Home Blog Page 1251

મફતમાં ક્યારેય ન લેવી જોઈએ મીઠું-સોય સહિત આ ચાર વસ્તુઓ, ઘરમાં આવે છે દરિદ્રતા

These four things, including salt-needle

  • દૈનિક જીવનમાં ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ પણ એકબીજાની સાથે શેર કરો છો. પરંતુ શુ તમે જાણો છો કે મફતમાં લેવામાં આવેલી અમુક ખાસ વસ્તુઓના ઉપયોગથી જીવનમાં વાસ્તુ દોષ લાગે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો જોઈએ.

પાડોશીઓ અને સંબંધીઓ પાસે મદદ માંગવી કોઈ ખરાબ વાત નથી. સામાન્ય જીવનમાં બધા લોકો એકબીજાની મદદ કરે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) મુજબ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો જોઈએ.

મીઠુ :

વાસ્તુ મુજબ મીઠાનો (sweet) સંબંધ શનિ સાથે હોય છે. કહેવાય છે કે ક્યારેય પણ બીજા પાસેથી મફતમાં મીઠાનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમારે કોઈ કારણોસર કોઈની પાસેથી મીઠુ લેવુ પણ પડી રહ્યું છે તો તેના બદલે તમારે કોઈ અન્ય વસ્તુ તેને આપી દેવી જોઈએ. મફતમાં મીઠાનો પ્રયોગ કરવાથી જીવનમાં રોગ અને દેવાની સમસ્યા પણ વધી જાય છે.

સોય :

વાસ્તુ મુજબ મફતમાં મળેલી સોયનો (needle) ક્યારેય પણ પ્રયોગ ના કરવો જોઈએ. મફતમાં કોઈની પાસેથી સોય લેવામાં આવે તો તેનાથી જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારજનો વચ્ચે પ્રેમ સંબંધ ખરાબ થવા લાગે છે. આ તમારા દામ્પત્ય જીવનને પ્રભાવિત કરવાની સાથે-સાથે આર્થિક મોરચા પર પણ નુકસાન આપે છે. સારું રહેશે કે તમે માર્કેટમાંથી નવી સોય ખરીદીને તેનો ઉપયોગ કરો.

રૂમાલ :

આપણે ભૂલથી પણ મફતમાં મળેલા રૂમાલનો પ્રયોગ ના કરવો જોઈએ. એવુ કહેવાય છે કે જો રૂમાલ મફતમાં લઇને ઉપયોગ કરવામાં આવે તો તેનાથી લોકો વચ્ચે મતભેદ થાય છે. આંતરિક કલહ વધે છે. લોકો વચ્ચે સંબંધ ખરાબ થવા લાગે છે. તેથી કોઈની પાસે રૂમાલ માંગશો નહીં અને કોઈને પોતાનો રૂમાલ આપશો નહીં.

લોખંડ અને તેલ :

આ બંને વસ્તુઓને શનિ દેવ સાથે જોડવામાં આવે છે. એવું કહેવાય છે કે લોખંડ અને તેલનો મફતમાં ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ પ્રભાવને વધારે છે. દાનમાં લીધેલા લોખંડથી ઘરમાં દરિદ્રતા આવે છે.

આ પણ વાંચો :-

 

 

ભારે કરી ! ગુજરાતની ચૂંટણી ટાણે 39 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાતા વિવાદ, જાણો શું છે કારણ

0

Heavily done! Controversy over issuance of arrest

  • વિધાનસભા ચૂંટણી માટે પોલિંગ ઓફિસરથી લઇને પ્રિસાઈડિંગ ઓફિસર સુધીના કર્મચારીઓની જુદી-જુદી તાલીમ યોજાઇ રહી છે. આ તાલીમમાં હાજર નહીં રહેનારા 39 કર્મચારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરાતા ભારે વિવાદ સર્જાયો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) ચૂંટણીની ટ્રેનિંગ માટે હાજર ન રહેલા કર્મીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ચૂંટણીની ટ્રેનિંગ (Election Training) માટે હાજર સરકારી કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ (Arrest warrant issue) કરાયા છે.

