જામનગર : નવા નાગના ગામમાં રાઘવજી પટેલ લોકોની ઉગ્ર રજૂઆત જોઈ સભા અધૂરી છોડીને ભાગ્યા 

Share this story

Jamnagar Raghavji Patel left the meeting incomplete

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના પ્રચારનો ધમધમાટ તેજ કરી દીધો છે.

ભાજપના આગેવાનોથી (BJP Leaders) લઈને મંત્રીઓ, ધારાસભ્યો તેમજ સ્ટાર પ્રચારકોએ પણ પ્રચારના મેદાનમાં ઝંપલાવી દીધું છે. જે અંતર્ગત સભાઓ, નુક્કડ બેઠકો, ડોર-ટૂ-ડોર પ્રચાર, રેલીઓ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દરમિયાન રાજકીય આગેવાનો તેમજ ઉમેદવારો સમક્ષ લોકો દ્વારા ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે.

ત્યારે જામનગરના (Jamnagar) નવા નાગના ગામે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી લોકોએ ઉગ્ર રજૂઆત કરતા પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે (Former Agriculture Minister Raghavji Patel) સભા અધૂરી છોડીને ભાગવું પડ્યું હતું. પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલની સભામાં લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

પોતાના પડતર પ્રશ્નોને લઇને તેનો ઉકેલ લાવવા માટે લોકોએ રાઘવજી સમક્ષ રજૂઆત કરી હતી. દરમિયાન પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા લોકોને કામ કરી આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. પરંતુ લોકોની ઉગ્ર રજૂઆત જોઈને પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે સભા અધૂરી છોડીને ભાગવું પડ્યું હતું.

આ પણ વાંચો :-