Home Blog Page 1128

06 એપ્રિલ 2023 આજનું રાશિફળ : અકારણ ચિંતા નુકસાન કરાવશે, અગત્યના કામકાજમાં રાખજો સાવધાની, આ રાશિના જાતકોનું નસીબ રમશે રમત, જુઓ રાશિ ભવિષ્ય

06 April 2023 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
શારીરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુનાં ધંધામાં લાભ.

વૃષભઃ
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ.

મિથુનઃ
વાહન સુખમાં વૃદ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
પરિવારમાં સુખ-શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી-ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઈગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધુરા કાર્યો પુરા થતા જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારું છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારું રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ
ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારું રહેશે.

કુંભઃ
નકારાત્મક વિચારો રહે. માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

Jio Recharge : આ છે જિયોના સૌથી સસ્તા પ્રીપેડ પ્લાન, માત્ર 149 રૂપિયાથી શરૂ કિંમત

Jio Recharge
  • Jio Recharge Plans : સસ્તા રિચાર્જ પ્લાનની શોધ કરવી ખુબ મુશ્કેલ હોય છે પરંતુ જિયો પ્રીપેડ યૂઝર્સની સામે આવી કોઈ સમસ્યા નથી અને તેના માટે ખુબ સસ્તા પ્લાન્સ હાજર છે.

જો તમે એક જિયો પ્રીપેડ કસ્ટમર (Jio prepaid Customer) છો અને દર મહિને કોઈ મોંઘા રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવો છો જેમાં તમને બેનિફિટસ તો વધુ મળી રહ્યાં છે પરંતુ તમે તેનો ઉપયોગ કરી શકતા નથી અને તમારા પૈસા બરબાદ થાય છે. તો હવે તમારી સામે આવી સમસ્યા આવશે નહીં.

હકીકતમાં જિયો પ્રીપેડ રિચાર્જ પ્લાન્સના લિસ્ટમાં કેટલાક એવા પ્લાન સામેલ છે. જેમાં મોંઘા પ્લાન્સવાળા બેનિફિટસ તો મળે છે પરંતુ તે માટે તમારે 200 રૂપિયાથી પણ ઓછો ખર્ચ કરવો પડે છે. જો તમે આ રિચાર્જ પ્લાન્સ એક્ટિવ કરાવવા ઈચ્છો છો તો આજે અમે તમારા માટે જિયોના આવા કેટલાક રિચાર્જ પ્લાન્સ લઈને આવ્યા છીએ. જે તમારા બજેટમાં છે. તેમાં તમને ઘણા શાનદાર બેનિફિટસ પણ મળશે.

ક્યા છે સસ્તા રિચાર્જ પ્લાન્સ :

149 રૂપિયાનો પ્લાન :  Jio પોતાના પ્રીપેડ રિચાર્જ પોર્ટફોલિયોમાં 149 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ ગ્રાહકોને આપે છે. જેમાં તમને દમદાર બેનિફિટસ જોવા મળે છે. જેના કારણે ન માત્ર તમને અનલિમિટેડ કોલિંગ પરંતુ સાથે ઈન્ટરનેટની મજા પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 20 દિવસની છે અને તેમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા આપવામાં આવે છે. એટલું જ નહીં 20 જીબી ડેટાની સાથે ગ્રાહકોને દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ યૂઝર્સને આપવામાં આવે છે.

179 રૂપિયાનો રિચાર્જ પ્લાન : રિચાર્જ પ્લાનમાં કંપની ઘણા સારા બેનિફિટસ ઓફર કરે છે. જેમાં કોલિંગ જેવા બેનિફિટસ તો સામેલ છે. સાથે ઈન્ટરનેટ પણ આ પ્લાનમાં મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસ છે અને તેમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી એસએમએસનો લાભ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

દેશનું એકમાત્ર ગામ…જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો

0
The only village in the country
  • Plastic Free : આ ગામનો આ જબરદસ્ત નિયમ ઘણા સમયથી ચર્ચામાં છે. આ યોજનામાં સામેલ છે. આ યોજના હેઠળ 20 ક્વિન્ટલ પ્લાસ્ટિક વેસ્ટ આપવા માટે એક સોનાનો સિક્કો આપવામાં આવશે. સ્થિતિ એવી બની છે કે આ યોજનાની જાહેરાત થતાં જ માત્ર 15 દિવસમાં આખા ગામને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરી દેવામાં આવ્યું છે.

