Home Blog Page 1124

Salman Khanની બુલેટપ્રૂફ કાર, સ્નાઈપર રાઈફલ પણ કંઈ નહીં બગાડી

0
Salman Khan’s bulletproof car
  • Salman Khan Cars : આ SUVમાં મુસાફરોને સુરક્ષિત રાખવા માટે ઘણી તગડી સુવિધાઓ છે. તેની ચારે બાજુ બુલેટપ્રૂફ ગ્લાસ છે. ગોળીબારમાં તે B7 સ્તર સુધી રક્ષણ આપે છે. જેનો અર્થ છે કે સ્નાઈપર રાઈફલ્સ પણ આ કારનો કાચ ભેદી શકશે નહીં.

બોલિવૂડનો ‘ભાઈ જાન’ સલમાન ખાન (Salman Khan) ન ઈચ્છવા છતાં હંમેશાં હેડલાઈનમાં રહે છે. હાલમાં જ તેને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ત્યારબાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હવે સલમાન ખાને સુરક્ષાના કારણે જ નવી કાર ખરીદી છે. તેણે આંતરરાષ્ટ્રીય બજારમાંથી એવી એસયુવી આયાત કરી છે.

જેના પર બુલેટની પણ કોઈ અસર નથી. સલમાન ખાને તેની સુરક્ષા માટે આર્મર્ડ નિસાન પેટ્રોલ (Nissan Patrol) એસયુવી આયાત કરી હોવાના અહેવાલ છે. સલમાન પાસે પહેલેથી જ બખ્તરબંધ ટોયોટા લેન્ડ ક્રુઝર 200 છે. આવો જાણીએ આ નવી SUVમાં શું ખાસ છે?

Nissan Patrol :

આ વિશેષ વર્ઝનમાં યાત્રિકોને સુરક્ષિત રાખવા માટે ઘણી તગડી સુવિધાઓ મળે છે. તેની ચારે બાજુ બુલેટપ્રૂફ ગ્લાસ હોવાની સાથે ડોર સ્ટોપર્સ, દરવાજાની આસપાસ ઓવરલેપ અને ફ્યુઅલ ટાંકી, બેટરી અને ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU) ની આસપાસ સુરક્ષા સાથે હેવી ડ્યુટી હિન્જ્સ લગાવેલા છે. તે B7 સ્તર સુધી ગોળીબારમાં રક્ષણ આપે છે. જેનો અર્થ છે કે સ્નાઈપર રાઈફલ્સ પણ આ કાચને ભેદી શકશે નહીં. મીડિયા અહેવાલ અનુસાર આ SUVની કિંમત 2 કરોડ રૂપિયા સુધી જણાવવામાં આવી રહી છે.

એન્જિન અને પાવર :

નિસાન પેટ્રોલ ભારતમાં ઉપલબ્ધ નથી. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં તે બે પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે આવે છે. પ્રથમ 4.0-લિટર V6 એન્જિન છે જે 279PS અને 394Nm અને 5.6-લિટર V8 યુનિટ જનરેટ કરે છે જે 406PS અને 560Nm જનરેટ કરે છે. બંને એન્જિન 7-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે અને SUV 4-વ્હીલ-ડ્રાઈવ સિસ્ટમ સાથે આવે છે.

આ પણ વાંચો :-

IPL 2023 માં સુરતનો ડંકો વાગ્યો : તમામ ટીમના પ્લેયર્સે પહેરેલા ખાસ પ્રકારના કપડા અહીં બન્યા છે

0

IPL 2023 kicks off in Surat 

  • IPL 2023 : IPL ના તમામ ખેલાડીઓ અને તેમના દર્શકો જે ટીશર્ટ અને ટ્રેક પેન્ટ પહેરે છે તેનું કાપડ સુરતમાં તૈયાર થયું છે. છેલ્લા ચાર વર્ષથી ડ્રાયફીટ કાપડના ઉત્પાદનમાં સુરત હબ બન્યું છે. અગાઉ આ કાપડ ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું. પરંતુ હવે આ સ્પોર્ટસવેર કાપડ ઉત્પાદનમાં સુરત આત્મનિર્ભર બન્યું છે.

