Home Blog Page 1187

Airtel એ તેના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હટાવ્યો આ સૌથી સસ્તો પ્લાન

Airtel gave a big blow to its customers

  • એરટેલ કંપનીએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જે પ્લાન વધુ ચાલતો હતો તે સસ્તો પ્લાન જ હટાવી દીધો છે. જેની અસર હવે ગ્રાહકો પર પડશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.

એરટેલ કંપનીએ (Airtel Company) પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જે પ્લાન વધુ ચાલતો હતો તે સસ્તો પ્લાન જ હટાવી દીધો છે. જેની અસર હવે ગ્રાહકો પર પડશે. એરટેલના 99 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 99 રૂપિયાનું ટોક-ટાઈમ મળે છે. આમાં ગ્રાહકો પાસેથી કોલ માટે 2.5 રૂપિયા પ્રતિ સેકન્ડ વસૂલવામાં આવે છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી (Validity) સાથે આવે છે. આ સાથે ગ્રાહકોને 200MB ડેટા પણ મળે છે.

એરટેલે ગયા વર્ષે નવેમ્બરથી અલગ-અલગ સર્કલમાં આ પ્લાન હટાવવાનું શરૂ કર્યું હતું. 99 રૂપિયાના પ્લાનની સામે હવે ગ્રાહકોએ 155 રૂપિયાનો પ્લાન ખરીદવો પડશે.

એરટેલના 155 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળશે. આ સાથે ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ સાથે 1GB ડેટા પણ મળશે. આ સિવાય ગ્રાહકોને પ્લાનમાં 300 SMSનો લાભ પણ મળશે.

એરટેલના પ્રવક્તાએ જણાવ્યું કે ગ્રાહકોને સારો અનુભવ આપવાના અમારા ધ્યેય મુજબ, અમે 99 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે અને 155નો નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ 1 GB ડેટા અને 300 SMS મળશે.

તમને જણાવી દઈએ કે 99 રૂપિયાનું રિચાર્જ કરાવતા ગ્રાહકોને માસિક 57 ટકા વધુ ચૂકવણી કરવી પડશે. જો કે કંપની માટે આનાથી વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU)માં વધારો થશે.

આ પણ વાંચો :-

જયા કિશોરીનું સાચું નામ તમે જાણો છો ? લગ્ન માટે તેમણે મૂકી છે આ ખાસ શરત

0

Do you know Jaya Kishori’s real name?

  • જયા કિશોરી દેશના પ્રભાવશાળી મોટીવેશનલ સ્પીકર અને કથાવાચકોમાંથી એક છે. તે તેમની સાદગી માટે પણ જાણીતી છે. જયા કિશોરીના લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. આ વખતે તેમનું નામ છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણક શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે.

જયા કિશોરી (Jaya Kishori) દેશના પ્રભાવશાળી મોટીવેશનલ સ્પીકર (Magnification Speaker) અને કથાવાચકોમાંથી એક છે. તે તેમની સાદગી માટે પણ જાણીતી છે. જયા કિશોરીના લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. આ વખતે તેમનુ નામ છતરપુર સ્થિત બાગેશ્વર ધામના (Bageshwar Dham) ધીરેન્દ્ર કૃષ્ણક શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે. આ અફવા પર નારાજગી વ્યક્ત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) તેને ખોટી ગણાવી છે. આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે લગ્ન વિશે જયા કિશોરીનો શું મંતવ્ય છે?

થોડા દિવસો પહેલા જયા કિશોરીએ એક ખાનગી ચેનલ આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન વિશે ઘણી વાતો જણાવી. સાથે જ લગ્નને લઈ એક શરત પણ રાખી હતી. તે ફક્ત તેને જ જીવન સાથી બનાવવાનું વિચારી શકે છે જે આ શરત પૂરી કરે છે.

જયા કિશોરી શરત એ છે કે જ્યાં તેમના લગ્ન થાય ત્યાં તેમના માતાપિતા પણ તેમની આસપાસ શિફ્ટ થઈ જાય. ખરેખર જયા કિશોરી તેમના માતાપિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાથી દૂર રહેવા માગતા નથી. તેણે એમ પણ કહ્યું કે તે કોલકાતામાં લગ્ન કરે તો સારું રહેશે. કારણ કે માતાપિતા પણ ત્યાં રહે છે.

