Home Blog Page 1181

રવીન્દ્ર જાડેજા થયો ઈમોશનલ : ટીમ ઈન્ડિયામાં વાપસી પર ખુદને ગણાવ્યો ભાગ્યશાળી, આ શખ્સને કહ્યું – થેન્ક યુ

0

Ravindra Jadeja got emotional

  • ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં ફક્ત 4 દિવસ બચ્યા છે. પહેલા મુકાબલા માટે બંન્ને ટીમો તૈયાર જોવા મળી રહી છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja is the star player of the Indian cricket team) બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) પહેલા પોતાના ઘુંટણની ઈજાથી ફીટ થઈ ગયા છે. તેમણે એનસીએમાં પ્રેક્ટિસ કરતા ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધી છે. જ્યાર બાદ તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 9 ફેબ્રુઆરીએ થવા જઈ રહેલા નાગપુર ટેસ્ટ (Nagpur Test) માટે ટીમનો ભાગ બનવાના છે.

પરંતુ તે પહેલા તેમણે પોતાની ફિટનેસ અને રિહૈબમાં મદદ કરતા ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ માટે એક સંદેશ મોકલ્યો છે અને પોતાની વાપસીને લઈને એક મોટુ નિવેદન જાહેર કર્યું છે.

Ravindra Jadejaએ મેચ પહેલા આપ્યું આવું નિવેદન :

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં ફક્ત 4 દિવસ બચ્યા છે. પહેલા મુકાબલા માટે બંન્ને ટીમો તૈયાર જોવા મળી રહી છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત છે. આ વચ્ચે તેમણે મેચ શરૂ થતા રહેલા એક મોટુ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું- “મેં ફરીથી ભારતીય જર્સી પહેરવા માટે ધન્ય છું. એનસીએ ટ્રેનર્સ માટે ધન્યવાદ કરૂ છું. તેમણે મને ખૂબ પ્રેરિત કર્યા છે. પરંતુ અહીં સુધી કે રવિવારે તેમણે રિહૈબ માટે કામ કર્યું અને મને દેશ માટે રમવા માટે પ્રોત્સાહિત કર્યો છે.”

જાડેજાના ટેસ્ટ કરિયર રેકોર્ડ :

ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા પોતાના ઘૂંટણની ઈજાના કારણે ટીમમાંથી બહાર હતા. તે એશિયા કપ બાદથી ટીમની બહાર હતા. આજ કારણે તે ટી20 વિશ્વ કપમાં પણ ટીમનો ભાગ ન હતા. જેની લોસ ટીમને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ફાઈનમાં 10 વિકેટની સાથે થયો હતો.  તેમની કમી ટીમ ઈન્ડિયાને તે સમયે ખૂબ વધારે લાગી હતી. ત્યાં જ તે પોતાની ઈજાથી એકદમ ફિટ થઈ ગયા છે અને વારસીને લઈને ઉત્સાહીત છે. ]

આ પણ વાંચો :-

સરકારી કર્મચારીઓની હોળી સુધરી જશે, આટલા ટકા વધી શકે મોંઘવારી ભથ્થું, વધવાનું કારણે આવ્યું સામે

0

Holi of government employees will improve

  • કેન્દ્ર સરકાર માર્ચના પહેલા અઠવાડિયામાં તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 4 ટકાનો વધારો કરે તેવી સંભાવના છે.

કેન્દ્ર સરકાર (Central Govt) તરફથી સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવવાના છે. કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થું હાલના 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે સરકાર. આ અસર માટે નક્કી કરવામાં આવેલા ફોર્મ્યુલા હેઠળ મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) પૂરા 4 ટકાનો વધારો થઈ શકે છે.

શ્રમ મંત્રાલયના AICPI આંકડા પરથી વધી શકે 4 ટકા ડીએ :

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 4 જાન્યુઆરી અને 4 જુલાઈથી મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીએ)માં વધારો કરવાનો નિયમ છે. સરકાર દ્વારા હાલનું મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે.  આ માટે એક ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ છે.

કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી દર મહિને લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવાંક (સીપીઆઇ-આઇડબલ્યુ)ના આધારે કરવામાં આવે છે. લેબર બ્યૂરો શ્રમ મંત્રાલયનો ભાગ છે.

