Home Blog Page 1122

એકાઉન્ટ બનાવતાની સાથે જ INSTA પર જોવા મળ્યો આ સાઉથ એક્ટરનો દબદબો.. 15 કલાકમાં તો..

As soon as the account

  • Thalapathy Vijay Instagram : સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. ત્યાં જ એન્ટ્રી કરતા જ અમુક જ કલાકમાં પેજ પર તેમના લાખો ફોલોઅર્સ થઈ ગયા છે.

થલાપતિ વિજય (Thalapathy Vijay) સાઉથ સિનેમાના એક ખૂબ જ પોપ્યુલર અને હાઈએસ્ટ પેડ એક્ટર છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. લોકો તેમની એક્ટિંગના દિવાના છે. ન ફક્ત સાઉથમાં (South) પરંતુ આખા દેશમાં તેમની ખૂબ જ ફેનફોલોઈંગ છે. તેમના કરોડો ફેન્સ છે. ત્યાં જ હવે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પણ તેમના માટે ફેંસની દિવાનગી જોવા મળી રહી છે.

વિજયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. રવિવારે તેમણે પોતાનું પેજ ક્રિએટ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે જેવી એન્ટ્રી કરી ત્યાર બાદ તે પોતાનો જલવો બતાવવા લાગ્યા. અમુક જ કલાકમાં તેમને લાખો લોકોએ ફોલો કર્યા છે.

15 કલાકમાં 38 લાખ ફોલોઅર્સ :

ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવતા જ લોકોએ થલાપતિ વિજયને ફોલો કરવાનું શરૂ કરી દીધુ. ત્યાં જ 15 કલાકમાં તેમને 38 લાખથી વધારે લોકો ફોલો કરી ચુક્યા છે.

ફોલોઅર્સના આ આંકડા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. વિજયે જે પ્રોફાઈલ ફોટો લગાવ્યો છે. તે તેણે પોસ્ટ પણ કર્યો છે.

ફોટો શેર કરી લખ્યું આ કેપ્શન  :

પોતાનો ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “હેલો નંબાસ અને નંબીસ.” તેમની આ પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

અત્યાર સુધી આ પોસ્ટને 38 લાખથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. સાથે જ લોકો ખૂબ જ કમેન્ટ પણ કરી રહ્યા છે અને ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂ માટે તેમને શુભકામનાઓ આપી રહ્યા છે.

આ ફિલ્મમાં વિજય અને સંજય દત્ત જોવા મળશે સાથે  :

ત્યાં જ ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂ ઉપરાંત વાત કરીએ તેમની ફિલ્મી લાઈફની તો આવનાર સમયમાં તે ફિલ્મ લિયોમાં જોવા મળશે. ત્યાં જ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે.

ત્યાં જ જ્યાં એક તરફ એક્ટ્રેસ તૃષા કૃષ્ણન આ ફિલ્મમાં વિજયની સાથે સ્કીન શેર કરશે તો ત્યાં જ બીજી તરફ બોલિવુડ એક્ટર સંજય દત્ત પણ તેમાં જોવા મળશે.

આ પણ વાંચો :-

ગુજરાતીઓએ હવે થાઈલેન્ડ કે દૂબઈ જવાની જરૂર નથી, 2 આઈલેન્ડને બનાવાશે 

0

Gujaratis no longer need

  • Gujarat Tourism : રાજ્યના બે ટાપુઓને પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકાસાવાશે. ગાંધીનગરમાં ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠકમાં લેવાયો નિર્ણય.

ગુજરાતે (Gujarat) હંમેશાથી દેશમાં પ્રવાસન માટે પહેલ કરી છે. આ કારણે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ પણ ખેંચાઈને આવે છે. ગુજરાતમાં પ્રવાસીઓની (tourist) સંખ્યા વધતી રહે તે માટે પ્રવાસનમાં સતત નવુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (Bhupendra Patel) અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક યોજાઈ હતી.

જેમાં ગુજરાતના બે ટાપુઓનો વિકાસ કરવાની જાહેરાત કરાઈ છે. ગુજરાતના આ બે ટાપુઓ હવે થાઈલેન્ડના (Thailand) ટાપુની જેમ હાઈફાઈ બનાવાશે. જેમા સૌરાષ્ટ્રમા આવેલા બેટદ્વારકા (Bet Dwarka) અને શિયાળ બેટને (Shiyalbet) હવે નવી રીતે વિકસાવાશે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક યોજવામાં આવી હતી. વિશાળ સાગરકાંઠો અને 144થી વધુ આયલેન્ડ ધરાવતું ગુજરાત વિકાસમાં અગ્રેસર છે. તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રહીને રાજ્ય સરકારે આ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને રચના કરી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.

ટાપુના વિકાસ માટે 2077 કરોડની ફાળવણી :

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ ઓથોરિટીની પાંચમી બોર્ડ બેઠકમાં અગાઉની બોર્ડ બેઠકમાં જે બે ટાપુઓ બેટદ્વારકા અને શિયાળ બેટનો પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે માટેની નાણાકીય ફાળવણી આ વર્ષના રૂપિયા 2077 કરોડના પ્રવાસન બજેટમાંથી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય સચિવ રાજકુમારે દ્વારકા કોરિડોર ડેવલપમેન્ટ માટે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાનું સૂચન કર્યું હતું.

આ પણ વાંચો :-

 

Kajal Hindustani : કોણ છે ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવનાર કાજલ હિન્દુસ્તાની ?

0

Kajal Hindustani

  • Who is Kajal Hindustani : લોકોએ આરોપ લગાવ્યો છે કે કાજલ હિન્દુસ્તાનીએ એક ખાસ સમુદાય પર હુમલો કરતી વખતે નફરતભર્યા ભાષણ આપ્યા. ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો.

વડોદરામાં (Vadodara) રામ નવમી (Ram Navami) પર થયેલા હંગામા બાદ ઉનામાં પણ સ્થિતિ તંગ છે. ઉનામાં તણાવનું કારણ રામ નવમીના દિવસે ઉશ્કેરણીજનક ભાષણ (inflammatory speech) હોવાનું કહેવાય છે. ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ કાજલ હિન્દુસ્તાની પર છે. આરોપ છે કે કાજલ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ભારતીય લોકોમાં નફરત ફેલાવી રહી છે.

અચાનક લાઇમલાઇટમાં આવેલી કાજલ હિન્દુસ્તાનીએ ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં ભાગ લીધો હતો. લોકોનો આરોપ છે કે આ કોન્ફરન્સમાં કાજલે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું અને લોકોમાં સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો. તણાવ એટલો વધી ગયો કે પ્રશાસનને ભીડને શાંત કરવા માટે તમામ પ્રયાસો કરવા પડ્યા.

લોકપ્રિયતા માટે સસ્તી રાજનીતિ..!

લોકોએ આરોપ લગાવ્યો છે કે કાજલ હિન્દુસ્તાનીએ એક ખાસ સમુદાય પર હુમલો કરતી વખતે નફરતભર્યા ભાષણ આપ્યા. ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો. આ હંગામા પછી કાજલ હિન્દુસ્તાનીનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. તમને જણાવી દઈએ કે કાજલ હિન્દુસ્તાનીનું સાચું નામ કાજલ સિંગલા છે.

વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં જોડાયા બાદથી તે ચર્ચાનો વિષય બની છે. હવે સમાજનો એક વર્ગ કાજલની ધરપકડની માંગ કરી રહ્યો છે. આવો તમને જણાવીએ કે કાજલ હિન્દુસ્તાનીએ વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં શું કહ્યું અને કેવી રીતે આ સાંપ્રદાયિક તણાવ પ્રશાસન માટે નાસકો સમાન બની ગયો.

ધર્મની આડમાં ફૂલીફાલી રહ્યા છે નફરતના સોદાગર  :

સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ ખાસ ધર્મની ઘટના બને છે ત્યારે આસ્થાના નામે નફરતનું ઝેર ઓકતા લોકો તેના પર નજર રાખે છે. મોકો મળતાં જ તેઓ નફરતના બીજ વાવવાથી બચતા નથી. હિન્દુઓનો તહેવાર હોય, રામનવમી હોય કે શિવરાત્રી..

છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પવિત્ર તહેવારો તોફાનો કર્યા વિના પૂરા થતા નથી. કેટલાક સ્વયં-ઘોષિત હિન્દુ પ્રવક્તા અને ઇસ્લામના પ્રચારકો ધર્મની આડમાં લોકોમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. ઉના અને વડોદરામાં જે બન્યું તે આ કૃત્યનું જીવંત ઉદાહરણ છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશની શાંતિ અને અસ્મિતા સાથે રમત કરનારા આવા લોકોની સંખ્યા વધી રહી છે. કાજલ હિન્દુસ્તાની પર પણ આવા જ આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

જેલમાં ભેંસોને નવડાવશે અતીક અહમદ, કચરો કાઢવા ઉપરાંત કરશે આ કામ

0

Atiq Ahmad will bathe the buffaloes

  • Atiq Ahmed in Sabarmati jail : ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી માટે અતીક અહેમદને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. અહીં કોર્ટે અતીક અહેમદ, વકીલ ખાન સુલત હનીફ અને તેના નજીકના મિત્ર દિનેશ પાસીને આજીવન કેદની સજા ફટકારી છે.

Umesh Pal Case : ગુજરાતની (Gujarat) સાબરમતી સેન્ટ્રલ જેલમાં (Sabarmati Central Jail) આજીવન કેદની સજા ભોગવી રહેલા માફિયા અતીક અહેમદનું કામ નક્કી થઈ ગયું છે. તેણે જેલમાં ભેંસોને નવડાવવી, ઝાડુ મારવા, ઢોરની સંભાળ રાખવા સહિત સુથારનું કામ પણ કરવાનું રહેશે. આ સિવાય તેને જેલમાં જ ખેતીનું કામ પણ કરવું પડશે.

આ કામો માટે તેને રોજના 25 રૂપિયા રોજના વેતન તરીકે મળશે. વાસ્તવમાં અતીક અહેમદને અકુશળ કારીગરોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જો તેમને કુશળ કારીગરોની શ્રેણીમાં રાખવામાં આવ્યા હોત તો તેમને રોજના રૂ. 40 પ્રતિદિન વેતન તરીકે મળત.

કેદી નંબર 17052, અતીક અહેમદ ઉમેશ પાલ અપહરણ કેસમાં સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. અતીકનું ખાતું જેલની બેંકમાં ખોલવામાં આવ્યું છે. તેને મળતું દૈનિક વેતન તે જ ખાતામાં જમા કરવામાં આવશે. અતીકને જેલમાં રહેવા માટે બે જોડી કપડાં આપવામાં આવ્યા છે. આ કપડાંમાં સફેદ રંગનો કુર્તા-પાયજામા, કેપ અને ગમછાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અતીક અહેમદ જે વ્યભિચારી જીવન જીવતા હતા. તે આ દિવસોમાં જેલમાં રોટલી ખાઈ રહ્યા છે. તેને જેલમાં ભોજન તરીકે રોટલી, દાળ અને ચોખા આપવામાં આવી રહ્યા છે. તેની બેરેક બદલી દેવામાં આવી છે અને હવે તેને સજા કાપી ચૂકેલા કેદીઓની બેરેકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી માટે તેને સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની MPMLA કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ પછી કોર્ટે અતીક અહેમદ, વકીલ ખાન સુલત હનીફ અને તેના નજીકના મિત્ર દિનેશ પાસીને આજીવન કેદની સજા સંભળાવી. જો કે આ કેસમાં 7 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

Vivo Y11 Launch : વીવોએ 6GB રેમ સાથે લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

Vivo Y11 Launch

  • Vivo એ ખુબ સસ્તા ભાવમાં Vivo Y11 ને લોન્ચ કર્યો છે. કિંમત ઓછી રાખવાની સાથે કંપનીએ શાનદાર ફીચર્સ આપ્યા છે.

Vivo Y11 Launch : સ્માર્ટફોન મેકર કંપની વીવોએ Y સિરીઝનો એક નવો સ્માર્ટફોન (Vivo New Smartphone) લોન્ચ કરી દીધો છે. વીવીઓ યૂઝર્સ માટે Vivo Y11 રજૂ કર્યો છે. કંપનીનો આ એક બજેટ સેગમેન્ટનો સ્માર્ટફોન (Vivo Budget Smartphone)છે.

સ્માર્ટફોનને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પણ એડ કરવામાં આવ્યો છે. જો તમે આ સ્માર્ટફોનને લેવા ઈચ્છો છો તો તે વાત યાદ રાખો કે આ 4જી સ્માર્ટફોન છે. કિંમત ઓછી હોવા છતાં વીવોએ તેમાં શાનદાર ફીચર્સ આપ્યા છે.

Vivo Y11 (2023) ની આ છે કિંમત :

Vivo Y11 સ્માર્ટફોનને કંપનીએ બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. જેનું બેસ મોડલ 4GB RAM ની સાથે જ્યારે અપર મોડલ 6 GB RAM ની સાથે આવે છે. જો કિંમતની વાત કરીએ તો 4જીબી વેરિએન્ટ લગભગ 10500 રૂપિયામાં મળશે, જ્યારે 6જીબી વેરિએન્ટ તમે 12 હજારમાં ખરીદી શકો છો.

Vivo Y11 (2023) ના સ્પેસિફિકેશન્સ :

– Vivo Y11 મોડલમાં યૂઝર્સને 6.52 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે.

– રેઝોલ્યૂશન 1,600 x 720 પિક્સલ છે. ડિસ્પ્લે ડ્રોપ નોચ ડિઝાઇનની સાથે આવે છે.

Vivo Y11 માં યૂઝર્સને  4GB RAM અને 6GB RAM ના બે વેરિએન્ટ મળે છે. તેમાં 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

– યૂઝર્સ સ્માર્ટફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકે છે.

– લો બજેટ સેગમેન્ટના આ ડિવાઇસમાં પણ વીવોએ યૂઝર્સને વર્ચ્યુઅલ રેમનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

– Vivo Y11 માં MediaTek Helio P35 નું પ્રોસેસર આપવામાં આવ્યું છે.

– જો આ ડિવાઇસના કેમેરા ફીચર્સની વાત કરીએ તો તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રંટમાં સેલ્ફી માટે પાંચ મેગાપિક્સલનો કેમેરો છે.

Vivo Y11 માં 5000 mAh ની મોટી બેટરી મળે છે. જે 10 વોટના ફાસ્ટ ચાર્જિંગથી ચાર્જ થાય છે.

આ પણ વાંચો :-

સાહિત્ય પ્રેમી અને કવિ હૃદય પો.કમિ. તોમરનું વૈદ્યનું નવું રૂપ જોવા મળ્યું !

  • એલોપથી અને ઔષધીય સારવારની છણાવટ કરવા સાથે ઇ.સ.૩૦૦ અને ૬૦૦ વર્ષ પૂર્વે વૈદ્ય ચરક અને વૈદ્ય સુશ્રૃતે કરેલી ઔષધીય શોધો અને ઇલાજ અંગે વાત કરી લોકોને દંગ કરી દીધા.
  • ઉપસ્થિત વનવાસીઓના ‘સુડોળ’ શરીર તરફ ઇશારો કરીને શહેરોમાં વસતા લોકોના વધતા જતા પેટ (ફાંદ)ની પણ વાત કરીને લોકોને હસાવવા સાથે ‘ફીટ’ રહેવા સુચન કર્યા હતા.
  • સમારંભના અંતે પો.કમિ. તોમર બંદોબસ્તમાં ઉભેલા પોલીસ જવાનોને પણ મળ્યા અને વધતા પેટ તરફ ઈશારો કરી આરોગ્યલક્ષી સલાહ-સુચનો કર્યા

આજે વધુ એક વખત સુરતના (Surat) પો.કમિ. અજયકુમાર તોમરના (Po. Comm. Ajay Kumar Tomar) નવા રૂપના દર્શન થયા હતા.આજે તેઓનું એક પરંપરાગત નિષ્ણાંત વૈદ્ય તરીકેનું રૂપ પણ જોવા મળ્યું હતું. અજયકુમાર તોમર સાહિત્યમાં જબરદસ્ત રૂચિ અને જાણકારી ધરાવે છે અને કવિ હૃદય પણ છે. આર્યુવેદ અને જંગલોમા થતી જડીબુટ્ટીઓથી (Herb) પણ પરિચિત હશે એવું જાણમા નહોતુ. પરંતુ આજે એ રૂપ પણ જોવા મળ્યું.

સુરતમાં આદિવાસી પરંપરાગત વૈદુભગતના ઔષધીય વનસ્પતિ (Medicinal plants) પ્રદર્શન અને ઉપચાર મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ વૈદુભગત જડીબુટ્ટીઓની સારવાર પધ્ધતિથી કેન્સર જેવી ભયાનક બિમારીની સારવાર કરવા માટે જાણિતા છે અને હઠીલા રોગોને નિર્મૂળ કરવાનો પણ દાવો કરે છે. આ વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળાનું પો.કમિ. અજયકુમાર તોમર સહિત અન્ય મહાનુભાવોએ ઉદ્દઘાટન કર્યુ હતું.

પો.કમિ. અજયકુમાર તોમરના પ્રવચનનો એક એક શબ્દ ઉપસ્થિત લોકોના દિલોદિમાગમાં અસર કરી ગયો હતો. એલોપથી અને જંગલની વનસ્પતિમાંથી મળતી જડીબુટ્ટીઓ (ઔષધીય) અંગે પો.કમિ. તોમરે જબરદસ્ત વિવરણ કર્યુ હતુ અને ભારત સહિત વિશ્વના ક્યાં દેશોનો જંગલમાં કઇ જડીબુટ્ટી ઉપલબ્ધ છે તેની તેઓએ જાણકારી આપી હતી.

તેમણે બ્લડના વિવિધ ગ્રુપની શોધ ક્યારે અને કોણે કરી અને શરીર રચનાની કેટલીક વાતો કરીને લોકોને ચોંકાવી દીધા હતા. સાથે તેમણે વૈદુભગતો અને તેમનું નેતૃત્વ કરતી સમાજસેવી સંસ્થાઓને ઔષધીય ઉપચારનું આધુનિક સમયને અનુરૂપ કાયદેસરતા અનુસરીને પેકીંગ અને માર્કેટીંગ કરવા અનુરોધ કર્યો હતો.

WhatsApp Image 2023-04-02 at 11.38.36 PM (4)

તેમણે કહ્યું હતુ કે આજે પેકીંગમાં વેચાતી વસ્તુ અને બ્રાન્ડ ઉપર લોકો વધારે ભરોસો કરે છે. એલોપથી દવાઓની આડઅસરો થાય છે. એવું કહી શકાય નહીં પરંતુ જડીબુટ્ટી એક પ્રકારની વનસ્પતિ છે અને ઔષધીય સારવાર પધ્ધતિથી શારિરીક નુકસાન થવાની શક્યતા નથી.

એલોપથીની શોધ પૂર્વે આપણા પૂર્વજો અને રાજઘરાનાનાં લોકો પણ વાનસ્પતિક ઔષધીય સારવાર પધ્ધતિ ઉપર જ વિશ્વાસ રાખતા હતા અને એટલે જ આપણે ત્યાં રાજવૈદ્યની પણ પરંપરા હતી. પરંતુ જ્યારથી એલોપથીની શોધ થઇ છે

ત્યારથી આપણો ક્રમશઃ વાનસ્પતિ, ઔષધીય સારવાર ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો હતો. પરંતુ હવે લાંબાગાળે લોકોને સમજાઇ રહ્યું છે કે વાનસ્પતિથી થતી ઔષધીય સારવાર પધ્ધતિ ખરેખર ઉત્તમ છે અને એટલે જ ફરી લોકો આર્યુવેદ તરફ પાછા ફરી રહ્યા છે.

પો.કમિ. તોમરે ભારતની અને વિશ્વના કેટલાક દેશોની પર્વતમાળાની આખી યાદી બોલી ગયા હતા. આ પર્વતમાળાઓમા પેદા થતી વનસ્પતિ, અને જડીબુટ્ટીઓનો ઉલ્લેખ કરવા સાથે કઇ બિમારીમાં એની ઉપયોગીતા અંગે રસપ્રદ વાતો કરીને લોકોને જકડી રાખ્યા હતા.

શ્રી તોમરે ભારતીય આર્યુવેદ સારવાર પધ્ધતિ અંગે છણાવટ કરતા કહ્યું હતું કે ઇ.સ.૩૦૦ વર્ષ પૂર્વે વૈદ્ય ચરક અને લગભગ ઇ.સ.૬૦૦ વર્ષ પૂર્વે વૈદ્ય સુશ્રૃતે વનસ્પતિ અને ઔષધીય સારવાર પધ્ધતિની શોધ કરી હતી અને વૈધ સુશ્રૃતે ઓપરેશન પણ કર્યા હતા.

તેમણે સમગ્ર વકતવ્ય દરમિયાન ઉપસ્થિત લોકોનુ નિરીક્ષણ કર્યુ હતું અને ટકોર કરી હતી કે અહિંયા ઉપસ્થિત એક પણ વનવાસીમાં ‘ફાંદ’ (મોટું પેટ) જોવા મળતી નથી. સાથે તેમણે શહેરોમાં વસતા લોકોના વધી રહેલા પેટ તરફ પણ ઇશારો કરીને પરંપરાગત ઔષધીય વનસ્પતિ અને વૈદુભગતની ઉપચાર પધ્ધતિ તરફ ઇશારો કર્યો હતો અને કાર્યક્રમમાંથી વિદાય લેતી વખતે બંદોબસ્તમા ઉભેલા પોલીસ જવાનોને પણ વ્યક્તિગત મળ્યા હતા અને વધી ગયેલા પેટ (ફાંદ) તરફ ઇશારો કરીને ‘ફીટ’ રહેવા હળવી મીઠાશભરી ટકોર કરી હતી.

આ પણ વાંચો :-

તારીખ 03 એપ્રિલ 2023 આજનું રાશિફળ : કઈ-કઈ રાશિના જાતકોનું આજે કેવું રહેશે ભવિષ્ય? જાણો એક ક્લિકમાં આજનું રાશિફળ

Date 03 April 2023 Today’s Horoscope: What will be the future of the zodiac signs today?

મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઈ-બહેનોનાં સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારું મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દીપણું વધતુ જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીનાં યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખનાં પ્રસંગ ઉદ્‍ભવે. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભનાં યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ
પૂર્વ જન્મોનાં કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્ત્વ અને શારીરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીસ્ટનાં ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીનાં રોગોની કાળજી રાખવી.

તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારનાં સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાનાં પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારું રહે.

ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારું રહેશે.

મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારનાં સ્ત્રી વર્ગને તકલીફનો અનુભવ કરવો પડે. આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ
આવકનાં નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારું રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાનાં યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

02 એપ્રિલ 2023, આજનું રાશિફળ : આ સાત રાશિના જાતકો પર રહેશે માં ખોડલની વિશેષ કૃપા

02 April 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ
સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારનાં સભ્યોની પ્રગતી થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભ
દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુન
હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય અેનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્ક
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફ‍ળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યા
આવકનુું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલા
દિવસ દરમિયાન ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂ રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિક
નાના ભાઇ-બહેનો‌ની‌ ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફતી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધન
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતી રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકર
માનસિક શાંતી, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.
કુંભ
આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતીથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઇસક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું.

મીન
નાના ભાઇ-બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

આ પણ વાંચો :-

પાર્લરમાં હજારો રૂપિયા નહીં બગાડવા પડે, રસોડામાં રહેલી આ એક વસ્તુથી સફેદ વાળ થઈ જશે કાળા, જાણો ઉપયોગ કરવાની રીત

No need to waste thousands of rupees  

  • નાની ઉંમરમાં જો સફેદ વાળ આવી જાય તો આપણે અલગ અલગ ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણી વખત આપણને જોઈએ તેવું રિઝલ્ટ નથી મળી શકતું. એવામાં આ રીતે મેથીનો ઉપયોગ કરવાથી ચમત્કારી ફાયદા મળી શકે છે.

પહેલાના જમાનામાં સફેદ વાળને (White hair) વધતી ઉંમરની નિશાની માનવામાં આવતા હતા. પરંતુ હાલના સમયમાં 25 વર્ષના યુવાનોના વાળ પણ સફેદ થઈ જાય છે. હાલના સમયમાં લાઈફસ્ટાઈલ, પ્રદુષણ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ (Unhealthy food habits) તેનું સૌથી મોટુ કારણ છે. જો તમે પણ નાની ઉંમરમાં આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમને આ ટેન્શનથી દૂર કરી શકીએ છીએ.

સફેદ વાળમાંથી મળી છુટકારો :

યંગ એજમાં વાળ સફેદ થવાથી કોન્ફિડન્સ લો થવાનો સામનો કરવો પડી શકે છે. જો તેના માટે કેમિકલ યુક્ત હેર ડાઈનો ઉપયોગ કરવામાં આવશે તો વાળ ડેમેજ થઈ શકે છે. એવામાં મેથીના ઉપયોગથી ઈચ્છા અનુસાર રિઝલ્ટ મળી શકે છે.