જયા કિશોરીનો જન્મ જુલાઈ 1995માં રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. તેમનું મૂળ નામ જયા શર્મા છે. લોકો તેમને ‘કિશોરીજી’ના નામથી પણ ઓળખે છે. તેમના પિતાનું નામ શિવશંકર શર્મા છે. તેમની એક બહેન પણ છે. જેમનું નામ ચેતના શર્મા છે.

મીડિયા અહેવાલ અનુસાર જયા કિશોરી કરોડપતિ છે. તેમની પાસે 4થી 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમનું કામ કથા વાચન અને મોટીવેશનલ સ્પીચ આપવું છે.

આ પણ વાંચો :-

લાઈટ ચાલુ રાખીને સુવાની ભૂલ ન કરતા થઈ જશો 4 બીમારીના દર્દી, એક ઉપાય

Don’t make the mistake of sleeping with the light on

  • રાતે લાઈટ ચાલુ રાખીને ઊંઘવાથી 4 બીમારી થઈ શકે છે તેવું એક સ્ટડીમાં જણાવાયું છે.

ઘણા લોકોને રાત્રે લાઈટ ચાલુ (Light on) રાખીને સૂવાની આદત હોય છે. આનું કારણ મોટાભાગના લોકોમાં અંધકારનો ડર છે. પરંતુ શું તમે જાણો છો કે સૂતી વખતે લાઈટ ચાલુ રાખવી તમારા સ્વાસ્થ્ય (Health) માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એક સ્ટડીમાં એવું જણાવાયું છે કે જે લોકો લાઈટ ચાલુ રાખીને સુતા હતા કે તેઓ યોગ્ય રીતે સૂઈ શક્યા નહોતા.

મગજના રેકોર્ડિંગ્સ દર્શાવે છે કે તેઓએ ખૂબ ઓછી ગાઢ નિંદ્રા લીધી હતી. આ સાથે તેના મેટાબોલિઝમ અને હાર્ટ પરની અસરો વધુ આશ્ચર્યજનક હતી. લાઈટવાળા રુમમાં સુવાથી ઈન્સ્યુલિન (Insulin) પ્રતિકારમાં પણ વધારો જોવા મળ્યો હતો.

જાડિયાપણું  :

મહિલાઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ટીવી અથવા લાઈટ ચાલુ રાખીને સૂતા હતા તેમનામાં જાડાપણાનું જોખમ વધારે થયું હતું. આના પરથી કહી શકાય કે લાઈટમાં સુવાથી શરીરમાં ચરબી ચડે છે.

ડિપ્રેશન :

રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂવાથી ડિપ્રેશનનો ખતરો વધી શકે છે. એટલું જ નહીં ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી (Electronic devices) નીકળતી બ્લુ લાઈટની (Blue light) તમારા મૂડ પર સૌથી ખરાબ અસર પડે છે. પ્રકાશનો સંબંધ ઊંઘના અભાવ સાથે છે. જે મૂડ સ્વિંગ્સ અને ચીડિયાપણું પેદા કરી શકે છે.

ડાયાબિટીસ :

સૂવાના સમયે લાંબા સમય સુધી પ્રકાશના સંપર્કમાં રહેવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધે છે અને ઈન્સ્યુલિન પ્રતિકાર અને ડાયાબિટીઝનું જોખમ વધે છે.

હૃદયરોગ :

પ્રકાશ શરીરની ઘડિયાળમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે બાયોમેકેનિકલ ફેરફારો થાય છે. જેના કારણે લાંબા ગાળે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝનો ખતરો રહે છે.

લાઈટ વગર ઊંઘ ન આવતી હોય તો શું કરવું :

જો તમે પ્રકાશ વગર સૂઈ ન શકતા હોવ તો સામાન્ય પ્રકાશને બદલે લાલ બલ્બ ચાલુ રાખવો વધારે સારો છે.
એવું જાણવા મળ્યું છે કે લાલ નાઈટ બલ્બ ઊંઘના હોર્મોન મેલાટોનિનને વધુ પ્રમાણમાં પેદા કરે છે જેનાથી ઊંઘ સારી આવે છે. તે ઉપરાંત ધીરે ધીરે લાઈટ બંધ કરીને સુવાની ટેવ પાડવી ફાયદાકારક છે.

