Home Blog Page 1173

રાહુલને તક આપી કેમ પસ્તાયો રોહિત ? ગ્રાઉન્ડમાં જે થયું એ જોઈ ગયો કેપ્ટનનો પિત્તો, વીડિયો વાયરલ

0

Why did Rohit regret giving Rahul a chance?

  • આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલે ફરી એકવાર શરમજનક પ્રદર્સશન કરતાં કેપ્ટન રોહિત શર્માને નિરાશ કર્યો. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની (Border Gavaskar Trophy) બીજી મેચ 18 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. આ મેચમાં ભારતની ટીમે કાંગારુ ટીમને પોતાની બોલિંગની મદદથી બેકફૂટ પર લાવી દીધી. ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમે પહેલા દાવમાં બેટિંગ કરતાં 263 રન બનાવ્યા.

જોકે ઓસ્ટ્રલિયાના બોલરોએ ટીમને વાપસી કરાવતાં ભારતને 262 રનમાં ઓલઆઉટ કરી દીધું. જેમાં નાથન લિયોને (Nathan Leo) સૌથી વધારે 5 વિકેટ ઝડપી. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલે ફરી એકવાર શરમજનક પ્રદર્સશન કરતાં કેપ્ટન રોહિત શર્માને (Captain Rohit Sharma) નિરાશ કર્યો. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નાથન લિયોને રાહુલનો શિકાર કર્યો :

લોકેશ રાહુલ ભારતના શાનદાર બેટ્સમેનમાંથી એક છે. પરંતુ તેને મળી રહેલી શાનદાર તકને તે યોગ્ય રીતે ઝડપી શક્યો નથી. પહેલી ટેસ્ટ મેચનું ખરાબ ફોર્મ બીજી ટેસ્ટમાં પણ ચાલુ રહ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ તેના પર વિશ્વાસ રાખતાં ગિલની જગ્યાએ તેને તક આપી હતી. પરંતુ તે આ મેચમાં પણ સાવ ફ્લોપ રહેતાં 41 બોલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

નાથન લિયોને તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. લોકેશ રાહુલ થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા તેના આઉટ થયા પછી ઘણા નિરાશ અને હતાશ જોવા મળી રહ્યા છે. તેના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાહુલના આઉટ થવાથી તેને કેટલું દુખ થયું છે.

લોકેશ રાહુલનું ખરાબ પ્રદર્શન યથાવત :

ભારતીય ટીમના ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન લોકેશ રાહુલ પોતાની કારકિર્દીની સૌથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે એશિયા કપ 2022 પછી ટીમ ઈન્ડિયા માટે કોઈ મોટી ઈનિંગ્સ રમી નથી. તે એશિયા કપમાં પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ મેચમાં નસીમ શાહના બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.

જેના પછી ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટીમને રોમાંચક મેચમાં જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટમાં પણ રાહુલ માત્ર 20 રન જ બનાવી શક્યો હતો.

આ પણ વાંચો :-

ATM કાર્ડ પર મળે છે 5 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ, જાણો કેવી રીતે તમારા કામમાં આવશે

0

Insurance up to 5 lakh rupees is available on ATM card

  • એટીએમ કાર્ડ પર તમને 5 લાખ સુધીનો ઈન્શ્યોરન્સ પણ મળે છે. એટીએમ કાર્ડ પર તમને 25 હજારથી લઈને 5 લાખ રુપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે.

આપણે જ્યારે બેંક એકાઉન્ટ (bank account) ખોલાવીએ છીએ ત્યારે આપણને એટીએમ કાર્ડ પણ મળે છે. જેનાથી આપણે ઓનલાઈન પેમેન્ટથી લઈને કેશ કાઢવા સુધીના તમામ કામ કરી શકીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે કેશ વિડ્રોલ સિવાય તમારું એટીએમ કાર્ડ (ATM Card) કઈ રીતે તમને ફાયદો અપાવી શકે છે. તમને જણાવી દઈએ કે તમારા એટીએમ કાર્ડ પર તમને 5 લાખ સુધીનો ઈન્શ્યોરન્સ પણ મળે છે.

એટીએમ કાર્ડ પર તમને 25 હજારથી લઈને 5 લાખ રુપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. જેની જાણકારી અનેકવખત સામાન્ય લોકોને હોતી નથી. આ જ કારણે તે મોટો લાભ મેળવી શકતા નથી. જો તમને પણ આ વિશે કોઈ માહિતી નથી તો તમે પણ જાણી લો.

