Home Blog Page 1246

FIFA 2022 માં જલવો પાથરશે આ પ્લેયર્સની પાર્ટનર્સ, સુંદરતા જોઈ હારી જશે દિલ

In FIFA 2022, the partners of these players

  • ફીફા વર્લ્ડકપ 2022 નું આગાજ 20 નવેમ્બરથી કતારમાં યોજાશે. આ ટૂર્નામેન્ટમાં દુનિયાના સ્ટાર ખેલાડી રમતાં જોવા મળશે.

ખેલાડીઓની સાથે સાથે તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ (girlfriend) પણ ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમમાં જલવો પાથરતી જોવા મળશે. આવો ફીફા વર્લ્ડકપ 2022 (FIFA World Cup 2022) માં ભાગ લઈ રહેલા 5 સ્ટાર ફૂટબોલર્સની પાર્ટનર્સ વિશે તમને જણાવીએ છીએ.

દુનિયાના સૌથી જાણિતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેમની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગ્ઝ પણ ફીફા વર્લ્ડકપ 2022 માં જોવા મળશે. જોર્જિના રોડ્રિગેઝ પોતાની સુંદરતા માટે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

લિયોનેલ મેસીની પત્ની એંટોનેલા રોકુજો પણ ફીફા વર્લ્ડ કપ 2022 દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળશે. લિયોનેલ મેસી અને એંટોનેલા રોકુજોથી એકબીજાને ઓળખતા હતા અને તેમની લવ સ્ટોરી ખૂબ રોમેન્ટિક રહી છે.

બ્રાજીલના ફૂટબોલર અને ફોરવર્ડ નેમારની ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડી ખૂબ ચર્ચામાં રહે છે. બ્રુના બિયાનકાર્ડીના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાહવાહી મેળવે છે. બ્રુના બિયાનકાર્ડી પણ આ ટૂર્નામેન્ટમાં નેમારને સપોર્ટ કરતી જોવા મળે છે.

ઉરૂગ્વેના સ્ટ્રાઇકર લુઇસ સુઓરેજની પત્ની સોફિયા બલબી પણ ફીફા વર્લ્ડ કપ 2022 માટે કતર પહોંચી ગઇ છે. સોફિયા બલબી ઉરૂગ્વેના મેચો દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી શકે છે.

જર્મનીના દિગ્ગજ ફૂટબોલર થોમસ મુલર પોતાની રમત માટે ફેન્સ વચ્ચે ખૂબ છવાયેલા રહે છે, તેમની પત્ની લિસા મુલર પણ સોશિયલ મીડિયા સેંસેશન છે. લિસા મુલરના ફોટોઝ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

દરરોજ કરો ફક્ત તુલસીના 4 પાનનું સેવન, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મળશે રામબાણ ઈલાજ

Consume only 4 leaves of Tulsi daily

  • હિંદુ ધર્મમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. રોજ તુલસીના 4 પાન ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.

હિંદુ ધર્મમાં તુલસીને (Tulsi) પૂજનીય માનવામાં આવે છે. લોકો વિધિ-વિધાનથી તુલસીની પૂજા કરે છે. આયુર્વેદમાં પણ તેનું વિશેષ મહત્વ છે. તેમાં અનેક ઔષધીય ગુણો (Medicinal properties) પણ છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તમે દરરોજ તુલસીના 4 પાનનું સેવન કરી શકો છો. તેનાથી સ્વાસ્થ્યને (Health) ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ રોજ તુલસીના 4 પાન ખાવાથી શું ફાયદા થાય છે.

કબજિયાતમાં રાહત :

તુલસીના પાનનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેઓ ડાયેરિયાની સમસ્યાને રોકવા માટે કામ કરે છે. તેથી પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે દરરોજ તુલસીના પાનનું સેવન કરી શકો છો.