હાલ ગુજરાત સહિત દેશભરમાં IPLનો ક્રેઝ જોવા મળે છે. જેમાં ખાસ કરીને પોતાની પસંદગીની ટીમની ટી-શર્ટ પહેરવાનું ક્રિકેટપ્રેમીઓમાં (Cricket Lover) ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓ જે ટી-શર્ટ અને ટ્રેક પહેરે છે તેનું કાપડ સુરતમાં બની રહ્યું છે. જેથી IPLના લીધે સુરતના વેપારીઓને બમ્પર આવક થઈ રહી છે. છેલ્લા ચાર વર્ષથી ડ્રાયફીટ કાપડના ઉત્પાદનનું સુરત (Surat) હબ બન્યું છે.

અગાઉ આ કાપડ ચાઈનાથી ઈમ્પોર્ટ (Import) કરવામાં આવતું હતું. પરંતુ તેમાં હવે સુરત આત્મનિર્ભર બન્યું છે. IPLના ખેલાડીઓ માટે તૈયાર થતા ટી-શર્ટ અને ટ્રેક માટેનું જ્યુરિક મટીરિયલનું પોલિસ્ટર કાપડ સુરતમાં તૈયાર થઈ રહ્યું છે. જેની ખાસીયત એ છે કે તે બને તરફથી સ્ટેચેબલ હોય છે. સાથે મેદાનમાં પરેસવાથી ટી-શર્ટ ભીની થાય તો તે ભારે નથી થતી.

ત્યારે ખેલાડીઓ ઉપરાંત ક્રિકેટ પ્રેમીએ પણ આ ટી-શર્ટ પહેરી મેદાનમાં મેચ જોવા જઈ રહ્યા છે. જેથી સુરતના જ્યુરિક મટીરિયલના કાપડની ટી-શર્ટ અને ટ્રેકની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે. IPLના ખેલાડીઓ જે જર્સી અને ટ્રેકપેન્ટમાં જોવા મળી રહ્યા છે તેનું કાપડ સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે. IPL ના ખેલાડીઓ જે જર્સી પહેરી રહ્યા છે તેના કાપડનું ઉત્પાદન સુરતમાં થયું છે.

સુરતમાં તૈયાર આ કાપડની ડિમાન્ડ હાલ સ્પોર્ટસ ક્ષેત્રમાં સૌથી વધારે છે. સુરતના વેપારી વિષ્ણુ અગ્રવાલ દ્વારા IPL ટીમના ખેલાડીઓ માટે આ કાપડ મોકલવામાં આવ્યું હતું. આ કાપડ પર ડિજિટલ પ્રિન્ટ અને ગારમેન્ટિંગ ત્યાર પછી કરવામાં આવે છે.

પ્લેયર્સ માટે બનેલા કપડાની ખાસિયત :

  • આ કાપડ જ્યુરિક મટીરીયલ તરીકે ઓળખાય છે.
  • આ પોલિસ્ટર કાપડ હોય છે. પરંતુ તેની ખાસિયત છે કે આ ગરમીમાં પણ ખેલાડીના પરસેવાથી ભીંજાયને ભારે થતું નથી.
  • કાપડ બંને સાઈડથી આ કાપડ ખૂબ જ સ્ટ્રેચેબલ હોય છે.

આ પણ વાંચો :-

 

PM મોદી કરતાં મોટા બંગ્લામાં રહેવા જશે રાહુલ ગાંધી, દેશમાં TOP-3માં આવે છે આ સરકારી નિવાસ

0

Rahul Gandhi will live in a bungalow  

  • માત્ર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનું નિવાસસ્થાન 10 જનપથથી મોટું છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવન ઉપર રાષ્ટ્રપતિ નિવાસ અને 7 RCR સત્તાવાર નિવાસસ્થાનો છે. 10 જનપથ ગાંધી પરિવારને ફાળવવામાં આવ્યો છે.