આ પણ વાંચો :-

ગુજરાત કોંગ્રેસમાં પડ્યો મોટો ડખો, વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાને જાહેર કરતાં દિગ્ગજ ધારાસભ્ય નારાજ, પડી આટી

0

A big scandal in Gujarat Congress

  • ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ યથાવત. અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવતા શૈલેષ પરમાર હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ.

ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) લઈને મહત્વના સમાચાર આવ્યા છે કે અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવાતા શૈલેષ પરમાર નારાજ થયા છે. કોંગ્રેસમાં એક તરફ પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડની (Suspend) કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ દિગ્ગજનેતઓની નારજગી સામે આવી રહી છે.

કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર નારાજ :

કોંગ્રેમાં અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવાતા શૈલેષ પરમાર નારાજ થયા છે. વિગતો અનુસાર શૈલેષ પરમાર હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ થયા છે તેમજ કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઈને અસમંજસમાં છે. તમને જણાવી દઈએ કે અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે પદગ્રહણ કરશે અને વિપક્ષ નેતાના કાર્યાલયને બદલે હાલ કોંગ્રેસ પક્ષની ઓફિસમાંથી કામગીરી કરશે.

કોંગ્રેસે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 નેતાઓને સસ્પેન્ડ કર્યો :

વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસની કાર્યવાહી દોર ચાલી રહ્યો છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 4 નેતાઓ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવત્તિના આરોપ મુદ્દે સસ્પેન્ડ કરાયાં છે. જેમાં જૂનાગઢ શહેર કોંગ્રેસના અમિત પટેલ, રાવણ પરમારને તેમજ માજી કોર્પોરેટર રાજુ સોલંકીને પણ સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસના અંગત નિરીક્ષકના રિપોર્ટ બાદ પાર્ટીએ આ મોટો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :-

25 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ :  સાંઈબાબાની કૃપાથી આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “સાંઈબાબા કી જય”

25 January 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરા પક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જૂની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભ
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધુરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતાં સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુન
વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્યજીવનમાં આનંદ જળવાય.

કર્ક
સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગિતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહ
નકારાત્મક વિચારો ઉપર કાબૂ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્ટમેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય.

કન્યા
મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફુર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની‌ જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલા
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિક
આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઈ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલિંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધન
માનસિક પ્રસન્‍નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર
માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભ
દિવસ દરમિયાન મન આનંદમાં રહે. જૂના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોનીકામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો.

મીન
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

તમે પણ નથી કરતાને વધારે પડતા ફળનું સેવન ? આ સમસ્યાઓનો વધી શકે છે ખતરો

Are you consuming too much fruit?

  • ફળને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફળોમાં નેચરલ શુગર મળી આવે છે અને તેને દરરોજ ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના પોષક તત્વોની કમી પુરી થઈ જાય છે. પરંતુ વધારે માત્રામાં ફળ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.

જાડાયણુ, ડાયાબિટીઝ અને હાર્ટના દર્દીઓ (Diabetes and heart patients) માટે શુગરને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પરંતુ તેમ છતાં એવા ઘણા લોકો છે જે દરરોજ વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરનું (White and refined sugar) સેવન કરે છે. વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરને સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. સામાન્ય રીતે ગળ્યુ ખાવાની ક્રેવિંગ થવા પર હેલ્થ અને ડાયેટ એક્સપર્ટ્સ ફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે.

ફાળોમાંથી મળે છે નેચરલ શુગર :

તમને જણાવી દઈએ કે ફાળો પણ શુગરનું પ્રમાણ મળી આવે છે પરંતુ તેમાં મળી આવતી નેચરલ શુગર હોય છે જેને ફ્રૂક્ટોઝ કહેવાય છે. એવામાં વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરની તુલનામાં ફળોમાં મળી આવતા શુગરને ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે.

