Home Blog Page 1136

Bank Holiday in April 2023 : ફટાફટ પતાવી લેજો બેન્કના કામ, એપ્રિલમાં 15 દિવસ બંધ રહેશે બેંકો

0

Bank Holiday in April 2023

  • Bank Holiday in April 2023 : બેંકો એપ્રિલ મહિનામાં કુલ 15 દિવસ બંધ રહેશે. તેમાં મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતી જેવા અનેક તહેવારોની રજાઓનો સમાવેશ થાય છે.

એપ્રિલ (April) મહિનો શરૂ થવાનો છે. આ મહિનાની સાથે જ નવું નાણાકીય વર્ષ (Financial year) શરૂ થશે. નાણાકીય દૃષ્ટિકોણથી એપ્રિલ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય.

તો જાણો આ મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક (Reserve Bank) દ્વારા જારી કરવામાં આવેલી યાદી અનુસાર એપ્રિલ મહિનામાં બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.

એપ્રિલમાં ઘણા તહેવારોને કારણે બેંકો 15 દિવસ બંધ રહેશે :

રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલી રજાઓની યાદી અનુસાર એપ્રિલ મહિનામાં અનેક તહેવારો અને જયંતી આવશે. જેના કારણે સરકારી, ખાનગી અને સહકારી બેંકો 15 દિવસ સુધી બંધ રહેશે. સાલાના ક્લોઝીંગને કારણે એપ્રિલની પહેલી તારીખે બેંકો ગ્રાહકો માટે બંધ રહેશે.

આ ઉપરાંત મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતી જેવા અનેક તહેવારોના કારણે બેંકમાં રજા રહેશે. જો તમારે પણ એપ્રિલ મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કામ પાર પાડવાનું હોય તો બેંકની રજાઓનું લિસ્ટ ચોક્કસ તપાસો.

એપ્રિલ 2023માં કયા દિવસે બેંકો રહેશે બંધ :

  • 1 એપ્રિલ, 2023- વાર્ષિક ક્લોઝીંગને કારણે આઈઝોલ, શિલોંગ, શિમલા અને ચંદીગઢ સિવાય દેશભરની બેંકોમાં રજા રહેશે.
  • 2 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
  • 4 એપ્રિલ, 2023- મહાવીર જયંતિના કારણે અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, રાયપુર, ચેન્નાઈ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હીમાં બેંકોમાં રજા રહેશે.
  • 5 એપ્રિલ, 2023- બાબુ જગજીવન રામની જન્મજયંતિના કારણે હૈદરાબાદમાં બેંકમાં રજા રહેશે.
  • 7 એપ્રિલ 2023- ગુડ ફ્રાઈડેના કારણે અગરતલા, અમદાવાદ, ગુવાહાટી, જયપુર, જમ્મુ, શિમલા અને શ્રીનગર સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 8 એપ્રિલ, 2023 – બીજા શનિવારની રજા
  • 9 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
  • 14 એપ્રિલ, 2023- ડો. બાબાસાહેબ આંબેડકરના કારણે આઈઝોલ, ભોપાલ, નવી દિલ્હી, રાયપુર, શિલોંગ અને શિમલા સિવાય દેશભરની બેંકોમાં રજા રહેશે.
  • 15 એપ્રિલ, 2023- વિશુ, બોહાગ બિહુ, હિમાચલ દિવસ, બંગાળી નવા વર્ષને કારણે, અગરતલા, ગુવાહાટી, કોચી, કોલકાતા, શિમલા અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
  • 16 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
  • 18 એપ્રિલ, 2023 – જમ્મુ અને શ્રીનગરમાં શબ-એ-કદરના કારણે બેંક રજા
  • 21 એપ્રિલ, 2023- ઈદ-ઉલ-ફિત્રના કારણે અગરતલા, જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમની બેંકોમાં રજા રહેશે.
  • 22 એપ્રિલ, 2023- ઈદ અને ચોથા શનિવારને કારણે ઘણી જગ્યાએ બેંકો બંધ રહેશે.
  • 23 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
  • 30 એપ્રિલ, 2023 – રવિવારની રજા.