હાલમાં રાહુલ ગાંધીની (Rahul Gandhi) સદસ્યતા રદ થયા બાદ હવે રાહુલ મા સોનિયા સાથે 10 જનપથમાં રહેવા જવાના છે. ત્યારથી 10 જનપથનો બંગલો (10 Janpath Bungalow) હવે ચર્ચામાં આવી ગયો છે. સોનિયા ગાંધીનું 10 જનપથ ખાતેનું ઘર વડાપ્રધાનના આવાસ કરતા પણ મોટું છે. દેશના અન્ય નેતાઓની સરખામણીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) પાસે સૌથી મોટું ઘર છે. આટલું જ નહીં તેમનું આવાસ 10 જનપથ વડાપ્રધાનના નિવાસસ્થાન 7 રેસકોર્સ કરતા પણ મોટું છે.

સેન્ટ્રલ પબ્લિક ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર વડાપ્રધાનનું આવાસ 14,101 ચોરસ મીટરમાં બનેલું છે. જ્યારે ગાંધી આવાસ 15,181 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. જે 7RCR કરતાં ઘણું મોટું છે. આ માહિતી એક સમયે દેવ આશિષ ભટ્ટાચાર્ય દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અરજી હેઠળ આપવામાં આવી હતી.

320 એકરમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ ભવન અન્ય તમામ સત્તાવાર મકાનો કરતાં મોટું છે. તે વિશ્વના કોઈપણ રાજ્યના વડાના ઘર કરતા પણ મોટું છે. બીજી તરફ 6 મૌલાના આઝાદ રોડ સ્થિત ઉપરાષ્ટ્રપતિનું આવાસ 26,33.49 ચોરસ મીટરમાં બનેલું છે. સોનિયા ગાંધી છેલ્લા 32 વર્ષથી 10 જનપથ પર રહે છે.

રાજીવ ગાંધીના અવસાન બાદ સોનિયાને ફાળવવામાં આવ્યો હતો આ બંગ્લો. 12 જાન્યુઆરી 1990ના રોજ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી આ બંગલામાં રહેવા આવ્યા હતા. એક વર્ષ પછી 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીનું તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં આત્મઘાતી હુમલામાં મૃત્યુ થયું. રાજીવ બાદ આ બંગલો 1991માં જ સોનિયા ગાંધીના નામે ટ્રાન્સફર કરીને ફાળવવામાં આવ્યો હતો. ત્યારથી ત્રણ દાયકા વીતી ગયા છે અને તે હજુ પણ સોનિયા ગાંધીના ઘરનું સરનામું છે.

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. સાંસદના જવાથી હવે તેમણે સરકારી બંગલો પણ ખાલી કરવો પડશે. લોકસભા સચિવાલયે રાહુલને 24 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવા નોટિસ મોકલી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને રહેવાની ઓફર કરી હતી. પરંતુ હવે રાહુલ તેમની માતા સાથે તેમના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને રહેશે.

આ પણ વાંચો :-

900 રૂપિયામાં ધડાધડ વેચાઈ રહ્યો છે Redmi Note 12 5G ! માત્ર આ યૂઝર્સને મળશે લાભ

Redmi Note 12 5G is being
  • Xiaomi Fan Festival દરમિયાન Redmi Note 12 5G ને ખુબ સસ્તા ભાવ પર ખરીદી શકાય છે. જાણો તમે કેવી રીતે ઉઠાવશો આ ઓફરનો લાભ.

Xiaomi Fan Festival નો આજે ત્રીજો દિવસ છે. આજે પણ ઘણા ફોન સસ્તી કિંમતમાં ખરીદી શકાય છે. આ સેલ માત્ર કંપનીની વેબસાઇટ પર જ નહીં પરંતુ એમેઝોન (Amazon) પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. અહીંથી તમને Redmi Note 12 5G ને ખુબ સસ્તી કિંમતે ખરીદી શકાશે. તેને તમે બધી ઓફર્સ બાદ માત્ર 900 રૂપિયામાં ખરીદી શકશો. જો તમે આ ફોનને ખરીદવા ઈચ્છો છો તો અમે તમને આ ઓફર વિશે જણાવી રહ્યાં છીએ.