Give Plastic Take Gold : લોકો સોનું (Gold) ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચે છે. કેટલાક લોકો પહેરવા માટે સોનું ખરીદે છે. જ્યારે કેટલાક તેને રોકાણના હેતુ માટે ખરીદે છે. પરંતુ કલ્પના કરો કે જો તમને કચરાના બદલામાં સોનું મળી રહ્યું છે. તો તમે કદાચ ઘણો કચરો આપશો અને બદલામાં તેમાંથી સોનું (Gold) લેશો. ભારતમાં એક એવું ગામ છે જ્યાં તમને કચરો આપવાને બદલે સોનું મળે છે. હાલત એવી થઈ ગઈ છે કે આ વાત જાહેરાત થતાં જ કચરો સાફ થઇ ગયો.

ખરેખર આ ગામ દક્ષિણ કાશ્મીરના (South Kashmir) વર્તમાન અનંતનાગ જિલ્લામાં છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ ગામનું નામ સાદીવારા છે અને થોડા સમય પહેલા આ ગામના સરપંચે પ્લાસ્ટિક પ્રદૂષણને પહોંચી વળવા માટે આ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ ગામના સરપંચ ફારૂક અહમદ ગનઈ ગામને પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત બનાવવા માંગે છે. વ્યવસાયે વકીલ ગણાઈએ ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ બહુ સફળતા મળી નથી. જો કે આ વખતે તેના પ્રયત્નો રંગ લાવી રહ્યા છે.

‘પ્લાસ્ટિક આપો અને સોનું લો’

મળતી માહિતી મુજબ પ્રધાન એટલે કે સરપંચે ‘પ્લાસ્ટિક આપો અને સોનું લો‘ નામનું અભિયાન શરૂ કર્યું હતું. આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ 20 ક્વિન્ટલ પ્લાસ્ટિકનો કચરો આપશે તો પંચાયત તેને સોનાનો સિક્કો આપશે. સ્થિતિ એવી બની છે કે અભિયાન શરૂ થયાના 15 દિવસમાં જ આખા ગામને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. આ અભિયાનને ઘણી લોકપ્રિયતા મળી છે.

આ પણ વાંચો :

IPLથી MP ડ્રાઈવર રાતોરાત બની ગયો કરોડપતિ, 49 રૂપિયાનું રોકાણ કરીને જીત્યો..

0

MP driver became

  • મધ્યપ્રદેશના સેંધવામાં રહેતો ડ્રાઈવર રાતોરાત કરોડપતિ બની ગયો છે. ઓનલાઈન ગેમિંગ એપ ડ્રીમ 11 માં ટીમ બનાવી પહેલું સ્થાન મેળવી 1.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતી.

હવે સામાન્ય લોકો પણ IPL દ્વારા કરોડપતિ બની રહ્યા છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશના (Madhya Pradesh) સેંધવામાં રહેતો ડ્રાઈવર રાતોરાત કરોડપતિ બની ગયો છે. ઓનલાઈન ગેમિંગ એપ ડ્રીમ 11 (Dream 11) ટીમે યુવકને કરોડપતિ બનાવી દીધો છે.

