Home Blog Page 1248

શું મધુ શ્રીવાસ્તવ પર કોઈ કાર્યવાહી કરશે ભાજપ ? પાટિલે આપ્યો જવાબ

0

Will BJP take any action on Madhu Srivastava

  • ભાજપે મનાવવાના અનેક પ્રયાસો કરવાં છતાં નારાજ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે આજે ફોર્મ ભરી દીધુ છે. નોંધનીય છે કે ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાખી હતી.

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે ઉમેદવારી ભરવાની મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓએ (A political party) ઉમેદવારોની જાહેરાત બાદ ઘણા નેતાઓ નારાજ જોવા મળી રહ્યાં છે. ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીમાં ખુલીને નારાજગી સામે આવી છે. ભાજપે કેટલાક નારાજોને મનાવી લીધા છે પરંતુ વડોદરામાં ભાજપને ધારી સફળતા મળી નથી. અહીં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે.

નારાજ નેતાઓનું લિસ્ટ લાંબુ છે :

ભાજપ અને કોંગ્રેસમાં રિસાયેલા નેતાઓની યાદી લાંબી છે. ભાજપ અને કોંગ્રેસમાંથી અસંખ્ય ધારાસભ્યો અને દાવેદારોની ટિકિટ કપાઈ. ક્યાંક નેતાઓએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી તો ક્યાંક કોઈએ બળવો કર્યો. ચૂંટણી લડવા માટે ઈચ્છુક અનેક નેતાઓએ પક્ષમાંથી મેન્ડેટ ન મળતાં અપક્ષ ઉમદેવારી નોંધાવી છે.

વડોદરામાં બે સીટ પર નારાજગી યથાવત :

વડોદરાની પાદરા બેઠક પર દિનેશ પટેલ ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા માટે પહોંચ્યા. ભાજપે ટિકિટ ન આપતાં નારાજ થયેલા દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અરવલ્લીની બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને ભાજપે મેન્ડેટ ન આપતાં પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે શક્તિપ્રદર્શન કરીને ધવલસિંહ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તો મધુ શ્રીવાસ્તવે પણ આજે વડોદરાની વાઘોડિયા સીટ પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે.

સી.આર.પાટિલે આપી ચેતવણી :

ભાજપે ટિકિટોની જાહેરાત બાદ નારાજ થયેલા કેટલાક નેતાઓને મનાવી લીધા છે. પરંતુ ખાસ કરીને બાહુબલી તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવને મનાવવામાં ભાજપને સફળતા મળી નથી. હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને આ અંગે સવાલ પૂછતા તેમણે કાર્યવાહીને ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ પક્ષ વિરોધી કામ કરશે તેમના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું તે રહેશે કે મધુ શ્રીવાસ્ત ફોર્મ પાછુ ખેંચે છે કે પછી ભાજપ તેમના પર કોઈ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આવનારા દિવસોમાં એક સાથે બે સ્વેટર પહેરવા પડશે ! જાણો હવામાન વિભાગની શું છે આગાહી ?

0

ગુજરાતમાં આવનારા દિવસોમાં એક સાથે બે સ્વેટર પહેરવા પડશે ! જાણો હવામાન વિભાગની શું છે આગાહી ?

  • ગુજરાતમાં હાલ ધીમા પગલે ઠંડીનું આગમન થઇ ગયું છે. અને સવાર સવારમાં ફુલગુલાબી ઠંડી પડવાની શરૂઆત લાગી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં (North India) સતત હિમવર્ષાના (snowfall) કારણે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના (Weather experts) મતે આ વખતે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ઓક્ટોબરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે તાપમાનમાં એટલો ઘટાડો થયો ન હતો.

ગુજરાતમાં હાલ ધીમા પગલે ઠંડીનું આગમન થઇ ગયું છે. અને સવાર સવારમાં ફુલગુલાબી ઠંડી પડવાની શરૂઆત લાગી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તેમજ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને આગામી દિવસમાં એક ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વના પવનો કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અને રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે. અમદાવાદ સહિતના અનેક શહેરોના તાપમાનમાં હાલ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના કારણે આગામી પાંચ દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે.

નવેમ્બરની શરૂઆતમાં પણ ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડી લાગતી હતી. પરંતુ હવે એવું નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ગુજરાતમાં 18 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. પહાડો પર હિમવર્ષા શરૂ થયા બાદ આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજધાની દિલ્હીમાં ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો નીચે આવવા લાગ્યો છે.

આજના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. તેમજ સુરતમાં 24.01 ડિગ્રી, રાજકોટમાં 18.04 ડિગ્રી તાપમાન છે. તો વડોદરાનું લઘુતમ તાપમાન 17.4 ડીગ્રી નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે કે હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ શકે છે.

આ પણ વાંચો :-

સંધ્યા દેવનાથન બની મેટાની નવી ઈન્ડીયા હેડ, જાણો તેના વિશે આ મોટી વાતો

Sandhya Devanathan Becomes Meta’s New India Head

  • ફેસબુકની મૂળ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને પોતાના ભારતીય બિઝનેસના નવા પ્રમુખ નિયુક્ત કર્યા છે. દેવનાથનને 20 વર્ષનો અનુભવ છે અને તેના લીધે તેમને આ મોટી પોસ્ટ ઓફર કરવામાં આવી છે.

અજીત મોહનના (Ajit Mohan) ઈન્ડીયા હેડના (India Head) રૂપમાં મેટામાંથી રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ જ સોશિયલ મીડિયાની (Social media) લીડિંગ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને (Sandhya Devanathan) મેટાના ઈન્ડીયા હેડ પસંદ કર્યા છે. મેટા ફેસબુક, ઈસ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક છે.

ઈન્ડીયા હેડના રૂપમાં તેમનું સ્વાગત કરતાં મેટાના મુખ્ય બિઝનેસ ઓફિસર્સ માર્ને લેવાઈને એક નિવેદનમાં કહ્યું કે તેમને ‘ભારતમાં મેટાની નિરંતર વૃદ્ધિ’ ના રૂપમાં સંધ્યા દેવનાથનનું સ્વાગત કરતાં ખુશી થઈ રહી છે.

તેમણે કહ્યું કે ”મને ભારત માટે અમારા નવા નેતાના રૂપમાં સંધ્યાનું સ્વાગત કરતાં ખુશી થઇ રહી છે. સંધ્યાના વ્યવસાયોને વધારવા, અસાધારણ અને સમાવેશી ટીમોનું નિર્માણ કરવા, ઉત્પાદનમાં ઈનોવેશન અને મજબૂત ભાગીદારી બનાવવાનો એક જૂનો ટ્રેક રેકોર્ડ છે. અમે તેમના નેતૃત્વમાં મેટાની નિરંતર વૃદ્ધિને લઇને ઉત્સાહિત છીએ.”

તમને જણાવી દઈએ કે દેવનાથન 22 વર્ષોનો અનુભવ અને બેકિંગ, પેમેન્ટ અને ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરી ચૂકી છે અને એક ગ્લોબલ બિઝનેસ લીડર છે. તેમણે વર્ષ 2000 માં દિલ્હી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમબીએ પુરૂ કર્યું. જેમ કે તેમના લિંક્ડઇન પ્રોફાઈલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Rules : કાર ચોરી થઈ જાય તો પણ EMI ભરવા પડે કે છુટકારો મળે ? જાણો નિયમ

0

Rules: Even if the car is stolen

  • જો કોઈ વ્યક્તિ સસ્તામાં સસ્તી નવી કાર પણ ખરીદવા માંગે છે તો પણ તેને ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. એવામાં  એ જરૂરી નથી કે કોઇ વ્યક્તિ પાસે આટલા પૈસા એકસાથે ખર્ચ કરવા માટે હોય.

જો કોઈ વ્યક્તિ સસ્તામાં સસ્તી નવી કાર (Cheap new car) પણ ખરીદવા માંગે છે તો પણ તેને ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. એવામાં  એ જરૂરી નથી કે કોઈ વ્યક્તિ પાસે આટલા પૈસા એકસાથે ખર્ચ કરવા માટે હોય. એટલા માટે મોટી સંખ્યામાં લોકો કાર લે છે અને ત્યારબાદ લોનને ઈએમઆઈના (Loan EMI) રૂપમાં દર મહિને ધીમે ધીમે પરત કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો લોન સંપૂર્ણપણે ચૂકવો તે પહેલાં કાર ચોરી થઇ જાય તો શું થશે? શું આવી સ્થિતિમાં લોન લેનાર વ્યક્તિને ઈએમઆઈ ચૂકવવી પડશે અથવા પછી તેને ઇએમઆઇમાંથી છુટકરો મળશે?

આ વાતને લઈને ઘણા બધા લોકો કંફ્યૂજ થઇ શકે છે. પરંતુ તેનો જવાબ છે કે જે લોન તમે લીધી છે તે તમારે ચૂકવવી પડશે. એટલે કે જો તમારી કાર ચોરી પણ થઇ જાય છે ત્યારે પણ લોન ચૂકવવી પડશે. જોકે આવી સ્થિતિમાં ઇંશ્યોરેન્સ ક્લેમ તમારા કામ આવી શકે છે.

જો તમારી ઈશ્યોરેન્સ પોલિસીમાં ચોરીનો ક્લેમ કવર થતો હોય તો તમે ઈશ્યોરેન્સ કંપનીમાં કાર ચોરીનો ક્લેમ કરી શકો છો. ત્યારબાદ ઈશ્યોરેન્સ કંપની તમારી કારની IDV (Insured Declared Value) ના આધારે પહેલાં લોનનું પેમેંટ કરશે અને બાકીની લોન ચૂકવ્યા બાદ પણ ક્લેમના પૈસા બચે છે તો તે તમને મળશે.

જોકે જ્યારે વિમા પોલિસી લો છો તો તેમાં ઈશ્યોરેન્સ કંપનીને ખબર હોય છે કે તમારી કાર પર લોન છે કે નથી કારણ કે જે કાર લોન લીધી હોય છે. તેની આરસી પર લોન આપનાર બેંકનું નામ લખેલું હોય છે. તો જો કાર ચોરી થઇ જાય છે તો વીમા કંપની તમને ક્લેમના આધારે પહેલાં બેંકને લોનના પૈસા આપી દે છે. જોકે જો તમારો ક્લેમ રિજેક્ટ થઇ જાય છે તો લોનના પૈસા તમારે ચૂકવવા પડશે. જો તમ આમ નથી કરતા તો બેંક તમારા કાર્યવાહી કરી શકે છે અને પેનલ્ટી પણ લગાવી શકે છે.

આ પણ વાંચો :-

18 નવેમ્બર 2022, રાશિફળ : સાંઈબાબાની કૃપાથી આ રાશિના જાતકો ધંધામાં પાર કરશે સફળતાના શિખરો

18 November 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા, આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઈ-બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારું રહેશે.

વૃષભઃ
કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજતાપૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓને પ્રગતિ-સફળતા મળે.

મિથુનઃ
સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભ‌ૂતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારું રહેશે. જીવનસાથીની તબિયત સાચવવી.

કર્કઃ
દિવસ દરમિયાન શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહઃ
નાણાંકીય બાબતોથી લાભ સંભ‍વે. કુટુંબમાં સુખ-શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ-રસાયણ-ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથ મનદુઃખ ન થાય એ સાચવવું.

કન્યાઃ
આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઈ-બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ
બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય, બપોર બાદ ભગ્ય સાથ આપતું જણાય. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભફળ મળતું જણાય. વિદ્યાર્થીમિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક-સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
ગઈકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભ‍વ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભકાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ
આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુદ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ
દિવસ દરમિયાન શક્તિ-સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોમાંથી આવક વધતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઈન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરદી શક્ય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

 ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20 મેચમાં આ હશે ઓપનર્સ ! તોફાની બેટિંગથી ઉડાવી દેશે બોલરોના હોશ

0

This will be the openers in the first T20 match against New Zealand

  • આવતીકાલે વેલિંગ્ટનમાં ભારતીય સમય અનુસાર બપોરે 12.00 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

ન્યુઝીલેન્ડ (New Zealand) સામે આવતીકાલથી વેલિંગ્ટનમાં (Wellington) શરૂ થઈ રહેલી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા (Team India captain Hardik Pandya) સામે સૌથી મોટો પડકાર મેચ માટે ઓપનર્સની પસંદગી કરવાનો રહેશે. જણાવી દઈએ કે આવતીકાલે વેલિંગ્ટનમાં ભારતીય સમય અનુસાર બપોરે 12.00 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ (International Match) રમાશે.

આ હશે પહેલી T20 મેચમાં ઓપનર !

જો કે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સંજુ સેમસન અને રિષભ પંતમાં ઓપનર બનવા માટેની તાકાત છે પણ આ માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઓપનિંગ માટે બે શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવી પડશે. જણાવી દઈએ કે હાલ શુભમન ગિલની સાથે વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનું ઓપનિંગમાં ઉતરવાનું નક્કી થઈ રહ્યું છે.

આંખના પલકારામાં બોલરોના હોશ ઉડાવી શકે છે :

આપણએ બધા જાણીએ છીએ કે શુભમન ગિલ અને રિષભ પંત દમદાર બેટિંગમાં મહેર છે અને આ બંને બેટ્સમેન આંખના પલકારામાં સામેવાળી ટીમના બોલરોના હોશ ઉડાડી દેવાની ક્ષમતા ધરાવે છે. જણાવી દઈએ કે શુભમન ગિલ જમણા હાથનો બેટ્સમેન છે અને રિષભ પંત ડાબોડી બેટ્સમેન છે. આ માટે શુભમન ગિલ અને રિષભ પંત ટીમ ઈન્ડિયાને જમણા અને ડાબા હાથના બેટ્સમેનોના કોમ્બિનેશનનો ઓપનિંગ વિકલ્પ આપે છે.

નાના મેદાનમાં મચાવી શકે છે ધમાલ : 

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ઓપનિંગમાં ઉતારવાથી ટીમ ઈન્ડિયા મજબૂત સંતુલન મળી શકે છે. એટલે જો રિષભ પંત ઓપનિંગમાં આવે છે તો ભારતીય ટીમ મેનેજમેન્ટ સંજુ સેમસનને 5માં નંબર પર બેટિંગ માટે મેદાનમાં ઉતારી શકે છે.

આ સાથે જ સંજુ સેમસન ન્યુઝીલેન્ડના નાના મેદાનો પર ધમાલ મચાવી શકે છે અને ઓપનિંગમાં આવેલ રિષભ પંત ન્યૂઝીલેન્ડ સામે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે હંમેશા ડાબોડી ઓપનર કોઈપણ ટીમ માટે એક્સ ફેક્ટર સાબિત થાય છે.

આ પણ વાંચો :-

ઝઘડિયાના રાજકારણમાં મોટો વળાંક !  બીટીપીના મહેશ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું, આ પક્ષને આપી શકે છે સમર્થન 

0

A big turn in the politics of strife

  • ઝઘડિયાના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. પિતા અને પુત્રના વિવાદનો સુખદ અંત આવ્યો છે.

બીટીપીનાં મહેશ વસાવાએ (Mahesh Vasava of BTP) ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે. મહેશ વસાવાનાં પિતા છોટુ વસાવાએ (Chotu Vasava) અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી પુત્ર મહેશે પોતાનું ફોર્મ પરત ખેંચીને પિતા છોટુ વસાવાને સમર્થન આપ્યું છે.

આ ચૂંટણીમાં રાજ્યની ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક ભારે ચર્ચામાં હતી. ચૂંટણીમાં ઝઘડિયા બેઠકમાં પર પિતા અને પૂત્ર સામ-સામે જંગે ચઢ્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાએ ગુજરાતના ભરૂચ જિલ્લાની ઝગડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેમના પુત્ર મહેશ વસાવા બીટીપી પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

બીટીપી એટલે કે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સ્થાપક છોટુ વસાવા સતત 7 ટર્મથી ઝઘડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. છોટુ વસાવાના પુત્ર અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આ બેઠક પરથી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે.

પરંતુ તેમ છતાં પિતાએ પણ પુત્રને લડત આપવા માટે અહીંથી ઉમેદવારી નોંધાવી છે. હવે આ પારિવારિક ઝઘડામાં મહેશ વસાવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે.

આ પણ વાંચો :-

 

ફક્ત 25 હજારમાં શરૂ કરો આ ધાંસૂ બિઝનેસ ! સરળતાથી થશે 30 લાખથી વધારેની કમાણી, સરકાર આપશે સબસિડી

0

Start this crazy business in just 25 thousand

  • જો તમે તમારી નોકરીથી કંટાળ્યા છો અને કોઈ બિઝનેસ કરવા માંગો છો તો આ બિઝનેસ આઈડિયા તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જો તમે પણ નોકરીના પ્રેશરમાંથી બહાર આવવા માંગો છો અને બિઝનેસમાં (Business) પોતાની ઘાર જમાવવા માંગો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. આજે અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા (Business idea) લઈને આવ્યા છીએ. જેમાં તમે માત્ર 25 હજાર રૂપિયા ખર્ચીને દર મહિને 3 લાખથી વધુ કમાઈ શકો છો.

સૌથી મહત્વની વાત એ છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી 50% સુધીની સબસિડી મળી શકે છે. આ એક ખાસ બિઝનેસ છે – મોતીની ખેતીનો (Pearl Farming). અમે તમને જણાવી દઈએ કે તમે આ બિઝનેસમાંથી લાખો રૂપિયા કેવી રીતે કમાઈ શકો છો.

દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી  :

તમને જણાવી દઈએ કે આ બિઝનેસથી તમે દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. સૌથી સારી વાત એ છે કે આ બિઝનેસ શરૂ કરવા પર સરકાર તરફથી 50% સુધીની સબસિડી મળે છે. આ એક ખાસ બિઝનેસ છે – મોતીની ખેતીનો. છીપ અને મોતીના ધંધામાં લોકોની રુચિ વધી છે અને ઘણા લોકો તેનાથી ઘણી કમાણી પણ કરી રહ્યા છે. તમારે આ બિઝનેસમાં વધારે રોકાણ કરવાની જરૂર નથી.

આ માટે તમારે ત્રણ વસ્તુઓની જરૂર છે : 

એક તળાવ, સીપ અને ટ્રેનિંગ. તેમાં સૌથી મહત્વપૂર્ણ તળાવ છે. જે તમે જાતે ખોદાવી શકો છો. આ માટે સરકાર તરફથી 50% સબસિડી મળે છે. જેનો તમે લાભ લઈ શકો છો. બીજી વસ્તુ સીપ હોય છે. જે ભારતના ઘણા રાજ્યોમાં ઉપલબ્ધ છે.

મહત્વનું છે કે દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના સીપની ક્વોલિટી સારી છે. આટલું જ નહીં તેની ટ્રેનિંગ માટે દેશમાં ઘણી સંસ્થાઓ છે. જો તમે ઈચ્છો તો તમે મધ્યપ્રદેશના હોશંગાબાદ અને મુંબઈથી મોતી ઉછેરની ટ્રેનિંગ લઈ શકો છો.

જાણો ખેતીની પ્રોસેસ  :

હવે પ્રક્રિયા વિશે વાત કરીએ તો મોતીની ખેતી કરવા માટે છીપને જાળીમાં બાંધીને 10 થી 15 દિવસ સુધી તળાવમાં મુકવામાં આવે છે. જેથી તેઓ પોતાનું એયરમેન્ટ ક્રિએટ કરી શકે. આ પછી છીપને બહાર કાઢવામાં આવે છે અને તેની સર્જરી કરવામાં આવે છે.

આ સર્જરીમાં દરેક છીપની અંદર એક મોલ્ડ નાખવામાં આવે છે. આ મોલ્ડ પર કોટિંગ કર્યા પછી છીપ લેયર બનાવે છે. જે પાછળથી મોતી બની જાય છે. એટલે કે તમારે આમાં વધારે રાહ જોવાની જરૂર નથી.

એક છીપ તૈયાર કરવામાં થાય છે આટલો ખર્ચ  :

તમને જણાવી દઈએ કે એક છીપ તૈયાર કરવા માટે 25 થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે અને એક છીપમાંથી 2 મોતી નીકળે છે. જો તેની કિંમતની વાત કરીએ તો એક મોતી લગભગ 120 થી 200 રૂપિયામાં વેચાય છે.

એટલું જ નહીં જો તે સારી ગુણવત્તાની હોય તો તેને રૂ.200થી વધુ મોંઘી વેચી શકાય છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આ વ્યવસાયમાં મદદ કરી શકે છે. એટલે કે તમે ઓછા રોકાણમાં વધુ નફો કમાઈ શકો છો.

જાણો કેટલો થશે નફો  :

હવે જો આપણે કુલ નફાની વાત કરીએ તો જો તમે એક એકરના તળાવમાં 25000 છીપને મોતીની ખેતી માટે મુકો તો તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા થાય છે. પરંતુ આમાંના કેટલાક છીપ ખરાબ પણ હોય છે.

તેમ છતાં 50% થી વધુ છીપ સરળતાથી નિકળી જાય છે અને અમે પહેલે કહ્યું એમ એક મોતીની કિંમત લગભગ 120 થી 200 રૂપિયા છે. આ મુજબ તમામ ખર્ચને બાદ કરીને આ વ્યવસાય સરળતાથી વાર્ષિક 30 લાખ રૂપિયા કમાણી કરાવી શકે છે.

આ પણ વાંચો :-

બેંકના કામો આજ-કાલમાં જલ્દીથી પૂર્ણ કરી લો, આ તારીખે બેંકમાં રહેશે હડતાળ

0

Complete the bank works today as soon

  • Bank Strike on 19 November : લગ્નની સિઝનમાં બેંકોમાં જનારા લોકોની સંખ્યા વધી જાય છે. આવા સમયે બેંક હડતાળ ગ્રાહકો માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. ખાસ વાત એ છે કે 19મી નવેમ્બરે બોલાવવામાં આવેલી આ હડતાળના બીજા દિવસે રવિવારથી સાપ્તાહિક રજા હોવાના કારણે બેંકો બંધ રહેશે.

જો તમારે આ અઠવાડિયે બેંક (Bank) સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને જલ્દી પૂર્ણ કરી લો. જો તમે આ નહી કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે શનિવારે બેંકોની દેશવ્યાપી હડતાળ (A nationwide strike) છે અને આ દરમિયાન તમામ બેંકોમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ જશે. તેમની માંગણીઓના સંબંધમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનએ આ હડતાળ બોલાવી છે.

19 નવેમ્બરે હડતાળની જાહેરાત :

AIBEA દ્વારા 19 નવેમ્બરે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે અને ત્રીજા શનિવારના કારણે બેંકમાં રજા નથી. બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એસોસિએશનના જનરલ સેક્રેટરીએ ભારતીય બેંક એસોસિએશનને હડતાલ અંગે નોટિસ મોકલી છે. તેમના જણાવ્યા અનુસાર શનિવારે બેંક હડતાલની દરખાસ્ત છે. આ હડતાલને કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે.

બેંક હડતાલનું કારણ :

બેંક હડતાલ બોલાવવાના કારણો વિશે વાત કરતા ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને બેંકોના ખાનગીકરણ સામે અને બેંક કર્મચારીઓની સુરક્ષા માટે વિરોધ કર્યો અને હડતાલ કરી રહ્યા છે. આ બે દિવસોમાં તમારી બેંકો સાથે સંબંધિત કામ પતાવવું પણ જરૂરી છે. કારણ કે શનિવાર પછી રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે. એટલે કે બે દિવસ સુધી બેંકમાં કામકાજ થઇ શકશે.

ઓનલાઇન બેંકિંગનો ઉપયોગ કરો :

બેંકની શાખાઓ બંધ થયા પછી પણ લોકો ઓનલાઈન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે. પૈસાની લેવડદેવડથી લઈને ખરીદી સુધી આ સેવાઓનો ઉપયોગી થઈ શકે છે. બેંકોની આ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે. જો કે આ દેશવ્યાપી હડતાળ દરમિયાન વિવિધ બેંકોના ATMમાં રોકડની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં હડતાળ પહેલા એટીએમમાંથી પૈસા ઉપાડવા ફાયદાકારક છે.

બેંકોનો ગ્રાહકોને મુશ્કેલીમાંથી બચાવવાનો પ્રયાસ :

જો કે દરેક બેંક પોતાના ગ્રાહકોને મુશ્કેલીમાંથી બચાવવાના પ્રયાસો કરી રહી છે. બેંક ઓફ બરોડા વતી રેગ્યુલેટરી ફાઈલિંગમાં AIBEA દ્વારા બોલાવવામાં આવેલી હડતાળ વિશે માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે બેંકે જરૂરી પગલાં લીધાં છે. પરંતુ આ દરમિયાન જો તમને પૈસાની જરૂર હોય અને હડતાલના એક દિવસ પછી અથવા રવિવારે બેંકમાં જવાનું હોય તો રાહ ન જુઓ અને આ બે દિવસમાં તમારું કામ પૂર્ણ કરો.

આ પણ વાંચો :-

AAPના કંચન જરીવાલાનો આક્ષેપ, ‘કોંગ્રેસ ઉમેદવારના માણસો મને……

0

AAP’s Kanchan Jariwala alleges

  • AAPમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર કંચન જરીવાલાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે. ઉમેદવારી પત્ર પરત ખેંચનાર કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માંગ કરી છે.

ગુજરાતની ચૂંટણીમાં (Gujarat election) હવે બરાબરનો રંગ જામ્યો છે. આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. સુરત કોર્પોરેશનમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આમ આદમી પાર્ટીની (Aap Gujarat) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી બાદ સુરતની બેઠકો પર સૌ કોઈની નજર છે.

બીજી બાજુ સુરતની પૂર્વ બેઠક (Surat East seat) પરના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ (Kanchan Jariwala) ફોર્મ પાછું ખેંચતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ રાજકીય ડ્રામામાં આપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે તેમના ઉમેદવાર પર દબાણ કરી ફોર્મ પાછું ખેંચાવામાં આવ્યું છે.

સુરત પૂર્વ બેઠક પર AAPમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર કંચન જરીવાલાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે. ઉમેદવારી પત્ર પરત ખેંચનાર કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માંગ કરી છે.

આ સાથે જ સુરત પૂર્વ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. જેને લઈને સુરત શહેરનું રાજકારણ ગરમાયું છે. આ ઘટનાક્રમ પછી આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે.

સુરત પૂર્વ બેઠક પર AAPમાંથી ઉમેદવાર કંચન જરીવાલાએ જણાવ્યું હતું કે મારા જીવને જોખમ હોવાની અરજી કરી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ હવે નવી રાજનીતિ શરૂ થઈ છે.

કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને જે લેખિત અરજી કરવી છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર (Congress candidate) અસલમ સાયકલવાલાના (Aslam Cyclwala) માણસો મને મારી નાખે તેવો ડર છે. જેથી મને સુરક્ષા આપવામાં આવે. લેખિતમાં કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને સુરક્ષા માંગવા માટેની અરજી કરી છે.

આશ્ચયજનક રીતે કંચન જરીવાલાએ અસલમ સાયકલવાલાના માણસો ઉપર પરોક્ષ રીતે આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો છે. જરીવાલાએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ સુરત પોલીસ કમિશ્નરને સુરક્ષા આપવા પત્ર લખતા કહ્યું કે 159 પૂર્વ વિધાનસભાની મેં મારું ઉમેદવારી પત્ર રાજીખુશીથી પાછું ખેંચી લીધું છે અને હવે મને કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો જાનથી મારી નાખે તેઓ ડર છે જેથી મને અને મારા પરિવારને પોલીસ રક્ષણ મળે તેવી આજીજી પૂર્વક અરજી કરી છું.

આ પણ વાંચો :-