કોઈ જાણ નથી :

રવીન્દ્ર જાડેજા ઘૂંટણની સર્જરી બાદ ઠીક થવા માટે સ્વદેશ પાછા ફર્યા છે. એશિયા કપ દરમિયાન જાડેજાને ઘૂંટણમાં ઇજા થઈ હતી. આ ઇજાને કારણે ન માત્ર તેઓ એશિયા કપથી પણ ટી20 વર્લ્ડ કપથી પણ બહાર થઈ ગયા છે. તેમની મેદાન પર વાપસીની તારીખની જાણ ત્યારે થશે. જ્યારે તેઓ સર્જરીથી ઠીક થયા બાદ એનસીએને રિપોર્ટ  કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતનાં મુખ્યમંત્રીથી દુનિયાનાં સૌથી લોકપ્રિય નેતા બનવા સુધી, આ કારણે બની ગયા બ્રાન્ડ PM મોદી

0

From being the Chief Minister of Gujarat to

  • આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જાણો કઈ કઈ ખાસિયતોને કારણે પીએમ નરેન્દ્ર મોદી બ્રાંડ મોદી બની ગયા છે.

PM મોદી એક એવા નેતા છે જે સતત 21 વર્ષ સત્તામાં રહ્યા છે. પહેલા 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા અને હવે 8 વર્ષથી પ્રધાનમંત્રીનાં પદ પર છે. આ પાછળ તેમના 24×7 કામ કરવાની રણનીતિ જવાબદાર (Strategy responsible) છે. કહેવામાં આવે છે કે તેઓ આમ ગત 21 વર્ષથી કરી રહ્યા છે અને આ દરમિયાન તેમણે એક પણ રજા લીધી નથી.

PM મોદીએ આ ખાસ પ્રકારની રાજનીતિ સંસ્કૃતિને વિકસિત કરી અને છે અને પાર્ટીને ‘સેવા હી સંગઠન‘નું મુલ્ય આપીને આગળ લઇ જવાની કોશિશ કરી છે.

1. ચૂંટણીની રણનીતિ બદલવા અને વિજય હાંસલ કરવાનું શીખવ્યું :

2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ ભાજપાએ દેશના એ રાજ્યોમાં પણ સરકાર બનાવી જ્યાં ઘણા વર્ષોથી પાર્ટી પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી રહી હતી. આ પાછળ PM મોદીની ચુંટણીને લગતી રણનીતિ હતી. વગર રજાએ સતત પોતાના કામ કરવાના ખાસ અંદાજે પીએમ મોદીને જે બ્રાંડ ઈમેજ આપી છે, એ કારણે આજે દેશમાં મોદી લહેર જોવા મળે છે.

2. થોભતી નથી ચુંટણીની તૈયારીઓ  :

પીએમ મોદીએ પાર્ટીમાં આ ચલણ શરુ કર્યું કે ચુંટણી કોઈપણ હોય, પરિણામ આવ્યા બાદ તૈયારી અટકવી ન જોઈએ. સામાન્ય રીતે રાજનીતિક દળો રાજ્યમાં ચુંટણીનાં એક વર્ષ પહેલા જ તૈયારીઓ શરુ કરે છે, પણ પીએમ મોદીએ આ ટ્રેન્ડ પણ બદલ્યો.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ચુંટણીની તૈયારીઓને પાર્ટીનાં કામનો મુખ્ય ભાગ બનાવ્યો. પરિણામ, ભાજપાની ચુંટણીની તૈયારીઓ વિપક્ષી દળો માટે પડકારો વધારી રહી છે.

3. દરેક આયોજનને ભવ્ય બનાવવાની અને મોટા સંદેશ આપવાની શરૂઆત  :

પીએમ મોદી દરેક આયોજનને ભવ્ય બનાવવા અને તેના માધ્યમથી રાજનીતિક સંદેશ આપવાની કોશિશ કરે છે. આની શરૂઆત 2014માં તેમણે એક ઇવેન્ટથી કરી હતી અને ખુદને પ્રધાનસેવક જણાવ્યા હતા.

ભાજપાએ પ્રધાનમંત્રીનાં દરેક જન્મદિવસને સેવા દિવસનાં રૂપમાં મનાવવાની શરૂઆત કરી છે. આ દરમિયાન હેલ્થ ચેક અપ, દીવ્યાંગોને ઉપકરણ વહેંચવા અને વેક્સિનેશન જેવા તમામ કામ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

 પતિ બીજા રૂમમાં સૂતો હતો અને કોન્સ્ટેબલ પરિણીતાએ કર્યો આપઘાત 

0

The husband was sleeping in another

  • કોન્સ્ટેબલ પતિ પત્ની આપઘાત પહેલાના પાંચ દિવસ રજા લઇને વતનમાં ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે સવારે ભાવનાબેનએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે પોતે નોકરી પર નહિ આવે તેવું જણાવ્યું હતું.

શહેરના રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં (Old Swaminarayan Vas) રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) ભાવનાબેન ડાભીએ પોતાના ઘરમાં ગળાફાંસો (noose) ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારની સાંજે પતિ ભદ્રેશભાઇ અને મૃતક ભાવનાબેન ઘરમાં હતા.

આ દરમિયાન પતિ બેડરૂમમાં સુતો હતો ત્યારે પત્ની ભાવનાબેને ડ્રોઇંગરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સાંજે પતિ જ્યારે બહારના રૂમમાં આવ્યો ત્યારે પત્નીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. જે બાદ આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આપઘાતની સવારે મૃતકે કન્ટ્રોલ રૂમમાં પોતે આજે નહીં આવે તેમ જણાવ્યું હતું.આ કેસમાં પોલીસે કોન્સ્ટેબલ પતિની અટકાયત કરી છે.