કોઈ પણ વસ્તુનું ન કરો વધારે સેવન : 

જોકે જે પ્રકારે અનહેલ્ધી વસ્તુઓનું વધારે પ્રમાણમાં સેવન કરવું નુકસાનકારક સાબિત થાય છે એવી જ રીતે હેલ્ધી વસ્તુઓનું પણ વધારે પ્રમાણમાં સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. આજે અમે તમને વધારે માત્રામાં ફળ કાવાના અમુક નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી.

વધારે પ્રમાણમાં ફળ ખાવાના નુકસાન  :

અમુક ફળોમાં શુગરનું પ્રમાણ ઓછુ હોય છે તો અમુકમાં ખૂબ જ વધારે કેલેરી હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ડાયાબિટીઝના લોકોના મામલામાં ખૂબ વધારે માત્રામાં ફળ ખાવાથી બ્લડ શુગરનું લેવલ ખૂબ જ વધી શકે છે.

ત્યાં જ જો હેલ્ધી લોકોની વાત કરીએ તો ખૂબ જ વધારે માત્રામાં ફળોનું સેવન કરવાથી વજન વધવા અને જાડાયણાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

એક તરફ સફરજન અને બેરીઝ એવા ફળ છે જેમાં ફાઈબર અને વિટામિન સી મળી આવે છે સાથે ડ ફળ તમને પ્રાકૃતિક રીતે હાઈડ્રેટેડ રાખે છે. પરંતુ બીજી તરફ તેનું સેવન ખૂબ જ વધારે માત્રામાં કરવાથી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી તમારા શરીરમાં આગળ જઈને પોષક તત્વોની કમી અને ઘણા પ્રકારની બીમારીઓ પેદા થઈ શકે છે.

દિવસમાં કેટલા ફળ ખાવા માનવામાં આવે છે સુરક્ષિત? 

પોષણ અને આહાર નિષ્ણાંતો અનુસાર આદર્શ રીતે એક દિવસમાં ફળોને ફક્ત ચાર કે પાંચ સર્વિંગ જ લેવી જોઈએ. ફળોની સાથે જ ખૂબ જ શાકભાજી, હોલગ્રેઈન્સ, બીન્સ, પ્લાંટ બેસ્ડ પ્રોટીન અને મીટનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો :-

મોહમ્મદ શમીને કોર્ટનો આંચકો, પત્ની હસીન જહાંને દર મહિને ચૂકવવું પડશે આટલું ભરણપોષણ, જાણો શું છે મામલો

Court shocks Mohammed Shami

  • મોહમ્મદ શમીથી અલગ રહેતી હસીન જહાંએ ક્રિકેટર પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાનું ભથ્થું આપવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી.

અરજીમાં હસીને કહ્યું હતું કે તેને અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને દીકરીના ઉછેર માટે 3 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ કોર્ટે તેને માત્ર 50,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને (Fast bowler Mohammad Shami) કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ઘરેલુ હિંસાના આરોપોનો સામનો કરી રહેલા આ સ્ટાર ક્રિકેટરે હવે દર મહિને તેની પત્ની હસીન જહાંને (Wife Hasin Jahan) ભરણપોષણ આપવું પડશે. આ નિર્ણય અલીપુર કોર્ટના (Alipore Court) જજ અનિંદિતા ગાંગુલીએ આપ્યો છે.

હસીન જહાંએ દર મહિને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી :

મોહમ્મદ શમીથી અલગ રહેતી હસીન જહાંએ ક્રિકેટર પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાનું ભથ્થું આપવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી. અરજીમાં હસીને કહ્યું હતું કે તેને અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને દીકરીના ઉછેર માટે 3 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ કોર્ટે તેને માત્ર 50,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એવી શક્યતા છે કે હસીન જહાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, 2018માં હસીન જહાંએ પતિ મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. હસીન જહાંના આરોપ બાદ મોહમ્મદ શમીને બીસીસીઆઈએ થોડા દિવસો માટે ટીમમાંથી બહાર કરી દીધો હતો. જો કે તપાસમાં મેચ ફિક્સિંગના આરોપો સાબિત ન થતાં BCCIએ તેને ટીમમાં પાછો લીધો હતો.