ડ્રાઈવર શહાબુદ્દીન (Driver Shahabuddin) લગભગ 2 વર્ષથી ઓનલાઈન ગેમિંગ એપ Dream11 માં ટીમ બનાવીને પોતાનું નસીબ અજમાવી રહ્યો હતા. એવામાં આ આઈપીએલમાં કોલકાતા (Kolkata) અને પંજાબ  (Punjab)વચ્ચેની મેચમાં શહાબુદ્દીને 49 રૂપિયાની એન્ટ્રી ફી સાથે કેટેગરીમાં ટીમ બનાવી અને પ્રથમ સ્થાન મેળવ્યું. પ્રથમ સ્થાન મેળવનાર યુવાનોનેની ઈનામી રકમ મળશે. 1.5 કરોડની રકમ જીત્યા બાદ શહાબુદ્દીનની ખુશીનો કોઈ પાર નથી.

આ પણ વાંચો :-

ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવી પહેલીવાર એવો ડાયરો કરશે જેમાં રૂપિયા નહિ ઉડે !

0

Gujarati singer Kirtidan Gadhvi  

  • Hanuman Temple : રાજ્યમાં પ્રથમવાર પશુઓ માટે રોટલીયોત્સવ રાખવામાં આવયો છે, જેમાં કીર્તદાન ગઢવીના લોકડાયરામાં રોટલો કે રોટલી જોવા મળશે.

ગુજરાતમાં પહેલીવાર એવો ડાયરો યોજાશે જેમાં રૂપિયા નહિ ઉડે. આ ડાયરામાં રોટલીઓનો વરસાદ થશે. રાજ્યમાં પ્રથમવાર પશુઓ માટે રોટલીયોત્સવ (Bread festival) આયોજિત કરાયો છે. આ લોકડાયરો જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી (Kirtidan gadhvi) ગજવશે. જેમાં લોકો પાસેથી રૂપિયાના બદલે રોટલા અને રોટલી લેવામાં આવશે.

મંદિરમાં ચઢે છે રોટલીઓનો પ્રસાદ  :

અબોલ પશુ પક્ષીઓના ભૂખ્યાં પેટનો ખાડો પુરે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે. આ મંદિરમાં માત્ર રોટલીનો જ પ્રસંદ ચઢે છે. પાટણના હાંસાપુર રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે સિંદૂર કે વડા ચઢાવાતા હોય છે. પરંતુ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે.

પરંતુ રોટલીયા હનુમાન દાદા એ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. આ વાત જાણીને આશ્ચર્ય થશે કે હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે. તો અમે આપને જણાવી દઈએ કે અહીં રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ ચડતો નથી.

પાટણ તેમજ આસપાસના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે. તો સાંજ પડે મોટી માત્રામાં રોટલા રોટલીઓ મંદિરના વ્યવસ્થાપકો ભેગા કરે છે અને તે રોટલાઓને અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે. રોટલીયા હનુમાન મંદિરથી આજે પાટણ શહેરના અનેક શ્વાનો આનંદથી રોટલા રોટલી ખાઈને પોતાની જઠરાગ્ન ઠારી રહ્યાં છે.

કીર્તિદાનના ડાયરામાં રોટલીઓ આવશે :

16 એપ્રિલે આ મંદિરને એક વર્ષ પૂરુ થઈ રહ્યું છે. ત્યારે આ પ્રંસગે 16 એપ્રિલના રોજ રોટલીયોત્સવનું આયોજન કરાયું છે. જેમાં પ્રેક્ષકો પાસેથી ટિકિટ રૂપિયે રૂપિયાના બદલે રોટલા કે રોટલી લેવામા આવશે. ડાયરામાં આવનાર માટે રોટલો કે રોટલી લઈ આવવું ફરજિયાત છે. તેને ગેટ પર આપ્યા બાદ જ પ્રવેશ મળશે.

આ પણ વાંચો :-

Maruti Suzuki Fronx Engine : મારુતિની આ નવી ગાડી લેવા પડાપડી ! જાણો શું છે કારણ

Maruti Suzuki Fronx Engine 

  • Maruti Suzuki Fronx Engine : Maruti Fronxમાં બે એન્જિન વિકલ્પો હશે. પ્રથમ 1.0-લિટર, ઈનલાઇન-થ્રી-સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ બૂસ્ટરજેટ પેટ્રોલ એન્જિન અને બીજું 1.2-લિટર, ચાર-સિલિન્ડર, કુદરતી રીતે એસ્પિરેટેડ, ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT પેટ્રોલ એન્જિન.

મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સ માઈલેજ (Maruti Suzuki Fronx Engine) : મારુતિ સુઝુકી ભારતીય બજારમાં મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સ લોન્ચ કરવા માટે તૈયાર છે. તેને ઓટો એક્સપો 2023માં (Auto Expo 2023) રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું હતું. બુકિંગ શરૂ થયાના ત્રણ મહિનામાં 15,500થી વધુ ગ્રાહકો દ્વારા તેનું બુકિંગ કરવામાં આવ્યું છે.

તેને બલેનો (Baleno) અને મારુતિ બ્રેઝાની (Maruti Brezza) વચ્ચે મૂકવામાં આવશે. આ એક ક્રોસઓવર એસયુવી છે. જે આકર્ષક દેખાવ અને બે એન્જિન વિકલ્પો સાથે લાવવામાં આવી છે. ગ્રાહકોને તેની વિશેષતાઓની વિગતો પહેલેથી જ મળી ગઈ છે. પરંતુ હવે તેની માઈલેજની વિગતો પણ લોન્ચ થતા પહેલા જ સામે આવી ગઈ છે.

માઈલેજ :

Maruti Fronxને બે એન્જિન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે. પ્રથમ 1.0-લિટર, ઇનલાઇન-થ્રી-સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ બૂસ્ટરજેટ પેટ્રોલ એન્જિન અને બીજું 1.2-લિટર, ચાર-સિલિન્ડર, કુદરતી રીતે એસ્પિરેટેડ, ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT પેટ્રોલ એન્જિન. અમે તમને જણાવીએ કે 1.0-લિટર બૂસ્ટરજેટ 100PS અને 148Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જ્યારે 1.2-લિટર યુનિટ 90PS અને 113Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.

તેનું 1.2-લિટર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 21.79 km/l અને 5-સ્પીડ AMT ટ્રાન્સમિશન સાથે 22.89 km/l આપે છે. જ્યારે 1.0-લિટર એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 21.5kmpl અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 20.01kmpl ની ફ્યુઅલ ઈકોનોમી આપે છે.

કલર અને ફિચર્સ :

ફ્રોન્સ 5 ટ્રિમ્સમાં આવશે : સિગ્મા, ડેલ્ટા, ડેલ્ટા+, ઝેટા અને આલ્ફા. આ ઉપરાંત, મારુતિ તેને 8 કલર વિકલ્પો સાથે ઓફર કરે છે. Baleno પર આધારિત, Maruti Franks 3,995mm લંબાઈ, 1,765mm પહોળાઈ, 1,550mm ઊંચાઈ અને 2,520mm વ્હીલબેઝ ધરાવે છે. તેની બૂટ સ્પેસ 308 લિટર છે.

વિશેષતાઓ :

Fronx મારુતિ બલેનો જેવી જ સુવિધાઓ ધરાવે છે. તેમાં એલઈડી હેડલાઈટ્સ, ફોલો મી હોમ ઓટો હેડલેમ્પ્સ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, પેડલ શિફ્ટર્સ, ક્રુઝ કંટ્રોલ, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ સ્વિચ, યુએસબી ફાસ્ટ ચાર્જિંગ પોર્ટ (ટાઈપ-સી અને ટાઈપ-એ), સ્માર્ટપ્લે સાથે 9 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. Pro+. , વાયરલેસ Apple CarPlay અને Android Auto, 6-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, બિલ્ટ-ઈન વોઈસ આસિસ્ટન્ટ, OTA અપડેટ્સ, હેડ-અપ ડિસ્પ્લે, 360-ડિગ્રી કેમેરા, ESP, હિલ હોલ્ડ આસિસ્ટ, છ એરબેગ્સ અને સુઝુકી કનેક્ટ.

આ પણ વાંચો :-

રિટાયરમેન્ટ બાદ પણ MS Dhoniનો જલવો બરકરાર, આવકના મામલામાં ફટકારી રહ્યાં છે ચોગ્ગા-છગ્ગા

0

Even after retirement

  • Mahendra Singh Dhoni : આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોની આ વર્ષે પણ રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ભરનાર છે. નિષ્ણાતોના મતે ધોની દ્વારા જમા કરાયેલા 38 કરોડ રૂપિયાના એડવાન્સ ટેક્સ પ્રમાણે તેની આવક લગભગ 130 કરોડ રૂપિયા થાય છે.

આવકવેરા વિભાગના (Income Tax Department) જણાવ્યા અનુસાર, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Former captain Mahendra Singh Dhoni) ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ છે. ઈન્કમટેક્સ વિભાગે પુષ્ટિ કરી છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં ધોની 2022-23માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર વ્યક્તિ છે. ધોની 15 ઓગસ્ટ 2020ના રોજ નિવૃત્ત થયો હતો પરંતુ તેનાથી તેની આવક પર કોઈ અસર થઈ નથી.

વર્ષ 2022-23માં તેમની આવક પાછલા વર્ષની આવક જેટલી છે જે આવકવેરા વિભાગને તેમની એડવાન્સ ટેક્સ ચુકવણી દ્વારા જાહેર કરવામાં આવી હતી. ધોનીએ આ વર્ષે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે આવકવેરા વિભાગને કુલ રૂ. 38 કરોડનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે. ગયા વર્ષે પણ તેણે એડવાન્સ ટેક્સ જેટલી જ રકમ ભરી હતી. વર્ષ 2020-21માં ધોનીએ 30 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હતો.

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોની આ વર્ષે પણ રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ભરનાર છે. નિષ્ણાતોના મતે ધોની દ્વારા જમા કરાયેલા 38 કરોડ રૂપિયાના એડવાન્સ ટેક્સ પ્રમાણે તેની આવક લગભગ 130 કરોડ રૂપિયા થાય છે. 2019-20માં તેણે 28 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો. તેણે 2018-2019માં પણ આટલી જ રકમ ચૂકવી હતી. આ પહેલા ધોનીએ 2017-18માં 12.17 કરોડ રૂપિયા અને 2016-17માં 10.93 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ ક્રિકેટરે ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે અને રાંચીમાં તેની પાસે 43 એકર ખેતીની જમીન છે.

આ પણ વાંચો :-

IPL 2023 : ગુજરાત ટાઈટન્સની ટીમની મોટી જાહેરાત, વિલિયમસનના સ્થાને આ સ્ટાર ખેલાડી થયો સામેલ

0

IPL 2023

  • Gujarat Titans : ગુજરાત ટાઈટન્સની ટીમે આઈપીએલ 2023ની શરૂઆતમાં ટીમમાં એક મોટો ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત કેન વિલિયમસનની જગ્યાએ એક ઘાતક ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Kane Williamson Replacment : આઈપીએલ 2023 (IPL 2023) ની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ  (GT vs CSK)વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ટાઇટન્સ માટે મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળનાર કેન વિલિયમસન (Kane Williamson)ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઈજા બાદ વિલિયમસન બહાર થઈ ગયો છે. હવે ગુજરાત ટાઈટન્સે વિલિયમસનના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. વિલિયમસનના સ્થાને શ્રીલંકાના કેપ્ટનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

કેન વિલિયમસનના રિલ્પેસમેન્ટની જાહેરાત :

ગુજરાત ટાઈટન્સે IPLની બાકીની ટીમમાં ઇજાગ્રસ્ત કેન વિલિયમસનના સ્થાને શ્રીલંકાના મર્યાદિત ઓવરોના કેપ્ટન દાસુન શનાકાની પસંદગી કરી છે. તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયામાં શનાકાને સામેલ કરવામાં આવ્યો છે. શનાકા મિડલ ઓર્ડર બેટરની સાથે બોલિંગ પણ કરે છે. તે છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે.

