ભારતની પ્રથમ મિજેટ સબમરીન Arowana, જાણો ક્યા કામ માટે વપરાય છે આ સબમરીન?

Share this story

ભારતની પ્રથમ મિડગેટ સબમરીન બનીને તૈયાર થઈ ગઈ છે. તેને મજગાવ ડોક શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. જેનું નામ Arowana રાખવામાં આવ્યું છે. તેની ડીઝાઈન અને બનાવટ બંને એમડીએલ દ્વારા કરાઈ છે. આ સબમરીનને પ્રુફ ઓફ કોન્સેપ્ટ તરીકે વિકસિત કરવામાં આવી છે જેથી વિશ્વને ખ્યાલ આવે કે ભારત પણ આ પ્રકારની સબમરીન જાતે બનાવી શકે છે.

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયારઆ સબમરીનને પ્રુફ ઓફ કોન્સેપ્ટ તરીકે વિકસિત કરવામાં આવી છે, જેથી વિશ્વને ખ્યાલ આવે કે ભારત પણ આ પ્રકારની સબમરીન જાતે તૈયાર કરી શકે છે. જેનો ફાયદો માત્ર સમુદ્રી તપાસમાં જ નહીં પણ ચૂપચાપ દરિયાની અંદર યુદ્ધ લડવા માટેની ક્ષમતામાં વધારો કરે છે. જે અંડરવોટર વોરફેર ટેક્નોલોજીનું મજબુત પૂરાવો છે. તેના દ્વારા ઓછા કમાન્ડોની સાથે કોઈ પણ પ્રકારે મિલિટ્રી ઓપરેશન કે ગુપ્ત મિશનને પણ પાર પાડી શકાય છે.

Arowana ઊંડા અને છીછરા પાણી એમ બંનેમાં તરી શકે છે. આનાથી ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો અને અન્ય સબમરિનોથી જોડાયેલા નેટવર્કિંગના માધ્યમથી દુશ્મનને માત આપી શકાય છે. આ સાથે જ ઘણા પ્રકારના મિશનને પણ અંજામ આપી શકાય છે. આ સબમરિન એકદમ સ્ટેલ્થ અને એક્ટિવ છે. જોકે, હાલમાં આનાથી વધારે માહિતી શેર નથી કરાઈ. આ સબમરિન વિશે એવું કહેવાય રહ્યું છે કે તેની લંબાઈ લગભગ ૧૨ મીટર છે. તેની ગતિ ૨ નોટ જેટલી છે એટલે કે ઓછી સ્પીડ છે. જોકે વર્તમાનમાં તેને એક જ વ્યક્તિ ચલાવી શકે છે. આ સબમરિનની અંદર લિથિયમ આયન બેટરી લાગેલી છે. પ્રેશર હલ સ્ટીલ છે આ સાથે જ સ્ટીયરીંગ કન્સોલ પણ આપાવામાં આવેલું છે.

શું છે ભારતીય નૌકાદળનું આગામી પ્લાનિંગ ?

  • ભારતીય નૌકાદળનો પ્રયાસ છે કે તેમને બે મિડગેટ સબમરિન મળે. આના માટે ૨૦૦૦ કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે.જેનો ઉપયોગ માર્કોસ કમાન્ડો કરશે.

કેવી છે આ મિડગેટ સબમરીન ?

  • મિડગેટ સબમરીન સામાન્ય રીતે 150 ટનથી ઓછા વજનની હોય છે. જેમાં એક, બે અથવા ક્યારેક-ક્યારેક તો 6 લોકો બેસીને કોઈ મિલિટ્રી મિશનને અંજામ આપી શકે છે. આ નાની સબમરિન છે. તેમા લાંબા સમય સુધી રહેવાની વ્યવસ્થા નથી હોતી, એટલે કમાન્ડો તેમા બેસીને મિશનને અંજામ આપવા જાય અને પરત આવી જાય.

ક્યા કામ માટે વપરાય છે આ સબમરીન?

  • સામાન્ય રીતે તેનો ઉપયોગ કોવર્ટ ઓપરેશન માટે કરવાાં આવે છે. આનો ઉપયોગ કોઈપણ બંદર પર ઘૂંસપેંઠ માટે કરવામાં આવે છે. આ મિશન થોડા સમયમાં ઝડપથી પૂર્ણ કરવા માટે થાય છે. તેથી જ આવી નાની સબમરીનનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી દુશ્મન તેના આવવાની સરળતાથી જાણકારી ન મળી શકે.

સબમરિનમાં કયા કયા હથિયારો હોય છે

  • સામાન્ય રીતે મિડગેટ સબમરિનમાં ટોરપીડો અને દરિયાઈ બારુદી સુરંગો હથિયાર તરીકે હોય છે. આ સિવાય ઘણી વાર તેમાં ડાઈવર્સ માટે સ્વિમર ડિલિવરી વ્હીકલ હોય છે. જેથી સબમરિનને નુકશાન થાય તો તેની અંદર રહેલા કમાન્ડો આ વ્હીકલની મદદથી મિશન એરિયામાંથી કુશળ રીતે બહાર આવી શકે.

નાગરિક સબમરીન

  • મિડગેટ સબમરિનોનો ઉપયોગ માત્ર મિલિટ્રીમાં જ નથી કરવામાં આવતો, આ સિવાય તેનો વ્યવસાયિક ઉપયોગ માટે પણ થાય છે. જેમકે અંડરવોટર મેઈન્ટેન્સ, શોધખોળ માટે, આર્કિયોલોજી, સાયન્ટિફિક રિસર્ચ વગેરેમાં થાય છે. હવે તો સબમરિનનો ઉપયોગ દરિયાની અંદર પર્યટન માટે પણ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-