Home Blog Page 1278

ભારત ક્રિકેટ એશિયા કપ રમવા પાકિસ્તાન જશે કે નહિ ? BCCI તરફથી જય શાહએ કરેલી જાહેરાત સાંભળીને આંચકો લાગશે

0

Will India go to Pakistan to play Cricket Asia Cup

  • ભારતીય ટીમ એશિયા કપ 2023 (Asia Cup 2023) રમવા માટે પાકિસ્તાન નહીં જાય તેમ BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું છે.

જો કે શાહે એમ પણ કહ્યું કે ભારતીય ટીમ એશિયા કપની (Indian Team Asia Cup) મેચ તટસ્થ સ્થળે રમવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે 2023માં એશિયા કપનું (Asia Cup) આયોજન પાકિસ્તાનમાં (Pakistan) થવાની સંભાવના છે.

અગાઉ એ વાત સામે આવી હતી કે ભારતીય ટીમ 2023માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જઈ શકે છે. મંગળવારે (18 ઓક્ટોબર) મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભા બાદ BCCIએ આ નિર્ણય લીધો છે. બીસીસીઆઈ ટૂર્નામેન્ટને આવતા વર્ષે શિફ્ટ કરવા અંગે વિચારણા કરશે.

BCCIના સચિવ અને એસીસીના પ્રમુખ જય શાહે જણાવ્યું હતું કે, “એશિયા કપને તટસ્થ સ્થળે રમવાની ઓફર કરવામાં આવશે અને અમે નિર્ણય કર્યો છે કે અમે આ ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જઈએ”. ભારત અને પાકિસ્તાન(India vs Pakistan)ની ટીમે વર્ષ 2012-13થી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમી નથી.

તમને જણાવી દઈએ કે આ વર્ષે રમાયેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો બે વખત એકબીજા સામે રમી હતી, જેમાં એક મેચમાં ભારત અને એક મેચમાં પાકિસ્તાનને જીત મળી હતી.

હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે ટક્કર કરવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાન 23 ઓક્ટોબરે મેલબોર્નમાં ટકરાશે.

આ પણ વાંચો :-

19 ઓક્ટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

19 October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. ધંધાકીય ક્ષેત્રે નવું સાહસ શક્ય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારક પુરવાર થાય.

વૃષભઃ
દિવસ દરમિયાન પરિવારમાં આનંદીત વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
આર્થિક ક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ.

કર્કઃ
માનસિક ચંચળતા વધે. દિવસ દરમિયાન પ્રફૂલ્લિત રહી શકાય. જીવનસાથી સાથે મધુરતા વર્તાય. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. આરોગ્યનો સાથ મળશે.

સિંહઃ
માનસિક રીતે ચિંતાના વાદળો ઘેરાતા જણાય. આવક અંગે સામાન્ય દિવસ. પરિવારના સ્ત્રીવર્ગ માટે સાવધાની જરૂરી. માનસિક રોગોની સમસ્યા ઉદ્‍ભ‍વે અથવા એમાં વધારો થાય. શરદી-ખાંસી, તાવથી સાચવવું.

કન્યાઃ
દિવસ દરમિયાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. મિત્રોના સાથ સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય.

તુલાઃ
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો લઈ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો દિવસ. નોકરીમાં શાંતિ તથા આનંદ જળવાય. ટારગેટ પૂરા થતા આવક. આનંદમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતામાં વૃદ્ધિ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતાં આવક જળવાય. આરોગ્ય સારું રહેશે. ટાયર, ટ્યુબ, કલર, કેમિકલ તથા કાપડ, અનાજના ધંધામાં લાભ.

ધન:
થોડી માનસિક અસ્વસ્થતા સતાવે. વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. મગજની ઈજાથી સાવધ રહેવું. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

મકરઃ
તર્કશક્તિમાં વધારો થાય. દયાની ભાવના વધે. જ્યોતિષિ, બેંકર, મશીનરી ક્ષેત્રે લાભ. કમર, કરોડરજ્જુ, દાંતના રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરી-ધંધામાં સાવધાની જરૂરી.

કુંભઃ
નિર્ણય શક્તિમાં વધારો થાય. ધંધાકીય ક્ષેતરે જોખમ લેવાનું ટાળવું. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદની શક્યતા છે.