ખબર છે કે મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે પાંચ વર્ષથી કાનૂની લડાઈ ચાલી રહી છે. આરોપો પર સ્પષ્ટતા આપતા શમીએ કહ્યું હતું કે તેની પત્નીને ઉશ્કેરવામાં આવી રહી છે. જ્યારે તેનો પરિવાર અને તે પોતે પણ વચ્ચે બેસીને આ મામલાને ખતમ કરવા માંગે છે. 2018થી અલગ થયા પછી પણ મોહમ્મદ શમી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની દીકરી વિશે પોસ્ટ કરતો રહે છે.

જ્યારે મોહમ્મદ શમી રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો ત્યારે હસીન જહાં પણ તેને મળવા ગઈ હતી. જો કે તે પછી પણ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હસીન જહાંએ મોહમ્મદ શમીના મોટા ભાઈ પર પણ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો :-

ભૂલથી વોટસએપ પર Delete for Me ક્લિક થયા બાદ કરો આ ઉપાય, તરત પરત મળશે જૂના મેસેજ

Do this remedy after clicking Delete

  • હાલના સમયમાં લોકો વોટસએપનો ઉપયોગ તે સતતપણે કરતા હોય છે. વોટસએપ તેના યુઝર્સની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કંપની તેના પ્લેટફોર્મ પર ઘણા અપડેટસ રિલીઝ કરતી રહે છે. વોટસએપમાં મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે આપણે ભૂલથી ચેટમાંથી કોઈ મેસેજ ડીલીટ ફોર એવરીવન અને ડીલીટ ફોર મી પર ક્લિક થઈ જાય છે.

વોટસએપમાં (WhatsApp) આ બંને પોતાની અલગ ભૂમિકાઓ છે. ડીલીટ ફોર એવરીવન ફીચરની મદદથી અન્ય વ્યક્તિને મોકલવામાં આવેલ મેસેજ પણ ડીલીટ કરવામાં આવે છે. જ્યારે ડીલીટ ફોર મી ફીચરની (Delete for me feature) મદદથી તે મેસેજ તમારી ચેટમાંથી ડીલીટ થઈ જાય છે પરંતુ તે અન્ય વ્યક્તિ પાસે રહે છે. આવી સ્થિતિમાં સમસ્યા ત્યારે વધી જાય છે.

જ્યારે ચેટમાંથી કોઈ મેસેજ ડિલીટ કરવાને બદલે દરેક માટે ડિલીટ (Delete) કરવાને બદલે અમે ભૂલથી તેને મારા માટે ડિલીટ કરી દઈએ છીએ. જો કે જો તમારી સાથે ક્યારેય આવું થાય તો તમે પ્લેટફોર્મ પર ‘એક્સિડેન્ટલ ડિલીટ‘ (Accidental deletion) ફંક્શનનો ઉપયોગ કરી શકો છો અથવા મારા માટે ડિલીટ અનડુ કરી શકો છો.

જાણો WhatsApp આકસ્મિક ડિલીટ ફંક્શન શું છે? (What is WhatsApp Accidental Delete Function?)

વોટસએપ પર ટૂંક સમયમાં જ ‘એક્સિડેન્ટલ ડિલીટ‘ ફંક્શન યુઝર્સ માટે લાવવામાં આવ્યું છે. આ સ્થિતિમાં યુઝર ડિલીટ કરેલો મેસેજ પાછો મેળવી શકશે. જો તમે ભૂલથી એવરીવનને બદલે મી પર ક્લિક કરીને મેસેજ ડિલીટ કરી દો છો તો તમે ફરીથી મેસેજ પાછો મેળવી શકશો. જો કે મેસેજ પુનઃપ્રાપ્તિ માટે પૂર્વવત વિકલ્પનો ઉપયોગ 5 સેકન્ડની અંદર કરવો પડશે. જો તમે 5 સેકન્ડ પછી આ વિકલ્પ પસંદ કરવા માંગો છો. તો આવું થશે નહીં અને તમારો સંદેશ કાયમ માટે કાઢી નાખવામાં આવશે.

How to Use WhatsApp Delete Message Undo?

