Home Blog Page 1182

ગુજરાતના શિક્ષકો હવે શાળામાં મનફાવે તેમ કપડા નહિ પહેરી શકશે 

0

Teachers in Gujarat will no longer

  • સરકારી શાળામાં ભણાવતા શિક્ષકોના પહેરવેશ છૂટછાટ પર હવે લગામ મૂકવામા આવશે. નવા પ્રસ્તાવ મુજબ તેઓને ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરીને શાળામાં આવવું પડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની શિક્ષણનીતિ (Education policy) પર વિપક્ષોએ કાદવ ઉછાળ્યો હતો. ત્યારે હવે સરકાર (Govt) આ છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતની શિક્ષણનીતિમાં ધરખમ ચેન્જિસ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતની સરકારી શાળાના શિક્ષકો મનફાવે તેમ કપડા પહેરીને નહિ આવી શકે. આ માટે પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પ્રસ્તાવ મુજબ શિક્ષકો જિન્સ-ટીશર્ટ જેવા કપડા નહિ પહેરી શકે. તેઓને ભારતીય સંસ્કૃતિમાં શોભે તેવા પહેરવેશ સાથે શાળામાં આવવાનું રહેશે.આ વિશે માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવન કોરાટે જણાવ્યું કે આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બેઠક યોજાશે.

આ બેઠકમાં શૈક્ષણિક સ્ટાફ એટલે કે શિક્ષકો ભારતીય સંસ્કૃતિને શોભે તેવા પોશાક પહેરવા માટે નો પ્રસ્તાવ મુકવામાં આવનાર છે. આ બેઠકમાં ચર્ચા થઈ કે શિક્ષકો શાળામાં યોગ્ય પહેરવેશ પહેરે તે જરૂરી છે.

શાળામા શિક્ષકો શિક્ષિકા પેન્ટ શર્ટ અને ટી શર્ટ પહેરી આવતા તેમજ મનફાવે તેમ કપડા પહેરીના આવતા હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના કારણે શૈક્ષણિક સ્ટાફને યોગ્ય લાગે તેવા પોશાક પહેરવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ હોય તો શિક્ષકો યોગ્ય પરિધાન પહેરે તે જરૂરી છે. તેથી આ પ્રસ્તાવ હવે જલ્દી જ લાવવામાં આવશે.

રાજ્યની માધ્યમિક શાળાઓમાં ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પહેરે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે યોજાનાર સામાન્ય સભામાં આપ પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત કોમ્પ્યુટર વિષયની ફી મા આઠ ગણો વધારો કરવાની પણ દરખાસ્ત મુકવામાં આવી છે. અત્યારે કોમ્પ્યુટર વિષયની ફી માત્ર 50 લેખી લેવામાં આવે છે તેની જગ્યાએ 400 રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોમ્પ્યુટર વિષયની ફી મા આઠ ગણો વધારો કરવાની પણ દરખાસ્ત મુકવામાં આવશે. અત્યારે કોમ્પ્યુટર વિષયની ફી માત્ર 50 રૂપિયા લેવામાં આવે છે. જે 400 રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે તેવું ડો. પ્રિયવન કોરાટે જણાવ્યું.

આ પણ વાંચો :-

પહેલા છેતરપિંડી, પછી જાનથી મારી નાખવાની ધમકી, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની પત્ની સાથે ગેરવર્તન

0

First cheating, then death threats

  • ભારતીય ક્રિકેટર દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જે મામલે દીપકના પિતાએ આગ્રામાં આ મામલે FIR નોંધાવી છે.

ભારતીય ક્રિકેટર દીપક ચહરની (Indian cricketer Deepak Chahar) પત્ની જયા ભારદ્વાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જયાએ કેટલાક લોકોને પૈસા આપ્યા હતા અને જ્યારે તેણે પૈસા પાછા માંગ્યા ત્યારે તેને આ ધમકી મળી હતી. દીપકના પિતાએ આગ્રામાં આ મામલે FIR નોંધાવી છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના (Hyderabad Cricket Association) ભૂતપૂર્વ અધિકારી અને તેમના પુત્ર પર જયાને ધમકી આપવાનો આરોપ છે.

