HomeSportsIPLનો સ્ટાર યશસ્વી કરશે ટેસ્ટમાં ડેબ્યૂ, કોહલી-રોહિતની થશે અગ્નિપરીક્ષા

IPLનો સ્ટાર યશસ્વી કરશે ટેસ્ટમાં ડેબ્યૂ, કોહલી-રોહિતની થશે અગ્નિપરીક્ષા

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img
  • ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. જ્યાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચની સિરીઝ રમવાની છે. આ પ્રવાસ આજથી (12 જુલાઈ) શરૂ થશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યારે ઘણી નબળી દેખાઈ રહી છે. તે ODI વર્લ્ડ કપમાંથી બહાર છે. વિન્ડીઝની ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાનું ચૂકી ગઈ છે. આવી સ્થિતિમાં કેટલાક પ્રશંસકો અને દિગ્ગજોનું માનવું છે કે ભારતીય ટીમ નબળા વિન્ડીઝને પોતાના ઘરમાં જ સાફ કરી શકે છે.

પરંતુ ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ શ્રેણી સાથે પરિવર્તનનો એક તબક્કો શરૂ કરશે. આ દરમિયાન ચાહકો અને મેનેજમેન્ટની નજર યશસ્વી જયસ્વાલ સહિતના યુવા ખેલાડીઓ પર રહેશે. બીજી તરફ યજમાન વેસ્ટ ઈન્ડિઝ માટે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં મળેલી હારના ઘા હજુ તાજા છે. આવી સ્થિતિમાં ભારત જેવી મજબૂત ટીમને હરાવીને વેસ્ટ ઈન્ડિઝ વિશ્વ ક્રિકેટમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

પુજારાની જગ્યાએ જયસ્વાલને મળી શકે તક :

ચેતેશ્વર પૂજારાની હકાલપટ્ટી બાદ ભારતીય ટોપ ઓર્ડરમાં એક જગ્યા ખાલી પડી છે. રોહિત શર્માએ પણ પુષ્ટિ કરી છે કે જયસ્વાલને તક મળશે અને તે ઓપનિંગ કરશે, જ્યારે શુભમન ગિલ નંબર 3 પર રમશે. શુભમન ગિલ સ્વાભાવિક રીતે મિડલ ઓર્ડર બેટ્સમેન છે. જયસ્વાલ મુંબઈ, પશ્ચિમ ઝોન અને રેસ્ટ ઈન્ડિયા માટે ઈનિંગ્સની શરૂઆત કરતો આવ્યો છે. તેના માટે ટોપ ઓર્ડર પર રમવાનું મુશ્કેલ નહીં હોય.

ભારત WTCની ત્રીજી સિઝનમાં જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે :

આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા કેમાર રોચ, શેનોન ગેબ્રિયલ, અલ્ઝારી જોસેફ અને જેસન હોલ્ડર જેવા અનુભવી બોલરોને રમવા ભારત માટે સારો અનુભવ હશે. ભારતની નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સીઝન પાછલી બે સીઝન કરતાં વધુ કઠિન હશે. છેલ્લી બે સિઝનમાં ભારતીય ટીમ શાનદાર ઝડપી બોલિંગ અને ચુસ્ત બેટિંગ ઓર્ડરના આધારે ફાઈનલમાં પહોંચી હતી.

હવે મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાગ્રસ્ત છે. જ્યારે મોહમ્મદ શમીને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમના આક્રમણમાં ધારનો અભાવ છે. ઈશાંત શર્મા છેલ્લી બે સીઝન રમી ચૂક્યો છે, પરંતુ આ વખતે કોમેન્ટ્રી કરશે. જ્યારે 36 વર્ષીય ઉમેશ યાદવ માટે હેમસ્ટ્રિંગની ઈજા બાદ કમબેક કરવું મુશ્કેલ છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img