જૂથ અથવા વપરાશકર્તાને સંદેશ મોકલો. મેસેજ ડિલીટ કરવા માટે તમને Delete for everyone અથવા Delete for Meનો વિકલ્પ મળશે. તેમાંથી જો તમે ડીલીટ ફોર પર ક્લિક કરશો તો તમને અનડુનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરીને તમે સંદેશ પાછો લાવવા માટે સમર્થ હશો. જો કે આ માટે તમારી પાસે માત્ર 5 સેકન્ડ હશે. મારા માટે ડિલીટ કર્યા પછી જો તમારી પાસે Undo નો વિકલ્પ નથી. તો તમારે તમારી એપ અપડેટ કરવી પડશે.

આ પણ વાંચો :-

વિડીયો : અલ્યા જરાક તો ભાન રાખો, વિમાનમાં બે મુસાફરોએ મહિલા કેબિન ક્રૂ સાથે જૂઓ શું કર્યું

0

Video: Alya Zarak To Be Mindful

  • દિલ્હીથી હૈદરાબાદ જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં એરહોસ્ટેસ સાથે માથાકૂટ કરનાર બે પ્રવાસીઓને ઉતારી મૂકાયા હતા.

સ્પાઈસ જેટની (Spice Jet) ફ્લાઈટમાં કેબિન ક્રૂ સાથે એક મુસાફરે અયોગ્ય વર્તન (inappropriate behavior) કર્યું છે. ત્યારબાદ આરોપી મુસાફર અને તેના સહ-મુસાફરને ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા હતા. સ્પાઈસ જેટ એરલાઈન્સે (Spice Jet Airlines) સોમવારે જણાવ્યું હતું કે આ ઘટના 23 જાન્યુઆરીએ દિલ્હી-હૈદરાબાદ ફ્લાઈટમાં બની હતી.

દિલ્હી એરપોર્ટ પર બનેલી આ ઘટનામાં એક મુસાફરે કેબિન ક્રૂને પરેશાન કરીને તેની સાથે ખોટું વર્તન કર્યું હતું. સ્પાઈસ જેટે જણાવ્યું હતું કે કેબિન ક્રૂએ પીઆઇસી અને સુરક્ષા સ્ટાફને આ ઘટના અંગે જાણ કરી હતી. ઉપરોક્ત મુસાફર અને સહ-મુસાફર જે એક સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમને ઉતારીને સુરક્ષા ટુકડીને સોંપવામાં આવ્યા હતા. હાલમાં જ ફ્લાઈટમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે.

ગો ફર્સ્ટ ફ્લાઈટમાં પણ બની ચૂકી છે આવી ઘટના :

આ પહેલા 5 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ગોવા જતી ગો ફર્સ્ટ ફ્લાઈટમાં એક મહિલા ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે બે વિદેશી મુસાફરોએ કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો. વિદેશી મુસાફરોએ કથિત રીતે એક એર હોસ્ટેસને બેસવાનું કહ્યું હતું અને બીજી એર હોસ્ટેસને અશ્લીલ વાતો કહી હતી. બંને મુસાફરોને એરપોર્ટ સુરક્ષા એજન્સી સીઆઈએસએફને સોંપવામાં આવ્યા હતા.

એર ઈન્ડીયાની ફ્લાઈટમાં નશેડીએ મહિલા પર કર્યો હતો પેશાબ : 

એર ઇન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે મહિલા સહ-મુસાફર પર પેશાબ કર્યો હોવાની પણ ઘટના બની હતી. 26 નવેમ્બરના રોજ શંકર મિશ્રા નામના એક વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં એક વૃદ્ધ મહિલા મુસાફર પર નશાની હાલતમાં પેશાબ કર્યો હતો. કેસ નોંધાયા બાદ આરોપીની દિલ્હી પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

એક-એક એમ કરીને ગુજરાતની 8 નગરપાલિકાઓએ દેવાળું ફૂંક્યું, આખરે નાગરિકોના રૂપિયા ક્યાં જાઈ છે ?

0

One by one, 8 municipalities of Gujarat

  • દેવાળું ફૂંકાય ગયેલી પાલિકાઓનું લિસ્ટ લાંબુ છે. પરંતુ આ બધામાં સમયસર વેરો અને બિલ ભરતા નાગરિકોનો શું વાંક. આખરે નાગરિકોના રૂપિયા કયા પાપી પેટમાં જાય છે?