નવું ડીએ 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે :

ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “ડિસેમ્બર, 2022 માટે સીપીઆઇ-આઇડબલ્યુ 31 જાન્યુઆરી, 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. મોંઘવારી ભથ્થામાં વધારો 4.23 ટકા થાય છે. પરંતુ સરકાર ડીએમાં દશાંશ લેતી નથી. આવી સ્થિતિમાં, ડીએ ચાર ટકા પોઇન્ટ વધી શકે છે. તેને 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકાય છે.

નાણાં મંત્રાલયનો ખર્ચ વિભાગ ડીએ વધારવાનો પ્રસ્તાવ મૂકશે એમ તેમણે જણાવ્યું હતું. તે તેની આવકની અસર વિશે પણ જણાવશે. આ પ્રસ્તાવને મંજૂરી માટે કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તે 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે.

હોળી પહેલા મળી શકે ડીએ વધારો :

મીડિયા રિપોર્ટ અનુસાર હોળી-ધૂળેટીના તહેવાર પહેલા સરકાર કર્મચારીઓને ડીએ વધારાની ભેટ આપી શકે છે.

આ પણ વાંચો :-

1200 કરોડમાં વેચાય માત્ર આટલાં ફ્લેટ, દેશનો સૌથી મોટો સોદો આ શહેરમાં થયો

0

Only so many flats sold for 1200 crores

  • ગુજરાતમાં જંત્રીના ભાવ વધતાં કાગારોળ છે. રાજ્યમાં જમીન અને મકાનના ભાવોમાં તોતિંગ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં જ મુંબઈમાં એક નવો સોદો થયો છે. જેને પગલે પ્રોપર્ટી માર્કેટમાં નવો ધડાકો થયો છે. મુંબઈની ગગનચુંબી ઈમારતોમાં ફલેટના ભાવ ભલે ગમે તેટલા વધે પણ માલેતુદાર લોકો એ ગમે એટલી ઉંચી કિંમતે ખરીદી લે છે.

ગુજરાતમાં જંત્રીના ભાવ (Prices of Machinery) વધતાં કાગારોળ છે. રાજ્યમાં જમીન અને મકાનના ભાવોમાં તોતિંગ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં જ મુંબઈમાં એક નવો સોદો થયો છે. જેને પગલે પ્રોપર્ટી માર્કેટમાં નવો ધડાકો થયો છે. મુંબઈની (Mumbai) ગગનચુંબી ઈમારતોમાં ફલેટના ભાવ ભલે ગમે તેટલા વધે પણ માલેતુદાર લોકો એ ગમે એટલી ઉંચી કિંમતે ખરીદી લે છે. વરલી વિસ્તારમાં (Worli area) તાજેતરમાં ૨૩ ફલેટ ૧૨૦૦ કરોડ રૂપિયામાં વેચાયા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ડી- માર્ટના સ્થાપક રાધાકિશન દામાણીની નજીકના લોકો એમના સંબંધીઓ અને મિત્રોએ આ ફલેટ ખરીદ્યા છે. હાલ વરલીમાં એની બેસન્ટ રોડ પર બંધાઈ રહેલા થ્રી સિકસટી વેસ્ટના ટાવર- બીમાં આ ફલેટસ ખરીદાયા છે. જેને પગલે મુંબઈમાં આ રેકોર્ડબ્રેક નવો સોદો છે. 5000 ચોરસ ફૂટનો ફ્લેટનો ભાવ અહીં 75થી 80 કરોડ રૂપિયા ચાલે છે પણ સામટા 23 ફ્લેટની ખરીદીથી એક ફલેટ દીઠ અહીં 20 કરોડનો ફાયદો થયો છે. આમ ગુજરાતમાં 20 કરોડના ફ્લેટની કલ્પના મુશ્કેલ છે પણ અહીં એક ફ્લેટમાં 20 કરોડનો ફાયદો થતાં 1200 કરોડમાં એક સાથે 23 ફ્લેટ ખરીદાયા છે.

અધધ ભાવને પગલે રિયલ્ટી માર્કેટમાં પણ મોટો ઘડાકો થયો છે. ફલેટની ખરીદી માટે દામાણીના નજીકના વર્તુળો અને બિલ્ડર  વચ્ચે લાંબા અરસાથી વાતચીત ચાલતી હતી. ૪-૫ મહિના બાદ આ ડીલ ફાઈનલ થઈ હોવાનું મનાય છે. તમામ ફલેટસનું શુક્રવારે રજિસ્ટ્રેશન પાર પડયું છે. ગયા વર્ષે થ્રી સિકસ્ટી વેસ્ટના અમુક એપાર્ટમેન્ટ ૭૫થી ૮૦ કરોડમાં વેચાયા હતા.