મેથીના પાણીથી ધોવો વાળ  :

વાળના ફાયદા માટે મેથીનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે તમે એક વાસણમાં પાણી લો અને મેથીના દાણાને મિક્સ કરી લો. ત્યાર બાદ તેને ઉકાળો અથવા ઠંડુ કરવા મુકી દો. આ મેથી પાણીથી માથુ ધોવો અને લગભગ 15 મિનિટ સુધી વાળને ન ઘોવો. અમુક દિવસ સુધી આમ કરવાથી ઈચ્છા અનુસાર રિઝલ્ટ મળશે.

સવારના સમયે કરો આ કામ  :

તમે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને છોડી દો અને સવારે તેને પીસીને પેસ્ટ તૈયાર કરી લો અને વાળમાં લગાવી દો. અમુક દિવસો સુધી આમ કરવાથી તમારા વાળ નેચરલ રીતે કાળા થઈ જશે.

આ પણ વાંચો :-

TRAI નો નવો નિયમ ! શું 5 દિવસમાં બંધ થઈ જશે આવા મોબાઈલ નંબર? વિગતો જાણો

TRAI’s new rule 

  • Trai Guidelines For Mobile Number : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તમારો મોબાઈલ નંબર બંધ કરી શકે છે. ટ્રાઈ એવા 10 આંકડાના મોબાઈલ નંબર પર લગામ કરવા જઈ રહી છે. જે બિઝનેસ હેતુથી પ્રમોશનલ કોલિંગ અને મેસેજિંગ માટે ઉપયોગમાં લેવાય છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તમારો મોબાઈલ નંબર બંધ કરી શકે છે. જી હા ટ્રાઈએ એક નિયમ બનાવ્યો છે જે હેઠળ તમારો 10 ડિજિટનો મોબાઈલ નંબર બંધ થઈ શકે છે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટ્રાઈ હવે અનરજિસ્ટર્ડ મોબાઈલ નંબર બંધ કરશે. આ નંબર્સથી ન તો કોલ થશે કે ન તો મેસેજ થઈ શકશે.

અત્રે જણાવવાનું કે ટ્રાઈ એવા 10 આંકડાના મોબાઈલ નંબર પર લગામ કરવા જઈ રહી છે જે બિઝનેસ હેતુથી પ્રમોશનલ કોલિંગ અને મેસેજિંગ માટે ઉપયોગમાં લેવાય છે. ટ્રાઈના નિયમ મુજબ પ્રમોશનલ હેતુ માટે અલગથી નંબર રિલીઝ કરાય છે. જો તમે પણ પર્સનલ નંબરથી પ્રમોશનલ કોલ કરો છો તો તમારો નંબર બંધ થઈ શકે છે.

કોલિંગ માટે આ છે નિયમો :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નોર્મલ કોલિંગ અને પ્રમોશનલ કોલિંગ માટે ટ્રાઈ તરફથી અલગ અલગ નંબર ઈશ્યુ કરાય છે. પ્રમોશનલ કોલિંગવાળા નંબરમાં ડિજિટની સંખ્યા વધુ હોય છે અને તેના દ્વારા જ એક યૂઝર ઓળખી શકે છે કે તેમની પાસે પ્રમોશનલ કોલ આવી રહ્યા છે. આ જાણ્યા બાદ રિસિવર પર નિર્ભર કરે છે કે તે કોલને રિસીવ કરે કે ન કરે.

પકડાઈ જવા પર 5 દિવસમાં બંધ થશે ફોન :

જો કે અનેકવાર લોકો પ્રમોશનલ કોલ રિસીવ કરતા નથી જેના કારણે લોકો નોર્મલ નંબરથી કોલ કરવા લાગે છે. મળતી માહિતી મુજબ ટ્રાઈએ તેના પર રોક લગાવવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર સાથે પણ વાત કરી છે. નિયમો મુજબ જો કોઈ યૂઝર નોર્મલ નંબરથી પ્રમોશનલ કોલ કરતા પકડાય તો તેનો નંબર 5 દિવસની અંદર બંધ થઈ શકે છે.

આ પણ વાંચો :-