દીપકના પિતાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમની પુત્રવધૂએ તેમના પૈસા પાછા માગ્યા ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી અને તેમની સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી. પોલીસે દીપકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

ક્રિકેટર દીપક ચહરની પત્ની જયાએ આ લોકોને બિઝનેસ શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને માહિતી આપતાં દીપકના પિતા લોકેન્દ્ર ચહરે જણાવ્યું હતું કે તેની પુત્રવધૂ જયાએ પરીખ સ્પોર્ટ્સ એન્ડ શોપના માલિક ધ્રુવ પરીખ અને તેના પિતા કમલેશ પરીખ સાથે ભાગીદારી કરી હતી. બંનેને 7 ઓક્ટોબર 2022ના રોજ 10 લાખ રૂપિયા ઓનલાઈન આપવામાં આવ્યા હતા. પરંતુ પૈસા મળ્યા બાદ બંનેનો ઈરાદો બગડી ગયો હતો અને પછી પૈસા પરત કર્યા ન હતા.

ઉંચી પહોંચ હોવાનો રુઆબ બતાવ્યો :

દીપકના પિતાએ જણાવ્યું કે જ્યારે જયાએ પૈસાની માંગણી કરી ત્યારે કમલેશ અને તેના પુત્રએ ઉંચી પહોંચ હોવાનો રુઆબ બતાવ્યો અને જયાને ધમકી આપી અને જયા સાથે મારપીટ પણ કરી. કમલેશ એચસીએમાં ટીમોના મેનેજર રહી ચૂક્યા છે જ્યારે તેમના પુત્રની એમજી રોડ પર પરીખ સ્પોર્ટ્સ નામની દુકાન છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પેઢીના માલિકોની માહિતી એકઠી કરી રહી છે.

IPL મેચમાં પ્રપોઝ કર્યું હતું :

જયા અને દીપકની લવ સ્ટોરી ત્યારે ચર્ચામાં આવી જ્યારે ભારતીય ક્રિકેટરે IPL 2021 દરમિયાન એક મેચ પછી સ્ટેન્ડમાં એક ઘૂંટણ પર બેસી જયાને પ્રપોઝ કર્યું. દીપક આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. બંનેએ ગયા વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા. જયા દિલ્હીની રહેવાસી છે. દીપક ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતો. આ કારણે તે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો. આ ઈજાને કારણે તે IPL-2022માંથી બહાર થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

અહીં વિદ્યાર્થીઓ કરે છે સ્કૂલ બેગ લાવ્યા વગર કરે છે ચિંતામુક્ત થઈને અભ્યાસ

0
  • સુરત શહેરને ‘હીરાનું શહેર’ કહેવામાં આવે છે કારણ કે અહીં હીરાનો વેપાર થાય છે. જો કે આ વખતે આ શહેર તેના હીરા માટે નહીં, પરંતુ તેના શિક્ષણ માટે ચર્ચામાં છે.

શહેરના ઘણા વાલીઓ હવે તેમના બાળકોને શાળાએ મોકલવાને બદલે ગુરુકુલમાં (Gurukul) મોકલવા લાગ્યા છે. ગુરુકુલમાં પરીક્ષાની ચિંતા કર્યા વગર અભ્યાસ કરવામાં આવે છે. અહીં ભણતા વિદ્યાર્થીઓએ બેગ લાવવાની જરૂર નથી અને ન તો તેમને કોઈ પ્રકારની પરીક્ષા આપવાની હોય છે.