મુંબઈના આ પ્રોજેક્ટમાં વેચાયેલા તમામ એપાર્ટમેન્ટ ૫૦૦૦ ચો. ફુટના છે. જેની કિંમતે અંદાજે ૫૦થી ૬૦ કરોડ રૂપિયા છે. સંબંધિત બિલ્ડર આ ૨૩ ફલેટ વેચીને એક કરોડ રુપિયાનું ફાઈનાન્સ કંપનીનું ધિરાણ ચૂકવશે તેમ જાણવા મળે છે. રિયલ એસ્ટેટના જાણકારોના મતે પ્રોપર્ટી મોટા ડિસ્કાઉન્ટમાં વેચાઈ છે.

કારણ કે એકી સાથે ૨૩ ફલેટનો સોદો થયો છે. બિલ્ડર પર ફાઈનાન્સ કંપનીનું ધિરાણ ચૂકવવા દબાણ હોય એટલે તેમણે સસ્તા ભાવે આ સામૂહિક ડીલ માટે સંમતિ દાખવી હોય એ શક્ય છે. જોકે એક સાથે થયેલી આ ડિલને પગલે રિયલ્ટી માર્કેટમાં પણ મોટી તેજી આવે તેવી સંભાવના છે.

ગુજરાતમાં જંત્રી મામલે પેચ ફસાયો છે ત્યારે આગામી દિવસોમાં સરકાર કેવો નિર્ણય લે છે તેની પર મોટો આધાર છે. દામાણી પરિવારે છેલ્લાં થોડા વરસોમાં કેટલીક મોટી પ્રોપર્ટી ડીલ કરી છે. રાધાકિશન અને એમના ભાઈ ગોપીકિશન દામાણીએ દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં એક બંગલો ૧૦૦૧ કરોડ રૂ.માં ખરીદ્યો હતો.

આ પણ વાંચો :-

 કાળજું કઠણ રાખીને વાંચજો આ ઘટના, દીકરા-દીકરીના લગ્ન પહેલા પિતાની અર્થી ઉઠી

0

Read this incident carefully

  • દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ પિતાનું મોત નિપજ્યુ હતું. ભાલીયા પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. કોઈ વિચારી પણ ન શકે તેવુ આ પરિવાર સાથે બન્યુ હતું.

ક્યારેક કેટલાક લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે એવુ લાગે કે કુદરતનો કહેર જાણે આપણા પર જ વરસી રહ્યો છે. ત્યારે એવુ થાય છે કે આવું અમારી સાથે જ કેમ થયું. વાઘોડિયાના ભાલીયા પરિવાર સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે. જ્યાં દીકરા-દીકરીના લગ્નના (Son-daughter marriage) એકસાથે ઢોલ વાગવાના હતા. તેને બદલે પિતાના મોતના મરસિયા ગાવા પડ્યાં . દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ પિતાના મોતના સમાચાર આવ્યા. કાળજું કઠન કરીને આ ઘટના વાંચજો.

બન્યું એમ હતું કે, વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગારમાં રહેતા રાજુભાઈ છગનભાઈ ભાલીયાના ઘરે તેમની દીકરી અને દીકરાના એકસાથે લગ્ન લેવાયા હતા. બે દિવસથી ઘરની બહાર મંડપ બંધાયો હતો. લગ્નના ઢોલ ઘરની બહાર વાગી રહ્યા હતા. સોમવારે 6 ફેબ્રુઆરી 2023એ રાજુભાઈની દીકરીના લગ્ન હતા. તો રાજુભાઈએ દીકરાના 7મી ફેબ્રુઆરીના રોજ જાન લઈ હર્ષોલ્લાસ સાથે પરણવા જવાના અરમાનો સજાવ્યા હતા.

