Home Blog Page 1272

દેશ આગળ વધશે…: ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીરને લઈને CM કેજરીવાલનો PM મોદીને પત્ર

0

The country will move forward…: CM Kejriwal

  • ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલે હવે આ વિશે પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે.

ગુજરાતમાં આવનાર ત્રણ દિવસ માટે પ્રચાર કરવા જઈ રહેલા દિલ્હીના સીએમ (CM of Delhi) અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પીએમ મોદીને પત્ર લખ્યો છે. ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલે હવે આ વિશે પીએમ મોદીને (PM Modi) પત્ર લખીને અપીલ કરી છે.

પત્રમાં અરવિંદ કેજરીવાલે એવો પણ દાવો કર્યો છે કે દરેક લોકો તેમની માંગ સાથે સહમત છે અને તેમણે આ વાત પર જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દલીલ કરી છે કે નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાથી દેશની પ્રગતિ થશે.

એક બાજુ ગાંધીજી તો બીજી બાજુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની તસવીર :

કેજરીવાલે નોટ પર લક્ષ્મી-ગણેશની તસવીરની માંગને દેશના 130 કરોડ લોકોની ઈચ્છા ગણાવતા પીએમ ને સવાલ કર્યો હતો કે આજે પણ દેશમાં આટલા બધા લોકો ગરીબ કેમ છે. કેજરીવાલે કહ્યું હતું કે ‘130 કરોડ લોકોની ઈચ્છા છે કે ભારતીય કરન્સી પર એક તરફ ગાંધીજી અને બીજી બાજુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ.

આજે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતની ગણતરી વિકાસશીલ અને ગરીબ દેશોમાં થાય છે. આજે પણ આપણા દેશમાં આટલા લોકો ગરીબ છે. કેમ?

આ મુદ્દે મને જનતાનું ઘણું સમર્થન મળી રહ્યું છે – કેજરીવાલ 

કેજરીવાલે આગળ કહ્યું હતું કે, ‘એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે. જેથી આપણા કરેલ દરેક પ્રયત્નો સફળ થાય. યોગ્ય નીતિ,  સખત મહેનત અને ઈશ્વરના આશીર્વાદ- આ સંગમથી જ દેશની પ્રગતિ થશે. દિલ્હીના સીએમએ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે જનતા આ મુદ્દે એમનું ઘણું સમર્થન કરી રહી છે.

દરેક લોકો આ માટે સંમત છે. કેજરીવાલે લખ્યું હતું કે, “ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં મેં સાર્વજનિક રૂપે આ વિશે માંગણી કરી હતી અને આ મુદ્દે મને સામાન્ય લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. લોકો આ વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દરેક લોકો ઇચ્છે છે કે તેનો તાત્કાલિક અમલ થાય.’

આ પણ વાંચો :-

પત્નીને કારથી ટક્કર મારીને કચડી નાખવાનો પ્રયાસ કરનાર પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રાની ધરપકડ, ઘટનાની CCTV ફૂટેજ આવી સામે

0

Producer Kamal Kishore Mishra who tried

  • આ આખી ઘટનનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કમલ કિશોર મિશ્રા તેની પત્નીને કાર વડે ટક્કર મારવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે.

તેની પત્નીને કાર સાથે ટક્કર મારવાના આરોપમાં નિર્માતા કમલ કિશોર મિશ્રાની (Producer Kamal Kishore Mishra) અંબોલી પોલીસે ગઈકાલે રાત્રે ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે શુક્રવારે એટલે કે આજે કમલકિશોર મિશ્રાને અંધેરી કોર્ટમાં (Andheri Court) રજૂ કરવામાં આવશે અને મુંબઈની (Mumbai) અંબોલી પોલીસે મિશ્રા સામે આઈપીસીની કલમ 279 અને 338 હેઠળ કેસ નોંધ્યો છે. કમલ કિશોર મિશ્રાની પત્ની યાસ્મીન (Wife Yasmin) આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને પત્નીની ફરિયાદ પછી પોલીસે કમલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ઘટનાની CCTV ફૂટેજ આવી સામે :

જણાવી દઈએ કે જ્યારે કમલ કિશોર મિશ્રાએ તેની પત્નીને કારથી ટક્કર મારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે કમલ કિશોર મિશ્રા ગાડીમાં અન્ય મહિલા સાથે હતો અને તે રંગે હાથ ઝડપાયો હતો. એ બાદ જ કમલ કિશોર મિશ્રાએ તેની પત્ની પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટનનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કમલ કિશોર મિશ્રા તેની પત્નીને કાર વડે ટક્કર મારવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે.

