RBIની કડક કાર્યવાહી, આ 4 બેંકોના લાયસન્સ રદ ; ગ્રાહકોના પૈસાનું શું થશે ?

Share this story
  • શ્રી શારદા મહિલા સહકારી બેંકના લગભગ 97.82 ટકા થાપણદારોને તેમની થાપણોની સંપૂર્ણ રકમ DICGC તરફથી પરત કરવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફરી એકવાર બે બેંકોના લાઈસન્સ રદ કર્યા છે. આ વખતે આરબીઆઈએ કર્ણાટકના તુમકુર સ્થિત શ્રી શારદા મહિલા સહકારી બેંક અને મહારાષ્ટ્રના સતારા સ્થિત હરિહરેશ્વર બેંક સામે કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે બે સહકારી બેંકો પાસે ‘પૂરતી મૂડી અને કમાણીની સંભાવના’ નથી. હરિહરેશ્વર સહકારી બેંકના કિસ્સામાં વ્યવસાય બંધ કરવાનો આદેશ 11 જુલાઈ, 2023 થી અમલી બન્યો છે.

ખાતા ધારક થાપણ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર છે :

બેંકના લગભગ 99.96 ટકા થાપણદારોને તેમની કુલ થાપણો ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને લોન ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી આપવામાં આવશે. તે જ સમયે, શ્રી શારદા મહિલા સહકારી બેંકના લગભગ 97.82 ટકા થાપણદારોને DICGC તરફથી તેમની થાપણની સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. લિક્વિડેશન પર, દરેક થાપણદાર DICGC તરફથી તેમની રૂ. 5 લાખ સુધીની થાપણો માટે થાપણ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે.

બંને બેંકો પાસે યોગ્ય મૂડી અને આવકની સંભાવના નથી :

લાયસન્સ રદ થયા બાદ બેંકોને બેંક સંબંધિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમાં અન્ય બાબતોની સાથે થાપણોની સ્વીકૃતિ અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે. આરબીઆઈએ કહ્યું કે બંને સહકારી બેંકો પાસે યોગ્ય મૂડી અને કમાણીની ક્ષમતા નથી. બેંકે કહ્યું કે બંને બેંકો તેમની વર્તમાન નાણાકીય સ્થિતિને જોતા તેમના થાપણદારોના સંપૂર્ણ નાણાં પરત કરવામાં અસમર્થ છે.

અગાઉ, આરબીઆઈએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કાર્યરત બે સહકારી બેંકોનું લાઈસન્સ રદ કર્યું હતું. આ પછી, 5 જુલાઈ, 2023 થી બંને બેંકોનો તમામ પ્રકારનો વ્યવસાય બંધ થઈ ગયો છે. રિઝર્વ બેંકના આદેશ બાદ, બુલઢાણા સ્થિત મલકાપુર અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ અને બેંગલુરુ સ્થિત સુશ્રુતિ સૌહાર્દા સહકાર બેંક રેગ્યુલરના બેંકિંગ લાઈસન્સ 5 જુલાઈથી રદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-