લલિતભાઈ તો આ નવું લાયા ! પકડાયેલા દારૂના જથ્થાના નાશ કરવાને બદલે આવું કરવા સૂચન કર્યું, લોકોએ તો….

Share this story

Lalitbhai brought this new! Instead of destroying

  • કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ CM ભુપેન્દ્ર પટેલને દારૂબંધીને લઈને પત્ર લખ્યો છે.

કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ (Former MLA Lalit Wasoya) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી (Prohibition of alcohol) છે તેમ છતાં વાર્ષિક ૨૦૦ કરોડનો દારૂ પકડાય છે. તો આ દારૂનો નાશ કરવાની જગ્યાએ આપણે તેને અન્ય રાજ્યમાં વહેચી દેવો જોઈએ અને ઓક્શનથી મળતી આ રકમને દેશની રક્ષા કરનારના ફંડમાં આપી દેવી જોઈએ.

પત્રમાં જણાવ્યું કે…

દારૂબંધી બાબતે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સૂચન કરતો એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે આપણા રાજ્યમાં દારૂબંધી છે. આ દારૂબંધી હોવા છતાં રાજ્યમાં વાર્ષિક ૨૦૦ કરોડનો દારૂ પકડવામાં આવે છે અને ત્યારબાદ દારૂનો રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવે છે.

Image

આવું કરવાને બદલે દારૂને જે રાજ્યમાં દારૂબંધી ન હોય તેવા રાજ્યમાં ઓક્શનથી દારૂ વહેચી દેવો જોઈએ. જો આમ કરવામાં આવે તો ઓકશનથી મળતી રકમને દેશની રક્ષા કરનારના ફંડમાં આપી દેવી જોઈએ. આ રકમને શહીદ થનાર જવાનોના પરિવારને મદદરૂપ થવામાં મદદ કરવા ઉપયોગ કરી શકાય છે. હાલ તો આ પત્રને લઈને તમામ લોકો વિચારતા થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે બેફામ દારૂ પીવાઈ પણ છે અને વહેંચાઈ પણ છે. જેના બોલતા પુરાવા રૂપ ગુજરાતમાં ગત માર્ચ માસમાં સત્તાવાર આંકડા જાહેર કરાયા હતા. જેમાં ગુજરાતમાં માર્ચ, 2022 સુધીના છેલ્લા બે વર્ષમાં 215 કરોડનો વિદેશી દારૂ પકડાયો હતો.

આ પણ વાંચો :-