નવરાત્રિના કારણે ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ, હવે આ દિવસે રમાશે વર્લ્ડકપની મેચ

Share this story
  • ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હાલમાં જ ભારતમાં આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી શરૂ થશે.

જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ૦૮ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે. આ શાનદાર મેચ ૧૫ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે આ મેચની તારીખ બદલવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે આ શાનદાર મેચ હવે એક દિવસ પહેલા એટલે કે ૧૪ ઓક્ટોબરે રમાશે. આ સિવાય વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક અન્ય ફેરફારો પણ છે. આ તમામ ફેરફારોની જાહેરાત આજે (૩૧ જુલાઈ) થઈ શકે છે. જણાવી દઈએ કે આ બધો ફેરફાર નવરાત્રીના તહેવારને કારણે કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિનો પ્રથમ દિવસ ૧૫ ઓક્ટોબરે આવી રહ્યો છે.

જણાવી દઈએ કે હાલમાં જ આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે ૨-૩ સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ કરીને આ ભારત અને પાકિસ્તાનની મેચ માટે નથી.

વાસ્તવમાં નવરાત્રીનો પહેલો દિવસ ૧૫ ઓક્ટોબરે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને નવરાત્રિ તહેવારને કારણે તારીખ બદલવા માટે એલર્ટ કરી દીધું છે. એક સૂત્રએ કહ્યું હતું કે એજન્સીઓએ અમને આ વિશે જણાવ્યું છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ ટૂંક સમયમાં નિર્ણય લઈશું.

અહીં સમજવા જેવી વાત એ છે કે વર્લ્ડ કપ દરમિયાન માત્ર નવરાત્રિ જ નહીં પરંતુ દીપાવલી અને દશેરા જેવા તહેવારો પણ આવવાના છે. આવી સ્થિતિમાં BCCIને મેચ કરાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો :-