Home Blog Page 1077

૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે ઓળખ કાર્ડ જરૂરી કે નહીં… જાણો સાચી માહિતી

0

know correct information

  • RBI Governor Shaktikanta Das : RBI ગવર્નરે ૨૦૦૦ રૂપિયાની નોટો બદલાવાના નિયમો બાબતે સ્પષ્ટતા કરી છે કે નોટ બદલવા માટે કોઈપણ પ્રકારના ઓળખ પત્રની જરૂર નથી. નોટ બદલાવા માટે કોઈપણ પ્રકારની ખોટી દોડધામ કરશો નહીં.

જો તમારી પાસે પણ ૨૦૦૦ રૂપિયાની નોટ છે તો સોમવારે RBI ગવર્નરે તેને લગતા ઘણા સવાલોના જવાબ આપ્યા. તેમણે ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવા સંબંધિત સ્થિતિને સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે નોટ બદલવા માટે કોઈપણ પ્રકારના ઓળખ પત્રની જરૂર નથી. આ માટે ચાર મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેણે કહ્યું કે બેંક આવવાની જરા પણ ઉતાવળ ન કરો. અમારી પાસે અન્ય નોટોનો પૂરતો જથ્થો છે.

RBI ગવર્નરે કહ્યું કે તમારે નોટ બદલવાની ચિંતા ન કરવી જોઈએ. આ માટે ચાર મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેથી જ બેંકમાં આવવાની ઉતાવળ કરશો નહીં. કેટલાક લોકોમાં એવી ચર્ચા છે કે બેંકોમાં નોટો પૂરી થઈ જશે.

આવી સ્થિતિમાં ગર્વનરે ખુલાસો કર્યો છે કે શાંતિથી બદલાવો, અમારી પાસે પૂરતી માત્રામાં અન્ય નોટો છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈના આદેશ અનુસાર મંગળવારથી કોઈપણ બેંક શાખામાં ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકાશે.

તેમણે કહ્યું કે તમે એકવારમાં ૨૦૦૦ રૂપિયાની વધુમાં વધુ ૧૦ નોટ બદલી શકો છો. એટલે કે જો તમે ૨૦૦૦૦ રૂપિયા લાવો છો તો તમારે તેને બદલવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી.

આ પણ વાંચો :-

બૃજભૂષણ શરણસિંહની પહેલવાનોને ચેલેન્જ: ‘નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું, જો પહેલવાનો પણ…’

0

Brijbhushan Sharansingh 

  • પહેલવાનોને પડકારતાં ભાજપ સાંસદ બૃજભૂષણસિંહે કહ્યું કે’ હું આજે પણ પોતાની વાત પર અડગ છું. હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છું.’

ભારતીય કુશ્તી સંઘનાં (Wrestling Federation of India) અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણસિંહે  (Brijbhushan Sharan Singh)રવિવારે ખાપ પંચાયતનાં વિવાદિત નિવેદન બાદ ચેલેન્જ આપતાં કહ્યું કે ‘હું પોતાનો નાર્કો ટેસ્ટ, પોલિગ્રાફી ટેસ્ટ (Polygraphy test) કે લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે. મારી સાથે વિનેશ ફોગાટ (Vinesh Phogat) અને બજરંગ પુનિયાનાં (Bajrang Punia) પણ ટેસ્ટ થવા જોઈએ.’

‘રઘુકુલ રીત સદા ચલી આઈ’ 

તેમણે કહ્યું કે જો બંને પહેલવાનો પોતાનો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે તો પ્રેસ કોન્ફેરેન્સમાં તેનું એલાન કરે. તેમણે કહ્યું કે હું વચન આપું છું કે હું પણ તેના માટે તૈયાર છું. તેમણે પોતાની આ વાત એક ફેસબુક પોસ્ટ કરીને જણાવી હતી. તેમણે લખ્યું કે હું આજે પણ મારી વાત પર કાયમ છું અને હંમેશા કાયમ રહેવાનું વચન દેશવાસીઓને આપું છું. તેમણે પોતાની પોસ્ટમાં રામચરિત માનસની ચોપાઈ ‘રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાયે’ પણ લખી હતી.

નવા સંસદ ભવનમાં મહિલા મહાપંચાયત બનશે :

બૃજભૂષણ શરણસિંહની ધરપકડને લઈને ખાપ પંચાયતોની તરફથી આપવામાં આવેલી સમયસીમા પૂર્ણ થયાં બાદ રવિવાર ૨૧ મેનાં રોજ હરિયાણામાં મહાપંચાયત થઈ. ખાપ પંચાયતે મોટું એલાન કરતાં કહ્યું કે ૨૮ મેનાં નવા સંસદ ભવનમાં મહિલા મહાપંચાયત બનાવવાનું એલાન કર્યું.

આ પણ વાંચો :-

અત્યાર સુધી ન ગયા હોય તો આ વેકેશનમાં જવાનું ન ચૂકતા.. આ છે સુંદર ફરવાલાયક સ્થળો

0

If you haven’t been  

  • હાલમાં બાળકોનું વેકેશન ચાલે છે તેથી હરવા ફરવાના શોખીન રજામાં ફરવા જવાનો પ્લાન બનાવતા જ હોય છે. જો તમને પણ ફરવાનો શોખ હોય તો આજે તમને ગુજરાતના જ એવા સ્થળો વિશે જણાવીએ જે તમારા માટે બેસ્ટ છે.

હાલમાં બાળકોનું વેકેશન (Vacation) ચાલે છે અને હરવા ફરવાના શોખીન રજામાં ફરવા જવાનો પ્લાન બનાવતા જ હોય છે. જો તમને પણ ફરવાનો શોખ હોય તો પણ તમારી પાસે રજાની શોર્ટેજ છે તો આજે તમને ગુજરાતના જ એવા સ્થળો વિશે જણાવીએ જે તમારા માટે બેસ્ટ છે. આ જગ્યાએ જવામાં સમય ઓછો લાગશે અને તમને પરિવાર સાથે ફરવા અને જોવા માટે ઘણું મળશે.

ગુજરાતના ઘણા તીર્થધામો, શહેરો તેની વિવિધ ખાસિયતો વિશે જાણીતા છે. અહીં કુદરતી સૌંદર્યને પેટ ભરીને માણી શકાય છે. આવા સ્થળોની વાત આવે તો ગુજરાતમાં 5 એવી જગ્યાઓએ છે જ્યાં ફરવા જવું જ જોઈએ.

ગિરનાર 

ચોમાસામાં અહીં સૌથી વધારે મજા આવે છે. અહિંના ધોધો, અહિંના ઝરણાં અને અહિં મળતી અનેક ઔષધિઓ. દિવસરાત ભટકતાં જ રહો એવો આશય ઉભો થાય ! ગિરનારની (Girnar) ટૂંક ઉપર ગુરૂદત્ત બીરાજે છે.તો ઉપરકોટનો કિલ્લો પણ એની ભવ્યતા માટે આકર્ષક છે. ગીરની લીલોતરી વિશે તો આગળ વાત કરી પણ હવે ગીર જેને લીધે જાણીતું બન્યું એવા ગિરનાર વિશે. ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને શ્રેષ્ઠત્તમ ઉંચાઇ ! જુનાગઢની ઉપર ગિરનાર જાણે પડછાયો બનીને ઉભો છે.

તારંગા  :

જૈનોના તીર્થ ગણાતા તારંગામાં તમને ડુંગરોની વચ્ચે આવેલા આ જૈન મંદિરો જોવાનો અનેરો લ્હાવો મળશે. મહેસાણાના (Mehsana) સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી અંદાજે ૧૨૦૦ ફિટ ઉંચી આ ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે.

અહિંની પર્વતીય સુંદરતા જોવાલાયક છે.ઉપરથી માઇલો સુધી પથરાયેલ અરવલ્લીના અનેક ટેકરાઓની રમણીયતા નજરે પડે છે. અહિં જૈન મંદિરૌ આવેલા છે. કુમારપાળે અહિં ભગવાન અજિતનાથનું સુંદર દેરું બનાવેલું છે. અહિં ઘણા જૈન મંદિરો આવેલા છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રધ્ધાનું કેન્દ્ર છે. અહિંની મુલાકાત પણ મનોહર છે.

ગીરનું જંગલ

આ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. ચોમાસામાં તો અહીં વનરાજી ખીલી ઉઠે છે. ગુજરાતનો સૌથી મોટો અયણ્ય વિસ્તાર એટલે ગીર ! વનરાજોની વસ્તી ધરાવતો અદ્ભુત અરણ્ય સંગમ અનેક જાતના વૃક્ષો ધરાવતો અને અનેક નદી નાળાં સમેત ઝરણા ધરાવતો ભવ્ય પ્રકૃતિ મહોત્સવ !

માઈલો સુધી પથરાયેલ ગીરનું જંગલ પ્રકૃતિની પૂર્ણતા છે. અહિં આવેલ “ગીર નેશનલ પાર્ક”ની (Gir National Park) મુલાકાત ખરેખર લેવા જેવી છે. ગીરમાં આવ્યા પછી સિંહ જોવા ન મળે તો તો થઇ રહ્યું ! એ ઉપરાંત પણ અનેક પ્રાણીઓ અહિં મુક્ત રીતે વિહરે છે.પ્રકૃતિ અને પ્રાણીઓના સંગમ સ્થાન સમાન આ સ્થળની મુલાકાત લેવી સદાય અવિસ્મરણીય બની રહેશે.

સાપુતારા :

ઉનાળામાં લોકો ગરમીથી રાહત મેળવવા સાપુતારા વિશે એક વાત તો પ્રસિધ્ધ જ છે કે, ગુજરાતમાં હવા ખાવા માટેનું તે એકમાત્ર સ્થળ છે…! ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલ સાપુતારાની ભવ્ય પહાડીઓ ખરેખર મનમોહક છે. અહિં પ્રકૃતિ ખોબે ખોબે પથરાઇ છે. માનવીના ઔદ્યોગિકરણએ હજી અહીં બહુ પગપેસારો નથી કર્યો. સાપુતારા મુખ્યત્વે ડાંગના આદિવાસીઓનું રહેઠાણ હતું.

અહિં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે.ખાસ તો નૌકાવિહાર માટે જળાશય ! આહ્લાદક અનુભવની સાચી મજા !ઉપરાંત અહિં પહાડીઓ પરથી સનસેટ અને સનરાઇઝ પોઇન્ટનો લ્હાવો પણ લીધા જેવો છે. સાપુતારાથી થોડે દુર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મુખ્ય આકર્ષણ બની રહે છે.

પાલિતાણા  :

ભાવનગરમાં આવેલ જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થળ છે.આ નગરને “મંદિરોનું શહેર” પણ કહેવાય છે. અહિં જૈન યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે. અદ્ભુત કોતરણી અને પવિત્રતાનો સંગમ ! બસ, જોતા જ રહીએ એવી આહ્લાદક અનુભુતિ અને શાંતિનો અનુભવ અહિં થયા વિના રહેતો નથી.

જૈનોના પ્રથભ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલ આ તીર્થંને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. દેરાસર પાસે અહિં મુસ્લીમોની પવિત્ર દરગાહ પણ આવેલ છે. અહીંનું નયનરમ્ય વાતાવરણ બધાંને આકર્ષિત કરનાર છે.

આ પણ વાંચો :-

આ રીતે પિસ્તા ખાવાથી ઘટે છે વજન, ૩૦ દિવસમાં ફાંદ થઈ જશે ગાયબ

Eating pistachios 

  • શું તમે જાણો છો કે ડ્રાયફ્રુટ ખાવાથી વજન ઘટાડી પણ શકાય ? ડ્રાયફ્રુટ પોષક તત્વોથી ભરપૂર હોય છે તેથી તેને હેલ્થી ડાયટમાં સામેલ કરવા જોઈએ. બધા જ ડ્રાયફ્રુટમાં પિસ્તા એવી વસ્તુ છે જેને ખાવાથી વજન પણ ઘટાડી શકાય છે.

ડ્રાયફ્રુટસ (DryFruits) ખાવાથી શરીરને થતા ફાયદા વિશે તો તમે પણ જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો કે ડ્રાયફ્રુટ ખાવાથી વજન ઘટાડી પણ શકાય? ડ્રાયફ્રુટ (DryFruits) પોષક તત્વોથી ભરપૂર હોય છે તેથી તેને હેલ્થી ડાયટમાં સામેલ કરવા જોઈએ.

બધા જ ડ્રાયફ્રુટમાં પિસ્તા (Pistachio) એવી વસ્તુ છે જેને ખાવાથી વજન પણ ઘટાડી શકાય છે. જે લોકો વજન ઘટાડવાનું વિચારી રહ્યા છે તેઓ પિસ્તાનો ઉપયોગ કરી શકે છે. પિસ્તાનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે.

પીસ્તામાં વિટામિન એ, વિટામીન બી, વિટામીન બી6, વિટામીન સી, વિટામિન ઈ, ફોલેટ, પ્રોટીન સહિતના પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ફાયદો કરે છે.

પિસ્તા ખાવાથી થતા ફાયદા :

વજન ઘટે છે :

પીસ્તામાં કેલેરી ઓછી હોય છે તેથી વજન ઘટાડવા માટે મદદરૂપ છે. રોજ સવારે થોડા પિસ્તા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તેનાથી વજન કંટ્રોલ થાય છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.

યાદશક્તિ સુધારે છે :

જે લોકોની યાદશક્તિ નબળી હોય અથવા તો મેમરી લોસની પ્રોબ્લેમ હોય તેમણે પિસ્તા નિયમિત ખાવા જોઈએ. નિયમિત પિસ્તા ખાવાથી મગજ તેજ થાય છે.

કેન્સરથી બચાવ :

પિસ્તા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે શરીરના ડેમેજ સેલ્સને રીપેર કરે છે અને વધારે ડેમેજ થતા અટકાવે છે. જેના કારણે કેન્સર જેવી બીમારી થવાનું જોખમ ઘટે છે.

આ પણ વાંચો :-

આગામી ૨૪ કલાક ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી, જાણો હવામાન અંગે IMDનું એલર્ટ

0

Next 24 hours

  • Weather Update : ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. દરમિયાન હવે હવામાનમાં પલટો આવવાના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી ૨૪ કલાકમાં ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગરમીનો કહેર જારી છે. ઉત્તર ભારતના (North India) તમામ વિસ્તારોમાં તાપમાનનો પારો સતત 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે હવામાન ટૂંક સમયમાં બદલાશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સ્કાયમેટ વેધર (Skymet Weather) રિપોર્ટ અનુસાર, ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણના રાજ્ય કેરળમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઓડિશાના દક્ષિણ કિનારે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ કર્ણાટકના આંતરિક વિસ્તારો, સિક્કિમ, રાયલસીમા અને ઉત્તરાખંડના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના ભાગોમાં આજે હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાઉથવેસ્ટ ઉત્તર પ્રદેશ, ગૅંગેટીક વેસ્ટ બંગાળ, સાઉથ હરિયાણા, ઝારખંડ, વેસ્ટ રાજસ્થાનમાં વિવિધ વિસ્તારોમાં હિટ વેવનો કહેર જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 23 મેથી પશ્ચિમ હિમાલય સુધી પહોંચશે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં મોસમની હિલચાલ જોવા મળી હતી. પૂર્વ આસામમાં છેલ્લા 1 દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. તે જ સમયે, સિક્કિમમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ઉત્તર-પૂર્વ ભારતના ભાગો, તટીય આંધ્ર પ્રદેશ, દક્ષિણ આંતરિક કર્ણાટક, આંતરિક તમિલનાડુ, કેરળના ભાગો, ઓડિશા અને દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તે જ સમયે, છત્તીસગઢ, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થયો હતો.

આ પણ વાંચો :-

સુખી સંપન્ન પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, આ કુરિવાજોને તિલાંજલિ આપવા કરાયો નિર્ણય

0

A happy prosperous Patidar

  • Patidar Samaj : વર્ષ 1958 માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયુ હતું. તે રીતે 65 વર્ષ બાદ ફરીથી બંધારણ બનાવાશે. જેમાં મહિલાનો મહત્વનો રોલ રહેશે. સમાજમા વ્યાપેલા કુરિવાજો દૂર કરાશે.

ગુજરાતમાં પાટીદાર સમાજની (Patidar Samaj) ગણતરી સુખી સંપન્ન સમાજમાં થાય છે. પાટીદાર સમાજ માટે એવુ કહેવાય છે કે ભગવાન કા દિયા સબ કુછ હૈ. દરેક પાટીદારની કિંમત તેના વીધા જમીનોથી થાય છે. જેની પાસે વધુ જમીન તે વધુ સશક્ત.

ત્યારે આ સુખી સંપન્ન સમાજમા વ્યાપેલી કુરિવાજોને દૂર કરવા કમર કસાઈ છે. બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોએ પ્રીવેડિંગ ફોટોશૂટ, બેબી શાવર, રિસેપ્શન જેવા ખર્ચાળ અને બિનજરૂરી પ્રથા બંધ કરવા અભિયાન ઉપાડયું છે. આ માટે 28 મેના રોજ પાટણમાં 3000 બહેનો સંકલ્પ લેશે.

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોની કુપ્રથા બંધ કરવા સમાજ સુધાર ચળવળ શરૂ કરી છે. જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં વરસતી સમાજની મહિલાઓ જોડાઈ છે. 65 વર્ષ પછી પાટીદાર સમાજની મહિલાઓ બંધારણ તૈયાર કરશે. જેમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દી રસમ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ અને દેખાદેખીમાં શરૂ કરાયેલી પ્રથા સહિતના કેટલાક કુરિવાજો બંધ કરવા નિર્ણય લેવાયો છે.

ઉત્તર ગુજરાતના 53 ગામ ઉપરાંત અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, કચ્છ, રાજકોટ તેમજ મુંબઈમાં રહેતી સમાજની બહેનોએ અભિયાનમાં જોડાઈને સંકલ્પ લેશે. આ માટે 28 મેના રોજ પાટણમાં વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં 3000 જેટલી મહિલાઓ કુરિવાજોને બંધ કરવા સંકલ્પ લેશે. વર્ષ 1958 માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયુ હતું. તે રીતે 65 વર્ષ બાદ ફરીથી બંધારણ બનાવાશે. જેમાં મહિલાનો મહત્વનો રોલ રહેશે.

આ પણ વાંચો :-

પુરૂષાર્થ સાથે ‘પ્રારબ્ધ’ પણ જરૂરી ; સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈ યુવાનવયે જાહેરજીવનના આકાશમાં છવાઈ ગયા

Prabdha

  • સી.આર. પાટીલ, હર્ષ સંઘવી બાદ સંદીપ દેસાઈનો રાજકીય, સામાજિક ક્ષેત્રે જબરદસ્ત પ્રભાવ ‘રાજયોગ’ વગર શક્ય નથી.
  • સુરતને અડીને આવેલા ગામડાના અનાવલિ દેસાઈ પરિવારમાં જન્મેલા સંદીપ દેસાઈ (Sandeep Desai) શાળા, કોલેજકાળથી નેતાગીરી કરતાં-કરતાં સુરત જિલ્લા ભાજપપ્રમુખ અને ધારાસભ્યપદ સુધી પહોંચી ગયા, ઉપરાંત અનેક જાહેર સંસ્થાઓમાં સર્વોચ્ચપદ અલગ.
  • વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને યુવાન ધારાસભ્ય સંદીપ દેસાઈના રાજકીય, સામાજિક પ્રભાવ માટે ‘રાજયોગ’ ચોક્કસ માનવો પડે.

ઘણાં લોકો જન્મથી જ ‘રાજયોગ’ લઈને આવ્યા હોય છે. કોઈ લાંબો સંઘર્ષ કર્યા વગર ઝળહળતી ઊંચાઈએ પહોંચી જનાર વ્યક્તિ માટે ખરેખર તેમના યોગ કામ કરતાં હોય છે. ઉદાહરણરૂપ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન અથાગ સંઘર્ષ કર્યો છે. પોતીકા અને હરીફોનો સામનો પણ કરતાં આવ્યા છે. પરંતુ તકદીર હંમેશા નરેન્દ્ર મોદીની (Narendra Modi) તરફેણમાં રહ્યું છે. તેઓ સામાજિક સંન્યાસ લઈને અલગારી દુનિયામાં ચાલ્યા, પરંતુ જ્યારે પાછા ફર્યા ત્યારે વધુ આત્મવિશ્વાસ અને ઈશ્વર કૃપા સાથે હતા અને એટલે જ અનેક વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ જીત હંમેશાં નરેન્દ્ર મોદીની (Narendra Modi) સાથે હતી. ગુજરાતનાં એક ગામડાંમાં જન્મેલો માણસ આજે આખા વિશ્વમાં છવાઈ ગયો છે. આ બધું ભાગ્યમાં ‘રાજયોગ’ હોય અને ઈશ્વરકૃપા હોય તો જ શક્ય બની શકે.

નરેન્દ્ર મોદી માતાજીનાં ઉપાસક છે. પરંતુ મંત્ર, તંત્ર, દોરાધાગા કરાવતા કોઈએ જોયા નથી. તેમના હાથે હંમેશાં એક ‘કાળો દોરો’ બાંધેલો જોવા મળે છે. કદાચ આ તેમની માતાજી પ્રત્યેની શ્રદ્ધાની નિશાની હોઈ શકે.

ખેર, સુરતનાં સી.આર. પાટીલ પણ રાજયોગ ધરાવતા હોવાનું સુરતનાં ખૂબ જ જાણીતા કવિ ડૉ.મુકુલ ચોક્સીના સ્વ.પિતા મનહરલાલ ચોક્સીએ કહ્યું હતું. મનહરલાલ ચોક્સી કોઈ ધંધાદારી જ્યોતિષી નહોતા. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેમની જાણકારી અને અનુભવ સચોટ હતા. સી.આર. પાટીલનું જ્યારે જાહેર જીવનમાં અને વેપાર, ઉદ્યોગ કે નોકરીક્ષેત્રે વિશેષ પ્રભુત્વ નહોતું એવા દિવસોમાં મનહરલાલ ચોક્સીએ કહ્યું હતું કે, સી.આર. પાટીલ ઉચ્ચ કો‌િટનાં રાજદ્વારી બની શકે એવા તેમના ગ્રહમાન છે. અલબત્ત ત્યારે કદાચ સી.આર. પાટીલે પણ કલ્પના કરી નહીં હોય કે તેઓ દેશના સંસદસભ્ય અને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનવા ઉપરાંત ગુજરાતના રાજકીય જીવનમાં તેમનો ‘હુકમ’ ચાલતો હશે.

PHOTO-2023-05-21-20-37-01

આવું જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ માટે પણ કહી શકાય. દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલ રાતોરાત મુખ્યમંત્રી બની જશે એવી ખુદ ભૂપેન્દ્ર પટેલને પણ કલ્પના નહીં હોય. વળી, બીજી વખત પણ ભૂપેન્દ્ર પટેલ જ ગુજરાતનાં ગાદીપતિ હશે એવું વિચાર્યું પણ નહીં હોય. ખુદ ભૂપેન્દ્ર પટેલ પોતાને વચગાળાની વ્યવસ્થા માનતા હતા. પરંતુ તેમના ‘રાજયોગ’ તેમને ફરી મુખ્યમંત્રી બનવા સુધી લઈ આવ્યા અને વળી સંપૂર્ણ સત્તા સાથે. પરંતુ હવે ‘કર્મ’ને સાકાર કરવા ભૂપેન્દ્ર પટેલ કેટલો પુરૂષાર્થ કરે છે એ મહત્ત્વનું પુરવાર થશે. ઘણી વખત ‘પ્રારબ્ધ’માં હોય, પરંતુ ‘પ્રારબ્ધ’ને ફળીભૂત એટલે કે મૂર્તિમંત કરવા માટે ‘પુરૂષાર્થ’ કરવો એટલો જ જરૂરી છે અને વડાપ્રધાન મોદી તેમનું જીવંત ઉદાહરણ છે. ગુજરાતનાં રાજકારણમાં આજકાલ ભૂપેન્દ્ર પટેલ સામે વંટોળ ઊભા કરવાના પાછલાં બારણે પ્રયાસો કરાતા હોવાના અણસાર મંડરાઈ રહ્યા છે. પરંતુ ભૂપેન્દ્ર પટેલ પુરુષાર્થને વળગી રહેશે તો ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં એક સજ્‍જન છતાં મક્કમ અને સફળ મુખ્યમંત્રી તરીકેનું નામ અં‌કિત કરી જશે.

સુરતના રાજકીય ક્ષેત્રે ખુબ જ ઝડપથી ઊભરી રહેલા ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ આવું જ એક વ્યક્તિત્વ છે. અનાવિલ દેસાઈ પરિવારમાં જન્મ થયો હોવાથી નેતૃત્ત્વના વારસાગત ગુણ હોય એ સ્વાભાવિક છે.

સુરત જિલ્લાને અડીને આવેલા અને હવે સુરત શહેરનો જ એક ભાગ ગણાતા કનસાડ ગામના ખેડૂત પરિવારમાં ૧૯૭૨માં જન્મેલા સંદીપ દેસાઈએ હજુ જીવનનાં પાંચ દાયકા પસાર કર્યા છે અને તેમ છતાં ૫૧ વર્ષ પૂર્ણ કરી બાવનમાં પ્રવેશ કરે ત્યાર પહેલાં શાળા-કોલેજ, જાહેર અને રાજકીય જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી લીધી હતી. સંદીપ દેસાઈનું સામાજિક, રાજકીય અને જાહેર જીવનનું પ્રભુત્વ જોતાં તેમની જન્મ કુંડળીમાં ચોક્કસ ‘રાજયોગ’ હોઈ શકે. કારણ કે, સુરતના જાહેર જીવનમાં સંદીપ દેસાઈ જેટલી ઝડપથી કોઈ છવાઈ ગયું નથી. ગુજરાતનાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં રાજકીય સર્વોપરિતાનાં ગ્રાફની જરૂર નોંધ લેવી પડે. પરંતુ હર્ષ સંઘવીનો પસાર થયેલો યુવાનીકાળ સંદીપ દેસાઈ જેટલો જાહેર જીવન પર પ્રભાવક કહી શકાય નહીં. પરંતુ બની શકે કે, ઘણાનાં જીવનમાં ‘રાજયોગ’નો ઉદય થોડો મોડો લખાયેલો હોય છે. હર્ષ સંઘવીનો રાજકીય ઉદય એક અકસ્માત ગણી શકાય. સ્વભાવે તોફાની અને નટખટ હર્ષ સંઘવીએ પણ ભાજપની છાવણીમાં પ્રભુત્વ ઊભુ કરતાં પહેલા સંઘર્ષ કર્યો હતો. પરંતુ તેમનો સંઘર્ષ આસાન હતો. તેમની પાછળ કોઈક ને કોઈકની છત્રછાયા હતી.

જ્યારે હર્ષ સંઘવીથી બિલકુલ વિરુદ્ધ જાહેર જીવનમાં પ્રવેશવા માટે સંદીપ દેસાઈને કોઈ જ સંઘર્ષ કરવો પડ્યો નહોતો, એવું ચોક્કસ કહી શકાય. ભાજપના ઉદયકાળથી ભાજપની વિચારધારાથી પ્રભાવિત સંદીપ દેસાઈએ કૉલેજ કાળથી જ નેતૃત્વની શરૂઆત કરી દીધી હતી. ૧૯૯૨માં એમટીબી આર્ટ્સ કોલેજમાં તેઓ જી.એસ. તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ૧૯૯૫માં તો ચોર્યાસી તાલુકા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેમનો રાજકીય અને સામાજિક નેતૃત્વના વિકાસનો રથ અટક્યો નથી.

તાલુકા પંચાયતના સભ્ય હોવા ઉપરાંત શહેર-જિલ્લાના રાજકીય જીવનમાં સંદીપ દેસાઈ ઝડપથી છવાતા રહ્યા હતા. સચિન કેળવણી મંડળ, સુરત ડિ‌િસ્ટ્રક્ટ બેંક, સુમુલ ડેરી અને સુરત ખેતીવાડી માર્કેટ એટલે કે APMC ઉપરાંત સુરત જિલ્લા પંચાયતમાં સંદીપ દેસાઈનો અવાજ નિર્ણાયક બની ગયો હતો અને છેલ્લે સુરત જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પહેરાવી સી.આર. પાટીલે તેમને સુરત જિલ્લા ભાજપનું સર્વોચ્ચપદ ધરી દીધું હતું.

આ પૂર્વે તેઓ ભાજપનાં સંગઠનમાં પણ ઘણા હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે અને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની સૌથી મોટી ચોર્યાસી બેઠકની ટિકિટ ફાળવીને સંદીપ દેસાઈને એક પડકાર ઉપાડી લેવાની તક આપી હતી અને લોકોનાં આશ્ચર્ય વચ્ચે સંદીપ દેસાઈ સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પછી સૌથી વધુ લીડથી જીત મેળવવામાં બીજા ક્રમે રહ્યાં હતા. સંદીપ દેસાઈએ ૧,૮૬,૪૧૮ મતોની લીડ મેળવીને ભાજપના કેન્દ્રીય નેતૃત્વનું પણ ધ્યાન ખેચ્યું હતું. સંદીપ દેસાઈ તા.૨૨/૦૫/૨૦૨૩ના રોજ બાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે એ પૂર્વે તેમણે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને તેમના જીવનમાં રોલ મોડેલ કે પથદર્શક બનેલા લોકોની શુભેચ્છાઓ મેળવી હતી.

PHOTO-2023-05-21-20-41-20

ચોર્યાસી વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સુરતની દ‌િક્ષણ ગુજરાતની સૌથી મોટી ખેડૂતોની સંસ્થા સુરત ખેતીવાડી માર્કેટ APMCના ચેરમેન તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત ડિસ્ટ્રક્ટ બેંકમાં વાઈસ ચેરમેન, સુમુલ ડેરીમાં ડિરેક્ટર તથા અન્ય અનેક સંસ્થાઓમાં હોદ્દાઓ ધરાવી રહ્યા છે.

તાજેતરમાં સુરતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ પણ એરપોર્ટ ઉપરમાં મિનિટોની મુલાકાત દરમિયાન સંદીપ દેસાઈ સાથે ગરજોશથી હસ્તધૂનન કરીને તેમનામાં કેટલીક અપેક્ષાઓ વ્યક્ત કરી હતી.

સુરતમાં સી.આર. પાટીલ, હર્ષ સંઘવી બાદ સંદીપ દેસાઈ એક મજબૂત નેતૃત્વ બનીને ઊભરી આવશે તેવી સંદીપ દેસાઈના જી‍ંદગીનાં બાવનમાં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ઊજળી આશા રાખી શકાય.

આ પણ વાંચો :-

108MP કેમેરા સાથે Samsung નો નવો 5G ફોન, મળશે 6000mAh ની બેટરી, જણો ફીચર્સ

Samsung’s new 5G phone

  • સેમસંગ ગેલેક્સી F54 5G ની જલદી માર્કેટમાં એન્ટ્રી થશે. લોન્ચ પહેલા એક લીકમાં તેના ખાસ ફીચર સામે આવ્યા છે. કંપનીના આ ફોનમાં 108 મેગાપિક્સલનો કેમેરો મળવાનો છે. આવો જાણીએ અન્ય વિગત.

સેમસંગ (Samsung) ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન Galaxy F54 5G ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ ફોન અપર મિડ-રેન્જ સેગમેન્ટમાં આવી શકે છે. ફોનની લોન્ચ ડેટ વિશે કંપની તરફથી હજુ કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

પરંતુ આ વચ્ચે ટિપસ્ટર મુકુલ શર્માએ આ ફોનના ખાસ ફીચર અને સ્પેસિફિકેશન સાથે તેની કિંમતને પણ લીક કરી છે. લીક અનુસાર કંપની આ ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો ઓફર કરવાની છે. આ સિવાય તેમાં શાનદાર ડિસ્પ્લે મળશે. ફોનની કિંમત ટિપસ્ટર અનુસાર 33 હજાર રૂપિયા આસપાસ હોઈ શકે છે.

મળી શકે છે આ ફીચર અને સ્પેસિફિકેશન :

મુકુલ શર્મા અનુસાર કંપની ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે AMOLED ડિસ્પ્લે ઓફર કરવાની છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ ફોન Galaxy M54 5G નો રીબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે. જો તેમ હોય તો ફોનમાં તમને સેન્ટર પંચ-હોલની સાથે 6.7 ઈંચની ફુલ એચડી + AMOLED ડિપ્લ્સે મળશે. સેમસંગનો આ અપકમિંગ ફોન 120Hzના AMOLED ડિસ્પ્લેને સપોર્ટ કરશે. પ્રોસેસર તરીકે કંપની આ ફોનમાં Exynos 1380 ચિપસેટ ઓફર કરી શકે છે.

લીકમાં ફોનના કેમેરા સેટઅપની પણ જાણકારી આપવામાં આવી છે. શર્માના ટ્વીટ અનુસાર કંપની આ ફોનમાં 108 મેગાપિક્સલનો મેન કેમેરો ઓફર કરવાની છે. આ સિવાય ફોનમાં એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એન્ગલ કેમેરો અને એક 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર સામેલ છે. ફોનના મેન કેમેરામાં કંપની ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચર ઓફર કરવાની છે.

ફોન 6000mAh ની બેટરી સાથે આવી શકે છે. આ બેટરી 25 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોનની સાથે ચાર્જ આપવામાં આવશે નહીં.

ઓએસની વાત કરીએ તો ફોન એન્ડ્રોયડ 13 આઉટ ઓફ ધ બોક્સ પર બેસ્ટ OneUI 5.1 પર કામ કરશે. ફોન સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે. કનેક્ટિવિટી માટે તેમાં યૂએસબી ટાઈપ- સી પોર્ટ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ અને જીપીએસ જેવા ઓપ્શન મળશે.

આ પણ વાંચો :-

૨૨ મે / આ રાશિના જાતકોને આજે મળી શકે છે ધંધા-રોજગારમાં સારી સફળતા તો આ જાતકને તબિયત બાબતે રાખવી કાળજી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

May 22 / The natives

મેષઃ
મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ
મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ
નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય.

કર્કઃ
દિવસ દરમિયાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહઃ
નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ
નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃદ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ
નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ
માનસિક શાંતિ વધતી જણાય. ગઈકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મકરઃ
આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ
નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

એક પ્રોગ્રામ માટે કેટલા રૂપિયા લે છે બાબા બાગેશ્વર. બાબાએ જણાવ્યો કાર્યક્રમનો ખર્ચ

0

Dhirendra Krishna Shastri

  • Dhirendra Krishna Shastri Net Worth : સત્ય તો એ છે કે અમે ક્યારેય કથા માટે દક્ષિણા માગી નથી. જે તંત્ર છે જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા જ માગી છે. પંડાલની જરૂર વધારે હોય છે. ઘણા લોકો બાગેશ્વર ધામને પસંદ કરે છે. ભંડારાની જરૂર છે.

બાગેશ્વર ધામના (Bageshwar Dham) પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra shastri) હવે ગુજરાત આવી રહ્યાં છે. મધ્યપ્રદેશની બાગેશ્વર ધામ સરકાર સતત ચર્ચામાં છે. બાબા બાગેશ્વરને લઈને ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કથા વાંચન કાર્યક્રમનો વિરોધ પક્ષ અહીં વિરોધ કરી રહ્યો છે. જ્યારે ભાજપના નેતાઓ સમર્થનમાં ઉભા છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે બાબા બાગેશ્વર કથા વાંચવાના કેટલા પૈસા લે છે? તેમના એક પ્રોગ્રામની કિંમત કેટલી છે?

બાબાની ફી અને કથા વાચનનો ખર્ચ જાણો :

લગભગ એક વર્ષ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક ઓપન ફોરમમાં કહ્યું હતું કે ‘અમે કથા સાથે સંબંધિત વધુ એક વિનંતી કરીશું કે કથાઓની તારીખો 2023 સુધી ફૂલ છે. એવી કોઈ તારીખ નથી કે જે 2023 પહેલા ખાલી હોય. ઘણા લોકો કથાઓના નામે ગેરમાર્ગે દોરે છે કે તે ખૂબ મોંઘા છે.

સત્ય તો એ છે કે અમે ક્યારેય કથા માટે દક્ષિણા માગી નથી. જે તંત્ર છે, જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા જ માગી છે. પંડાલની જરૂર વધારે હોય છે. ઘણા લોકો બાગેશ્વર ધામને પસંદ કરે છે. ભંડારાની જરૂર છે.

અન્નપૂર્ણા ભંડારા ચાલી રહ્યા છે તે માટે આવનારા કલાકારો માટે વ્યવસ્થા, વાહનોની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને સહકાર. પરંતુ તેમણે ક્યારેય નથી કહ્યું કે 50 લાખ કે એક કરોડ આપવાના છે. સિસ્ટમમાં ગમે તેટલો ખર્ચો કરવામાં આવે. કથા બિલકુલ મોંઘી નથી. તે અફવા છે.

લોકોના મનની વાતો જાણવાનો બાબા કરે છે દાવો :

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી દાવો કરે છે કે તેઓ લોકોના મન વાંચી શકે છે. જ્યારે કોઈ ભક્ત તેની સમસ્યા લઈને તેમની પાસે આવે છે. ત્યારે તે તેને એક કાગળ પર અગાઉથી લખી લે છે અને તેનો ઉકેલ પણ જણાવે છે.

બાગેશ્વર ધામ સરકાર કહે છે કે આ યોગ-સાધનાનું પરિણામ છે જે સનાતન ધર્મની સદીઓ જૂની પરંપરા છે. આભાસી શક્તિઓ દ્વારા ભક્તની સમસ્યા જાણીને તે કાગળ પર લખે છે. હનુમાનજીની કૃપાથી તે ઠીક થઈ જાય છે. હનુમાનજીની ગદા જેવી દેખાતી આ મુગદર હંમેશા બાગેશ્વર મહારાજની સાથે રહે છે. બાબા કહે છે કે તેમને આ મુગદરમાંથી શક્તિઓ મળે છે.

આ પણ વાંચો :-