અત્યાર સુધી ન ગયા હોય તો આ વેકેશનમાં જવાનું ન ચૂકતા.. આ છે સુંદર ફરવાલાયક સ્થળો

Share this story

If you haven’t been  

  • હાલમાં બાળકોનું વેકેશન ચાલે છે તેથી હરવા ફરવાના શોખીન રજામાં ફરવા જવાનો પ્લાન બનાવતા જ હોય છે. જો તમને પણ ફરવાનો શોખ હોય તો આજે તમને ગુજરાતના જ એવા સ્થળો વિશે જણાવીએ જે તમારા માટે બેસ્ટ છે.

હાલમાં બાળકોનું વેકેશન (Vacation) ચાલે છે અને હરવા ફરવાના શોખીન રજામાં ફરવા જવાનો પ્લાન બનાવતા જ હોય છે. જો તમને પણ ફરવાનો શોખ હોય તો પણ તમારી પાસે રજાની શોર્ટેજ છે તો આજે તમને ગુજરાતના જ એવા સ્થળો વિશે જણાવીએ જે તમારા માટે બેસ્ટ છે. આ જગ્યાએ જવામાં સમય ઓછો લાગશે અને તમને પરિવાર સાથે ફરવા અને જોવા માટે ઘણું મળશે.

ગુજરાતના ઘણા તીર્થધામો, શહેરો તેની વિવિધ ખાસિયતો વિશે જાણીતા છે. અહીં કુદરતી સૌંદર્યને પેટ ભરીને માણી શકાય છે. આવા સ્થળોની વાત આવે તો ગુજરાતમાં 5 એવી જગ્યાઓએ છે જ્યાં ફરવા જવું જ જોઈએ.

ગિરનાર 

ચોમાસામાં અહીં સૌથી વધારે મજા આવે છે. અહિંના ધોધો, અહિંના ઝરણાં અને અહિં મળતી અનેક ઔષધિઓ. દિવસરાત ભટકતાં જ રહો એવો આશય ઉભો થાય ! ગિરનારની (Girnar) ટૂંક ઉપર ગુરૂદત્ત બીરાજે છે.તો ઉપરકોટનો કિલ્લો પણ એની ભવ્યતા માટે આકર્ષક છે. ગીરની લીલોતરી વિશે તો આગળ વાત કરી પણ હવે ગીર જેને લીધે જાણીતું બન્યું એવા ગિરનાર વિશે. ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને શ્રેષ્ઠત્તમ ઉંચાઇ ! જુનાગઢની ઉપર ગિરનાર જાણે પડછાયો બનીને ઉભો છે.

તારંગા  :

જૈનોના તીર્થ ગણાતા તારંગામાં તમને ડુંગરોની વચ્ચે આવેલા આ જૈન મંદિરો જોવાનો અનેરો લ્હાવો મળશે. મહેસાણાના (Mehsana) સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી અંદાજે ૧૨૦૦ ફિટ ઉંચી આ ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે.

અહિંની પર્વતીય સુંદરતા જોવાલાયક છે.ઉપરથી માઇલો સુધી પથરાયેલ અરવલ્લીના અનેક ટેકરાઓની રમણીયતા નજરે પડે છે. અહિં જૈન મંદિરૌ આવેલા છે. કુમારપાળે અહિં ભગવાન અજિતનાથનું સુંદર દેરું બનાવેલું છે. અહિં ઘણા જૈન મંદિરો આવેલા છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રધ્ધાનું કેન્દ્ર છે. અહિંની મુલાકાત પણ મનોહર છે.

ગીરનું જંગલ

આ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. ચોમાસામાં તો અહીં વનરાજી ખીલી ઉઠે છે. ગુજરાતનો સૌથી મોટો અયણ્ય વિસ્તાર એટલે ગીર ! વનરાજોની વસ્તી ધરાવતો અદ્ભુત અરણ્ય સંગમ અનેક જાતના વૃક્ષો ધરાવતો અને અનેક નદી નાળાં સમેત ઝરણા ધરાવતો ભવ્ય પ્રકૃતિ મહોત્સવ !

માઈલો સુધી પથરાયેલ ગીરનું જંગલ પ્રકૃતિની પૂર્ણતા છે. અહિં આવેલ “ગીર નેશનલ પાર્ક”ની (Gir National Park) મુલાકાત ખરેખર લેવા જેવી છે. ગીરમાં આવ્યા પછી સિંહ જોવા ન મળે તો તો થઇ રહ્યું ! એ ઉપરાંત પણ અનેક પ્રાણીઓ અહિં મુક્ત રીતે વિહરે છે.પ્રકૃતિ અને પ્રાણીઓના સંગમ સ્થાન સમાન આ સ્થળની મુલાકાત લેવી સદાય અવિસ્મરણીય બની રહેશે.

સાપુતારા :

ઉનાળામાં લોકો ગરમીથી રાહત મેળવવા સાપુતારા વિશે એક વાત તો પ્રસિધ્ધ જ છે કે, ગુજરાતમાં હવા ખાવા માટેનું તે એકમાત્ર સ્થળ છે…! ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલ સાપુતારાની ભવ્ય પહાડીઓ ખરેખર મનમોહક છે. અહિં પ્રકૃતિ ખોબે ખોબે પથરાઇ છે. માનવીના ઔદ્યોગિકરણએ હજી અહીં બહુ પગપેસારો નથી કર્યો. સાપુતારા મુખ્યત્વે ડાંગના આદિવાસીઓનું રહેઠાણ હતું.

અહિં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે.ખાસ તો નૌકાવિહાર માટે જળાશય ! આહ્લાદક અનુભવની સાચી મજા !ઉપરાંત અહિં પહાડીઓ પરથી સનસેટ અને સનરાઇઝ પોઇન્ટનો લ્હાવો પણ લીધા જેવો છે. સાપુતારાથી થોડે દુર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મુખ્ય આકર્ષણ બની રહે છે.

પાલિતાણા  :

ભાવનગરમાં આવેલ જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થળ છે.આ નગરને “મંદિરોનું શહેર” પણ કહેવાય છે. અહિં જૈન યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે. અદ્ભુત કોતરણી અને પવિત્રતાનો સંગમ ! બસ, જોતા જ રહીએ એવી આહ્લાદક અનુભુતિ અને શાંતિનો અનુભવ અહિં થયા વિના રહેતો નથી.

જૈનોના પ્રથભ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલ આ તીર્થંને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. દેરાસર પાસે અહિં મુસ્લીમોની પવિત્ર દરગાહ પણ આવેલ છે. અહીંનું નયનરમ્ય વાતાવરણ બધાંને આકર્ષિત કરનાર છે.

આ પણ વાંચો :-