કેન વિલિયમસન થયો હતો ઈજાગ્રસ્ત :

ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ્સની 13મી ઓવર માટે હાર્દિકે જોશુઆ લિટલને બોલ સોંપ્યો હતો. ત્રીજા બોલ પર ઋતુરાજ ગાયકવાડે મિડ-વિકેટ બાઉન્ડ્રી તરફ શોટ માર્યો હતો. આ બોલને કેચ કરવા સમયે કેન વિલિયમસન બેલેન્સ ગુમાવી ચુક્યો હતો. વિલિયમસનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. વિલિયમસનની ઈજા ગંભીર હોવાને કારણે તે બહાર થઈ ગયો અને સ્વદેશ પરત ફરી ચુક્યો છે.

આ પણ વાંચો :-

UPI પેમેન્ટમાં આ રીતે તમારું કપાઈ રહ્યું છે ખિસ્સું, સમજી લો સરચાર્જ પાછળનો આખો ખેલ

This is how UPI payments

  • UPI Payment : UPI પેમેન્ટ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર 1 એપ્રિલ, 2023 થી લાદવામાં આવનાર ટ્રાન્ઝેક્શન ચાર્જ અંગે, NPCI એ સ્પષ્ટપણે કહ્યું કે તેનાથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. પરંતુ એવું થતું હોય તેવું લાગતું નથી. દુકાનદારો કાં તો વોલેટ પેમેન્ટ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે.

1લી એપ્રિલથી UPI ટ્રાન્ઝેક્શનમાં (UPI transaction) ફેરફાર કરવામાં આવ્યા છે. 1 એપ્રિલથી, જો તમે વોલેટ અથવા કાર્ડ જેવા પ્રીપેડ ઈન્સ્ટુમેન્ટથી રૂ. 2000 થી વધુની UPI ચૂકવણી કરો છો. તો તમારે 1.1% સુધીની ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. UPIનું સંચાલન કરતી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક પરિપત્ર જારી કરીને કહ્યું છે કે આ ફેરફારથી સામાન્ય લોકો પર કોઈ અસર નહીં થાય.

તેમને કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. સામાન્ય લોકો માટે તે પહેલાની જેમ કામ કરતું રહેશે. NPCIએ સામાન્ય લોકોને રાહત આપી છે. પરંતુ શું તેમને ખરેખર આ રાહત મળી રહી છે? શું સામાન્ય લોકોને મોબાઈલ વોલેટ દ્વારા પેમેન્ટ કરવા માટે વસૂલવામાં આવતા ઈન્ટરચેન્જ ચાર્જમાંથી મુક્તિ મળશે? માત્ર પેમેન્ટ માટે જ નહીં, પણ વોલેટમાં પૈસા ઉમેરવા માટે પણ તમારે ચાર્જ ચૂકવવો પડશે. તમારું ખિસ્સું ધીમે ધીમે કપાઈ રહ્યું છે અને તમને તેની જાણ પણ નથી. સુવિધા ફીના નામે તમારી પાસેથી ફી લેવામાં આવી રહી છે.

શું તમે આ ચાર્જ ટાળી શકશો?

UPI પેમેન્ટ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર 1 એપ્રિલ, 2023 થી લાદવામાં આવનાર ટ્રાન્ઝેક્શન ચાર્જ અંગે, NPCI એ સ્પષ્ટપણે કહ્યું કે તેનાથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં, પરંતુ એવું થતું હોય તેવું લાગતું નથી. દુકાનદારો કાં તો વોલેટ પેમેન્ટ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે અથવા ગ્રાહકો પાસેથી ઈન્ટરચેન્જ ફી વસૂલ કરી રહ્યા છે. જે લોકો રોકડ રાખવાની આદત ભૂલી ગયા છે તેમની સમસ્યાઓ વધી રહી છે.