આ પણ વાંચો :-

જો તમે વડોદરા-અમદાવાદ કારમાં મુસાફરી કરતા હોવ તો તમારા માટે આંચકાજનક સમાચાર

0

Shocking news for you if you are

  • સામાન્ય લોકોને પડતા પર માટું મારવા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જો તમે વડોદરા અને અમદાવાદ વચ્ચે કાર દ્વારા મુસાફરી કરતા હોવ તો તમારા ખિસ્સા પર હવે ભાર વધવા જઈ શકે છે. વધુ માહિતી માટે વાંચો અહેવાલ.

સામાન્ય લોકોને પડતા પર માટું મારવા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણ કે બે દિવસ બાદ એટલે કે પહેલી એપ્રિલથી હવે વડોદરા (Vadodara) અને અમદાવાદ (Ahmedabad) વચ્ચે નેશનલ એક્સપ્રેસ વે (National Expressway) તથા નેશનલ હાઈવે 48 પર ટોલ ફીનો વધારો અમલી કરવામાં આવશે જેના કારણે આ રસ્તે અવરજવર કરતા લોકોના ખિસ્સા પર અસર થઈ શકે છે. આ જાહેરાત આરબીઆઈ (RBI) દ્વારા કરવામાં આવી છે.

કેટલો થયો વધારો :

મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા જે  જાહેરાત કરવામાં આવી છે તે મુજબ વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. આ વધારા બાદ હવે પહેલી એપ્રિલથી વડોદરાથી આણંદ જો કાર લઈને જતા હશો તો ફાસ્ટટેગની ટોલ ફી 50 રૂપિયા, નડિયાદ માટે 70 રૂપિયા, વડોદરાથી ઔડા રિંગ રોડના 130 રૂપિયા અને અમદાવાદ માટે 135 રૂપિયા ચૂકવવા પડશે.

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે (NH 48) રઘવાણજના ટોલ નાકા પર પણ મોટરકારના 105 રૂપિયા અને વાસદથી વડોદરા માટે વાસદના ટોલનાકા પર કારના હવેથી 150 રૂપિયા વસૂલવામાં આવશે. આ વધારા બાદ હવે સામાન્ય લોકોના ખિસ્સા વધુ ખાલી થશે જે તેમના બજેટ પણ ખોરવી શકે છે.

આ પણ વાંચો :-

Unseasonal Rain : બે દિવસ છે ભારે ! ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

0

Unseasonal Rain : બે દિવસ છે ભારે ! ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

  • Weather Update : ઉનાળો શરૂ થયો પરંતુ હજુ જાણે કમોસમી વરસાદ ગુજરાતનો પીછો છોડતો નથી એવું લાગે છે. હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જેના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

છેલ્લા કેટલાય દિવસોથી કમોસમી વરસાદ (Unseasonal Rain) ગુજરાતને ધમરોળી રહ્યો છે. ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વધુ એક ચિંતાજનક વાત એ છે કે હજુ પણ 2 દિવસ ગુજરાતમાં (Gujarat) કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પવન સાથે વરસાદ વરસે તેવું અનુમાન છે.

આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ :

કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, જામનગર, રાજકોટ વગેરે વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી છે. પવન અને થંડર સ્ટ્રોમ સાથે વરસાદ વરસી શકે છે.

રાજકોટના ઉપલેટામાં વાતાવરણમાં પલટો :

બીજી બાજુ રાજકોટના ઉપલેટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં હળવો વરસાદ જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવતા જગતના તાત ચિંતામાં મૂકાયા છે. ઘઉં, ધાણા, તલ અને જીરૂના પાકને નુકસાન થાય તેવી ભીતિ છે.

આ પણ વાંચો :-

હવે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો ચેતી જજો, પોલીસ કરવા જઈ રહી છે આ કામ

0

Now people driving at over speed beware

  • બાઈકથી લઈને કાર સુધીના વાહનો ઓવર સ્પીડમાં ચલાવીને મજા લેતા હોય છે. પણ હવે ચેતી જજો કેમ કે, તંત્ર તમારા ઉપર નજર રાખી રહ્યું છે અને જો તમારુ વાહન ઓવર સ્પીડ હશે. તો તેને બ્રેક મારવા તમારે તગડો દંડ ચુકવવો પડશે.

શહેરમાં હવે ઓવર સ્પીડમાં (Over speed) વાહન ચલાવતા લોકો ચેતી જજો કારણ કે હવે સુરત ટ્રાફિક પોલીસને રાજ્ય સરકાર દ્વારા 30 સ્પીડ ગન ફાળવવામાં આવી છે અને હવે ટ્રાફિક પોલીસ (Traffic Police) આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોને દંડ કરશે.

સુરત શહેરમાં અત્યાર સુધી ટ્રાફિક પોલીસ પાસે એક જ સ્પીડ ગન હતી પરંતુ હવે રાજ્ય સરકારે 30 સ્પીડ ગન ફાળવી હોવાના કારણે સ્પીડ ગનની સંખ્યા 31 થઈ છે. જેથી હવે પ્રતિદિન ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ 31 જેટલા પોઈન્ટ પર આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા મીડિયાને સંબોધન કરતાં જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં 2018માં ફેટલ અકસ્માતની સંખ્યા 325 હતી. જે 2022માં 293 થઈ છે. તો 2018માં કુલ અકસ્માતની ઘટના 1177 હતી જે 2022માં 886 થઈ છે એટલે કે 2018ની તુલનામાં 2022માં 329 અકસ્માતના કેસમાં ઘટાડો થયો છે.

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 45% અકસ્માતો જે થાય છે તે ઓવર સ્પીડિંગના કારણે થાય છે અને 7% અકસ્માત ભયજનક ઓવરટેક કરવાના કારણે થાય છે. ત્યારે શહેરમાં બાઈક માટેની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક, થ્રી વ્હીલર માટે 40 કિલોમીટર પ્રતિ કલાક અને કાર માટે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે અને જો આ ગતિથી કોઈ વાહન ચાલક વધુ સ્પીડથી વાહન ચલાવશે તો પોલીસ દ્વારા તાત્કાલિક જ વાહન ચાલકને દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

આ વખતે ગુજરાતમાં કેરીના ફાંફાં ! હવે માત્ર 30 ટકા જ બચ્યો છે પાક, ખેડૂતોનો જીવ અધ્ધર

0

This time, mangoes in Gujarat

  • ગુજરાતના ગીરની કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફળોનો રાજા ગણાતી કેરીનું તળાજામાં મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે. તળાજામાંથી અમેરિકા, કેનેડા સહીત અનેક દેશોમાં કેસર કેરી મોકલવામાં આવે છે.

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વલસાડ (Valsad) જિલ્લામાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી અત્યાર સુધી બે વખત કમોસમી વરસાદથી (Unseasonal Rain) નુકસાન સહન કરી ચૂકેલા વલસાડ જિલ્લાના ખેડૂતોના જીવ અધ્ધર છે.

મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં કેરીનો પાક અત્યારે તૈયાર થવાની અણી પર છે. એ વખતે જ છેલ્લા એક મહિનાથી બદલાઈ રહેલા વાતાવરણ અને કમોસમી વરસાદથી વલસાડ જિલ્લામાં ખેડૂતોના મતે અત્યાર સુધી કેરીના પાકમાં 70% નુકસાન થઈ ચૂક્યું છે. અને હવે માત્ર 30 ટકા જ પાક બચ્યો છે.

હજુ પણ આગામી સમયમાં વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોના જીવ અધ્ધર છે. કારણ કે 30% પાકજે બચ્યો છે તે પણ હવે આગામી સમયમાં બચશે કે કેમ..?? તેને લઈને મોટો સવાલ છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો ની ઊંઘ ઊડી ગઈ છે. સરકાર દ્વારા સર્વેની જાહેરાત કરવામાં આવી છે.

પરંતુ હજુ સુધી વલસાડ જિલ્લાના ઉમરગામના કનાડુ અને આસપાસના વિસ્તારમાં સર્વે ન થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આથી આ વર્ષે કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકમાં નુકસાન સહન કરી રહેલા વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે. અને વહેલી તકે સર્વે કરી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ,’ ભૂપેન્દ્ર દાદાની બીજી સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ

  • ગુજરાતમાં ભાજપના આંતરિક ગજગ્રાહ વખતે વડાપ્રધાન મોદી અને અમિત શાહે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરીને લોકોને ચોંકાવી દીધા હતા.
  • સોપારી મમળાવતા મમળાવતા ધારાસભ્યો વચ્ચે બેઠેલા ભૂપેન્દ્ર પટેલ પોતાને પણ ખબર નહોતી કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે.
  • પ્રથમ વખતે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો તાજ તો પહેરી લીધો હતો પરંતુ પક્ષમાં સર્વોપરીતાના ગજગ્રાહમાં એક વખત મુખ્યમંત્રીપદ ખાલી કરવા સુધી પહોંચી ગયા હતા.
  • પરંતુ ગત ચૂંટણીનો દોર વડાપ્રધાન મોદી, અમિત શાહ અને સી.આર.પાટીલે હાથમાં લઇને ભૂપેન્દ્ર પટેલને વધુ મજબૂત બનાવ્યા હતા અને મોદીએ પોતાનો રેકોર્ડ તોડીને ૧૫૬ બેઠકો સાથે ભૂપેન્દ્ર પટેલને ફરી મુખ્યમંત્રી બનાવવા સાથે સરકાર ચલાવવા છુટોદોર આપીને ભૂપેન્દ્ર પટેલના રાજકીય કદમાં વધારો કરી દીધો હતો.

ગુજરાતનો ઔદ્યોગિક, સામાજિક અને માળખાગત વિકાસની હારમાળા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) બીજી વખતની સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થઈ ગયા. ભૂપેન્દ્ર પટેલ ખરેખર તો નસીબના બળિયા છે. વિજય રૂપાણી (Vijay Rupani) સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની ભાજપ મોવડીમંડળે મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત ૧૩-૦૯-૨૦૨૧ના રોજ પસંદગી કરી હતી ત્યારે ખુદ ભૂપેન્દ્ર પટેલને પણ કલ્પના નહોતી કે તેઓ આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

ખૂબ શાંત, સરળ સ્વભાવ અને દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલની મુુખ્યમંત્રી તરીકેની પસંદગીએ ખુદ ભાજપના લોકોને ચોંકાવી દીધા હતા. ભૂપેન્દ્ર પટેલને રાજકીય અને વહિવટી બંને અનુભવ છે. પરંતુ શાંત અને સરળ સ્વભાવને કારણે જાણિતા નેતાઓમાં નહોતા. અમદાવાદ વિકાસ સત્તામંડળ ‘ઔડા’ના ચેરમેન તરીકે તેમણે દાખવેલી દીર્ધદૃષ્ટીને કારણે અમદાવાદનો સુવ્યવસ્થિત વિકાસ થયો છે પરંતુ ઘણા લોકોને ખબર નહોતી કે ભૂપેન્દ્ર પટેલ ‘ઔડા’ના ચેરમેન હતા. લોકો અત્યાર સુધી આ ‘ઔડા’ના ચેરમેન તરીકે સુરેન્દ્ર કાકાને વધુ જાણતા હતા પરંતુ અમદાવાદના માળખાગત વિકાસ પાછળ ભૂપેન્દ્ર પટેલનો પણ એટલો જ સિંહફાળો રહ્યો છે.

ખેર, ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના માટે લોખંડના ચણા ચાવવા જેવી હાલત હતી. એક તરફ ભાજપમાં આંતરિક યાદવા સ્થળી ખદબદતી હતી. ભાજપના મોવડીઓના આંતરિક કાવાદાવાને કારણે એક વખત તો ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદનો ‘તાજ’ જેને જોઈતો હોય તેને પહેરાવવા તૈયાર થઈ ગયા હતા અને કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ તેમણે વેદના પણ વ્યક્ત કરી દીધી હતી.

બીજી તરફ ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ માથે આવીને ઉભી હતી. આવા સંજોગોમાં ભૂપેન્દ્ર પટેલ માટે મુખ્યમંત્રીપદ સફળતાપૂર્વક સંભાળવું લગભગ અશક્ય હતું. ભૂપેન્દ્ર પટેલ નહીં કોઈપણ બળિયો રાજકારણી પણ હાથ બાંધેલી હાલતમાં પક્ષ અને સરકારને સરખો ન્યાય તોળી શકે નહીં. પરંતુ ભૂપેન્દ્ર પટેલે બધુ ‘દાદા ભગવાન’ ઉપર છોડીને સરકારના મુખિયા તરીકેનો કારભાર ચાલુ રાખ્યો હતો.