આ લોકો વિરૂદ્ધ લોક પ્રતિનિધિ ધારાની કલમ 28 લગાવાઈ :

કલેક્ટરે જે-તે સંબંધિત પોલીસને ધરપકડની સૂચના આપી હતી. આથી 39 સરકારી કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાતા ભારે વિવાદ સર્જાયો છે. ઈન્કમટેક્સ, ઈન્સ્યોરન્સ અને ટેલિકોમ સેક્ટરના કર્મચારીઓ સામે વોરંટ ઇશ્યૂ કરાયું છે. આ લોકો વિરૂદ્ધ લોક પ્રતિનિધિ ધારાની કલમ 28 લગાવવામાં આવી છે.

જો કે ધરપકડની સૂચના બાદ 24 કર્મચારીઓ કામગીરી માટે હાજર થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે અમદાવાદની ચૂંટણી પ્રક્રિયા માટે 25 હજાર કર્મીઓની જરૂર છે. આ ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માટે 2700 કર્મીઓએ રજૂઆત પણ કરી છે.

આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના ધરપકડ વોરંટ એ રૂટિન પ્રક્રિયા છે. ઉલ્લેખનીય છે કે જે કર્મચારીઓને ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક કર્મચારીઓના તો ટ્રાન્સફર થઈ ગયા છે. કેટલાકે અગાઉથી જ પૂર્વ મંજૂરી મેળવી લીધી હતી છતાંય કેટલાક કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયા છે.

2700 કર્મચારીઓએ ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માટેની માંગ કરી :

2700 કર્મચારીઓએ વિવિધ કારણોસર આ ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માટેની રજૂઆત કરી છે. જેમાં મુખ્યત્વે માંદગી, ટ્રાન્સફર, માતા-પિતાની તબિયત તેમજ લગ્ન પ્રસંગ સહિતના કારણો રજૂ કરીને તેઓએ ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ માંગી છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

આ પણ વાંચો :-

 

મતદારો વચ્ચે ફરતી થયેલી પત્રિકા જમાલપુર-ખાડિયા બેઠક માટે ભાજપના નામે મત મંગાશે, ઉમેદવારનું નામ ગાયબ

0

The leaflet circulating among the voters

  •  ઉમેદવારના બદલે ભાજપ તરફથી મત માંગવામાં આવતા મતદારોમાં પણ આ બાબત ચર્ચાનો વિષય.

રાજય વિધાનસભાની ચૂંટણી માટે પાંચ ડીસેમ્બરના રોજ યોજાનારા મતદાન સંદર્ભમાં જમાલપુર-ખાડિયા (Jamalpur-Khadia) વિધાનસભાના મતદારો વચ્ચે ભાજપ તરફથી મતદારોમાં (Voters) પત્રિકા ફરતી કરવામા આવી છે. ભાજપ તરફથી મતદારોમાં વહેંચવામાં આવી રહેલી પત્રિકામાં પક્ષ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર ઉમેદવારનું (Candidate) નામ મુકવાના બદલે માત્ર ભાજપના નામે મત આપવાનું આવાહન કરવામા આવતા મતદારોમા પણ આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.

જમાલપુર-ખાડિયાની વિધાનસભા બેઠક-૫૨ માટે પાંચ ડીસેમ્બરને સોમવારે મતદાન યોજાવા જઈ રહયુ છે.આ બેઠક માટે ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારીપત્ર પણ ભરી દેવામાં આવ્યુ છે. દરમિયાન મતદારોને ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણીના મતદાન સંદર્ભમા એક પત્રિકા વહેંચવામા આવી રહી છે. આ પત્રિકામાં વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના મુખ્યમંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના ઉપરના ભાગમાં ફોટા નીચે એમનો પરિશ્રમ,આપણો ભરોસો એવુ લખાણ લખવામાં આવ્યું છે.

વચ્ચેના ભાગમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય તથા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને તેમના પુત્રના ફોટા વચ્ચે ભરોસાની ભાજપ સરકાર તથા પક્ષનું કમળનું નિશાન છાપવામા આવ્યુ છે. ત્રીજા ફોલ્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જમાલપુર-ખાડિયા વિધાનસભાના ઉમેદવાર અને તેની બિલકુલ નીચેના ભાગમાં ઉમેદવારના નામના સ્થાને ભારતીય જનતા પાર્ટીનું નિશાન અને બટન એમ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આપનો કિંમતી અને પવિત્ર મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવો જેવું લખાણ પણ પત્રિકામાં છાપવામાં આવ્યુ છે.

પરંતુ પત્રિકામાં કયાંય ઉમેદવારના નામનો ઉલ્લેખ કરવામા આવ્યો નથી. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સમયે જ ખાડિયા વિધાનસભામા કાર્યકરો અને લોકોમાં વડાપ્રધાનને ઉદ્દેશીને મોદી તુઝસે વેર નહીં પર તોડબાજો કી ખેર નહીં એ પ્રકારનુ સૂત્ર વાઈરલ થવા પામ્યું હતું. આ બાબતની ભાજપ નેતાગીરીએ ગંભીર નોંધ લઈ ઉમેદવારને બદલે ભાજપ માટે જ મત માંગવા પત્રિકા તૈયાર કરી હોવાની મતદારોમા ચર્ચા સાંભળવા મળી રહી છે.

આ પણ વાંચો :-

 

 

પાકિસ્તાનમાં ગંભીર અકસ્માત : વાન ખીણમાં ખાબકતા 12 બાળકો સહિત 20ના મોત, 10થી વધુ ઘાયલ

Serious accident in Pakistan

  • પેસેન્જર વાન ખાડીમાં પડતાં અંદાજિત 20 લોકોનાં મોત થયાં અને 13 લોકો ઘાયલ થયા, મૃતકોમાં 6 છોકરાઓ અને 6 છોકરીઓનો સમાવેશ.

પાકિસ્તાનમાં (Pakistan) એક મોટા રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. ઈન્ડસ (સિંધુ) હાઇવે (Indus (Indus) Highway) પર સેહવાન ટોલ પ્લાઝા (Sehwan Toll Plaza) પાસે પેસેન્જર વાન (Passenger van) ખાડીમાં પડતાં અંદાજિત 20 લોકોનાં મોત થયાં અને 13 લોકો ઘાયલ થયા છે.

જાનહાનિની ​​પુષ્ટિ કરતા અબ્દુલ્લા શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ડૉ. મોઇન સિદ્દીકીએ જણાવ્યું હતું કે મૃતકોમાં આઠ મહિલાઓ અને 12 બાળકો, 10 થી 15 વર્ષની વયના છ છોકરાઓ અને છ છોકરીઓનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ 13 લોકો ઘાયલ થયા છે. જેમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ખેરપુરના દાઉદ ફુલપોટો ગામના રહેવાસી હતા. પાકિસ્તાનમાં એંડ્સ (સિંધુ) હાઇવે પર સેહવાન ટોલ પ્લાઝા પાસે થયેલા અકસ્માતમાં 20 લોકોના મોતથી શોકનો માહોલ વ્યાપી ગયો છે.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પૂરના પાણીના નિકાલ માટે ઈન્ડસ હાઇવે પર કટ કરવામાં આવ્યા હતા. પરંતુ બે મહિના પછી પણ ખાડો ભરી શકાયો નથી. જેના કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.

આ તરફ ASP સેહવામ ઈમરાન કુરેશીએ જણાવ્યું કે પેસેન્જર વાન ખૈરપુરથી સેહવાનમાં સૂફી સંત લાલ શાહબાઝ કલંદરની દરગાહ તરફ જઈ રહી હતી. જે અકસ્માતનો ભોગ બની અને વાહન ખાડામાં પડી ગયું.

મૃતદેહો અને ઘાયલોને અબ્દુલ્લા શાહ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સેહવાનમાં ખસેડવામાં આવ્યા છે. એસએસપી કુરેશીના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો :-

સુરતમાં આજે ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર !  ભાજપના 8 દિગ્ગજ સ્ટાર પ્રચારકો જાહેર સભા ગજવશે

0

BJP’s huge election campaign in Surat today

  • વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ફોજ સુરતમાં ઉતરશે. આજે સુરતની 10 વિધાનસભા બેઠક પર ભાજપના 8 નેતાઓ અને સ્ટારપ્રચારકો જાહેરસભા ગજવશે.

યુ.પીના સી.એમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ચોર્યાસી વિધાનસભામાં આવતા ગોડાદરા વિસ્તારમાં જાહેર સભા (Public Meeting) સંબોધશે. આ વિસ્તારમાં હિન્દીભાષી મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે. ગોડાદરા (Goddara) અને ડીંડોલી સહિતના વિસ્તારોની અંદર ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા માટે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારવામાં આવશે.

લિંબાયતમાં મહારાષ્ટ્રીયન મતદારોની સંખ્યા ખૂબ જ વધુ છે. મરાઠી મતદારોને રીઝવવા માટે દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) ચૂંટણી પ્રચારની કમાન સોંપવામાં આવી છે. તેઓ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવતા સંજયનગર સર્કલ ખાતે સભા કરશે.