52 વર્ષના પ્રવિણભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ભાવનાબેન ડાભીની 2016માં LRD તરીકે સુરતમાં ભરતી થઇ હતી. જ્યારે હાલમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. દોઢ વર્ષ પહેલા જ ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા.

દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ગૃહકંકાસ ચાલતો હતો. જેનાથી કંટાળીને ભાવનાબેને આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. જો કે પોલીસ તપાસમાં મૃતક ભાવનાબેનની અંતિમ ચિઠ્ઠી મળી નથી.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

કોન્સ્ટેબલ પતિ પત્ની આપઘાત પહેલાના પાંચ દિવસ રજા લઇને વતનમાં ગયા હતા. ત્યાર બાદ ગુરુવારે સવારે ભાવનાબેનએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે પોતે નોકરી પર નહિ આવે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ મોડી સાંજે ભાવનાબેને આપઘાત કર્યો હતો.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવના ડાભીના આપઘાત કેસમાં રાણીપ પોલીસે અકસ્માતે મોત નોંધીને તેના પતિ ભદ્રેશ ડાભીનું નિવેદન લઈને આત્મહત્યાના કારણને લઈને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ભારે કરી હો ! હજુ પણ એવી પત્ની શોધું છું જે મને સમજે… 63 વર્ષમાં 53 વખત લગ્ન કરી ચૂક્યો છે આ શખ્સ, તોય ધરાતો નથી બોલો !

Heavily done! Still looking for a wife who

  • 63 વર્ષના જીવનમાં 53 લગ્ન કર્યા, વિદેશ યાત્રા દરમિયાન પત્નીની ખામી ન વર્તાઇ આટલા માટે તેઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં લગ્ન કરી લીધા.

એક વ્યક્તિ તેના જીવનમાં કેટલી વખત લગ્ન કરી શકે છે…એક, બે, ત્રણ કે ચાર. પણ જો કોઈએ તેના 63 વર્ષના જીવનમાં 53 લગ્ન કર્યા હોય તો ? આ સાંભળીને તમે શું કહો ? જણાવી દઈએ કે આ ખાલી કહેવા માટે નથી કહેતા પણ આ એક સાચો કિસ્સો છે. સાઉદી અરેબિયાના (Saudi Arabia) રહેવાસી અબુ અબ્દુલ્લાને (Abu Abdullah) આ સદીના સૌથી મોટા બહુપત્નીત્વવાદી કહી તો એ કોઈ ખોટી વાત નહીં હોય.

અબ્દુલ્લાએ છેલ્લા 63 વર્ષમાં 53 લગ્ન કર્યા છે અને આવું એટલા માટે કે વિદેશ યાત્રા દરમિયાન પત્નીની ખામી ન વર્તાઇ આટલા માટે તેઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં લગ્ન કરી લીધા છે. અબ્દુલ્લા એ કહ્યું હતું કે આમ કરવાથી તે બહારની ખરાબીઓથી દૂર રહે છે તે એવો પણ દાવો કરે છે કે તેને કોઈપણ પત્ની સાથે અન્યાય કર્યો નથી, બધા સાથે સમાન વ્યવહાર કર્યો છે અને સમાન અધિકાર આપ્યા છે.

20 વર્ષે પહેલા લગ્ન કર્યા હતા :

અબુ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જ્યારે પ્રથમ લગ્ન થયા ત્યારે તેઓ માત્ર વીસ વર્ષના હતા અને તેની પત્ની અને બાળક સાથે ખુશ હતા પણ ત્રણ વર્ષ વીતી ગયા પછી કેટલાક એવા સંજોગો ઉભા થયા કે તેને ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને 23 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા. સાથે એમને એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તેને પહેલી વખત લગ્ન કર્યા એ સમયે તેની પત્ની તેના કરતા છ વર્ષ મોટી હતી.

વિદેશ યાત્રા પર આ કારણે કર્યા લગ્ન :

અબુ અબ્દુલ્લાનું કહેવું છે કે તેણે પોતાના 53 લગ્નોમાં વધુ પડતી સાઉદી મહિલાઓ સાથે લગ્ન કર્યા છે પણ આ સાથે જ ઘણી વિદેશી મહિલાઓ સાથે લગ્ન પણ કર્યા છે. એમને જણાવ્યું હતું કે તેઓ ત્રણથી ચાર મહિના માટે વિદેશ બિઝનેસ ટૂર પર રહેતા હતા અને આ દરમિયાન તેને વિદેશી મહિલાઓ સાથે વિદેશમાં લગ્ન કર્યા હતા.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

અબ્દુલ્લાએ કહ્યું કે હું ત્રણ-ચાર મહિના વિદેશમાં રહેતો હતો અને એટલા માટે જ મેં મારી જાતને ખરાબ કામોથી બચાવવા માટે વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન પણ કર્યા હતા.

કેમ કર્યા આટલા બધા લગ્ન :

સાઉદી અરેબિયાના રહેવાસી અબુ અબ્દુલ્લાએ જણાવ્યું કે 63 વર્ષમાં 53 લગ્ન એમને પોતાના મનની શાંતિ અને સ્થિરતા માટે કર્યા હતા. તે એવી પત્નીની શોધમાં હતો જે તેને સમજી શકે અને તેને શાંતિ આપે અને એ હંમેશા એવી સ્ત્રીની શોધમાં રહે છે જે તેને ખુશ કરી શકે. અબુનું કહેવું છે કે તેને અત્યાર સુધીમાં સૌથી ટૂંકા લગ્ન કર્યા હતા જે માત્ર એક જ રાતમાં તૂટી ગયા હતા.

આ પણ વાંચો :-