25 હજારથી લઈને 5 લાખ સુધીનો લઈ શકો છો ઈન્શ્યોરન્સ :

એકાઉન્ટ હોલ્ડર્સને એટીએમ કાર્ડ પર 25 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. આ ફાયદો માત્ર તે લોકોને જ મળે છે જે પોતાના કાર્ડને 45 દિવસમાં વધારે યૂઝ કરે છે. આ ફાયદો સરકારી બેંક અને પ્રાઈવેટ બેંક બંનેના કાર્ડ પર મળે છે.

જોકે તમને ઈન્શ્યોરન્સની કેટલી રકમ મળશે તે વાત તેના પર નિર્ભર કરે છે કે તમારું એટીએમ કે ડેબિટ કાર્ડ કઈ કેટેગરીનું છે. દરેક બેંક પોતાના કસ્ટમર્સને અલગ-અલગ કેટેગરીના એટીએમ કાર્ડ ઈશ્યુ કરે છે. અને દરેક કાર્ડ પર અલગ-અલગ સુવિધા મળે છે.

કેટેગરીના હિસાબથી મળે છે ઈન્શ્યોરન્સ :

તમને મળનારા ઈન્શ્યોરન્સની એમાઉન્ટ કાર્ડની કેટેગરી પર ડિપેન્ડ કરે છે. જો તમારું કાર્ડ ક્લાસિક કેટેગરીનું છે તો તમને ઈન્શ્યોરન્સ તરીકે 1 લાખ રૂપિયા, પ્લેટિનમ કાર્ડ પર 2 લાખ રૂપિયા અને પ્લેટિનમ માસ્ટર કાર્ડ પર 5 લાખ રૂપિયા ઈન્શ્યોરન્સ મળે છે. જ્યારે વીઝા કાર્ડ પર તમને 1.5થી 2 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ મળે છે. માસ્ટર કાર્ડ પર 50 હજાર રૂપિયાનું વીમા કવરેજ મળે છે. પ્રધાનમંત્રી જન ધન એકાઉન્ટ્સ પર મળનારા રૂપે કાર્ડ પર ગ્રાહકોને 1થી 2 લાખ રૂપિયા સુધીનું ઈન્શ્યોરન્સ કવર મળે છે.

આ રીતે કરી શકો છો ક્લેમ :

જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે તો તેના પરિવારને 5 લાખ રૂપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. આ ઈન્શ્યોરન્સને ક્લેમ કરનારા કાર્ડ હોલ્ડરના નોમિનીને બેંકની બ્રાંચમાં જઈને ત્યાં વળતર માટે એક અરજી આપવાની રહેશે. બેંકમાં જરૂરી ડોક્યુમેન્ટને સબમિટ કર્યા પછી નોમિનીને વીમાનો ક્લેમ મળી જાય છે.

આ પણ વાંચો :-

ફરાહ ખાનની પાર્ટીમાં છવાઈ ગઈ સાનિયા મિર્ઝાની બહેન Anam Mirza, તસવીરો જોઈ તમે પણ કહેશો વાહ !

Sania Mirza’s sister Anam Mirza appeared in Farah Khan

  • સાનિયા મિર્ઝા અને અનમ મિર્ઝાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. ફરાહ ખાનની પાર્ટીમાં અનમ મિર્ઝા ખૂબ જ લાઈમલાઈટમાં રહી હતી.

બિગ બોસ 16′ના (Bigg Boss 16) સ્પર્ધકો માટે ફરાહ ખાને પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી દરમિયાન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની (Sania Mirzani) બહેન અનમ મિર્ઝા લાઈમલાઈટમાં રહી હતી. બોલિવૂડ ડિરેક્ટર ફરાહ ખાને (Farah Khan) ‘બિગ બોસ 16‘ના સ્પર્ધકો માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં ઘણા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં સાનિયા મિર્ઝા અને તેની બહેન અનમ મિર્ઝા પણ જોવા મળી હતી.