મીનઃ
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનના વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વધે. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક ઊભી કરી શકાય. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ ડ્રિંક્સ, આજથી જ પીવાનુ શરૂ કરી દો

These drinks are a panacea for

  • બદલાતી જીવનશૈલીને કારણે આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસનો શિકાર થઇ રહ્યાં છે. એવામાં જરૂરી છે કે ખાનપાનનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે. આજે અમુક એવા પીણા પદાર્થ વિશે જણાવવા જઇ રહ્યાં છે.

ટામેટા (Tomato) અને કોઈ બીજી શાકભાજીનુ જ્યુસને પીવાથી બ્લડ શુગરને (Blood sugar) કંટ્રોલ કરવામાં મદદ મળે છે. લીલા પાંદડાવાળી શાકભાજીના (Green leafy vegetables) રસમાં કાકડીનો રસ, મુઠી ભરીને બેરી અને અજવાયન મળીને એક હેલ્ધી ડ્રિંક (A healthy drink) તૈયાર કરો અને તેનુ દરરોજ સેવન કરો. જેનાથી ડાયાબિટીસની સાથે અન્ય બિમારીઓ સામે લડવામાં સહાયતા પણ મળશે.

પાણી સૌથી ઉત્તમ :

પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પૂરતી માત્રામાં પાણી પીવાથી શરીરમાંથી મોટાભાગનો ગ્લૂકોઝ યુરીન દ્વારા નિકળી જાય છે. પુરુષને દિવસમાં ઓછામાં ઓછુ 13 ગ્લાસ (ત્રણ લીટર) અને મહિલાઓને લગભગ 9 ગ્લાસ (બે લીટર) પાણી પીવુ જોઈએ.

લો ફેટ મિલ્ક દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી :

લો ફેટ મિલ્ક દૂધ અને ખાંડ વગરની કૉફી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી સાબિત થઇ શકે છે. લો ફેટ મિલ્કમાં જરૂરી વિટામિન અને ખનીજ હોય છે. આ સાથે આ શરીરમાં કાર્બોહાઈડ્રેટ પણ વધારે છે.

સોડા વોટર પણ પીવુ જોઈએ :

સોડા વોટર સેલ્ટજર વોટર એક પ્રકારનુ સોડા વોટર જ છે. જેને સ્પાર્કલિંગ વોટર પણ કહેવામાં આવે છે. સાદા પાણીની જેમ સેલ્ટજર પાણીમાં કેલેરી, કાર્બ્સ અને ખાંડ હોતી નથી. ડાયાબિટીસ ગ્રસ્ત દર્દીઓએ આ પાણીને પીવાનુ શરૂ કરવુ જોઈએ. આ શરીરમાં હેલ્ધી બ્લડ શુગર લેવલ મેન્ટેન કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

અફરાતફરીનો માહોલ : CM ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક, યુવક બેગ લઈને મંચ પર પહોંચી ગયો…

0

Chaotic atmosphere: Big lapse in CM Bhupendra Patel

  • ડીસામાં મુખ્યમંત્રીની સભા પુરી થયા બાદ એક યુવક લેખિતમાં રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી પાસે મંચ પર જ પહોંચી ગયો હતો. કાર્યક્રમ પૂરો થતાં જ મુખ્યમંત્રી સભા સ્થળ છોડી રહ્યા હતા. ત્યારે આ યુવક સ્ટેજ પર પહોંચી જતાં અફરાતફરી મચી ગઈ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપની ગૌરવ યાત્રા રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી રહી છે. ત્યારે આજે ગૌરવ યાત્રા બનાસકાંઠા આવી પહોંચી છે. પરંતુ બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા તાલુકામાં સીએમ ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઇ છે. ડીસામાં ગૌરવ યાત્રામાં સીએમ ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જોડાયા હતા. આ દરમિયાન સભામાં સીએમ પટેલ મંચ પર હતા ત્યારે એક યુવક હાથમાં બેગ લઈને એકએક સીએમ ભુપેન્દ્ર પટેલની (Bhupendra Patel) નજીક પહોંચી ગયો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ડીસામાં મુખ્યમંત્રીની સભા પુરી થયા બાદ એક યુવક લેખિતમાં રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી પાસે મંચ પર જ પહોંચી ગયો હતો. કાર્યક્રમ પૂરો થતાં જ મુખ્યમંત્રી સભા સ્થળ છોડી રહ્યા હતા. ત્યારે આ યુવક સ્ટેજ પર પહોંચી જતાં અફરાતફરી મચી ગઈ હતી.

