પંજાબમાં નવાજૂનીના સંકેત ! 14 એપ્રિલ સુધી પોલીસકર્મીઓની રજા રદ, DGPએ જાહેર કર્યો આદેશ

Share this story

Signs of newness in Punjab 

  • ડીજીપી કચેરી તરફથી રાજ્યની તમામ પોલીસ કચેરીઓને મોકલવામાં આવેલા સંદેશામાં તમામ ગેઝેટેડ અને નોન-ગેઝેટેડ અધિકારીઓની 14 એપ્રિલ સુધીની રજાઓ રદ કરવામાં આવી છે.

પંજાબમાં (Punjab) પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ અચાનક રદ કરવામાં આવી છે. ડીજીપી ઓફિસ તરફથી આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. ડીજીપી કચેરી તરફથી રાજ્યની તમામ પોલીસ કચેરીઓને મોકલવામાં આવેલા સંદેશામાં તમામ ગેઝેટેડ અને નોન-ગેઝેટેડ અધિકારીઓની 14 એપ્રિલ સુધીની રજાઓ રદ કરવામાં આવી છે.

રજાઓ તાત્કાલિક અસરથી રદ 

તમામ પોલીસ વિભાગના વડાઓને 14 એપ્રિલ, 2023 સુધી કોઈપણ પ્રકારની રજા મંજૂર ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે અગાઉ મંજૂર કરાયેલી તમામ રજાઓ પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

એડમિનિસ્ટ્રેશન એલર્ટ

તાજેતરના સમયમાં ખાસ કરીને અમૃતપાલ સિંહ કેસ સામે આવ્યા પછી પંજાબમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને આશંકાઓ વધુ ઘેરી બનવા લાગી છે. રાજ્ય ફરી એકવાર આતંક અને ઉગ્રવાદની પકડમાં આવવાનું જોખમ વધી શકે છે. તેને જોતા વહીવટીતંત્ર દરેક સ્તરે પોતાની તૈયારીઓને મજબૂત કરી રહ્યું છે.

આ પણ વાંચો :-