વિદ્યાર્થીઓ પાસે ગમે ત્યારે ગુરુકુલ આવવા અને છોડવાનો વિકલ્પ છે. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે કંઈપણ શીખી શકે છે. આ શાળા કે ગુરુકુલનું નામ ‘નાલંદા ગુરુકુલ વિદ્યાલય’ છે. જે 1997નાં વર્ષથી બાળકોને તણાવમુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. આ ગુરુકુલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં ભણતા બાળકોને પણ અહીં અપાતા શિક્ષણનો લાભ મળી રહ્યો છે કારણ કે તેમના ગ્રેડમાં સુધારો થઈ રહ્યો છે.

પુસ્તકીય શિક્ષણ સિવાય અન્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે :

બંકિમ ઉપાધ્યાય નાલંદા ગુરુકુલ વિદ્યાલયના સ્થાપક છે. તે કહે છે, “અમે બોર્ડની પરીક્ષાઓ સિવાય બીજી કોઈ પરીક્ષા લેતા નથી. પરંતુ અહીં ભણતા વિદ્યાર્થીઓ તમામ વિષયોનો અભ્યાસ કરે છે. પુસ્તકોમાંથી મળેલ શિક્ષણ ઉપરાંત જીવનના પાઠ ભણાવવામાં આવે છે. હરીફાઈથી કયારેય પણ બાળકો સફળ થતો નથી અને હરીફાઈમાં પડે ત્યારે પોતાની લીટી લાંબી કરવા કરતાં બીજાની લીટી ટૂંકી કરવા માંડે છે. આ સાથે તેવોએ જણાવ્યું હતું કે જો બાળક હરીફાઈ કરવા લાગશે તો વિવેકાત્મક બુદ્ધિ ખોઈ બેસશે છે.

ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, “અનૌપચારિક શાળામાં શિફ્ટ થયા પછી, મારા પરફોર્મન્સમાં સુધારો થયો છે કારણ કે દરેક સમયે કોઈ મને જજ કરતું નથી. મારો આત્મવિશ્વાસ વધ્યો છે.

અહીં ભણતા વિદ્યાર્થીઓએ શું કહ્યું?

11મા ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તે પોતે ફાઈનાન્સમાં કારકિર્દી બનાવવા માંગે છે. શાહે કહ્યું, ‘અહીંના શિક્ષકો તમારી કુશળતાને ઓળખે છે અને તેમને વધુ સુધારવા માટે કામ કરે છે. મને વર્ષો પહેલા ખબર પડી હતી કે મારી પાસે ગણતરીની આવડત છે. હું તેમાં ખૂબ જ સારી છું અને ફાઈ નાન્સમાં કારકિર્દી બનાવવા માંગુ છું.

આ પણ વાંચો :-

મોંઘી પડે છે હોમ લોન ? આ રીતે વ્યાજના પૈસા બચાવો, મેળવી શકશો ડબલ ફાયદો

0

Home loan is expensive?

  • આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ હોય તેણે લોન જરૂર લીધેલી હોય છે. પરંતુ વધતા  વ્યાજદરના લીધે હવે હોમ લોન પણ મોંઘી થઈ રહી છે. વ્યાજદરો વધતા મોટા ભાગની બેંકોની લોન ખૂબ જ મોંઘી થઈ ગઈ છે. ત્યારે વ્યાજના રૂપિયા બચાવી બમણો ફાયદો મેળવવા એક  ખાસ ટ્રીક છે. જેનાથી તમને ખુબ જ ફાયદો થશે.

RBIએ અનેક વખત રેપો રેટ વધારતા તેની સિધી અસર બેંકોના વ્યાજદર (Interest rate) પર  દેખાઈ રહી છે. જેના લીધે હવે બેંકો ફિક્સ ડિપોઝિટ, બચત ખાતા (Savings Account) અને લોન પર વ્યાજ દર વધારી રહી છે. ત્યારે તમે પણ કોઈ બેંકની લોન લીધી હશે તો તમારે પણ વધુ વ્યાજ ચૂકવવું પડશે.