ભાજપના કાર્યકરોએ જ આ શખ્સને મુખ્યમંત્રી નજીક જતાં અટકાવીને તેના હાથમાં રહેલો કાગળ છીનવી લીધો હતો. ત્યારબાદ આ યુવકને સ્ટેજથી દૂર લઈ જવામાં આવ્યો હતો અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ શખ્સ તલાટી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે આ શખ્સની અટકાયત કરી લેતા તે સ્ટેજ પર કેમ ચઢ્યો હતો અને તેના હાથમાં રહેલા કાગળમાં શું લખાણ હતું તે અંગે કોઈ જ માહિતી મળી શકી નથી.

આ ઘટના બાદ એવું મનાય છે કે યુવક કોઈ રજૂઆત કરવા માટે સ્ટેજ પર ચઢી ગયો હતો. જો કે ત્યાં ઉપસ્થિત કાર્યકરોએ યુવકના હાથમાંથી પત્ર ખીસ્સામાં મુકી દીધો હતો અને તેને દૂર લઈ ગયા હતા. હવે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આખરે એ પત્રમાં શું હતું? ડીસામાં મુખ્યમંત્રીની સભામાં જે રીતે સ્ટેજ સુધી આ શખ્સ પહોંચી ગયો તે સુરક્ષાની મોટી ત્રુટિ કહી શકાય એમ છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 18 ઓક્ટોબર : આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Today’s Horoscope 18 October Gujarat Guardian

મેષ
આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતો કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આધાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભ
ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતાં જણાય..

મિથુન
ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નાણાકીય રોકાણોનું આયોજન ફાયદાકારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્ની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્રવર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું.

‌સિંહ
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરિયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારું રહેશે.

કન્યા
ગઈકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતાપિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલા
આવકનું પ્રમાણ જળવાતા માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને.

વૃ‌શ્ચિક
ગઈકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારું રહે.

ધન
આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડિયો, ટીવી જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકર
આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે પણ વખતસર નાણાની સગવડ થઈ જશે. દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય, વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસ ટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભ
શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલિંગ જેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જૂના મિત્રોને મળવાનું શક્ય બને.

મીન
આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસું મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. સામાજિક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

આ પણ વાંચો :-

લો બોલો, રંગીલા રાજકોટમાં પ્રેમસંબંધમાં એક કાકી પોતાનાથી નાની ઉંમરના ભત્રીજાને લઈને ભાગી ગઈ !

Speak up, an aunt ran away with

  • રાજકોટમાં કાકી ભત્રીજાને લઈને ભાગી ગઈ અને પોલીસની દોડપકડ શરૂ થઈ. પારિવારિક સંબંધોમાં આ પ્રકારની ઘટનાથી સંબંધોને કાળુ ટીલુ લાગે છે.

ઘણીવાર સમાજમાં એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને કારણે સભ્ય સમાજને લાંચ્છન (A disgrace to society) લાગે છે. આવો જ એક કિસ્સો રંગીલા રાજકોટમાં સામે આવ્યો છે. જેણે રાજકોટની રંગતને લાંચ્છન લગાડ્યું છે. રાજકોટમાં (Rajkot) એવો કિસ્સો સામે આવ્યો છે કે એક મોટી ઉંમરની કાકી પોતાના તરુણ વયના ભત્રીજાને (Nephew) લઈને ભાગી ગઈ.

રાજકોટને રંગીન પોતાના રાજવી મિજાજ અને ઠાઠ માટે કહેવાય છે. તેના રુઆબ અને રુતબા માટે તેને રંગીન કહેવાય છે. પણ ત્યાં સંબંધોમાં આ પ્રકારની સ્વચ્છંદતાને કોઈ સ્થાન ન હોઈ શકે. આ પ્રકારની ઘટનાએ તો સંબંધોની અસ્મિતાને કાળુ ટીલુ લગાવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં એક કાકી પોતાના તરુણ ભત્રીજાને પ્રેમનો પ્યાલો પીવડાવીને ભગાડી ગઈ. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાક જગાવી છે. બનાવ એવો બન્યો છે કે રાજકોટ શહેરના રાજમોતી મીલ નજીક સીતારામનગરમાં રહેતાં 35 વર્ષીય કાકીને 15 વર્ષના ભત્રીજા સાથે આંખ મળી ગઈ.