Redmi Note 12 5Gની કિંમત :

આ ફોનના 4જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 19999 રૂપિયાની જગ્યાએ 17999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે ઘણી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. અહીં અમે તમને Amazon પર મળી રહેલી ઓફર્સની જાણકારી આપી રહ્યાં છીએ.

બેન્ક ઓફર્સ અને EMI :

આ ફોનને ખરીદવા માટે ICICI બેન્ક કાર્ડનું પેમેન્ટ કરવા પર 1000 રૂપિયા સુધીનું તત્કાલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો HSBC Cashback કાર્ડથી પેમેન્ટ કરવા પર 5 ટકાનું તત્કાલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. EMI ની સાથે ફોન ખરીદવા પર તમારે દર મહિને 860 રૂપિયા આપવા પડશે. આ સાથે No Cost EMI નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

એક્સચેન્જ ઓફર :

જો તમે જૂના ફોનને એક્સચેન્જ કરાવી શકો છો તો તમને 17099 રૂપિયા સુધીનું ઓફ આપવામાં આવશે. આ પૂરુ એક્સચેન્જ વેલ્યૂ મળવા પર તમને ફોન માત્ર 900 રૂપિયામાં મળી જશે.

આ પણ વાંચો :-

Allu Arjun Birthday : અલ્લુ અર્જુનની આવી છે વૈભવી લાઈફ સ્ટાઈલ, જુઓ એક જ નજરે

Allu Arjun Birthday
  • સાઉથનો સુપરસ્ટાર ‘પુષ્પા રાજ’ એટલે કે અલ્લુ અર્જુન 8મી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો જણાવવા જઈ રહ્યા છીએ અને સાથે જ તેઓ કેવા પ્રકારની જીવનશૈલી જીવે છે.

અલ્લુ અર્જુન (Allu Arjun) ભારતીય સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે. ‘પુષ્પા‘ પછી હવે તેને દેશભરમાં મજબૂત ફેન ફોલોઈંગ મળી ગયું છે. તમે જાણો છો કે તે કેવી રીતે ફિલ્મોમાં આવ્યો. કઈ ફિલ્મોમાં આવ્યો, પરંતુ શું તમે જાણો છો કે તે કરોડોની સંપત્તિના માલિક છે? તે દર મહિને કેટલી કમાણી કરે છે? તે એક ફિલ્મ માટે કેટલો ચાર્જ કરે છે?

શું તમે જાણો છો કે તેમની પાસે હૈદરાબાદમાં (Hyderabad) 100 કરોડનું આલિશાન ઘર પણ છે! 8મી એપ્રિલે પોતાનો 41મો જન્મદિવસ ઉજવનાર અલ્લુ અર્જુનની (Allu Arjun) નેટવર્થ, મોંઘી કાર, પ્રોપર્ટી, પગારનો સંગ્રહ… અહીં બધું જાણો. આ સાથે અમે તમને અલ્લુના બે અદ્ભુત ગુણો વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ. જે તમે ભાગ્યે જ જાણતા હોવ.

અલ્લુ અર્જુનની નેટ વર્થ :

માહિતી અનુસાર વર્ષ 2023માં અલ્લુ અર્જુન (Allu Arjun Networth)ની કુલ સંપત્તિ 370 કરોડથી વધુ છે. તેમની વાર્ષિક આવક 32 કરોડ રૂપિયાથી વધુ છે. તે દર મહિને 3 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. તેણે વર્ષ 1985 માં બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2003માં તેણે ‘ગંગોત્રી‘થી ડેબ્યૂ કર્યું હતું.

અલ્લુ અર્જુન ફી :

અલ્લુ અર્જુન (Allu Arjun Per Movie Fee) તેની મોટાભાગની કમાણી ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી મેળવે છે. તેઓ હૈદરાબાદમાં આવેલી ‘300 જ્યુબિલી’ નાઈટ ક્લબના પણ માલિક છે. તે એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બીજી બાજુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની વાત કરીએ તો તે તેના માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

મોંઘીદાટ કારોનું કલેક્શન પણ છે.

અલ્લુ અર્જુન પાસે મોંઘી કારોનું કલેક્શન પણ છે. તેની પાસે લગભગ 2.5 કરોડની રેન્જ રોવર વોગ છે. 7 કરોડની વેનિટી વાન છે. આ સિવાય BMW X5 80 લાખ રૂપિયામાં, Jaguar XJL રૂપિયા 1.20 કરોડ, Audi A7 રૂપિયા 86 લાખ છે. ઘર અને નાઇટ ક્લબ ઉપરાંત હૈદરાબાદમાં તેની ઓફિસ પણ છે.

અલ્લુ અર્જુનના ખાસ 2 ગુણો :

અલ્લુ અર્જુન એક બહેતરીન અભિનેતા છે. આ વાત બધા જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે અલ્લુ ખૂબ જ સારો ડાન્સર પણ છે. હા, તે ડાન્સિંગમાં પણ એક્સપર્ટ છે. આ ઉપરાંત તેની બીજી એક ગુણવત્તા છે. તે ચારકોલ કલાકાર પણ છે.

અલ્લુ અર્જુનની પત્ની અને બે બાળકો :

અંગત જીવનની વાત કરીએ તો અલ્લુએ વર્ષ 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. આ કપલને બે બાળકો છે – અયાન અને અરહા. અરહા ‘શંકુતલમ‘ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો :-

જુનિયર ક્લાર્કની પરીક્ષાની આ રહી A To Z માહિતી, તમારા માટે બહુ જ કામની સાબિત થશે

0

This A To Z information of Junior Clerk  

  • Junior Clerk Exam Call Letter : પરીક્ષા કેન્દ્ર પર CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Service Selection Board) દ્વારા આગામી 9 એપ્રિલનાં રોજ જુનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા લેવામાં આવનાર છે. આવતી કાલે ગુજરાતમાં જૂનિયર ક્લર્કની પરીક્ષા યોજાનાર છે. 9 લાખથી વધુ ઉમેદવારો આ જૂનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા આપવાના છે. ત્યારે આ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. ગાંધીનગર જુનીયર ક્લાર્કની પરીક્ષાને લઈ સરકાર સજજ બની છે.

તમામ અધિકારી-કર્મચારીઓ ત્રણ દિવસ સુધી DDO હવાલે કરાયા છે. ગીર સોમનાથ સિવાયના અધિકારી-કર્મચારી DDO હવાલે છે. વર્ગ 1-2-3 ના કર્મચારીઓનો પરીક્ષાની કામગીરી માટે ઉપયોગ કરાશે. સામાન્ય વહીવટ વિભાગે તમામ જિલ્લાઓને આદેશ વહેતા કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી જરુરીયાત મુજબ તેમની પાસેથી કામ લઈ શકશે. ત્રણ દિવસ અધિકારી કર્મચારીઓ પરીક્ષા માટે કામ કરશે.

કર્મચારી મોબાઈલ નહિ રાખી શકે :

જુનિયર કલાર્કની પરીક્ષા માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં આવેલા 3 હજાર પરિક્ષા કેન્દ્રો પર કડક વ્યવસ્થા કરાઈ છે. પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉ ગોઠવી દેવાયો છે. એક વર્ગમાં 30 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તો પાટલીઓ પર બેઠક નંબર લખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.

બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ થશે :

આ પરીક્ષાને લઈને હસમુખ પટેલે જણાવ્યું કે આ વખતે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં નવતર પ્રયોગ કરવામાં આવનાર છે. આ વખતે કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે બોડીવોર્ન કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે.

દોડશે સ્પેશિયલ ટ્રેન :

જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના ઉમેદવારો માટે 9 એપ્રિલે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડશે. રાજકોટ-જૂનાાગઢ-રાજકોટ રૂટની ટ્રેન દોડશે. જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ રૂટની ટ્રેન દોડશે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગ્યે ટ્રેન ઉપડશે. જે જૂનાગઢથી બપોરે 3 વાગ્યે રિટર્ન થશે. જૂનાગઢથી રાજકોટ જવા માટે સવારે 7:30 કલાકે ઉપડશે. રાજકોટથી બપોરે 2:55 કલાકે રિટર્ન થશે. ST વિભાગ પણ 250 એકસ્ટ્રા બસો દોડાવશે.

આ પણ વાંચો :-

‘યોગ્ય કપડાં ન પહેરતી છોકરીઓ લાગે છે શૂર્પણખા’, ભાજપ નેતાનું વિવાદિત નિવેદન

0

‘Girls who don’t wear proper

  • બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ ફરી એકવાર મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને બહાર નીકળે છે કે થપ્પડ મારવાનું મન થાય.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) ફરી એકવાર તેમના નિવેદનને કારણે વિવાદોમાં ઘેરાયા છે. તેમનો હનુમાન જ્યંતિનો (Hanuman Jyanti) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૈલાશ વિજયવર્ગીય કહી રહ્યા છે કે કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને નીકળે છે કે. તેમણે કહ્યું કે કારમાંથી નીચે ઉતરીને થપ્પડ મારવાનું મન થાય છે તે શૂર્પણખા જેવી દેખાય છે.

કૈલાશ વિજયવર્ગીયનની વિવાદાસ્પદ ટિપ્પણી :

જે વીડિયોમાં કૈલાશ કહે છે કે હું ક્યારેક જોઉં છું કે, ‘આજે પણ જ્યારે હું બહાર નીકળું છું ત્યારે હું ભણેલા-ગણેલા યુવકો અને બાળકોને નાચતા જોઉં છું. ખરેખર એવી ઈચ્છા થાય છે કે, પાંચ સાત એવી આપુ કે, બધો નશો ઉતરી જાય. સાચુ કહી રહ્યું કે ભગવાનની કસમ. હનુમાન જ્યંતિ પર જૂઠ નહી બોલું.

છોકરીઓ એટલા ગંદા કપડા પહેરી નીકળે છે અને આપણે મહિલાઓને દેવી બોલીએ છીએ. એમાં દેવીનો સ્વરૂપ જ નથી દેખાતો. સંપૂર્ણ શૂર્પણાખા જેવી દેખાય છે. તેમણે કહ્યું કે ભગવાને એટલો સુંદર શરીર આપ્યો છે તો સારા કપડા પહેરો. થોડા સારા કપડા પહેરો તેમણે કહ્યું કે, બાળકોને સંસ્કાર આપો હું ચિંતિત છું.

આ પણ વાંચો :-

 

Post Office Schemes : આ 10 પોસ્ટ ઓફિસ સ્કીમમાં કરો રોકાણ, મળશે 8.2 ટકા સુધીનું વ્યાજ

0

Post Office Schemes

  • પોસ્ટ ઓફિસના પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરીને તમે નોકરી કર્યા વિના પણ ભવિષ્ય નિધિનો લાભ લઈ શકો છો. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને 7.1 ટકાના દરે વ્યાજ મળે છે.

પોસ્ટ ઓફિસમાં (Post Office) બચત ખાતું ખોલવા પર તમને 4 ટકાના દરે વ્યાજ મળશે. તે જ સમયે RD એકાઉન્ટ પર 6.2 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.

નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ સ્કીમ હેઠળ :

આ સ્કીમ ખાતાધારકોને 5 વર્ષના સમયગાળામાં મહત્તમ 7.5 ટકા વ્યાજ મળે છે. તે જ સમયે, 1 વર્ષ માટે 6.8 ટકા, 2 વર્ષ માટે 6.9 ટકા અને ત્રણ વર્ષ માટે 7.00 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરીને તમે દર મહિને  7.4 ટકાના દરે વ્યાજ મેળવી શકો છો. બીજી તરફ વરિષ્ઠ નાગરિક યોજનામાં (Senior Citizen Scheme) વરિષ્ઠ નાગરિકોને 8.2 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના :

તમે 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવી શકો છો. આ યોજના હેઠળ 8.00 ટકાના દરે વ્યાજનો લાભ આપવામાં આવે છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ગ્રાહકોને 7.7 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે.

કિસાન વિકાસ પત્ર યોજના :

કિસાન વિકાસ પત્રમાં, 1 એપ્રિલ, 2023 થી ગ્રાહકોને ચક્રવૃદ્ધિના આધારે 7.5 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. આમાં રોકાણ કરવાથી કુલ 9 વર્ષ અને 7 મહિનામાં પૈસા બમણા થઈ જશે.

સરકારે શરૂ કરેલી નવી યોજના મહિલા સન્માન બચત યોજના હેઠળ તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. આ યોજના હેઠળ મહિલાઓને કુલ 2 વર્ષમાં 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. આ યોજના હેઠળ કોઈપણ મહિલા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે.

આ પણ વાંચો :-

કંફ્યૂઝન કરો દૂર ! Indian toilet કે Western toilet બંનેમાંથી કયું સૌથી બેસ્ટ, આ છે જવાબ

Remove the confusion

  • Indian toilet or Western toilet : હવે મોટાભાગના ઘરોમાં અને સાર્વજનિક સ્થળો પર આ તમને જોવા મળશે. ઘરમાં ટોયલેટ સીટ લગાવતાં તમારા મગજમાં એ વિચાર જરૂર આવે છે કે કયુ કમોડ લગાવવું જોઈએ. ઘરમાં ટોયલેટ સીટ લગાવતી વખતે મગજમાં ઈન્ડીયન અથવા વેસ્ટર્ન ટોયલેટને લઈને એક કંફ્યૂજન તો જરૂર રહે છે. આ સમાચાર વાંચ્યા બાદ તમારું કંફ્યૂજન હંમેશા માટે દૂર થઈજશે.

Disadvantage of western toilet : હાલના જમાનામાં ઘરોમાં વેસ્ટર્ન ટોયલેટ (western toilet)નો ઉપયોગ ઝડપથી વધતો જાય છે. આ ટોયલેટ શીટના ઘણા ફાયદા છે. વેસ્ટર્ન ટોયલેટ ખાસકરીને તે લોકો માટે ખૂબ આરામદાયક હોય છે જેમને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે પરંતુ તેનો ઉપયોગ સ્વસ્થ લોકો પણ કરે છે. આવો જાણીએ કે આ પ્રશ્નના જવાબ પર એક્સપર્ટ્સ શું વિચારે છે.

એક્સપર્ટ્સ આ ટોયલેટ સીટને ગણે છે સારી :

1. એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઈન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરે છે તો તેના પંજાથી લઈને માથા સુધી આખી બોડીને જોર પડે છે પરંતુ વેસ્ટર્ન ટોયલેટમાં આરામદાયક સુવિધા હોય છે જેથી માણસ બિમાર થાય છે.

2. ઈન્ડીયન ટોયલેટમાં પેટ સાફ થવામાં 3 થી 3.5 મિનિટનો સમયનો લાગે છે જ્યારે વેસ્ટર્ન ટોયલેટમાં 5 થી 7 મિનિટ સુધીનો સમય લાગે છે. ત્યારબાદ પણ તમારું પેટ બરોબર સાફ થતું નથી કારણ કે ઈન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરવાથી પેટ અને પાચનતંત્ર પર દબાણ પડે છે. તેના લીધે પેટ જલદી સાફ થાય છે.

3. ઈન્ડીયન ટોયલેટની અપેક્સાએ વેસ્ટર્ન ટોયલેટમાં જવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે જેથી પેચિશ અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે કારણ કે ટોયલેટ સીટ તમારી સ્કીનના સંપર્કમાં આવે છે અને સ્કીન કોન્ટેક્ટના કારણે કીટાણું તમને બિમાર કરે છે.

4. પ્રેગ્નેંસી દરમિયાન મહિલાઓ માટે ઈન્ડીયન ટોયલેટ સારું ગણવામાં આવ્યું છે. તેના લીધે નોર્મલ ડીલીવરીના ચાન્સ વધે છે. ઈન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી.