તો આવી સ્થિતિમાંથી બચવા માટે તમે લોન અન્ય બેંકમાં ટ્રાન્સફર કરાવી શકો છો. પરંતુ લોન ટ્રાન્સફર કરવામાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આવો જાણીએ વ્યાજના રૂપિયા બચાવી કેવી રીતે તમે બમણો ફાયદો મેળવી શકો છો.

લોન ટ્રાન્સફર માટે બેંકની કેવી રીતે કરશો પસંદગી ?

તમારે અન્ય બેંકમાં ટ્રાન્સફર કરાવતા પહેલાં હોમ લોન આપતી તમામ બેંકના વ્યાજદરની તપાસ  કરી લેવી જોઈએ. ત્યાર બાદ તમે એવી બેંકની પસંદગી કરો જેનો વ્યાજદર સૌથી ઓછો હોય. ત્યાર બાદ જે બેંકમાંથી તમે લોન લીધી હોય તેની શાખાનો સંપર્ક કરવો જોઈએ. જ્યાં તમે તમારી લોન અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવા માટે રજૂઆત કરી શકો છો. આટલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે સરળતાથી તમારી લોન ટ્રાન્સફર કરાવી શકો છો.

આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો :

લોન ટ્રાન્સફર કરવા માટે તમારે જે બેંકમાંથી લોની લીધી હોય તેમાં ફોરફ્લોઝર માટે અરજી કરવી પડશે. લોની લીધી હોય તે બેંકમાંથી એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને ડોક્યુમેન્ટ લઈને જે બેંકમાં લોન ટ્રાન્સફર કરવી હોય તેમાં જમા કરાવવા પડશે. આ સિવાય તમે જે બેંકમાંથી લોન લીધેલી છે તેમાંથી NOC પણ લેવી પડશે. જેને તમે જે બેંકમાં લોન ટ્રાન્સફર કરાવવા માગો છો ત્યાં જમા કરાવવી પડે છે. મહત્વનું છે આ પ્રક્રિયા માટે બેંક એક ટકો પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરે છે.

આવું કરવાથી શું થાય છે ફાયદો?

જો લોન ઓછા વ્યાજદર વાળી બેંકમાં ટ્રાન્સફર થઈ જાય તો તમારો હપ્તો પહેલાની સરખામણીએ ઓછો થઈ જાય છે. ઓછો હપ્તો ભરવાનો હોવાથી તમારે દર મહિને વધારાની બચત પણ થઈ શકે છે. લોન મોટી હોય તો બચત પણ વધારે થાય છે. જેથી તમે આ વધારાની બચતના રૂપિયા કોઈ સારી સ્કીમમાં રોકી સારું રિટર્ન પણ મેળવી શકો છો. આવું કરવાથી તમને બમણો ફાયદો થાય છે હપ્તો ઓછો થવાથી બચત થાય છે અને આ બચતના રૂપિયાનું રોકાણ કરી સારું રીટર્ન પણ મેળવી શકો છો.

આ પણ વાંચો :- 

તમે પણ ચેતજો. ભારતના આ કંપનીના Eye Dropથી થયું અમેરિકામાં મોત ? જાણો શું કહે છે નિષ્ણાંતો

Be warned too. Eye drop of this Indian

  • ભારતમાં બનતી દવાના ઉપયોગથી અમેરિકામાં 55 લોકોને ચેપ લાગ્યો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યાની રાવ ઉઠી રહી છે આવી સ્થિતિ વચ્ચે નિષ્ણાતો એ માહિતી આપી છે.

ભારતમાં બનેલા આઈ ડ્રોપ અજરીકેયર આર્ટિફિશિયલ ટીયર્સનો (Drop Ajricare Artificial Tears) અમેરિકામાં ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે. વધતા વિવાદ વચ્ચે ભારતીય દવા કંપનીએ આ આઈ ડ્રોપને પરત મંગાવ્યા છે. આ દવા ચેન્નાઈના ગ્લોબલ ફાર્મા દ્વારા બનાવવામાં આવે છે. એવો આરોપ છે કે અમેરિકામાં (America) 55 લોકોને ચેપ લાગ્યો છે અને આઇ ડ્રોપ્સના ઉપયોગથી એક વ્યક્તિનું મોત થયું છે.