આજે સાંજે જ દીકરાના લગ્નનો વરઘોડો પણ નીકળવાનો હતો. દીકરાના લગ્ન ખેડા કરમશીયા ગામે નક્કી કરવામાં આવ્યા છે. જાન લઈ મંગળવારે સવારે જવાનું હતું. ભાલીયા પરિવારના આ બધા પ્લાનિંગ વચ્ચે કુદરતે કંઈ બીજુ જ નક્કી કર્યુ હતું. તેમને ખબર ન હતી કે, તેમના પરિવાર પર એક મોટી આફત આવી પડશે.

લગ્નને બે દિવસ બાકી હતા અને રાજુભાઈ અને તેમનો આખો પરિવાર પત્ની, દીકરો અને દીકરી આદલવાડા વેવાઈના ઘરે લગ્ન માટે હાજરી આપવા નીકળ્યા હતા. ત્યાંથી પરત ફરતા સમયે તેમની રીક્ષાને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજુભાઈનું મોત નિપજ્યુ હતું. તો રીક્ષામાં સવાર તેમના પત્ની અને દીકરા-દીકરી ઈજાગ્રસ્ત થયા હતા.

આ જાણીને જ પરિવાર પર આભ તૂટી પડયું હતું. દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ પિતાનું મોત નિપજ્યુ હતું. ભાલીયા પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. કોઈ વિચારી પણ ન શકે તેવુ આ પરિવાર સાથે બન્યુ હતું. પરિવારના મોભી જ મોતને ભેટ્યા હતા.

પરિવારનો આનંદનો ઉત્સવ ગાયબ થઈ ગયો હતો. જ્યાં દીકરા દીકરીના લગ્નની શરણાઈઓ વાગવાની હતી. ત્યાં પિતાની અર્થી ઉઠી હતી. આ ઘટનાથી પરિવારજનોમાં રોકકળ મચી હતી. લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતા લગ્નનો ઘરે સજાવવામાં આવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

06 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોનો દિવસ રહેશે શુભ -લખો ‘હર હર મહાદેવ’

06 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભ
દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે, ત્યારબાદ મોજ-શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાનીપૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતું જણાય.

મિથુન
હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઈક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્ક
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્રવર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યા
આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલા
દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિક
નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય.‌ વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધન
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડિટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકર
માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેતું જણાય.

કુંભ
આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદ-ખાંસી રહે. આઈસ્ક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીન
નાના ભાઈ-બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

 

05 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : આ 6 રાશિના જાતકોના તમામ કષ્ટ હરશે માં ખોડલ- લખો “જય શ્રી ખોડિયાર”

05 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણ મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્ક
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે, બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહ
રોગપ્રતિકાર શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકર-ધંધામાં પ્રગતિ.

કન્યા
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિક
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનોસાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્યું છે. આજે સંભાળજો. શરદી-ખાંસી, તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીન
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

સુંદર યુવતીના ચક્કરમાં ફસાયા વૃદ્ધ વેપારી : પાટણમાં ઝડપાઈ હનીટ્રેપની ગેંગ, પડાવતા હતા લાખો રૂપિયા

0

Old businessman caught in the circle of a beautiful girl

  • પાટણ તાલુકાના એક વ્યક્તિને ટોળકી દ્વારા હનીટ્રેપમાં ફસાવી તેની પાસે પૈસાની માંગણી કરી હતી. વેપારીએ આ ઠગ ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટોળકીને ઝડપી પાડી હતી.

પાટણમાં ઈંટોના વ્યવસાય (Brick business) સાથે સંકળાયેલા વ્યક્તિને મહિલા દ્વારા ફોન કરી તેઓને મળવા બોલાવ્યા હતા. જે બાદ વેપારી સામે કેસ કરવાની મહિલા સાથે રહેલ અન્ય આરોપીઓ દ્વારા પણ વેપારીને ફરિયાદ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

વેપારી સાથે મારઝુડ કરી પૈસાની માંગણી કરી :

મળતી માહિતી મુજબ હનીટ્રેપનો ભોગ બનનાર વ્યક્તિએ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ તેઓના મોબાઈલ નંબર પર એક અજાણી મહિલાનો ફોન  આવ્યો હતો અને તેમને મહિલાએ મળવા બોલાવ્યા હતા. ભોગ બનનાર મહિલાને મળવા ગયા હતા. મહિલા સાથે શારીરીક સબંધ બાંધ્યા હતા.

બીજા દિવસે પણ મહિલાએ તેઓને બાલીસણા મળવા બોલાવ્યા હતા. ત્યારે ભોગ બનનાર પોતાની ગાડી લઈને બાલીસણા મહિલાને મળવા ગયા હતા. ત્યારે બાદ મહિલાને ખેતરમાં લઈ જઈ તેની સાથે શારીરીક સબંધ બાંધ્યા હતા. તે દરમ્યાન પાંચ શખ્શો ત્યાં આવી ચડ્યા હતા અને વેપારી સાથે મારઝુડ કરી વેપારીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવ્યો હતો.

મામલાની પતાવટ માટે ટોળકીએ વેપારી પાસે પાંચ લાખની માંગણી કરી :

મહિલા તેમજ તેની સાથે આવેલા પાંચ શખ્શોએ વેપારીને કહેલ કે તમે મહિલા પર બળાત્કાર કર્યો છે અને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી રૂપિયા દસ લાખની માંગણી કરી હતી. પાંચ શખ્શોએ વેપારીના ખીસ્સા તપાસી રૂપિયા એક લાખ પડાવી લીધા હતા.

ત્યારે સમગ્ર મામલાની પટાવટ માટે પાંચ લાખની માંગણી કરી વેપારીને ઘરે મોકલ્યો હતો. વેપારીએ ઘરે પહોચ્યા બાદ તેના પુત્રને સમગ્ર આપવીતી જણાવી હતી. જે બાદ પુત્રએ પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા વેપારીએ બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાંચ આરોપીઓ ઝડપાયા જ્યારે બે આરોપીઓ ફરાર :

હનીટ્રેપની તપાસ પાટણ એલ.સી.બી.ને સોંપવામાં આવતા પોલીસે પૂજા સંજયકુમાર જોષી,  સંજયજી સોમાજી ઠાકોર, મંગાજી બચાજી ઠાકોર, અનિલ પરમાર, રાજપૂત હિંમતસિંહને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બે આરોપીઓ ઠાકોર નવઘણજી દેવાજી અને ઠાકોર વામનજી ભેમાજીની શોધખોળ હાથ ધરી પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4 લાખ 61 હજારનો મુદ્દામાદ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો :-

‘સ્ટાર બનવા માટે આદિલે મારો ઉપયોગ કર્યો’- રાખી સાવંતે પતિ પર…

Adil used me to become a star

  • રાખી સાવંતના પતિ આદિલ ખાન સાથેના સંબંધો ખૂબ જ તંગ ચાલી રહ્યા છે. તે તેના પતિ પર ગુસ્સે થઈને છેતરપિંડીનો આરોપ લગાવતી જોવા મળી રહી છે.

ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત (Rakhi Sawant) માટે આ સમય સારો નથી ચાલી રહ્યો. અભિનેત્રીએ તાજેતરમાં તેની માતા ગુમાવી છે. આ સિવાય તેના પતિ આદિલ ખાન (Adil Khan) સાથે પણ તેના સંબંધો ખૂબ જ તંગ ચાલી રહ્યા છે. હાલમાં જ રાખી સાવંતના કેટલાક વીડિયો (Videos) સામે આવ્યા છે જેમાં તે પોતાના પતિ પર ગુસ્સે થઈને તેના પર છેતરપિંડીનો (Fraud) આરોપ લગાવતી જોવા મળી રહી છે. રાખીને જોઈને લાગે છે કે અભિનેત્રીના લગ્ન જોખમમાં છે.

વિરલ ભિયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક વીડિયો શેર કર્યા છે, આ વીડિયોમાં રાખી રડતી જોવા મળી રહી છે. તે પતિ આદિલની વાત કરી રહી છે. તેને ચેતવણી પણ આપી છે. વીડિયોમાં રાખી કહે છે કે, મેં સત્ય સાથે ઈસ્લામ કબૂલ કર્યો છે. હું ઉમરાહ માટે જઈશ. હું 30 દિવસ ઉપવાસ કરીશ.

હું ભગવાનમાં માનું છું અને હું સાચી પત્ની છું. હું નથી ઈચ્છતી કે તમે હવે આદિલનો કોઈ ઈન્ટરવ્યુ લો અને તેને સ્ટાર બનાવો. તે આજ ઈચ્છતો હતો. તેણે મારો ઉપયોગ કર્યો. તેણે મને કહ્યું કે તે છોકરીને છોડી દેશે. કુરાન પર શપથ પણ લીધા હતા. પરંતુ આદિલે તે છોકરીને બ્લોક ન કરી અને હવે તે છોકરી તેને બ્લેકમેલ કરી રહી છે.