(Disclaimer : અહીં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.  Gujarat Guardian તેની પુષ્ટિ નથી કરતું)

આ પણ વાંચો :-

મોંઘવારીના માર વચ્ચે મળી મોટી રાહત, સીએનજીના ભાવમાં થયો આટલો ઘટાડો, PNG ના પણ ઘટ્યા

0

A big relief in the midst of inflation

  • CNG Price : મોંઘવારીના માર સામે ઝઝૂમી રહેલી જનતાને મોટી રાહત મળી છે. શુક્રવારે GAIL ઈન્ડિયાની સહાયક કંપની મહાનગર ગેસે મુંબઈમાં સીએનજીના ભાવમાં 8 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા/SCM નો ઘટાડો કર્યો છે.

મોંઘવારીના (Inflation) માર સામે ઝઝૂમી રહેલી જનતાને મોટી રાહત મળી છે. શુક્રવારે GAIL ઈન્ડિયાની સહાયક કંપની મહાનગર ગેસે મુંબઈમાં સીએનજીના ભાવમાં 8 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના (PNG) ભાવમાં 5 રૂપિયા/SCM નો ઘટાડો કર્યો છે. મહાનગર ગેસે પોતાના લાઈસન્સ્ડ એરિયામાં (Licensed Area) આ કાપ મૂક્યો છે.

એમજીએલએ આ પગલું ડોમેસ્ટિક લેવલ પર મેન્યુફેક્ચર્ડ નેચરલ ગેસના ભાવ નિર્ધારણની નવી સિસ્ટમની જાહેરાત બાદ ઉઠાવ્યું છે. આ જાહેરાત બાદ સરકારે સીએનજી અને પાઈપવાળા રાંધણ ગેસના નવા ભાવની પણ જાહેરાત શુક્રવારે કરી. એમજીએલએ ફેબ્રુઆરીમાં પણ સીએનજીના ભાવમાં 2.5 રૂપિયા પ્રતિ કિલોનો કામ મૂક્યો હતો. આમ છતાં સીએનજીના ભાવ એપ્રિલ 2022ની સરખામણીમાં લગભગ 80 ટકા વધુ બનેલા છે.

ગ્રાહકોને થશે ફાયદો :

એમજીએલએ એક નિવેદનમાં કહ્યું કે તેણે ડોમેસ્ટિક લેવલ પર મેન્યુફેક્ચર્ડ ગેસના ભાવમાં કાપનો ફાયદો સીએનજી-પીએનજીના ગ્રાહકો સુધી પહોંચાડવાની ખુશી છે. આ  નિર્ણય હેઠળ મુંબઈ મહાનગર અને નજીકના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં આઠ રૂપિયાનો પ્રતિ કિલો અને પીએનજીમાં પાંચ રૂપિયા પ્રતિ ઘન મીટર સુધીનો કામ કરવામાં આવી રહ્યો છે.

હવે હશે આ ભાવ :

અડધી રાતથી પ્રભાવી થઈ રહેલા આ નિર્ણય બાદ સીએનજી 79 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી 49 રૂપિયા પ્રતિ એસસીએમના ભાવ પર મળવા લાગશે. 1 એપ્રિલથી એપીએમ ગેસના ભાવ ભારતીય ક્રૂડ બાસ્કેટના માસિક સરેરાશના 10 ટકા પર હશે. જો કે આ પ્રકારના દર 8.57 ડોલર પ્રતિ એમએમબીટીયુના હાલના ગેસ મૂલ્યની સરખામણીમાં 6.5 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ પર કેપ કરાશે.

દ્વિ વાર્ષિક સંશોધનની હાલની પ્રથાની જગ્યાએ દર મહિને દર નક્કી કરવામાં આવશે. ઓએનજીસી અને ઓઆઈએલના ક્ષેત્રોમાં નવા કૂવાઓ કે હસ્તક્ષેપોથી ઉત્પાદિત ગેસને એપીએમ મૂલ્યથી 20 ટકા વધુ પ્રીમિયમની અનુમતિ હશે. આ પગલાંથી ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને પરિવહન માટે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં ભારે ઘટાડો થશે.

આ પણ વાંચો :-