આ પહેલા ગેમ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં પણ ભારતમાં બનેલા કફ સિરપથી બાળકોના મોતના કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આ વખતે આંખના ટીપાંના કારણે મોતના સમાચાર છે. તે જાણવું જરૂરી છે કે આંખના ટીપાંથી મૃત્યુ કેવી રીતે થઈ શકે છે. ભારતમાં બનેલી દવા અમેરિકામાં કેવી રીતે મોતનું કારણ બની ? આ જાણવા માટે  નેત્ર ચિકિત્સકો સાથે વાત કરવામાં આવી અને ઘણી માહિતી મેળવવામાં આવી હતી.

મૃત્યુ કેમ થયું ?

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના નેત્રરોગ વિજ્ઞાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. ગ્રોવરે જણાવ્યું કે આંખના ટીપાંની ખુલ્લી બોટલને કારણે આવું થઈ શકે છે. દવાઓના લોટમાં એક બોટલ ખુલ્લી હશે. જેમાં હાનિકારક બેક્ટેરિયા દાખલ થયા હશે. આવી સ્થિતિમાં, દવાના ઉપયોગ દરમિયાન આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ્યા અને તેનો ચેપ લાગ્યો.

ડૉ. ગ્રોવરે જણાવ્યું કે આ પ્રકારના બેક્ટેરિયા કોઈ અંગની અચાનક નિષ્ફળતાનું કારણ પણ બની શકે છે. જેના કારણે મૃત્યુનું જોખમ રહેલું છે. જો કે એ પણ જોવાનું રહેશે કે કેટલા લોકોએ દવાના લોટનો ઉપયોગ કર્યો છે અને તેમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કોઈને વધુ ઈન્ફેક્શન થતું હોય તો આવા દર્દીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે છે.

ઓવરડોઝ એક કારણ હોઈ શકે છે :

આ પ્રકારના આઈ ડ્રોપનો ઉપયોગ આંખોમાં મરડો મટાડવા માટે થાય છે, પરંતુ તે કાઉન્ટર પર ઉપલબ્ધ છે, તેથી ઘણી વખત તેનો બિનજરૂરી ઉપયોગ કરવામાં આવે છે અને ઓવરડોઝ નુકસાન કરી શકે છે. આંખના ટીપાંના ખોટા ઉપયોગથી અંધત્વનું જોખમ પણ છે. દિલ્હીમાં આંખના નિષ્ણાત ડૉ. વિનય કુમાર કહે છે કે આંખના ઘણા ટીપાંમાં કેટલાક સ્ટીરોઈડ્સ પણ હોય છે.

જેના ઉપયોગથી આંખોને નર્વ ડેમેજ થવાનું જોખમ રહે છે. જો તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો ગ્લુકોમા થવાનો ખતરો રહે છે. જેના કારણે આંખોની રોશની પણ જતી રહે છે. આવી સ્થિતિમાં કોઈપણ દવાનો ઉપયોગ ડૉક્ટરની સલાહ લીધા પછી કરવો જોઈએ.

આ પણ વાંચો :-

‘પાપા કી પરી’ પ્રેમી પંખીઓ સાથે અથડાઈ, રસ્તાની વચ્ચે પડી ગઈ અને….

0

The ‘Papa Ki Pari’ lover collides with the birds

  • વાયરલ થઈ રહેલો વીડિયો એક છોકરીનો છે જે વિચિત્ર રીતે સ્કૂટી ચલાવી રહી હતી. પરંતુ આ દરમિયાન એક કપલ તેની સામેથી પસાર થાય છે અને તેની સાથે અથડાય છે. આ પછી જ્યાં કપલ રસ્તા પર પડે છે. ત્યાંથી પપ્પાની પરી અલગ રીતે નીકળી જાય છે.