રૂપાલા-માંડવિયા પાટીદારોના ગઢમાં :

પાટીદાર ગઢમાં મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે. પાટીદાર પ્રભાવવાળી વરાછા વિધાનસભા વિસ્તારમાં પરસોત્તમ રૂપાલા સભાને સંબોધિત કરશે. મનસુખ માંડવિયા કરંજ અને કતારગામ વિધાનસભા વિસ્તારમાં સભા ગજવશે.

ત્યારે મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાની જવાબદારી સોંપાય છે. આ ત્રણેય બેઠકો ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. પરંતુ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર વધતા ભાજપ માટે મોટો પડકાર ઉભો થઈ શકે છે. તેથી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા આ વિસ્તારમાં સભા સંબોધીને કામ શરૂ કરશે.

નીતિન પટેલ ઉધનામાં :

ઉધના વિસ્તારમાં ઉત્તર ગુજરાત અને મહેસાણાના પાટીદારો મતદારોની સંખ્યા વધારે છે. આ વિસ્તારમાં નીતિન પટેલ જાહેર સભાને સંબોધશે. ઉત્તર વિધાનસભામાં પણ નીતીન પટેલ સભા કરશે. જ્યારે મજુરા વિધાનસભા બેઠક ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પશ્ચિમ બેઠક ઉપર અનુરાગ ઠાકુર અને પૂર્વ વિધાનસભા વિસ્તારમાં તેજસ્વી સૂર્યાજી સભા કરશે.

આ પણ વાંચો :-

 

ઈન્દોરમાં રાહુલ ગાંધીને બોમ્બ ઉડાવી દેવાની ધમકી ! પત્ર મળી આવતા પોલીસ પ્રશાસનમાં ખળભળાટ

0

Rahul Gandhi threatened to blow up a bomb

  • મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રાના આગમન પહેલા રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારત જોડો યાત્રાના આગમન પહેલા ઈન્દોરમાં (Indore) રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં રાહુલ ગાંધીને (Rahul Gandhi) મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.

ઈન્દોરમાં વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બોમ્બ બ્લાસ્ટનો (Bomb blast) પત્ર મળ્યો છે. આ ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે મીઠાઈની દુકાનની બહાર કોઈ અજાણ્યા શખ્સે મુક્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

નોંધનિય છે કે પત્રમાં રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’ ઈન્દોર પહોંચવા પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ તરફ પોલીસે કહ્યું છે કે કલમ 507 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

તારક મહેતા… શોમાં મહત્વની ભૂમિકા ભજવતા કલાકાર ઈજાગ્રસ્ત, શૂટિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા

Tarak Mehta… Actor playing an important role

  • “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર છે. શોમાં મહત્વનું પાત્ર ભજવતા કલાકારને શૂટિંગ સમયે અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયા છે. જાણો કેવી છે તેમની તબિયત ?

નાના પડદાના મોટા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma) ના લાખો ચાહકો છે. શોના દરેક પાત્ર દર્શકોના હ્રદય પર રાજ કરે છે. જેઠાલાલ, દયાબેન, ચંપકચાચા, બબીતાજી, હાથીભાઈ, ભીડે, ટપુ (Jethalal, Dayaben, Champakchacha, Babitaji, Hatibhai, Bhide, Tapu) વગેરે કલાકાર ઘરે ઘરે ગૂંજે છે. આવામાં આ શોના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે.

શુટિંગ રદ થયું :

મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના ચંપક ચાચાને ડોક્ટરે બેડ રેસ્ટ માટે કહ્યું છે. જેઠાલાલાના પિતા ચંપક ચાચાની ભૂમિકા ભજવતા કલાકાર અમિત ભટ્ટને સેટ પર ઈજા થઈ છે. આવામાં તેઓ શૂટિંગ કરી શકે તેમ નથી. એવું કહેવાઈ રહ્યું છે કે અમિત ભટ્ટે એક સીનના શૂટિંગ દરમિયાન ભાગવાનું હતું. ભાગતા ભાગતા તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા.

સેટ પર ઈજાગ્રસ્ત :

અમિત ભટ્ટે સીનના શૂટિંગ દરમિયાન જેવું સંતુલન ગુમાવ્યું તેઓ ઘડામ દઈને જમીન પર પડી ગયા. પડી જવાથી તેમને ઘણી ઈજા થઈ. શૂટિંગમાંથી હાલ તેમને બ્રેક અપાયો છે. આવામાં ડોક્ટર્સે તેમને આરામ કરવાની સલાહ આપી છે. ટીમ મેમ્બર્સ તેમની ઈજાને લઈને પરેશાન છે. આવામાં બધા તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

શોને પૂરા થયા 14 વર્ષ :

શો વિશે જણાવીએ તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ શો ટીવીનો સૌથી લાંબા સમયથી ચાલનારો શો બની ચૂક્યો છે. જેઠાલાલથી લઈને ચંપક ચાચા અને દયાબેન…દરેક પાત્ર ફેન્સને ખુબ પસંદ આવે છે. હાલમાં જ 14 વર્ષની લાંબી સફર પૂરી કર્યા બાદ આખી ટીમે કેક કાપીને સેલિબ્રિટ કર્યું હતું.

આ પણ વાંચો :-

સુરતમાં એટીએમમાં 100ને બદલે 500 રુપિયાની નોટ નીકળી, લોકોએ ભરી લીધા ખિસ્સાં

0

500 rupees note came out instead of 100 in ATM

  • Surat News : પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે 100ની જગ્યાએ 500 રુપિયાની નોટ નીકળી રહી હતી.

પાલનપુર (Palanpur) ખાતે બેન્ક ઓફ બરોડાના (Bank of Baroda) એટીએમમાં 100 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો (Technical fault) ફાયદો 20 જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, 20 લોકોમાંથી 8 લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય 12 લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી (Legal Action) કરવામાં આવશે.

20 લોકોએ ઉઠાવ્યો ફાયદો :

પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે 100ની જગ્યાએ 500 રુપિયાની નોટ નીકળી રહી હતી. આ ખામીને કારણે 20 લોકોએ 60 હજાર જેટલા વધારાના રૂપિયા ઉપાડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ અંગેની જાણ થતા બેંકના અધિકારીઓએ થોડા સમય માટે એટીએમ બંધ કરવામાં આવ્યુ હતુ. આ ટેક્નિકલ ખામીને સુધારીને ફરીથી એટીએમ શરૂ કરવામાં આવ્યુ હતુ.

‘અમે રુપિયા વાપરી નાંખ્યા’ :

બેંક દ્વારા 20 લોકોનો સંપર્ક કરીને પૂછ્વામાં આવ્યુ ત્યારે એમાથી 12 લોકોએ કહ્યુ કે, અમે રૂપિયા વાપરી નાંખ્યા છે. જ્યારે આઠ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. જો કે જે લોકોએ આ ટેક્નિકલ ખામીમાં રૂપિયા ઉપાડ્યા છે તે તમામ સીસીટીવીમાં કેદ થઇ ગયા છે. જે લોકોએ રુપિયા પરત નથી કર્યા તેમને પહેલા સમજાવવામાં આવશે. જો રુપિયા પરત નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 ચૂંટણી છે ભાઈ ! કોંગ્રેસમાંથી AAPમાં આવનારા નેતા ટિકિટ ન મળતા ત્રીજી પાર્ટીમાં જોડાઈ ઉમેદવારી ફોર્મ ભર્યું

0

There is an election brother

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રોજે રોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ટિકિટ ન મળતા નારાજ નેતાઓ પાર્ટી જ છોડી રહ્યા છે અને કોઈ અપક્ષ તો કોઈ અન્ય પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાં (Aap Gujarat) બીજા તબક્કાના ફોર્મ ભરવાના દિવસે ફરી ભડકો થયો હતો. ટિકિટ ન મળતા નારાજ સ્ટેટ જોઈન્ટ સેક્રેટરીએ (Joint Secretary of State) પાર્ટીમાંથી તમામ પદેથી રાજીનામું આપી દીધું છે અને સમાજવાદી પાર્ટીમાં (Samajwadi Party) જોડાઈને તેમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે.

AAPના નેતાએ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી :

ગાંધીનગરમાં (Gandhinagar) કોંગ્રેસ જિલ્લાના પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભી પાર્ટી છોડીને પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAPમાં તેમને પક્ષ દ્વારા સ્ટેટ જોઈન્ટ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું હતું. જોકે ગાંધીનગરથી ટિકિટ ન અપાતા નારાજ થઈને તેમણે પોતાના હોદ્દા તથા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. અને રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ સમાજવાદી પાર્ટીમાં જોડાઈને ગાંધીનગર ઉત્તર બેઠક પરથી દાવેદારી નોંધાવી છે.

ટિકિટ ન મળતા રાજપૂત સમાજમાં આક્રોશ :

ટિકિટ ન મળતા નારાજ સૂર્યસિંહે ડાભીએ ગોપાલ ઈટાલિયાને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે AAPએ ગાંધીનગર જિલ્લામાં પાંચ બેઠકો પૈકી એકપણ બેઠક પર રાજપૂત સમાજને ટિકિટ આપી નથી. જેથી સમગ્ર રાજપૂત સમાજમાં ખૂબ જ આક્રોશ પેદા થયો છે. જેથી હું આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પદેથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.

આ પણ વાંચો :-

 

ભાજપ-આપ બંને પાર્ટી સાથે એક-એક બેઠક પર ખેલ થઈ ગયો ! ઉમેદવારી જ ન નોંધાઈ શક્યા નેતાઓ, જાણો કેમ

0

The BJP-AAP party played a game on one seat each

  • ગુજરાતની બે બેઠકો પરથી ડમી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભર્યા વિનાના રહ્યાં. કારણ કે એકમાં ડમી ઉમેદવાર સમયસર ન પહોંચ્યા તો બીજામાં AAPએ મેન્ડેટ ન આપ્યો.

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ચૂંટણીના બીજા તબક્કાની ઉમેદવારી ફોર્મ (Nomination form) ભરવાની ગઇ કાલે (17 નવેમ્બર) છેલ્લી તારીખ હતી. જ્યારે આજે ફોર્મની ચકાસણી કરાશે અને 21મી તારીખે ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. ત્યારે રાજ્યમાં ભાજપ અને AAP એમ બંને પાર્ટીના ઉમેદવારો સાથે બે અલગ-અલગ બેઠકો પર દાવ થઇ ગયો હતો.

બે કલાક સુધી ન પહોંચતા ડમી ઉમેદવાર ફોર્મ ભરવાથી બાકાત :

જેમાં વાત કરીએ વડોદરાની (Vadodara) સયાજીગંજ બેઠકની (Sayajiganj seat) તો આ બેઠક પરથી ભાજપ ઉમેદવારનું ડમી ફોર્મ ન ભરી શકાયું. કેયુર રોકડિયાના (Keyur Rokadiya) ડમી ઉમેદવાર સમયસર ન પહોંચી શકતા એટલે કે ડમી ઉમેદવાર બે કલાક સુધી ન પહોંચતા તેઓનું ઉમેદવારી ફોર્મ ભરવાનું બાકી રહી ગયું.

મહત્વનું છે કે ડમી ઉમેદવારને હાજર રાખવાની જવાબદારી સંગઠનની હતી. સંગઠને ટ્રાફિક જામમાં ડમી ઉમેદવાર ફસાયા હોવાનું બહાનું આગળ ધર્યુ હતું. પૂર્વ કાઉન્સિલર બિપીન પટેલને ડમી ઉમેદવારી તરીકે ફોર્મ ભરવાનું હતું.

AAPએ મેન્ડેટ ન આપતા ડમી ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી :

તો બીજી બાજુ સુરતમાં AAPના ડમી ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. સુરતની પૂર્વ બેઠક પરથી સલીમ મુલતાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. AAPએ ડમી ઉમેદવાર સલીમ મુલતાનીને મેન્ડેટ પણ આપ્યો ન હતો. ત્યારે અંતે સલીમ મૂલતાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું.

તમને જણાવી દઈએ કે સુરત પૂર્વની બેઠક પરથી કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આથી આ બેઠક પરથી સલીમ મૂલતાનીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંતુ AAPએ ડમી ઉમેદવાર સલીમ મુલતાનીને મેન્ડેટ ન આપતા તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. ત્યારે હવે 16માંથી 15 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે.

વધુમાં તમને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીમાં ગુરુવારે સુરતમાં વધુ 29 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં સુરતમાં હવે 168 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 અને મજુરામાં સૌથી ઓછા 4 ઉમેદવારો છે. શહેરમાં સૌથી વધુ પરપ્રાંતિય મતદારો ધરાવતી લિંબાયત બેઠક પર 44માંથી 31 મુસ્લિમ અને 13 હિંદુ ઉમેદવારો છે.

આ પણ વાંચો :-