અનમ મિર્ઝાએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો :

ફરાહ ખાનની પાર્ટીમાં અનમ મિર્ઝા ખૂબ જ લાઈમલાઈટમાં રહી હતી. ફરાહ ખાનની પાર્ટીમાં અનમ મિર્ઝાએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે બોલીવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સહિત અન્ય સ્ટાર્સ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. અનમ મિર્ઝા ભલે ગ્લેમર વર્લ્ડથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અનમ મિર્ઝા એક ફેશન ઈંફ્લુએન્સર છે જે લોકોને ફેશન ટિપ્સ આપે છે. આ સિવાય તે ફેશનને લગતી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે.

અનમ મિર્ઝાએ બે લગ્ન કર્યા છે :

અનમ મિર્ઝાએ બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન હૈદરાબાદના બિઝનેસમેન અકબર રાશિદ સાથે થયા હતા. પહેલા પતિ સાથે તલાક બાદ અનમ મિર્જાએ વર્ષ 2019માં ભારતીય ક્રિકેટર મોહમ્મદ અસદુદ્દીન સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો :-

વાંદરો બન્યો આંખનો ડોક્ટર ! સાથીની આંખ એ રીતે સાફ કરી કે તમે પણ આ Viral Video જોવા મજબુર બની જશો

0

Monkey became an eye doctor! The friend’s eyes

  • હાલમાં બે વાંદરાઓનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે કહેશો કે વાંદરા ભાઈ બની ગયા ડોકટર. આ વીડિયોને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર રોજ ધમાકેદાર વીડિયો વાયરલ થતા રહે છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો ઝડપથી વાયરલ થતા હોય છે. તેમાં પણ વાંદરા (Monkey) અને શ્વાનના વીડિયો યુઝર્સને ખુબ મનોરંજન આપતા હોય છે. હાલમાં બે વાંદરાઓનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે કહેશો કે વાંદરા ભાઈ બની ગયા ડોકટર. આ વીડિયોને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.

જંગલમાં વાંદરા સૌથી નટખટ પ્રાણીઓમાંથી એક છે. શહેરી વિસ્તારોમાં પણ વાંદરાઓનું ઝૂડ આવીને ધમાલ મચાવતું હોય છે. હાલમાં બે વાંદરાનો રમૂજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વાંદરો બીજા સાથી વાંદરાની સારવાર કરી રહ્યો છે. તે ડોકટરની જેમ તેની સમસ્યાનું સમાધાન કરી રહ્યો છે. તે સાથી વાંદરાની આંખમાંથી સાવધાની પૂર્વક કચરો નીકાળતા જોવા મલી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ મનોરંજન માટે આ વીડિયો ખુબ શેયર કરી રહ્યાં છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો :

વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,એક દિવસ માણસો અને પ્રાણીઓ વચ્ચે કોઈ ફરક નહીં હશે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર વાંદરાભાઈ, જોરદાર. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બંને એકબીજાના પ્રેમમાં લાગે છે.

આ પણ વાંચો :-

આ રીતે ભણશે ગુજરાત? ડબલ એન્જિન સરકારમાં બાળકો આ રીતે ભણવા મજબુર બન્યા

0

Will Gujarat study like this?

  • રાજ્યમાં સરકાર પર શિક્ષણ મુદ્દે અનેક સવાલો ઉઠયા છે. ક્યારેક શિક્ષણ નીતિ તો ક્યારેક કાર્યક્રમોમાં શિક્ષકોને મોકલવા બાબત સરકાર પર સવાલો થયા છે.

ત્યારે હવે અરવલ્લી (Aravalli) જિલ્લામાં શિક્ષણની દુર્દશાનો વિડીયો સોશીયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. આ વિડીયોએ રાજ્ય સરકારની પોલ ખોલી છે. જેમાં પ્રાથમિક શાળામાં (Primary school) ઓરડાના અભાવે બાળકો ઝાડના છાયા નીચે ભણવા મજબુર બન્યા છે.

સરકાર જાહેરાતોમાં મોટા મોટા બણગાં ફૂંકે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્કની પોલ ખૂલી છે. આ દરમિયાન પ્રાથમિક શાળામાં ઓર્ડના અભાવે બાળકો ઝાડના છાયા નીચે મજબુર બન્યા છે. ઝાડના થડ પર ગ્રીન બોર્ડ લગાવી વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક પણ મજબૂર બન્યા છે.

રે આ વિડીયોને લઈ સરકાર પર અનેક સવાલો ઉઠયા છે. જેમાં ગુજરાતની ડબલ એન્જીન સરકારમાં શુ, આવી રીતે ભણશે ગુજરાત ? શિયાળાની કડકડતી ઠંડી અને ઉનાળાના આકરા તાપ સહન કરી બાળક ભણવા મજબૂર બન્યા છે.

સરકારની નીતિ પર ઉઠયા સવાલો :

રાજ્ય સરકાર દ્વારા ભલે પ્રાથમિક શિક્ષણને લઈને અનેક દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ અરવલ્લી જિલ્લામાં આવેલીની શાળાઓએ સરકારના આ દાવાઓની પોલ ખોલે છે. આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોના કારણે સરકારની શિક્ષણ નીતિ ફર ફરી એક વખત સવાલો ઊભા કર્યા છે. ભારતનું ભવિષ્ય ગણાતા બાળકો શિક્ષણ મેળવવા માટે કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો આકરો તાપ. આ બધા વચ્ચે ઝાડના છાયે બેસી શિક્ષણ લેવા મજબૂર બન્યા છે.

જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો :

વાયરલ વિડીયો માલપુર દાંતા ટીમ્બા પ્રાથમિક શાળાનો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે સરકારના સર્વ શિક્ષા અભિયાનના વરવા દ્રશ્યો સોસીયલ મીડિયામાં વાયરલ. જો આ વાસ્તવિકતા જણાય તો અધિકારી અને પદાધિકારીઓએ ધ્યાને લેવું અત્યંત જરૂરી છે જેથી બાળકોના ભણતર અને સ્વાસ્થ્ય પર અસર ન પડે. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો છે. જોકે gujaratguardian આ વિડીયોની પુષ્ટી નથી કરતું.

આ પણ વાંચો :-

 

રબને બના દી જોડી.. કોરોનામાં સેવા કરતાં કરતાં IPSને થઈ ગયો પ્રેમ, કહ્યું જંગલીપણાથી પણ…

0

Raban Bana Di Jodi.. IPS fell in love while serving

  • ઉતરાખંડની IPS રચિતા જુયાલ તેના એક વીડિયોને લઈને ચર્ચામાં છે. જેમાં તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને કહ્યુ હતુ કે કેવી રીતે તેમને એક સામાજીક કાર્ય કરતા યુવક સાથે પ્રેમ થયો.

ગયા વર્ષે ઉત્તરાખંડની (Uttarakhand) IPS રચિતા જુયાલ (IPS Rachita Juyal) અને ફિલ્મ નિર્દેશક યશસ્વીના લગ્ન થયા હતા. યશસ્વીની વાત કરીએ તો તેઓ ફેમસ ડાન્સર, હોસ્ટ, કોરિયોગ્રાફર ક્રોકરોઝ તરીકે ઓળખાતા એટલે કે રાઘવ જુયાલનો ભાઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી વેવ દરમિયાન રચિતા અને યશસ્વી મળ્યા હતા અને પ્રેમ થયો હતો.

ક્યાં મળ્યા બંને?

રચિતાના જણાવ્યા પ્રમાણે તેમને સામાજીક કામગીરીમાં ખૂબ જ રસ ધરાવતી હતી. અને તેઓ ઘણી બધી એનજીઓની મદદ પણ કરતી હતી. આવા સામાજીક કામગીરીને લઈને એક દિવસ યશસ્વી સાથે રચિતાની મુલાકાત થઈ હતી. મહત્વનું છે કે રચિતા શરૂઆતમાં યશસ્વીને ઓળખતી ન હતી પરંતુ જેમ જેમ સામજીક કામગીરીને લઈને ભેગા થતા રહ્યા તેમ તેમ બંને ઓળખતા થઈ ગયા હતા. ત્યાર બાદ બંને વચ્ચે સારી એવી વાતો પણ થવા લાગી હતી.

વાતો પ્રેમમાં પરીવર્તીત થઈ :

રચિતાના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં જ્યારે પણ સામાજીક કામ માટે અમે લોકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન યશસ્વીની ટીમમાં મને સૌથી વધુ ઈન્ટેલીજન્ટ લાગ્યો હતો. યશસ્વી એનજીઓમાં નવો હતો તેથી તેને કેટલીક જગ્યા પર કામગીરીને લઈને સમજાવ્યો પણ હતો. ત્યારબાદ મને ખબર પડી કે યશસ્વી એક આર્ટીસ્ટ છે. તો મારો લગાવ થોડો વધ્યો અને અમારા લોકો વચ્ચે વધુ વાતો થવા લાગી અને એક સમય એવો આવ્યો કે આ વાતો પ્રેમમાં પરીવર્તીત થઈ ગઈ.