જો તમે પણ સોશિયલ મીડિયા (Social media) પર એક્ટિવ છો. તો તમે જોયું જ હશે કે નેટીઝન્સ ઘણીવાર સ્કૂટી ગર્લ્સને ટ્રોલ કરે છે. એટલું જ નહીં તેની વિચિત્ર ડ્રાઈવિંગ (Fantastic driving) કુશળતાને જોઈને લોકો તેને ‘પાપાની પરી(Papa’s angel) પણ કહેવા લાગ્યા છે પરંતુ હવે જે પાપા કી પરીનો વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમે ભડકી જશો. કારણ કે અહીં યુવતી આરામથી સ્ટંટ કરવા નીકળી હતી પરંતુ તેની સામે આવેલા કપલને મુશ્કેલી પડી હતી.

એક સમય હતો જ્યારે બાઈક પર ફક્ત છોકરાઓનો જ અધિકાર હતો પછી ડ્રાઈવિંગની વાત હોય કે સ્ટંટ બતાવવાની આ કામ ફક્ત છોકરાઓ જ કરતા હતા પણ ભાઈ હવે સમય બદલાઈ ગયો છે અને છોકરીઓ પણ છોકરાઓથી પાછળ નથી. સ્ટંટ બતાવે છે. તમને રસ્તા પર ઘણી છોકરીઓ જોવા મળશે જે છોકરાઓ કરતા વધુ સારા સ્ટંટ કરે છે. પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે તમારો સ્ટંટ સફળ થાય !

ઘણી વખત મસ્તીમાં કરેલો સ્ટંટ બીજાને ભારે પડી જાય છે. આવું જ કંઈક આ દિવસોમાં જોવા મળ્યું જ્યાં છોકરી આનંદથી સ્ટંટ કરી રહી હતી અને કપલ તેની સામે આવ્યું અને તેઓ ટકરાયા. જે બાદ પપ્પાની પરી સાંકડી ગલીમાંથી નીકળી ગઈ હતી પરંતુ કપલ સાથે અકસ્માત થયો હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી રસ્તા પર ખૂબ જ વિચિત્ર રીતે બાઈક ચલાવી રહી છે. આ દરમિયાન એક કપલ તેમની બાઈક પર જઈ રહ્યું છે અને તે જોતાં જ છોકરી તેમની સામે આવે છે અને તેની બાઇકને લહેરાવીને કપલને ટક્કર મારે છે અને પ્રેમી કપલ પોતે જ રસ્તા પર પડી જાય છે પરંતુ પપ્પાની પરી પાછું વળીને જોતી નથી અને તે પોતાની ધૂનમાં ત્યાંથી નીકળી જાય છે.

આ વીડિયોને mcqueen_spee_d નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને 45 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે અને લાખો લોકોએ આ વીડિયો જોયો છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈ, આ તેમનો પ્રોટોકોલ છે..’ અન્ય યુઝરે લખ્યું, ‘લોકોમાંથી માનવતા સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે.’

આ પણ વાંચો :-

04 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : આ 7 રાશિના લોકો પર લક્ષ્મીજી થશે પ્રશન્ન – ક્યારેય નહિ ખૂટે ધનનો ભંડાર

04 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષઃ
આનંદ ઉત્સાહપૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. તીર્થયાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુનઃ
વાણીચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાઠી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય સાચવું. રોગપ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્કઃ
મિત્રવર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઈ વ્યક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફતી સારા સમાચાર મળે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ. આવક વધશે.

કન્યાઃ
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારું રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલાઃ
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
ભાગ્યના બળે આવકમાં વૃદ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના ભાઈ-બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમિકલના ધંધા માટે શુભ.

ધનઃ
માનસિક અશાંતિ રહે. નકારાત્મક વિચારો વધતા જણાય. શરદ-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા. ભગવાન શિવની ઉપાસનાંથી લાભ થાય.

