HomeHealth & Fitnessડાયટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ, સવારે ઉઠતાં જ ગ્લોઈંગ અને સુંવાળી...

ડાયટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ, સવારે ઉઠતાં જ ગ્લોઈંગ અને સુંવાળી દેખાશે ત્વચા

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

Include these five things in the diet

  • આવી ઘણી ખાદ્ય વસ્તુઓ છે જે ત્વચાને નિખારવામાં મદદરૂપ સાબિત થાય છે. ફૂલ જેવી ત્વચા મેળવવા માટે તમારે પણ આ વસ્તુઓનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

કહેવાય છે કે આપણે જે પણ ખોરાક (Food)  લઈએ છીએ તેની સીધી અસર શરીરના આંતરિક અને બાહ્ય સ્વાસ્થ્ય પર પડે છે. તમે જોયું જ હશે કે લાંબા સમય સુધી બહારનું ખાધા પછી ચહેરો ડ્રાય, ઓઈલી અને નિર્જીવ દેખાવા લાગે છે.

આ કારણથી જંક ફૂડની (Junk food) જેમ ઝેરી તત્વોને વધારવાને બદલે માત્ર તે જ વસ્તુઓનો આહારમાં સમાવેશ કરવામાં આવે છે જે શરીરને ડિટોક્સ કરે છે અને ટોક્સિંસ (Toxins) દૂર કરે છે. ત્યારે શરીર અંદરથી સ્વચ્છ બને છે અને ત્વચા પણ બહારથી ડાઘ-મુક્ત દેખાવા લાગે છે.

કાકડી :

કાકડીને આહારમાં સામેલ કરવાના ઘણા ફાયદા છે. કાકડીમાં વિટામીન સી, વિટામીન કે અને ઘણા એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. કાકડી ખાવાથી શરીરને એન્ટી-એજિંગ ગુણ પણ મળે છે. આશ્ચર્યજનક વાત એ છે કે કાકડીને ચમકદાર ત્વચા મેળવવા માટે ખાઈ શકાય છે અને ચહેરા પર પણ લગાવી શકાય છે. કાકડીના ટુકડા આંખો પર રાખવાથી ડાર્ક સર્કલ દૂર થઈ જાય છે. તેમજ તેનો રસ ત્વચા પર લગાવવાથી ફાયદો થાય છે.

દાડમ :

જો તમે ત્વચાને લાંબા સમય સુધી ચમકદાર અને યુવાન રાખવા માંગતા હોવ તો દાડમને આહારનો ભાગ બનાવો. વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર દાડમ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને ત્વચા પણ ચમકદાર બને છે.

હળદર :

ઔષધીય ગુણો ધરાવતી હળદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. આ કારણે તેને અલગ-અલગ રીતે તમારા આહારનો ભાગ બનાવવો એ એક સારો નિર્ણય સાબિત થાય છે. શાકભાજીમાં હળદર ઉમેરવાની સાથે તેનો રસ પી શકાય, હળદરનું દૂધ પી શકાય.

પાલક :

આહારમાં પાલકનો સમાવેશ કરવાના ઘણા કારણો છે. તે ત્વચાને સ્વસ્થ રાખે છે, તેને ડાઘ રહિત બનાવે છે, તેને ચમકદાર બનાવે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયાને ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે. તેને અલગ અલગ રીતે ખાઈ શકાય છે. તમે તેને જ્યુસ અને સૂપ બનાવીને પણ પી શકો છો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img