યશસ્વી પોઝીટીવ વ્યક્તિ છે :

IPS રચિતાએ યશસ્વીની વાત કરતા જણાવ્યું હતુ કે યશસ્વી એક પોઝિટિવ વ્યક્તિ છે અને તે ક્યારેય પણ કોઈનું ખરાબ બોલતો નથી. તેમની પાસેથી હુ ઉદાર રહેતા શીખી છું. રચિતા જુયાલની જો વાત કરીએ તો તેમણે વર્ષ 2015માં UPSC પાસ કર્યું હતું. આ પછી તે IPS બન્યા હતા. ઉલ્લેખનીય છે કે રચિતાના પિતા પણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. અને હાલમાં વાત કરીએ તો તેઓ ઉત્તરાખંડમાં રાજ્યપાલ ADC તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

દૂધમાં ઉમેરો આ પાન અને પછી પીવો તેને, માઈગ્રેન અને પથરીના દુખાવાથી મળશે રાહત

Add this leaf to milk and then drink

  • Health Tips : રોજ એક ગ્લાસ દૂધ આ વસ્તુ ઉમેરીને પીવામાં આવે તો શરીરની ઘણી સમસ્યા દવા વિના મટી શકે છે. તેના માટે દૂધમાં તેને બરાબર ઉકાળી લેવાનું છે અને પછી તેનું સેવન કરવાનું છે.

દૂધ પીવાથી (Drink milk) થતા લાભ વિશે તો તમે પણ જાણતા હશો. દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે તેની અંદર તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે જે શરીરને લાભકારી છે. પરંતુ દૂધના ફાયદાને વધારવા માટે તેની અંદર કેટલીક વસ્તુઓ પણ ઉમેરી શકાય છે.

આવી જ એક વસ્તુ છે તુલસીના પાન ઔષધીય (Basil leaves are medicinal) ગુણથી ભરપૂર હોય છે. તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીની પૂજા પણ થાય છે અને તેનો ઉપયોગ આયુર્વેદમાં (Ayurveda) કેટલીક સમસ્યામાં દવા તરીકે પણ કરવામાં આવે છે. જો તમે દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવો છો તો તમે ઘણી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવાથી થતા લાભ :

1. જો તમને શ્વાસ સંબંધિત સમસ્યા હોય તો તેનાથી બચવા માટે દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવા જોઈએ આમ કરવાથી તમને અસ્થમા સહિતની બીમારીમાં રાહત થશે.

2. જો તમને માઈગ્રેન ની સમસ્યા હોય અને વારંવાર માથામાં અસહ્ય દુખાવો થતો હોય તો દૂધમાં તુલસીના પાન ઉકાળીને નિયમિત પીવાનું રાખો. તેનાથી માઈગ્રેન ની તકલીફ મટી જાય છે.

3. અનિયમિત જીવનશૈલી અને પોષણયુક્ત આહાર ના અભાવના કારણે લોકો ડિપ્રેશનનો શિકાર પણ થઈ જતા હોય છે તેવામાં તુલસી વાળું દૂધ પીવાથી માનસિક ચિંતા દૂર થાય છે

4. ઘણા લોકોને પથરીની સમસ્યા હોય છે. પથરીના કારણે થતો દુખાવો અસહ્ય હોય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવાનું રાખો. તેનાથી પથરી અને કિડનીના દુખાવાની તકલીફ મટે છે.

આ પણ વાંચો :-

Pension Plan : તમને દર મહિને 9 હજાર રૂપિયા પેન્શન મેળવવાની તક ! કરો આ એક કામ 

0

Pension Plan: You get a chance to get a pension

  • દરેક વ્યક્તિએ રિટાયરમેન્ટ પ્લાનિંગ જરૂર કરવું જોઈએ. કારણ કે વૃદ્ધાવસ્થા સારી રીતે વીતે તે માટે જરૂરી છે કે બચત અત્યારથી જ કરવા લાગીએ. રિટાયરમેન્ટ બાદ મોટાભાગના લોકોને નિયમિત આવકની ચિંતા હોય છે.

દરેક વ્યક્તિએ રિટાયરમેન્ટ પ્લાનિંગ (Retirement planning) જરૂર કરવું જોઈએ. કારણ કે વૃદ્ધાવસ્થા સારી રીતે વીતે તે માટે જરૂરી છે કે બચત અત્યારથી જ કરવા લાગીએ. રિટાયરમેન્ટ (Retirement) બાદ મોટાભાગના લોકોને નિયમિત આવકની ચિંતા હોય છે. આથી તેઓ એવી જગ્યાએ પૈસા રોકવા ઈચ્છે છે કે જ્યાંથી તેમને વૃદ્ધાવસ્થામાં (Old Age) સારું પેન્શન મળી રહે.

પોતાની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સીનિયર સીટિઝન પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરી શકે છે. આ સરકારી યોજનામાં રેગ્યુલર રીતે આવક થાય છે. આ યોજનામાં હાલ રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.

મોદી સરકારે 2017માં વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા આ યોજના લોન્ચ કરી હતી. ભારતીય જીવન વીમા નિગમ આ યોજનાને સરકાર માટે ચલાવે છે. સીનિયર સીટિઝન સ્કીમમાં 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. આ યોજના સંલગ્ન શરતો અને નિયમો ખાસ જાણો.

પેન્શન મેળવવાના 4 વિકલ્પ :

એલઆઈસીની વય વંદના યોજના હેઠળ અરજીકર્તાની ન્યૂનતમ પ્રવેશ આયુ 60 વર્ષ છે અને પોલીસનો સમય 10 વર્ષ છે. તેમાં મિનિમમ પેન્શન એક હજાર રૂપિયા પ્રતિ માસ, 3 હજાર રૂપિયા પ્રતિ માસ, 6 હજાર રૂપિયા પ્રતિમાસ અને 12 હજા રૂપિયા પ્રતિ વર્ષ છે. જ્યારે વધુમાં વધુ માસિક પેન્શન 9250 રૂપિયા અને વાર્ષિક પેન્શન એક લાખ 11 હજાર રૂપિયા છે.

ગંભીર બીમારીમાં રકમ કાઢવાની સુવિધા :

આ યોજનામાં રોકાણ એક સાથે કરવાનું હોય છે અને તેના પર 7.4 ટકા વ્યાજ મળે છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં પતિ અને પત્ની બંને 60 વર્ષની આયુમાં 15-15 લાખ રૂપિયા રોકાણ કરી શકે છે. પ્રધાનમંત્રી વય વંદના યોજનાની એક ખાસિયત એ છે કે તેમાં મેડિકલ ટેસ્ટની જરૂર હોતી નથી અને પોલીસીધારક ગંભીર બીમારી વખતે પૈસા કાઢી શકે છે. આવી પરિસ્થિતિઓમાં 98 ટકા રકમ પાછી મળે છે. જ્યારે પોલીસના 3 વર્ષ પૂરા થયા બાદ તેના પર લોન પણ લઈ શકાય છે.

જો તમે આ યોજનામાં ન્યૂનતમ દોઢ લાખ રૂપિયા રોકાણ કરો છો તો તમને દર મહિને 1 હજાર રૂપિયા પેન્શન મળશે અને વધુમાં વધુ 15 લાખ રૂપિયા રોકાણ કરો છો તો 9250 રૂપિયા માસિક પેન્શન મળશે. આ પેન્શનને તમે ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક આધાર ઉપર પણ લઈ શકો છો.

આ પણ વાંચો :-

ગે ચેટિંગ એપથી યુવકને મળવા બોલાવ્યો અને પછી ત્રણ યુવકોએ ભેગા થઇને તેની સાથે…

Called the young man on a gay chatting app

  • અમદાવાદ (Ahmedabad) શહેરમાં રહેતા એક યુવકને ગે ચેટિંગ એપ ડાઉનલોડ કરવી ભારે પડી.

અજાણ્યા શખ્સે ફેક આઇડી (Fake ID) બનાવી આ યુવક સાથે સૌથી પહેલા મેસેજથી વાતચીત કરી. બાદમાં આ યુવકને મળવા બોલાવતા યુવક ત્યાં પહોંચ્યો હતો અને મેસેજ કરનાર પાર્ટનરની જગ્યાએ લૂંટારો (Robber) તેને મળ્યો અને બાદમાં ત્રણ લોકો તેને અવાવરૂ જગ્યાએ લઇ જઈ સોનાની ચેઇન લૂંટી લીધી. જો કે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો.