વિડીયોમાં જોવા મળ્યું છે કે પાર્કિંગ સ્થળ પર હાજર એક વ્યક્તિએ યાસ્મીનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે આ અકસ્માતમાં ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાની પત્નીને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પંહોચી હતી. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગઈકાલે રાત્રે કમલ કિશોર મિશ્રાની ધરપકડ પણ કરી હતી.

બોલીવુડ ફિલ્મો પ્રોડ્યુસ કરે છે કમલ કિશોર મિશ્રા :

કમલ કિશોર મિશ્રા ફિલ્મો પ્રોડ્યુસ કરે છે અને એમનું One Entertainment Film Productions  નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. કમલ કિશોર મિશ્રાએ દેહતી ડિસ્કો, શર્મા જી કી લગ ગયી, ફ્લેટ નંબર 420, ભૂતિયાપા જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

તેની છેલ્લી ફિલ્મ દેહતી ડિસ્કો આ વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ગણેશ આચાર્ય, રાજેશ શર્મા, મનોજ જોશી, રવિ કિશન જેવા સ્ટાર્સ હતા અને આ ફિલ્મનું પ્રમોશન વરુણ ધવન અને રણબીર કપૂર જેવા સ્ટાર્સે કર્યું હતું.

આ પણ વાંચો :-

સેન્સ પહેલાની સૂચક તસ્વીર ! હાર્દિકે અમિત શાહ સાથે કરી મુલાકાત, શું વિરમગામથી ટિકિટ મળશે ?

0

Indicative picture before sense! Hardik met Amit Shah

  • વિરમગામમાં હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયથી કેમ્પઈન કરી રહ્યો છે. એટલું જ નહીં, ભાજપની ગૌરવયાત્રામાં પણ હાર્દિકની હાજરી જોવા મળી હતી. આવતી કાલે વિરમગામ માટે નિરીક્ષકો સેન્સ લેશે.

ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે (Hardik Patel) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી છે. હાર્દિક પટેલે અમિત શાહ સાથે શુભેચ્ચા મુલાકાત કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ અમિત શાહ સાથે પહેલી સત્તાવાર મુલાકાતની તસ્વીર સામે આવી છે. ત્યારે હવે વિરમગામમાંથી (Viramgam) હાર્દિક પટેલને ભાજપ ટિકિટ આપે એવી શક્યતા દેખાઈ રહી છે.

વિરમગામમાં હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયથી કેમ્પઈન કરી રહ્યો છે. એટલું જ નહીં, ભાજપની ગૌરવયાત્રામાં પણ હાર્દિકની હાજરી જોવા મળી હતી. આવતી કાલે વિરમગામ માટે નિરીક્ષકો સેન્સ લેશે, ત્યારે સેન્સ પહેલા હાર્દિક પટેલ અને અમિત શાહની તસ્વીર સૂચક માનવામાં આવે છે.

સોશિયલ મીડિયામાં હાલ કેન્દ્રિય ગૃહમંત્રી શાહ અને ભાજપના નેતા હાર્દિક પટેલ વચ્ચે થયેલી શુભેચ્છા મુલાકાતની તસવીર વાઈરલ થઈ રહી છે. જેમાં હાર્દિક પટેલ અમિત શાહ પાસેથી નવા વર્ષની ભેટ સ્વીકારતા દેખાઈ રહ્યા છે. હાર્દિક પટેલ વિરમગામ બેઠક પર ચૂંટણી લડવા માટે તૈયારીઓ દર્શાવી છે. ત્યારે અમિત શાહ સાથેની મુલાકાત બાદ ભાજપ આ વખતે હાર્દિક પટેલને ટિકિટ મળે છે કે કેમ તે આગામી સમય દેખાડશે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસનો સાથ છોડયા બાદ 2 જુને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ અન્ય ભાજપ અગ્રણીઓની હાજરીમાં કમલમ ખાતે કેસરિયા કર્યા હતા. ભાજપમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલે કોબાથી કમલમ સુધી રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ હાર્દિકે પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં ભાજપના વખાણ કર્યાં હતા.

નોંધનીય છે કે, ગઈકાલે નવા વર્ષ બાદ અમિત શાહે પોતાના નિવાસ સ્થાને સવારથી જ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.

આ પણ વાંચો :-

28 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ 6 રાશિના લોકોને ભગવાન રામની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા અને આખું વર્ષ ભરેલી રહેશે તિજોરી

28 October 2022, Today’s Horoscope

મેષઃ- સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. બપોર સુધી આવક સામાન્ય રહે. ત્યારબાદ સુધારો જણાય. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી શુભ ફળ મળતું જણાય.

વૃષભઃ- દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આર્થિક લાગણીશીલતા વધે. જીવનસાથી સાથે પ્રેમનો અનુભવ થાય. બપોર બાદ સામાન્ય દિવસ.

મિથુનઃ- સ્વભાવમાં જીકનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. આવકનો સ્ત્રોત જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્કઃ- સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકો. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ટાયર, ટ્યૂબ, કલર, કેમીકલ તથા બાંધકામના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ- દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહ તાજગી વધતા જણાય. નોકરીમાં પ્રગતિ તથા ધંધામાં શાંતીનો અનુભવ થાય. માતાનું આરોગ્ય જળવાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. શરદી-ખાંસીની કાળજી રાખવી.

કન્યાઃ- સરળ સ્વભાવ રહે. વાણીના પ્રભાવ દ્વારા સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. આંખના દુઃખાવાથી સાચવવું.

તુલાઃ- આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. સ્થાવર જંગમ મિલકતો અંગેના વ્યવહારોમાં સાવચેતી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

વૃશ્ચિકઃ- મન ચંચળ રહે. વિચારોનું પ્રમાણ વધે. નાણાંકીય બાબતો અંગે સંતોષ વર્તાય. દામ્પત્ય જીવનમાં પ્રેમની અનુભૂતિ થાય. પ્રિય પાત્ર સાથે મિલન-મુલાકાત શક્ય બને. આરોગ્ય જળવાય.

ધનઃ- પરોપકારની ભાવના પ્રબળ બનતી જણાય. બપોર સુધી ખર્ચનું પ્રમાણ વધે. ત્યારબાદ આવક જળવાય. શરદી, ખાંસીની સમસ્યા રહે. દામ્પત્ય સુખ જળવાય, ખોટો વિચારો ટાળવા.

મકરઃ- કામકાજમાં ઉદાસીનતા વર્તાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વધારો થાય. મિત્રોનો સાથ-સહકાર મળે. નવી ઓળખાણ ફાયદાકારક સાબિત થાય.

કુંભઃ- નોકરીયાતનો શાંતિનો અનુભવ થાય. ધંધામાં યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. ખોટા વિચાર ટાળવા. પાણીથી થતા રોગોથી સાવધાની જરૂરી. ખોટા ખર્ચા ટાળવા.

મીનઃ- ભાગ્યનો સાથ મળતાં આવક વધતી જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસન શક્ય બને. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

ભડકાઉ ભાષણ કેસમાં ફસાયા સપા નેતા આઝમખાન, કોર્ટે કરી 3 વર્ષની સજા, ધારાસભ્ય પદ પણ જશે

0

SP leader Azam Khan caught in inflammatory

  • યુપીની રામપુર કોર્ટે હેટ સ્પીચ મામલે દોષી ઠરેલા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાનને 3 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે.

યુપીના રામપુરની (Rampur of UP) કોર્ટે સમાજવાદી પાર્ટી (સપા)ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને (Former Minister Azam Khan) ભડકાઉ ભાષણ આપવા બદલ 3 વર્ષની સજા અને 25000 નો દંડ ફટકાર્યો છે જોકે કોર્ટે સજા આપવાની સાથે તેમને જામીન પણ આપી દીધા હતા. આઝમખાનની (Azam Khan) ઉપરાંત બીજા પણ બે આરોપીઓને કોર્ટે 3 વર્ષની સજા તથા 2000 રુપિયાનો દંડ કર્યો છે. 2019ની સાલમાં ભડકાઉ ભાષણ મામલે તેમને સજા થઈ છે.

આઝમખાનનું ધારાસભ્યનું પદ પણ જશે  :

આઝમ ખાનને જે કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમાં ત્રણ વર્ષની કેદની જોગવાઈ છે. આઝમખાનને 3 વર્ષની સજા થઈ હોવાથી હવેથી તેમનું ધારાસભ્યનું પદ પણ જશે.

શું હતો મામલો :

2019ની સાલમાં યુપીના રામપુરની મિલક વિધાનસભા બેઠકના પ્રચાર દરમિયાન આઝમખાને તત્કાલિકન ડીએમ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી મોદીને લઈને વાંધાજનક ટીપ્પણીઓ કરી હતી. તે વખતે ભાજપ નેતા આકાશ સક્સેનાએ આઝમખાન વિરૃદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. 

સંઘર્ષ ચાલુ રહેશે, હવે સેશન્સ કોર્ટ જઈશું :

3 વર્ષની સજાની જાહેરાત બાદ આઝમખાને એવું જણાવ્યું કે અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું અને હવે સજાના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવશે. 

મારી સામેનો હેટ સ્પીચ કેસ બનાવટી- આઝમખાન  :

આઝમ ખાનના વકીલ વિનોદ શર્માએ કહ્યું હતું, અમે અમારી આખી દલીલો કરી છે. ત્યાંનાં બધાં ભાષણો છે, આ આપણી વાણી નથી. આ તમામને છેતરપિંડીથી બનાવવામાં આવ્યા છે. ફરિયાદી કોર્ટમાં પોતાનો કેસ સાબિત કરી શક્યો નથી.

ફરિયાદી અને અમે અમારી દલીલો પૂરી કરી છે. અમે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેનો તે સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી. અમને આ પ્રકારનું કોઈ નફરતભર્યું ભાષણ આપવામાં આવ્યું નથી અને અમારી સામે બનાવટી કેસ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

બ્રિટનના ક્વીન કરતાં પણ અમીર છે ઋષિ સુનકના પત્ની, રિચ લાઈફસ્ટાઈલની સાથે કરે છે આ કામ 

Rishi Sunak’s wife is richer than Queen of Britain

  • અક્ષતા ભારતીય અને પશ્ચિમી ફ્યુઝન કપડાં બનાવવા માટે દૂરના ગામડાઓમાં કલાકારો સાથે કામ કરે છે. અક્ષતા મૂર્તિ બ્રિટનની દિવંગત રાણી કરતા પણ વધુ અમીર.

બ્રિટનના (Britain) નવા વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનક (Rishi Sunak) બાદ હવે તેમની પત્નીની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.  આ સમયે બ્રિટનમાં જેની ચર્ચા સૌથી વધુ છે તે છે – ઋષિ સુનક અને તેની પત્ની અક્ષતા મૂર્તિ. તાજેતરમાં જ બ્રિટનના નાણામંત્રી (British Chancellor of the Exchequer) રહેલા ઋષિ સુનકને નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અક્ષતા મૂર્તિ સેલ્ફ-મેડ ટેક બિલિયોનેર અને ઈન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિની દીકરી છે.

અક્ષતાની માતા અને નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ પણ એક બિઝનેસવુમન, શિક્ષિત, લેખક અને ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષતા મૂર્તિની સંપત્તિ બ્રિટનની દિવંગત રાણી એલિઝાબેથ દ્વિતીય કરતા પણ વધુ છે.

અક્ષતા મૂર્તિએ વર્ષ 2010 માં પોતાનું ફેશન લેબલ અક્ષતા ડિઝાઇન્સ બનાવ્યું. 2011ની વોગ પ્રોફાઇલ મુજબ અક્ષતા ભારતીય અને પશ્ચિમી ફ્યુઝન કપડાં બનાવવા માટે દૂરના ગામડાઓમાં કલાકારો સાથે કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષતા મૂર્તિ બ્રિટનની દિવંગત રાણી કરતા પણ વધુ અમીર છે.

42 વર્ષીય અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસમાં લગભગ $1 બિલિયનના શેરની માલિકી ધરાવે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અક્ષતાને ગયા વર્ષે ઇન્ફોસિસ તરફથી ડિવિડન્ડ તરીકે 11.16 મિલિયન પાઉન્ડ મળ્યા હતા. તેમની સંપત્તિ તેમને બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય કરતાં વધુ અમીર બનાવે છે.

મહત્વનું છે કે બ્રિટિશ રાણીની અંગત સંપત્તિ લગભગ 350 મિલિયન પાઉન્ડ અથવા $46 મિલિયન છે.  આ સાથે અક્ષતા અને ઋષિ ઓછામાં ઓછી ચાર પ્રોપર્ટી ધરાવે છે. જેમાં લંડનમાં અપસ્કેલ કેન્સિંગ્ટનમાં £7 મિલિયનનું પાંચ બેડરૂમનું ઘર અને કેલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં એક ફ્લેટનો સમાવેશ થાય છે.

અહેવાલો અનુસાર સુનકની કુલ સંપત્તિ લગભગ 730 મિલિયન પાઉન્ડ છે. તો અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસમાં શેરહોલ્ડિંગ ધરાવે છે. જેના કારણે તેમની નેટવર્થ લગભગ $1.2 બિલિયન છે. બંને બ્રિટનના સૌથી ધનિક કપલમાંથી એક છે.

આ પણ વાંચો :-  

અમદાવાદ : ‘લુખ્ખાગીરી’ કરનારને મળશે આવી જ સજા! પોલીસે નબીરાઓને કરાવ્યું કાયદાનું ભાન

0

Ahmedabad: Those who do ‘robbery’

  • અમદાવાદના સિંધુ ભવન રોડ પર હંમેશા લોકોની અવરજવર રહેતી હોય છે. અહીં અનેક લોકો પસાર થતા હોય છે. પરંતુ દિવાળીની રાત્રે બેફામ બનેલા યુવાનોએ કાયદો હાથમાં લીધો અને કારની ઉપર ચઢીને ફટાકડા ફોડયા હતા.

દિવાળીની (Diwali) રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડી સિંધુભવન રોડને (Sindhubhan Road) બાનમાં લેનાર 9 યુવકોની સરખેજ પોલીસે (Sarkhej Police) ધરપકડ કરી હતી. જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી (Burst the firecrackers) વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

અમદાવાદના સિંધુ ભવન રોડ પર તોફાન મચાવનારા લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સરભરા કરી છે. દિવાળીની રાત્રે સ્ટંટ કરનારા તત્વોને પોલીસે સિંધુ ભવન રોડ પર જ કાન પકડીને ઉઠક બેઠક કરાવી છે.

એસીપી એસ.ડી પટેલ, સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે ચાવડા તથા અન્ય પોલીસકર્મીઓ સાથે આરોપીઓને સિંધુ ભવન રોડ પર તાજ હોટલની સામે લાવવામાં આવ્યા હતા. તમામ આરોપીઓની વિગત મેળવીને અધિકારીઓએ સાથે રહીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

તાજ હોટલથી ઓક્સિજન પાર્ક સુધી આરોપીઓને ચલાવીને લઈ જવામાં આવ્યા હતા. આ પ્રકારનો ગુનો અન્ય કોઈ ના કરે તે માટે રસ્તામાં આરોપીઓને ઉઠાક બેઠક કરાવીને પાઠ ભણાવવામાં આવ્યો હતો. રિકન્સ્ટ્રક્શન સમયે પણ આસપાસ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.

પોલીસે જાહેરનામા ભંગ સિવાય કલમ 308 પણ ઉમેરી છે. તમામ આરોપીઓએ જે જગ્યાએ ફટાકડા ફોડયા હતા તે જગ્યા પર લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

રોડ વચ્ચે ચાલુ ગાડીમાં ફટાકડા ફોડયા :

અમદાવાદના સિંધુ ભવન રોડ પર હંમેશા લોકોની અવરજવર રહેતી હોય છે. અહીં અનેક લોકો પસાર થતા હોય છે. પરંતુ દિવાળીની રાત્રે બેફામ બનેલા યુવાનોએ કાયદો હાથમાં લીધો અને કારની ઉપર ચઢીને ફટાકડા ફોડયા હતા. ચાલુકામાંથી બારીની બહાર આવીને ફટાકડા ફોડતા યુવકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ યુવકોને કાયદાનો ડર નથી. જ્યારે પોલીસ પણ ઉંઘી રહી હતી.

લોકોના જીવ જોખમમાં મૂક્યા :

સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના ચક્કરમાં જાહેરમાં ફટાકડા ફોડી ઘણા બેફામ બનેલા યુવકોએ રસ્તા પરથી પસાર થતાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે. કારની ઉપર ફટાકડા ફોડીને તેની રીલ્સ બનાવવામાં આવી છે. ભારે ટ્રાફિક બચ્ચે બેફામ બનેલા યુવકોએ કાયદાના લીરેલીરા ઉડાવી દીધા હતા.

આ પણ વાંચો :-

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ ખડગેનો પહેલો સૌથી મોટો નિર્ણય, સોનિયા-રાહુલને લઈને ઉઠાવ્યું આ કદમ

0

Kharge’s first major decision after becoming the Congress president

  • અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને ખતમ કરી દીધી છે. તેમણે તેના બદલે સ્ટિયરિંગ કમિટીની રચના કરી છે, જેમાં 47 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) એક્શનમાં છે. તેમણે ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોની ચર્ચા કરવા બુધવારે પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ સિવાય તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીને (Congress Working Committee) નાબૂદ કરી દીધી છે. તેના સ્થાને સ્ટીયરિંગ કમેટીની રચના કરવામાં આવી છે.

અધ્યક્ષ બન્યા પછી પ્રથમ બેઠક :

આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) પણ હાજર રહ્યા હતા. પાર્ટી ગુજરાત માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી રહી છે. પાર્ટી અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ ખડગેની અધ્યક્ષતામાં આ પ્રથમ બેઠક હતી.

બેઠકમાં CEC સભ્યો અને મહાસચિવ મુકુલ વાસનિક અને કે.સી.વેણુગોપાલ ઉપરાંત અંબિકા સોની અને ગિરિજા વ્યાસ પણ હાજર રહ્યા હતા. આ સાથે ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પાર્ટીના રાજ્ય એકમના વડા જગદીશ ઠાકોર પણ હાજર હતા.

પાર્ટી ગુજરાત ચૂંટણી માટે કેટલાક ઉમેદવારોના નામ ફાઈનલ કરે તેવી શક્યતા છે અને એકાદ-બે દિવસમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી નથી. કોંગ્રેસ ગુજરાતમાં હવાતિયા મારી રહી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યાં ભાજપ બે દાયકાથી વધુ સમયથી સત્તામાં છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીના સ્થાને બનાવી આ સમિતિ :

અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને ખતમ કરી દીધી છે. તેમણે તેના બદલે સ્ટિયરિંગ કમિટીની રચના કરી છે, જેમાં 47 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામ પણ સામેલ છે. ખડગે દ્વારા રચાયેલી સ્ટીયરિંગ કમિટીમાં પ્રિયંકા ગાંધી, એ. કે. એન્ટની, અંબિકા સોની, આનંદ શર્મા, કે. સી.વેણુગોપાલ, રણદીપ સુરજેવાલાનો પણ સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, કોગ્રેસ કાર્યકારી સમિતિની રચના ડિસેમ્બર 1920માં કોગ્રેસના નાગપુર અધિવેશનમાં કરવામાં આવી હતી. જેની અધ્યક્ષતા સી. વિજયરાઘવાચાર્યે કરી હતી. તેમાં સામાન્ય રીતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાંથી ચૂંટાયેલા પંદર સભ્યો હોય છે. જેની અધ્યક્ષતા કાર્યકારી અધ્યક્ષે કરી છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા ભાજપે જાહેર કર્યા નિરીક્ષકોના નામ, હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા થશે શરૂ

0

Before the elections, BJP announced the

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. તે પહેલા ગુજરાતમાં ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની તૈયારી હાથ ધરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે નિરીક્ષકોની (BJP observers) નિમણૂક કરી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં 6-6 નિરીક્ષકો તો જિલ્લા પ્રમાણે 3-3 નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. ગુજરાતમાં (Gujarat) ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ, આગામી કાર્યક્રમો, ઉમેદવારો નામ સહીતના મુદ્દે મંથન ચાલી રહ્યું છે.

No description available.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. તે પહેલા ગુજરાતમાં ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની તૈયારી હાથ ધરી છે. આવતી કાલથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આજે ભાજપે આજે ઝોન વાઇઝ નિરીક્ષકોની યાદી જાહેર કરી છે.

No description available.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને અહીં સતત ભાજપ જીતતી આવી છે ત્યારે આ વખતે ચૂંટણીમાં વિજય મેળવવા માટે શુ સ્ટેટેજી અપનાવે છે તે મહત્વનું રહેશે. તેવામાં ચુંટણીની જાહેરાત અગાઉ ભાજપે નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે.

ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.

No description available.

ઉલ્લેખનીય છે કે આવતી કાલથી તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં નિરીક્ષકો પ્રવાસ કરશે.

No description available.

આ નિરીક્ષકોની ટીમ દરેક જિલ્લાઓમાં પદાધિકારીઓ તેમજ જિલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે. નોંધનીય છે કે, ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણી 2022માં પેટર્ન બદલવામાં આવી છે.

આ પણ વાંચો :-

27 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાંઈબાબાની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

27th October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ- ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો..

વૃષભઃ- આવક જળવાય ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ- આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ- આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જૂના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ, સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ- વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ- આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ- માન-સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી-શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે, પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ- સંગીત પ્રત્યેનો પ્રેસ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુનો લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ- સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ, પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ- મિત્રોથી લાભ, જૂના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ, હાડકા રોગોથી સાચવવું.

કુંભઃ- નકારાત્મક વિચારો ત્યાગવા, નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્ની સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ- આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે, પ્રિન્ટીંગ, સ્ટેશનરી, અેક્સપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-