મકરઃ
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ તથા વિશાળ મન રહેશે. ભક્તિમાં મન પરોવાશે. ઓફિસ, સ્ટેશનરી, જ્યો‌તિષીના ધંધામાં લાભ. અડચણો મુશ્કેલીનું નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભઃ
જોમ-જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીનાં આપવાનું ટાળવું.

મીનઃ
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

ગુરૂગ્રામમાં પુરપાટ ઝડપે દોડતી કારે 4 કિમી સુધી બાઈકને ઘસડતા રોડ પર સર્જાયા ચિનગારીના દ્રશ્યો

0

In Gurugram, a car running

  • ગુરુગ્રામના સેક્ટર-62માં એક ઝડપી કાર સાથે અથડાતાં બાઈક કારની નીચે ફસાઈ ગઈ હતી અને દારૂના નશામાં કાર ચાલકે બાઇકને લગભગ 4 કિલોમીટર સુધી ઘસડી હતી.

દિલ્હીના સુલતાનપુરી-કાંઝાવાલા હિટ એન્ડ રન કેસ (Sultanpuri-Kanzawala hit and run case) લોકો હજુ સુધી ભૂલ્યા નથી એવામાં હરિયાણાના (Haryana) ગુરુગ્રામમાં પણ તેના જેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુગ્રામના સેક્ટર-62માં એક ઝડપી કાર સાથે અથડાતાં બાઈક કારની નીચે ફસાઈ ગઈ હતી અને દારૂના નશામાં કાર ચાલકે બાઈકને લગભગ 4 કિલોમીટર સુધી ખેંચી હતી. આ સાથે જ રસ્તા પર ઘસતી વખતે બાઈકમાંથી તણખા નીકળતા રહ્યા.

ડ્રાઈવર 4  કિલોમીટર સુધી કાર ચલાવતો રહ્યો :

ગુરુગ્રામ (Gurugram) પોલીસે આ વિશે વાત કરતાં ગુરુવારે જણાવ્યું હતું કે એક વ્યક્તિની કથિત રીતે મોટરસાઇકલને તેની સ્પીડ કાર વડે 4 કિલોમીટર સુધી ખેંચી જવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આગળ પોલીસે જણાવ્યું કે કારે પહેલા રોડની કિનારે પાર્ક કરેલી મોટરસાઈકલને ટક્કર મારી અને એ પછી ટુ-વ્હીલર કાર નીચે નીચે ફસાઈ ગયું. ત્યારે કારચાલકે એ ફસાયેલ વાઈક સાથે ગાડી ચલાવી અને લગભગ 3 કિમી સુધી પોતાની સાથે ખેંચી ગયું. મળતી માહિતી મુજબ મોટરસાઈકલ માલિક બાઉન્સર તરીકે કામ કરે છે.

ટક્કર બાદ બાઇક કારની નીચે ફસાઈ ગયું હતું :

બાઉન્સરએ પોલીસને જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બની જ્યારે તે ડ્યુટી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો અને તે તેની મોટરસાઈકલ રોડની સાઈડમાં પાર્ક કર્યા પછી નજીકમાં ઉભો હતો ત્યારે કારે તેના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી અને ટક્કર બાદ બાઈક કારની નીચે ફસાઈ ગયું હતું. આ પછી કાર ચાલક તેને પોતાની ખેંચી ગયો હતો.

બાઈકના માલિક મોનુએ જણાવ્યું હતું કે આ હિટ એન્ડ રન કેસમાં એ માંડ માંડ બચ્યો હતો જો કે તેની બાઇકને ભારે નુકસાન થયું હતું. જણાવી દઈએ કે ગુરુગ્રામના સેક્ટર 65માં હોન્ડા સિટી કાર એક મોટરસાઇકલને ખેંચી રહી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ  :

ગાડીની નીચેથી મોટરસાઈકલ નીકળીને રોડની બાજુમાં પડી જતાં કાર ચાલક પોતાનું વાહન ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. જો કે હાલ મોટરસાયકલ ચાલકની ફરિયાદના આધારે ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ભારતીય દંડની કલમ 279 (રેશ ડ્રાઇવિંગ), 336 (જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવું), 427 (નુકસાન પહોંચાડવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુરુગ્રામ પોલીસના પ્રવક્તા સુભાષ બોકેને કહ્યું, ‘અમે ફરિદાબાદના રહેવાસી સુશાંત મહેતા તરીકે ઓળખાયેલા આરોપીની ધરપકડ કરી છે અને તેની કાર કસ્ટડીમાં લીધી છે.