આદિલનું બીજી છોકરીઓ સાથે અફેર :

રાખી સાવંતે આદિલ પર વધુ આરોપ લગાવતા કહ્યું કે, હવે મારી માતા નથી,  મને કોઈ વાતનો ડર નથી. હું તે છોકરાને ચેતવણી આપવા માંગુ છું કે જ્યારે હું બિગ બોસ મરાઠીમાં હતી. ત્યારે મારો ઘણો ફાયદો લેવામાં આવ્યો હતો. આદિલે મારા 8 મહિનાના લગ્નને ગુપ્ત રાખ્યા અને અન્ય યુવતીઓ સાથે અફેર ચાલુ રાખ્યા. અને મીઠી-મીઠી વાતો કરી. કહે છે કે હું તેમના માટે ભગવાન છું. પરંતુ એવું નથી. ભગવાન સાથે મારી સરખામણી ન કરો. હું માટી છું અને માટીમાં ભળી જઈશ. મારે પત્ની, બાળકોની માતા બનવું છે. હું એક માનવી બનવા માંગુ છું.

અંતે રાખીએ કહ્યું કે તે હવે આદિલના અફેરના ફોટા અને વીડિયો હાલ નહી બતાવે. તે શાંત રહેશે. પરંતુ જ્યારે સમય આવશે. ત્યારે તે બધા રહસ્યો જાહેર કરશે. તેણે આદિલને ચેતવણી આપી છે અને તે બદલો લેવાના મૂડમાં હોવાનું જણાય છે. એવું લાગતું હતું કે રાખીનું અંગત જીવન ફરી એકવાર પાટા પર આવશે પરંતુ હવે તે દેખાતું નથી. રાખીની માતાના મૃત્યુ સમયે તેનો પતિ આદિલ તેની સાથે હતો. બધું બરાબર હતું. પરંતુ હવે રાખીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો :-

ડાયટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ, સવારે ઉઠતાં જ ગ્લોઈંગ અને સુંવાળી દેખાશે ત્વચા

Include these five things in the diet

  • આવી ઘણી ખાદ્ય વસ્તુઓ છે જે ત્વચાને નિખારવામાં મદદરૂપ સાબિત થાય છે. ફૂલ જેવી ત્વચા મેળવવા માટે તમારે પણ આ વસ્તુઓનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

કહેવાય છે કે આપણે જે પણ ખોરાક (Food)  લઈએ છીએ તેની સીધી અસર શરીરના આંતરિક અને બાહ્ય સ્વાસ્થ્ય પર પડે છે. તમે જોયું જ હશે કે લાંબા સમય સુધી બહારનું ખાધા પછી ચહેરો ડ્રાય, ઓઈલી અને નિર્જીવ દેખાવા લાગે છે.

આ કારણથી જંક ફૂડની (Junk food) જેમ ઝેરી તત્વોને વધારવાને બદલે માત્ર તે જ વસ્તુઓનો આહારમાં સમાવેશ કરવામાં આવે છે જે શરીરને ડિટોક્સ કરે છે અને ટોક્સિંસ (Toxins) દૂર કરે છે. ત્યારે શરીર અંદરથી સ્વચ્છ બને છે અને ત્વચા પણ બહારથી ડાઘ-મુક્ત દેખાવા લાગે છે.

કાકડી :

કાકડીને આહારમાં સામેલ કરવાના ઘણા ફાયદા છે. કાકડીમાં વિટામીન સી, વિટામીન કે અને ઘણા એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. કાકડી ખાવાથી શરીરને એન્ટી-એજિંગ ગુણ પણ મળે છે. આશ્ચર્યજનક વાત એ છે કે કાકડીને ચમકદાર ત્વચા મેળવવા માટે ખાઈ શકાય છે અને ચહેરા પર પણ લગાવી શકાય છે. કાકડીના ટુકડા આંખો પર રાખવાથી ડાર્ક સર્કલ દૂર થઈ જાય છે. તેમજ તેનો રસ ત્વચા પર લગાવવાથી ફાયદો થાય છે.

દાડમ :

જો તમે ત્વચાને લાંબા સમય સુધી ચમકદાર અને યુવાન રાખવા માંગતા હોવ તો દાડમને આહારનો ભાગ બનાવો. વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર દાડમ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને ત્વચા પણ ચમકદાર બને છે.

હળદર :

ઔષધીય ગુણો ધરાવતી હળદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. આ કારણે તેને અલગ-અલગ રીતે તમારા આહારનો ભાગ બનાવવો એ એક સારો નિર્ણય સાબિત થાય છે. શાકભાજીમાં હળદર ઉમેરવાની સાથે તેનો રસ પી શકાય, હળદરનું દૂધ પી શકાય.

પાલક :

આહારમાં પાલકનો સમાવેશ કરવાના ઘણા કારણો છે. તે ત્વચાને સ્વસ્થ રાખે છે, તેને ડાઘ રહિત બનાવે છે, તેને ચમકદાર બનાવે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયાને ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે. તેને અલગ અલગ રીતે ખાઈ શકાય છે. તમે તેને જ્યુસ અને સૂપ બનાવીને પણ પી શકો છો.

આ પણ વાંચો :-

ગુજરાતના આ ગામે જમીનમાંથી પ્રગટ થઈ હનુમાનજીની 100 કિલોની પ્રતિમા – દાદાએ સપનામાં દર્શન આપ્યા અને

0

A 100 kg statue of Hanumanji appeared

  • કેશોદ ગામના એક વૃદ્ધ હનુમાનજીના ભક્ત અશ્વિનભાઈ દવેને છેલ્લા 3 મહિનાથી હનુમાનજી સ્વપ્નમાં આવતા હતા. ભક્ત જણાવે છે કે હનુમાનજીએ સ્વપ્નમાં આવીને તેમને કહ્યું કે તેમની મૂર્તિ નરસિંહ સરોવરના કાંઠે દટાયેલી છે.

જેથી ભક્ત અશ્વિનભાઈ જૂનાગઢ (Junagadh) પહોંચ્યા અને મોડી સાંજે ખોદકામ કરાવ્યું. તો જમીનમાંથી હનુમાનજીની પૌરાણિક પ્રતિમા (Mythical statue of Hanumanji) નીકળતા તેમના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા.

અશ્વિનભાઈ એ જણાવ્યું કે તેમને આવતા સપનાની વાતને લઈને છેલ્લા ઘણા દિવસોથી તે જૂનાગઢ જવાનું વિચારી રહ્યા હતા. ત્યારે તેઓ સાંજે નરસિંહ સરોવરના કાંઠે પહોંચ્યા અને ત્યાં અતુલભાઈ ની મદદ લઇ જેસીબ થી નરસિંહ સરોવરની પાછળ તેઓ ને સ્વપ્નમાં આવેલ જગ્યાએ ખોદકામ કરતા જમીનમાંથી સિંદુર (Vermilion) લગાવેલ સાડા ચાર ફૂટ લાંબી અને અઢી ફૂટ પહોળી હનુમાનજીની પૌરાણિક પ્રતિમાના દર્શન થયા.

તે પ્રતિમાને બહાર કાઢીને લોકોએ ઉચકતા ચાર-પાંચ લોકોના હાથે માંડ માંડ ઊંચકાઈ હતી. મૂર્તિ નું વજન આશરે 100 કિલોથી વધુ પણ હોઈ શકે તેવું જાણવામાં આવ્યું છે. આજે હનુમાનજીનો વાર એટલે શનિવાર અને તેમાં આજે જ ઢળતી સાંજે જમીનમાંથી હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થતા હાજર સૌ ભાવિ ભક્તો પ્રગટેશ્વર હનુમાનજી હોવાનું જાહેર કરીને ચાર ચોકમાં આરતી કરીને પૂજન-અર્ચન કર્યા.

આ પ્રગટેશ્વર હનુમાનજી ની વાત સમગ્ર શહેરમાં પ્રસરી જતા જોતજોતા માં તો હનુમાનજીની પ્રગટ થયેલ મૂર્તિના દર્શન કરવા માટે ભારે ભીડ જામી હતી અને સ્થળ પર હનુમાન ચાલીસાના પાઠ અને જય શ્રી રામના નારા થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. નરસિંહ સરોવરના કાંઠે મોડી સાંજ સુધી ધાર્મિક માહોલ છવાયો હતો.

આ પણ વાંચો :-