શરદી અને ઉધરસ :

હવામાન બદલાવના કારણે વ્યક્તિને વારંવાર શરદી અને ઉધરસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે તુલસીના પાનનું સેવન ચા અને ઉકાળાના રૂપમાં કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પ્રદાન કરવામાં મદદ કરે છે. આ છાતીમાં કફ જમા થવાથી રોકવામાં મદદ કરે છે.

હૃદય :

તુલસીના પાનનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઓકિસડન્ટ ગુણ હોય છે. તેઓ ફ્રી રેડિક્લસના નુકસાન સામે રક્ષણ આપવા માટે કામ કરે છે. ખાલી પેટે તુલસીના પાનનું સેવન તમારા હૃદય માટે ફાયદાકારક છે.

સ્ટ્રેસ અને ચિંતા :

આજકાલ ઘણા લોકો ખરાબ જીવનશૈલીના કારણે સ્ટ્રેસમાં રહે છે. આવી સ્થિતિમાં તુલસીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તે ચિંતા અને તણાવ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ખાલી પેટે તુલસી ખાવાથી સ્ટ્રેસ દૂર થાય છે.

આ પણ વાંચો :-

 

ચૂંટણી ટાણે મત માગવા જતાં નેતાઓનો વિરોધ ! વાવમાં મત માગવા ગયેલા ગેનીબેન ઠાકોરને જનતાએ ઘેર્યા, પ્રચાર છોડી…

0

The opposition of the leaders while asking for votes

  • ચૂંટણીને લઈને જ્યાં એક તરફ નેતાઓ વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ મતદારોએ પણ પોતાનો મીજાજ બતાવવાનું શરુ કરી દીધુ છે.

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કોંગ્રેસે ફરીથી ગેનીબેન ઠાકોરને (Ganiben Thakor) ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. ત્યારે ગેનીબેન ઠાકોરે પણ પોતાના મતવિસ્તારમાં પ્રચારની શરુઆત કરી દીધી છે. જો કે ગેનીબેનને પોતાના જ મતવિસ્તારમાં લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

ચૂંટણી પ્રચારમાં ગેનીબેનનો સ્થાનિકોએ કર્યો વિરોધ :

બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસ દ્વારા આ વખતે ગેનીબેન ઠાકોરને રિપીટ કરી ફરી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે તેઓ પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. એવામાં ભરદાવા અને ટોભા ગામમાં તેમને સ્થાનિકોએ જ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ ગેનીબેનને ઘેરીને તમે કયા વિકાસના કાર્યો કર્યા તે મુદ્દે સવાલો પૂછ્યા હતા.

આ બાદ કોંગ્રેસના સમર્થકો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ગેનીબેન પ્રચાર અડધો મૂકીને ગાડીમાં બેસીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. હાલમાં આ ઘટનાનો વાડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ :

નોંધનીય છે કે બનાસકાંઠાની વાવ બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. વાવ બેઠક પર હાલમાં કોંગ્રેસનો કબ્જો છે. જ્યારે ભાજપે અહીંથી સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ડો. ભીમ પટેલને ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે.

સાબરકાંઠામાં અશ્વિન કોટવાલનો પણ વિરોધ :

ખાસ વાત છે કે ચૂંટણી ટાણે જ 5 વર્ષે એકવાર દેખાતા ઘણા નેતાઓને હાલમાં મત માગવા જતા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા અશ્વિન કોટવાલને ટિકિટ આપી છે.

તાજેતરમાં જ અશ્વિન કોટવાલ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જ્યાં તેઓ પોતાને સવાલ પૂછનારા મતદારો સામે રોફ મારતા જોવા મળ્યા હતા. અશ્વિન કોટવાલનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

આ 5 બેંક સૌથી ઓછા વ્યાજ દર પર આપી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન, અહીં જાણો સંપૂર્ણ ડિટેલ્સ

0

These 5 banks are providing loans up

  • જો તમને અચાનક પૈસાની જરૂર હોય અને તમારી પાસે ગેરેન્ટી તરીકે રાખવા માટે કોઈ પ્રોપર્ટી નથી તો તમારા માટે પર્સનલ લોન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

પર્સનલ લોન (Personal Loan) એ એક એવી લોન છે જેનો તમે કોઈ પણ કોલેટરલ ગેરંટી (Collateral Guarantee) વિના મેળવી શકો છો. જો તમને તમારા બાળકના લગ્ન, બીમારી વગેરે ખર્ચ માટે અચાનક 5 લાખ રૂપિયાની જરૂર પડી હોય તો દેશમાં પાંચ બેંકો એવી છે જે ખૂબ જ સસ્તા દરે પર્સનલ લોન (Personal Loan) આપી રહી છે. આવો જાણીએ આ બેંકો વિશે.

PNB બેંક  :

પંજાબ નેશનલ બેંક જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. આ બેંક તેના ગ્રાહકોને માત્ર 9.8 ટકાના વ્યાજ દરે 5 લાખ રૂપિયાની પર્સનલ લોન ઓફર કરી રહી છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર :

ત્યાં જ બેંક ઓફ મહારાષ્ટ્ર પણ તેના ગ્રાહકોને ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરી રહી છે. જો તમે 5 વર્ષ માટે 5 લાખની પર્સનલ લોન લો છો. તો બેંક તમને 8.9 ટકાના વ્યાજ દરે લોન ઓફર કરે છે.

યસ બેંક :

યસ બેંક તેના ગ્રાહકોને 5 વર્ષ માટે 5 લાખની લોન પર 10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આમાં ગ્રાહકોએ દર મહિને 10,624 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

SBI :

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને રૂ. 5 લાખની પર્સનલ લોન પર 10.55 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને દર મહિને 10,759 EMI તરીકે ચૂકવવા પડશે.

BOB :

બેંક ઓફ બરોડા ગ્રાહકોને રૂ. 5 લાખની પર્સનલ લોન પર 5 વર્ષના સમયગાળા માટે 10.2 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.

આ પણ વાંચો :-

સુરત AAPમાં ભડકો ! નેતાઓને ખુલ્લા પાડવા માટે રાજુ દીયોરા કરશે મહાસંમેલન, પુરાવા રજૂ કરશે

0

Outbreak in Surat AAP! Raju Deora

  • આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજનારા મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પુરાવા પણ રજૂ કરવામાં આવશે.

સુરત આમ આદમી પાર્ટીમાં (Aap Surat) ભડકો જોવા મળી રહ્યો છે. કતારગામ (Katargam) વિસ્તારમાં આપના કાર્યકરોની નારાજગી સામે આવી છે. આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ (Raju Diyora) પાર્ટીમાં રૂપિયા લઈને ટિકિટ વેચાતી હોવાનો ગંભીર આક્ષેપ (A serious allegation) છે. સાથે આમ આદમી પાર્ટીમાં રહીને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હરાવવાની જાહેરાત પણ કરી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજનારા મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પુરાવા પણ રજૂ કરવામાં આવશે. તેવી જાહેરાત નારાજ આપના કાર્યકર રાજુ દિયોરાએ કરી છે.

આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગુજરાતની અંદર 182 વિધાનસભાની સીટ છે. 90 ટકા લોકો સાથે વિશ્વાસઘાત થયો છે. નારાજ 10 હજાર લોકોનું મહા સંમેલન અમે યોજવા જઈ રહ્યા છે. આપ પાર્ટીમાં જે લોકોએ મહેનત કરી છે એવા લોકોને સાઈટ કરવામાં આવ્યા છે.

જે લોકો પાસેથી પૈસા લઈને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. અમે કોઈ પાર્ટીમાં જોડાવાના નથી. આમ આદમી પાર્ટીની સામે લડાઈ લડીને 182 બેઠક પર આ પાર્ટીને એક પણ બેઠક પર જીતવા દઈશું નહીં.

આ પણ વાંચો :-

 

નોંધણી કરાવી છે પણ વોટર આઈડી કાર્ડ મળ્યું નથી ? તો આમ કરી શકાશે મતદાન

0

Registered but not received voter ID card

  • ચૂંટણી પંચના નવતર અભિગમથી “ફર્સ્ટટાઈમ વોટર”ની સંખ્યામાં વધારો. મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી દીધી છે અને વોટર આઈડી કાર્ડ મળ્યું નથી. તો અન્ય પુરાવા રજૂ કરી મતદાન કરી શકો છો.

વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. મતદાર યાદી (Electoral Roll) પણ તૈયાર થઈ ગઈ છે. 01 જાન્યુઆરી ઉપરાંત 01 એપ્રિલ અથવા તો 01 જુલાઈ અને 01 ઓક્ટોબરે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. જો કે મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. મતદાર યાદીમાં નામ રજીસ્ટર છે તે તમામ મતદારો મતદાન કરી શકશે.

11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે :

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જાગૃતિ અભિયાન તથા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં પણ યુવા મતદારોને આકર્ષિત કરવા માટે ભારતના ચૂંટણી પંચે ખાસ ભાર મૂક્યો છે.

જેના ભાગરૂપે યુવા મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જે ફસ્ટ ટાઈમ વોટરોની સંખ્યામાં વધારો થયો છે.

મતદાર યાદીમાં નોંધણી કરાવ્યા બાદ વોટર આઈડી કાર્ડ આપવામાં આવે છે. જે મતદાન કરવા જાય ત્યારે પુરાવવા તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી દીધી છે અને વોટર આઈડી કાર્ડ મળ્યું નથી. તો અન્ય પુરાવા રજૂ કરી મતદાન કરી શકો છો.

મતદાન કરવા ક્યાં પુરાવા રજૂ કરી શકાય :

મતદાર ફોટો ઓળખ પત્ર, NPR હેઠળ આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મનરેગા જોબ કાર્ડ, આધાર કાર્ડ, ભારતીય પાસપોર્ટ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલો ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, પાનકાર્ડ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે જાહેર સાહસો પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલો ફોટો ધરાવતો ઓળખકાર્ડ, આમાંથી કોઈ એક પુરાવા રજૂ કરી મતદાન કરી શકાય છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતની ચૂંટણીમાં બાજી પલટવા ઓવૈસીની રણનીતિ : 17 રેલીઓ અને 20ની સોશિયલ મીડિયા ટીમ સહિત તૈયાર કર્યો આ પ્રી-પ્લાન

0

Owaisi’s strategy to turn the tide in Gujarat elections

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ગુજરાતમાં 17 રેલીઓ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. AIMIM પાર્ટી તેલંગાણાથી નીકળીને વિસ્તરી રહી છે. ગુજરાતના મુસ્લિમ અને દલિત મતદારો (Muslim and Dalit voters) પર પાર્ટીની નજર છે. આ માટે પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં સતત રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં વધુમાં વધુ સીટો જીતવા માટે ઓવૈસીએ ‘માસ્ટર પ્લાન‘ બનાવ્યો છે.

શું છે માસ્ટર પ્લાન?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMનો માસ્ટરપ્લાન શું છે ? તે અંગે આપણે આ અહેવાલમાં જાણીશું. વાસ્તવમાં ગુજરાતની ચૂંટણીને આડે બે સપ્તાહનો સમય બાકી છે. અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત મહેનત કરી રહી છે. માસ્ટર પ્લાન મુજબ AIMIM 15 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારી રહી છે. પાર્ટીએ ચૂંટણી માટે 20 લોકોની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે. જે દિવસ-રાત પ્રચારમાં લાગેલી છે.

અસદુદ્દીન ઓવૈસીની 17 રેલીઓ :

ગુજરાતમાં પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે 17 રેલીઓ કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.

આ પણ વાંચો :-

 

 

જામનગર : નવા નાગના ગામમાં રાઘવજી પટેલ લોકોની ઉગ્ર રજૂઆત જોઈ સભા અધૂરી છોડીને ભાગ્યા 

0

Jamnagar Raghavji Patel left the meeting incomplete

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના પ્રચારનો ધમધમાટ તેજ કરી દીધો છે.

ભાજપના આગેવાનોથી (BJP Leaders) લઈને મંત્રીઓ, ધારાસભ્યો તેમજ સ્ટાર પ્રચારકોએ પણ પ્રચારના મેદાનમાં ઝંપલાવી દીધું છે. જે અંતર્ગત સભાઓ, નુક્કડ બેઠકો, ડોર-ટૂ-ડોર પ્રચાર, રેલીઓ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દરમિયાન રાજકીય આગેવાનો તેમજ ઉમેદવારો સમક્ષ લોકો દ્વારા ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે.

ત્યારે જામનગરના (Jamnagar) નવા નાગના ગામે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી લોકોએ ઉગ્ર રજૂઆત કરતા પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે (Former Agriculture Minister Raghavji Patel) સભા અધૂરી છોડીને ભાગવું પડ્યું હતું. પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલની સભામાં લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

પોતાના પડતર પ્રશ્નોને લઇને તેનો ઉકેલ લાવવા માટે લોકોએ રાઘવજી સમક્ષ રજૂઆત કરી હતી. દરમિયાન પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા લોકોને કામ કરી આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. પરંતુ લોકોની ઉગ્ર રજૂઆત જોઈને પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે સભા અધૂરી છોડીને ભાગવું પડ્યું હતું.

આ પણ વાંચો :-

 

ગુજરાતની રાજનીતિમાં ‘મેઘા પાટકર’ની એન્ટ્રી, રાહુલ ગાંધી સાથે દેખાતા ભડકયું ભાજપ

0

Entry of ‘Megha Patkar’ in Gujarat politics

  • રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘુમ. CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. CMએ કહ્યું કોંગ્રેસ અને રાહુલે હંમેશા ગુજરાતીઓ પ્રત્યે દુશ્મનાવટ રાખી. આ અપમાન ગુજરાતીઓ સહન નહીં કરે.

ગુજરાતમાં ચૂંટણીનો મહાસંગ્રામ જોવા મળી રહ્યો છે. ગુજરાતની દરેક ચૂંટણી મુદ્દાને લઈને લડવામાં આવતી હોય છે ત્યારે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મેઘા પાટકરની (Megha Patkar) એન્ટ્રી થઈ છે. રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડા યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘુમ થયુ છે. એક પછી એક ભાજપના નેતાઓએ આ મુદ્દાને લઈને વિરોધ દર્શાવ્યો છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં (Politics of Gujarat) નવો મુદ્દો જોવા મળ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાતીઓ સહન નહિ કરે :

ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘૂમ થયું છે. રાહુલ ગાંધી સાથેની મેઘા પાટકરની તસવીર વાયરલ થતા મુખ્યમંત્રી, પાટીલ સહિત પ્રદેશ ભાજપના નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ગુજરાતીઓ પ્રત્યે દુશ્મનાવટ છે. આ અર્બન નક્સલીઓ સાથે ભારત તોડો યાત્રા છે. અર્બન નક્સલીઓને ગુજરાત ક્યારેય સાથ નહીં આપે. ગુજરાત વિરોધીઓને રાહુલ ગાંધી કેન્દ્રિય સ્થાન આપે છે. ગુજરાતીઓ આ સહન નહીં કરે.

તો સીઆર પાટીલે ટવિટ કરીને કહ્યું કે અર્બન નક્સલી મેઘા પાટકરે નર્મદા યોજનાનો વિરોધ કરી કચ્છ અને સમગ્ર ગુજરાતનાં વિકાસમા અવરોધ નાંખ્યો હતો. આજે કોંગ્રેસ ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલી સાથે ભારત તોડો યાત્રા કરી રહ્યું છે. ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલીઓનો સાથ લેનારને આ ગુજરાત ક્યારેય પણ સાથ નહીં આપે.

મેઘા પાટકર મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે નર્મદા યોજનાનો વિરોધ કરનાર વ્યક્તિઓ વિકાસનો વિરોધ કર્યો હોય તેવા લોકો સાથે ચાલશે તો ગુજરાતની જનતા સહન કેવી રીતે કરશે.

આ પણ વાંચો :-

 

તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈનની મોજ ! મંત્રીજીને ચંપી અને મસાજની સેવા, વીડિયોમાં ખુલાસા બાદ વિવાદ

0

Satyendra Jain’s fun in Tihar Jail

  • દિલ્હીની તિહાર જેલમાં આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને (Satyendra jain)મસાજ કરાવતો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. હાલમાં જ EDએ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન દિલ્હીની તિહાર જેલમાં વૈભવી જીવન જીવી રહ્યા છે.

દિલ્હીની (Delhi) તિહાર જેલમાં (Tihar Jail) આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) મસાજ કરાવતો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. તાજેતરમાં EDએ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન દિલ્હીની તિહાર જેલમાં વૈભવી જીવન (A luxurious life) જીવી રહ્યો છે.

જેનાથી સંબંધિત તમામ પુરાવા પણ કોર્ટમાં આપવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.સક્સેનાના આદેશ પર તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સંબંધમાં જેલ નંબર-7ના સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સહિત 58 લોકોની બદલી કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે EDએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી કે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને જેલની અંદર વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં સત્યેન્દ્ર જૈન જેલ અધિકારીઓની મિલીભગતથી તમામ પ્રકારની સુવિધાઓનો લાભ લઈ રહ્યો છે. EDની ફરિયાદ બાદ ગૃહ મંત્રાલયે તેનો રિપોર્ટ માંગ્યો હતો.

EDએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું :

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી EDએ આ અંગે કોર્ટમાં એફિડેવિટ પણ આપી હતી, જેમાં EDએ કહ્યું હતું કે VIP ટ્રીટમેન્ટમાં તેમને એક માલિશ આપવામાં આવે છે. જે તેમના માથા, પીઠ અને પગની મસાજ પણ કરે છે. એટલું જ નહીં, તેમને બીજી ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. EDએ જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન જેલ મંત્રી પણ છે. જેના કારણે તે પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યો છે.

શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરીને નિશાન સાધ્યું :

બીજી તરફ બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું કે, “તો સજાને બદલે સત્યેન્દ્ર જૈનને ફુલ VVIP મજા આવી રહી હતી? તિહાર જેલની અંદર મસાજ? પાંચ મહિનાથી જામીન ન મળતા હવાલાઝનું હેડ મસાજ! AAP સરકાર દ્વારા ચલાવવામાં આવતી જેલમાં નિયમોનું ઉલ્લંઘન. આ રીતે છેડતી માટે સત્તાવાર પદનો દુરુપયોગ કરવામાં આવ્યો અને કેજરીવાલનો આભાર માન્યો.

EDએ તેના સોગંદનામામાં કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને જેલમાં ઘરનું પકવેલું ભોજન આપવામાં આવી રહ્યું છે. જે કોર્ટના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. જો કે તિહાર જેલના અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યા હતા. જેલ અધિકારીઓએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનના સેલમાં બહારથી કોઈ આવ્યું નથી.

સવારે મતગણતરી દરમિયાન વોર્ડમાં હાજર તમામ કેદીઓ એકબીજા સાથે વાત કરી શકે છે. ED દ્વારા ઉલ્લેખિત સહ-આરોપીઓ પણ સત્યેન્દ્ર જૈન જેવા જ વોર્ડમાં રહે છે અને તેથી તેઓ એકબીજા સાથે વાત કરી શકે છે.

આ પણ વાંચો :-