આ પણ વાંચો :-

રામપુરમાં અડધી રાતે કપડાં કાઢીને ફરતી મહિલાને લઈને ફફડાટ ! ખખડાવે છે ઘરના દરવાજા

0

In the middle of the night in Rampur

  • સોમવારથી શહેરના માર્ગો પર ફરતી નગ્ન મહિલા સીસીટીવીમાં કેદ થયા બાદ તેનો વીડિયો વિસ્તારમાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રામપુરમાં એક નગ્ન અવસ્થામાં (Naked State) ફરતી એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે. લોકોમાં આ મહિલાને લઈને ફફડાટ વ્યાપ્યો છે. લોકો મોડી રાત સુધી જાગવા માટે મજબૂર બન્યા છે.

રામપુરામાં એક મહિલા અડધી રાતે કપડાં કાઢીને ફરતી હોવાનો વીડિયો વાયરલ (The video went viral) થયો છે. મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ માટે ટીમો બનાવીને મહિલાની શોધખોળ શરૂ કરી હતી. સોમવારથી શહેરના માર્ગો પર ફરતી નગ્ન મહિલા સીસીટીવીમાં કેદ થયા બાદ તેનો વીડિયો વિસ્તારમાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસ કહી રહી છે કે આ કેસમાં ટીમો બનાવવામાં આવી છે. મહિલાની શોધ ચાલી રહી છે. સીઓ રવિ ખોખરે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને જણાવ્યું કે, શહેરમાં એક નગ્ન મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આજકાલ શહેરના વિસ્તારના લોકોના ઘરોમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં એક મહિલા મોડી રાત્રે નગ્ન અવસ્થામાં ફરતી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક અજાણી મહિલા લોકોના ઘરની ડોરબેલ વગાડતી અને શેરીઓમાં નગ્ન થઈને ફરતી જોવા મળે છે.

રહેવાસી પૂર્વ કાઉન્સિલર સીમા દેવીના ઘર પર પહોંચી હતી. લાંબા સમય સુધી તે તેમના ગેટ પર ઉભી રહી અને બેલને વગાડતી રહી હતી. તેમણે સોમવારે કોતવાલીમાં આ મામલે અરજી કરી હતી. કોતવાલીનો હવાલો સંભાળી રહેલા ક્રાઈમ ઈન્સ્પેક્ટર આસારામે જણાવ્યું કે શહેરની ગલીઓમાં એક નગ્ન મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

ગુજરાતવાસીઓ હવે કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, જાણો તારીખ સાથેની આ ભયંકર આગાહી

0

Gujaratis should be ready to bake in scorching heat now

  • ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત : કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઈ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર ઓઢીને નોકરી જવા મજબૂર બન્યા છે.

ગુજરાતમાં હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત મળશે. ફરી એકવાર આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં લઘુત્તમ તાપમાનમાં (Minimum temperature) ઘટાડો નહીં થાય. જેના કારણે આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે.

તાપમાનમાં વધારો નોંધાશે. જેના કારણે ગરમીનો અહેસાસ થશે. પવનની ગતી ધીમી પડતા ઠંડી ઘટશે. હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને (Western Distbans) કારણે તાપમાનમાં વધારો નોંધાશે. હાલ નલિયામાં 4.2 તાપમાન, અમદાવાદ 13 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત: કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઈ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર ઓઢીને નોકરી જવા મજબૂર બન્યા છે. જો કે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. તે જ સમયે, દેશના મોટાભાગના ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો :-