Home Blog Page 1272

05 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આજે શનિવાર રોજ માતા લક્ષ્મી ખોલશે આ 3 રાશિઓનું ભાગ્ય

05 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
ધર્મ-નીતિ અનુસાર કામ કરવાની ઈચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથી ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ
મોજશોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઈ જવાની શક્યતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારું. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારુ ફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી, રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ
ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ
સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઈ-બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃદ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ-બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ
હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે. સમાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા જણાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નોકરી-ધંધમાં પ્રગતિ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃદ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ
ઘણો લાભ રહે. શુભતત્ત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

આ પણ વાંચો :-

શું ખરેખર સવારે ઉઠતાં જ બ્રશ કર્યા વગર પાણી પીવાથી કોઈ ફાયદો થાય છે ? જાણો સત્ય

Is there really any benefit in drinking water

  • પાણી વગર જીવન અશક્ય છે. શરીરને હેલ્થી રાખવા માટે વધુમાં વધુ પાણી પીવુ જોઈએ. જે લોકો જરૂરીયાતથી ઓછુ પાણી પીવે છે તેમને પેટ અને સ્કિન સંબંધી પરેશાનીઓ થાય છે.

એક દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવુ જોઈએ. તમે મોટાભાગે વડીલો-વૃદ્ધોને (elders) કહેતા સાંભળ્યું હશે કે સવારે ઉઠીને ભૂખ્યા પેટ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. કારણ કે આમ કરવું આરોગ્ય (Health) માટે ફાયદાકારક હોય છે. શું હકીકતમાં આવુ છે. આવો જાણીએ.

મોંઢામાં ખરાબ બેક્ટેરિયા જમા થતા નથી :

ભૂખ્યા પેટ સવારે બ્રશ કર્યા વગર પાણી પીવુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આમ કરવાથી શરીરમાંથી બધા ટોક્સિન્સ બહાર નિકળી જાય છે. તમારે તેને પોતાના જીવનનો ભાગ બનાવવો જોઈએ. જે લોકો ભૂખ્યા પેટે બ્રશ કર્યા પહેલા પાણી પીવે છે તેની પાચન શક્તિ મજબૂત થાય છે. આ ઉપરાંત તેના મોંઢામાં ખરાબ બેક્ટેરિયા પણ જમા થતા નથી.

બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે :

સવારે ભૂખ્યા પેટે બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે. જે લોકોને શરદી-ઉધરસ વધારે હોય છે અને જેની રોગપ્રતિકારક ક્ષમતા નબળી છે તેવા લોકોએ દરરોજ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બિમારી છે. એવા લોકોએ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. બ્રશ કર્યા વગર ભૂખ્યા પેટે પાણી પીવાથી ફેટ ઓછુ થાય છે.

આ પણ વાંચો :-

 

 

જાણીતી અભિનેત્રીની સ્ટ્રોકના કારણે બગડી તબિયત, બે વખત કેન્સર સામે જીતી ચૂકી છે જંગ

The well-known actress’s health

  • Aindrila Sharmaની અચાનક તબિયત બગડવાને કારણે તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સ્ટ્રોક પહેલા તેમણે બે વખત કેન્સર સામે જંગ જીતી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી (Film industry) એક હૃદયને હચમચાવી નાખે તેવા અહેવાલ સામે આવ્યાં છે. જાણીતી અભિનેત્રી એન્ડ્રીલા શર્માની તબિયત નાજુક બની છે. એન્ડ્રીલા શર્મા (Andreela Sharma) હોસ્પિટલમાં દાખલ છે. થોડા દિવસો પહેલા અચાનક તેની તબિયત બગડી (Health deteriorated) હતી. ત્યારબાદ તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યા તબીબોની ટીમે તેમની સ્થિતિને ગંભીર જણાવી છે.

હોસ્પિટલમાં દાખલ છે અભિનેત્રી  :

જાણકારી મુજબ એન્ડ્રીલા શર્મા હાવડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમને અચાનક જ સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમના મગજમાં બ્લડ કલોટસ જમા થયા છે. એવામાં અભિનેત્રીની તબિયત ખૂબ નાજુક બની છે. ડોકટરોએ અભિનેત્રીને વેન્ટીલેટર પર રાખી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની સ્થિતિ સારી નથી. ઉલ્લેખનીય છે કે એન્ડ્રીલા બે વખત કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જંગ જીતી ગઇ છે.

કેન્સર સામે જીતી જંગ  :

એન્ડ્રીલા શર્માને જ્યારે બીજી વખત કેન્સર હોવાની જાણકારી મળી તો ત્યારે પણ તેમણે હાર નહોતી સ્વીકારી. અભિનેત્રીએ તેની ક્રિટીકલ સર્જરીને પૂરી કરાવી. આ દરમ્યાન તેમના કીમોથેરાપીના સેશન ચાલ્યા હતા. ત્યારબાદ ડોક્ટર્સે તેમને સારું હોવાનુ બતાવ્યું હતુ.

એન્ડ્રીલા શર્મા એક્ટિંગમાં પોતાનુ કમબેક પણ કરી ચૂકી હતી. પરંતુ હવે અભિનેત્રીની તબિયત ફરીથી બગડી ગઇ. આ સ્થિતિમાં તેમના પરિવારની સાથે-સાથે પ્રશંસકો પણ વધારે દુ:ખી છે.

આ પણ વાંચો :-

ઈલેકશન ૨૦૨૨ : ઈસુદાન ગઢવી બન્યાં AAPના CM પદના ઉમેદવાર, કહ્યું- સિસ્ટમ ખરાબ…….

0

Election 2022: Yesudan Gadhvi

  • આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરી દીધી છે.

ઈસુદાન ગઢવી (Isudan gadhvi)ની સીએમ પદ માટે પસંદગી કરાઈ છે. સંબોધન દરમિયાન કેજરીવાલે (Kejriwale) કહ્યું કે અમે ગુજરાતના લોકો પાસેથી વિવિધ મંતવ્યો માગ્યા હતા. જેનો ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળ્યો. કુલ 16,48,500 રિસપોન્સ આવ્યાં હતા. જેમાંથી 73% લોકોએ ઈસુદાન ગઢવીના (Isudan gadhvi) નામને પસંદ કર્યું છે.

ભાવુક થયા ઈસુદાન ગઢવી :

CM પદના ચહેરાની જાહેરાતમાં પોતાનું નામ સામે આવતા ઈસુદાન ગઢવી ભાવુક થયા હતા. તેમણે તરત જ માતાના આશિર્વાદ લીધા હતા. ઢોલ-નગારા સાથે પાર્ટીએ તેમના નામને વધાવ્યું હતું.

પંજાબની ચૂંટણી નીતિ ગુજરાતમાં અપનાવી :

પંજાબની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ભગવંત માનને ચૂંટણી પહેલા જ પોતાની પાર્ટી જીતે તો CMનો ચહેરો બનાવ્યો હતો. હવે આ જ રણનીતિ આપ અહીં ગુજરાતમાં અપનાવવા જઈ રહી છે.

બે તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી :

ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતમાં બે તબક્કે ચૂંટણી યોજાશે. 1 ડિસેમ્બરે પહેલો અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. મતગણતરી 8 ડિસેમ્બરે કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 

હિમાચલ પ્રદેશ : રોડ શોમાં કેજરીવાલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર બાદ થઈ હાથાપાઈ, માહોલ ગરમાતા ભાષણ ટૂંકાવવું પડ્યું

0

Himachal Pradesh: Clashes broke out after

  • અરવિંદ કેજરીવાલ હિમાચલમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે સોલન પહોંચ્યા હતા. જ્યાં તેમના રોડ શો દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો.

તેવામાં મીડિયા રિપોર્ટ્સ આધારે રોડ શોમાં હાજર કેટલાક લોકોએ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારપછી AAPના કાર્યકર્તાઓ સાથે ઝઘડો થયો હતો. આ વિવાદ વકરતા કાર્યકર્તાઓ એકબીજા સાથે બાખડી પડ્યા અને હાથાપાઈ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. આના પરિણામે AAPના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) ભાષણ ટૂંકાવી દીધું હોવાનું પણ સામે આવ્યું છે.

કેજરીવાલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર બાદ માહોલ ગરમાયો :

ગુરૂવારે અરવિંદ કેજરીવાલ સોલનમાં રોડ શો કરી રહ્યા હતા. જ્યાં તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વળી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેજરીવાલ અહીં પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયો હતો. જેમાં લોકોએ એક પછી નારા લગાવતા મામલો ગરમાયો હતો. અહેવાલો પ્રમાણે આ દરમિયાન AAPના કાર્યકર્તાઓ અને નારા લગાડતા લોકો વચ્ચે ઝઘડો થઈ ગયો અને હાથાપાઈ થઈ હતી.

હોબાળો થતા કેજરીવાલે કહ્યું…

અરવિંદ કેજરીવાલે હોબાળા મુદ્દે કહ્યું કે આ હોબાળામાં જે ગુંડાઓ છે અન્ય પાર્ટીઓએ મોકલ્યા હોય એમ લાગી રહ્યું છે. આવો હોબાળો અન્ય પાર્ટીઓ જ કરી શકે. આમ આદમી પાર્ટીમાં આવા ગુંડાગીરી કરનારાઓનું કોઈ સ્થાન નથી. આવું કરવું હોય તો અન્ય પાર્ટી સાથે ચાલ્યા જાઓ.

કેજરીવાલના આકરા પ્રહારો…

રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે પહેલા લોકો પાસે ચોક્કસ પાર્ટીઓ સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. હવે તેમની પાસે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે. અમે જનતા માટે કાર્યરત છીએ અને તેમના હિતમાં એક સારુ કાર્ય કરીએ એવા વિકલ્પ તરીકે સામે આવી શકીશું.

આ પણ વાંચો :-

23 દિવસની બાળકીના પેટમાંથી એવી વસ્તુ મળી… ડોક્ટર બોલ્યા – આ તો દુનિયાનો પહેલો કેસ !

0

Such a thing was found in the stomach

  • 10 ઓક્ટોબરના રોજ તેનો જન્મ થયો ત્યારથી પેટમાં સોજાના પગલે તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેનના આધારે એવું માનવામાં આવ્યું કે બાળકીના પેટમાં ડર્માઈટ સિસ્ટ થઈ હોઈ શકે છે.

ઝારખંડના (Jharkhand) પાટનગર રાંચીમાં 23 દિવસની એક નવજાત બાળકીના (Newborn baby girl) પેટમાંથી આઠ ભ્રૂણ મળી આવ્યા છે. અહીંના ડોક્ટર્સનો દાવો છે કે કદાચ સમગ્ર દુનિયામાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. મેડિકલ ટર્મમાં (A medical term) બાળકના પેટમાં ભ્રૂણ મળી આવવાના મામલાને ફીટસ ઈન ફીટૂ કહેવાય છે.

નવજાત બાળકના પેટમાં એક કે બે ભ્રૂણના કેસ (Two fetal cases) રેર હોય છે. પરંતુ આવા કેસ અનેક જગ્યાએ આવ્યા છે. એક સાથે 8 ભ્રૂણ મળવાનો પોતાની રીતે આવો પહેલો મામલો સામે આવ્યા બાદ ડોક્ટરો પણ અવાક થઈ ગયા છે. શહેરના રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઓપરેશન બાદ બાળકીના પેટમાંથી તમામ ભ્રૂણ કાઢી નાખવામાં આવ્યા છે. બાળકી ઝારખંડના રામગઢની રહીશ છે.

10 ઓક્ટોબરના રોજ તેનો જન્મ થયો ત્યારથી પેટમાં સોજાના પગલે તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેનના આધારે એવું માનવામાં આવ્યું કે બાળકીના પેટમાં ડર્માઈટ સિસ્ટ થઈ હોઈ શકે છે. પ્રાથમિક સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. બુધવારે તેનું ઓપરેશન થયું તો એક સાથે આઠ ભ્રૂણ કાઢવામાં આવ્યા.

બાળકીનું ઓપરેશન કરનારા પીડિયાટ્રિક એક્સપર્ટ ડો.ઈમરાનના જણાવ્યાં મુજબ દુનિયામાં 5-10 લાખ બાળકોમાંથી કોઈ એકમાં આવો ફીટસ ઈન ફીટૂ કેસ સામે આવે છે. અત્યાર સુધીમાં આવા 200થી પણ ઓછા કેસ મળ્યા છે. હકીકતમાં ગર્ભમાં જ્યારે એક કરતા વધુ બાળક ઉછરી રહ્યા હોય છે ત્યારે ભ્રૂણના વિકાસ સમયે બીજા ભ્રૂણના સેલ્સ કોઈ એક ભ્રૂણની અંદર જતા રહે છે.