ત્રણ લોકોએ અંધારાનો લાભ લઇ તેની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા :

પોલીસે પકડેલા આ શખ્સોમાં દીપ ઉર્ફે  મુન્નો કટારિયા,  જીજ્ઞેશ ઉર્ફે જીગુ અને  તેજસ મારવાડીની ઓળખ થઈ છે. જે આરોપીઓએ એક યુવકને લૂંટ્યો હતો તે આરોપીઓએ સામાન્ય મોડસ ઓપ્રેન્ડીથી નહિ પણ ગે ચેટિંગ એપ પર ફેક આઇડી બનાવી ભોગ બનનાર યુવક સાથે વાતચીત કરી હતી. બાદમાં પાર્ટનર તરીકેની ઓળખ આપી આરોપીએ તે યુવકને મળવા બોલાવ્યો હતો.

યુવક ત્યાં મળવા ગયો એ પછી  તેને અવાવરૂ જગ્યાએ લઇ ગયા. જ્યાં ત્રણ લોકોએ અંધારાનો લાભ લઇ તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો પણ આરોપી પાસે એટલી રોકડ ન હોવાથી તેની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા.

એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજ સાંજે અલગ-અલગ પાત્રો સાથે મિત્રતા કેળવવા :

અમદાવાદના પોષ વિસ્તારમાં રહેતા યુવકને ગે સબંધોના કારણે પુરુષ મિત્ર બનાવવું ભારે પડ્યું. આ અંગે પોલીસે તપાસ કરતા માલુમ પડ્યુ કે ભોગ બનનાર યુવકને થોડા સમય પહેલા જ ગે પાર્ટનર વિશેની એપ્લિકેશનની જાણ થઈ હતી.

તે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજ સાંજે અલગ-અલગ પાત્રો સાથે મિત્રતા કેળવવા પ્રયાસ કરતો હતો. એક શખ્સે તેની સાથે વાતો કરતા જ તે તેના સકંજામાં આવી ગયો અને આરોપીઓએ મોજશોખ માટે આ રીતે લૂંટ કરી હોવાનું આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

લગ્ન પ્રસંગેમાં ચલણી નોટોનો કરાયો વરસાદ, 500-500ની નોટો પકડવા દોડધામ, જુઓ તસવીરો

0

Rain of currency notes on the occasion of marriage

  • કડી તાલુકા અગોલ ગામની ઘટના. લગ્નમાં ચલણી નોટોનો કરાયો વરસાદ. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં. 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ.

ફરી એક વખત લગ્નમાં નોટોનો વરસાદ (Currency notes showered in marriage) કરાયો હોવાની ઘટના સામે આવી છે. કડી તાલુકાના અગોલ ગામની આ ઘટના છે. જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. અહીં વરઘોડામાં ચલણી નોટો (Currency notes) ઉડાવવામાં આવી હતી. જ્યારે લોકો પણ નોટો પકડવા દોડધામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

 આ ઘટના કડી તાલુકા અગોલ ગામની છે. જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 500 અને 100ની નોટ ઉડાવવામાં આવી હતી. અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઇ જાદવના ભત્રીજાના લગ્ન હતા. વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં હતા. જ્યારે 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ કરી રહ્યા હતા.

જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 500 અને 100ની નોટ ઉડાવવામાં આવી હતી. અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઇ જાદવના ભત્રીજાના લગ્ન હતા. વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં હતા. જ્યારે 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ કરી રહ્યા હતા.

 સામાન્ય રીતે ડાયરામાં નોટોનો વરસાદ કરાતો હોય તેવું સામે આવતું હોય છે. પરંતુ ઘણી વખત લગ્નની ખુશીમાં પણ લોકો ચલણીનો નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે. કડીમાં પણ કંઇક આવું જ બન્યું છે.

સામાન્ય રીતે ડાયરામાં નોટોનો વરસાદ કરાતો હોય તેવું સામે આવતું હોય છે. પરંતુ ઘણી વખત લગ્નની ખુશીમાં પણ લોકો ચલણીનો નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે. કડીમાં પણ કંઇક આવું જ બન્યું છે. અહીં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 10-20ની નહીં પરંતુ 500-500ની નોટો ઉડાવવામાં આવતાં લોકોએ પણ તેને પકડવા દોડધામ કરી હતી.

આ પણ વાંચો :-