હવે આ સંબંધને પ્રેમનું નામ અપાયું. ત્યાર પછી કાકી ભત્રીજાને લઈને ભાગી ગઈ. એક અઠવાડિયા સુધી પરિવારજનોએ કાકી અને ભત્રીજાની શોધખોળ કરી. પણ ક્યાંય તેમનો પત્તો ન લાગતાં આખરે પરિવાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરાતા સમગ્ર મામલે પ્રકાશમાં આવ્યો.

રાજકોટના ભાવનગર રોડ પર ચાલતી મીલ ભાષણ સીતારામનગર શેરીમાં રહેતા ગીરીશભાઈ નરસિંહભાઈ સંગાવરીયા (ઉ.35)એ થોરાળા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આરોપી તરીકે સીતારામનગર શેરી રહેતા નાના ભાઈની પત્ની ચંદ્રિકા મનોજ સાંગવરિયા પોતાનાથી નાની ઉંમરના ભત્રીજાને લઈ ભાગી ગઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ તેમના પત્ની લલિતા શાકભાજીનો ધંધો કરે છે. તેમના સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જ્યારે નાનો ભાઈ મનોજ પણ શાકભાજીનો ધંધો કરે છે. તેની પત્ની ચંદ્રિકાને બે બાળકો છે અને તેઓ અલગ રહે છે.

પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પત્ની શાકભાજી વેચવા ગયા હતા અને ઘરે 15 વર્ષના પુત્ર અને તેની નાની બહેન એકલા હતા. સાંજે ફરિયાદી કરે આવતાં 15 વર્ષનો પુત્ર જોવા મળ્યો નહોતો ત્યારે બાજુની શેરીમાં રહેતા નાના ભાઈના ઘરે તપાસ કરતા નાના ભાઈની પત્ની ચંદ્રિકાબેન પણ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ તપાસ કરતા ચંદ્રિકા પોતાના બે બાળકોને પાડોશમાં ઘરે જતી રહી હોય તપાસ કરતા ચંદ્રિકાબેન પોતાનાથી અડધી ઉંમરના 15 વર્ષના ભત્રીજા સાથે પ્રેમ સંબંધ હોય તેને પોતાની સાથે ભગાડી ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ અઠવાડિયું સુધી કાકી અને ભત્રીજાની પરિવારે શોધખોળ કર્યા બાદ કોઈ સગડ નહીં મળતા અંતે ચંદ્રિકા સામે 15 વર્ષના ભત્રીજા ને લલચાવી ભગાડી જવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :-

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ ગુજ્જુ ગર્લ વૈશાલી ઠક્કરની આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ

‘Yeh Rishta Kya Kehlata Hai’ fame

  • હાલ તો વૈશાલીના અકાળે મૃત્યુના કારણે ટેલીવુડ અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલાં આઘાતમાં છે. એટલું જ નહીં યે રિશ્તા ક્યા કહેલાતા હૈના દર્શકો અને વૈશાલીના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો ઝટકો પહોંચ્યો છે.

જાણીતી ટીવી સીરિયલ (A famous TV serial) યે રિશતા ક્યા કહેલાતા હૈ (Ye Rishta Kya Kehlata Hai) ની અભિનેત્રી વૈશાલી ઠક્કરે (Vaishali Thakre) કરી લીધી આત્મહત્યા (Suicide). આ ગુજ્જુ ગર્લએ અચાનક કેમ આત્મહત્યા કરી લીધી એ સવાલ દરેકના મનમાં થઈ રહ્યો છે. અભિનેત્રીએ ઈન્દોરમાં (Indore) ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

અભિનેત્રીએ એક સુસાઈડ નોટ પણ છોડી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અભિનેત્રીએ કેમ આત્મહત્યા કરવી પડી તેની પાછળ કયું કારણ જવાબદાર છે તે સવાલોનો જવાબ મેળવવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે. પણ હાલ તો વૈશાલીના અકાળે મૃત્યુના કારણે ટેલીવુડ અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલાં આઘાતમાં છે.

એટલું જ નહીં યે રિશ્તા ક્યા કહેલાતા હૈના દર્શકો અને વૈશાલીના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો ઝટકો પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈન્દોરમાં આત્મહત્યાના કેસ સતત વધી રહ્યા છે. આ મામલામાં ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.

તે મૂળ મહિધરપુર ઉજ્જૈનની હતી અને તેના ઉચ્ચ સપના અને અભિનેત્રી બનવાના જુસ્સાને કારણે મુંબઈ આવી હતી. મુંબઈમાં વિવિધ સિરિયલો કરવા ઉપરાંત તેણે બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. તે પછી તે જયપુર જતી રહી અને જયપુરમાં રહ્યા બાદ છેલ્લા 1 વર્ષથી ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સાંઈ બાગ કોલોનીમાં રહેતી હતી.

આ પણ વાંચો :-

ભલે થોડી ઘણી ધમાલ કરી હશે…: રમૂજી અંદાજમાં CM ભૂપેન્દ્ર પટેલે અલ્પેશ ઠાકોરને મંચ પરથી જુઓ શું કહ્યું

0

Even though there may have been a

  • આજે વડગામમાં ભાજપની ગૌરવા યાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંચ પરથી અલ્પેશ ઠાકોરને લઈને રમૂજ કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધિત કરતી વખતે અલ્પેશ ઠાકોર અંગે ટકોર કરતું નિવેદન આપ્યું હતું.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે. તેવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાધનપુર (Radhanpur) વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે.

ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. એવામાં આજે વડગામમાં ભાજપની ગૌરવ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલ્પેશ ઠાકોરને લઈને હળવી રમૂજ કરી હતી.

CMની અલ્પેશ ઠાકોરને લઈને હળવી રમૂજ :

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ‘અલ્પેશભાઈ ઠાકોર અને અમે વર્ષોથી સાથે બેઠા છીએ, ભલે કામ કરવા માટે તેમણે થોડી ઘણી ધમાલ કરી હોય. પણ ધમાલ કરવાનું એટલે, એમનો સ્વભાવ છે કે ભાઈ કામ તો કરવું જ પડશે અને કામ કરાવવાની દરેકની પરિભાષા જુદી-જુદી હોય છે.’

આ પણ વાંચો :-

પાટણના સાંતલપુર પાસે ટ્રક અને પોલીસ જીપ વચ્ચે અકસ્માત, કચ્છના PSIનું નિધન

0

Kutch PSI dies in accident between

  • પશ્ચિમ કચ્છ પોલીસની જીપને અકસ્માત નડ્યો. પાટણના સાંતલપુર પાસે ટ્રક અને પોલીસની જીપ વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છના PSI કે. એફ વસાવાનું અવસાન થયું છે.

ગુજરાતમાં (Gujarat) અકસ્માતોના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. વાહન ચાલકો ટ્રાફિક નિયમોને નેવે મૂકીને વાહન હંકારે છે જેના લીધે અકસ્માતના બનાવો ખુબ વધી રહ્યા છે. પાટણમાં (Patan) ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

પાટણના સાંતલપુર (Santalpur) પાસે ટ્રક અને પોલીસ જીપ (Police Jeep) વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છના પીએસઆઈ કે. એફ વસાવાનું નિધન થયું છે. આ સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે.

અન્ય ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને ખસેડાયા હોસ્પિટલ :

પ્રાપ્ત વિગતો અનુસાર પાટણના સાંતલપુર પાસે ટ્રકે પોલીસની જીપને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આ દુર્ઘટનામાં અવસાન થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રાધનપુર ગોચનાથ નજીક અકસ્માતમાં થયા હતા ત્રણના મોત :

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાધનપુર ગોચનાથ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. જેથી આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રાધનપુર ગોચનાથ નજીક ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ખબર વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતા. જો કે સમી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા દૂર કરીને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

 

 

 

17 ઓકટોબર 2022, આજનું રાશિફળ: સૂર્યદેવ આ રાશિના લોકો પર થશે મહેરબાન, તમામ દુઃખો થશે દુર

17 October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઈચ્છિત આવકની પ્રા‌િપ્‍ત અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃ પક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ
આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારું. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારું રહે. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઈ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ‌ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી, કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભઅયો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ તથા હાડકાં દુઃખાવાની કાળજી રાખવી.

તુલાઃ
નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચિકઃ
આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઈ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ
નાણાંકીય આવક વધતી જણાય. નાના-ભાઈ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારું. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય. પરિણામે યશ-પ્રતિષ્‍ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ
મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધન પ્રા‌િપ્‍તના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના, ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.