જેનાથી ગર્ભસ્થ બાળકના પેટમાં હજુ બીજુ બાળક ઉછરવા લાગે છે. તેના કારણો પર દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યું છે પણ તેને લઈને અત્યાર સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી શકાયું નથી. હવે એક સાથે બાળકના પેટમાં આટલી મોટી સંખ્યામાં ભ્રૂણ મળી આવવું એ પોતાનામાં એક દુર્લભ કેસ છે.

આ પણ વાંચો :-

ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર, જાણો AAP નેતા અલ્પેશ કથીરિયા ક્યાંથી લડી શકે છે ચૂંટણી ?

0

The biggest news of Gujarat politics

  • AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતના રાજકારણના (Politics of Gujarat) સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે AAP નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) ગોંડલથી ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અલ્પેશ કથીરિયાને ગોંડલથી (Gondal) ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.

AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપે પણ અલ્પેશ કથીરિયાને સમર્થન આપ્યુ છે.

મહત્વનું છે કે થોડા સમય પહેલા જ અલ્પેશ કથીરિયાએ AAPની ટોપી પહેરી છે. AAPએ ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યું છે. ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી ઉમેદવાર બદલાઈ શકે છે. ત્યારે હવે AAP અલ્પેશ કથીરિયાને ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. અલ્પેશ કથીરિયાને ગોંડલ બેઠકથી ટિકિટ મળે તેવી શક્યતા છે.

અલ્પેશને લઈને “આપની” સ્ટ્રેટેજી :

અલ્પેશ કથીરિયાને AAP માં સામેલ કરાવીને અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરવા માંગે છે. કેજરીવાલની સ્ટ્રેટેજી મિશન સૌરાષ્ટ્ર છે. અલ્પેશના આગમનથી કેજરીવાલ સૌરાષ્ટ્રના 5 જિલ્લા પર ટાર્ગેટ કરી શકે છે. અલ્પેશના આપમાં જોડાવાથી સુરતની 5 બેઠકો પર સીધી અસર થશે. સાથે જ ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢની બેઠકો પર પણ અસર થશે. પાટીદાર અનામત આંદોલનની અસરવાળા વિસ્તારો પ્રભાવિત થશે.

આ પણ વાંચો :-

 

ભારતને હરાવો, તમારા છોકરા સાથે લગ્ન કરીશ : પોપ્યુલર એક્ટ્રેસે ઝીમ્બાબ્વેને આપી અનોખી ઓફર

0

Beat India, marry your boy

  • પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી સેહર શિનવારીએ ઓફર આપી છે કે જો તે આગામી મેચમાં ભારતીય ટીમને હરાવી નાખે તો તે ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરશે. ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારત તેના અંતિમ સુપર-12 મેચમાં ઝીમ્બાબ્વે સામે 6 નવેમ્બરે ટકરાવવાનું છે.

ટી-20 વર્લ્ડ કપ 2022નો (T-20 World Cup 2022) રોમાંચ ચરમસીમાએ છે અને સુપર-12ની થોડી મેચ બાકી છે. પરંતુ અત્યારે પણ બંને ગ્રુપમાં સેમી ફાઈનલમાં (Semi Finals) પહોંચવા માટે દરેક ટીમ દાવ રમી રહી છે. કોઈનું પણ નામ સત્તાવાર કન્ફર્મ થયુ નથી. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ઝીમ્બાબ્વે (Pakistan Zimbabwe) સામે હારી ગયું હતું.

હવે જ્યારે ઝીમ્બાબ્વેએ સાઉથ આફ્રિકાને (South Africa) હરાવ્યું તો તેની આશા લાગી ગઈ. જો કે તેને ક્વોલિફાઈ કરવા માટે જરૂરી ફેક્ટ એ છે કે ઝીમ્બાબ્વેએ ભારત સામે જીતવુ પડશે. જેના માટે પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ એક આકર્ષક ઓફર પણ આપી છે.

ભારતને હરાવો તો લગ્ન કરીશ  :

સેહર શિનવારીએ ટવિટ કરીને ઝીમ્બાબ્વેને ઓફર આપી છે કે જો તેઓ આગામી મેચમાં ભારતીય ટીમને હરાવી દે છે તો તે ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરશે.

તેમણે ટવિટ કર્યુ હું ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરીશ. જો તેમની ટીમ પ્રભાવશાળી રીતે આગામી મેચમાં ભારતને હરાવી નાખે તો. ત્યારબાદ તેમના ટવિટે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી. હજારોની સંખ્યામાં લાઈક્સ મળ્યાં છે તો સેકડો લોકોએ રિટવિટ કર્યા છે.