કેટલાક દુકાનદારો તો 2000ની મર્યાદા સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે અને વોલેટ પેમેન્ટ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. એટલે કે સામાન્ય લોકોએ આ ટ્રાન્ઝેક્શન ચાર્જની અસર ગોળગોળ રીતે ચૂકવવી પડે છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આ ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. NPCI સરચાર્જના નવા નિયમોમાં ગ્રાહકોને તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા. પરંતુ સામાન્ય ભાષામાં કહીએ તો વેપારીઓ ગ્રાહકો પાસેથી આ ચાર્જ વસૂલ કરી રહ્યા છે.

જોકે આ કોઈ નવી વાત નથી. તમે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરતી વખતે ઘણી વખત આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો હોવો જોઈએ. ક્યાં તો દુકાનદાર ના પાડે અથવા સમજાવ્યા પછી તમારી કિંમત તૈયાર થઈ જાય તો પણ તે તમારી પાસેથી 1 કે 2 ટકા વસૂલે છે. આવી જ સ્થિતિ હવે મોબાઈલ વોલેટ દ્વારા પેમેન્ટ પર જોવા મળી રહી છે.

કાં તો દુકાનદારો લેવાનો ઈનકાર કરી રહ્યા છે અથવા સરચાર્જ ઉમેરીને ચૂકવણીની શરત મૂકી રહ્યા છે. જ્યારે NPCIએ UPI પર વધારાના ચાર્જ અંગે સ્પષ્ટતા કરી હતી કે આ ચાર્જ વેપારી એટલે કે દુકાનદાર પાસેથી લેવામાં આવશે. એટલે કે એકંદરે જેમ કાર્ડ પેમેન્ટ સાથે થાય છે તેવી જ સ્થિતિ UPI પેમેન્ટ સાથે થઈ રહી છે. વેપારી તમારી પાસેથી ટ્રાન્ઝેક્શન ફી લઈ શકે છે.

વોલેટમાં પૈસા ઉમેર્યા પછી પણ વસૂલવામાં આવે છે :

મોબાઈલ વોલેટ એપ Paytm તમારા વોલેટમાં પૈસા ઉમેરવા માટે પણ તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. જો તમે નેટબેંકિંગ, એમેક્સ ક્રેડિટ કાર્ડ દ્વારા પેટીએમ વોલેટમાં પૈસા નાખો છો. તો તમારા 1.53%, 2.35%, 2.65 અને 2.95% ચાર્જ સુવિધા ફીના નામે લેવામાં આવે છે. Paytm આ ચાર્જ બેંકને બદલે ગ્રાહકો પાસેથી વસૂલે છે.

આ ચાર્જ NPCIના ઈન્ટરચેન્જ ચાર્જ કરતાં વધુ છે. જ્યારે તમે Paytm કસ્ટમર કેર પાસેથી આ વિશે પૂછો છો, ત્યારે તમને જવાબ મળશે કે તેઓ તમારી બેંક/પેમેન્ટ નેટવર્કને આ ટ્રાન્ઝેક્શન માટે ઊંચા ચાર્જ ચૂકવે છે, બદલામાં તેઓ ગ્રાહકો પાસેથી આ ફી વસૂલ કરે છે. એટલે કે અહીં પણ તમારા ખિસ્સા પર સીધી અસર થઈ રહી છે.

જે રીતે વેપારીઓ કાર્ડ પેમેન્ટ પર ઈન્ટરચેન્જ ચાર્જ માંગે છે. શું UPI માટે પણ એવી જ સ્થિતિ સર્જાશે નહીં? શું Paytm Wallet, PhonePe Wallet, Amazon Pay, Mebikwik Wallet જેવા વેપારીઓ તેને ગ્રાહકોને આપવાને બદલે ઈન્ટરચેન્જ ફી સહન કરશે?

ગ્રાહકોના ખિસ્સા પર શા માટે અસર?

NPCI ના નિયમો મુજબ ઈન્ટરચેન્જ ચાર્જ ફક્ત PPI વેપારી વ્યવહારો પર જ લાગુ થશે. એટલે કે જો તમે તમારા વૉલેટમાં રોકડ ઉમેરો છો. તો તમારી બેંક Paytm પાસેથી ઈન્ટરચેન્જ ફી વસૂલશે. તેવી જ રીતે જો તમે પાકીટમાંથી કોઈ દુકાનદારને બે હજાર રૂપિયાથી વધુ ચૂકવો છો તો દુકાનદારે તે ફી ચૂકવવાની રહેશે. આમાં બેંક અને વેપારી એટલે કે દુકાનદારનો સીધો સમાવેશ થાય છે.

પરંતુ કોઈપણ દુકાનદાર પોતાના ખિસ્સામાંથી આ ચાર્જ ચૂકવવા તૈયાર નહીં થાય. એટલે કે તેની અસર ગ્રાહકો પર જ જોવા મળે છે. મોટાભાગના કિસ્સાઓમાં, દુકાનદારો વોલેટ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે. જો લે છે તો ગ્રાહકોએ ચાર્જ ચૂકવવો પડશે. જો કે આવી ઝંઝટથી બચવા માટે તમારા વોલેટમાં પૈસા ઉમેરવા અથવા UPI દ્વારા ચુકવણી કરવી વધુ સારું છે.

આ પણ વાંચો :-

આ તે કેવી લોખંડી સુરક્ષા ? દિગ્ગજ નેતા બુલેટપ્રુફ ફેસ શિલ્ડ પહેરી કોર્ટમાં પહોંચ્યા, Video વાયરલ

What kind of iron security is this?

  • Pakistan News : ગત સુનાવણીમાં ન્યાયાધીશ એજાજ અહમદ બુટ્ટરે પીટીઆઈ પ્રમુખને નિર્દેશ આપ્યા હતા કે તેઓ હવેની સુનાવણીઓમાં પોતાની પેશી સુનિશ્ચિત કરે અને કેસની પોલીસ તપાસમાં પણ સામેલ થાય.

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Former Prime Minister of Pakistan Imran Khan) હાલ ચર્ચામાં છે. પાકિસ્તાન તહરીક એ ઈન્સાન પ્રમુખ ઈમરાન ખાન પણ અનેક કેસ ચાલુ છે. કેટલાકમાં તો તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Non-bailable warrant) સુદ્ધા જાહેર થયેલું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની એક આતંકવાદ વિરોધી કોર્ટે મંગલવારે ઈમરાન ખાનને મળેલા વચગાળાના જામીન 13 એપ્રિલ સુધી આગળ વધાર્યા છે.

આ બધા વચ્ચે કોર્ટમાં પેશી માટે જતા ઈમરાન ખાનનો (Imran Khan)) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વીડિયોમાં ઈમરાન ખાને બુલેટપ્રુફ ફેસ શીલ્ડ (Bulletproof face shield) પહેરેલો છે અને ચહેરો સંપૂર્ણ રીતે ઢંકાયેલો છે.

પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઈમરાન ખાન માથાથી ગરદન સુધી સુરક્ષા કવચ પહેરેલું જોવા મળી રહ્યા છે. બીજી બાજુ તેમના સુરક્ષાકર્મીઓએ સુરક્ષા ઢાલથી તેમને ઘેર્યા છે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાન પર જીવલેણ હુમલો પણ થઈ ચૂક્યો છે. આ માટે પીટીઆઈ પ્રમુખ પોતાની હત્યા થવાની આશંકા પણ વ્યક્ત કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે ગત સુનાવણીમાં ન્યાયાધીશ એજાજ અહમદ બુટ્ટરે પીટીઆઈ પ્રમુખને નિર્દેશ આપ્યા હતા કે તેઓ હવેની સુનાવણીઓમાં પોતાની પેશી સુનિશ્ચિત કરે અને કેસની પોલીસ તપાસમાં પણ સામેલ થાય. ગત વર્ષ 3 નવેમ્બરના રોજ ઈમરાન ખાન પર પંજાબના વજીરાબાદમાં એક રેલી દરમિયાન હુમલો થયો હતો.

આ પણ વાંચો :-