Ration Card : રેશનકાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, 2024 સુધી મોદી સરકારે કરી નવી સુવિધા

Share this story

Ration Card 

  • Fortified Rice : સરકારનું લક્ષ્ય 2024 સુધીમાં દેશભરમાં સરકારી યોજનાઓ દ્વારા ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવાનું છે. PDS દ્વારા 269 જિલ્લામાં ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જો તમારી પાસે પણ રાશનકાર્ડ (Ration Card) છે અને તમે સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ફોર્ટિફાઈડ ચોખા (પોષક તત્વોથી સમૃદ્ધ) 269 જિલ્લાઓમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યા છે. દેશના બાકીના જિલ્લાઓને માર્ચ, 2024ની સમયમર્યાદા પહેલા આવરી લેવામાં આવશે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ આ માહિતી આપી હતી.

આ યોજના ઓક્ટોબર 2021માં શરૂ કરવામાં આવી હતી :

પીએમ મોદીએ 2021 માં કહ્યું હતું કે 2024 સુધીમાં સરકારનું લક્ષ્ય સરકારી યોજનાઓ દ્વારા સમગ્ર દેશમાં ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવાનું છે. આ જાહેરાત પછી બાળકો અને મહિલાઓમાં એનિમિયાની સમસ્યાને દૂર કરવા માટે સૂક્ષ્મ પોષકતત્ત્વો ધરાવતા ફોર્ટિફાઈડ ચોખાના વિતરણની યોજના ઓક્ટોબર 2021 માં તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની અનોખી અને સફળ પહેલ :

ચોપરાએ જણાવ્યું હતું કે છેલ્લા બે તબક્કામાં ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ સફળતાપૂર્વક અમલમાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘કેન્દ્ર સરકારની આ એક અનોખી અને ખૂબ જ સફળ પહેલ છે. જેણે છેલ્લા બે વર્ષમાં સારા પરિણામો આપ્યા છે. લોકો તરફથી મળેલા પ્રતિસાદથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમણે કહ્યું કે અગાઉ કેટલીક ગેરસમજણો હતી. પરંતુ તેને દૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પહેલ સ્વસ્થ ભારતનો પાયો નાખશે.

તેમણે કહ્યું, ‘અમે અત્યાર સુધીમાં 269 જિલ્લામાં PDS (રેશન શોપ) દ્વારા ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ શરૂ કર્યું છે. અમે જે ગતિએ આગળ વધી રહ્યા છીએ બાકીના જિલ્લાઓને સમયમર્યાદા પહેલા યોજનાના દાયરામાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે દેશમાં લગભગ 735 જિલ્લા છે. જેમાંથી 80 ટકાથી વધુ વસ્તી ચોખા ખાય છે. ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં પૂરતા ફોર્ટિફાઈડ ચોખા છે. કારણ કે હાલમાં આ ચોખાની ઉત્પાદન ક્ષમતા લગભગ 17 લાખ ટન છે.

આ પણ વાંચો :-