6 નવેમ્બરે છે મેચ  :

ભારતીય ટીમ છેલ્લી મેચ ઝીમ્બાબ્વે સામે રમશે. આ મેચ સુપર-12ની અંતિમ હશે. આ મેચ 6 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એટલે કે આ મેચ એ જ હશે જ્યાં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં 4 વિકેટથી જીત નોંધાવી હતી.

આ પણ વાંચો :-

દિલ્લીનો શ્વાસ રૂંધાયો ! શાળાઓ “લોક”, વાહનો માટે ઓડ-ઈવનની તૈયારી, ઝેરી હવાના એટેક બાદ પ્રતિબંધો લાગુ

0

Delhi breathless! Schools  locked

  • દિલ્હીમાં પ્રદૂષણના વધતાં સ્તરની વચ્ચે સરકારે લગાવ્યા પ્રતિબંધો, સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી.

દિલ્હીમાં (Delhi) શાળાઓને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ વાહનો માટે પણ ઓડ ઈવનની (Odd Even) પદ્ધતિ અમલમાં આવી શકે છે.

દિવાળી પછીથી સતત પ્રદૂષણ સામે લડી રહેલા દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારમાં શ્વાસ લેવો દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યો છે. ત્યાંનું પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ શ્રેણીમાં પહોચી ગયું છે અને આ પોલ્યુશનનો કિસ્સો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોચી ગયો છે. દિલ્હી-NCR માં આ પ્રદૂષણ ઘટાડવાની માંગ વાળી એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ અરજી પર 10 નવેમ્બર પર સુનાવણી થશે.

દિલ્હી-NCR માં વધતાં પ્રદૂષણ વિશે વાત કરતાં CM કેજરીવાલ બોલ્યા હતા કે, ‘પંજાબમાં પરાલી સળગાવવામાં આવી રહી છે તો અમે અને અમારી સરકાર જવાબદાર છે. અમે પરાલી માટે ઘણા પ્રયાસ કર્યા છે અને આશા છે કે આગામી વર્ષ સુધીમાં આ ઘટનાઓમાં ઘટાડો આવશે.’

શુક્રવારે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક બની ગયું છે અને ધુમ્મસની ગાઢ ચાદરને કારણે એવું લાગી રહ્યું છે કે જાણે આખું દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. જણાવી દઈએ કે પ્રદૂષણનો સૌથી મોટો પુરાવો ગણાતા AQIનું સ્તર દિલ્હીના ઘણા વિસ્તારોમાં 750ને પણ પાર કરીને 800ની આસપાસ પહોંચી ગયું છે. આ સાથે જ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

મોરબી હોનારતનું 5 દિવસે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ, રાહત કમિશનરે કરી જાહેરાત, ગોઝારી ઘટનામાં 136 લોકોના થયા મોત

0

Morbi disaster rescue operation completed

  • મોરબી ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયૂ ઓપરેશન આજે 5માં દિવસે પૂર્ણ થયું છે.

મોરબીમાં (Morbi) ઝૂલતા પુલની (suspension bridge) દુર્ઘટનાના 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે. આ અંગે રાહત કમિશનરે (Relief Commissioner) રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ (Rescue operation complete) થયું હોવાનું જાહેર કર્યું છે. મચ્છુ નદીમાં (Machhu river) વિવિધ તપાસ ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો કામે લાગી હતી. આ દુર્ઘટનામાં 136 લોકોએ  ગુમાવ્યા જીવ હોવાનું સામે આવ્યું છે.

જેને લઈને રાહત કમિશનરે આજે મોરબીની મુલાકાત લિધી હતી જ્યાં તમામ અધિકારીઓ અને કલેક્ટર સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવા નિર્ણય લીધો હતો.આ દરમિયાન બચાવ કાર્યમાં સહયોગ આપનારા તમામ તેમજ પત્રકારોનો કલેક્ટરે આભાર માન્યો હતો.

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા :

આપને જણાવી દઈએ કે મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા છે. ત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા NDRFના અધિકારીએ જણાવ્યું કે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે.

6 બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 4 બોટને રિઝર્વમાં રખાઇ હતી. ત્યારબાદ આજે 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે.

આ પણ વાંચો :-