આ બધાની વચ્ચે અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલની વહારે આવ્યા હતા અને જાણે બધા જ સંકટના વાદળો વિખેરાઈ ગયા હતા. ગુજરાતની ચૂંટણીનો દોર નરેન્દ્ર મોદી અને અમિત શાહે હાથમાં લેવાની ઘટના બીજા કોઈ માટે નહીં પરંતુ ભૂપેન્દ્ર પટેલ માટે ચોક્કસ ચમત્કાર ગણી શકાય.
વડાપ્રધાન મોદી અને અમિત શાહનો સતત ગુજરાતમાં પડાવ અને ચૂંટણીની વ્યુહરચનામાં સતત સાથે રહેવાથી ભૂપેન્દ્ર પટેલને ભાજપના સર્વોચ્ચ નેતૃત્વની હુંફ મળવાથી તેમનો માનસિક ભય દૂર થઈ ગયો હતો અને હળવા ફુલ બનીને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ ગયા હતા.

‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’ આ કહેવત ભૂપેન્દ્ર પટેલ માટે યથાર્થ પુરવાર થઈ ગઈ હતી. કારણ કે સમગ્ર ચૂંટણીનો ભાર વડાપ્રધાન મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉઠાવી રહ્યા હતા. આ તરફ નવી સરકારમાં ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની ભાજપ મોવડી મંડળે જાહેરાત કરીને ફરી વખત અનેક લોકોને ચોંકાવી દીધા હતા.

એક તરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહ, સી.આર. પાટીલ સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા હતા. ત્યારે બીજી તરફ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતભરમાં વસતા વિવિધ સમાજના લોકો સાથે વ્યક્તિગત વાર્તાલાપ, સમૂહ ભોજન કરીને ખાસ કરીને ઓબીસી પરિવારોમાં પોતીકા પણાનો ભાવ પેદા કરવામાં અદ્‍ભૂત સફળતા મેળવી હતી.

બીજી તરફ ‘આમ આદમી પાર્ટી’નો આક્રમક પ્રચાર અરવિંદ કેજરીવાલનો ગુજરાતમાં સતત પડાવ અને ભાજપની આંતરિક યાદવા સ્થળીને કારણે ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. રાજકારણને નજીકથી સમજતા લોકો પણ એવું માનતા હતા કે ભાજપને વધુમાં વધુ ૧૦૦ની આસપાસ બેઠકો મળશે પરંતુ ચૂંટણીના પરિણામોએ બધાના ગણિત ઊંધા પાડી દીધા હતા.

 

વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભાઓમાં સતત ‘નરેન્દ્ર-ભૂપેન્દ્ર’ની ડબલ એન્જિનની સરકારનો વારંવાર પ્રચાર કરીને ભૂપેન્દ્ર પટેલના ચહેરાને વધુ મજબૂત બનાવવા સાથે ભૂપેન્દ્ર પટેલની કાર્યક્ષમતાને લોકો સમક્ષ ઉજાગર કરી હતી. લોકો પણ ક્રમશઃ ભૂપેન્દ્ર પટેલને સૌમ્ય અને કાર્યક્ષમ મુખ્યમંત્રી તરીકે સ્વીકારતા થઈ ગયા હતા. ચૂંટણી સભાઓમાં વડાપ્રધાન મોદીએ પોતાના કરતા ભૂપેન્દ્ર પટેલની સરકારની વારંવાર સરાહના કરી હતી અને પોતાના એટલે કે નરેન્દ્ર મોદીના રેકોર્ડ તોડીને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઐતિહાસિક બેઠકોનો રેકોર્ડ હાંસલ કરવા લોકોને સતત અનુરોધ કરતા રહ્યા હતા.

PTI12_02_2021_000130B

અને ૧૫૬ બેઠકો સાથેનો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ઐતિહાસિક વિજય મેળવીને ફરી વખત મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલને આરૂઢ કરવા સાથે સરકાર ચલાવવા સ્વતંત્ર દોર આપ્યો હતો અને બીજી વખત તા.૧૨-૧૨-૨૦૨૨ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૩૨મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પુરા આત્મવિશ્વાસ સાથે કામગીરીનો પ્રારંભ કર્યો હતો. ૩૦મી માર્ચના રોજ નવી સરકારની વિધાનસભાનું પ્રથમસત્ર સમાપ્‍ત થયું.

નવાવર્ષનું બજેટ વિનાવિવાદે પાસ કરવા સાથે નવી શિક્ષણનીતિના કાયદો પણ પસાર કરાવીને રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પ‌રિવર્તન લાવવાની દિશામાં પ્રયાણ કર્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતમાં નવું રોકાણ લાવવાના પ્રયાસના ભાગ ભાગરૂપે ૫૯ ઉદ્યોગો સાથે ૯૦ હજાર કરોડના રોકાણના કરાર કરીને સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં નવો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. નવા ઉદ્યોગો શરૂ થવાથી લગભગ ૬૫ હજાર લોકોને સીધી રોજગારી મળશે.

આ ઉપરાંત સમગ્ર દેશ માટે ગૌરવ સમાન G-20 સમૂહ દેશોની બેઠકોનો દોર પણ ગુજરાતમાં સફળતા પૂર્વક યોજીને વિશ્વના દેશોને પણ ભારત અને ગુજરાતના માળખાગત વિકાસનો અહેસાસ કરવવા સાથે પર્યાવરણ સહિતની વૈશ્વિક સમસ્યાઓ અંગે ગુજરાતના પાટનગરમાં બેઠકો થઈ હતી અને વિશ્વના દેશોના પ્રતિનિધિઓ ગુજરાત આવ્યા હતા.

ચહેરા ઉપર મરક મરક હાસ્ય અને સુગંધી સોપારી મમળાવતા ભૂપેન્દ્ર પટેલ એટલે કે ‘ભૂપેન્દ્ર દાદા’ હવે સરકાર ચલાવવા માટે બરાબર પીઢ થઈ ચૂક્યા છે. રાજકારણના અટાપટાથી હંમેશા દૂર રહેવાનો સ્વભાવ ધરાવતા ‘ભૂપેન્દ્ર દાદા’ હવે આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. અલબત્ત ગુજરાત ભાજપનો ગઢ છે પરંતુ દેશના અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓને ચૂંટણી અભિયાનમાં જોડવાની તૈયારીઓ ચાલી છે તેના ભાગરૂપ બે દિવસ પૂર્વે તામિલનાડુ અને હૈદ્રાબાદના દ‌િક્ષણ ભારતના પ્રવાસ યોજવામાં આવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં લોકોને ઠેસ પહોંચે એવી એકપણ ઘટના બનવા પામી નથી. ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરીની ‘બ્લ્યુપ્રિન્ટ’ જોતા આવનારા સમયમાં ગુજરાત વેપાર, ઉદ્યોગક્ષેત્રે ઝડપથી ધમધમતું હશે અને રોજગારી, બેકારીની સમસ્યા લગભગ નહીં બરાબર થઈ જશે એવું પ્રથમ ૧૦૦ દિવસનું ચિત્ર જોતા લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

તમારી આસપાસ ટોયલેટ સીટ કરતા અનેક ગણા વધારે બેક્ટેરિયા છે, બેદરકારી તમને..

There are many times more bacteria

  • આપણે જાણે અજાણે આપણી આસપાસ રહેલી કેટલીક વસ્તુઓ દ્વારા બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. અને આપણને બિમારી પાડી શકે છે. આપણી ખૂબ જ સ્વચ્છતા રાખતા હોઈએ છીએ પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેના દ્વારા આપણા શરીરમાં બેક્ટેરિયા પ્રવેશવાની સંભાવના વધુ રહે છે.

આપણા ઘરમાં એક એવી જગ્યા છે જ્યાં ઘણા બધા બેક્ટેરિયા (Bacteria) હોય છે. એટલે કે ટોયલેટ સીટ (Toilet seat). લોકો ઘણીવાર તેને સ્પર્શ કરવાથી દૂર રહે છે. બીજી તરફ જો તેઓ તેને સ્પર્શ કરે તો પણ તેઓ તરત જ તેમના હાથ સાફ કરી નાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ટોયલેટ સીટ (Toilet seat) સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ પર ટોયલેટ સીટ કરતા વધુ બેક્ટેરિયા હોય છે.

અહીં અમને કેટલીક એવી વસ્તુઓ વિશે જાણવા મળ્યું છે જેને સ્પર્શ કરતા પહેલા આપણે આગામી સમયમાં હજાર વાર વિચારવું પડશે. તેમને વારંવાર સ્પર્શ કરવાથી પણ ચેપનું જોખમ વધી જાય છે. કારણ કે વસ્તુઓને સ્પર્શ કર્યા પછી, જાણતા-અજાણતા તેને ચહેરા પર લગાવો તો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ એ કઈ કઈ જગ્યાઓ છે.

ફોન :

આજના યુગમાં બહુ ઓછા લોકો હશે જેમની પાસે ફોન નહીં હોય. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં ફોન સાથે લઈ જઈએ છીએ. ઘણા લોકો ફોનનો ઉપયોગ બાથરૂમમાં પણ કરે છે. ફોનનો ઉપયોગ કરતી વખતે અમે તેને ગમે ત્યાં રાખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તે ગંદકીથી ભરેલી છે.

સિનેમા ઘર :

આપણે મૂવી થિયેટરોમાં બેસવા માટે જે ખુરશીઓનો ઉપયોગ કરીએ છીએ તેમાં પણ ઘણા બેક્ટેરિયા હોય છે. ઘણા લોકો આ ખુરશીઓ પર કોલ્ડ ડ્રિંક્સ અથવા અન્ય ઘણી વસ્તુઓ પણ છોડી દે છે. એટલા માટે આ ખુરશીઓ પર પણ ઘણા બેક્ટેરિયા હોય છે.

આ પણ વાંચો :-

 

શું તમે પણ બોટલનું પાણી પીઓ છો ? જો પીતા હોવ તો થઈ જાવ સાવધાન

Do you also drink bottled water

  • Plastic Water Bottle : બોટલ્ડ વોટર કંપનીઓ સામાન્ય રીતે ખૂબ જ ઓછા ખર્ચે ભૂગર્ભ જળને ટેપ કરે છે અને પછી તેને મ્યુનિસિપલ નળના પાણીના સમાન એકમ કરતાં 150થી 1000 ગણા વધુ ભાવે વેચે છે.

જળ એજ જીવન ” પાણીએ શરીરની અનિવાર્ય જરૂરીયાત છે. પાણીએ મહત્વનું જીવન રક્ષાક તત્વ છે. તેના વગર જીવન શકય નથી. શરીરના નિભાવ માટે પાણીની (Water) ખુબજ જરૂરીયાત છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે આપણે રોજ પાણી પીતા હોઈએ છીએ કે ઝેર? આજકાલ આપણે બોટલમાં પાણી પીએ છીએ અને તે પાણી પેક્ડ વોટર (Packed water) એટલે કે બોટલનું પાણી છે.

બોટલ્ડ વોટર વેચતી કંપનીઓ ઝડપથી વિકસી રહી છે. વિશ્વએ તમામ લોકો માટે સુરક્ષિત પાણીના ધ્યેય તરફ નોંધપાત્ર પ્રગતિ કરી છે અને વર્ષ 2020માં 74 ટકા માનવજાતને સલામત પાણીની પહોંચ હતી. આ 2 દાયકા પહેલા કરતા 10 ટકા વધુ છે. પરંતુ તે ભવિષ્ય માટે ખતરનાક છે. કારણ કે બોટલ્ડ વોટર ઈન્ડસ્ટ્રી બધા માટે ભરોસાપાત્ર પીવાનું પાણી પુરું પાડવામાં જાહેર પ્રણાલીઓની નિષ્ફળતાને છુપાવી રહી છે.

બોટલ્ડ વોટર કંપનીઓ સામાન્ય રીતે ખૂબ જ ઓછા ખર્ચે ભૂગર્ભ જળને ટેપ કરે છે અને પછી તેને મ્યુનિસિપલ નળના પાણીના સમાન એકમ કરતાં 150થી 1000 ગણા વધુ ભાવે વેચે છે. ઉત્પાદનને નળના પાણીના સંપૂર્ણ સલામત વિકલ્પ તરીકે રજૂ કરીને કિંમતને ઘણીવાર ન્યાયી ઠેરવવામાં આવે છે. જો કે બોટલમાં ભરેલું પાણી તમામ દૂષણોથી મુક્ત નથી કારણ કે તે ભાગ્યે જ જાહેર ઉપયોગિતાના નળના પાણી જેવા કડક જાહેર આરોગ્ય અને પર્યાવરણીય નિયમોને આધિન છે.

ધ કન્વર્સેશનમાં અહેવાલ થયેલા અભ્યાસ તારણ કાઢે છે કે અત્યંત નફાકારક અને ઝડપથી વધતો બોટલ્ડ વોટર ઈન્ડસ્ટ્રી બધા માટે વિશ્વસનીય પીવાનું પાણી પૂરું પાડવામાં જાહેર પ્રણાલીઓની નિષ્ફળતાને છુપાવી રહી છે. આ અભ્યાસ વિશ્વના 109 દેશોમાં કરવામાં આવ્યો હતો.

આ ઉદ્યોગ વિકાસના પ્રયત્નોને વાળીને અને ઓછા પોસાય તેવા વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરીને મોટાભાગના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સલામત પાણીના પ્રોજેક્ટ્સની પ્રગતિને નબળી બનાવી શકે છે. બોટલ્ડ વોટર ઈન્ડસ્ટ્રીમાં તેજી આવી છે. જે યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) ને પણ ઘણી રીતે અસર કરે છે.

આજકાલ આ બોટલનું પાણી એટલું વેચાય છે કે તેની ખરીદીથી ઉદ્યોગને ઘણો ફાયદો થાય છે. પરંતુ તે આપણા જીવન માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :-

30 માર્ચ 2023, આજનું રાશિફળ : આજે આ 5 રાશિના જાતકો પર વિષ્ણુજી રહેશે અસીમ કૃપા, ધંધામાં મળશે મોટી સફળતા

30 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે, આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રમે જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતા આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરપથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્ર‌ગતિ થથી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા, સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ
બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્નતાનો અનુવ થાય પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદનની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગનો સાથે મળતો જણાય છે.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાયછે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યવર્થઈના મતભેદો ટાળવા. ધંધાકીય વિદ્રાન વ્યકિતનો સહકાર મળી રહે. સંતાનો સાથે સાંતિથી કામ લેવું. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુકિત મળતી જણાય. હરીફો ઉપર‌ વિજય મેળવી શકાશે. આવક જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથા નો દુખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઈ બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટા ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગેમહત્તવના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય. શરદી ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકે. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળ‍વો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

Raghav Chadha સાથે લગ્નના સવાલ પર શરમાઈ ગઈ પરિણીતિ ચોપરા, VIDEOમાં જુઓ કેવું આપ્યું રિએક્શન

Parineeti Chopra got embarrassed  

  • Parineeti Chopra reaction On Marriage : બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે ડેટિંગને લઈને ચર્ચામાં આવ્યા છે.

બોલિવુડ (Bollywood) અને રાજનીતિનો (Politics) સંબંધ કંઈ નવો નથી. ઘણા સેલિબ્રિટીઝે ફિલ્મી સ્ટાર્સને છોડી નેતા સાથે લગ્ન કર્યા છે. સ્વરાભાસ્કર (Swarabhaskar) બાદ પરિણીતિ ચોપડા પણ હવે લગ્ન કરવા માટે તૈયાર છે.

અહેવાલ અનુસાર તે જલ્દી જ AAP નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથે લગ્ન કરવા જઈ રહી છે. આમ તો લગ્નની કોઈ ઓફિશ્યલ એનાઉન્સમેન્ટ નથી થઈ. પરંતુ હવે લગ્નની ખબરો પર પરિણીતીનું રિએક્શન સામે આવી રહ્યું છે.

રાઘવ ચઢ્ઢા સાથે લગ્નની ખબર પર પરિણીતિનું રિએક્શન  :

ગઈકાલે રાત્રે એટલે કે 28 માર્ચ 2023એ પરિણીતિ ચોપરાને લગ્નની ખબરોની વચ્ચે એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી હતી. આ સમયે તેની સાથે લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે રાઘવ ચઢ્ઢા સાથે પોતાના લગ્નને લઈને કોઈ નિવેદન તો નથી આપ્યું પરંતુ તેના શરમાવવા અને સ્માઈલે સવાલનો જવાબ આપી દીધો.

લગ્નનો સવાલ સાંભળીને પરિણીતિ શરમાઈ ગઈ અને કેની આંખોમાં પણ ચમક જોવા મળી. એરપોર્ટ પર એક્ટ્રેસ વ્હાઈટ હાઈનેકની સાથે બ્લેક કોટ-પેંટમાં ગોર્જિયસ લાગી રહી હતી.

આ પણ વાંચો :-