તમે એ વાતથી વાકેફ હશો કે ગુજરાતની 8 જેટલી નગરપાલિકાઓમાં (Municipality) દેવાળું ફૂંકાયું છે.. પાલિકાના વહીવટદારો પાસે વપરાશનું લાઈટ બિલ ભરવાના પણ નાણાં નથી અને આ જ કારણે અનેક પાલિકાઓનું વીજ કનેક્શન (Power Connection) કપાઈ ચૂક્યું છે. પરંતુ આના પાછળનું કારણ શું છે એ તમે જાણો છો..?

જિલ્લો : આણંદ
નગર પાલિકા : બોરિયાવી
બાકી વીજ બિલ : 60.15 લાખ

આણંદ શહેરની આ બોરિયાવી નગરપાલિકા છે.. આ નગરપાલિકાનું વીજ બિલ 60 લાખ રૂપિયાથી વધુનું છે.. વીજ બિલ ના ભરવાના કારણે વીજ કંપનીએ બિલ કાપી નાખ્યું છે અને ગામમાં અંધારપટ્ટ છે.. પરંતુ, પાલિકાની અંદરના આ દ્રશ્યો જુઓ. પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં હાજર ન હોવા છતાં પણ લાઈટ પંખા ચાલુ છે અને પાલિકામાં કુલ 7 AC લગાવવામાં આવ્યા છે. હાસ્યાસ્પદ વાત એ છે કે બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન વીજ કંપની દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બદઈરાદાથી કરેલું કામ ગણાવી રહ્યા છે.

જિલ્લો : પંચમહાલ
નગર પાલિકા : ગોધરા
બાકી વીજ બિલ : 8 કરોડ 33 લાખ

8 કરોડ 33 લાખ રૂપિયાના વીજ બિલની ચૂકવણી ન થતાં વીજ કંપનીએ અનેક વિસ્તારોની સ્ટ્રીટ લાઈટ કાપી નાખી હતી. પરંતુ ખાડે ગયેલી પાલિકાની વાસ્તવિકતા કંઈક અલગ છે. આર્થિક તંગી વચ્ચે ગોધરા નગર પાલિકામાં હિસાબી કચેરીમાં વીજ પુરવઠાનો વેડફાટ થતો જોવા મળ્યો. કચેરીમાં કર્મચારીઓ હાજર ન હોવા છતાં પણ લાઈટ શરૂ રખાય. એટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટ પણ શરૂ રહે છે.

જિલ્લો : બનાસકાંઠા
નગર પાલિકા : ધાનેરા
બાકી વીજ બિલ : 2 કરોડ 60 લાખ

બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનું 2 કરોડ 60 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાના કારણે વીજ કંપનીએ પાલિકાનું જ કનેક્શન કાપી નાખ્યું છે. એટલા માટે હવે અહીં જનરેટરથી કામ ચલાવવું પડી રહ્યું છે.

જિલ્લો : કચ્છ
નગર પાલિકા : અંજાર
બાકી વીજ બિલ : 28 કરોડ

કરોડોનું દેવું હોય તો સામાન્ય રીતે વીજ વપરાશમાં કાપ મુકવો જોઈએ. પરંતુ અહીં પણ હોદ્દેદારોની કેબિનમાં વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે અને વગર કામના લાઈટ-પંખા અને AC શરૂ છે.

દેવાળું ફૂંકાય ગયેલી પાલિકાઓનું લિસ્ટ લાંબુ છે. આના સિવાય રાજકોટના જસદણની નગરપાલિકાનું 5 કરોડ, દ્વારકાની સલાયા નગરપાલિકાનું 45 લાખ તો મહેમદાવાદ અને ખેડા બંને નગરપાલિકાનું 3.50 કરોડ અને સાબરકાંઠાની પ્રાંતિજ નગર પાલિકાનું 82 લાખ 36 હજાર રૂપિયાનું વીજ બિલ બાકી છે.

ગુજરાતની નગરપાલિકાઓની આ વાસ્તવિકતા છે. નગરપાલિકાના કરોડો રૂપિયાના દેવા બાકી છે છતાં પણ અધિકારીઓ અને નેતાઓ તાગડધિન્ના કરી રહ્યા છે. બીજી તરફ વેરો ભરતી જનતા હાલાકીનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો :-