બૃજભૂષણ શરણસિંહની પહેલવાનોને ચેલેન્જ: ‘નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું, જો પહેલવાનો પણ…’

Share this story

Brijbhushan Sharansingh 

  • પહેલવાનોને પડકારતાં ભાજપ સાંસદ બૃજભૂષણસિંહે કહ્યું કે’ હું આજે પણ પોતાની વાત પર અડગ છું. હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છું.’

ભારતીય કુશ્તી સંઘનાં (Wrestling Federation of India) અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણસિંહે  (Brijbhushan Sharan Singh)રવિવારે ખાપ પંચાયતનાં વિવાદિત નિવેદન બાદ ચેલેન્જ આપતાં કહ્યું કે ‘હું પોતાનો નાર્કો ટેસ્ટ, પોલિગ્રાફી ટેસ્ટ (Polygraphy test) કે લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે. મારી સાથે વિનેશ ફોગાટ (Vinesh Phogat) અને બજરંગ પુનિયાનાં (Bajrang Punia) પણ ટેસ્ટ થવા જોઈએ.’

‘રઘુકુલ રીત સદા ચલી આઈ’ 

તેમણે કહ્યું કે જો બંને પહેલવાનો પોતાનો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે તો પ્રેસ કોન્ફેરેન્સમાં તેનું એલાન કરે. તેમણે કહ્યું કે હું વચન આપું છું કે હું પણ તેના માટે તૈયાર છું. તેમણે પોતાની આ વાત એક ફેસબુક પોસ્ટ કરીને જણાવી હતી. તેમણે લખ્યું કે હું આજે પણ મારી વાત પર કાયમ છું અને હંમેશા કાયમ રહેવાનું વચન દેશવાસીઓને આપું છું. તેમણે પોતાની પોસ્ટમાં રામચરિત માનસની ચોપાઈ ‘રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાયે’ પણ લખી હતી.

નવા સંસદ ભવનમાં મહિલા મહાપંચાયત બનશે :

બૃજભૂષણ શરણસિંહની ધરપકડને લઈને ખાપ પંચાયતોની તરફથી આપવામાં આવેલી સમયસીમા પૂર્ણ થયાં બાદ રવિવાર ૨૧ મેનાં રોજ હરિયાણામાં મહાપંચાયત થઈ. ખાપ પંચાયતે મોટું એલાન કરતાં કહ્યું કે ૨૮ મેનાં નવા સંસદ ભવનમાં મહિલા મહાપંચાયત બનાવવાનું એલાન કર્યું.

આ પણ વાંચો :-